CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 71 of 78 - CIA Live

October 8, 2018
smc.jpg
1min19620

સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર કે.એચ. ખતવાણીએ આજે શહેરીજનો જોગ જણાવ્યું છે કે આગામી દિવાળીના તહેવારો દરમિયાન પરંપરા મુજબ ઘર, મકાન, ધંધાકીય સ્થળોની સાફસફાઇ થતી હોય છે. આ વખતે વરસાદની કમીને ધ્યાનમાં રાખીને સુરતવાસીઓ પોતાના ઘર, મકાન, ફ્લેટ, બંગલા વગેરે સ્થળોની સાફસફાઇ કે ધોવા માટે ચોખ્ખું પીવાનું પાણી ઉપયોગમાં ન લે તે માટે ખાસ અપીલ કરવામાં આવે છે. શ્રી ખતવાણીએ શહેરીજનોને જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં સુરતમાં દૈનિક પાણીની માગ 40થી 50 મિલિયન લિટર થઇ જાય છે. આ પાણી મોટા ભાગે ઘરોની સાફસફાઇ અને ધોવા માટે થાય છે. આ પાણી શુદ્ધ પીવા લાયક છે એ મકાન ધોવામાં ઉપયોગમાં ન લેવાય તો અનેક તરસ્યા લોકો સુધી પીવાનું પાણી પહોંચાડી શકાય તેમ છે.

In English

PRAYER TO THE CITIZENS

AS WE  ALL KNOW THAT, MORE THAN 30 CR CITIZENS OF OUR COUNTRY DO NOT HAVE DRINKING WATER ACCESS IN THE COUNTRY.

ONE SIDE, ABOVE FACT IS EXISTING AND ANOTHER SIDE BEFORE DIWALI WE WASTE 40 TO 50 ML OF WATER PER DAY FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS WHICH CAN BE SAVED IN THE INTEREST OF THE COUNTRY IN GENERAL AND INTEREST OF SURAT CITY IN PARTICULAR.

THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

CITIZENS OF SURAT CITY HAS ALWAYS COOPERATED IN ALL THE MATTERS INCLUDING CELEBRATION OF “DRY HOLI” AND ALSO BY NOT IMMERSION “GANESH IDOLS” IN THE RIVER TAPTI.

SIMILARLY, THIS TIME ALSO THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

October 5, 2018
bhimrad.jpg
1min27860

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એવી જાહેરાત કરી છે કે તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઇ રહ્યા છે અને માર્ચ 2019માં કર કે દેખે નામની મીઠા સત્યાગ્રહનું આયોજન કરી રહ્યા છે. આ મીઠા સત્યાગ્રહનો ઉદ્દેશ એ છે કે સુરત નજીક (હકીકતમાં સુરત સિટીમાં સમાવિષ્ટ) આવેલા ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે, ઐતિહાસિક સ્થળોમાં તેનો સમાવેશ થાય એ છે. ભીમરાડને એટલે ઇતિહાસમાં સ્થાન અપાવવું છે કેમકે ભીમરાડથી જ હકીકતમાં ગાંધી બાપૂએ મીઠા સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે, આજે દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

(અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં તુષાર ગાંધીએ જાહેરાત કરી હતી એ વેળાની તસ્વીર)

એ પહેલાં રામદાસ કાકાની ધરપકડ થયેલી એટલે ભીમરાડમાં બાપુએ મીઠાની ચપટી ભરીને કાનૂનભંગ કર્યો હતો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતાં, ત્યારે તેમણે દાંડીમાં સ્મારક બનશે તેવી જે જાહેરાત કરી હતી તે જાન્યુઆરીમાં ખુલ્લુ મૂકાશે. અમારી ઇચ્છા એવી છે કે, આ ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે. એ વખતે બાપુ સાથે 80 લોકો જોડાયા હતા અને મેં 2005માં દાંડીયાત્રાના 75માં વર્ષ નિમિત્તે દાંડી યાત્રા કરી હતી. હવે સામાન્ય લોકો અને યુવાનો સહિત વિદેશના લોકોને ગાંધી મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને બાપુનો પરિચય કરાવવા માટે આ સોલ્ટ ચેલેન્જ શરુ કરવી છે.

  • ભીમરાડ ખરેખર ક્યાં આવેલું છે
  • ઘણાં વાચકોને સવાલ ઉપસ્થિત થાય કે ભીમરાડ હકીકતમાં ક્યાં આવેલું છે, એમને જણાવી દઇએ કે ભીમરાડ સુરત ખાતે આવેલું છે.

  • દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

‘કર કે દેખે’ ચેલેન્જ વિશે વાત કરતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગાંધી બાપુએ આ કૂચની વાત કરી તો સૌથી પહેલા તેનો વિરોધ સરદારે કરેલો, પરંતુ બાપુ તેમની વાત ન માન્યા અને સરદાર કામે લાગ્યા, સરદારે જ સમગ્ર દાંડીયાત્રાનો માર્ગ નિશ્ચિત કરીને બધી વ્યવસ્થા કરી આપેલી. ત્યાર બાદ મોતીલાલ નહેરુએ બાપુને આ કૂચના વિરોધમાં 22 પાનાનો પત્ર લખેલો. જેના જવાબમાં બાપુએ માત્ર એટલું જ લખેલું ‘કર કે દેખે’. .

શું કાર્યક્રમો થશે કર કે દેખે સોલ્ટ માર્ચ અન્વયે

સમગ્ર દેશમાં 150મી ગાંધીજયંતીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન કર્યું છે. આ માર્ચમાં વોકેથોન, મેરેથોન અને સાઇક્લોથોન યોજાશે.

આ પ્રસંગે તુષાર ગાંધી સાથે ચેલેન્જમાં જોડાયેલા મુંજાલ શ્રોફે જણાવ્યું કે, જ્યારે દાંડી માર્ચ શરુ થયેલી એ જ દિવસે 12 માર્ચે મેરેથોન શરૂ થશે. તેઓ સાબરમતીથી દાંડી સુધી 400 કિમીનું અંતર 23 માર્ચ સુધીમાં કાપશે. સાયક્લોથોન 20થી 23 માર્ચ સુધીમાં પુરી થશે, વોકેથોન 19થી 23 દરમિયાન ભીમરાડથી દાંડી સુધી 70 કિમીના અંતરમાં પુરી થશે.

ભીમરાડ સ્થિત ગાંધી સ્મારક સમિતિ, સુરતનું પરિવર્તન ટ્રસ્ટ, કાંઠા વિસ્તારના ગામો વર્ષોથી ચળવળ ચલાવી રહ્યા છે

ભીમરાડને ઐતિહાસિક દરજ્જો મળે તે માટે ભીમરાડ ગામની ગાંધી સ્મારક સમિતિ દ્વારા પાછલા ઘણાં વર્ષોથી ઝુંબેશ ચલાવવામાં આવે છે. ભીમરાડના બળવંતભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનો અનેક વખત સત્તામંડળોમાં રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ કાર્યક્રમો આપી ચૂક્યા છે. સુરત શહેરમાં આવેલા પરિવર્તન ટ્રસ્ટના યુવા કાર્યકરો પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર તેમજ અન્ય આગોવાનોના નેજા હેઠળ છેલ્લા ઘણાં વર્ષોથી ભીમરાડને ઐતિહાસિક મૂલ્ય મળે, ઐતિહાસિક સ્થળનો દરજ્જો મળે તે માટે ચળવળ ચલાવી રહ્યા છે. અનેક વખત તેઓ તંત્રવાહકો જોર જુલ્મીનો ભોગ પણ બન્યા છે. તેમણે અહીં ગાંધીજીની પ્રતિમાને પણ પ્રસ્થાપિત કરી છે. હજુ સુધી તંત્રવાહકોએ આ પ્રતિમા માટે થયેલા બાંધકામને મંજૂરી આપી નથી. એવી જ રીતે કાંઠા વિસ્તારના ગામવાસીઓ ઉપરાંત ભીમરાડના રહેવાસીઓએ પણ મીઠા સત્યાગ્રહના પ્રણેતા સ્થળ ગણાતા ભીમરાડને તેની અસ્મિતા પરત મળે તે માટે અનેક વખત પ્રયાસો કર્યા છે.

(પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ભીમરાડથી દાંડી કૂચ દરમિયાન અપાયેલા કાર્યક્રમનીની ફાઇલ તસ્વીર)

October 3, 2018
sujoki-1280x720.jpg
1min11430

માનવ શરીરને સ્વસ્થ રાખવાની 200 કરતા પણ વધુ ઉપચાર પદ્ધતિ પૈકીની એક ખુબ પ્રચલિત સારવાર પદ્ધતિ સુજોક થેરાપી ની એક દિવસીય કાર્યશાળા સુરતના લાકોઝ ક્લબ ખાતે તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ.

આ કાર્યશાળામાં સુજોક થેરાપીના પ્રણેતા પ્રો. પાર્ક જે, વુ ના સુપુત્ર અને આંતર રાષ્ટ્રીય સુજોક એસોસીએશનના પ્રમુખ ડો. પાર્ક મીન્ચુલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

What is SUJOK?

Sujok is actually a combination of two Korean words; namely “Su” meaning hands and “Jok” meaning feet. So, Sujok means treating on hands and feet. Sujok acupuncture is a natural therapy of healing without drugs or medications.

ડો. પાર્ક મિન્ચુલે વિશ્વભરમાં ચાલી રહેલી સુજોક ગતિવિધિઓ, વૈશ્વિકસ્તરે ભારતનું મહત્વ તથા ભારત દેશમાં સુજોક થેરાપીને કાયદાકીય માન્યતા મળે તે માટે કરાઇ રહેલા વિવિધ પ્રયાસો વિશે સ્થાનિક સુજોક પ્રિય લોકોને વાકેફ કર્યા હતા.

વધુમાં તેમણે ગુજરાતભરમાંથી સ્વસ્થ સમાજના ઘડતર માટે તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.

સુરત ખાતેની સુજોકની એક દિવસીય કાર્યશાળાના અંતમાં ડો. પાર્ક મિન્ચુલે સમાજના શ્રેષ્ઠીઓ સાથે  પણ સુજોક ઉપચાર પદ્ધતિની ઉપયોગીતા તથા સમાજમં સુજોક થેરાપીના માધ્યમથી સમાજના છેવાડાના માનવીને પણ યોગ્ય ઉપચાર મળી રહે તે માટે અપીલ કરી હતી.

આ એક દિવસીય કાર્યશાળામાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, વલસાડ, ભાવનગર વગેરેથી મોટી સંખ્યામાં સુજોક થેરાપીસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળામાં યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પાટીલ, સંગઠન મંત્રી  ધવલ પાઠક, આઇ.એસ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ રાજુલ પંડ્યા, ઉપપ્રમુખ સીમા દામાણી, સંગઠન મંત્રી પિયુષ રાજ્યગુરુ, ટ્રેઝરર રોમા પંડ્યા, સંયોજક પવન જુનજુનવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા લાકોઝ ક્લબના ડાયરેક્ટર બી.કે. ચૌધરી, નીતીન નરવાણી, ડો.કુલ્સુમ વાહેદકલામ, પીયુષભાઇ પટેલ, ઇશાની, પીનલ ભંડારી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Please let us inform for your News, Media coverage, Events reporting etc, on 98253 44944

October 1, 2018
cable_stayed-1280x720.jpg
1min43280

રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજને મંગળવાર તા.2 ઓક્ટોબર 2018ને ગાંધી જયંતિના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુલ્લો મૂકશે એ પછી પહેલા જ દિવસે ત્રણ લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી અવર-જવર કરશે એવી ગણતરી સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રએ માંડી છે. પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પર સુરતીઓ ઉમટી પડશે. સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાથી લઇને ટહેલવા આવનારા સુરતીઓ બ્રિજ પર વાહન પાર્ક કરીને ટ્રાફીક જામની સ્થિતિ પણ સર્જે તેવી ગણતરીને પગલે ટ્રાફિક પોલીસે પણ લો એન્ડ ઓર્ડર જાળવવા માટે કવાયત કરી દીધી છે.

લાખો લોકોની કાયમી અવરજવરનો રસ્તો બદલાય જશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ સુરતના અડાજણ (નદીપાર) માં રહેતા લોકો તેમજ અડાજણ (નદી પાર) માં નહીં રહેતા હોય પણ ત્યાં કામ-ધંધો-નોકરી ધરાવતા લાખો લોકોનો કાયમી માર્ગ બદલાય જશે. હાલમાં સરદાર બ્રિજ એકમાત્ર વિકલ્પ હતો, હવે કેબલ સ્ટેઇડ તેમજ થોડા મહિનામાં ઉમરા પાલનો બ્રિજ ખુલ્લો મૂકાશે ત્યારે વધુ લોકોના કાયમી અવરજવરના રસ્તા બદલાય જશે.

લોકો સેલ્ફી લેવા, ફોટા પડાવવા ઉમટી પડશે

કેબલ સ્ટેઇડ બ્રિજ એવું નજરાણું સુરતીઓ માટે છે કે તેની કાગડોળે રાહ જોઇ રહેલા સુરતીઓ જેવો બ્રિજ ખુલ્લો મૂકાશે કે તરત જ તેના પરથી પસાર થવા, સેલ્ફી લેવા કે ફોટોગ્રાફ લેવા માટે પડાપડી કરશે. સાંજથી લઇને મોડી રાત્રે પરિવાર, મિત્રો સાથે ટહેલવા જનારા લોકો પણ થોડા દિવસો રોજેરોજ કેબલ સ્ટેઇડ બ્રિજની મુલાકાત લેશે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસે આ બ્રિજને સેલ્ફી પોઇન્ટ કે ફોટોગ્રાફી સેન્ટર બનતો અટકાવવા માટે દિવાળી સુધી તો પરસેવો પાડવો પડશે.

શું છે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજની લાક્ષણિકતાઓ, સુરતના માહિતી ખાતાની ટીમે તૈયાર કરેલો રિપોર્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર ૪૦ ટકા લોડ અને સ્ટ્રકચર પર ૬૦ ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.

ચાર લેન ધરાવતાં આ બ્રિજની લોડ ટેસ્ટીંગ સહિતની ફાઈનલ ટચિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તાપી નદી પર અડાજણ સ્ટાર બજારથી અઠવાલાઈન્સને જોડતાં કેબલ બ્રિજના લોકાર્પણની સુરતવાસીઓ ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારના ૫ લાખથી વધારે લોકોને અઠવા, ડુમસ, વેસુ તથા પીપલોદ જવા એક મહત્વનો લિંક રોડ મળ્યો છે. અઠવા અને અડાજણ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને આ બ્રિજ મહદ્ અંશે દૂર કરશે અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.

શહેરના ૧૦૦થી વધુ બ્રિજોમાં બે પિલર વચ્ચે સામાન્ય રીતે ૫૦ મીટરથી વધુ જગ્યા રાખવામાં આવી નથી, ત્યારે આ અનોખા કેબલ સ્ટેઈડ બ્રિજમાં ૧૫૦ મીટરનો સ્પાન મુખ્ય બે પિલર પર સપોર્ટ વગર જ ઉભો છે, જે આ કેબલ બ્રિજની ખાસિયત છે.

બ્રિજ પર બંને તરફ વાહનો અવર જવર કરી શકશે:
દેશનું ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી પછી બ્રિજ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરતમાં આજ સુધીમાં ૧૦૦ થી પણ વધુ બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. સુરતનો કેબલ બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે સુરત રાજ્યના પહેલા કેબલ બ્રિજના નિર્માણનો જશ ખાટી જશે.
આ બ્રિજની લંબાઈ ૧૩૪૪ મીટર, પહોળાઈ ૨૧ મીટર, સ્પાનની લંબાઈનો રેશિયો ૧:૫ અને ટાવરની ઊંચાઈનો રેશિયો ૧:૧૦ નો રહેશે, ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર તેમજ બંને તરફ વાહન વ્યવહાર માટે ૪ લેન ધરાવે છે.

 લોડ ટેસ્ટીંગમાં આ બ્રિજ પાસ થયો છે:
કેબલ સ્ટેઈડ બ્રિજને જાહેરજનતા માટે ખૂલ્લો મૂકતા પહેલા એલ એન્ડ ટીની ગાઇડલાઇન પ્રમાણે બ્રિજ પર ૨૩ ટન રેતી ભરેલી એક ટ્રક એવી કુલ રેતી ભરેલી ૧૨ ટ્રકોનું ૨૭૭ ટન વજન મૂકી બે દિવસ સુધી લોડ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. ચાર દિવસ સુધી બ્રિજમાં થતાં ફેરફારોનું સતત રીડિંગ લેવામાં આવ્યું હતું.

  • અન્ય બ્રિજ કરતાં આ રીતે જુદો છે કેબલ બ્રિજ:
     કુલ 88 ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ 
     દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
     બે મુખ્ય પિલર પર ૧૫૦ મીટર લાંબો સ્પાન 
     બ્રિજની કુલ લંબાઇ ૯૧૮.૨૧ મીટર 
     ૮૫૦૦ ઘન મીટરથી વધુ કોન્ક્રીટનો ઉપયોગ
     ૬૫ હજારથી વધુ સિમેન્ટ બેગ વપરાઇ 
     ૨ હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
     બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
     પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટનો ઉપયોગ 
     અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકારની લાઈટિંગ
     બ્રિજ ઉભો છે તે બંને તરફ ૧૧૫ ફૂટ હાઈટના બે ‘પાઈલોન’ 
     એક પાઈલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઈલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડે કનેક્ટેડ ફ્લાય ઓવર બ્રિજ)

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડેથી લેવાયેલી તસ્વીર)

(કેબલ સ્ટેઇડ બ્રિજ)

આપના કોઇપણ સમાચાર, ઇવેન્ટ કવરેજ માટે સંપર્ક કરો 98253 44944

September 29, 2018
adajanfly.jpg
1min171380

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાપર્ણ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ આપશે
  • એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી
  • પાલ-અડાજણમાં નવા ધંધા-રોજગાર આવશે, શોપિંગ સાઇટ્સ વધશે
  • 8-10 મહિનાના સમયમાં મિલક્તોના ભાવ 20 ટકા સુધી વધી જશે
  • શહેરભરમાંથી લોકો અડાજણ-પાલ આવશે, ડુમસ રોડનું ભારણ ઘટશે

હાલના અડાજણનો એરીયલ વ્યૂ, સરદાર બ્રિજથી શરૂ કરીને આખું અડાજણ ચિત્રમાં કંડારી લેવાયું છે

મંગળવાર તા.2જી ઓક્ટોબર 2018 ને ગાંધી જયંતિના દિવસે, શ્રાધ્ધ પક્ષમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરતના અડાજણ અને અઠવાલાઇન્સને જોડતા તાપી નદી પરના કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ થવાના સમાચાર બધાએ સાંભળ્યા હશે પણ સીઆઇએ લાઇવ વેબ પોર્ટલ આપને એવા સમાચાર આપી રહી છે જે આપ પહેલી વખત જાણી રહ્યા છે.

2 જી ઓક્ટોબર 2018ને મંગળવાર ગાંધીજયંતિથી કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ખુલ્લો મૂકાશે

અડાજણ અઠવાલાઇન્સને જોડતો તાપી નદી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાતાની સાથે જ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ મળશે. પાલ અને અડાજણમાં ડેવલપમેન્ટ પૂરજોશમાં શરૂ થઇ જશે. પાલ અડાજણમાં બિઝનેસ ફર્મ્સ મોટા પાયે શરૂ થશે. સુરતના અનેક લોકો, નિષ્ણાંતો સાથે થયેલી વાતચીતના નિષ્કર્ષમાં એ વાત સામે આવી કે કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટનને પગલે તાત્કાલિક જમીન-મકાનના ભાવ કે ભાડા વધશે નહીં પણ 8થી 10 મહિનાના સમયગાળામાં જમીન મકાનના ભાવમાં 20થી 25 ટકા જેટલો ઉછાળો જોવા મળશે.

હાલમાં હોટેલ રેસ્તરાં છે, હવે પછી બીજા ધંધા રોજગાર આવશે પાલ-અડાજણમાં

એક્સપર્ટસ કહે છે કે કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થયા બાદ અડાજણ-પાલ તરફના લોકોને ફાયદો થશે એ વાત સ્વાભાવિક છે પણ અડાજણ-પાલમાં આવેલા ધંધા રોજગારને મોટી ઘરાકી મળશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા નવા વિકસી રહેલા વિસ્તારના ધંધા રોજગારને મોટી ઘરાકી મળવાની સંભાવના છે. હાલમાં એલ.પી.સવાણી સ્કૂલ રોડ ફૂડ ઝોન તરીકે વિકસી રહ્યો છે, અહીં હાલમાં મોટા ભાગની બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ હોટેલ, રેસ્તરાં સ્થપાઇ ચૂકી છે પણ  નવો બ્રિજ શરૂ થયા પછીના 3-4 મહિના દરમ્યાનમાં અડાજણ અને પાલમાં અનેક બિઝનેસ ફર્મ્સ, દુકાનો, ફ્રેન્ચાઇઝી, એજન્સીઝ વગેરે નવા બિઝનેશ શરૂ કરશે. નિષ્ણાંતો કહે છે ખાસ કરીને હોમ એપ્લાઇયન્સીઝ, મોબાઇલ શોપ્સ, કમ્પ્યૂટર શોપ્સ, રિટેઇલ માર્કેટ, ગારમેન્ટસ જેવા રિટેલ બિઝનેસની નવી નવી ફર્મ્સ પાલ અને અડાજણ વિસ્તારમાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ બાદ શરૂ થશે.

અડાજણ-પાલમાં પ્રોપર્ટી રેટ્સ વધશે

શહેરના જાણીતા બિલ્ડર્સ અને પાલ અડાજણમાં પ્રોજેક્ટ કરી રહેલા બિલ્ડર્સનું માનવું છે કે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેક્ટ મૂકાયો ત્યારે ઓલરેડી અડાજણ પાલમાં જમીન મકાનના ભાવો અને ભાડાં વધી ચૂક્યા હતા, એટલે પ્રારંભિક પ્રોજેક્ટ ઇફેક્ટ હાલના રેટમાં સામેલ થઇ ચૂકી છે. સંજોગોવસાત્ કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણમાં વિલંબ થયો એટલે માર્કેટ સ્લેક થયું. હવે તાત્કાલિક બ્રિજ ખુલે એટલે પ્રોપર્ટીના ભાવો વધી જશે કે ભાડાં વધી જાય તેવું નથી પણ હાલ 8થી 10 મહિના કે વર્ષના સમયગાળામાં પાલ અડાજણની પ્રોપર્ટીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવાશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા વિસ્તારમાં પ્રોપર્ટી આખા સુરતમાં સૌથી ઉંચા દરે લે-વેચ થશે. ખાસ કરીને પાલ, ભાઠા, પાલનપોર, જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ આવશે.

શહેરભરમાંથી લોકો ડુમસ રોડની જગ્યાએ પાલ-અડાજણમાં આવશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ શનિ-રવિ કે રજાના દિવસોમાં સુરત ડુમસ રોડ તરફ જતા લોકો અડાજણ તરફ વળશે. ડુમસ રોડ કરતા અડાજણ પાલમાં ખાણીપીણીથી લઇને મલ્ટી પ્લેક્સ, શોપિંગ સાઇટ્સ, મોલ્સ વગેરે વિકસી રહ્યા હોઇ શહેરભરમાંથી લોકો કેબલ સ્ટેઇડ બ્રિજ મારફતે અડાજણ પાલમાં ટાઇમ સ્પેન્ડ કરવા માટે આવશે. રજાના દિવસોમાં ડુમસ ગૌરવપથ પર ટ્રાફિકનું ભારણ ઘટશે જ્યારે એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી. પાલ અડાજણમાં ટ્રાફિક સિગ્નલ્સ મૂકવા પડશે.

ડુમસરોડ-વીઆઇપી રોડ અને અડાજણ વચ્ચેની વસતિનો ફરક વિકાસને વેગ આપશે

હાલમાં વેસુના વીઆઇપી રોડ તેમજ ડુમસ રોડ પર શોપિંગ મોલ્સ, ખાણીપાણી તેમજ પ્રોજેક્ટ આવ્યા છે. સુરતી માટે અત્યાર સુધી આ વિસ્તાર પોશ હતો અને લોકો હેંગ આઉટ માટે ત્યાં જઇ રહ્યા છે. પણ હવે હેંગ આઉટ સેન્ટર બદલાઇને પાલ અડાજણ બનશે. પાલ અડાજણમાં ધંધા રોજગાર વિકસવાનું કારણ ઘરાકી છે અને ઘરાકી ત્યાં વધારે થાય જ્યાં લોકો વસવાટ કરતા હોય. વેસુ વીઆઇપી રોડ કે ડુમસ રોડ કરતા સ્વાભાવિક છે કે અડાજણ અને પાલ વસતિની દ્રષ્ટીએ ગીચ છે અને હજુ વધુ ગીચ થશે. આ વિસ્તારમાં ધંધા રોજગાર સ્થાપનારને વેસુ કે ડુમસ રોડ કરતા વધુ ગ્રાહકો મળશે એમાં બે મત નથી. વેસુ, ડુમસ રોડ પર ઇન્વેસ્ટમેન્ટ માથે પડી રહ્યા છે જ્યારે પાલ અડાજણમાં એવું એટલા માટે નહીં બને કે વસતિ ગીચ હોવાને કારણે કોઇપણ ધંધા રોજગાર વેપાર હોય તેને ઘરાકીની સમસ્યા નહીં નડે. આ વિસ્તાર કરન્ટ બની જશે.

રિંગ રોડ કે ઉધના મગદલ્લા જનારાઓ માટે સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે

કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થવાથી સુરતના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોને સવલત જરૂર મળશે. ખાસ કરીને અઠવાલાઇન્સ શાળા કોલેજો કે ધંધા રોજગાર પર જતા લોકોને ફાયદો થશે એમાં બે મત નથી. પણ સુરતની લાઇફ લાઇનસમા રિંગ રોડ, ઉધના, ઉધના મગદલ્લા રોડ વગેરે જતા લોકો માટે તો સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે. કેમકે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી અઠવાલાઇન્સ ઉતાર્યા બાદ ઉમરા પોલીસ મથકની ગલીમાંથી ઘોડદોડ રોડ થઇને કેનાલ કોરીડોર બીઆરટીએસ સુધી પહોંચતા ભારે ટ્રાફિક હશે એનાથી બેટર વિકલ્પ સરદાર બ્રિજથી રિંગ રોડ કે ઉધના વિસ્તારમાં જવું સહેલું રહેશે.

 

You Can Find us on Google Play store too

September 29, 2018
surat.jpeg
1min7670

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી સોમવાર તા.1લી ઓક્ટોબર 2018નો સપ્તાહના પહેલા કામકાજી દિવસે સુરત મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલી મેઇન ઓફીસ પર ખેડૂતો અને વિવર્સ બન્ને મોરચો માંડશે. ઓલપાડના ભાંડૂત નજીક કચરા નિકાલ અંગેની પ્રપોઝ્ડ સાઇટ ડેવલપ કરવાના ઇરાદાની વિરુદ્ધમાં ઓલપાડના ખેડૂતો સોમવારે સવારે 10 વાગ્યાથી જહાંગીરપુરાથી નીકળીને મુગલીસરા ખાતે મહારેલી દોરી લાવશે. બરાબર એ જ સમયે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેથી વિવર્સ પણ બાઇક રેલી લઇને મુગલીસરા ખાતેની પાલિકા કચેરીએ આવવા માટે નીકળશે.

સોમવારે સુરતીઓએ ટ્રાફિકજામથી બચવું પડશે

સોમવારે તા.1લી ઓક્ટોબરને બપોરે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં આ બન્ને રેલીઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય તેવી પૂરીપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને અડાજણ, તાપી પરના બ્રિજ, ચોકબજાર, મુગલીસરા, નાનપુરા, અઠવાલાઇન્સ, મજૂરાગેટ, રિંગરોડ જેવા વિસ્તારોમાં સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ રહે તેવી શક્યતા છે.

રેલીના આયોજન માટે શનિવારે 4 વાગ્યે મિટીંગો

આજે શનિવાર તા.29મી ઓક્ટોબર 2018ના રોજ આ બન્ને મહારેલીઓના આયોજન માટે સાંજે 4 કલાકે જુદા જુદા સ્થળોએ મિટીંગો બોલાવવામાં આવી હતી. વિવર્સની રેલી અંગે વિવર્સ અાગેવાન અશોક જીરાવાલાએ જણાવ્યું કે ફોગવા દ્વારા રેલીના આયોજન માટે શનિવારે સાંજે 4 વાગ્યે રિંગરોડ પર જશ માર્કેટના બોર્ડ રૂમમાં  મિટીંગ યોજવામાં આવી છે જેમાં દરેક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહેવું.

એવી જ રીતે આજે શનિવારે સાંજે 4 કલાકે જહાંગીપુરા પાટીદાર જીન ખાતે સોમવારની ખેડૂત મહારેલીના આયોજન માટે મિટીંગ યોજાઇ રહી છે.

લોકરોષની ઝલક પાલિકાના વહીવટકર્તાઓ જોશે ઃ દર્શન નાયક

ખેડૂત આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઇ નાયકે જણાવ્યું કે ભાંડૂત ખાતે કચરા નિકાલની સાઇટ શરૂ કરવા અંગે પાલિકાએ સ્થળ તપાસ, ભૌગોલિક સ્થિતિ, સ્થાનિક રહેવાસીઓની લાગણી, ફિઝીબિલીટી વગેરે કશું જોયા વગર જ પ્રપોઝ્ડ સાઇટ તરીકે જાહેરાત કરી દીધી છે. ભાંડૂત અને આસપાસના ગામવાસીઓમાં આ પ્રોજેક્ટ સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકાના વહીવટકર્તાઓને લોક લાગણીનું ભાન થાય એ માટે જ સોમવાર તા.1 ઓક્ટોબરના રોજ જહાંગીરપુરાથી મુગલીસરા ખાતે મહારેલી યોજવામાં આવી છે.

બ્લેક ટીશર્ટ અને કાળી પટ્ટી, માથે હેલ્મેટ સાથે હજારો બાઇક સવારો કૂચ કરશે ઃ અશોક જીરાવાળા

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ સીઆઇએ લાઇવને જણાવ્યું કે સોમવારની વાહન રેલી માટે ડ્રેસ કોડ નક્કી કરાયો છે. દરેકે દરેકે બ્લેક ટી શર્ટ અથવા શર્ટ ફરજિયાત, હાથે કાળી પટ્ટી ધારણ કરવી પડશે અને બાઇક ચલાવનારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ રેલીમાં જોડાવું પડશે. આ રેલી દક્ષેશ્વરથી નીકળીને મુગલીસરા ખાતે કૂચ કરી લઇ જવાશે.

We are on Google Play store too

September 28, 2018
hrk_27-1280x720.jpg
1min10520

Jayesh Brahmbhatt 98253 44944

તા.27મીએ ઇચ્છાપોર ખાતે આવેલા જાણીતા હીરા ઉદ્યોગપતિ હરી ક્રિષ્ણા એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાએ તેમના ત્રણ મેનેજરોને મર્સિડીઝ કાર મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભેંટ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને હીરા ઉદ્યોગમાં એટલે આશ્ચર્ય થયું છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ભેંટમાં આપવાના કાર્યક્રમ પૂર્વે ગયા શનિવારે, તા.22મી સપ્ટેમ્બર 2018ની સાંજે આ કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો. હરી કૃષ્ણ પરિવારના સેંકડો કર્મચારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા એ દબદબાભર્યા કાર્યક્રમમાં ત્રણે મેનેજરોને મંચ પર બોલાવીને તેમના પરિવારજનોની હાજરીમાં મર્સિડીઝની ચાવી ભેંટમાં આપવામાં આવી ચૂકી હતી અને પરિવારજનોએ સમારોહ સ્થળે જ મર્સિડીઝ રાઇડ માણી લીધી હતી. એ પછી ફરીથી તા.28મી સપ્ટેમ્બર 2018ના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ત્રણેય મેનેજરોને ભેંટમાં આપવાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો ? એ તર્ક વિતર્ક છે.

સવાલો તો એ પણ ઉઠી રહ્યા છે કે શું મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને એ બાબતની જાણકારી આપવામાં આવી હતી કે હરી કૃષ્ણ એક્સપોર્ટસના મેનેજરોને છ દિવસ અગાઉ મર્સિડીઝની ચાવી અપાઈ ચૂકી હતી ? અને ભેંટ પામનાર અધિકારીઓ પરિવાર સમેત તેને સ્વીકારી ચૂક્યા છે.

સવજીભાઇ ધોળકીયા તો પાક્કા વેપારી માણસ છે, તેઓ મર્સિડીઝ જેવી મોંઘીદાટ કાર ભેંટ આપતા હોય તો એ ભેંટ આપવાનો કાર્યક્રમ એકાદ બે વખત શું 15-20 વખત પણ કરી શકે તેમાં કોઇને શું વાંધો હોય. પણ જ્યારે રાજ્યપાલ જેવી વિશિષ્ટ વ્યક્તિને હસ્તે આવો કાર્યક્રમ કરવાનો હોય ત્યારે તેની ગરિમા જાળવવી પડે છે.

CIA liveએ આજે સવારે હરી કૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાને વ્હોટ્સએપ પર બે સવાલ કર્યા હતા. તેમણે સવાલો વાંચ્યા પછી જવાબ આપવાનું ટાળ્યું હતું. હરી કૃષ્ણ એક્સપોર્ટના અન્ય આધારભૂત સૂત્રએ સીઆઈએ સાથે વાત કરતા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 22મી તારીખે મર્સીડીઝ અપાઇ હતી એ વાત સાચી, પણ આનંદીબહેન આવવાના હતા એ વાત પછી ખબર પડી એટલે ફરીથી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો.

હરીકૃષ્ણ એક્સપોર્ટના અન્ય એક વ્યક્તિએ બચાવમાં જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ મૃતક કર્મચારીને રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવાનો હતો. તો સવાલ એ ઉપસ્થિત થાય કે મધ્યપ્રદેશના રાજ્યપાલના હસ્તે ગાડીની ચાવી ફરી વખત કેમ અપાઇ ?

સવજીભાઇ ધોળકીયા એટલા મશહૂર ઉદ્યોગપતિ છે કે મિડીયા માઇલેજ માટે થઇને આવું તો ન જ કરે કે એકનો એક કાર્યક્રમ ફરી વખત યોજે આવી સ્થિતિમાં મુખ્ય સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે એક વખત જે ભેંટ અપાઇ ચૂકી હતી એ જ ફરીથી મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ જેવા બંધારણિય વડાના હસ્તે આપવા પાછળનું પ્રયોજન શું ?

તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટમાં આપી એ પ્રસંગનું કાઉન્ટ ડાઉન

 

તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટમાં આપી એ પ્રસંગનો વિડીયો

તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટ મળ્યા બાદ પરિવાર સમેત કાર્યક્રમ સ્થળે તેમણે કાર રાઇડ માણી હતી એ વેળાનો વિડીયો

 

હવે જુઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.27મી સપ્ટેમ્બર 2018ના રોજ ફરી વખત એની એ જ મર્સિડીઝ કાર અને એ જ કર્મચારી પરિવારને અર્પણ કરવામાં આવી તે વેળાનો વિડીયો

 

હરી કૃષ્ણ એક્સપોર્ટ તરફથી આ અંગે જે પણ કંઇ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા સત્તાવાર રીતે અમને જ્યારે પણ સાંપડશે ત્યારે અમે અહીં તેને અક્ષરશઃ પ્રકાશિત કરીશું.

 

 

 

You can find us on Google Play store too

September 27, 2018
kanji2-1280x960.jpg
1min7550

સહકારી બેંકિંગ ક્ષેત્રે અગ્રણી હરોળમાં જેનું નામ લેવાય છે એ વરાછા કો.ઓ.બેંક સુરતએ નક્કર અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. દક્ષિણ ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેડરેશન (સ્કોબા) તરફથી કેરળના કોવાલમ ખાતે તાજેતરમાં સ્કોબા એવોર્ડ 2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત થયા હતા. જેમાં વરાછા કો.ઓ. બેંકને તેની કામગીરી અને વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ એવોર્ડ એનાયત કરાયા હતા.

વર્ષ 2017-18 બેંકિંગ ક્ષેત્ર માટે મુશ્કેલીભર્યું રહ્યું હતું. એવા સમયમાં વરાછા કો.ઓ. બેંકએ ધિરાણમાં 33 ટકા અને થાપણમાં 10 ટકાનો ગ્રોથ કર્યો છે. આ કામગીરી માટે સ્કોબાએ વરાછા બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્સન એવોર્ડ એનાયત કર્યો હતો. વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ માટે પણ વરાછા બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને  એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની તમામ સહકારી બેંકોમાં વિવિધ માપદંડને આધારે 23 બ્રાન્ચ અને રૂ.2100 કરોડનો બિઝનેસ ધરાવતી વરાછા બેંકને 2017-18 માટે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખાસ એવોર્ડ આપીને તેના વર્તમાન ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાને બહુમાનિત કરાયા હતા. વરાછા કો.ઓ. બેંક વતી શ્રી કાનજીભાઇ ભાલાળાએ ત્રણેય એવોર્ડ સ્વીકાર્યા હતા. બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા તથા બેંકના મહિલા ડિરેક્ટર શ્રીમતી વિમળાબેન વાઘાણીની આખી ટીમ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને બહુમાન સ્વીકાર્યું હતું.

September 25, 2018
DARSHAN_naik.jpg
1min10090

સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે જિલ્લા પંચાયત અધિકારીથી લઇને રાજ્ય સરકારને સુરત જિલ્લામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો કે જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તે અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા આક્રમક રજૂઆતો કરી

સુરત જિલ્લાના રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના સિનિયર મેમ્બર દર્શન નાયકએ આજે જિલ્લા પંચાયત અધિકારીને લેખિત રજૂઆતોમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના વિસ્તારોમાં પાણીજન્ય અને જંતુ જન્ય રોગચાળાના કેસો વકરી રહ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, માંગરોળ તાલુકાઓમાં ઔદ્યોગિકીકરણને કારણે અહીં ગીચ વસતિ આકાર પામી છે. બીજા જિલ્લામાંથી આવેલા ગરીબ પરિવારો કાચા પાકા આવાસોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રહેતા લોકોને લૂંટવા માટે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે બોગસ તબીબો બેરોકટોક પણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં કીમ, સાયણ, દેલાડ વગેરે જેવા ઘણાં ગામોમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. પલસાણ તાલુકામાં ચલથાણ, વરેલી, જોળવા, તાતીથૈયા જેવા વિસ્તારોમાં, માંગરોળ તાલુકામાં મોટા બોરસરા, પીપોદરા, સીયાલજ, કીમ ચોકડી, બંભોરા, માંડવી તાલુકામાં કરંજ, હરીયાલ, વગેરે વિસ્તારમાં જિલ્લા પંચાયતની ટીમોએ રેડ પાડીને બોગસ પ્રેક્ટિસ કરી રહેલા તબીબો સામે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવી જોઇએ.

શ્રી દર્શન નાયકે કહ્યું કે અગાઉ તંત્રવાહકોને 30 બોગસ તબીબોના નામ સરનામા, પ્રેક્ટિસના સ્થળો સમેતની વિગતો સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી આમ છતાં એકેય તબીબ સામે કેમ કાયદેસરની કાર્યવાહી થઇ નહીં, તેમણે તંત્રવાહકોની બોગસ તબીબો સાથે મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સુરત જિલ્લામાં બેરોકટોક પણે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તેઓ સારવારની યોગ્ય પદ્ધતિ નહીં જાણતા હોવા છતાં એલોપેથી દવાઓ, ઇન્જેકશન આપીને લોકોના જીવનને ભયમાં મૂકી રહ્યા છે.

September 21, 2018
4-1280x720.jpg
1min42730

જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સે તા.21મી સપ્ટેમ્બર 2018ને શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરતા સુરતની ખટોદરા પોલીસે વિવર્સ અગ્રણી શ્રી અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, વિજય માંગુકીયા, નિરવ સભાયા સમેત ચારની અટકાયત કરી હતી. કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ટેકસ્ટાઇલ એક્ઝિબિશનના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારભારીઓ આ ઘટના પછી મોટા સંકટમાં ફસાય જવા પામ્યા છે. વિવર્સ અગ્રણીઓ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યા હતા.

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

35 દેશના 200 જેટલા ખરીદારો સરસાણા ડોમમાં ઉપસ્થિત હોય અને કેન્દ્રના નાણામંત્રી સમેતના અગ્રણીઓની હાજરીમાં સુરતના વિવર્સે કાળા વાવટા તેમજ વિરોધ પ્રદર્શિત કરતા સુરત માટે નીચા જોણું થયું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આ ઘટના નાલેષીજનક બની છે. કેન્દ્રીય નાણામંત્રી સ્મૃતિ ઇરાની પણ આ બાબતથી નારાજ થયા હતા અને તેમણે ચેમ્બર આગેવાનોને પણ આ મુદ્દે કહ્યું હતું કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ કેમ પરિસ્થિતિ કાબૂમાં રાખી શક્તી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્મૃતિ ઇરાનીએ આજના પ્રદર્શનના મુદ્દે સુરતના ચેમ્બર અગ્રણીઓને પણ દિલ્હી તેડાવ્યા છે.

સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવર્સે જબરદસ્ત હંગામો કર્યો હતો અને હાય રે સ્મૃતિ ઇરાની હાય હાય અને ભાજપ મુર્દાબાદ તથા હમ અપના હક માંગતે હૈ નહીં કીસી સે ભીખ માંગતે જેવા નારા લગાવ્યા  હતા.

ચેમ્બર ઓફ કોમર્સે સમારંભ પછી તરત જ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ હાથ ધરવું પડ્યું

સ્મૃતિ ઇરાનીની હાજરીમાં તેમજ વિદેશી બાયર્સની ઉપસ્થિતિ વચ્ચે સુરતમાં વિવર્સ એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ કાળાવાવટા બતાવવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ ચેમ્બરના આગેવાનોનો ઉધડો લીધો હતો. જેવા સ્મૃતિ ઇરાની વિદાય પામ્યા હતા કે તરત જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અાગેવાનોએ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આ મુદ્દે મિડીયા ટ્રાયલ ન થાય અને કેન્દ્ર સરકારને નીચાજોણું ન થાય તે હેતુથી પત્રકારોને પણ ફોન કરીને આ મુદ્દે વધુ તુલ ન અપાય તેવી રજૂઆતો ચેમ્બર આગેવાનોએ કરવી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વહેતા મૂકવા પડ્યા હતા કે રાજકીય લાભ ખાટવા માટે વિવર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

 

You Can Find us on Google Play Store