યંગિસ્તાન Archives - Page 24 of 37 - CIA Live

September 23, 2019
ielts_toefl.jpg
1min5850

ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત આરોગ્ય નિયામક પાસે નામ નોંધાવવા ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટૅસ્ટ (ઓઈટી) આપવાની રહેશે અને યુકે હવે ઓઈટીનાં માર્ક્સ સ્વીકારશે જેને કારણે હવે યુકેમાં પ્રેક્ટિશ કરવા માગતા ડૉક્ટર, ડૅન્ટિસ્ટ, નર્સે ઈંગ્લિશ ભાષા માટેની ટૉફેલ કે ઈઈએલટીએસની પરીક્ષા નહીં આપવી પડે.

ઓઈટી અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો હોય તેવા વાતાવરણમાં પ્રૅક્ટિશ કરવા માગતા અને નામ નોંધવવા માગતા લોકોની એ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટેની પરીક્ષા છે.

ઉમેદવારોએ અગાઉ નામ નોંધાવવા યુકેસ્થિત બે આરોગ્ય બૉર્ડ (નર્સિંગ ઍન્ડ મીડવાઈફરી કાઉન્સિલ તેમ જ જનરલ મૅડિકલ કાઉન્સિલ)ની પરીક્ષા આપવા ઉપરાંત વિઝા માટે અરજી કરવા ટૉફેલ કે આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડતી હતી.

ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા ફેરફારને કારણે દેશમાં હૉસ્પિટલ ચલાવતા અને તબીબી પ્રેક્ટિશ કરતા લોકો વધુ ઝડપથી કર્મચારીઓની ભરતી કરી શકશે.

આ ફેરફાર પહેલી ઑક્ટોબરથી ટીયર ટૂ (જનરલ) વિઝા માટે અરજી કરનાર લોકોને લાગુ પડશે.

September 21, 2019
amit-panghal-1280x720.jpg
1min6800

મુક્કાબાજીનો એશિયન ચૅમ્પિયન અમિત પંઘાલ ગઈ કાલે વર્લ્ડ બૉક્સિગં ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બન્યો હતો. બાવન કિલો વર્ગમાં તેણે રસાકસીભર્યા સેમી ફાઇનલ મુકાબલામાં કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને ૩-૨થી હરાવ્યો હતો. ભારતનો જ મનીષ કૌશિક (૬૩ કિલો વર્ગ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ખેડૂત-પુત્ર કૌશિકે પીટીઆઇને કહ્યું હતું કે ‘મને ખાતરી હતી કે હું વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતીશ જ. મેં ટ્રાયલમાં શિવા થાપાને હરાવ્યો ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે હવે હું વર્લ્ડ મેડલ જીતીશ જ.’

ભારતનો જાણીતો બૉક્સર વિજેન્દર સિંહ ૨૦૦૯ની સાલમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ સ્પર્ધામાં તેનો એ સૌથી સારામાં સારો પર્ફોર્મન્સ હતો અને કૌશિકે ગઈ કાલે કાંસ્યચંદ્રકની તેના જેવી સિદ્ધિ મેળવી હતી. જોકે, હવે પંઘાલ ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કરશે. પંઘાલની આજે ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનના શાખોબિદિન ઝોઇરોવ સાથે ટક્કર થશે. ઝોઇરોવે સેમી ફાઇનલમાં ફ્રાન્સના બિલ્લાલ બેન્નમાને હરાવ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત વતી વિજેન્દરની જેમ વિકાસ ક્રિષ્નન (૨૦૧૧), શિવા થાપા (૨૦૧૫) અને ગૌરવ બિધુરી (૨૦૧૭) બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. જોકે, પંઘાલે ગઈ કાલે સેમીમાં જીત્યા પછી પત્રકારોને કહ્યું, ‘હું ગોલ્ડ મેડલ જીતવા કોઈ કસર બાકી નહીં રાખું.’

દરમિયાન, કૌશિકનો ગઈ કાલે સેમી ફાઇનલમાં ટૉપ-સીડેડ ક્યુબાના ઍન્ડી ગોમેઝ ક્રુઝ સામે ૦-૫થી પરાજય થયો હતો.

September 17, 2019
ibps.jpg
2min91490

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 9, 2019
icai_logo.jpeg
1min5400

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

September 3, 2019
jee_main.png
1min18060

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

August 29, 2019
shagun.jpg
1min13290

શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે. 

August 24, 2019
neet.jpeg
1min11190

MBBS ‌‌અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે. 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે. 

NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.

August 15, 2019
medical.jpg
1min9250

MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.

મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.

તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.

નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.

બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.

આવા વિદ્યાર્થીઓ રૂા.20 લાખના બોન્ડની બાંયધરી 300ના નોટરાઇઝડ’ સ્ટેમ્પ પેપર ઉપર આપવાની રહેશે.

ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.

August 13, 2019
icai_logo.jpeg
4min8110

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાએ તેની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે સી.એ. ફાઇનલ્સ જુનો અને નવો કોર્સ બન્ને તેમજ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ તા.13મી ઓગસ્ટ મંગળવારે સાંજે અથવા તો મોડામાં મોડું તા.14મી ઓગસ્ટ 2019ના રોજ જાહેર કરી દેવામાં આવશે.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિગત પરીણામ ઇમેલ, વ્હોટ્સએપ, એસ.એસ.એસ. વગેરેથી મળી શકશે. આઇ.સી.એ.આઇ.ની બે વેબસાઇટ્સ પરથી પણ પરીણામો જાણી શકાશે.

The Institute of Chartered Accountants of India (ICAI) is likely to declare the Chartered Accountants Final Examination (Old course &  New Course) and Foundation Examination results either on Tuesday evening (August 13, 2019) or on Wednesday (August 14, 2019).

Along with the CA final and foundation results, the ICAI will also release

the All India merit (up to the 50th Rank), which can be accessed by candidates on the official websites – icaiexam.icai.org, caresults.icai.org and icai.nic.in.

For accessing the result at the above mentioned websites the candidate will have to enter his/her registration no. or PIN no. along with his/her roll number.

The Final Examination (Old course & New Course) and Foundation Examination were held in May-June 2019.

Candidates will also get the CA final and foundation results on their registered e-mail IDs. To register their request, candidates should visit the official website – icaiexam.icai.org. All those registering their requests will be provided their results through email on the e-mail addresses immediately after the declaration of the result.

Candidates can also pull in their Final Examination (Old course & New Course) and Foundation Examination May-June 2019 results with marks through SMS.

For getting results through SMS candidates should type:

i) For Final Examination result the following:-

Final Examination (Old Course)

CAFNLOLD (space) XXXXXX (Where XXXXXX is the six digit Final examination roll number of the candidate), e.g. CAFNLOLD

000128

Final Examination (New Course)

CAFNLNEW (space) XXXXXX (Where XXXXXX is the six digit Final examination roll number of the candidate), e.g. CAFNLNEW

000128

ii) For Foundation Examination result the following:-

CAFND (Space) XXXXXX (where XXXXXX is the six digit Foundation Examination roll number of the candidate), e.g. CAFND

000171 and send the message to: 58888 – for all mobile services.

August 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6530

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસએ ખુદ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2019 પરીક્ષાનું અવમૂલ્યન કર્યું છે. સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજોને ધંધો મળે તે માટે હવે એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી એફિલિયેટેડ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે 2019માં ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા ધો.12 પાસ ઉમેદવારોને પણ પ્રવેશ આપવામાં આવશે.

ગુજકેટ વગર જ પ્રવેશ આપવાનો હતો તો મહેનત કરીને ગુજકેટ પાસ કરનાર વિદ્યાર્થીઓનો શું વાંક ગુનો હતો

એડમિશન કમિટીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના ઇશારે આ પ્રકારનો ધંધો કર્યો હોવાનું કહેવાય છે. જો ગુજકેટ વગર જ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ આપવાનો હોત તો

  • જેમણે મહેનત કરીને માર્કસ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો હતો,
  • પહેલેથી જ ગુજરાત સરકારે ગુજકેટ વગર પ્રવેશ આપવાની જાહેરાત કેમ ન કરી.
  • જો ગુજકેટ પરીક્ષા વગર જ પ્રવેશ આપવાનો હોય તો ગુજકેટ લેવાય છે શું કામ

શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે માત્રને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ધંધો મળે તે હેતુથી એડમિશન કમિટી દર વર્ષે આ પ્રકારે ગુજકેટ પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપે છે.

જેમણે ગુજકેટ પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓને પહેલેથી જ ખબર હતી કે તેમને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળવાનો નથી, આથી એવા વિદ્યાર્થીઓ ગત જુન 2019માં જ ફર્સ્ટ ઇયર બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ લઇ ચૂક્યા છે, હવે આવા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોના ઇશારે એડમિશન કમિટીએ ગુજકેટ વગર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપવાના દરવાજા ખોલ્યા છે.

ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા તા.9મી ઓગસ્ટ 2019ના રોજ એવી જાહેરાત કરવામાં આવી છે કે જેમને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઉપરોક્ત જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી. આ જાહેરાતમાં

ખુદ સરકારે ગુજકેટનો નિયમ બનાવ્યો છે

અગાઉ ગુજરાત સરકારે જીટીયુ હસ્તકની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ પરીક્ષા ફરજિયાત હતી એ મરજિયાત કરીને ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરી હતી. ધો.12 પીસીએમ થીયરીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેની મેરીટ યાદી તૈયાર કરવાનો નિયમ સરકારે જ બનાવ્યો છે. હવે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠકો નથી ભરાઇ ત્યારે સરકારે આવી ખાનગી કોલેજોને ધંધો કરાવવા માટે પોતાનો જ નિયમ તોડીને હવે ગુજકેટ વગર જીટીયુ સંલગ્ન પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. નંબર 5 પર એવી જોગવાઇ પણ સામેલ કરવામાં આવી છે કે જેમણે ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે.