CIA ALERT
05. May 2024

Uncategorized Archives - Page 3 of 13 - CIA Live

September 24, 2021
IPL_cia.jpg
1min216

રોયલ ચેલેર્ન્સ બેંગ્લોરની ટીમે તેના પાછલા મેચમાં મળેલી કારમી હારને ભૂલીને શુક્રવારે એમએસ ધોનીના આગેવાની હેઠળની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ વિજયક્રમ પર વાપસી કરવાની કોશિશ કરશે. જો કે વિરાટ કોહલીની ટીમ સામે આ પડકાર કઠિન છે, કારણ કે સીએસકેએ બીજા તબકકાના તેના પહેલા મેચમાં વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. આથી ધોનીની ટીમનું મનોબળ ઉંચુ છે જ્યારે કોહલીની કપ્તાની છોડવાની જાહેરાત બાદથી બેંગ્લોરની ટીમ દબાણમાં જોવા મળી રહી છે.

આ મુકાબલાને ગુરુ અને શિષ્ય વચ્ચેની ટકકરના રૂપમાં માનવામાં આવી રહ્યો છે. આઇપીએલમાં આ બન્ને ટીમ જયારે પણ આમને-સામને હોય છે ત્યારે રોમાંચ પરાકાષ્ઠાના ચરમ પર પહોંચી જાય છે.

આરસીબીએ પોઇન્ટ ટેબલ પર ટોચની ચાર ટીમમાં બની રહેવું હશે તો તેના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો પડશે. ટીમને યુવા પડીક્કલ અને કપ્તાન કોહલી પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. ટીમના મધ્યક્રમે પણ બેટિંગ સુધારવી જરૂરી છે. એબી ડિ’વિલિયર્સ અને ગ્લેન મેકસવેલે ખ્યાતિ અનુસાર બેટિંગ કરવું પડશે. આરસીબીના બોલરોએ પણ કેકેઆર સામેના ખરાબ પ્રદર્શનને ભૂલીને નવી શરૂઆત કરવી પડશે. સિરાઝ, હર્ષલ, જેમિસન, ચહર અને શ્રીલંકાના સ્પિનર હસરંગા કેકેઆરના બેટધરો પર અંકુશ મૂકી શક્યા ન હતા.

ચેન્નાઇની ટીમ શાનદાર ફોર્મમાં છે. યુવા ઋતુરાજે મુંબઈ સામે દબાણ વચ્ચે પ8 દડામાં 88 રનની ઇનિંગ રમીને જીત અપાવી હતી. જો કે તેના મીડલઓર્ડરમાં પણ ખામીઓ છે. અનુભવી રૈના, મોઇન અલી અને સુકાની ધોનીએ રન કરવા જરૂરી છે. ઇજાગ્રસ્ત રાયડુનું આવતીકાલના મેચમાં રમવું નિશ્ચિત નથી. ફાક ડૂ પ્લેસિસ પાસેથી ટીમને મોટી ઇનિંગની આશા રહેશે. ટીમ પાસે રવીન્દ્ર જાડેજા, ડવેન બ્રાવો અને સેમ કરન જેવા ઉપયોગી ઓલરાઉન્ડર છે. જે ટીમને સંતુલન આપે છે.’ સીએસકે 8 મેચમાં 6 જીતથી 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વધુ એક જીતથી તેનું પ્લે ઓફનું સ્થાન લગભગ નિશ્ચિત જેવું બની જશે.

September 15, 2021
jeemain.jpg
4min592

ચાલુ વર્ષે 2021માં ચાર વખત લેવામાં આવેલી જેઇઇ મેઇન્સની ચોથા સ્ટેજની પરીક્ષાના પરીણામ જાહેર કરવાની સાથે આજરોજ તા.15મી સપ્ટેમ્બરે જેઇઇ મેઇન્સના ચારેય રાઉન્ડ મળીને કટઓફ મેરીટ જાહેર કરવામાં આવ્યા હતા. જે નીચે મુજબ છે.

  • ઓપન કેટેગરી
  • ઓપન ઇડબલ્યુ કેટેગરી
  • શિડ્યુલ કાસ્ટ
  • શિડ્યુલ ટ્રાઇબ
  • અધર બેકવર્ડ ક્લાસ

જેઇઇ મેન્સ ચોથા સ્ટેજની પરીક્ષામાં 100 PR મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના રાજ્યો

A record 44 candidates scored 100 percentile while 18 candidates are on Rank 1 in the Joint Entrance Examination – Main (JEE-Main) 2021. The National Testing Agency (NTA) announced the final merit list, which is based on the performances of the four JEE (Mains) Paper 1 for BE/ BTech on Tuesday night. Last year 24 candidates scored 100

Toppers list

2.45 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય કરાશે, જેઇઇ એડવાન્સ્ડ 3 ઓક્ટોબરે યોજાશે

Based on the results of the JEE-Mains Paper 1 and Paper 2, the top 2.45 lakh candidates will be eligible to appear for the JEE-Advanced exam, which is a one-stop exam to get admission into the 23 premier Indian Institutes of Technology (IITs). JEE-Advanced is scheduled to take place on October 3, 2021.

9.34 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

This year 9.34 lakh candidates registered and according to the NTA officials, around 77% of the candidates took the exam twice, while over 60% attempted the exam three times to improve their scores.

હવે પછી શું

3Registration for JEE (Advanced) 2021Monday, September 13, 2021 (Afternoon) to
Sunday, September 19, 2021(17:00 IST)
4Last date for fee payment of registered candidatesMonday, September 20, 2021 (17:00 IST)
5Choosing of scribe dateSaturday, October 2, 2021
6Admit Card available for downloadingSaturday, September 25, 2021 (10:00 IST)
to
Sunday, October 03, 2021 (up to 9:00 IST)
7Date (Day) of JEE (Advanced) 2021 October 03, 2021 (Sunday)
8Copy of candidate responses to be available on the JEE (Advanced) 2021 websiteTuesday, October 05 , 2021 by 17.00 IST
9Online display of provisional answer keysSunday, October 10, 2021, 10:00 IST
10Feedback and comments on provisional answer keys from the candidatesSunday, October 10, 2021, 10:00 IST
to
Monday, October 11, 2021, 17:00 IST
11Online declaration of final answer keys and results of JEE 2021Friday, October 15, 2021
12Online registration for Architecture Aptitude TestFriday, October 15, 2021, 10:00 IST
to
Saturday, October 16, 2021, 17:00 IST
13Architecture Aptitude Test (AAT)Monday, October 18, 2021, 09:00 to 12:00 IST
14Declaration of AAT resultsFriday, October 22, 2021
15Tentative Start of Seat Allocation ProcessSaturday, October 16, 2021
August 25, 2021
1min699
રામનામ

પંજાબના પટિયાલા શહેરના શ્રી રાજ રાજેશ્વરી શિવમંદિરમાં અનોખી બૅન્ક શરૂ થઈ છે; એમાં કોઈ પૈસા, ચેક, ડ્રાફ્ટ કે બીજી કોઈ ચીજ-વસ્તુ નહીં, પણ ‘રામનામ’ જમા કરાવવામાં આવે છે. બૅન્ક ખૂલ્યાના બે મહિનામાં ૨૫૦ ખાતાં ખૂલી ચૂક્યાં છે. આ બૅન્ક-ખાતામાં ભક્ત રામનામ લખીને જમા કરાવતા રહે છે. મંદિરની બહાર આ ખાતું ખોલવા પ્રેરિત કરતું બોર્ડ મૂકવામાં આવ્યું છે.

Ram Naam Bank, Unique bank in Patiala temple, Ram Naam gets deposited in  the account Jagran Special

રામનામ બૅન્કમાં ભક્તો રામનું નામ જમા કરાવીને પુણ્ય કમાવાનો આશય રાખે છે. ત્રિપડી ટાઉન ગલીમાં આવેલા આ મંદિરના પંડિત નરેશકુમાર કહે છે, ‘અમારો એકમાત્ર ઉદ્દેશ લોકોને રામનામ સાથે જોડવાનો અને શ્રીરામની મહિમાથી તેમને વાકેફ કરાવવાનો છે. કહેવાય છેને કે ધનનો તો જીવનમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ રામનામ તો વ્યક્તિની સાથે જતું હોય છે. અત્યાર સુધીમાં કુલ ૬૦,૦૦૦ રામનામ જમા થયા છે. એ આંકડો સવા કરોડ પર પહોંચશે ત્યારે અમે યજ્ઞ કરાવીશું.’

ખાતું ખોલવા માગતી વ્યક્તિને ચિઠ્ઠી ખેંચવાનું કહેવામાં આવે છે. ચિઠ્ઠીમાં જે આંકડો નીકળે એ તેનો અકાઉન્ટ-નંબર બને છે. બૅન્કના સ્વયંસેવક તેની પાસે બધી બેઝિક વિગતો લઈને તેમને એક પેન અને એક બુકલેટ આપે છે જેમાં તેણે (તેની ઇચ્છા મુજબના સમયગાળામાં) એમાં ‘રામ નામ’ લખીને બુકલેટ જમા કરાવવાની રહે છે. પછીથી તેને નવી બુકલેટ અને પેન આપવામાં આવે છે જેની પાછળનો પૂરો ખર્ચ મંદિરનું ટ્રસ્ટ ઉપાડે છે.

August 19, 2021
usa_flag.png
1min246

અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસના નિયંત્રણ હળવા કરીને ભારતને લેવલ-ટૂ એટલે કે સામાન્ય (મૉડરેટ) જોખમ ધરાવતા દેશોની યાદીમાં મૂક્યું છે. ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળામાં ઘટાડો થતાં અમેરિકાએ ભારતને ‘સલામત’ ગણાતા લેવલ-ટૂમાં મૂક્યું છે.
અગાઉ, અમેરિકાએ ભારતમાંના કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતને લેવલ-ફૉરમાં મૂક્યું હતું.

અમેરિકાના રોગ-નિયંત્રણ કેન્દ્ર (સેન્ટર ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન)એ કોવિડ-૧૯ના રોગચાળાના સંબંધમાં ભારતના પ્રવાસ માટે લેવલ-ટૂ ટ્રાવેલ હેલ્થ નોટિસ બહાર પાડી હતી અને ભારતને ‘સામાન્ય’ જાખમ ધરાવતા દેશોની યાદીમાં સમાવ્યું છે.

આમ છતાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે પૂર્વ લદાખ અને તેના પાટનગર લેહ સિવાયના જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદના જોખમને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને આ પ્રદેશમાં નહિ જવાની સલાહ આપી હતી.

દરમિયાન, અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની સરહદના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં નહિ જવાની પણ પોતાના નાગરિકોને સલાહ આપી હતી અને તેના માટે બન્ને દેશ વચ્ચે સશસ્ત્ર ઘર્ષણનું જોખમ હોવાનું કારણ આપ્યું હતું.

July 18, 2021
ncc.png
1min265

ગુજરાતની એનસીસી કેડેટે આવી રહેલા કારગિલ વિજય દિવસ નિમિત્તે જવાનોના શૌર્ય અને બલિદાનને વખાણતા ૩૦,૦૦૦ કાર્ડ સૈનિકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨૬ જુલાઇએ  કારગિલ વિજય દિવસ ઊજવાય છે. આ વખતે ૨૨મી સંવત્સરી ઊજવાશે.  ૪થી ૧૫ જુલાઇ દરમ્યાન ઉજવવામાં આવેલા ‘ એક મૈં સો કે લિયે’  અભિયાનના એક ભાગરૂપે ગુજરાતમાંથી આ કાર્ડ્સ મોકલવામાં આવ્યા હતા તેમ જ સોશિયલ મીડિયા પર પણ દેશના જવાનોને બિરદાવતા અનેક સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.

ધ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) આ પ્રસંગે  અમારા અભિયાન ‘કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર’ ના પાંચમા ચરણના એક ભાગરૂપે હતો. 

‘આ કાર્ડ્સ યુવા કેડેટસ માટે શહીદોની શહાદત અને સરહદોનું રક્ષણ કરતા જવાનોનું સન્માન કરવાનું એક માધ્યમ છે.’ એમ એનસીસીએ જણાવ્યું હતું.

આ કાર્ડ્સ ઉધમપુરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ સુધી પહોંચે તેવી આશા અમે રાખી રહ્યા છીએ જેઓ કારગિલ યુદ્ધ વખતે લેફ્ટેનન્ટ કર્નલના હોદ્દા પર હતા અને જેમને વીરચક્ર પ્રાપ્ત થયું છે. ૨૫ જુલાઇ પહેલા કારગિલ ક્ષેત્ર પર તૈનાત સૈનિકોને સુપરત કરવામાં આવશે.

July 12, 2021
Maana_Patel.jpg
1min290

સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.

માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.

માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.

‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી.
ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.

ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.

ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ  હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.

માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.

માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં  હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે.
ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.

માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.

June 1, 2021
jinping-1280x720.jpg
1min229

ચીન વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ગતિએ વધતી વસ્તીથી ચિંતિત છે. જેના પગલે ચીન સરકારે પરિવાર નિયોજનના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ચીનમાં કપલ ત્રણ બાળકો પેદા કરી શકશે. અગાઉ ચીનમાં માત્ર બે બાળકો પેદા કરવાની પરવાનગી હતી.

હાલમાં જ ચીનની વસ્તીના આંકડા સામે આવ્યા હતા. જેમાં એ વાત સામે આવી હતી કે ચીનમાં વસ્તીઓનો એક મોટો ભાગ ઝડપથી વૃદ્ધ થઇ રહ્યો છે. આવામાં ચિંતિત ચીને આ પગલું ભર્યું છે.

ચીની મીડિયા પ્રમાણે, નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઇ છે. એટલે કે દાયકાઓથી ચાલી રહેલી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ચીનમાં દૂર કરવામાં આવી છે.

તાજેતરમાં જ ચીને વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. જે અનુસાર, છેલ્લા દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી હતી.

આંકડા અનુસાર, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ગતિ ૦.૫૩ ટકી હતી, જ્યારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાન આ ગતિ ૦.૫૭ ટકા હતી. એટલે છેલ્લા બે દાયકામાં ચીનનમાં જનસંખ્યા વધવાની ગતિ ઘટી છે. વર્ષ ૨૦૨૦માં ચીનમાં માત્ર ૧૨ મિલિયન બાળકો પેદા થયા, જ્યારે ૨૦૧૬માં આ આંકડો ૧૮ મિલિયન હતો. એટલે ચીનમાં વર્ષ ૧૯૬૦ બાદ બાળકો પેદા થવાની સંખ્યા પણ સૌથી ઓછી થઇ.

June 1, 2021
gdp.jpg
1min337

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થતંત્રનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી) માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં અર્થતંત્રનો વિકાસ ૧.૬ ટકા થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦ના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૩ ટકા જીડીપી વિકાસદર નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ચાર ટકા વિકાસ થયો હતો જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં વિકાસ દર ઘટીને માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. કોવિડ મહામારીને પગલે લૉકડાઉન સહિતના નિયંત્રણો લાદવામાં આવતા વિકાસ દર સંકોચાયો હતો.

દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ ગ્રોસ ડોમોસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી)ના ૯.૩ ટકા (૧૮,૨૧,૪૨૬ કરોડ રૂપિયા) થઇ છે. કંટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્સ (સીજીએ)એ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની કેન્દ્ર સરકારના મહેસૂલ ખર્ચની વિગતો જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોષીય ખાધ જીડીપીના ૭.૪૨ ટકા જેટલી નોંધાઇ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં મહેસૂલી આવકમાં ઘટાડો થવાને પગલે નાણાકીય ખાધ જીડીપીના ૪.૬ ટકા જેટલી થઇ હતી. વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીના ૩.૫ ટકા (રૂપિયા ૭.૯૬ લાખ કરોડ)નો અંદાજ સરકારે બજેટમાં રજૂ કર્યો હતો.

May 25, 2021
gseb-1280x720.jpg
2min373

રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે
……
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
…..
કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે
……..
– દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે

 સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે

 વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે

કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે

 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

 સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.

આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે

પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું

તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે

આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે, એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

April 7, 2021
vaccine-1.jpg
1min265

ભારતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડ-૧૯ની રસીના ૪૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ આપવામાં આવેલી રસી માટેનો નવો વિક્રમ બન્યો હતો.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચમી એપ્રિલે ૪૮,૦૯૫ સત્રમાં કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ આપવામાં આવ્યા હતા, એમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીએ પ્રથમ વખત ડોઝ લીધો હતો અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૨,૮૩,૮૧૬ સત્રમાં કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં ૮૧,૨૭,૨૪૮, ત્યાર બાદ ગુજરાતમાં ૭૬,૮૯,૫૦૭ ડોઝ, રાજસ્થાનમાં ૭૨,૯૯,૩૦૫ ડોઝ, ઉત્તર પ્રદેશમાં ૭૧,૯૮,૩૭૨ ડોઝ અને પશ્ર્ચિમ બંગાળમાં ૬૫,૪૧,૩૭૦ ડોઝ અપાયા હતા.

દરમિયાન ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના નેવું હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ગત ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપી હતી.

આ સાથે મંગળવારે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૨૬,૮૬,૦૪૯ થઇ હતી.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૪૪૬ દરદીનાં મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૬૫,૫૪૭ થઇ હતી.

ભારતમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા.

ગત ૨૭ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને ૭,૮૮,૨૨૩ની સપાટીએ પહોંચી હતી.

હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૬.૨૧ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૨.૪૮ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.