CIA ALERT
06. May 2024

ભાજપ વ્યક્તિ કેન્દ્રિત પક્ષ બની નહીં શકે: નીતિન ગડકરી

Share On :
Print Friendly, PDF & Email

કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) માત્ર ‘મોદી-કેન્દ્રિત’ બની ગયો હોવાના આક્ષેપને શુક્રવારે નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપની એક ચોક્કસ વિચારધારા છે અને તે ક્યારેય કોઇ ‘વ્યક્તિ-કેન્દ્રિત’ પક્ષ નહોતો અને અત્યારે પણ નથી.તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની હાલની ચૂંટણીમાં ભાજપને 2014ની સરખામણીમાં વધુ બેઠક મળશે.

ગડકરીએ જણાવ્યું હતું કે ભાજપ અગાઉ પણ માત્ર ‘અટલ કે અડવાણીજી’નો પક્ષ નહોતો અને અત્યારે પણ તે માત્ર ‘મોદી કે શાહનો પક્ષ’ નથી.

ભાજપના નેતાએ જણાવ્યું હતું કે ભાજપ અને મોદી એકબીજાના પૂરક છે. ભાજપમાં કોઇની ઇજારાશાહી નથી અને તે ચોક્કસ વિચારધારા પર આધારિત પક્ષ છે. પક્ષમાં સંસદીય સમિતિ જ બધા મહત્ત્વના નિર્ણય લે છે.ગડકરીએ જણાવ્યું હતું કે જો પક્ષ મજબૂત હોય અને તેનો નેતા નબળો હોય અથવા પક્ષ નબળો હોય અને તેનો નેતા મજબૂત હોય તો ચૂંટણી જીતી ન શકાય.તેમણે જણાવ્યું હતું કે ભાજપ પોતાના પાંચ વર્ષના શાસનકાળની સિદ્ધિ ગણાવવાને બદલે ‘રાષ્ટ્રવાદ’ને મુદ્દે ચૂંટણી લડી રહ્યો હોવાનો આક્ષેપ ખોટો છે. ભાજપ માટે ‘રાષ્ટ્રવાદ’ કોઇ મુદ્દો નથી, પરંતુ ‘અમારો આત્મા’ છે.ગડકરીએ જણાવ્યું હતું કે અમે સારા વહીવટીતંત્ર અને વિકાસમાં માનીએ છીએ. અમે ગરીબ અને પછાત લોકોને રોટી, કપડાં અને મકાન અપાવીશું.તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે તાજેતરમાં જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :