CIA ALERT

Uncategorized Archives - Page 3 of 13 - CIA Live

May 7, 2022

1min520

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

April 27, 2022
1min376

ગુજરાતથી વારાણસી માટે એક નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ સમર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન છે જે ઉધના સ્ટેશન પરથી ચાલશે. કાનપુર સેન્ટ્રલ થઈને આ ટ્રેન બનારસ પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન ૨૬ એપ્રિલથી ૬ મે સુધી ચલાવવામાં આવશે. આ અઠવાડિયક સ્પેશિયલ ટ્રેન રહેશે જે સપ્તાહમાં એક જ દિવસ ચાલશે. ગુજરાતમાં આ ટ્રેનની શરૂઆત મંગળવારે થઈ છે. બીજા દિવસે આ ટ્રેન વારાણસી પહોંચશે. આ ટ્રેનમાં એર-કંડીશન કોચ સિવાય જનરલ અને સ્લીપર કોચ રહેશે. આ ટ્રેન માટે સોમવારથી બુકિંગ શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનનો નંબર ૦૯૦૧૩ છે.

ટ્રેન નંબર ૦૯૦૧૩ ગુજરાતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી ૨૬ એપ્રિલથી ૩ મે સુધી દરેક મંગળવારે સવારે ૭.૨૫ વાગ્યે રવાના થશે. બુધવારે સવારે ૫.૨૫ વાગ્યે ગોવિંદપુરી રેલ્વે સ્ટેશન પર પાંચ મિનિટ ઉભી રહેશે. સવારે ૧૦.૫૦ વાગ્યે પ્રયાગરાજ થઈને વારાણસી રેલ્વે સ્ટેશન પહોંચશે. આ સિવાય ટ્રેન નંબર ૦૯૦૧૪ ૨૯ એપ્રિલથી ૪ મે સુધી દરેક બુધવારે વારાણસીથી સાંજે ૬.૧૦ વાગ્યે રવાના થશે. ગોવિંદપુરી રાત્રે ૧૦.૪૦ વાગ્યે પહોંચશે અને પાંચ મિનિટ બાદ રવાના થશે. બીજા દિવસે ગુરૂવારે રાત્રે ૮.૧૦ વાગ્યે આ ટ્રેન ઉધના પહોંચશે.

આ ટ્રેનમાં ચાર જનરલ કોચ, ૧૨ સ્લીપર, ત્રણ એસી થર્ડ અને એક એસી સેક્ધડ ક્લાસ કોચ રહેશે. ગરમીના વાતાવરણને જોઈને સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેન પ્રવાસીઓની ભીડને જોઈને શરૂ કરવામાં આવી છે અને કેટલાક દિવસો માટે દોડી શકે છે. આ ગરમીમાં આ પ્રકારની સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે.

April 18, 2022
1min628

આજે તા.18મી એપ્રિલ 2022ને સોમવાર, સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલી હતો. માર્કેટના મુખ્ય ઇન્ડેક્સ પૈકી એક બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે 1300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 57,338 પર ખૂલ્યો હતો. જે આ પહેલાના કામકાજના સત્રમાં એટલે કે 13 એપ્રિલ બુધવારના રોજ 58,338 પોઈન્ટ પર બંધ થયો હતો. અહીં નોંધનીય છે કે આ વખતે શેરમાર્કેટમાં ચાર દિવસનો વીકેન્ડ આવ્યો હતો.

માર્કેટ ગુરુવાર, શુક્રવાર અને શનિ-રવિ બંધ રહ્યું હતું. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ Nifty50 પણ આજે 250 પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યો છે. છેલ્લા કામકાજના દિવસ 13 એપ્રિલ, બુધવારના રોજ નિફ્ટી 17,475 પર બંધ થઈ હતી. જે આજે 17,183 પોઈન્ટ પર ખૂલી રહી. મહત્વનું છે કે છેલ્લા 15 જ દિવસમાં શેરબજાર ફરી એકવાર 57 હજારની આસપાસ આવી ગયું છે. જે માર્ચ એન્ડ અને એપ્રિલની શરુઆતમાં વધીને 4 એપ્રિલના રોજ 60,611 સુધી પહોંચી ગયું હતું. જે બાદ માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 4 એપ્રિલથી 18 એપ્રિલ પંદર જ દિવસના સમયગાળમાં માર્કેટ કુલ 3000 પોઈન્ટ તૂટ્યું છે.

શેરબજારમાં આજે પડેલા ગાબડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારનું વિપરિત વલણ અને આંતરાષ્ટ્રિય બજારોમાં બોલેલા કડાકાને આભારી છે. ભારતીય બજારોએ આંતરરાષ્ટ્રીય શેરબજારની સ્થિતિને અનુરુપ પોતાનું આજનું પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ હજુ પણ લાંબુ ખેચાવાની શક્યતા વચ્ચે કડાકો બોલ્યો હતો. આજે શેરબજારની સાથે સાથે માર્કેટના મિડકેપ અને લાર્જકેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં નિફ્ટિ મિડકેપ 100 તેના પાછલા બંધ 30796થી 269 પોઈન્ટ તૂટીને 30565 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તો નિફ્ટી બેંક પણ 592 ટકા જેટલો ઘટીને 36870 પહોંચી ગયો હતો.

December 15, 2021
1min421

ગુજરાતમાં સરકારી બેન્કોના 70,000 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. સરકારી બેંકોનું મોટું નેટવર્ક ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત છે. શહેરી વિસ્તારોના બેંક ખાતેદારો મોટા ભાગે ઇલેક્ટ્રોનિક બેંકિંગ કરે છે તેમને હડતાળની ઝાઝી અસર નહીં થાય, એટલું જ નહીં પણ શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ બેંકોનું ચલણ વધારે છે. આથી સરકારી બેંકોની બે દિવસની હડતાળની સીધી અસર ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારો પર પડશે.

જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિક ખાનગીકરણના વિરોધમાં બેન્કના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ બે દિવસ હડતાલ રાખવાની જાહેરાત કરી છે. મહા ગુજરાત બેન્ક એમ્પલોઈસ અસોસિએશનના અનુમાન અનુસાર બે દિવસ સુધી ગુજરાતમાં લગભગ 4800 બેન્ક શાખાઓ બંધ રહેવાની છે, જેના પરિણામે 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે.

બેન્કો બંધ રહેશે તો વેપાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે. બેન્ક કર્મચારીઓની ફરિયાદ અને સમસ્યા ચોક્કસપણે સ્વાભાવિક અને ગંભીર હશે પરંતુ આ રીતે બેન્કો બંધ રાખવાથી બિઝનેસને કોઈ ફાયદો નહીં થાય. ગામડાઓ અને નાના શહેરોમાં સરકારી બેન્કોનું નેટવર્ક ઘણું વધારે છે. માટે જો સતત બે દિવસ બેન્કો બંધ રાખવામાં આવશે તો આ જગ્યાઓએ પણ વેપાર ઘણો પ્રભાવિત થશે.

બે દિવસ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો થઈ શકશે પરંતુ જે કામગીરી બેન્કમાં આવીને કરવાની હોય છે તે બેન્ક ખુલ્યા પછી જ પૂરી થઈ શકશે. આ હડતાલમાં આશરે 70,000 બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકાર સામે આરોપ

જાહેર ક્ષેત્રની બેન્કો કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કેમકે એક્ટ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે છે. આ બેન્કોને વધારે મજબૂત કરવાના સ્થાને સરકાર તેમને બંધ કરવાની યોજના તૈયાર કરી રહી છે.

November 28, 2021
uptet.jpg
1min461

ઉત્તર પ્રદેશમાં શિક્ષકોની ભરતી માટેની યુપી- ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (UP TET)નું પેપર લીક થઈ જતા રાજ્યભરમાં રવિવારે યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે. સચિવ પરીક્ષા નિયામક સંજય કુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે બે તબક્કામાં લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ પેપર શરૂ થતા પૂર્વે જ મથુરા, ગાઝિયાબાદ અને બુલંદશહેરના વોટ્સએપ ગ્રુપમાં પેપર વાયરલ થયું હતું. એસટીએફએ આ અંગે તપાસનો ધમધમાટ હાથ ધરતા મેરઠથી ત્રણ લોકોને ઝડપ્યા હતા. પકડાયેલા લોકોની સઘન પૂછપરછ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે યુપી ટેટ 2021ની પરીક્ષા બે પાળીમાં 2,554 કેન્દ્રો પર યોજાનાર હતી. પ્રથમ સેશનમાં 12,91,628 અને બીજા સેશનમાં 8,73,553 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ માટે ગુરુવારે ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ કરી પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પ્રથમ વખત યુપી ટેટમાં પરીક્ષા કેન્દ્રો પર લાઈવ સીસીટીવીના માધ્યમથી નજર રાખવાની યોજના હતી. પરીક્ષા ખંડમાં અંદર મોબાઈલ ફઓન તેમજ અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. 

યુપી ટેટ 28 નવેમ્બરે બે તબક્કામાં યોજાનાર હતી અને 21 લાખ જેટલા ઉમેદવારોનું ભાવી નક્કી થવાનું હતું. પરીક્ષા આપવા માટે વિવિધ ગામોમાંથી ઉમેદવારો રાત્રે જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. કેટલાક ઉમેદવારોએ રેલવે અને બસ સ્ટેશન પર જ રાત વિતાવી હતી. રાત ઉજાગરો કરીને સવારે પેપર આપવાના આશાવાદ સાથે પહોંચેલા પરીક્ષાર્થીઓને સવારે પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ થવાની જાણ થતા નિરાશા મળી હતી.

હાલમાં એસટીએફ દ્વારા કેટલાક લોકોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મેરઠથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળે પણ તપાસ ચાલુ છે. યુપી સરકાર હવે આગામી એક મહિનાની અંદર ફરીથી ટેટની પરીક્ષાનું આયોજન કરી શકે છે.  

October 9, 2021
tataairindia.jpg
1min379

ટાટા સન્સે પોતાના દ્વારા અંદાજે ૯૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ઍરલાઇન – ઍર ઇન્ડિયા ફરી હસ્તગત કરી હતી.

Breaking: After 67 years, Air India heads back to founder Tata Sons -  BusinessToday

સરકારે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ઍર ઇન્ડિયાને સંપૂર્ણ ફરી હસ્તગત કરવા માટેની ટાટા સન્સની રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બિડને મંજૂરી આપી હતી. ઇન્વૅસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અસૅસમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તુહિનકાંતા પાણ્ડેયે શુક્રવારે ટૂંકમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા સન્સની હૉલ્ડિંગ કંપનીના યુનિટ – ટાલસે પ્રાઇવેટ લિમિટેડની વિજેતા બિડમાં રૂપિયા ૨,૭૦૦ કરોડની રોકડ અને રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના પર લેવાનો સમાવેશ થાય છે.

ટાટાએ સ્પાઇસજેટના પ્રમૉટર અજય સિંહના નેતૃત્વ હેઠળના જૂથે રજૂ કરેલી બિડને હરાવી હતી. પાણ્ડેયે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની આશા રખાય છે. અગાઉ, ઍર ઇન્ડિયાનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ઍર ઇન્ડિયામાં સ્થાનિક ઍરલાઇન ઇન્ડિયન ઍરલાઇન્સનું ૨૦૦૭માં વિલીનીકરણ કરાયું હતું અને ત્યાર બાદ તે મોટી ખોટ કરી રહી છે.

ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે. આર. ડી. ટાટા ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ઊતરતા હોય એવો જૂનો ફૉટો ટ્વીટ કર્યો હતો.
ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયું, તેના અંદાજે ૭૦ વર્ષ પછી ટાટા સન્સે સરકાર પાસેથી આ ઍરલાઇન પાછી હસ્તગત કરી છે.

રતન ટાટાએ લખ્યું હતું કે ઍર ઇન્ડિયા, વૅલકમ બૅક. ટાટા ગ્રૂપે ઍર ઇન્ડિયાની બિડ જીતી તે મોટા સમાચાર ગણાય. ઍર ઇન્ડિયાને ફરી બેઠી (સધ્ધર) કરવા ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેને લીધે મુલકી ઉડ્ડયન ક્ષેત્રે ટાટા ગ્રૂપ માટે ઘણી તક ઊભી થશે.

October 7, 2021
CIA-1280x937.jpg
1min458

આજે તા.7મી ઓક્ટોબર 2021 માતાજીના આરાધ્ય પર્વ નવરાત્રીની પહેલી જ પ્રભાતે એવા સમાચાર આવ્યા કે જે સુરતવાસીઓ માટે જાણવા જરૂરી હતા. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 6 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા.

???????????????? ????????????
Date :07/10/2021
Time : 05:00 hrs
Rule Level : 345.00 ft (7414.29)
Level : 345.00 ft
Gross Storage : 7414.29
MCM (100%)
Live storage :6729.90 MCM ???????????????????????? : 46397 Cusecs
Outflow :
Canal: 1100 cusecs
Hydro: 10374 cusecs
Gate: 0 cusecs
Total ???????????? ????????????????: 11474 Cusec????

ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.

September 25, 2021
italy.png
1min365

રોમમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે રોમે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે અને જે લોકોને આ રસી મળી છે તેઓ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેમના ઇટાલિયન સમકક્ષ રોબર્ટો સ્પેરન્ઝા વચ્ચે G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનું આ પરિણામ છે, એમ દૂતાવાસે એક ટ્વીટમાં જણાવ્યું હતું.

“ભારતીય રસી કાર્ડ હોલ્ડર્સ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.” તેમાં ઉમેર્યું હતું કે આ પહેલા, ઇટાલીએ ફાઇઝર, મોર્ડેના, વેક્સઝેરવિયા – એસ્ટ્રાઝેનેકા અને જોહ્ન્સન એન્ડ જોહ્નસનની રસીઓને માન્યતા આપી હતી.

September 24, 2021
IPL_cia.jpg
1min315

રોયલ ચેલેર્ન્સ બેંગ્લોરની ટીમે તેના પાછલા મેચમાં મળેલી કારમી હારને ભૂલીને શુક્રવારે એમએસ ધોનીના આગેવાની હેઠળની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ વિજયક્રમ પર વાપસી કરવાની કોશિશ કરશે. જો કે વિરાટ કોહલીની ટીમ સામે આ પડકાર કઠિન છે, કારણ કે સીએસકેએ બીજા તબકકાના તેના પહેલા મેચમાં વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. આથી ધોનીની ટીમનું મનોબળ ઉંચુ છે જ્યારે કોહલીની કપ્તાની છોડવાની જાહેરાત બાદથી બેંગ્લોરની ટીમ દબાણમાં જોવા મળી રહી છે.

આ મુકાબલાને ગુરુ અને શિષ્ય વચ્ચેની ટકકરના રૂપમાં માનવામાં આવી રહ્યો છે. આઇપીએલમાં આ બન્ને ટીમ જયારે પણ આમને-સામને હોય છે ત્યારે રોમાંચ પરાકાષ્ઠાના ચરમ પર પહોંચી જાય છે.

આરસીબીએ પોઇન્ટ ટેબલ પર ટોચની ચાર ટીમમાં બની રહેવું હશે તો તેના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો પડશે. ટીમને યુવા પડીક્કલ અને કપ્તાન કોહલી પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. ટીમના મધ્યક્રમે પણ બેટિંગ સુધારવી જરૂરી છે. એબી ડિ’વિલિયર્સ અને ગ્લેન મેકસવેલે ખ્યાતિ અનુસાર બેટિંગ કરવું પડશે. આરસીબીના બોલરોએ પણ કેકેઆર સામેના ખરાબ પ્રદર્શનને ભૂલીને નવી શરૂઆત કરવી પડશે. સિરાઝ, હર્ષલ, જેમિસન, ચહર અને શ્રીલંકાના સ્પિનર હસરંગા કેકેઆરના બેટધરો પર અંકુશ મૂકી શક્યા ન હતા.

ચેન્નાઇની ટીમ શાનદાર ફોર્મમાં છે. યુવા ઋતુરાજે મુંબઈ સામે દબાણ વચ્ચે પ8 દડામાં 88 રનની ઇનિંગ રમીને જીત અપાવી હતી. જો કે તેના મીડલઓર્ડરમાં પણ ખામીઓ છે. અનુભવી રૈના, મોઇન અલી અને સુકાની ધોનીએ રન કરવા જરૂરી છે. ઇજાગ્રસ્ત રાયડુનું આવતીકાલના મેચમાં રમવું નિશ્ચિત નથી. ફાક ડૂ પ્લેસિસ પાસેથી ટીમને મોટી ઇનિંગની આશા રહેશે. ટીમ પાસે રવીન્દ્ર જાડેજા, ડવેન બ્રાવો અને સેમ કરન જેવા ઉપયોગી ઓલરાઉન્ડર છે. જે ટીમને સંતુલન આપે છે.’ સીએસકે 8 મેચમાં 6 જીતથી 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વધુ એક જીતથી તેનું પ્લે ઓફનું સ્થાન લગભગ નિશ્ચિત જેવું બની જશે.

September 15, 2021
jeemain.jpg
4min701

ચાલુ વર્ષે 2021માં ચાર વખત લેવામાં આવેલી જેઇઇ મેઇન્સની ચોથા સ્ટેજની પરીક્ષાના પરીણામ જાહેર કરવાની સાથે આજરોજ તા.15મી સપ્ટેમ્બરે જેઇઇ મેઇન્સના ચારેય રાઉન્ડ મળીને કટઓફ મેરીટ જાહેર કરવામાં આવ્યા હતા. જે નીચે મુજબ છે.

  • ઓપન કેટેગરી
  • ઓપન ઇડબલ્યુ કેટેગરી
  • શિડ્યુલ કાસ્ટ
  • શિડ્યુલ ટ્રાઇબ
  • અધર બેકવર્ડ ક્લાસ

જેઇઇ મેન્સ ચોથા સ્ટેજની પરીક્ષામાં 100 PR મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના રાજ્યો

A record 44 candidates scored 100 percentile while 18 candidates are on Rank 1 in the Joint Entrance Examination – Main (JEE-Main) 2021. The National Testing Agency (NTA) announced the final merit list, which is based on the performances of the four JEE (Mains) Paper 1 for BE/ BTech on Tuesday night. Last year 24 candidates scored 100

Toppers list

2.45 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય કરાશે, જેઇઇ એડવાન્સ્ડ 3 ઓક્ટોબરે યોજાશે

Based on the results of the JEE-Mains Paper 1 and Paper 2, the top 2.45 lakh candidates will be eligible to appear for the JEE-Advanced exam, which is a one-stop exam to get admission into the 23 premier Indian Institutes of Technology (IITs). JEE-Advanced is scheduled to take place on October 3, 2021.

9.34 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

This year 9.34 lakh candidates registered and according to the NTA officials, around 77% of the candidates took the exam twice, while over 60% attempted the exam three times to improve their scores.

હવે પછી શું

3Registration for JEE (Advanced) 2021Monday, September 13, 2021 (Afternoon) to
Sunday, September 19, 2021(17:00 IST)
4Last date for fee payment of registered candidatesMonday, September 20, 2021 (17:00 IST)
5Choosing of scribe dateSaturday, October 2, 2021
6Admit Card available for downloadingSaturday, September 25, 2021 (10:00 IST)
to
Sunday, October 03, 2021 (up to 9:00 IST)
7Date (Day) of JEE (Advanced) 2021 October 03, 2021 (Sunday)
8Copy of candidate responses to be available on the JEE (Advanced) 2021 websiteTuesday, October 05 , 2021 by 17.00 IST
9Online display of provisional answer keysSunday, October 10, 2021, 10:00 IST
10Feedback and comments on provisional answer keys from the candidatesSunday, October 10, 2021, 10:00 IST
to
Monday, October 11, 2021, 17:00 IST
11Online declaration of final answer keys and results of JEE 2021Friday, October 15, 2021
12Online registration for Architecture Aptitude TestFriday, October 15, 2021, 10:00 IST
to
Saturday, October 16, 2021, 17:00 IST
13Architecture Aptitude Test (AAT)Monday, October 18, 2021, 09:00 to 12:00 IST
14Declaration of AAT resultsFriday, October 22, 2021
15Tentative Start of Seat Allocation ProcessSaturday, October 16, 2021