ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર શરૂ કર્યું છે. નવા ફીચરથી હવે યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ પણ કરી શકશે.
આ નવી સર્વિસિસ સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ યુઝર્સોને ટેલિગ્રામની જ ક્રિપ્ટોકરન્સી ટોનકોઇન-TONCOIN મોકલી શકે છે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ નહિ ચૂકવવી પડે. આ ક્રિપ્ટો પેમેન્ટ સર્વિસિસ માટે કંપનીએ ઓપન નેટવર્ક (TON) બ્લોકચેન વિકસાવ્યું છે. આ ફીચર અંગે કંપનીએ કહ્યું કે આ સર્વિસ સાથે યુઝર્સને લાંબા વોલેટ એડ્રેસ આપવાની જરૂર નહીં પડે અને તેના કન્ફરમેશનની પણ રાહ જોવી પડશે નહીં.
લગભગ 55 કરોડ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે.
કંપનીએ અગાઉ ક્રિપ્ટો ટોકન અને પેમેન્ટ સિસ્ટમ લાવવાની યોજના બનાવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) તરફથી કાનૂની પડકાર મળ્યા બાદ આ યોજના કોરણે મૂકવામાં આવી હતી.
ટેલિગ્રામ વર્ષ 2019મા SECના રડાર હેઠળ આવ્યું જ્યારે ટેલિગ્રામે પોતાનું ટોકન ડેવલપ કરવા માટે 1.7 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતુ. SECએ તેને ગેરકાયદેસર ટોકન ઓફર ગણાવ્યું હતું. આ પછી ટેલિગ્રામે SECને દંડ આપીને રોકાણકારોને મૂડી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.
રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.
શ્રીલંકામાં આર્થિક સંકટની(Srilanka crisis) વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું.
મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.
શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે. રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે.
11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.
2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે. હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.
૨૦૧૬માં લિક થયેલા કરચોરી વિશેના વૈશ્ર્વિક ‘પનામા પૅપર કૌભાંડ’ મામલે ઐશ્ર્વર્યા રાય બચ્ચનની સોમવારે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરૅટ (ઇડી) સમક્ષ હાજર થઇ હતી અને ઇડીના અધિકારીઓએ એની છ કલાક સુધી પૂછતાછ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ફેમા કાયદા હેઠળ ઐશ્ર્વર્યાની પૂછતાછ કરવામાં આવી હતી અને ઐશ્ર્વર્યાએ આપેલા જવાબો નોંધવામાં આવ્યા હતા.
ઇડીના અધિકારીઓ સમક્ષ ઐશ્ર્વર્યાએ કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. નવી દિલ્હીના જામ નગર હાઉસ ખાતે આવેલા ઇડીના કાર્યાલયમાં ઐશ્ર્વર્યાની સાંજે ૭ વાગ્યા સુધી પૂછતાછ કરવામાં આવી હતી.
વોશિંગ્ટનના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટોના એક જૂથે ૨૦૧૬માં વિશ્ર્વના નેતાઓ અને ખ્યાતનામ વ્યક્તિઓ દ્વારા વિદેશની કંપનીઓ તથા સંપત્તિમાં કરેલા બેનામી રોકાણની માહિતી જાહેર કરી હતી અને એ ‘પનામા પૅપર કૌભાંડ’ના નામે ઓળખાય છે. એમાંથી કેટલીક વ્યક્તિઓનું રોકાણ કાયદેસરનું પણ છે.
લિક કરાયેલી માહિતીમાં ભારત સાથે સંકળાયેલા ૪૨૬ કેસની વિગતો છે. ૨૦૧૬-૧૭થી ઇડી બચ્ચન કુટુંબની આ કેસમાં સંડોવણી વિશે તપાસ કરી રહી છે. આ અગાઉ અભિષેક બચ્ચનને પણ પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો.
હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય
ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.
આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.
ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.
લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.
ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.
NIFT Admission 2022: Important dates
Event
Dates
Last date to apply online
January 17, 2022
Registration with late fee of Rs. 5000
January 18 to 22, 2022
NIFT Admit Card release date
January 29, 2022
NIFT Entrance Exam 2022 date
February 6, 2022
Result of Written Entrance Examination
March 2022
Situation Test/ Group Discussion/ Interview
April 2022
Last date for online registration for foreign nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)
May 2022
Counselling
May-June2022 onwards
NIFT Admission 2022: How to apply online
1) Register yourself for the online application process at http://niftadmissions.in/. 2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.
3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form
4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.
5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).
6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.
7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.
NIFT Admission 2022: Scheme of examination
Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘તેઓ ફટાકડા પર પ્રતિબંધ મૂકીને કોઈ એક સમુદાયના વિરોધમાં નથી. મનોરંજનના નામ હેઠળ કોર્ટ નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન ન કરવા દઈ શકે.’
ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને એ. એસ. બોપ્પાની બેન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટે આપેલા આદેશનો એ સંપૂર્ણ અમલ જોવા માગે છે. બેન્ચે એવું પણ કહ્યું હતું કે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ નથી. પ્રકૃતિને અનુકૂળ તૈયાર કરવામાં આવેલા ફટાકડા (ગ્રીન ફાયરક્રેકર્સ)ને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે કોઈ સમુદાય માટે ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ તમામ નાગરિકોના હિતમાં આ નિર્ણય લીધો છે.
હજી પણ બજારોમાં જાહેરમાં ફટાકડાઓ મળી રહ્યા છે એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે આદેશનો અમલ કરાવનારી સંસ્થાઓની પણ મોટી જવાબદારી છે. બધા જાણે છે કે દિલ્હીના લોકો પ્રદૂષણને લીધે કેવા સંઘર્ષમાં જીવી રહ્યા છે. કોર્ટ લોકોના અધિકારોની રક્ષા કરવા માટે છે એવો સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ.
આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.
21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.
dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.
સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં.
ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.
ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે.
ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા દેશને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું, “દુનિયાના ઘણાં દેશો માટે યોગ દિવસ સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શક્યા હોત, તેની ઉપેક્ષા કરી શક્યા હોત. પરંતુ તેનાથી અલગ, લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે.”
આજે દુનિયાભરમાં 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું- “આજે જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, તો યોગ આશાનું કિરણ બની રહ્યો છે.” બે વર્ષથી ભલે દુનિયામાં અને ભારતમાં સાર્વજનિક રીતે કાર્યક્રમ આયોજિત ના કરાતો હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો.
કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, “જ્યારે કોરોનાના અદૃષ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી હતી, ત્યારે કોઈ દેશ, સાધનો, સામર્થ્યથી અને માનિસિક અવસ્થાથી, તેના માટે તૈયાર નહોતો. આપણે સૌએ જોયું કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું.” વડાપ્રધાને કહ્યું કે, “ભારતના ઋષિયોએ, ભારતે જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે, તો તેનો મતલબ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી થતો. માટે યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે-સાથે મેન્ટલ હેલ્થ પર પણ ભાર આપવામાં આવ્યો છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટી તરફનો રસ્તો બતાવે છે. યોગ આપણને અવસાદથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ તરફ લઈ જાય છે.”
યોગ દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “જ્યારે ભારતે યુનાઈટેડ નેશનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નો પ્રસ્તાવ રાખ્યો હતો, તો તેની પાછળ એ જ ભાવના હતી, કે આ યોગ દુનિયા માટે ફાયદાકારક છે. આજે આ દિશામાં ભારતે યુનાઈટડ નેશન, WHO સાથે મળીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દુનિયાને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલ પર યોગ પ્રશિક્ષણની ઘણા વિડીયો દુનિયાની અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ હશે.”
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.