ભારતીય ટપાલ વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટ્સ દ્વારા ગુજરાત સમેત પાંચ રાજ્યોમાં ગ્રામિણ ડાક સેવકની કુલ 10,066 પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
Important Dates Online Application Begins: August 5, 2019
Last Date to Apply: September 4, 2019
ફક્ત ધો.10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ થયેલા ઉમેદવારો ભારતીય પોસ્ટ્સની આ સરકારી નોકરી માટે લાયકાતપાત્ર ગણવામાં આવ્યા છે. તા.5મી ઓગસ્ટ 2019થી ગ્રામિણ ડાક સેવક (GDS) ની પોસ્ટ્સ માટે ઓનલાઇન એપ્લિકેશન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ધો.10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોય તેવા ઉમેદવારો નીચેની લીંક પરથી પોતાની એપ્લિકેશન રજિસ્ટર્ડ કરી શકે છે.
The India Post has invited online applications for recruitment of Gramin Dak Sevak (GDS) vacancies.
The candidates who wish to apply for the India Post GDS job vacancies are advised to visit the official website – appost.in – to check the detailed notification and submit applications for the recruitment process.
The India Post is conducting this recruitment drive for
selection of the Gramin Dak Sevak (GDS) posts for Assam, Bihar, Gujarat,
Karnataka, Kerala, and Punjab post circle.
A total of 10066 Gramin Dak Sevak (GDS) Posts will be filled in through this recruitment process.
The eligible
candidates are advised to submit their online application for the post of India
Post GDS through the official website – www.appost.in.
The application process for the same started on August 5,
2019, and the last date to submit the application form is September 4, 2019.
Education qualification
Education qualification Candidates who have passed class 10th with Mathematics and English as compulsory or elective subjects from a recognized Board of School Education can apply for the India Post Gramin Dak Sevak posts.
Age Limit (as on 05-08-2019) 8/7/2019 India Post Recruitment
2019:
Applications invited for Gramin Dak Sevak vacancies
@appost.in
Minimum Age: 18 Years Maximum
Age: 40 Years Age relaxation is applicable to SC/ ST/ OBC/
PWD/ EWS Candidates as per rules
Vacancy details
The India Post is conducting this recruitment drive for
selection of candidates for a total of 10,066 vacancies available in Assam,
Bihar, Gujarat, Karnataka, Kerala, and Punjab Post Circle.
Post Circle wise vacancy break-up
Assam- 919 Post
Bihar- 1063 Posts
Gujarat- 2510 Posts
Karnataka- 2637 Posts
Kerala- 2086 Posts
Punjab- 851 Posts
India Post Gramin Dak Sevak 2019 recruitment:
એપ્લાય કરવા માટે આ મુજબની પ્રક્રિયા અનુસરો
Steps to ApplyStage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any Head Post Office. List of Post Offices Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.
Stage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any Head Post Office. List of Post Offices Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના મોડે મોડે પ્રકાશમાં આવી છે. ગુજરાત બોર્ડે એન.સી.ઇ.આર.ટી.ના વિદ્યાર્થીઓને તાજેતરમાં લીધેલી પૂરક પરીક્ષામાં હાથથી લખેલા પ્રશ્નપત્રો આપતા મોટો વિવાદ થયો છે.
બુદ્ધિજીવીઓ અને આચાર્યો એ તો બોર્ડની આ હરકતને તેની વિશ્વસનીયતા જોખમમાં મૂકવાનું પગલું ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ ભણાવવાની બાબત ગુજરાત બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે અને તેના મર્યાદિત વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા હાથથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.
પ્રશ્નપત્રોની ઇમેજ અમને આ મુજબ મળી હતી
આ પ્રકારના હાથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ જવા પામ્યા હતા. બોર્ડના કેટલાક અધિકારીઓએ એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે પરીક્ષાર્થીઓની સંખ્યા સાવ ઓછી હોવાથી પ્રશ્નપત્રો ટાઇપ કરાયેલા ન હતા.
જાણકારો અને આચાર્યો કહે છે કે ભલે એક પરીક્ષાર્થી કેમ ન હોય બોર્ડે પ્રશ્નપત્ર તો ઠીકઠાક આપવું જોઇએ. એન.સી.ઇ.આર.ટી.ની પરીક્ષામાં જે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં ભૂલો પણ અનેક હતી. એવું જણાય આવ્યું હતું કે આ પરીક્ષા લેવામાં બોર્ડના અધિકારીઓએ નકરી વેઠ જ ઉતારી હતી.
આ પ્રકારના હાથથી લખેલા પ્રશ્નપત્રો અને ભૂલભરેલા પ્રશ્નપત્રો મળવાના કારણે ખુદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ડઘાઇ જવા પામ્યા છે. હવે તો સ્કુલો પણ પોતાની પરીક્ષા પ્રિન્ટેડ અને સુવાચ્ય અક્ષરોવાળા પ્રશ્નપત્રોથી લેતી હોય છે ત્યારે બોર્ડએ અધોગતિ કરી હોય તેવું આ ઘટના પરથી જણાય આવે છે.
ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સુરતમાં ભગવાન
મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો
પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ
સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે
યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.
ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.
જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.
9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે
મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧
જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.
ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના ત્રણ મહિના બાદ જેમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોના નિયમોમાં ખાસ કરીને સીટ એલોટમેન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 84 ટકા સીટ, ગુજરાત રાજ્યની સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી.બોર્ડ કે એન.આઇ.ઓ.એસ.માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફક્ત 6 ટકા સીટ અને ગુજરાત રાજ્ય બહારની સ્કુલના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.
બી.આર્ક. અભ્યાસક્રમમાં સીટ ડિસ્ટ્રીબ્યુશન
આ વખતની સીટ ડિસ્ટ્રીબ્યુશનને જોતા એવું જણાય આવે છે કે ગુજરાત રાજ્યમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. બોર્ડ, આઇ.બી. બોર્ડ કે એન.આઇ.ઓ.એસ. બોર્ડની સ્કુલમાંથી ધો.12 સાયન્સ પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓને ઓછી સીટ મળશે. આ વિદ્યાર્થીઓને ઉંચા ટકાએ પણ પ્રવેશ નહીં મળી શકે જ્યારે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત 10 ટકા સીટ ફાળવવામાં આવી છે.
આમ, ગુજરાત રાજ્યમાં આવેલી સીબીએસઇ કે અધર બોર્ડની સ્કુલોના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો રાખવાનું કોઇ તાર્કિક કારણ જણાતું નથી. એક્સપર્ટસ એવું કહી રહ્યા છે કે સીબીએસઇ કે આઇસીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓમાં જ બી.આર્ક. કોર્સ પ્રત્યે વધુ લગાવ જોવા મળે છે અને તેમના માટે જ સીટ ઓછી કરી દેવામાં આવી છે. અહીં એ કહેવાત ફીટ બેસે છે કે બી.આર્ક.માં આ વખતે ઘરના છોકરા (ગુજરાતના સીબીએસઇ કે અધર બોર્ડ) ઘંટી ચાટશે અને ઉપાધ્યાય (ગુજરાત બહારના)ને આટો.
નિષ્ણાંતો કહે છે કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા વધુ પડતો છે. ફક્ત બી.આર્ક. કોર્સમાં જ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા રાખવામાં આવ્યો છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડીકલ, પેરામેડિકલ કે લોકલ યુનિવર્સિટીઓના કોઇ અભ્યાસક્રમમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકાનો ક્વોટા રાખવામાં આવતો નથી.
આમેય ગુજરાત બહારથી ગુજરાતમાં આવનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે એન્જિનિયરિંગ કે મેડિકલમાં જ અભ્યાસ કરવા આવતા હોય છે. આર્કિટેક્ચરમાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓની ગુજરાતમાં કોઇ ડિમાન્ડ હજુ સુધી વર્તાઇ નથી.
ગુજરાતમાં એક તરફ નીટ બેઝ અભ્યાસક્રમો જેવા કે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આર્યુવેદીક અને નેચરોપેથી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ભારે પડાપડી થઇ રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાત સરકારની એડમિશન કમિટીએ જાહેર કરેલા આંકડા મુજબ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં કુલ 2507 પ્રવેશાર્થીઓ એવા મળી આવ્યા છે કે જેમને પહેલા રાઉન્ડમાં જ એમ.બી.બી.એસ., બી.ડી.એસ., બી.એ.એમ.એસ. અને બી.એચ.એમ.એસ. જેવા અભ્યાસક્રમોમાં કન્ફર્મ પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા.
આ વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવવાના હતા પરંતુ, નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં 25-30 નહીં બલ્કે 2507 જેટલી મોટી સંખ્યામાં પ્રવેશાર્થીઓએ તેમને ફાળવેલો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી.
કન્ફર્મ પ્રવેશને જતો કરનારા વિદ્યાર્થીઓાં બસ્સોથી વધુ તો એવા છે જેમણે એમ.બી.બી.એસ.માં જુદી જુદી કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ છે જેમને સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. જોકે, સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં પ્રવેશ જતો કરનારા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ક્વોટામાંથી પ્રવેશ લઇને ત્યાં પહોંચ્યા હોઇ શકે.
બાકીના પ્રવેશાર્થીઓએ ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી જેવા અભ્યાસક્રમોમાં તેમને મેરિટના આધારે ફાળવવામાં આવેલા પ્રવેશ ઠુકરાવી દીધા છે. પ્રવેશ કન્ફર્મ નહીં કરનારા વિદ્યાર્થીઓની આખી યાદી એડમિશન કમિટીએ પોતાની વેબસાઇટ પર મૂકી છે.
ગુજરાત સરકારે પાટીદાર આંદોલનને શાંત પાડવા માટે શરૂ કરેલા ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇનોનોમિકલ ડેવલપમેન્ટ કમિશનના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી યોજનાઓ જેવી જ યોજનાઓ વર્ષોથી બક્ષીપંચ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સોશ્યલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, એસ.ઇ.બી.સી.) માટે અમલમાં મૂકવામાં આવી છે.
પરંતુ, આ યોજનાઓના અમલીકરણમાં ગુજરાત સરકારના બેવડાં ધારાધોરણો હોવાનું અરજદારો કહી રહ્યા છે. બક્ષીપંચ અન્વયે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખના લોનધિરાણ માટે અરજી કરનાર સુરતના યુવાન રાકેશ પંચાલએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી એ પ્રોસેસ કરી રહ્યા છે પરંતુ, એટલા બધા ધક્કા ખવડાવીને દર વખતે નવા ડોક્યુમેન્ટસ માંગવામાં આવી રહ્યા છે. કોઇ મોટી બેંકમાંથી સરળતાથી ધિરાણ મળી જાય પરંતુ, ગુજરાત સરકારની આ પછાત વર્ગ માટે કહેવાતી કલ્યાણકારી યોજનામાંથી ખરેખર જરૂરીયાતમંદને ધિરાણ જ નહીં મળે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
જેની બીજી તરફ ઓપન કેટેગરીના આર્થિક પછાત વર્ગ માટે અદ્દલ આ જ પ્રકારની સ્કીમ છે. ઉજળીયાત વર્ગ ખાસ કરીને પાટીદારોને રિઝવવા માટે સરકારે આ સ્કીમના અમલીકરણને એટલું સરળ બનાવી દીધું છે કે અરજદાર અરજી કરે એટલે તંત્ર તેની લોન મંજૂર કરાવવામાં કામે લાગી જાય જ્યારે બક્ષીપંચમાં તો સુરતની કચેરીમાં કામ કરતો કારકૂન જ અરજદારોને તતડાવી કાઢી મૂકતો હોવાની ફરીયાદો મળી છે.
ઓપન કેટેગરી આર્થિક પછાત વર્ગ પાસે ડોક્યુમેન્ટસ પણ ઓછા માગવામાં આવે છે જ્યારે બક્ષીપંચના અરજદારો નહીં પણ જામીનદારો પાસેથી પણ મિલકતો ગીરો લખાવી દેવામાં આવે છે. બક્ષીપંચની લોન મંજૂર કરાવવા માટે ગાંધીનગર સુધીના રૂપિયા ખવડાવવા પડે, ગીફ્ટો આપવી પડે ત્યારે માંડ લોન મંજૂર થાય છે જ્યારે ઓપન કેટેગરીમાં ગણતરીના દિવસોમાં લોન મંજૂર કરી આપવામાં આવી રહી છે.
બક્ષીપંચની વિદેશ અભ્યાસ લોન માટે એટલે જડ નિયમો મૂકવામાં આવ્યા છે કે 100 અરજદારોમાંથી માંડ એકાદ બેની લોન પાસ થતી હશે. એક નિયમ એવો છે કે ગ્રેજ્યુએશન પછી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનના બે વર્ષના કોર્સ માટે જ ધિરાણ આપવામાં આવે છે. વિદેશમાં લોંગ ટર્મ કરતા શોર્ટ ટર્મ કોર્સનું મૂલ્ય એટલે કે રોજગારીની તકો વધુ હોય છે, ત્યારે બે વર્ષમાં એક કોર્સની જગ્યાએ બે વર્ષમાં ત્રણ-ચાર સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવે તો ઉમેદવારને ફોરેનમાં જ વધુ મળતરની સારી રોજગારીની તક વધી જતી હોય છે. પણ બક્ષીપંચના ઉમેદવારો માટે આ પ્રકારનું ધિરાણ આપવાની જોગવાઇ જ કરવામાં આવી નથી.
ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ માટે લોનધિરાણ મેળવનારાઓ પાસેથી ક્લાસ-1 અધિકારીના સહી સિક્કાવાળું બાહેંધરીપત્રક માંગવાની કોઇ જોગવાઇ નથી જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં તો અરજદારને એવું કહેવામાં આવે છે કે કોઇપણ ક્લાસ વન અધિકારી જે તે અરજદાર લોન ભરપાઇ કરશે અને નહીં કરે તો તેની જવાબદારી મારી (ક્લાસવન અધિકારીની) રહેશે એવા સહી સિક્કાવાળું બાંહેધરીપત્રક માગવામાં આવે છે. આજના જમાનામાં કયો ક્લાસવન અધિકારીઓ અજાણ્યા અરજદાર માટે આવું લખાણ આપશે અને અપવાદ રૂપ કોઇ આપવા તૈયાર થાય તો પણ ક્લાસવન અધિકારી પાસેથી આવું પ્રમાણપત્ર માંગવા પાછળનો કોઇ તર્ક ખરો, હજાર અરજીમાં એકાદ બે કેસમાં ક્લાસ વન અધિકારી ઓળખીતા હોય અને સહી સિક્કા સાથે બાંહેંધરી લેતા હોય ત્યારે ઓપન કેટેગરીમાં આ જોગવાઇ નથી તો બક્ષીપંચ માટે શા માટે આવી જોગવાઇ રાખવામાં આવી છે.
ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ ધિરાણ માટે જામીનદાર પાસે ફક્ત જામીનખત માંગવામાં આવી છે જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં જામીનદારોની મિલકતો ઉપરાંત તેનું વેલ્યુશન કરાવવામાં આવે છે અને વેલ્યુઅરને મોટી રકમની ફી ચૂકવ્યા પછી વેલ્યુશન સર્ટિફિકેટ મળે છે. બક્ષીપંચના ઉમેદવારોની ફાઇલ મંજૂર થાય જ નહીં એવા આંકરા નિયમો બનાવાયા છે જ્યારે પાટીદારોને રિઝવવા માટે થઇને સરકારે ખાસ બિનઅનામત આર્થિક પછાત વર્ગના ઉમેદવારોની અરજીઓ ફાસ્ટ ટ્રેકમાં મંજૂર કરવાની સૂચનાઓ જારી કરી છે.
ટૂંકમાં કહીએ તો હજુ માંડ દોઢેક વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કમિશન માટેની યોજનાઓનું સાવ સરળીકરણ કરીને તેનો અમલ ફાસ્ટ ટ્રેકમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે બક્ષીપંચ માટેની યોજનાઓનો અમલ થાય છે કે નહીં તેનું પણ મોનિટરીંગ કે ફોલોઅપ લેવાતું હશે કે કેમ એ સવાલ છે.
બન્ને વર્ગ માટેની સ્કીમ્સ ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જેની સરકાર છે એ ભાજપામાં આખો બક્ષીપંચ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ, આ બક્ષીપંચ સેલ ફક્ત હોદ્દાઓ માટે ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાય આવે છે. બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ માટેની કલ્યાણકારી યોજનાઓના સરળીકરણનો મુદ્દો બક્ષીપંચના નેતાઓ તેમની જ સરકાર સામે ઉછાળતા ગભરાય રહ્યા છે.
ભાજપામાં બક્ષીપંચ સેલના હોદ્દે બિરાજમાન નેતાઓને કદાચ એ પણ ખબર નહીં હશે કે બક્ષીપંચના યુવાનો માટે કેવી અને કેટલી સ્કીમ્સ છે અને એ સ્કીમ્સનું અમલીકરણ કેવી રીતે થઇ રહ્યું છે.
અહીં આર્થિક પછાત ઓપન વર્ગ અને બક્ષીપંચ વર્ગ માટેની એક યોજનાના ખરડા મૂક્યા છે, પ્રાથમિક દ્રષ્ટીએ વાંચ્યા પછી જ ખબર પડી જાય છે કે ઓપન કેટગરી માટે યોજનાનું સરળીકરણ કરી દેવાયું છે જ્યારે બક્ષીપંચના ઉમેદવારોને ડોક્યુમેન્ટસ ભેગા કરતા જ બે-ત્રણ વર્ષ નીકળી જાય
ઓપન કેટગરી માટેની યોજના
યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.
સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.
ટપાલીઓની ભરતી માટે 14 જુલાઈએ યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા હવે પછી રાખવામાં આવશે તેવું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે “તમિળ સહિતની સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા રાખવામાં આવશે. અન્નાડીએમકેની આગેવાનીમાં તમિળ પક્ષોએ કરેલી માગનો સરકારે સ્વીકાર કર્યો હતો.
રવિવારે યોજાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ફક્ત અંગ્રેજી અથવા હિંદીમાં હોવાથી તમિળ પક્ષોએ મંગળવારે રાજ્યસભામાં ધાંધલધમાલ કરી હતી. લન્ચ અગાઉના સમયગાળામાં ત્રણ વાર અને બપોરના બે વાગે પછી ગૃહ જ્યારે ફરી શરૂ થયું હતું ત્યારે ફરી અડધો કલાક માટે એમ ચાર વાર કાર્યવાહી ખોરવાઈ હતી. કાર્યવાહી જ્યારે શરૂ થઈ ત્યારે લૉ જસ્ટિસ, કમ્યુનિકેશન્સ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટીના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે “તમિળનાડુના મારા મિત્રો સહિત સભ્યોએ ગૃહમાં કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. મેં આ બાબતની આજે જ ચકાસણી કરી છે અને 14-07-2019 તારીખે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
બ્રાઝિલે શનિવારે કોપા અમેરિકા ફૂટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પેરુને ૩-૧થી હરાવીને નવમી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રાઝિલે મુખ્ય ખેલાડી નેયમાર વિના આ સિદ્ધિ મેળવી છે અને ટીમને માત્ર તેના પર સૌથી મદાર હતો એ મહેણું હવે ભાંગ્યું છે.
ઘૂંટણની ઈજા તથા ‘બળાત્કાર’ના આક્ષેપથી ઘેરાયેલા કૅપ્ટન નેયમારને ૨૦૧૪માં ઘરઆંગણે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ઈજા થઈ હતી અને જર્મની સામેની સેમી ફાઇનલ તેણે ગુમાવી હતી. જર્મનીએ ત્યારે બ્રાઝિલને ૭-૧થી હરાવીને યજમાન ટીમનો માનભંગ કર્યો હતો.
બ્રાઝિલે ૧૨મા વર્ષે મોટી ટ્રોફી જીતી છે. નેયમાર છેલ્લા બે વર્ષથી કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે.
फांसी लगाने से पहले आईआईटी हैदराबाद के स्टूडेंट ने दोस्तों से कहा- जीना मत भूल जाना, एक ही जिंदगी मिली है
ધો.11-12થી જ ટ્યુશનીયા શિક્ષકો વિદ્યાર્થીઓને આઇઆઇટી અને એનઆઇટીના રવાડે ચઢાવી દે છે એવી કહેવાતી બેસ્ટ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પોતાના ડાઇંગ ડેકલેરેશનમાં કહી રહ્યા છે કે એવું નથી કે આ સંસ્થાઓમાં બધું જ છે, ફક્ત સ્પર્ધા છે. બિનજરૂરી સ્પર્ધા છે અને માર્કસમાં અવ્વલ, દુનિયાદારીમાં છેલ્લે આવતા હોય, ફ્રસ્ટ્રેશનમાં આત્મહત્યા કરી બેસે છે. આઇ.આઇ.ટી.ના વધુ એક વિદ્યાર્થીએ સુસાઇડ કરીને જીવન ટૂંપાવી દીધું છે.
પોતાની સ્યુસાઇડ નોટમાં આ વિદ્યાર્થીએ વર્ણવેલી વાતો હ્રદયદ્વાવક છે.
દેશનો દરેક વિદ્યાર્થી જે સંસ્થામાં એડમિશન મેળવવાનું સપનું જોય છે તે IIT હૈદ્રાબાદના માસ્ટર્સ ડીગ્રીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સારી નોકરી નહીં મળતા એન્ડ્રુ ચાર્લ્સએ પોતાનું જીવન જ ટૂંકાવી દેવાનો ખતરનાક રસ્તો અપનાવીને સૌને ચોંકાવી દીધા છે
મરતા પહેલા મૂળ વારાણસીના માર્ક એન્ડ્રુ ચાર્લ્સ નામના વિદ્યાર્થીએ 8 પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી.
સ્યુસાઇડ નોટમાં ચાર્લ્સે લખ્યું હતું કે, મારી પાસે નોકરી નથી અને કદાચ મને કોઈ નોકરી મળશે પણ નહિ. કોઈ લૂઝરને હાયર નથી કરતું. મારી ગ્રેડશીટ જુઓ. થોડા વધુ લેટર ઉમેરાશે તો તે આલ્ફાબેટ ચાર્ટ જેવી લાગશે.
સ્યુસાઇડ કરનાર માર્ક ડિઝાઈનમાં માસ્ટર્સ કરી રહ્યો હતો. તેણે સેકન્ડ યરની પરીક્ષા તાજેતરમાં જ પૂરી કરી હતી. 5 જુલાઈના રોજ તેનું ફાઈનલ પ્રેઝન્ટેશન હતુ.
વાલીઓ તથા મિત્રોને સંબોધીને લખેલા લેટરમાં માર્કે લખ્યું, “બધાની જેમ મારા પણ સપના હતા. પરંતુ હવે તે ખાલી છે. બધી જ પોઝિટિવિટી, સતત હસતા રહેવું, લોકોને કહેતા રહેવું હું ઠીક છું, ભલે પછી હું ન હોઉં.” માર્કએ મા-બાપને તેમની મહેનતને ન્યાય ન આપી શકવા બદલ માફી પણ માંગી હતી. તેણે તેના વાલીઓને તેને દફન કરવાને બદલે મેડિકલ યુઝમાં વાપરવા માટે વિનંતી કરી હતી. તેણે લખ્યું, “હું ભવિષ્યમાં ડોક્ટર બનનારા વિદ્યાર્થીઓ માટે સારો નમૂનો બની રહીશ.”
ઘરથી બે વર્ષ દૂર, બેસ્ટ ઈન્સ્ટિટ્યુટમાં ભણવાની તક, મારી આસપાસ બેસ્ટ લોકો છે. પરંતુ મેં આ બધું વેડફી નાંખ્યું. તેણે પોતાના બધા મિત્રોની માફી માંગી કહ્યું કે છેલ્લા બે મહિના તેની લાઈફનો બેસ્ટ ટાઈમ હતો.
તેણે તેના મિત્રોને IT ઈન્ડસ્ટ્રીમાં લાઈફ ન બગાડવા સલાહ આપી હતી. તેણે લખ્યું, “અંકિત, રજ્જો, ITમાં કામ કરતા કરતા પોતાની લાઈફ ન ભૂલી જતા. દરરોજ થોડું જીવજો. એક જ જીંદગી મળી છે.
वाराणसी के रहने वाले आईआईटी हैदराबाद के एक स्टूडेंट मार्क एंड्रू चार्ल्स ने पढ़ाई में खराब प्रदर्शन से निराश होकर आत्महत्या कर ली। मार्क ने आत्महत्या से पहले एक सूइसाइड नोट लिखकर अपने दोस्तों को जिंदगी जीने की सलाह दी।
आईआईटी हैदराबाद में फाइनल इयर के एक स्टूडेंट ने मंगलवार को फांसी लगाकर आत्महत्या कर ली। मार्क एंड्रू चार्ल्स नाम का यह छात्र वाराणसी का रहने वाला था। आत्महत्या से पहले मार्क आठ पन्नों का एक सूइसाइड नोट छोड़ गए हैं, जिसे पढ़कर लगता है ‘खराब नंबरों’ और ‘अच्छी नौकरी न मिल पाने’ की आशंका की वजह से यह कदम उठाया है।
अपने सूइसाइड नोट में मार्क ने लिखा है, ‘मेरे पास नौकरी नहीं है, शायद मिलेगी भी नहीं। कोई भी किसी लूजर को नौकरी नहीं देता। अपनी ग्रेड शीट देखकर हैरान हूं। … हर किसी की तरह मेरे भी सपने थे। लेकिन अब सब खत्म है। ये सारी पॉजिटिव बातें, हमेशा मुस्कुराना, लोगों से कहना कि मैं ठीक हूं, जबकि मैं ठीक नहीं हूं।’
अपने इस सूइसाइड नोट में मार्क ने अपने परिवार और दोस्तों से माफी मांगते हुए लिखा है, ‘मैंने कभी नहीं सोचा था कि मैं इस तरह आपको निराश करूंगा। मैं इस काबिल नहीं हूं कि आप लोग मुझे याद करें।’
मार्क ने आगे लिखा है, ‘घर से दूर दो साल, सबसे अच्छे इंस्टिट्यूट में, मेरे चारों तरफ बेहतरीन लोग थे, लेकिन मैंने सब बर्बाद कर दिया।’ मार्क ने अपने परिवार से अनुरोध किया है कि उनके शरीर को दफनाने की जगह किसी मेडिकल कॉलेज को दान कर दें, ‘मेरी लाश देश के भावी डॉक्टरों के किसी काम तो आएगी।’
अपने जीवन के आखिरी दो महीनों को जीवन का सबसे अच्छा समय बताते हुए मार्क ने दोस्तों से माफी मांगी है वहीं दोस्तों से अपील की है कि ‘आईटी इंडस्ट्री में जिंदगी बर्बाद न करें’, ‘अंकित, रज्जो, आईटी में काम करते-करते अपनी लाइफ मत भूल जाना। हर एक पल को जीना। एक ही जिंदगी मिली है।’
मार्क डिजाइन में मास्टर्स डिग्री पूरी कर रहे थे। 5 जुलाई को उनका फाइनल प्रेजेंटेशन था। संगारेड्डी के डीएसपी श्रीधर रेड्डी के मुताबिक, ‘आमतौर पर दोपहर 12 बजे तक सभी स्टूडेंट अपने कमरों से निकल आते हैं। लेकिन जब मार्क मंगलवार 2 बजे तक नहीं निकले तो उनके दोस्तों को शक हुआ और वे उन्हें आवाज लगाने लगे। जब कोई जवाब नहीं मिला तो दरवाजा तोड़ दिया गया, अंदर उन्हें छत से लटके हुए मार्क दिखाई दिए।’
फिलहाल आत्महत्या का मामला दर्ज किया गया है, पुलिस मामले की जांच कर रही है। कॉलेज प्रशासन ने मार्क के घर शोक संदेश भेज दिया है। मार्क के शव को पोस्टमॉर्टम के लिए भेज दिया गया है।
आईआईटी हैदराबाद में इस साल यह आत्महत्या का दूसरा मामला है। इसी साल फरवरी में थर्ड इयर के स्टूडेंट अनिरुद्ध ने हॉस्टल की सातवीं मंजिल से छलांग लगाकर आत्महत्या कर ली थी।
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.