જયેશ બ્રહ્મભટ્ટ, 98253 44944
વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુને આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનાવૃત કરે એ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર એકતા રથયાત્રા ફેરવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરત શહેરમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીના નેતૃત્વમાં એકતા રથયાત્રાને ફરાવવામાં આવી રહી છે. અશ્વ દળની આગેવાની, 300થી વધુ બુલેટ બાઇક ધારક યુવાનોની ફૌજ અને એ પછી સરદાર વલ્લભભાઇના પ્રતિક સાથેના એક્તા રથને નિહાળીને પશ્ચિમ સુરતવાસીઓ બોલી ઉઠ્યા કે સરદારની આ એકતા રથયાત્રા પૂરી આન, બાન અને શાનથી નીકળી છે.

આજે એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે શહેર મેયર શ્રી જગદીશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારાસન, સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલા, ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી,

(આજરોજ તા.20મી ઓક્ટોબર 2018ના રોજ એકતા રથયાત્રાને સુરત પશ્ચિમ મત વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાનું મેનેજમેન્ટ કરી રહેલા શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી નિરવ શાહ)
સુરત પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લાકોએ એક્તા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. હજારો લોકો સ્વયંભુ એકતા રથયાત્રામાં જોડાયા હતા. સવારે 9 વાગ્યે તાપી કિનારે રામજી મંદિર પાસેથી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજા અર્ચના બાદ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને એકતા રથયાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અડાજણ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પસાર થયેલી એકતા રથયાત્રાને સ્થાનિક રહેવાસીઓ, ભાજપાના કાર્યકરો, સંસ્થાઓ વગેરે દ્વારા ઠેરઠેર ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

(એકતા રથયાત્રાની સુરત પશ્ચિમ મત વિસ્તારમાં અશ્વદળએ આગેવાની લીધી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રામાં બુલેટ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા)
એકતા રથયાત્રાની પશ્ચિમ વિસ્તારની યાત્રા દરમિયાન કાર્યકરોએ માથે સાફા પહેર્યા હતા. ખાસ કરીને કેસરીયા સાફા સાથેને સેંકડો કાર્યકરોની હાજરીમાં રથયાત્રા આકર્ષક લાગતી હતી. મહિલા કાર્યકરો પણ માથે સાફો પહેરીને એકતા રથયાત્રામાં જોડાઇ હતી. આજની આ રથયાત્રાની આગેવાની ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, ભાજપાના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી અશોક ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ શ્રી મેહુલ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, અડાજણના શ્રી મહેશભાઇ પટેલ (વિદ્યાકુંજ), અડાજણના શ્રી હેમંતભાઇ પટેલ, સ્થાનિક વોર્ડ હોદેદારો કાર્યકરો, યુવા પાંખ, મહિલા પાંખ, જુદા જુદા મોરચાના સભ્યો, કાર્યકરો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ એકતા રથયાત્રાના નેતૃત્વમાં)

(અડાજણના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સર્વશ્રી મેહુલભાઇ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, સ્થાનિક આગેવાનો સાફા સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાને પ્રસ્થાન પૂર્વે પૂર્ણેશભાઇ મોદી અને અનિલભાઇ ગોપલાણીએ પૂજા અર્ચના કરી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા)