CIA ALERT
14. May 2024
November 5, 20191min4330

Related Articles



ગીરનારની લીલી પરિક્રમા આઠ નવેમ્બરથી શરૂ

Share On :
Print Friendly, PDF & Email

‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં ગીરનારની લીલી પરિક્રમા આઠ નવેમ્બર પહેલાં શરૂ નહિ કરવામાં આવે. આઠ નવેમ્બર પહેલા કોઈને પ્રવેશ આપવામાં આવશે નહિ. સામાન્ય રીતે લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના રોજ શરૂ થઈ જાય છે.

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતાં હોય છે, પણ ચાર-પાંચ દિવસ ભારે વરસાદની શક્યતાને જોતાં આ વખતે આઠ નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે તે પહેલા પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ. ગીરનારને ફરીને કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત શ્રદ્ધાળુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મહાશિવરાત્રીના મેળામાં અને ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી દિવાળી અને દિવાળી પછી ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :