CIA ALERT
17. May 2024
November 1, 20211min267

Related Articles



World Cup T-20 માં NZ સામે ભારતની શરમજનક હાર

Share On :
Print Friendly, PDF & Email

પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.

બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.

કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.

‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :