CIA ALERT
19. May 2024

વાવાઝોડા ‘ફોની’ મુદ્દે પણ મમતા દીદી રાજકારણ રમતા હોવાનો વડા પ્રધાનનો આક્ષેપ

Share On :
Print Friendly, PDF & Email

વાવાઝોડું ‘ફોની’ ઓડિશામાં નુકસાન વેરીને કોલકાતાથી પસાર થયું હતું. વાવાઝોડા મુદ્દે વડા પ્રધાન મોદીએ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઈક સાથે વાત કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરીને આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી. બીજી બાજુ વડા પ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી સાથે વાવાઝોડા વિશે ચર્ચા કરવા બે વાર ફોન કર્યો હતો, પરંતુ તેણે વાત કરી નહોતી. આવા કેસમાં મમતાદીદી રાજકારણ રમતા હોવાનો આક્ષેપ મોદીએ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ઓડિશાની વાવાઝોડા બાદની સ્થિતિનો સર્વે કર્યા બાદ પ. બંગાળની સ્થિતિ જાણવા મમતા બેનરજીને બે વાર ફોન કર્યો હતો, પરંતુ ઉપાડ્યો નહોતો અને બાદમાં જવાબ પણ આપ્યો નહોતો. રીટર્ન કોલની રાહ જોઈ હતી, પરંતુ ઉપેક્ષા દર્શાવાઈ હતી. સ્પીડબ્રેકર દીદી રાજકારણ રમવામાં વ્યસ્ત હતી. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળતા મળતાં ગવર્નર સાથે વાત કરી હતી.

મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રસંઘે વૈશ્ર્વિક આતંકી ઘોષિત કર્યો છે છતાં મમતાદીદી વૉટ બૅંકની રાજનીતિ કરી રહ્યા છે, તેથી સારા કાર્યની પ્રશંસા કરતા ડરે છે. પશ્ર્ચિમ બંગાળની સ્થિતિ એવી છે કે જયશ્રી રામ બોલનારને જેલમાં પૂરી દેવાની ધમકી અપાઈ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :