CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 30 of 44 - CIA Live

November 2, 2021
Dhanteras.png
1min462

આજે ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ધનતેરસના દિવસે ત્રિપુષ્ક યોગ બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદો મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ તેના ઉપર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.

સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયાં હતાં. જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.

ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોવું ખરીદવાની પરંપરા શરૂ થઈ. તે પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે. સાથે જ પીત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પરંપરા છે.

ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5.35 થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.

સ્કંદ પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી અને અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી.

સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન માટે લોટનો દીવો બનાવવો. તેમાં સરસિયાનું અથવા તલનું તેલ મિક્સ કરીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આવું કરીને યમરાજ પાસે પરિવારના લોકોની લાંબી ઉંમર માટે કામના કરવી જોઈએ.

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min789

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.

નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે

ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા

ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.

n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.

Reported @ 10pm 1/11/2021

ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

November 1, 2021
indian-flag.png
1min461

 ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે OTPની જરુર

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BOB બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે મોટો ફેરફાર

ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

November 1, 2021
t20_world.jpg
1min574

પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.

બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.

કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.

‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.

October 31, 2021
t20_world.jpg
1min1030

ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે સેમિ-ફાઈનલમાં પ્રવેશવું હોય તો ન્યૂ ઝીલેન્ડ સામે ૩૧ ઑક્ટોબર, રવિવારે રાતે ૭-૩૦ વાગ્યે રમાનારી મૅચમાં જીત મેળવવી જરૂરી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મૅચ મહત્ત્વની છે અને તે ભારત માટે ‘કરો યા મરો’નો જંગ કહી શકાય. હાલમાં સ્થિતિ એવી છે કે ભારત સેમિ-ફાઈનલમાં પહોંચશે કે કેમ એ અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ મોટા રન રૅટથી અને ભારે તફાવતથી જીતવી જરૂરી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયા હવે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ જીતવા કમર-કસશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટસેનાની વર્લ્ડકપમાંની આગળની સફર નક્કી કરશે. કોહલી ઍન્ડ કંપનીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે અને જો તેમ નહિ થાય તો તેણે અન્ય અગ્રણી ટીમના સંભવિત પરાજયની રાહ જોવી પડશે.

ભારતની ત્રીજી નવેમ્બરે આબુધાબીમાં અફઘાનિસ્તાનની સામે મૅચ છે. તે પછી પાંચમી નવેમ્બરે દુબઇમાં ‘બી-૧’ ટીમ સામે અને આઠમી નવેમ્બરે દુબઇમાં ‘એ-ટૂ’ ટીમ સામે મૅચ છે. ભારતની બધી મૅચ રાતે ૭-૩૦ વાગ્યે રમાવાની છે.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની ઈવેન્ટ્સની કુલ ૭ મૅચ રમાઈ હતી. જેમાંથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ૬ મેચ જીતી હતી, જ્યારે એક મૅચમાં વરસાદના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો થયો.
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બે વખત ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાયું હતું અને આ બન્ને મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતને ૧૦ રન અને ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપમાં ૪૭ રનથી હરાવ્યું હતું.

ભારતે ૨૦૦૩ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૨૦૧૯ વર્લ્ડકપની સેમિ-ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું અને વિશ્ર્વકપ જીતવાનું દેશનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. વરસાદને કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિ-ફાઇનલ મૅચમાં ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ૮ વિકેટથી ભારતને હરાવ્યું હતું. 

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં કુલ ૧૬ મેચ રમાઈ હતી અને તેમાં પણ કિવી ટીમ સૌથી વધુ ૮ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભારત માત્ર ૬ મેચ જીતી શક્યું હતું અને ૨ મૅચ ટાઈ રહી હતી.

વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર ગણવામાં આવતી હતી. ક્રિકેટના ચાહકોને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાન વિરુદ્ધની પહેલી મૅચમાં જીત મેળવીને વર્લ્ડ કપની શરૂઆત વિજય સાથે કરશે, પરંતુ કરોડો ક્રિકેટ-રસિયાઓની આશા પર ૨૪ ઑક્ટોબરે પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.
ભારતની ટીમ હાલમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે.

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મૅચ માટેની ભારતીય ટીમમાં વધુ અનુભવી બૉલરને સ્થાન મળવાની શક્યતા છે.

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શાર્દૂલ ઠાકુર, રવીચંદ્રન અશ્ર્વિન, ઈશાન કિસાન, રાહુલ ચહર. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડૅરીલ મિશૅલ, ડૅવોન કૉન્વે, ટીમ સૅફર્ટ (વિ.કી.), જૅમ્સ નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સન્તનર, ઈશ સોઢી, ટ્રૅન્ટ બૉલ્ટ, ટીમ સઉધી, માર્ક ચૅપમૅન, આદમ મિલ્ને, કાયલે જૅમીસન, ટૉડ ઍસ્લે. 

October 30, 2021
cia_multi-1280x1045.jpg
6min947

એક સોલાર તોફાન geomagnetic storm ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં પૃથ્વીના વાતાવરણ સાથે અથડાશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ તોફાન સૂર્યની સપાટી પર વિસ્ફોટ બાદ પેદા થયું છે અને તેની ઝડપ ખૂબ જ તેજ છે. વૈજ્ઞાનિકોના મતે આ તોફાનથી સેટેલાઈટ સિગ્નલ્સમાં અડચણ આવી શકે છે. આ કારણે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેની અસર જોવા મળી શકે છે. 

What is a solar flare? Warning as geomagnetic storm forecast to hit Earth  today - Daily Star

નિષ્ણાંતોના મતે આ સૌર તોફાનની સ્પીડ 1,260 કિમી પ્રતિ સેકન્ડની છે. વૈજ્ઞાનિકોના મતે આ સૌર તોફાન શનિવારે તા.30 ઓક્ટોબર 2021 કે રવિવારે તા.31મી ઓક્ટોબરે કોઈ પણ સમયે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. તોફાન ધરતી પર પહોંચે તે પહેલા જ અમેરિકાના એક હિસ્સામાં કામચલાઉ રીતે રેડિયો સિગ્નલ બ્લેકઆઉટ થઈ ગયા છે. 

આ સૌર તોફાન તેમની રીતના સૌથી શક્તિશાળી x1-ક્લાસ Solar Flair તરીકે ઓળખાય છે. નાસાના અધિકારીઓેએ તેને મહત્વપૂર્ણ સોલર ફ્લેયર ઠેરવ્યું છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીના રિયલ ટાઈમ વીડિયોમાં પણ કેપ્ચર કરવામાં આવ્યું છે. 

સોલાર ફ્લેયરની સૌથી શક્તિશાળી શ્રેણી એક્સ ક્લાસ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તાકાતના ઘટતા ક્રમમાં તે એમ, સી, બી અને એ ક્લાસના નામથી ઓળખાય છે. આ સૌર તોફાનના કારણે 30 ઓક્ટોબરના રોજ અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને અસર પડી શકે છે. 

In English

A geomagnetic storm is set to hit Earth on Saturday after the Sun blasted out millions of tons of ionised gas from one of five sun-spot clusters late on Thursday and may affect GPS signals, satellites and the electricity grid. The solar storm could also touch off geomagnetic activity that could make the Northern Lights visible as far south as the Hudson Valley New York.

The Solar Dynamics Observatory of the National Aeronautics and Space Administration (Nasa) captured a “significant solar flare” erupting from the Sun. The US space agency said on Friday that the Sun on Thursday emitted an X1-class flare. “POW! The sun just served up a powerful flare,” Nasa tweeted.

Nasa says X-class denotes the most intense flares, while the number provides more information about its strength—an X2 is twice as intense as an X1, an X3 is three times as intense, etc.

When the solar flare— powerful bursts of radiation—erupted on Thursday, it caused a strong radio blackout storm, which can disrupt some high-frequency radio broadcasts and low-frequency navigation.

Spaceweather.com reported that the flare originated from a sunspot called AR2887 currently positioned in the centre of the Sun and facing the Earth, based on its location.

The US Space Weather Prediction Center (SWPC) said the X1-class flare caused a temporary, yet strong radio blackout across the sunlit side of Earth-centered on South America.

William Murtagh, SWPC director, said that of the five sunspot clusters, those large magnetic storms that appear darker than the rest of the sun, only two are likely to cause the Earth any trouble. According to Nasa, the X1-flare is also likely to hit Earth’s magnetic field on Saturday.

The harmful radiation from a solar flare cannot pass through Earth’s atmosphere to affect humans but they can disturb the atmosphere in the layer where GPS and communications signals travel.

When these intense flares are aimed directly at Earth, they can also be accompanied by a massive eruption of solar particles, called a coronal mass ejection. The SWPC said that the impulsive X1-class flare on Thursday also “appeared to have coronal mass ejection related signatures”.

The wave of solar energy may also deliver a celestial show for sky-watchers in the Northern Hemisphere when it hits. However, for observers along the Eastern Seaboard the potential for weekend rain may dampen viewing opportunities.

When a wave of solar energy hits Earth’s magnetic field it will often create an aurora at the poles—in the Northern Hemisphere this is often called the Northern Lights and can appear as colourful ribbons in the sky or just flickering.

“We think the initial impact will happen during the daylight hours, so for aurora enthusiasts in the US, we are looking at overnight of the 30th into 31st for the best chance to see the aurora,” Murtagh was quoted as saying by Bloomberg.

The solar storm is rated as G3 on the five-step scale for ranking such events, lower than the level where power grid operators become concerned.

October 30, 2021
t20_world.jpg
1min377

આઇસીસી ટી-20 વિશ્વ કપના ગ્રુપ વનના શનિવારના મેચમાં બે પરંપરાગત હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ મુકાબલો રોચક અને રસાકસીભર્યોં બની રહેશે, કારણ આ બન્ને ટીમ તેમના પહેલા બે મેચ જીત ચૂકી છે.

ગ્રુપ-વન ગ્રુપ ઓફ ડેથ છે. આ મુશ્કેલ ગ્રુપમાં આ મેચની વિજેતા ટીમની સેમિ ફાઇનલની રાહ નક્કી થઇ જશે અને ગ્રુપ પર વર્ચસ્વ પણ મેળવી લેશે. ઓસ્ટ્રેલિયાએ તેના પહેલા મેચમાં સંઘર્ષ બાદ આફ્રિકા સામે જીત મેળવી હતી, બીજા મેચમાં શ્રીલંકા સામે પ્રભાવશાળી જીત નોંધાવી હતી.

શ્રીલંકા વિરૂધ્ધના આ મેચમાં કાંગારૂ ટીમ માટે સકારાત્મક વાત એ રહી હતી કે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા સ્ટાર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચે ફોર્મમાં વાપસી કરી હતી.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગલાદેશ સામે મોટી જીત મેળવીને હવે મજબૂત હરીફનો સામનો કરવા તૈયાર છે. પહેલા બે મેચમાં તેમની જીત આસાન રહી હતી, પણ ઓસિ. વિરૂધ્ધ આકરો પડકાર નક્કી છે. ઇંગ્લેન્ડ માટે મોઇન અલી હુકમનો એક્કો બની રહ્યો છે. તેને બે મેચમાં 4 વિકેટ લીધી છે. ઝડપી બોલર ટાઇમન મિલ્સે પ્રભાવિત કર્યાં છે. આ ઉપરાંત શનિવારના મેચમાં આદિલ રશીદ કાંગારૂ બેટધરોને તેની સ્પિન જાળમાં ફસાવી શકે છે.

જો કે ઈંગ્લેન્ડના બેટસમેનોની પણ કાંગારૂ પેસ બેટરી મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ સામે અગ્નિપરીક્ષા થશે. ઇંગ્લીશ કપ્તાન ઇયોન મોર્ગનના બેટિંગ પ્રદર્શન પર પણ આ મેચમાં સહુની નજર રહેશે. વિશ્વ કપના અગાઉના મેચોની જેમ આ મુકાબલામાં પણ ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.

October 30, 2021
Aryan-Khan.jpg
1min492

ક્રૂઝ-ડ્રગ્સમાં પકડાયેલા આર્યન ખાનને જામીન મળ્યાના એક દિવસ પછી બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ‘ઓપરેટિવ ઓર્ડર’ જાહેર કર્યો હતો. આર્યન ખાન પર જામીનની ૧૪ શરતો લાદવામાં આવી હતી. પાંચ પાનાંના ઓર્ડરમાં હાઇ કોર્ટે ક્હ્યું હતું કે આર્યન ખાન અને અન્ય બે સહઆરોપી વતી પર્સનલ બોન્ડ અને સ્યોરિટી રજૂ કરવાની રહેશે.

તેણે વિશેષ એનડીપીએસ કોર્ટ સમક્ષ પાસપોર્ટ જમા કરવા પડશે. વિશેષ કોર્ટ પાસેથી પરવાનગી લીધા વગર તેઓ ભારત છોડી નહીં શકે અને દર શુક્રવારે તેણે એનસીબીની ઓફિસમાં હાજર થવું પડશે. આ ત્રણે દ્વારા જો શરતોનો ભંગ થશે તો એનસીબી વિશેષ કોર્ટ સમક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકશે તેવું કોર્ટે ક્હ્યું હતું.

કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ‘પ્રત્યેક અરજદારો/આરોપીઓએ એક લાખ રૂપિયાનો પર્સનલ બોન્ડ આપવો પડશે અને તેટલી જ રકમની એક અથવા વધુ સ્યોરિટી જમા કરાવવી પડશે. પુરાવાઓ સાથે છેડછાડ અથવા સાક્ષીઓ પર વ્યક્તિગત રીતે અથવા કોઇના દ્વારા પ્રભાવિત કરવાનો ઓરોપીઓએ પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું.

મુંબઇ છોડવા અગાઉ આરોપીઓએ એનસીબીને જાણ કરવી પડશે. કેસમાંના અન્ય આરોપીઓ અથવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા કોઇ સાથે આ ત્રણેય સંપર્ક કરી શકશે નહી તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. ‘એકવાર અદાલતી કાર્યવાહી શરૂ થશે તે પછી અરજદારો/આરોપીઓએ કાર્યવાહીમાં વિલંબ કરાવવાનો પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. અરજી આપવાના કારણો સહિતનો વિગતવાર આદેશ આગામી સપ્તાહમાં આપવામાં આવશે તેવું જજે કહ્યું હતું.

October 29, 2021
gujarat-police.jpg
1min432

ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી  હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.

પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.

અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું. 

October 29, 2021
modi.jpg
1min410

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16મી જી-20 સમિટ તથા વર્લ્ડ લીડર્સ સમિટ અૉફ કૉન્ફરન્સ અૉફ પાર્ટીઝ સીઓપી-26માં સહભાગી થવા માટે ઈટાલી અને યુકેની પાંચ દિવસની મુલાકાત માટે આજે રવાના થશે. તેઓ ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાઘીના આમંત્રણથી 30 અને 31 અૉક્ટોબરે યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા રોમ જશે. જી-20ના સભ્ય દેશો, યુરોપિયન યુનિયન, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા આ સમિટમાં ભાગ લેશે.

વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલાએ વડા પ્રધાનની વિદેશ મુલાકાત વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનની આ આઠમી જી-20 સમિટ હશે. આ સમિટ માટે ઈટાલી દ્વારા નક્કી કરવામાં આવેલા મહામારી, વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, આર્થિક સુધારા, જળવાયુ પરિવર્તન અને ખાદ્યસુરક્ષા જેવા મુદ્દાને ભારત પૂર્ણપણે ટેકો આપે છે. આ સમિટમાં વડા પ્રધાન અફઘાનિસ્તાનમાં ઉદ્ભવેલી સ્થિતિનો સામનો કરવા સંગઠિત પગલાં વિશે ચર્ચા કરે તેવી શક્યતા છે. જી-20, વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનનું આંતરરાષ્ટ્રીય ફોરમ છે.

વડા પ્રધાન ઈટાલીના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. એ પછી તેઓ પહેલી અને બીજી નવેમ્બરે યોજાનારી સીઓપી-26 સમિટમાં સહભાગી થવા ગ્લાસગો જશે. 120થી વધુ દેશોના વડા આ શિખર સંમેલનમાં સહભાગી થશે. આ સમિટ 2020માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. સીઓપી-26 સમિટમાં પેરિસ સમજૂતી માર્ગદર્શિકાનું કાર્યાન્વયન, જળવાયુ પરિવર્તનના ઉપાયો, ક્લાઈમેટ ફાઈનાન્સ, ટેકનૉલૉજી વિકાસ વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે. ભારત પહેલીવાર 2023માં જી-20 સમિટનું યજમાન બનવાનું છે.