CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 71 of 79 - CIA Live

November 1, 2018
swiggy.png
1min8010

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.

October 29, 2018
ONGC.png
1min6830

પબ્લિક સેક્ટર યુનિટ ગણાતા હજીરા સ્થિત ONGC યુનિટના સંચાલકોએ દુર્લભ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ હોવાનો રહસ્યસ્ફોટ જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા પત્રમાં સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ONGC જેવા કેન્દ્ર સરકારના યુનિટમાં પર્યાવરણને ભારે નુકસાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ONGC કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડું હોવાની બાબતને પણ તેમણે ઉજાગર કરી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા આવેદનપત્રમાં સુરત જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે ONGCએ કોઇપણ પ્રકારની મંજૂરી વગર દાયકાઓ જૂના ગુલમહોર, લીમડા, પલટી જેવા મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. કોઇ સામાન્ય વ્યક્તિ પોતાની પ્રીમાઇસીસમાં એક નાનું વૃક્ષ કાપે તો વન વિભાગ તેને પેનલ્ટી ઠોકી બેસાડે છે જ્યારે ખુદ કેન્દ્ર સરકારના યુનિટ ગણાતા ONGC હજીરાના સંચાલકોએ આખેઆખું વિશાળ વૃક્ષોના જંગલનું જ નિકંદન કાઢી નાંખ્યું છે આવી સ્થિતિમાં તપાસ કરીને ONGC સામે પગલાં ભરવા જોઇએ.

વડાપ્રધાન જ્યારે વૃક્ષારોપણના હિમાયતી હોય ત્યારે ONGC હજીરાની આ હરકત અક્ષમ્ય છે. એ સિવાય ONGC હજીરા કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ બાબત પણ કેન્દ્ર સરકારની નીતિ રીતીઓના વિરોધાભાસ સમાન છે. દર્શન નાયકે  ફોટા સમેત સઘળી વિગતોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. ONGC હજીરા યુનિટના સંચાલકો સામે આગામી સમયમાં રાજ્ય સરકાર પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાય રહી છે.

October 26, 2018
destiny.jpg
2min16290

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

કોઇપણ શહેરના વિકાસમાં તેની અસલ પેઢીઓ યોગદાન મહત્વપૂર્ણ હોય છે અને એ અસલ પેઢીઓ અનેક તડકી-છાંયડી, તેજી-મંદીના દૌર વચ્ચે પણ સતત, અવિરત, અડગ, અણનમ પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. સુરતની આવી જ એક પેઢી છે ડેસ્ટિની પરીવારની મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ, જે આજે રેડીમેડ ગારમેન્ટ્સના ચૌતરફા આક્રમણ વચ્ચે અને ઓનલાઇન શોપિંગના જમાનામાં પણ અડીખમ પ્રોગ્રેસ કરી રહી છે.

જીવન વર્ષની અડધી સદીના વર્ષ વટાવી ચૂકેલી પેઢી હોય કે આજના યંગસ્ટર્સની પેઢી હોય ક્લોધિંગ અને ટેલરિંગમાં ડેસ્ટિની પરિવારે શહેરના ગ્રાહકોમાં જે શાખ બનાવી છે એ આજે પણ વિશ્વસનીય બની છે. 1977થી એટલે કે આજથી 41 વર્ષ પહેલા સુરતના ચોકબજાર ખાતે ડેસ્ટિની મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ શરૂ થઇ હતી. આજે એ વટવૃક્ષ બનીને ઉભરી આવી છે.

મહેશભાઇ ભગવાકર, કિરીટભાઇ ભગવાકર અને રાજુભાઇ ભગવાકર, આ ત્રણેય ભાઇઓએ સિંચેલી સંસ્થા એટલે ડેસ્ટિની મેન્સ ક્લોધિંગ. ચોકબજાર ખાતેની ડેસ્ટિની શોપ બાદ ડેસ્ટિનીએ શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં મેન્સ ક્લોધિંગ અને ટેલરિંગ શોપ શરૂ કરી હતી. કહેવાય છે કે એ સમયે સમગ્ર પારલે પોઇન્ટ વિસ્તારમાં મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ ઓફર કરતી તેમની આ પહેલી બ્રાન્ચ હતી અને આજ ઇતિહાસને દોહરાવતા ડેસ્ટિની પરિવારે તાજેતરમાં નવરાત્રીમાં જ શહેરના પોશ એરીયા વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબ ખાતે એજ ડેસ્ટિની વેન્ચર નામથી નવી મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ શરૂ કરી છે.

વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબમાં એજ ડેસ્ટિની વેન્ચર

વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબમાં એજ ડેસ્ટિની વેન્ચર ખાતે શહેરીજનોને મળશે ટ્રેન્ડી ફેબ્રિક, શૂટિંગ, શર્ટિંગ, ડિઝાઇનર્સ કલેકશન, કોટન, લિનન દરેક વેરાયટીમાં વિશાળ રેન્જમાં ઉપલબ્ધ બનશે. એજ ડેસ્ટિની વેન્ચર ખાતે મેન્સ ક્લોધિંગ, ટેલરિંગ અન્ડર એ રુફ એટલે કે બધું જ એક સ્થળે ઉપલબ્ધ હશે. શૂટિંગ-શર્ટિંગમાં વાઇડ રેન્જમાંથી સિલેકશન કરવાનો મોકો મળશે. ખાસ કરીને મેરેજ ફંકશન, કોર્પોરેટ લૂક માટેના શર્ટિંગ, શૂટિંગ વગેરે તમામ વિકલ્પો માટે એક વખત એજ ડેસ્ટિની વેન્ચરની મુલાકાત લેવી રહી.

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે મળશે આલ્હાદક અને કમ્ફર્ટેબલ એમ્બિયન્સ, સિલેકશન માટે બેસ્ટ માહોલ )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ આપનો શોપિંગ મૂડ બનાવે તેવા ઇન્ટિરીયર સાથે )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે વાઇડ રેન્જ સ્ટોકને કારણે સિલેક્શનમાં અનેક વિકલ્પો મળે છે.)

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે ટ્રેન્ડ, ફેશન બધું જ અન્ડર એ રૂફ ઉપલબ્ધ )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપનું ઇન્ટિરીયર આપને શોપિંગ માટે બેસ્ટ સિચુએશન ક્રિએટ કરે એવું.)

આ અંગે વધુ માહિતી આપતા ડેસ્ટિની બ્રાન્ડના શ્રી મહેશભાઇ ભગવાકરે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ડેસ્ટિની પેઢીનું નવું સોપાન ડેસ્ટિની એજ નવું સાહસ છે એટલે તેનું સંચાલન પણ અમારા પરિવારની નવી પેઢી જ કરી રહી છે. જુગલ ભગવાકર, મિહિર ભગવાકર, વ્યોમલ (વિકી) ટેલર અને મોહિત (મોન્ટુ) ટેલર, ચારેય યંગસ્ટર્સ વીઆઇપી રોડ ખાતે એજ ડેસ્ટિનીનું સંપૂર્ણ સંચાલન કરી રહ્યા છે.

ડેસ્ટિની પરિવારના જ અને પારલે પોઇન્ટ ખાતેની શોપનું સંચાલન કરતા શ્રી રાજુભાઇ ભગવાકરે જણાવ્યું કે ડેસ્ટિની બ્રાન્ડ આજે સુરતના લોકોમાં વિશ્વસનીય નામ એટલે જ બન્યું છે કેમકે અમે કાપડથી લઇને સિલાઇ, ફિટિંગ્સ, ટ્રેન્ડ, ગ્રાહકોની જરૂરીયાત બધા જ ફેક્ટર્સને કેન્દ્રમાં રાખીને કાળજીપૂર્વક બિઝનેસ કરી રહ્યા છીએ. ડેસ્ટિની પરિવાર સાથે આજે શહેરના હજારો ગ્રાહકો જોડાયેલા છે, રેડીમેડ ગારમેન્ટસ ગમે તેટલા આકર્ષક કે સસ્તા દરે મળતા હોય, ડેસ્ટિની ક્લોધિંગ અને ટેલરિંગ જેવો સંતોષ ગ્રાહકોને બીજે મળતો નથી હોતો, આ જ અમારી બ્રાન્ડ વેલ્યુ કહો કે ઇમેજ કહો. એમ રાજુભાઇએ ઉમેર્યું હતું.

ચોકબજાર ખાતેની ડેસ્ટિની શોપ ચલાવતા કિરીટભાઇ ભગવાકરે કહ્યું કે ડેસ્ટિની ક્લોધિંગ અને ટેલરિંગની વિશેષતા જ એ છે કે રેડીમેડ ગારમેન્ટસ ગમે તેટલા આકર્ષક હોય પણ ડેસ્ટિનીમાંથી લીધેલું કપડું અને તેની સિલાઇ બાદ જ્યારે ગારમેન્ટ તૈયાર થઇને ગ્રાહક પાસે પહોંચે છે ત્યારે એ રેડીમેડ કરતા પણ વધુ આકર્ષક અને ફિટેડ એપેરલ બની જાય છે.

 

www.cialive.in is Surat based news portal. CIA live is the most surfed News Portal of Surat. CIA is getting Almost 25 thousands views & hits daily and it is growing daily…

We are promoting Surat’s Brands particularly those brands who are in business since 60’s or 70’s. If You would like to promote your brand, products, Service, institutions like this feel free to contact us on 98253 44944.

October 26, 2018
textile.jpg
1min8620

જીએસટી ક્રેડિટ લેપ્સના મુદ્દા પર થાકી જવાય એટલી રજૂઆતો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કરી ચૂકેલા ફોગવાએ હવે 2012 અને 2015ની ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે સ્થાનિક વિવર્સને મળવાપાત્ર ઇન્ટ્રેસ્ટ સબસિડી અને કેપિટલ સબસિડીના જે પડતર કેસો છે તેને તાત્કાલિક અસરથી રિલીઝ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને રજૂઆતો કરી છે.

ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાળાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે ગઇ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ ફોગવાનું પ્રતિનિધિ મંડળ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને મળ્યું હતું ત્યારે ભૂતકાળની પોલીસી અન્વયે પડતર કેસો અંગેના મુદ્દા પર પણ વાટાઘાટો થઇ હતી. નવી ટેક્સટાઇલ પોલિસીનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ફોગવાએ કેટલાક મુદ્દાઓ સમાવિષ્ટ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે.

ઇન્ડસ્ટ્રીલય પોલિસી 2015, ટેક્સટાઇલ પોલિસી 2012 અને નાના અને મધ્યમકદના ઉદ્યોગ માટેની ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમ 2009 ઓફલાઇન અન્વયે અંદાજે રૂ.650 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી રહે છે. જો આ ચૂકવણી થાય તો સેંકડો કારખાનેદારોને અટકી ગયેલો લાભ ફરીથી મળી શકે તેમ છે.

ધ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2015 અન્વયે એપ્રિલ 2017 બાદ સુરત ડિસ્ટ્રીક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરમાં લાગુ થયેલા નવા કેસોને પણ મંજૂરી આપવાની બાબત પેન્ડીંગ છે, જો આ કામ હાથ પર લેવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં સોફ્ટવેર અપડેશનની કાર્યવાહીને વેગ મળી શકે તેમ છે.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 2009માં લાગૂ કરવામાં આવેલી ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમના કેસીસમાં હજુ સુધી સેંકશન થયેલી ફાઇલ્સ માટે ફંડ એલોકેશન કરવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી આ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ મુદ્દાને પણ તાત્કાલિક રીતે ઉકેલવાના પ્રયાસો થવા જોઇએ.

તા.13મી જુલાઇ 2016ના રોજ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતો કે જેમાં સબસિડી આપવાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હતી, પરંતુ, ડીઆઇસીમાં ફાઇલ્સ ગેરવલ્લે થવાને કારણે લાભાર્થીઓ સુધી લાભ પહોંચી શક્યા નથી. આ મામલામાં પણ દરમિયાનગીરી કરવા માટે ફોગવા દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.

 

 

October 25, 2018
night_meditation4.jpg
1min17070

Jayesh Brahmbhatt 98253 44944

નવું ન કરે તો સુરતી નહીં…આ કહેવત સુરતીઓની લાઇફ સ્ટાઇલ પરથી પ્રસ્થાપિત થઇ રહી છે. દાયકાઓથી શરદપૂર્ણિમા અને ચંદી પડવાની નાઇટ્સ હોય એટલે સુરતીઓ માટે તો જાણે ખાણી પીણીની જયાફત ઉડાડવાનો મોકો પણ હોય અને દસ્તુર તો ખાઇ-પી ને મસ્ત થવાનો તો ખરો જ. શરદપૂર્ણિમાએ દુધ-પૌંઆ ભલે નાની કટોરી ભરીને ખાતા હોય પણ તેની સાથે ભજીયા-ચટાણી અને અન્ય તમતમતી ચટાકેદાર વાનગીઓ આરોગવાનું સુરતીઓ ભૂલતા નથી અને ચંદી પડવાઓ તો ઘારી-ભૂસું ભલે નામનું હોય, પણ સુરતીઓનું આ નાઇટનું મેનુ ધમાકેદાર અને સાંભળી ને જ મોંમા પાણી લાવી દેનારું હોય છે.

ઇન શોર્ટ શરદપૂર્ણિમા કે ચંદી પડવાની ફુલ ચાંદની રાતો સુરતીઓ માટે ખાણીપીણી અને ધાંધલ-ધમાલ, પાર્ટી ઓલ નાઇટ જેવી હોય છે. આવી સ્થિતિમાં વિચારો કે કોઇ સુરતી બિલકુલ શાંત ચિત્તે ચાંદની શીતળ ઠંડક અને ટાઢા પ્રકાશમાં મેડિટેશન કરતો હોય ખરો? જે લોકો સુરતીઓનો ઓળખે છે એનો જવાબ તો બિલકુલ ના જ હોય. કે સુરતીઓ એટલિસ્ટ ચંદી પડવા કે શરદ પૂનમની રાતે તો બિલકુલ ચૂપચાપ શાંતિથી બેસીને મેડીટેશન કરે એ વાતમાં માલ નથી.

પણ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ આપને અહીં જે ફોટા બતાવી રહ્યું છે એને જોયા પછી તમારે માનવું પડશે કે તા.24મી ઓક્ટોબર 2018ના રોજ શરદ પૂર્ણિમાએ સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ છાયામાં સુરતીઓએ મેડીટેશન કર્યું હતું. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પૂજા-અભિષેક બિલ્ડિંગની ટેરેસ પર ભેગા થયેલા સુરતીઓએ શરદપૂનમની રાત્રે મસ્ત મજાનું મેડિટેશન કરીને માનસિક શાંતિ મેળવી હતી. જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસની આગેવાની હેઠળ આ મેડીટેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભાગ લેનારા સુરતીઓએ પણ કંઇક નવીન અનુભૂતિ કરી હોવાનું જણાવ્યું હતું. આ સુરતીઓ એટલા ધ્યાન મગ્ન હતા કે તેઓ બધું ભૂલીને મેડીટેશનમાં મસ્ત બની ગયા હતા જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

આ મેડીટેશન કેમ્પનું આયોજન કરનાર સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ એ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું છે કે આ એક ફુલ મુન એનર્જી મેડીટેશન સિટીંગ હતી. દોઢથી બે કલાક સુધી સુરતના લોકોએ સોળે કળાએ ખીલેલા ચંદ્રનો પ્રકાશ ગ્રહણ કર્યો હતો. આ બન્ને દિવસોની રાત્રીએ ચંદ્રનો પ્રકાશ, તેજ, કિરણો જે ગણો તે એટલા ફળદાયી હોય છે કે માનવ શરીરના અનેક પ્રશ્નોને નૈસર્ગિક રીતે ઉકેલી શકે છે. સ્કીન ડિસીઝ, એલર્જી વગેરેમાં પણ શરદ પૂનમ અને ચંદી પડવાના ચંદ્રનો પ્રકાશ બહું જ ફાયદાકારક રહે છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 6 વર્ષથી દર શરદ પૂનમની રાત્રે સુરતીઓ માટે આ પ્રકારના એનર્જી મેડીટેશન કેમ્પ યોજી રહ્યા છે.

.. છે ને આપણે સૌ સુરતીઓ અનપ્રિડિક્ટીબલ….

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાત્રે છેલ્લા 6 વર્ષથી સુરતીઓ માટે એનર્જી મેડીટેશન કેમ્પ યોજતા સુરતના જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ)

October 24, 2018
BNI_lakshya-1280x853.jpg
1min5787

સુરત, ઓક્ટોબર, 2018:બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 16માં ચેપ્ટર બીએનઆઇ લક્ષ્યને આજે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ લક્ષ્યના ભવ્ય લોન્ચ પ્રસંગે શહેરના 150થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ લક્ષ્ય ચેપ્ટરમાં 35થી વધુ સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ  બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.

મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 16ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે, જેમાંથી 7 ચેપ્ટર્સ 1100થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે સભ્યોને વિવિધ ક્ષેત્રો અંગે સમજ આપવા નોલેજ સિરિઝ તથા 74 દેશોમાં ટેક્નો – નેટવર્કિંગ દ્વારા કારોબાર વિસ્તરણમાં મદદરૂપ બનવા તથા માર્ગદર્શન આપવા બીએનઆઇ એક્ઝિમ ફોરમ અને દેશના 67 શહેરોમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉપલબ્ધ તકો સાંપડવામાં મદદરૂપ બનવા બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી મહત્વપૂર્ણ પહેલ કરી છે, જેને સભ્યો તરફથી ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 35વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવી બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.

-x-x-x-

 

October 23, 2018
smc_anil-1280x622.jpg
1min6150

શનિવાર તા.20મી ઓક્ટોબર 2018ના રોજ મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી શુદ્ધિકરણ અભિયાન બાબતે યુવા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીના આકરાં સરશંધાન બાદ હવે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન સાઇનું હુલામણું નામ ધરાવતા શ્રી અનિલભાઇ ગોપલાણીએ તાપી નદીની સતત બગડી રહેલી ગુણવત્તાને ઝડપભેર સુધારવા તેમજ વધુ નુકસાન ન થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

  • તાપી નદીમાં વિયરના અપસ્ટ્રીમમાં 13 આઉટલેટ છે. તેમાં 12 સુરત પાલિકાની હદમાં છે અને 1 સુડાની હદમાં વાલક ખાતે છે, જે સૌથી વધારે અસર કરી રહ્યાં છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણી પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે હાઈડ્રોલિક(પાણી) અને આરોગ્ય વિભાગના હેડક્વાર્ટર અને તમામ ઝોનના મુખ્ય અધિકારીઓ વચ્ચે એક બેઠક તા.22મી ઓક્ટોબર 2018ના રોજ યોજી હતી. તાપી નદીમાં વિયરના અપસ્ટ્રીમમાં 13 આઉટલેટ છે. તેમાં 12 સુરત પાલિકાની હદમાં છે અને 1 સુડાની હદમાં વાલક ખાતે છે, જે સૌથી વધારે અસર કરી રહ્યાં છે. સુરત પાલિકાની હદમાં છે, તેમાંથી લંકાવિજય હનુમાનના ઓવારા પાસેનો ઓવારો છે, તે સીલ કરી દીધો છે. ઉપરાંત અન્યને પણ દિવાળી સુધીમાં કઈ રીતે બંધ કરી શકાય તે માટે સુચન મગાવ્યા છે. આ માટે ડ્રેનેજ વિભાગ અને પાણી વિભાગ પણ અંદર અંદર સંકલન કરશે.

તાપી નદીમાં રો-વોટરની ક્વોલિટી ઝડપથી બગડી રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ડહોળુ, પીળુ અને દુર્ગંધવાળુ આવતુ હોવાની ફરિયાદ સતત વધી રહી છે. વહીવટી તંત્ર છેલ્લા દસેક દિવસથી થીંગડા મારીને કામ ચલાવવા માટેની મથામણ કરી રહ્યું છે. આ મુદ્દે ચૂંટાયેલી પાંખે કોઈ હસ્તક્ષેપ કર્યો નહતો. જોકે, હવે સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ આ મુદ્દે મોરચો સંભાળ્યો છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણીનું કહેવું હતું કે તાપી નદીના પાણીની ગુણવત્તા સુધરે, પાણી બચે તે માટે તમામ વિભાગોની કામગીરીને સ્પષ્ટ કરી હતી અને દર સપ્તાહે કામગીરીનો રિવ્યુ કરવા માટેનો તખ્તો પણ ગોઠવ્યો છે.

  • સુરત મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણીએ તા.22મી ઓક્ટોબર 2018ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઈડ્રોલિક, આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક બોલાવી સમગ્ર મુદ્દાની છણાવટ કરી
  • જ્યાં સુરત શહેરની વસતિ માટે પીવાના પાણીનો જથ્થો સંગ્રહાયેલો રહે છે એ વિયરના ઉપરવાસમાં સૌથી વધુ અસર કરતાં અને સુડાની હદમાં આવતા વાલક ગામના વરસાદી ગટરના સ્ટ્રોમ ડ્રેનેજના આઉટલેટ ઉપરાંત પાલિકાની હદમાં આવતા આઉટલેટના મુદ્દે પણ આગામી દિવસોમાં નક્કર પગલાં ભરીને કાયમી નિવેડો લવાશે
  • હાઈડ્રોલિક વિભાગ, આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગને સંકલન કરીને કામ કરવા તાકીદ, દર સપ્તાહે કામગીરીની સમીક્ષા કરાશે

તેમણે અન્ય મહત્વની બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શહેરમાં જ્યાં જ્યાં ઓછા દબાણથી પાણી મળવાની ફરિયાદો દૂર કરાશે. ડુમસ તરફના 13 ગામોમાં પાણી આપવાની વ્યવસ્થામાં વાલ્વ ઓપરેટરની સિસ્ટમનો વિકલ્પ પણ તૈયાર કરાશે.

 

October 22, 2018
surat_district_co_bank_logo.jpg
5min7180

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ તા.૨૨/૧૦/૨૦૧૮ ના રોજ કેદારેશ્વર મંદિર, બારડોલી ખાતે શાનદાર રીતો યોજાયો હતો. આ આ સમારંભમાં ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇ, મોટીવેશનલ સ્પીકર શ્રી મેહુલ ઠક્કર, બેંકના CA શ્રી મીતિષભાઈ મોદી, ડીરેકટર શ્રી દિલીપભાઈ ભક્ત, શ્રી પ્રભુભાઇ વસાવા, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી કિરણભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી નારણભાઈ દોનવાળા, મેનેજીંગ ડીરેકટર શ્રી ઈન્દ્રસિહ મહીડા અને જેજીએમ શ્રીઓ, એજીએમ શ્રીઓ, બેંક કામદાર સંઘના પ્રમુખશ્રી તેમજ બેંકના સ્ટાફ હાજર રહ્યો હતો. આજે ઇનામ પામનારા તમામને બેંકના પદાધિકારીઓએ બિરદાવતા અનેક શુભેચ્છાઓ આપી હતી.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની સાથોસાથ “બ્લડ ડોનેશન” કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓં, સ્ટાફએ ભાગ લીધો હતો.

કોને કોને ઇનામો મળ્યા

 

October 20, 2018
9-1280x853.jpg
1min21490

જયેશ બ્રહ્મભટ્ટ, 98253 44944

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુને આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનાવૃત કરે એ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર એકતા રથયાત્રા ફેરવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરત શહેરમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીના નેતૃત્વમાં એકતા રથયાત્રાને ફરાવવામાં આવી રહી છે. અશ્વ દળની આગેવાની, 300થી વધુ બુલેટ બાઇક ધારક યુવાનોની ફૌજ અને એ પછી સરદાર વલ્લભભાઇના પ્રતિક સાથેના એક્તા રથને નિહાળીને પશ્ચિમ સુરતવાસીઓ બોલી ઉઠ્યા કે સરદારની આ એકતા રથયાત્રા પૂરી આન, બાન અને શાનથી નીકળી છે.

આજે એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે શહેર મેયર શ્રી જગદીશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારાસન, સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલા, ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી,

(આજરોજ તા.20મી ઓક્ટોબર 2018ના રોજ એકતા રથયાત્રાને સુરત પશ્ચિમ મત વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાનું મેનેજમેન્ટ કરી રહેલા શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી નિરવ શાહ)

સુરત પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લાકોએ એક્તા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. હજારો લોકો સ્વયંભુ એકતા રથયાત્રામાં જોડાયા હતા. સવારે 9 વાગ્યે તાપી કિનારે રામજી મંદિર પાસેથી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજા અર્ચના બાદ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને એકતા રથયાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અડાજણ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પસાર થયેલી એકતા રથયાત્રાને સ્થાનિક રહેવાસીઓ, ભાજપાના કાર્યકરો, સંસ્થાઓ વગેરે દ્વારા ઠેરઠેર ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

(એકતા રથયાત્રાની સુરત પશ્ચિમ મત વિસ્તારમાં  અશ્વદળએ આગેવાની લીધી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રામાં બુલેટ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા)

એકતા રથયાત્રાની પશ્ચિમ વિસ્તારની યાત્રા દરમિયાન કાર્યકરોએ માથે સાફા પહેર્યા હતા. ખાસ કરીને કેસરીયા સાફા સાથેને સેંકડો કાર્યકરોની હાજરીમાં રથયાત્રા આકર્ષક લાગતી હતી. મહિલા કાર્યકરો પણ માથે સાફો પહેરીને એકતા રથયાત્રામાં જોડાઇ હતી. આજની આ રથયાત્રાની આગેવાની ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, ભાજપાના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી અશોક ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ શ્રી મેહુલ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, અડાજણના શ્રી મહેશભાઇ પટેલ (વિદ્યાકુંજ), અડાજણના શ્રી હેમંતભાઇ પટેલ, સ્થાનિક વોર્ડ હોદેદારો કાર્યકરો, યુવા પાંખ, મહિલા પાંખ, જુદા જુદા મોરચાના સભ્યો, કાર્યકરો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ એકતા રથયાત્રાના નેતૃત્વમાં)

(અડાજણના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સર્વશ્રી મેહુલભાઇ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, સ્થાનિક આગેવાનો સાફા સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાને પ્રસ્થાન પૂર્વે પૂર્ણેશભાઇ મોદી અને અનિલભાઇ ગોપલાણીએ પૂજા અર્ચના કરી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા)

October 20, 2018
Harsh_shangvi.jpg
1min322010

(છેલ્લા 6 વર્ષથી હર્ષ સંઘવી તાપી જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ફાઇલ ફોટો)

સિંચાઇ વિભાગ, સુરત મહાનગરપાલિકા, પ્રદુષણ નિયંત્રણ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તાપીના મામલાઓમાં ઇરાદાપૂર્વક કામગીરી કરતા ન હોવાથી આજે મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં રાજનીતિક મર્યાદાથી પર રહીને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જે ઉધડો લીધો, તંત્રવાહકોમાં ફફડાટ મચી ગયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરના વિકાસમાં તાપી નદી જેટલું યોગદાન કદાચ કોઇનું ન હોય. 50 લાખથી વધુ સુરતીઓની પાણીની જરુરીયાત પૂરી કરતી તાપી નદીના જતન માટે સુરતના સ્થાનિક વહીવટીતંત્રો સાવ નફ્ફટાઇપૂર્વક કોઇ જ કામ કરતા નથી. જે થાય છે એ ફક્ત શૉમેનશીપ માટે થાય છે. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી લાગતી કે જો તાપી માતા સાચે જ હોત તો નઘરોળ તંત્રવાહકો તેમને ઘરડાં ઘરમાં નાંખી આવે તેવા ઘાટ હાલમાં તાપી નદીના થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી તાપી નદીના જતન-જાળવણીના મુદ્દે સ્થાનિક તંત્રવાહકોનો ખેલ જોઇ રહેલા મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનો આજે પિત્તો ગયો હતો અને આજે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ તાપી નદીના મુદ્દે જે આક્રમક વલણ અપનાવ્યું તે જોતા હવે તંત્રવાહકો દોડતા થશે એમ લાગે છે. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે હર્ષ સંઘવી એટલા આક્રમક હતા કે જો તેમની પાસે પાવર હોત તો એકાદ બે અધિકારીઓને આજે ઘરે બેસી જવું પડ્યું હોત.

(અગાઉ લેવાયેલા નિર્ણયો બાબતે તંત્રવાહકો કોઇ જ નક્કર કામ નહીં કરતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પિત્તો એવો ગયો કે હવે તંત્રવાહકો દોડતા થઇ જશે, પ્રસ્તુત ઇમેજ હર્ષ સંઘવીએ તાપીના મુદ્દે અગાઉ કરેલી ટ્વીટની છે. )

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે સિંચાઇ વિભાગ હોય, સુરત મહાનગરપાલિકાનું તંત્ર હોય કે પછી પ્રદૂષણ નિયંત્રણ ખાતું અને ખાણ-ખનીજ ખાતું હોય, તાપી નદીના પ્રોજેક્ટસ માટે દરેકની ચોક્કસ ભૂમિકા છે, દરેક તંત્રએ કોઇને કોઇ કામગીરી કરવાની રહે છે, પણ છેલ્લા ઘણાં વર્ષોથી જોઇ રહ્યો હતો કે તમામ તંત્રવાહકો એક બીજા પર ખો આપીને તાપી નદીની જાળવણીની પ્રાથમિક જરૂરીયાતથી દૂર ભાગી રહ્યા હતા. આજે મારે અસ્સલ સુરતી ભાષામાં તેમને સમજાવવા પડ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે તાપી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાપીનું જતન નહીં થાય તો કશું નહીં રહે. પાણી વગરના વૈશ્વિક શહેરોની સ્થિતિ આપણે જોઇ રહ્યા છે. જેના પર આપણે સૌ નિર્ભર છીએ તેની જાળવણી માટે જો તંત્રવાહકો કંઇ નહીં કરે તો તેમની સામે આકરાંમાં આકરાં પગલાં ભરાવીશ. આજે મેં જે ભાષા, જે અભિગમથી વાત કરી છે તેનાથી વધુ આક્રમક થઇને હવે તાપી નદીની જાળવણીનો મુદ્દો ઉપાડીશ.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી નદીના શુદ્ધિકરણ તેમજ ડ્રેજિંગ બાબતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના સ્ટેન્ડ પછી જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલએ પણ સ્થાનિક અધિકારીઓને નક્કર કામગીરી કરવા સંદર્ભે ચીમકી આપી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આજે જ શનિવાર, તા.20મી ઓક્ટોબર 2018ના રોજ સાંજે 4 વાગ્યે કલેક્ટરે સિંચાઇ વિભાગ તેમજ તાપી નદીના પ્રોજેક્ટને સ્પર્શતા વિભાગોના અધિકારીઓ સાથે મિટીંગ યોજી છે.