CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 72 of 79 - CIA Live

October 19, 2018
seva4-1.jpg
1min13170

રોટી એ કોઈ પણ મનુષ્યની મુખ્ય જરૂરિયાત હોય છે . મનુષ્ય કોઈ પણ જરૂરિયાત ને ઘટાડી શકે છે પરંતુ શરીર નું પોષણ કરવામાટે જરૂરી રોટી અને પાણીની જરૂરને કોઈ પણ રીતે  ટાળવી શક્ય નથી. વિધિની વક્રતા યાતો પછી નસીબજોગે અગર કોઈ વ્યક્તિને ભોજન વગર રહેવું પડે તો  તેનાથી વધુ દારુણ દુઃખ આ દુનિયામાં બીજું એકેય નથી.આપણા સુરત શહેરમાં ઘણી મોટી સંખ્યામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો એક વર્ગ રહેછે . તેમનામાંથી ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહે છે .તેમને ઘણી વાર વિવિધ કારણોસર આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

સેવા ફાઉન્ડેશન તબીબી ક્ષેત્રે અને એમ્બ્યુલન્સની સગવડ કરાવવા ઉપરાંત બીજી અનેક પ્રકારની સેવાઓ  જરૂરિયાતમંદ લોકોને  ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહયું છે . સેવા ક્ષેત્રમાં હંમેશા વ્યસ્ત રહેનાર સંસ્થાએ જ્યારે તબીબી સુવિધા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાના કાર્ય દરમિયાન જોયું કે અહીં તો ભોજનની સમસ્યા પણ છે એટલે પછી આ દિશામાં પોતાના પ્રયાસો શરુ કરી દીધા.

સુરત શહેરમાં ઘણી બધી સંસ્થાઓ ભોજન ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે .તેમાંની એક છે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે ઓછામાં ઓછી કિંમતે પૌષ્ટિક ભોજન આપવાનું કામ કરેછે . જમણની ગુણવત્તા એટલી સારી હોય છે કે ટ્રસ્ટી મંડળના સભ્યો પણ આ ભોજન લેછે .આવી સમાજ ને સમર્પિત સંસ્થાના સહયોગથી આજે અન્નપૂર્ણા સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે સેવા ફાઉન્ડેશન માટે ગૌરવની બાબત છે.આ અન્નપૂર્ણા રથ ગરીબ અને પછાત વિસ્તારના  જરૂરિયાતમંદ લોકોને ફક્ત ૧૦ રૂપિયામાં ભોજન આપશે.

તા.17મી ઓક્ટોબર 2018ના રોજ પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા.17મી ઓક્ટોબર 2018ના રોજ ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું.આ સિવાય જે જરૂરિયાત વાળી વ્યક્તિ હશે તેમને માટે આ વ્યવસ્થા કાયમ માટે રાખવામાં આવશે.કોઈ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ માટે ભોજનની ઓછામાં ઓછી કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવી છે .

આ પ્રસંગે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા તથા સેવા ફાઉન્ડેશન આ પ્રસંગે બધા સહયોગી અને મદદકર્તાઓનો આભાર માને છે અને અભિનંદન પાઠવે છે.

સમારંભમાં જે પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહયા તેમાં મુખ્ય મહેમાબ તરીકે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સૂર્યકાન્ત જ।લાન, સુરતના મેયર ર્ડો.જગદીશ પટેલ, અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ જે પી અગ્રવાલ , છાંયડોના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ, માનવ સેવા ટ્રસ્ટના જયરામભાઈ શાહ, વિનોદ અગ્રવાલ, કિશોરભાઈ વિન્દલ, શ્રીમતી સુષમા અગ્રવાલ, શ્રીમતી રૂપલ શાહ, ગુરુ નાનક હોસ્પિટલના ગોવિંદજી અને સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ રાજીવ ઓમર ખાસ ઉપસ્થિત રહયા હતા.

 

October 16, 2018
Parliamentsurat1.jpg
1min7620

पिछले रविवार, ता.14 अक्टुबर 2018 को शहरमां रचनात्मक कार्यक्रमो के आयोजन कर रहे अग्रवाल विकास ट्रस्ट द्वारा “हमारी संसद” कार्यक्रम का आयोजन किया गया था. कार्यक्रम सफल रहा इसकी अनुभूति कार्यक्रम में सांसद, मिनिस्टर, स्पीकर एैसी अलग अलग भूमिका अदा करने वाले स्थानिय युवक-युवतिओने शेयर किए अपने अनुभवो से प्रतीत होता है.

अग्रवाल विकास ट्रस्ट का हमारी संसद कार्य़क्रम इसिलिए भी सराहनिय रहा क्यूंकी इसमें पार्ट लेने वाले सभी छोटे-बडे पार्टीसिपेट्सने समाज को रचनात्मक राजनिती कैसे कि जाती है उनकी भी एक झांकी कराइ है.

(शहर के जाने माने चार्टर्ड अकाउन्टन्ट श्रीबालकृष्ण अग्रवालजी ने हमारी संसद कार्यक्रम में कांग्रेस के मध्यप्रदेश के कदावर नेता श्री ज्योतीरादित्य सिंधिया कि भूमिका अदा कि)

(शहर कि जानी-मानी पत्रकार जिज्ञासा सोलंकीने हमारी संसद कार्यक्रम में स्पीकर कि भूमिका अदा कि)

ऐसा लगा मानो सच में संसद भवन में हूं ः जिज्ञासा सोलंकी, पत्रकार-सुरत

शहर कि जानी-मानी जर्नलिस्ट जिज्ञासा सोलंकी को हमारी संसद कार्यक्रम में स्पीकर के तौर पर आमंत्रित किया गया था. अपने इस अनुभव को बयां करते हुए जिज्ञासा सोलंकीने बतायां कि स्पीकर सुमित्रा महाजन के कैरेक्टर में हम ऐसे “घूसे” कि पूछो मत! गार्ड्स के साथ संसद भवन में जब एंट्री ली तब गजब की फिलिंग आई।कुछ पलों के लिए तो ऐसा लगा कि हम सचमूच दिल्ली के संसद भवन में पहुंच गए।

आगे बताते हुए जिज्ञासा सोलंकी ने कहा कि वहां मौजूद सांसद ने भी कमाल का परफॉर्मेंस दिया। बिल्कुल संसद भवन जैसा माहौल बना दिया था। रूलिंग पार्टी और अपोजिशन पार्टी के बीच आरोप-प्रत्यारोप हुए, बहस हुई, और तो और कुर्सियां भी टूटी। इस मामले में तो उन्होंने दिल्ली वालों को भी पीछे छोड़ दिया। स्पीकर महोदया बार-बार लोगों से संसद की गरिमा बनाए रखने की अपील करती रही, लेकिन यहां कौन है जो उनकी बात सुनता। इस बात से हमें हमारी स्पीकर की परिस्थिति का अंदाजा भी हुआ कि इनके लिए तो यह रोज का मामला है।

 

October 16, 2018
Nirav_shah-1280x622.jpg
1min21440

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાંડુત ગામે ઘનકચરાના નિકાલની પ્રપોઝ્ડ સાઇટની સમસ્યા હોય કે સુરતની ચોપાટીની ગંદકી હોય કે અડાજણ વિસ્તારમાં સેનિટેશનની સમસ્યા હોય કે પછી કેબલ સ્ટેઇડ બ્રિજના અડાજણ છેડે ટ્રાફિકનો વકરેલો પ્રશ્ન હોય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન ડેપ્યુટી મેયર નિરવ શાહ સ્પોટ પર પહોંચીને પાલિકાના સંબંધિત અધિકારીઓને તેડાવીને ઓન ધ સ્પોટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે અને તેઓ મહદઅંશે સફળ રહ્યા છે. અહીં બિટવીન ધ લાઇન્સ એ પણ સંદેશો નીકળે છે કે અત્યાર સુધી સુરતમાં ડેપ્યુટી મેયર પદને રબર સ્ટેમ્પ, શોભાના ગાંઠીયા કે માત્ર કોઇકને ખુશ કરવા માટે આપી દેવાતું પદ મનાતું હતું, પણ જ્યારથી નિરવ શાહ ડેપ્યુટી મેયર પદે આરુઢ થયા છે એ પછી એમણે જે કામગીરી કરીને લોકસમસ્યાઓનો નિવેડો લાવ્યા છે, એ વાત માનવી પડશે કે ડેપ્યુટી મેયર પદેથી શું ન કરી શકાય.

(Nirav Shah @ Chowpati with SMC Officials)

હકીકતમાં એ વાત પણ નિશ્ચિત બની છે કે જે રીતે ડેપ્યુટી મેયર પદે રહીને નિરવ શાહ હાઇપ્રોફાઇલ, લીડ લઇને કામો કરી રહ્યા છે એ જોતા હવે પછીના ડેપ્યુટી મેયરોએ પણ નવા ટ્રેન્ડમાં સતત દોડતા રહેવું પડશે. એવું નથી કે નિરવ શાહ ફક્ત અડાજણ વિસ્તારમાં જ કે જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં ના પ્રશ્નો માટે પ્રયત્નશીલ છે, તેઓ શહેરના ડેપ્યુટી મેયર છે એટલે સમગ્ર શહેરમાં કનડતા પ્રશ્નોનો નિવડો લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

(Nirav Shah @ Cable Stayed Bridge Adajan side with SMC officials)

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાયા એ દિવસથી જ ટ્રાફિકની સમસ્યા હતી

શહેરને માટે નજરાણું બનેલો તાપીનદી ઉપરનો કેબલ સ્ટેઈડ બ્રિજ ઉદ્દઘાટન પછીના કલાકમાં જ ચક્કાજામનો ભોગ બન્યો હતો. ખાસ કરીને બ્રિજના અડાજણ તરફના છેડે ઓવરબ્રિજની નીચે સર્જાતા જંકશન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિને લીધે આવુ થયું હતું. આનેલીધે કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ-પાલ તરફ જતા ટ્રાફિકને સ્ટારમોલવાળા જંકશન ક્રોસ કરવાનું બંધ કરાવીને ફરજિયાત લેફ્ટ ટર્ન લેવાની ફરજ પડાઈ હતી. જોકે, આ ટ્રાફિકને એલ.પી. સવાણી રોડ તરફ જવુ હોય તો તેના માટે રાધાસ્વામી આશ્રમ પાસે ઓવરબ્રિજ પૂરો થાય ત્યાંથી યુ-ટર્ન લેવો પડતો હતો. આવી સ્થિતિમાં ઓવરબ્રિજ ઉપરથી હજીરા તરફ જતો સીધો ટ્રાફિક પણ ખોરવાતો હતો. છેલ્લાં પખવાડિયાથી આવી સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો.

સમસ્યા ઉકેલવા ડે.મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ સોલ્યુશન શોધાવ્યુ

ટ્રાફિક સરળ થાય તે માટે કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવ્યો. જોકે, તેના બદલે અડાજણ છેડે ફલાય ઓવરબ્રીજ પર ઉતરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. એટલે, તેના ઉકેલ માટે સોમવારે ડે. મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ ઉકેલ શોધાવવા મથામણ આદરી હતી.

સિટી ઇજનેર ભરત દલાલ, ડે. કમિશનર સી. વાય. ભટ્ટ, ડે. કમિશનર આર. જે. પંડ્યા, બ્રિજસેલના કાર્યપાલક ઇજનેર અક્ષય પંડ્યા અને ટ્રાફિક વિભાગના કાર્યપાલક ઇજનેર તૃપ્તિબેનને સ્થળ પર બોલાવ્યા હતાં. તેમની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમને પણ વાસ્તવિક સ્થિતિ શું સર્જાય છે, તેનું અવલોકન કરાવ્યું હતું.

દરેક સમસ્યાનો એક ઉકેલ જરૂર હોય જ

સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ તરફ આવતા અને એલ.પી. સવાણી રોડ તરફ જતા ટ્રાફિકને માટે ફલાય ઓવરબ્રિજની નીચેથી જ યુ-ટર્ન લઈ શકાય તેવું આયોજન કરવાનો વિકલ્પ નક્કી કરાયો હતો. આ માટે આગામી બે-ત્રણ દિવસમાં આર.સી.સીની પરદી, સિમેન્ટ કર્બસ્ટોનથી વ્યવસ્થા ઉભી કરી દેવાશે, તેવું ડે.મેયર નિરવ શાહનું કહેવું હતું.

(Nirva Shah @ Bhandut, Olpad. the Proposed Sight of Solid Waste Disposal by SMC)

October 12, 2018
sachin_sandip.jpg
1min7700

સુરતના સચીન પોલીસ મથકની હદમાં આવતા કનકપુર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પરપ્રાંતીયોની વસતિ વસે છે એ કનકપુર ખાતે સુરત શહેરની સૌપ્રથમ વાયફાય અને સીસીટીવી કેમેરાથી સજ્જ પોલીસ ચોકીનું લોકાર્પણ તા.11મી ઓક્ટોબરના રોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.

2014માં સુરત મહાનગરપાલિકાએ પોલીસ ચોકી બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી હતી, એ સમયે તત્કાલિન પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ ખાતમૂહુર્ત કર્યું હતું. પરંતુ, એ પછી પોલીસ ચોકીનું બાંધકામ સંજોગોવસાત્ વિલંબમાં પડ્યું હતું. બાદમાં થોડા સમય પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માએ સચીન પી.આઇ. શ્રી આર.જે. ગોહિલને કનકપુર ચોકીના બાંધકામ માટે સૂચના આપતા આખરે કનકપુર નગરપાલિકા તેમજ લોકભાગીદારીથી કનકપુર પોલીસ ચોકી તૈયાર કરી દેવાઇ હતી. રૂ.6.30 લાખના ખર્ચે જનભાગીદારીથી કનકપુર પોલીસ ચોકીમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવી છે.

તા.11મી ઓક્ટોબરના રોજ પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માએ વિધિવત રીતે કનકપુર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો શ્રી સંદીપ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

કનકપુર પોલીસ ચોકીના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સંદીપ દેસાઇ

October 11, 2018
shott-1280x859.jpg
1min6370

સુરત : મહિલાઓ માટે ભારતમાં પહેલી વખત ટુ જોકર્સ ઇવેન્ટ દ્વારા ડુમસરોડ સ્થિત ગુજરાતનું પહેલું ફુલ્લી ફેમીલી એન્ટરટેઈનમેન્ટ સેંટર શોટ ખાતે ફની ઔરતો કી સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નામાંકિત મહિલા હાસ્ય કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરીને સૌને હાસ્યથી તરબોળ કરી મુક્યા.

આ કાર્યક્રમમાં કોમીસ્તાન ફેમ સેજાન ભટ્ટ, ધ ક્વીન્સ ઓફ કોમેડી ઉરુજ અસ્ફાક અને આયુષીજાંગડ તથાસુરતની હાસ્ય કલાકાર હેત્વીહાટડીયા, તિથી દેસાઈ અને નીતિ મિત્તલે પોતાની હાસ્ય અને વ્યંગથી ભરપુર વાતો રજુ કરીને સૌને લોટપોટ કરી મુક્યા હતા. આ કાર્યક્રમમાં 100 મહિલાઓએ ભાગ લીધો હતો.

-x-x-x-x-

October 10, 2018
sarsana1-1280x720.jpg
1min12050
  • અરિહંત ગ્રુપ દ્વારા એશિયાની બિગેસ્ટ
  • કરીંગટોન નવરાત્રી2018નું સરસાણા એસી ડોમ ખાતે ભવ્ય આયોજન
  • બોલીવુડ અને ઢોલીવુડના સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર નવ દિવસ સુધી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે
  • દરરોજ 15 હજાર ખેલૈયા
  • મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમની ટીમ

સુરત : ગુજરાતનું મહાપર્વ ગણાતો નવરાત્રિ મહોત્સવની આ વર્ષે પણ સુરતીઓ રંગેચંગે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતીઓ માટે નવરાત્રિની નવલી રાતોને ગરબામય બનાવવા માટે સુરતના અરીહંત ગ્રુપ દ્વારા સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એરકન્ડીશન્ડ ડોમમાં ભારતની જ નહીં બલ્કે એશિયાની અનોખી નવરાત્રિનું સેલિબ્રેશન થશે, એશિયામાં એરકન્ડીશન્ડ અને બેસ્ટ એમ્બિયન્સ સાથે સૌથી મોટી નવરાત્રી પણ આ જ ગ્રુપની મનાય છે. અરીહંત ગ્રુપ પ્રેઝેન્ટ કરીંગટોન નવરાત્રી મહોત્સવમાં સતત નવ દિવસ સુધી બોલીવુડ અને ઢોલીવૂડના સિંગર તેમજ મ્યુઝિક ડીરેક્ટર પોતાના સુર અને તાલ રેલાવીને ગરબાના તાલે સુરતીઓને નચાવશે.

આ વ્યક્તિના આયોજનને લીધે સુરત નવરાત્રિ માટે આખા દેશ-વિદેશોમાં વખણાય રહ્યું છે

(હિરેન કાકડીયા, જી-નાઇન ગ્રુપ, નવરાત્રી આયોજક સરસાણા એ.સી. કન્વેન્સન સેન્ટર, સુરત)

હિરેન કાકડીયા. આમ તો નવું નામ નથી. પણ આ વ્યક્તિના આયોજનને લીધે છેલ્લા 2 વર્ષથી સુરતનું નામ નવરાત્રિના સમયે ભારતમાં જ નહીં બલ્કે દેશ-વિદેશમાં વખણાય છે. સુરત નવરાત્રિ માટે જ્યારે સર્ચ એન્જિન પર સર્ચ કરો કે કોઇ દક્ષિણ ગુજરાતના કોઇ એન.આર.આઇ.ને પૂછીએ તો તરત જવાબ મળે કે સરસાણા કન્વેન્શન સેન્ટર, અથવા તેનો ફોટો દેખાડે. જી હા. આ હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં. સુરતની નવરાત્રિ પણ હવે અમદાવાદ-વડોદરાની જેમ વખણાય રહી છે. એવું કહી શકાય કે સુરતમાં ઇન્ડોવેસ્ટર્ન નવરાત્રિની ધૂમ હોય છે. વડોદરા અને અમદાવાદમાં શાસ્ત્રીય (ક્લાસીકલ) બેઝ નવરાત્રિ રમાતી હોય છે જ્યારે સુરતમાં હાઇફાઇ સાઉન્ડ, ઇન્ડો વેસ્ટર્ન વેયરીંગ્સ અને એરકન્ડીશન્ડ પ્લે એરીયાને લીધે સુરતની નવરાત્રિ હાલમાં વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની છે અને તેનું કારણ પણ આયોજક હિરેન કાકડીયા અને તેમની ટીમ બની છે. છેલ્લા બે વર્ષથી હિરેન કાકડીયા સુરતના કન્વેન્શન સેન્ટરમાં નવરાત્રિનું જડબેસલાક આયોજન કરી રહ્યા છે.

  • પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલનું આકર્ષણ હશે

આ અંગે આયોજક હિરેન કાકડિયા અને વિલાસ પટેલે જણાવ્યુ હતું કે આ વર્ષે સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એસી ડોમમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 15 હજાર ખેલૈયા ઉપસ્થિત રહેશે. વિશેષ વાતએ છે કે આ ખુલ્લી એસિ ડોમ હોવાની સાથે વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં વિઘ્નરૂપ નહીં બને. જેમાં મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમના બેન્ડ સાથે ખેલૈયાઓને ડોલાવસે તેમજ પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલ ગરબાના સૂર અને તાલ રેલાવશે. લોકોમાં શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થાની સાથે જ શ્રેષ્ઠ સાઉન્ડ સીસ્ટમ,આકર્ષક લાઈટીંગ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું નહિ પણ ખેલૈયાઓ માટે ઇનામોની પણ વણઝાર રહેશે.

 

October 9, 2018
surat_police.jpg
1min22540

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6

 

October 8, 2018
smc.jpg
1min19710

સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર કે.એચ. ખતવાણીએ આજે શહેરીજનો જોગ જણાવ્યું છે કે આગામી દિવાળીના તહેવારો દરમિયાન પરંપરા મુજબ ઘર, મકાન, ધંધાકીય સ્થળોની સાફસફાઇ થતી હોય છે. આ વખતે વરસાદની કમીને ધ્યાનમાં રાખીને સુરતવાસીઓ પોતાના ઘર, મકાન, ફ્લેટ, બંગલા વગેરે સ્થળોની સાફસફાઇ કે ધોવા માટે ચોખ્ખું પીવાનું પાણી ઉપયોગમાં ન લે તે માટે ખાસ અપીલ કરવામાં આવે છે. શ્રી ખતવાણીએ શહેરીજનોને જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં સુરતમાં દૈનિક પાણીની માગ 40થી 50 મિલિયન લિટર થઇ જાય છે. આ પાણી મોટા ભાગે ઘરોની સાફસફાઇ અને ધોવા માટે થાય છે. આ પાણી શુદ્ધ પીવા લાયક છે એ મકાન ધોવામાં ઉપયોગમાં ન લેવાય તો અનેક તરસ્યા લોકો સુધી પીવાનું પાણી પહોંચાડી શકાય તેમ છે.

In English

PRAYER TO THE CITIZENS

AS WE  ALL KNOW THAT, MORE THAN 30 CR CITIZENS OF OUR COUNTRY DO NOT HAVE DRINKING WATER ACCESS IN THE COUNTRY.

ONE SIDE, ABOVE FACT IS EXISTING AND ANOTHER SIDE BEFORE DIWALI WE WASTE 40 TO 50 ML OF WATER PER DAY FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS WHICH CAN BE SAVED IN THE INTEREST OF THE COUNTRY IN GENERAL AND INTEREST OF SURAT CITY IN PARTICULAR.

THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

CITIZENS OF SURAT CITY HAS ALWAYS COOPERATED IN ALL THE MATTERS INCLUDING CELEBRATION OF “DRY HOLI” AND ALSO BY NOT IMMERSION “GANESH IDOLS” IN THE RIVER TAPTI.

SIMILARLY, THIS TIME ALSO THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

October 5, 2018
bhimrad.jpg
1min27920

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એવી જાહેરાત કરી છે કે તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઇ રહ્યા છે અને માર્ચ 2019માં કર કે દેખે નામની મીઠા સત્યાગ્રહનું આયોજન કરી રહ્યા છે. આ મીઠા સત્યાગ્રહનો ઉદ્દેશ એ છે કે સુરત નજીક (હકીકતમાં સુરત સિટીમાં સમાવિષ્ટ) આવેલા ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે, ઐતિહાસિક સ્થળોમાં તેનો સમાવેશ થાય એ છે. ભીમરાડને એટલે ઇતિહાસમાં સ્થાન અપાવવું છે કેમકે ભીમરાડથી જ હકીકતમાં ગાંધી બાપૂએ મીઠા સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે, આજે દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

(અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં તુષાર ગાંધીએ જાહેરાત કરી હતી એ વેળાની તસ્વીર)

એ પહેલાં રામદાસ કાકાની ધરપકડ થયેલી એટલે ભીમરાડમાં બાપુએ મીઠાની ચપટી ભરીને કાનૂનભંગ કર્યો હતો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતાં, ત્યારે તેમણે દાંડીમાં સ્મારક બનશે તેવી જે જાહેરાત કરી હતી તે જાન્યુઆરીમાં ખુલ્લુ મૂકાશે. અમારી ઇચ્છા એવી છે કે, આ ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે. એ વખતે બાપુ સાથે 80 લોકો જોડાયા હતા અને મેં 2005માં દાંડીયાત્રાના 75માં વર્ષ નિમિત્તે દાંડી યાત્રા કરી હતી. હવે સામાન્ય લોકો અને યુવાનો સહિત વિદેશના લોકોને ગાંધી મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને બાપુનો પરિચય કરાવવા માટે આ સોલ્ટ ચેલેન્જ શરુ કરવી છે.

  • ભીમરાડ ખરેખર ક્યાં આવેલું છે
  • ઘણાં વાચકોને સવાલ ઉપસ્થિત થાય કે ભીમરાડ હકીકતમાં ક્યાં આવેલું છે, એમને જણાવી દઇએ કે ભીમરાડ સુરત ખાતે આવેલું છે.

  • દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

‘કર કે દેખે’ ચેલેન્જ વિશે વાત કરતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગાંધી બાપુએ આ કૂચની વાત કરી તો સૌથી પહેલા તેનો વિરોધ સરદારે કરેલો, પરંતુ બાપુ તેમની વાત ન માન્યા અને સરદાર કામે લાગ્યા, સરદારે જ સમગ્ર દાંડીયાત્રાનો માર્ગ નિશ્ચિત કરીને બધી વ્યવસ્થા કરી આપેલી. ત્યાર બાદ મોતીલાલ નહેરુએ બાપુને આ કૂચના વિરોધમાં 22 પાનાનો પત્ર લખેલો. જેના જવાબમાં બાપુએ માત્ર એટલું જ લખેલું ‘કર કે દેખે’. .

શું કાર્યક્રમો થશે કર કે દેખે સોલ્ટ માર્ચ અન્વયે

સમગ્ર દેશમાં 150મી ગાંધીજયંતીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન કર્યું છે. આ માર્ચમાં વોકેથોન, મેરેથોન અને સાઇક્લોથોન યોજાશે.

આ પ્રસંગે તુષાર ગાંધી સાથે ચેલેન્જમાં જોડાયેલા મુંજાલ શ્રોફે જણાવ્યું કે, જ્યારે દાંડી માર્ચ શરુ થયેલી એ જ દિવસે 12 માર્ચે મેરેથોન શરૂ થશે. તેઓ સાબરમતીથી દાંડી સુધી 400 કિમીનું અંતર 23 માર્ચ સુધીમાં કાપશે. સાયક્લોથોન 20થી 23 માર્ચ સુધીમાં પુરી થશે, વોકેથોન 19થી 23 દરમિયાન ભીમરાડથી દાંડી સુધી 70 કિમીના અંતરમાં પુરી થશે.

ભીમરાડ સ્થિત ગાંધી સ્મારક સમિતિ, સુરતનું પરિવર્તન ટ્રસ્ટ, કાંઠા વિસ્તારના ગામો વર્ષોથી ચળવળ ચલાવી રહ્યા છે

ભીમરાડને ઐતિહાસિક દરજ્જો મળે તે માટે ભીમરાડ ગામની ગાંધી સ્મારક સમિતિ દ્વારા પાછલા ઘણાં વર્ષોથી ઝુંબેશ ચલાવવામાં આવે છે. ભીમરાડના બળવંતભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનો અનેક વખત સત્તામંડળોમાં રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ કાર્યક્રમો આપી ચૂક્યા છે. સુરત શહેરમાં આવેલા પરિવર્તન ટ્રસ્ટના યુવા કાર્યકરો પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર તેમજ અન્ય આગોવાનોના નેજા હેઠળ છેલ્લા ઘણાં વર્ષોથી ભીમરાડને ઐતિહાસિક મૂલ્ય મળે, ઐતિહાસિક સ્થળનો દરજ્જો મળે તે માટે ચળવળ ચલાવી રહ્યા છે. અનેક વખત તેઓ તંત્રવાહકો જોર જુલ્મીનો ભોગ પણ બન્યા છે. તેમણે અહીં ગાંધીજીની પ્રતિમાને પણ પ્રસ્થાપિત કરી છે. હજુ સુધી તંત્રવાહકોએ આ પ્રતિમા માટે થયેલા બાંધકામને મંજૂરી આપી નથી. એવી જ રીતે કાંઠા વિસ્તારના ગામવાસીઓ ઉપરાંત ભીમરાડના રહેવાસીઓએ પણ મીઠા સત્યાગ્રહના પ્રણેતા સ્થળ ગણાતા ભીમરાડને તેની અસ્મિતા પરત મળે તે માટે અનેક વખત પ્રયાસો કર્યા છે.

(પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ભીમરાડથી દાંડી કૂચ દરમિયાન અપાયેલા કાર્યક્રમનીની ફાઇલ તસ્વીર)

October 3, 2018
sujoki-1280x720.jpg
1min11490

માનવ શરીરને સ્વસ્થ રાખવાની 200 કરતા પણ વધુ ઉપચાર પદ્ધતિ પૈકીની એક ખુબ પ્રચલિત સારવાર પદ્ધતિ સુજોક થેરાપી ની એક દિવસીય કાર્યશાળા સુરતના લાકોઝ ક્લબ ખાતે તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ.

આ કાર્યશાળામાં સુજોક થેરાપીના પ્રણેતા પ્રો. પાર્ક જે, વુ ના સુપુત્ર અને આંતર રાષ્ટ્રીય સુજોક એસોસીએશનના પ્રમુખ ડો. પાર્ક મીન્ચુલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

What is SUJOK?

Sujok is actually a combination of two Korean words; namely “Su” meaning hands and “Jok” meaning feet. So, Sujok means treating on hands and feet. Sujok acupuncture is a natural therapy of healing without drugs or medications.

ડો. પાર્ક મિન્ચુલે વિશ્વભરમાં ચાલી રહેલી સુજોક ગતિવિધિઓ, વૈશ્વિકસ્તરે ભારતનું મહત્વ તથા ભારત દેશમાં સુજોક થેરાપીને કાયદાકીય માન્યતા મળે તે માટે કરાઇ રહેલા વિવિધ પ્રયાસો વિશે સ્થાનિક સુજોક પ્રિય લોકોને વાકેફ કર્યા હતા.

વધુમાં તેમણે ગુજરાતભરમાંથી સ્વસ્થ સમાજના ઘડતર માટે તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.

સુરત ખાતેની સુજોકની એક દિવસીય કાર્યશાળાના અંતમાં ડો. પાર્ક મિન્ચુલે સમાજના શ્રેષ્ઠીઓ સાથે  પણ સુજોક ઉપચાર પદ્ધતિની ઉપયોગીતા તથા સમાજમં સુજોક થેરાપીના માધ્યમથી સમાજના છેવાડાના માનવીને પણ યોગ્ય ઉપચાર મળી રહે તે માટે અપીલ કરી હતી.

આ એક દિવસીય કાર્યશાળામાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, વલસાડ, ભાવનગર વગેરેથી મોટી સંખ્યામાં સુજોક થેરાપીસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળામાં યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પાટીલ, સંગઠન મંત્રી  ધવલ પાઠક, આઇ.એસ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ રાજુલ પંડ્યા, ઉપપ્રમુખ સીમા દામાણી, સંગઠન મંત્રી પિયુષ રાજ્યગુરુ, ટ્રેઝરર રોમા પંડ્યા, સંયોજક પવન જુનજુનવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા લાકોઝ ક્લબના ડાયરેક્ટર બી.કે. ચૌધરી, નીતીન નરવાણી, ડો.કુલ્સુમ વાહેદકલામ, પીયુષભાઇ પટેલ, ઇશાની, પીનલ ભંડારી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Please let us inform for your News, Media coverage, Events reporting etc, on 98253 44944