CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 70 of 78 - CIA Live

October 22, 2018
surat_district_co_bank_logo.jpg
5min7150

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ તા.૨૨/૧૦/૨૦૧૮ ના રોજ કેદારેશ્વર મંદિર, બારડોલી ખાતે શાનદાર રીતો યોજાયો હતો. આ આ સમારંભમાં ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇ, મોટીવેશનલ સ્પીકર શ્રી મેહુલ ઠક્કર, બેંકના CA શ્રી મીતિષભાઈ મોદી, ડીરેકટર શ્રી દિલીપભાઈ ભક્ત, શ્રી પ્રભુભાઇ વસાવા, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી કિરણભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી નારણભાઈ દોનવાળા, મેનેજીંગ ડીરેકટર શ્રી ઈન્દ્રસિહ મહીડા અને જેજીએમ શ્રીઓ, એજીએમ શ્રીઓ, બેંક કામદાર સંઘના પ્રમુખશ્રી તેમજ બેંકના સ્ટાફ હાજર રહ્યો હતો. આજે ઇનામ પામનારા તમામને બેંકના પદાધિકારીઓએ બિરદાવતા અનેક શુભેચ્છાઓ આપી હતી.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની સાથોસાથ “બ્લડ ડોનેશન” કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓં, સ્ટાફએ ભાગ લીધો હતો.

કોને કોને ઇનામો મળ્યા

 

October 20, 2018
9-1280x853.jpg
1min21410

જયેશ બ્રહ્મભટ્ટ, 98253 44944

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુને આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનાવૃત કરે એ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર એકતા રથયાત્રા ફેરવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરત શહેરમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીના નેતૃત્વમાં એકતા રથયાત્રાને ફરાવવામાં આવી રહી છે. અશ્વ દળની આગેવાની, 300થી વધુ બુલેટ બાઇક ધારક યુવાનોની ફૌજ અને એ પછી સરદાર વલ્લભભાઇના પ્રતિક સાથેના એક્તા રથને નિહાળીને પશ્ચિમ સુરતવાસીઓ બોલી ઉઠ્યા કે સરદારની આ એકતા રથયાત્રા પૂરી આન, બાન અને શાનથી નીકળી છે.

આજે એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે શહેર મેયર શ્રી જગદીશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારાસન, સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલા, ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી,

(આજરોજ તા.20મી ઓક્ટોબર 2018ના રોજ એકતા રથયાત્રાને સુરત પશ્ચિમ મત વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાનું મેનેજમેન્ટ કરી રહેલા શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી નિરવ શાહ)

સુરત પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લાકોએ એક્તા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. હજારો લોકો સ્વયંભુ એકતા રથયાત્રામાં જોડાયા હતા. સવારે 9 વાગ્યે તાપી કિનારે રામજી મંદિર પાસેથી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજા અર્ચના બાદ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને એકતા રથયાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અડાજણ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પસાર થયેલી એકતા રથયાત્રાને સ્થાનિક રહેવાસીઓ, ભાજપાના કાર્યકરો, સંસ્થાઓ વગેરે દ્વારા ઠેરઠેર ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

(એકતા રથયાત્રાની સુરત પશ્ચિમ મત વિસ્તારમાં  અશ્વદળએ આગેવાની લીધી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રામાં બુલેટ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા)

એકતા રથયાત્રાની પશ્ચિમ વિસ્તારની યાત્રા દરમિયાન કાર્યકરોએ માથે સાફા પહેર્યા હતા. ખાસ કરીને કેસરીયા સાફા સાથેને સેંકડો કાર્યકરોની હાજરીમાં રથયાત્રા આકર્ષક લાગતી હતી. મહિલા કાર્યકરો પણ માથે સાફો પહેરીને એકતા રથયાત્રામાં જોડાઇ હતી. આજની આ રથયાત્રાની આગેવાની ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, ભાજપાના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી અશોક ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ શ્રી મેહુલ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, અડાજણના શ્રી મહેશભાઇ પટેલ (વિદ્યાકુંજ), અડાજણના શ્રી હેમંતભાઇ પટેલ, સ્થાનિક વોર્ડ હોદેદારો કાર્યકરો, યુવા પાંખ, મહિલા પાંખ, જુદા જુદા મોરચાના સભ્યો, કાર્યકરો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ એકતા રથયાત્રાના નેતૃત્વમાં)

(અડાજણના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સર્વશ્રી મેહુલભાઇ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, સ્થાનિક આગેવાનો સાફા સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાને પ્રસ્થાન પૂર્વે પૂર્ણેશભાઇ મોદી અને અનિલભાઇ ગોપલાણીએ પૂજા અર્ચના કરી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા)

October 20, 2018
Harsh_shangvi.jpg
1min321860

(છેલ્લા 6 વર્ષથી હર્ષ સંઘવી તાપી જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ફાઇલ ફોટો)

સિંચાઇ વિભાગ, સુરત મહાનગરપાલિકા, પ્રદુષણ નિયંત્રણ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તાપીના મામલાઓમાં ઇરાદાપૂર્વક કામગીરી કરતા ન હોવાથી આજે મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં રાજનીતિક મર્યાદાથી પર રહીને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જે ઉધડો લીધો, તંત્રવાહકોમાં ફફડાટ મચી ગયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરના વિકાસમાં તાપી નદી જેટલું યોગદાન કદાચ કોઇનું ન હોય. 50 લાખથી વધુ સુરતીઓની પાણીની જરુરીયાત પૂરી કરતી તાપી નદીના જતન માટે સુરતના સ્થાનિક વહીવટીતંત્રો સાવ નફ્ફટાઇપૂર્વક કોઇ જ કામ કરતા નથી. જે થાય છે એ ફક્ત શૉમેનશીપ માટે થાય છે. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી લાગતી કે જો તાપી માતા સાચે જ હોત તો નઘરોળ તંત્રવાહકો તેમને ઘરડાં ઘરમાં નાંખી આવે તેવા ઘાટ હાલમાં તાપી નદીના થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી તાપી નદીના જતન-જાળવણીના મુદ્દે સ્થાનિક તંત્રવાહકોનો ખેલ જોઇ રહેલા મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનો આજે પિત્તો ગયો હતો અને આજે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ તાપી નદીના મુદ્દે જે આક્રમક વલણ અપનાવ્યું તે જોતા હવે તંત્રવાહકો દોડતા થશે એમ લાગે છે. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે હર્ષ સંઘવી એટલા આક્રમક હતા કે જો તેમની પાસે પાવર હોત તો એકાદ બે અધિકારીઓને આજે ઘરે બેસી જવું પડ્યું હોત.

(અગાઉ લેવાયેલા નિર્ણયો બાબતે તંત્રવાહકો કોઇ જ નક્કર કામ નહીં કરતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પિત્તો એવો ગયો કે હવે તંત્રવાહકો દોડતા થઇ જશે, પ્રસ્તુત ઇમેજ હર્ષ સંઘવીએ તાપીના મુદ્દે અગાઉ કરેલી ટ્વીટની છે. )

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે સિંચાઇ વિભાગ હોય, સુરત મહાનગરપાલિકાનું તંત્ર હોય કે પછી પ્રદૂષણ નિયંત્રણ ખાતું અને ખાણ-ખનીજ ખાતું હોય, તાપી નદીના પ્રોજેક્ટસ માટે દરેકની ચોક્કસ ભૂમિકા છે, દરેક તંત્રએ કોઇને કોઇ કામગીરી કરવાની રહે છે, પણ છેલ્લા ઘણાં વર્ષોથી જોઇ રહ્યો હતો કે તમામ તંત્રવાહકો એક બીજા પર ખો આપીને તાપી નદીની જાળવણીની પ્રાથમિક જરૂરીયાતથી દૂર ભાગી રહ્યા હતા. આજે મારે અસ્સલ સુરતી ભાષામાં તેમને સમજાવવા પડ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે તાપી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાપીનું જતન નહીં થાય તો કશું નહીં રહે. પાણી વગરના વૈશ્વિક શહેરોની સ્થિતિ આપણે જોઇ રહ્યા છે. જેના પર આપણે સૌ નિર્ભર છીએ તેની જાળવણી માટે જો તંત્રવાહકો કંઇ નહીં કરે તો તેમની સામે આકરાંમાં આકરાં પગલાં ભરાવીશ. આજે મેં જે ભાષા, જે અભિગમથી વાત કરી છે તેનાથી વધુ આક્રમક થઇને હવે તાપી નદીની જાળવણીનો મુદ્દો ઉપાડીશ.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી નદીના શુદ્ધિકરણ તેમજ ડ્રેજિંગ બાબતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના સ્ટેન્ડ પછી જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલએ પણ સ્થાનિક અધિકારીઓને નક્કર કામગીરી કરવા સંદર્ભે ચીમકી આપી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આજે જ શનિવાર, તા.20મી ઓક્ટોબર 2018ના રોજ સાંજે 4 વાગ્યે કલેક્ટરે સિંચાઇ વિભાગ તેમજ તાપી નદીના પ્રોજેક્ટને સ્પર્શતા વિભાગોના અધિકારીઓ સાથે મિટીંગ યોજી છે.

October 19, 2018
seva4-1.jpg
1min13120

રોટી એ કોઈ પણ મનુષ્યની મુખ્ય જરૂરિયાત હોય છે . મનુષ્ય કોઈ પણ જરૂરિયાત ને ઘટાડી શકે છે પરંતુ શરીર નું પોષણ કરવામાટે જરૂરી રોટી અને પાણીની જરૂરને કોઈ પણ રીતે  ટાળવી શક્ય નથી. વિધિની વક્રતા યાતો પછી નસીબજોગે અગર કોઈ વ્યક્તિને ભોજન વગર રહેવું પડે તો  તેનાથી વધુ દારુણ દુઃખ આ દુનિયામાં બીજું એકેય નથી.આપણા સુરત શહેરમાં ઘણી મોટી સંખ્યામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો એક વર્ગ રહેછે . તેમનામાંથી ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહે છે .તેમને ઘણી વાર વિવિધ કારણોસર આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

સેવા ફાઉન્ડેશન તબીબી ક્ષેત્રે અને એમ્બ્યુલન્સની સગવડ કરાવવા ઉપરાંત બીજી અનેક પ્રકારની સેવાઓ  જરૂરિયાતમંદ લોકોને  ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહયું છે . સેવા ક્ષેત્રમાં હંમેશા વ્યસ્ત રહેનાર સંસ્થાએ જ્યારે તબીબી સુવિધા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાના કાર્ય દરમિયાન જોયું કે અહીં તો ભોજનની સમસ્યા પણ છે એટલે પછી આ દિશામાં પોતાના પ્રયાસો શરુ કરી દીધા.

સુરત શહેરમાં ઘણી બધી સંસ્થાઓ ભોજન ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે .તેમાંની એક છે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે ઓછામાં ઓછી કિંમતે પૌષ્ટિક ભોજન આપવાનું કામ કરેછે . જમણની ગુણવત્તા એટલી સારી હોય છે કે ટ્રસ્ટી મંડળના સભ્યો પણ આ ભોજન લેછે .આવી સમાજ ને સમર્પિત સંસ્થાના સહયોગથી આજે અન્નપૂર્ણા સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે સેવા ફાઉન્ડેશન માટે ગૌરવની બાબત છે.આ અન્નપૂર્ણા રથ ગરીબ અને પછાત વિસ્તારના  જરૂરિયાતમંદ લોકોને ફક્ત ૧૦ રૂપિયામાં ભોજન આપશે.

તા.17મી ઓક્ટોબર 2018ના રોજ પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા.17મી ઓક્ટોબર 2018ના રોજ ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું.આ સિવાય જે જરૂરિયાત વાળી વ્યક્તિ હશે તેમને માટે આ વ્યવસ્થા કાયમ માટે રાખવામાં આવશે.કોઈ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ માટે ભોજનની ઓછામાં ઓછી કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવી છે .

આ પ્રસંગે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા તથા સેવા ફાઉન્ડેશન આ પ્રસંગે બધા સહયોગી અને મદદકર્તાઓનો આભાર માને છે અને અભિનંદન પાઠવે છે.

સમારંભમાં જે પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહયા તેમાં મુખ્ય મહેમાબ તરીકે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સૂર્યકાન્ત જ।લાન, સુરતના મેયર ર્ડો.જગદીશ પટેલ, અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ જે પી અગ્રવાલ , છાંયડોના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ, માનવ સેવા ટ્રસ્ટના જયરામભાઈ શાહ, વિનોદ અગ્રવાલ, કિશોરભાઈ વિન્દલ, શ્રીમતી સુષમા અગ્રવાલ, શ્રીમતી રૂપલ શાહ, ગુરુ નાનક હોસ્પિટલના ગોવિંદજી અને સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ રાજીવ ઓમર ખાસ ઉપસ્થિત રહયા હતા.

 

October 16, 2018
Parliamentsurat1.jpg
1min7590

पिछले रविवार, ता.14 अक्टुबर 2018 को शहरमां रचनात्मक कार्यक्रमो के आयोजन कर रहे अग्रवाल विकास ट्रस्ट द्वारा “हमारी संसद” कार्यक्रम का आयोजन किया गया था. कार्यक्रम सफल रहा इसकी अनुभूति कार्यक्रम में सांसद, मिनिस्टर, स्पीकर एैसी अलग अलग भूमिका अदा करने वाले स्थानिय युवक-युवतिओने शेयर किए अपने अनुभवो से प्रतीत होता है.

अग्रवाल विकास ट्रस्ट का हमारी संसद कार्य़क्रम इसिलिए भी सराहनिय रहा क्यूंकी इसमें पार्ट लेने वाले सभी छोटे-बडे पार्टीसिपेट्सने समाज को रचनात्मक राजनिती कैसे कि जाती है उनकी भी एक झांकी कराइ है.

(शहर के जाने माने चार्टर्ड अकाउन्टन्ट श्रीबालकृष्ण अग्रवालजी ने हमारी संसद कार्यक्रम में कांग्रेस के मध्यप्रदेश के कदावर नेता श्री ज्योतीरादित्य सिंधिया कि भूमिका अदा कि)

(शहर कि जानी-मानी पत्रकार जिज्ञासा सोलंकीने हमारी संसद कार्यक्रम में स्पीकर कि भूमिका अदा कि)

ऐसा लगा मानो सच में संसद भवन में हूं ः जिज्ञासा सोलंकी, पत्रकार-सुरत

शहर कि जानी-मानी जर्नलिस्ट जिज्ञासा सोलंकी को हमारी संसद कार्यक्रम में स्पीकर के तौर पर आमंत्रित किया गया था. अपने इस अनुभव को बयां करते हुए जिज्ञासा सोलंकीने बतायां कि स्पीकर सुमित्रा महाजन के कैरेक्टर में हम ऐसे “घूसे” कि पूछो मत! गार्ड्स के साथ संसद भवन में जब एंट्री ली तब गजब की फिलिंग आई।कुछ पलों के लिए तो ऐसा लगा कि हम सचमूच दिल्ली के संसद भवन में पहुंच गए।

आगे बताते हुए जिज्ञासा सोलंकी ने कहा कि वहां मौजूद सांसद ने भी कमाल का परफॉर्मेंस दिया। बिल्कुल संसद भवन जैसा माहौल बना दिया था। रूलिंग पार्टी और अपोजिशन पार्टी के बीच आरोप-प्रत्यारोप हुए, बहस हुई, और तो और कुर्सियां भी टूटी। इस मामले में तो उन्होंने दिल्ली वालों को भी पीछे छोड़ दिया। स्पीकर महोदया बार-बार लोगों से संसद की गरिमा बनाए रखने की अपील करती रही, लेकिन यहां कौन है जो उनकी बात सुनता। इस बात से हमें हमारी स्पीकर की परिस्थिति का अंदाजा भी हुआ कि इनके लिए तो यह रोज का मामला है।

 

October 16, 2018
Nirav_shah-1280x622.jpg
1min21390

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાંડુત ગામે ઘનકચરાના નિકાલની પ્રપોઝ્ડ સાઇટની સમસ્યા હોય કે સુરતની ચોપાટીની ગંદકી હોય કે અડાજણ વિસ્તારમાં સેનિટેશનની સમસ્યા હોય કે પછી કેબલ સ્ટેઇડ બ્રિજના અડાજણ છેડે ટ્રાફિકનો વકરેલો પ્રશ્ન હોય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન ડેપ્યુટી મેયર નિરવ શાહ સ્પોટ પર પહોંચીને પાલિકાના સંબંધિત અધિકારીઓને તેડાવીને ઓન ધ સ્પોટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે અને તેઓ મહદઅંશે સફળ રહ્યા છે. અહીં બિટવીન ધ લાઇન્સ એ પણ સંદેશો નીકળે છે કે અત્યાર સુધી સુરતમાં ડેપ્યુટી મેયર પદને રબર સ્ટેમ્પ, શોભાના ગાંઠીયા કે માત્ર કોઇકને ખુશ કરવા માટે આપી દેવાતું પદ મનાતું હતું, પણ જ્યારથી નિરવ શાહ ડેપ્યુટી મેયર પદે આરુઢ થયા છે એ પછી એમણે જે કામગીરી કરીને લોકસમસ્યાઓનો નિવેડો લાવ્યા છે, એ વાત માનવી પડશે કે ડેપ્યુટી મેયર પદેથી શું ન કરી શકાય.

(Nirav Shah @ Chowpati with SMC Officials)

હકીકતમાં એ વાત પણ નિશ્ચિત બની છે કે જે રીતે ડેપ્યુટી મેયર પદે રહીને નિરવ શાહ હાઇપ્રોફાઇલ, લીડ લઇને કામો કરી રહ્યા છે એ જોતા હવે પછીના ડેપ્યુટી મેયરોએ પણ નવા ટ્રેન્ડમાં સતત દોડતા રહેવું પડશે. એવું નથી કે નિરવ શાહ ફક્ત અડાજણ વિસ્તારમાં જ કે જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં ના પ્રશ્નો માટે પ્રયત્નશીલ છે, તેઓ શહેરના ડેપ્યુટી મેયર છે એટલે સમગ્ર શહેરમાં કનડતા પ્રશ્નોનો નિવડો લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

(Nirav Shah @ Cable Stayed Bridge Adajan side with SMC officials)

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાયા એ દિવસથી જ ટ્રાફિકની સમસ્યા હતી

શહેરને માટે નજરાણું બનેલો તાપીનદી ઉપરનો કેબલ સ્ટેઈડ બ્રિજ ઉદ્દઘાટન પછીના કલાકમાં જ ચક્કાજામનો ભોગ બન્યો હતો. ખાસ કરીને બ્રિજના અડાજણ તરફના છેડે ઓવરબ્રિજની નીચે સર્જાતા જંકશન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિને લીધે આવુ થયું હતું. આનેલીધે કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ-પાલ તરફ જતા ટ્રાફિકને સ્ટારમોલવાળા જંકશન ક્રોસ કરવાનું બંધ કરાવીને ફરજિયાત લેફ્ટ ટર્ન લેવાની ફરજ પડાઈ હતી. જોકે, આ ટ્રાફિકને એલ.પી. સવાણી રોડ તરફ જવુ હોય તો તેના માટે રાધાસ્વામી આશ્રમ પાસે ઓવરબ્રિજ પૂરો થાય ત્યાંથી યુ-ટર્ન લેવો પડતો હતો. આવી સ્થિતિમાં ઓવરબ્રિજ ઉપરથી હજીરા તરફ જતો સીધો ટ્રાફિક પણ ખોરવાતો હતો. છેલ્લાં પખવાડિયાથી આવી સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો.

સમસ્યા ઉકેલવા ડે.મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ સોલ્યુશન શોધાવ્યુ

ટ્રાફિક સરળ થાય તે માટે કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવ્યો. જોકે, તેના બદલે અડાજણ છેડે ફલાય ઓવરબ્રીજ પર ઉતરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. એટલે, તેના ઉકેલ માટે સોમવારે ડે. મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ ઉકેલ શોધાવવા મથામણ આદરી હતી.

સિટી ઇજનેર ભરત દલાલ, ડે. કમિશનર સી. વાય. ભટ્ટ, ડે. કમિશનર આર. જે. પંડ્યા, બ્રિજસેલના કાર્યપાલક ઇજનેર અક્ષય પંડ્યા અને ટ્રાફિક વિભાગના કાર્યપાલક ઇજનેર તૃપ્તિબેનને સ્થળ પર બોલાવ્યા હતાં. તેમની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમને પણ વાસ્તવિક સ્થિતિ શું સર્જાય છે, તેનું અવલોકન કરાવ્યું હતું.

દરેક સમસ્યાનો એક ઉકેલ જરૂર હોય જ

સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ તરફ આવતા અને એલ.પી. સવાણી રોડ તરફ જતા ટ્રાફિકને માટે ફલાય ઓવરબ્રિજની નીચેથી જ યુ-ટર્ન લઈ શકાય તેવું આયોજન કરવાનો વિકલ્પ નક્કી કરાયો હતો. આ માટે આગામી બે-ત્રણ દિવસમાં આર.સી.સીની પરદી, સિમેન્ટ કર્બસ્ટોનથી વ્યવસ્થા ઉભી કરી દેવાશે, તેવું ડે.મેયર નિરવ શાહનું કહેવું હતું.

(Nirva Shah @ Bhandut, Olpad. the Proposed Sight of Solid Waste Disposal by SMC)

October 12, 2018
sachin_sandip.jpg
1min7640

સુરતના સચીન પોલીસ મથકની હદમાં આવતા કનકપુર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પરપ્રાંતીયોની વસતિ વસે છે એ કનકપુર ખાતે સુરત શહેરની સૌપ્રથમ વાયફાય અને સીસીટીવી કેમેરાથી સજ્જ પોલીસ ચોકીનું લોકાર્પણ તા.11મી ઓક્ટોબરના રોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.

2014માં સુરત મહાનગરપાલિકાએ પોલીસ ચોકી બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી હતી, એ સમયે તત્કાલિન પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ ખાતમૂહુર્ત કર્યું હતું. પરંતુ, એ પછી પોલીસ ચોકીનું બાંધકામ સંજોગોવસાત્ વિલંબમાં પડ્યું હતું. બાદમાં થોડા સમય પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માએ સચીન પી.આઇ. શ્રી આર.જે. ગોહિલને કનકપુર ચોકીના બાંધકામ માટે સૂચના આપતા આખરે કનકપુર નગરપાલિકા તેમજ લોકભાગીદારીથી કનકપુર પોલીસ ચોકી તૈયાર કરી દેવાઇ હતી. રૂ.6.30 લાખના ખર્ચે જનભાગીદારીથી કનકપુર પોલીસ ચોકીમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવી છે.

તા.11મી ઓક્ટોબરના રોજ પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માએ વિધિવત રીતે કનકપુર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો શ્રી સંદીપ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

કનકપુર પોલીસ ચોકીના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સંદીપ દેસાઇ

October 11, 2018
shott-1280x859.jpg
1min6320

સુરત : મહિલાઓ માટે ભારતમાં પહેલી વખત ટુ જોકર્સ ઇવેન્ટ દ્વારા ડુમસરોડ સ્થિત ગુજરાતનું પહેલું ફુલ્લી ફેમીલી એન્ટરટેઈનમેન્ટ સેંટર શોટ ખાતે ફની ઔરતો કી સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નામાંકિત મહિલા હાસ્ય કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરીને સૌને હાસ્યથી તરબોળ કરી મુક્યા.

આ કાર્યક્રમમાં કોમીસ્તાન ફેમ સેજાન ભટ્ટ, ધ ક્વીન્સ ઓફ કોમેડી ઉરુજ અસ્ફાક અને આયુષીજાંગડ તથાસુરતની હાસ્ય કલાકાર હેત્વીહાટડીયા, તિથી દેસાઈ અને નીતિ મિત્તલે પોતાની હાસ્ય અને વ્યંગથી ભરપુર વાતો રજુ કરીને સૌને લોટપોટ કરી મુક્યા હતા. આ કાર્યક્રમમાં 100 મહિલાઓએ ભાગ લીધો હતો.

-x-x-x-x-

October 10, 2018
sarsana1-1280x720.jpg
1min12020
  • અરિહંત ગ્રુપ દ્વારા એશિયાની બિગેસ્ટ
  • કરીંગટોન નવરાત્રી2018નું સરસાણા એસી ડોમ ખાતે ભવ્ય આયોજન
  • બોલીવુડ અને ઢોલીવુડના સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર નવ દિવસ સુધી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે
  • દરરોજ 15 હજાર ખેલૈયા
  • મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમની ટીમ

સુરત : ગુજરાતનું મહાપર્વ ગણાતો નવરાત્રિ મહોત્સવની આ વર્ષે પણ સુરતીઓ રંગેચંગે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતીઓ માટે નવરાત્રિની નવલી રાતોને ગરબામય બનાવવા માટે સુરતના અરીહંત ગ્રુપ દ્વારા સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એરકન્ડીશન્ડ ડોમમાં ભારતની જ નહીં બલ્કે એશિયાની અનોખી નવરાત્રિનું સેલિબ્રેશન થશે, એશિયામાં એરકન્ડીશન્ડ અને બેસ્ટ એમ્બિયન્સ સાથે સૌથી મોટી નવરાત્રી પણ આ જ ગ્રુપની મનાય છે. અરીહંત ગ્રુપ પ્રેઝેન્ટ કરીંગટોન નવરાત્રી મહોત્સવમાં સતત નવ દિવસ સુધી બોલીવુડ અને ઢોલીવૂડના સિંગર તેમજ મ્યુઝિક ડીરેક્ટર પોતાના સુર અને તાલ રેલાવીને ગરબાના તાલે સુરતીઓને નચાવશે.

આ વ્યક્તિના આયોજનને લીધે સુરત નવરાત્રિ માટે આખા દેશ-વિદેશોમાં વખણાય રહ્યું છે

(હિરેન કાકડીયા, જી-નાઇન ગ્રુપ, નવરાત્રી આયોજક સરસાણા એ.સી. કન્વેન્સન સેન્ટર, સુરત)

હિરેન કાકડીયા. આમ તો નવું નામ નથી. પણ આ વ્યક્તિના આયોજનને લીધે છેલ્લા 2 વર્ષથી સુરતનું નામ નવરાત્રિના સમયે ભારતમાં જ નહીં બલ્કે દેશ-વિદેશમાં વખણાય છે. સુરત નવરાત્રિ માટે જ્યારે સર્ચ એન્જિન પર સર્ચ કરો કે કોઇ દક્ષિણ ગુજરાતના કોઇ એન.આર.આઇ.ને પૂછીએ તો તરત જવાબ મળે કે સરસાણા કન્વેન્શન સેન્ટર, અથવા તેનો ફોટો દેખાડે. જી હા. આ હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં. સુરતની નવરાત્રિ પણ હવે અમદાવાદ-વડોદરાની જેમ વખણાય રહી છે. એવું કહી શકાય કે સુરતમાં ઇન્ડોવેસ્ટર્ન નવરાત્રિની ધૂમ હોય છે. વડોદરા અને અમદાવાદમાં શાસ્ત્રીય (ક્લાસીકલ) બેઝ નવરાત્રિ રમાતી હોય છે જ્યારે સુરતમાં હાઇફાઇ સાઉન્ડ, ઇન્ડો વેસ્ટર્ન વેયરીંગ્સ અને એરકન્ડીશન્ડ પ્લે એરીયાને લીધે સુરતની નવરાત્રિ હાલમાં વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની છે અને તેનું કારણ પણ આયોજક હિરેન કાકડીયા અને તેમની ટીમ બની છે. છેલ્લા બે વર્ષથી હિરેન કાકડીયા સુરતના કન્વેન્શન સેન્ટરમાં નવરાત્રિનું જડબેસલાક આયોજન કરી રહ્યા છે.

  • પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલનું આકર્ષણ હશે

આ અંગે આયોજક હિરેન કાકડિયા અને વિલાસ પટેલે જણાવ્યુ હતું કે આ વર્ષે સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એસી ડોમમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 15 હજાર ખેલૈયા ઉપસ્થિત રહેશે. વિશેષ વાતએ છે કે આ ખુલ્લી એસિ ડોમ હોવાની સાથે વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં વિઘ્નરૂપ નહીં બને. જેમાં મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમના બેન્ડ સાથે ખેલૈયાઓને ડોલાવસે તેમજ પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલ ગરબાના સૂર અને તાલ રેલાવશે. લોકોમાં શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થાની સાથે જ શ્રેષ્ઠ સાઉન્ડ સીસ્ટમ,આકર્ષક લાઈટીંગ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું નહિ પણ ખેલૈયાઓ માટે ઇનામોની પણ વણઝાર રહેશે.

 

October 9, 2018
surat_police.jpg
1min22430

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6