કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને ‘બ્લેક ફંગસ’ (મ્યુકોરમાઈકોસિસ)ને મહામારી તરીકે જાહેર કરવા માટેની તાકીદ કરી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોએ મ્યુકોરમાઈકોસિસના સ્ક્રિનિંગ, નિદાન અને સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ માટે તમામ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની આરોગ્ય વિભાગ તથા સર્વેલન્સ સિસ્ટમને જાણ કરવા ફરજિયાત બનાવવા માટે જણાવ્યું છે.
પત્રમાં જણાવાયું છે કે, આ ફંગલ ઇન્ફેક્શનની સારવારમાં આંખના સર્જનો, ઇએનટી નિષ્ણાતો, જનરલ સર્જન, ન્યુરોસર્જન, ડેન્ટલ મેક્સિલોફેસિયલ સર્જન વગેરે અને એમ્ફોટેરીસીન બીની સંસ્થાને એન્ટિફંગલ દવા તરીકે સમાવવામાં આવતા મલ્ટિડિસિપ્લિનરી અભિગમની જરૂર છે. અત્યાર સુધીમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના વિવિધ ભાગોમાં બ્લેક ફંગસના કેસ નોંધાયા છે.
17/5/21 ને સોમવારે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા, જ્યારે અમુક જગ્યાએ ટ્રેક પર વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનસેવાને પણ રોકી દેવાની નોબત આવી હતી. આ ઉપરાંત, તોફાની પવનને કારણે ઍરપોર્ટ ખાતે ફ્લાઈટ્ સેવાને પણ સ્થગિત કરવામાં આવી હતી.
વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાને કારણે બૃહન્દ મુંબઈ મહાનગરપાલિકાએ બાંદ્રા-વરલી સી લિંકને બંધ રાખવાની જાહેરાત કરી હતી તથા તેના સ્થાને કારચાલકોને વૈકલ્પિક રસ્તે ટ્રાવેલ કરવાનો અનુરોધ કર્યો હતો. મોડી રાતેથી મુંબઈ સહિત પરાંના વિસ્તારમાં ઠેરઠેર વરસાદ પડવાથી પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે સવારે સૌથી પહેલા મધ્ય રેલવેમાં ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર વૃક્ષની શાખા ધરાશાયી થવાથી ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. ટ્રેક પરથી વૃક્ષની શાખાઓને હટાવી લેવામાં આવ્યા પછી ટ્રેનસેવા લગભગ અગિયાર વાગ્યાના સુમારે ચાલુ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. આ ઉપરાંત, સીએસએમટી કોરિડોરમાં ભારે પવનને કારણે જીઆરપીની પોલીસ ચોકી નજીક એક્રેલીકની શીટ્સ તૂટી પડી હતી, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી. આ ઉપરાંત, મેઈન લાઈન સિવાય હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેગ બહાદુર વચ્ચે પણ બેનર તૂટી પડવાથી ઓવરહેડ
ઈલેક્ટ્રિક વાયરને અસર થઈ હતી, પરિમઆમે તાત્કાલિક ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. સવારના ૧૧.૪૫ વાગ્યા પછી હાર્બર લાઈનમાં ટ્રેનસેવાને ચાલુ કરવામાં આવી હતી, પરંતુ દિવસભર લોકલ ટ્રેનો ૨૦થી ૩૦ મિનિટ સુધી મોડી દોડતી રહી હતી, પરિણામે અત્યંત આવશ્યક સેવાની શ્રેણી હેઠળના પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારે વરસાદને કારણે મસ્જિદ સ્ટેશન નજીક પાણી ભરાઈ જવાને કારણે મધ્ય રેલવેમાં સીએસએમટી-વડાલા વચ્ચેની હાર્બર લાઈનની ટ્રેનસેવાને સ્થગિત કરવામાં આવી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે બપોરના ૧.૨૦ વાગ્યાથી ટ્રેનસેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાન્સહાર્બર તથા વડાલા-પનવેલ વચ્ચે ટ્રેનસેવાને ચાલુ રાખવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બપોરના સમયગાળા દરમિયાન ડોંબિવલી ખાતે પણ રેલવે ટ્રેક પર ઓવરહેડ વાયરમાં સ્પાર્ક થવાનો કિસ્સો બન્યો હતો, પરિણામે વૃક્ષ બળીને ખાખ થઈ ગયું હતું. આમ છતાં તેને કારણે ટ્રેનસેવા પર અસર થઈ નહોતી. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે સવારથી પશ્ર્ચિમ રેલવેમાં પણ ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવવામાં આવતી હતી, જ્યારે દહીંસર રેલવે સ્ટેશન નજીક એફઓબી ખાતે એક પ્લાસ્ટિકની ફાઈબર શીટ રેલવે ટ્રેક પર પડવાથી ટ્રેનસેવા પર અસર પડી હતી, જ્યારે બીજો બનાવ વિરારમાં ફાઈબરની શીટ ઓવરહેડ વાયર પર પડવાથી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ ઈમર્જન્સી બ્લોક લીધા પછી બપોર પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ રહી હતી. ચોમાસા પૂર્વે પાલિકા સહિત મુંબઈ રેલવેએ પણ તૈયારી ચાલુ કરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સાયન-કુર્લામાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવાઈ હતી. મુંબઈમાં હિન્દમાતા સહિત અંધેરી સબવે સહિત મલાડ સબવેની નીચે પાણી ભરાઈ ગયા પછી પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો તથા ત્યાંથી લોકોને અવરજવર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મુંબઈમાં સવારે લગભગ ૩૪ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા, પરંતુ તેમાં કોઈ જગ્યાએ જાનહાનિના બનાવ બન્યા નહોતા. પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે વિશેષ સ્ટાફને તહેનાત પણ કરવામાં આવ્યો હતો, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
—
મોનો રેલની સર્વિસ સ્થગિત
ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મોનોરેલની દિવસભરની ટ્રેનસેવા સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાના ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ ઍરપોર્ટ બંધ
ચક્રવાતને કારણે મુંબઈમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ)ને રાતના આઠ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પહેલા સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફ્લાઈટ્સ સેવાને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ બપોરના ચાર વાગ્યા પછી છ વાગ્યા પછી આઠ વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એરપોર્ટ પરની ફ્લાઈટ સેવાને બંધ રાખવાને કારણે અન્ય રાજ્યની ફ્લાઈટને ડાઈવર્ટ પણ કરવામાં આવી હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટને સુરત, ઈન્ડિગોની ફ્લાઈટને લખનઊ પરત મોકલવામાં આવી હતી, જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટને હૈદરાબાદ ખાતે ડાઈવર્ટ કરી હતી. કોરોનાના નિયંત્રણ માટે સરકારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી પણ પ્રવાસીઓની ઓછી ડિમાન્ડને કારણે રોજના ૨૫૦થી વધુ ફ્લાઈટ્સની અવરજવર રહે છે.
ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.
નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.
દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.
આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.
કોરોના કેસોમાં ભારતમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં મહારાષ્ટ્રના કેસની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં પણ રેકોર્ડ કેસ નોંધાયા છે મુંબઈમાં 5,504 નવા કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા હવે 35,000 ઉપર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 111 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધારેને વધારે ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાંદેડ અને બીડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશના ઓછામાં ઓછા ૧૮ રાજ્યમાં કોરોના વાઇરસના કેટલાક ભિન્ન પ્રકારની સાથે સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ (એસએઆરએસ-સીઓવી-ટૂ)ના ‘ડબલ મ્યૂટન્ટ’ (જેની રચનામાં બે વખત ફેરફાર થયા હોય એવા વાઇરસ) જોવા મળ્યા છે. અગાઉ, કોરોના વાઇરસના અમુક ભિન્ન પ્રકાર યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સહિતના વિદેશોમાં પણ જોવા મળ્યા હતા.
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દેશના અમુક રાજ્યમાં વધેલી કોરોના દરદીઓની સંખ્યાને કોવિડ-૧૯ના આ ભિન્ન પ્રકારોની સાથે સંબંધ હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી નથી મળ્યા.
તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ (આઈએનએસએસીઓજી) દ્વારા જેનોમ સિક્વન્સિંગ કરાતા વિવિધ રાજ્યમાં અલગ-અલગ પ્રકારના કોરોના વાઇરસ અને કેટલીક જગ્યાએ નવા ડબલ મ્યૂટન્ટ વૅરિઅન્ટ શોધી કઢાયા હતા.
ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ દેશમાં કોવિડ-૧૯નું જેનોમિક સિક્વન્સિંગ અને અનૅલિસિસ કરતી ૧૦ પ્રયોગશાળાનું જૂથ છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા કુલ ૧૦,૭૮૭ પૉઝિટિવ સૅમ્પલમાંથી ૭૭૧ ‘વૅરિયન્ટ્સ ઑફ ક્ધસર્ન્સ’ જોવા મળ્યા હતા. આ સૅમ્પલ્સમાંના ૭૩૬ યુકે (બી.૧.૧.૭) લાઇનેજના, ૩૪ દક્ષિણ આફ્રિકા (બી.૧.૩૫૧) લાઇનેજ અને એક બ્રાઝિલ (પી.૧) લાઇનેજના હતા.
In English
A new “double mutant” variant of the coronavirus has been detected from samples collected in India.
Officials are checking if the variant, where two mutations come together in the same virus, may be more infectious or less affected by vaccines.
Some 10,787 samples from 18 Indian states also showed up 771 cases of known variants – 736 of the UK, 34 of the South African and one Brazilian.
Officials say the variants are not linked to a spike in cases in India.
India reported 47,262 cases and 275 deaths on Wednesday – the sharpest daily rise this year.
The Indian SARS-CoV-2 Consortium on Genomics (INSACOG), a group of 10 national laboratories under India’s health ministry, carried out genomic sequencing on the latest samples. Genomic sequencing is a testing process to map the entire genetic code of an organism – in this case, the virus.
The genetic code of the virus works like its instruction manual. Mutations in viruses are common but most of them are insignificant and do not cause any change in its ability to transmit or cause serious infection. But some mutations, like the ones in the UK or South Africa variant lineages, can make the virus more infectious and in some cases even deadlier.
Virologist Shahid Jameel explained that a “double mutation in key areas of the virus’s spike protein may increase these risks and allow the virus to escape the immune system”.
The spike protein is the part of the virus that it uses to penetrate human cells.
સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટેનો ગાળો અગાઉના ૪-૬ સપ્તાહથી વધારીને હવે ૪-૮ સપ્તાહ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોવિડ-૧૯ના રસી કોવિશિલ્ડના બે ડોઝ લેવાનો ગાળો પહેલો ડોઝ લીધાના ૪-૬ સપ્તાહને બદલે ૪-૮ સપ્તાહમાં લઇ શકાય એવો પ્રસ્તાવ સરકારી સલાહકાર સંસ્થા એનટીએજીઆઇએ કર્યો છે. જોકે, બીજો ડોઝ આઠ સપ્તાહ પહેલા લેવો જરૂરી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકારે એનટીએજીઆઇનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ સાથે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાભકર્તાને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના ૪-૮ સપ્તાહમાં બીજો ડોઝ આપવાની સલાહ આપવામાં આવી છે. જોકે, બીજો ડોઝ આપવાનો સમયગાળો આઠ સપ્તાહથી વધુ ન હોવો જોઇએ.
છેલ્લાં બે વર્ષથી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી.
લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ સુધી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૩૬.૨ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૩.૨૭ ટકા અને વેપારના ૩૭.૨૬ ટકા જેટલી હતી.
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૨૪૯.૯ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૨.૦૧ ટકા અને વેપારના ૧૭.૭૮ ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.
જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કર્યા બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નૉટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.
વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૫૪.૨૯૯૧ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની માત્ર ૧૧.૧૫૦૭ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રમાણ ઘટીને ૪.૬૬૯૦ કરોડ જેટલું થઈ ગયું હતું.
એપ્રિલ ૨૦૧૯થી રૂ. ૨૦૦૦ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું.
રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.
જોકે, બાદમાં રૂ. ૫૦૦ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.
હાલ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.
દેશમાં નોંધાતા નવા દૈનિક કુલ કેસમાં પૈકી ૮૫ ટકા કેસો છ રાજ્યો, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ છ રાજ્યમાં કોરાનોના નવા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૦૮,૮૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૧,૯૭,૨૩૭ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૭૪ ટકા છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર ૧૪,૩૧૭, કેરળ ૨૧૩૩, પંજાબ ૧૩૦૫નો સમાવેશ થાય છે.
દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાં પાંચ રાજ્યનું યોગદાન ૮૨.૯૬ ટકા, મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યમાં કુલ યોગદાન ૭૧.૬૯ ટકા હોવાનું તેમણે કહ્યું હતું.
ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યાનો આંક ૧,૯૭,૩૩૭ પર પહોંચ્યો છે જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલો હોવાનું કોરોના દેખરેખ અધિકારીએ નવી દિલ્હી ખાતેથી કહ્યું હતું.
દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૭૮ દિવસનો સર્વોચ્ચ આંક હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૧૭ જણનાં મોત થયાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૩૦૬ પર પહોંચી ગયો છે.
છેલ્લે ૨૪ ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા છ દિવસમાં દેશમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા હતા.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૨,૪૯,૯૮,૬૩૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૭ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું હતું.
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ હવે ભયજનક સ્થિતિ પેદા કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળની સ્થિત અત્યંત કપરી બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણ માટે લૉકડાઉન જેવા પગલાં ભરવાનું શરૂ કરાયું છે. એ સિવાય પંજાબ, કેરળ વગેરે રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અકોલામાં 15 માર્ચ સુધી લોકડાઉન લાગુ રહેશે. પુણેમાં પણ નાઈટ કર્ફ્યૂની સરકારે જાહેરાત કરી છે.
અકોલામાં તંત્રએ શુક્રવારના રાતથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારે આકરા નિયમો લાદ્યા છે. કોરોનાના કેસોનો પ્રકોપ વધતા નાગપુરમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. હોટેલ અને બારને પણ રાતના 10 વાગ્યા પછી ખુલ્લા નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાએ ફરી સ્પીડ પકડતાં મહારાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ થશે. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સંકેત આપ્યા છે કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુર પછી પુણે, મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.
પંજાબના ૫ જિલ્લાઓમાં રાત્રિ કરર્ફ્યુ
પંજાબમાં કોરોના કેસમાં વધારો થતાં પાંચ જિલ્લાઓ, જેમાં જલંધર, એસબીએસ નગર, હોશિયારપુર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ ઇમ્પોઝ કરવામાં આવી ચૂક્યો છે. પટિયાલામાં પણ નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.
ગુરુગ્રામમાં બુધવાર સુધીમાં 18 કન્ટેનમેન્ટ ઝોન થઈ ગયા હતા. આ વિસ્તારને સીલ કરાયા છે. મૂવમેન્ટ પર રોક લગાવવાની સાથે રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તાર હોટસ્પોટ બન્યા છે ત્યાં પોલીસ દ્વારા કોર્ડન ઓફ કરાઈ રહ્યો છે. માસ્ક ન રહેરનારા પાસે ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.