CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 70 of 79 - CIA Live

November 19, 2018
mahiti2.jpg
1min6740
  • ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ
  • મીડિયા સમાજના સંદેશાવાહક, ચોકીદાર અને શિક્ષકની ત્રિવિધ ભૂમિકા ભજવી રહ્યું છે: સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા
  • ડીજીટલ મીડિયાના યુગમાં આજે પણ અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છેઃ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક
  • અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝુમતા પત્રકારો સમાજને દિશા દર્શન કરવાની સરાહનીય ફરજ બજાવે છેઃ ભાવસિંહ રાઠવા
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.
સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.
         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.
               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે.
આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.
           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.
       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી.
સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.
               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
November 19, 2018
smimer-1280x523.jpg
1min6140

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલની 5 નંબરની લિફ્ટમાં ગઇ રાત્રે એક સગર્ભા મહિલા સમેત 6 લોકો ફસાઇ જતા ભારે બૂમાબૂમ થઇ ગઇ હતી. એક તબક્કે કંઇ મોટી ઘટના બન્યાની શંકાએ લોકોમાં ગભરાટ મચી ગયો હતો. મોડી રાત્રે સ્મીમેરની લિફ્ટમાં લગભગ પોણો કલાક જેટલા સમય તમામ ફસાયેલા રહ્યા હતા. ફાયર બ્રિગેડે સગર્ભા મહિલા સમેત અન્ય 1 પેશન્ટ અને 108ના 3 કર્મચારીઓ તેમજ એક દર્દીના સગા એમ ફસાયેલા 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા ત્યારે તમામને જીવ હેઠો બેઠો હતો. સગર્ભા મહિલાને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી હતી.

ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિએ માહિતી આપતા કહ્યું હતું કે રવિવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે વડોદ-પાંડેસરાથી પ્રસૂતાને એડમિટ કરવા અંગેનો ફોન આવ્યો હતો . વર્ષાદેવી શર્માને પૂરા માસની પીડા ઉપડતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા, જ્યાં તેમને 5 નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. પ્રારંભમાં થોડી મિનિટો સુધી લિફ્ટ પૂર્વવત ન થતાં તમામ ગભરાયા હતા, જોત જોતામાં તો 50 મિનિટ સુધી લોકો લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. છેવટે મદદ માટે ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો અને તેમના જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. તે પછી બધાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

 

November 17, 2018
diamondsurat-1280x720.jpg
1min5710

વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી. હાલમાં દિવાળી વેકેશન અંતિમ તબક્કામાં છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં હજુ તા. 1 ડિસેમ્બર 2018 સુધીનો સમય લાગી જાય તેમ જણાય આવે છે. સુરતમાં સૌથી પહેલા મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતા હજું પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે, આ રૂએ નાના હીરાના કારખાનાઓને કામ મળતા હજુ પખવાડીયું નીકળી જાય તેમ છે.

સુરતમાં દિવાળી પહેલાથી મંદી હતી, અમદાવાદમાં વિપરીત સ્થિતિ

દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી. દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર જોવા મળ્યા નહોતા અને દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માંગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. આમ, સુરતના જ હીરા ઉદ્યોગના કારખાનાઓમાં કારીગરો માટે કામ મળતું નથી એ બાબત પણ હવે તપાસનો વિષય બની છે.

સુરતના હીરા ઉદ્યોગના મોટા યુનિટોમાં તા. 20 નવેમ્બરથી કામકાજ શરૂ કરશે જ્યારે અન્ય યુનિટો 25 નવેમ્બર અને 1 ડિસેમ્બરથી કાર્યરત થશે. એટલે કે કુલ ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થશે. એવું જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું. ક્રિસમસ માટેના ઓર્ડરો પૂરા કરવા પર યુનિટો ધ્યાન આપશે અને એકંદરે દિવાળી અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ રહેશે એવી અપેક્ષા છે.

સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ 5,000થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ₹80,000 કરોડ જેટલું ટર્નઓવર છે. રફ ડાયમન્ડના ભાવમાં વધારો થવાની સામે પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં એટલો વધારો જોવા મળ્યો નથી અને ડોલરની મજબૂતાઈનો લાભ પણ માત્ર ગણતરીની કંપનીઓને જ મળ્યો હતો.

November 16, 2018
saurashtra-patel.png
1min10180

સુરત આવીને સ્થાયી થયેલી સૌરાષ્ટ્રવાસીઓ સકારાત્મક અને સમાજ ઉપયોગી ક્ષેત્રની વાત કરીએ તો જુદા જુદા ક્ષેત્રમાં ક્રાંતિજનક કાર્ય કરી રહ્યા છે, પછી એ લોક આરોગ્ય હોય, સફાઇ અભિયાન હોય, ગુટખા-તમાકુ વિરોધી પ્રવૃતિ હોય કે અન્ય કોઇ સામાજિક દુષણ હોય. સૌરાષ્ટ્રવાસીઓએ સુરતમાં અનેક રચનાત્મક કાર્યો મોટા પાયે હાથ ધરીને સમાજમાં જાગૃતિ અભિયાનો પાર પાડ્યા છે. હવે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે આત્મહત્યાના દુષણ સામે જંગ છેડી છે અને આ જંગ માટે જે ઉત્સવમાં હજારો, લાખો લોકો જોડાય છે એ સમૂહ લગ્નોત્સવને નિમિત બનાવ્યો છે. સમૂહ લગ્નોત્સવ થકી આત્મહત્યા વિરુદ્ધ જાગૃતિ આણશે એ સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ.

સારાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે સામાજિક જાગૃતિ સાથે સમૂહલગ્નનું આયોજન કરે છે. નવા વર્ષે 60 માં સમૂહલગ્નનું’ આયોજન છે. આ વર્ષે આપાઘાત રોકો થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં 275 જેટલા નવ યુગલ’ લગ્નગ્રંથીથી’ જોડાશે. સમૂહ લગ્ન પહેલા સમાજમાં વિવિધ કાર્યક્રમો યોજીને આપઘાત રોકવા માટેના કાર્યોક્રમો યોજવામાં આવશે.

તા. 17. ફેબ્રુઆરી,2019ના રોજ તમામ નવ યુગલો અને તેમના પરિવારોને આપઘાત નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. સારાષ્ટ્ર પટેલ સમાજ’ દ્વારા 40 હજાર જેટલી કંકોત્રી છાપવામાં આવશે. અને આ કંકોત્રીમાં’ આપઘાત કેવી રીતે ટાળી શકાય એવા સંદેશાઓ દર્શાવાશે. આ સમૂહલગ્ન સમારોહમાં 200 જેટલા એનજીઓ જોડાશે. આ તમામ એનજીઓ આપઘાત રોકવા માટે જુદા જુદા કાર્યક્રમો કરશે. “આપઘાત રોકો’’ ના થીમ કાર્યક્રમોમાં 3000 થી વધુ લોકો ભાગ લેશે.’

સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે લગ્ન મંડપમાં જુદા જુદા સામાજિક સંદેશાઓ આપવાનું પ્લેટફોર્મ બને એવો પ્રયાસ કરીશું. લગ્નમાં ખોટા ખર્ચને બચાવી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું’ એ અંગે સેમિનારોનું આયોજન કરવામાં આવશે. તમામ યુગલો માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 1983 થી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.’ લગ્ન કરવા એટલે પક્ષકારોને આર્થિક રીતે મદદ કરવું એ નહિં પરંતુ સમાજને નવો વિચાર આપવાનો છે. સમાજમાં નવી જાગૃતિ આવે એ માટે પટેલ સમાજ દ્વારા દર વર્ષે વિવિધ થીમો પર સમૂહલગ્નનું આયોજન કરે છે. સમાજમાં દિનપ્રતિદિન આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.’ લોકો આપઘાત કરતાં અટકે અને પરિવાર’ અને સમાજને નવી દિશામાં લઇ જાય તે માટે આ નવા વર્ષે જીવનને નિહાળીને નવી નજરે અંતર્ગત સમૂહ લગ્ન યોજાશે.

November 14, 2018
surat_police.jpg
1min7030

સુરત શહેર પોલીસના ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે હેડ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ વિશેષ કામગીરી બદલ બહુમાન કર્યું હતું.

જેના પરીણામ સ્વરૂપ રાજ્યના ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા (I.P.S.) દ્વારા સુરત શહેરના હે.કો. જયેશભાઈ બાલકૃષ્ણ, ( ડી.સી.બી. પો.સ્ટે.) અને હે.કો. પરેશકુમાર ધીરજલાલ (ડી.સી.બી પો.સ્ટે)ને સપ્ટેમ્બર-૨૦૧૮ નો e-cop of the month અને cyber cop of the month નો એવાર્ડ એનાયત કરવામાં આવી હતી.

પ્રસ્તુત તસ્વીરો સુરત પોલીસના ડીસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની છે.

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી જયેશભાઇ બાલકૃષ્ણને સપ્ટેમ્બર 2018 મહિનાનો ઇ-કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી પરેશભાઇ ધીરજલાલ ને સપ્ટેમ્બર 2018 મહિનાનો સાઇબર કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

 

November 14, 2018
suratairport1.jpg
1min7270

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 5, 2018
smc.jpg
1min34190

સુરત મહાનગરપાલિકાએ દિવાળીના બે દિવસ અગાઉ જ આજે તા.5મી નવેમ્બર 2018ના રોજ તેના કર્મચારીઓને રૂ.3 કરોડ 25 લાખની કુલ રકમનું બોનસ જાહેર કરીને જે તે ચોથા વર્ગના કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જ સીધું જમા કરાવી દીધું છે. કમસે કમ 9800 ઉપરાંત કર્મચારીઓને બોનસની રકમ સીધી બેંકમાં મળી જતા કર્મચારીઓએ દિવાળી સુધરી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના અકાઉન્ટસ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 9811 જેટલા ઓનરોલ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર હતું. આ કર્મચારીઓના બોનસની રકમની ગણતરી કરતા કુલ રૂ.3 કરોડ 25 લાખની જંગી રકમ થઇ હતી. આજરોજ તા.5મી નવેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાના 9811 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર આપી દેવામાં આવી છે. કર્મચારીઓમાં બોનસની રકમ મળતા જ ખુશાલી છવાય જવા પામી છે.

સુરત મહાનગરપાલિકાએ આ બોનસ તાત્કાલિક અસરથી આપવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગના કર્મચારીઓને એવી જ માન્યતા હતી કે આ વખતે દિવાળી બોનસની રકમ વહીવટી ગૂંચને કારણે નહીં મળે. બોનસ અંગે હજારો કર્મચારીઓમાં અનેક શંકા કુશંકા પ્રવતર્તી હતી. પરંતુ, આજે તાત્કાલિક અસરથી ધનતેરસના પર્વે સુરત મહાનગરપાલિકાએ બોનસની રકમ કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જમા કરાવી દઇને તેમની દિવાળી સુધારી દીધી છે.

November 5, 2018
modij.jpg
1min19370

દિવાળી અને નવા વર્ષે ખાસ કરીને નવા વસ્ત્રો તેમજ આકર્ષક અને ફેન્સી વસ્ત્રો પહેરવાની પરંપરા છે, આ વખતે યંગસ્ટર્સમાં વેસ્ટર્ન કે કેઝ્યુઅલ નહીં બલ્કે મોદી જેકેટ્સ, મોદી કુર્તા તેમજ મોદી સ્ટાઇલ પાઇપિંગ બોટમ લહેંગાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાથી શરૂ કરીને 25 હજારના મોદી સ્યુટ્સ યંગસ્ટર્સ ખરીદી રહ્યા છે. આ વખતે દિવાળીમાં મોદી કુર્તા, મોદી જેકેટ્સની ભારે બૂમ સંભળાય રહી છે.

મોદી જેકેટ્સની ડિમાંડને જોતા ખુદ ખાદી ઇન્ડિયાએ પણ મોદી સ્ટાઇલ જેકેટ્સની આખી રેન્જ ભારતીય બજારોમાં મૂકી છે. સુરતમાં પણ ઠેકઠેકાણે ખાદીથી લઇને લીનન ફેબ્રિક્સમાંથી તૈયાર થયેલા મોદી જેકેટ્સ ધૂમ વેચાય રહ્યા છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ તેમજ સિનિયર સિટીઝન્સ, બિઝનેસમેન, નોકરીયાત કોઇપણ વર્ગમાં આ દિવાળીમાં ટ્રેડિશનલ વેયર્સ કરતા પણ વધુ મોદી જેકેટ્સ ચાલી રહ્યા છે.

 

ઇન્ટરનેશનલ લેવલ  પર પણ મોદી જેકેટ્સની ધૂમ

ઇન્ટરનેશનલ લેવલ પર પણ હાલમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહેરે છે એવા મોદી જેકેટ્સની ધૂમ જોવા મળી રહી છે. દક્ષિણ કારીયોના પ્રેસિડેન્ટએ મોદી જેકેટ્સ પહેરવાનો શરૂ કર્યું ત્યારથી તો વિશ્વનો એવો કોઇ દેશ નથી કે જ્યાંથી મોદી જેકેટ્સની ડિમાન્ડ ન આવતી હોય.

ખાદી ઇન્ડિયાની કુલ સાત દુકાનોમાંથી રોજની લગભગ  ૧૪૦૦ જોડી કુર્તા-જૅકેટનો ઉપાડ થાય છે. ખાદી ઇન્ડિયાએ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરે કનૉટ પ્લેસના એના સ્ટોરમાં મોદી જૅકેટ્સ અને મોદી કુર્તાની સિરીઝ લૉન્ચ કરી હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચૅરમૅન વી. કે. સક્સેનાએ મોદી કુર્તા-જૅકેટની શ્રેણીને દેશભરની તમામ દુકાનોમાં વેચવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કનૉટ પ્લેસના સ્ટોરમાં ઑક્ટોબર મહિનામાં કુલ ૧૪.૭૬ કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ નોંધાયું છે જે ગયા વર્ષના સમાન મહિનાના વેચાણની તુલનાએ ૩૪.૭૧ ટકા વધુ છે.

દેશનાં સાત મોટા શહેરો દિલ્હી, કલકત્તા, જયપુર, જોધપુર, ભોપાલ, મુંબઈ અને અર્નાકુલમના સ્ટોર્સમાંથી રોજના ૨૦૦ના હિસાબે કુલ ૧૪૦૦ કુર્તા-જૅકેટ્સનું વેચાણ થાય છે. એ આંકડાના આધારે મોદી સિરીઝને મળેલા પ્રતિસાદનો ખ્યાલ આવી શકે છે.

November 4, 2018
smc1.png
1min6510

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાત સરકારે બાંધકામના નીતિ નિયમો એટલે કે GDCRમાં બિલ્ડર્સ એસોસીએશન તેમજ કેટલાક અધિકારીઓએ કરેલા સૂચનો સ્વીકારીને તેમાં સુધારા કરવાનું નોટિફિકેશન જાહેર કરતા જ ખાસ કરીને બિલ્ડર્સ, ડેવલપર્સની દિવાળી સુધરી જવા પામી છે. (www.cialive.in)  સુરતમાં અત્યાર સુધી હાઇરાઇઝ બિલ્ડીંગ એવરેજ 10-12 માળના બનતા હતા એટલે કે મોટા ભાગે આટલી જ મંજૂરી અપાતી હતી, પણ હવે તા.3જી નવેમ્બર 2018થી અમલી બનેલા નવા GDCR ને કારણે સુરતમાં હવે હાઇરાઇઝ બિલ્ડિંગની એવરેજ હાઇટ 14 માળની થઇ જશે. શહેરના એવા બાંધકામ પ્રોજેક્ટસ કે જ્યાં હાલમાં બાંધકામ શરૂ છે એ બિલ્ડર્સ પણ આ સુધારાઓની રાહ જોતા હતા, સ્વાભાવિક છે કે 12 માળનું બિલ્ડીંગમાં 14 માળની પરવાનગી મળે તો અસાધારણ નફો મળે તેમ છે. પછી જેવા જેના પ્રોજેક્ટ્સ. (www.cialive.in)

ગુજરાતમાં પ્રવર્તમાન GDCRમાં તા.3જી નવેમ્બર 2018થી કેવા પ્રકારના ફેરફાર કરાયા તેની વિસ્તૃત માહિતી અત્રે ઉપલબ્ધ છે.

  • શહેરી વિસ્તારોમાં વર્ટિકલ ડેવલપમેન્ટ માટે GDCRમાં ફેરફાર કરતાં નોટિફિકેશનને સીએમની આખરી મંજૂરી
  • સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભાવનગર જેવા મહાનગરો, મહેસાણા, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા શહેરોમાં આવાસ નિર્માણમાં રાહત (www.cialive.in)
  • ગામતળમાં અગ્રભાગે ૨૫ ટકા ખુલ્લી જગા રાખવી પડતી હવે તેમાં હવે ફ્રન્ટ ઉપરાંત ગમે તે સાઇડમાં ખુલ્લી જગા રાખી શકાશે
  • ૧૨ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર મકાનની ઊંચાઇ ૨૫ મીટરથી વધારી ૩૦ મીટર રાખી શકાશે (www.cialive.in)
  • ૧૮ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર હવે ૨૫ મીટરને બદલે ૪૫ મીટર સુધી ઊંચાઇના મકાન બાંધી શકાશે
  • આ છુટછાટથી ગ્રાઉન્ડનો ભાગ ખુલ્લા રહેશે, મકાનના આયોજન પ્રમાણે માર્જીન છોડી વધુ ઊંચા મકાન બાંધી શકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાતના મહાનગરો ઉપરાંત નગરો અને અર્ધ શહેરી, અર્બન વિસ્તારોમાં વસતા તથા રહેવા ઇચ્છતા પરિવારો માટે બાંધકામના નિયમોને વધારે સરળ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. નગરો, મહાનગરોમાં વધુ (www.cialive.in) સુવિધાવાળા આવાસો ઉપલબ્ધ બની શકે તેવા પ્રકારના બાંધકામના નિયમો (GDCR)માં ફેરફાર કરતા નોટિફિકેશનને મંજૂરી આપી છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

સુરત સમેત અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા વગેરે તેમજ મહેસાણા, ધાનેરા, ડીસા, પાટણ, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા અનેક નગરોમાં વર્ટિકલ હાઉસિંગ ડેવલપમેન્ટને વધારે સુગમતા ઊભી થશે. મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડમાં વધુ ખુલ્લી જગા ઉપલબ્ધ થાય (www.cialive.in) તેવા આશયથી બિલ્ડિંગ હાઇટ વધારવાની છુટ આપવા સાથે મકાનના આયોજનને ધ્યાને રાખી ખુલ્લી જગા છોડવાની છુટછાટ અપાશે. જેથી નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાનનું બાંધકામ કરી શકશે.

રાજ્યમાં બાંધકામના નિયમોને પ્રજાલક્ષી બનાવવા માટે વખતોવખત સમાજના વિવિધ વર્ગોમાંથી આવતી રજૂઆતોને પગલે સુધારા કરવામાં આવ્યા છે તેવી જ રીતે થોડા સમય પૂર્વે અમલી બનાવાયેલી રાજ્યભરના એક જીડીસીઆરમાં હજુ કેટલાક સુધારા કરવા જોઇએ તેવી રજૂઆતો મુખ્યમંત્રી વિજય રૂપાાણી સમક્ષ આવી હતી. (www.cialive.in) આ સંદર્ભે શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ બપોરે શહેરી વિસ્તાર વિભાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ કેટલાક મહત્વના સુધારા સાથેના નોટિફિકેશનને મંજૂરી આપી છે.

શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, મહાનગરો અને નગરોમાં ૧૨ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગો ઉપર હાલ ૨૫ મીટર સુધીની ઊંચાઇવાળા બાંધકામને મંજૂરી મળતી હતી. હવે ૩૦ મીટર સુધીનું બાંધકામ તેને મળેલી એફએસઆઇની મર્યાદામાં બાંધી શકશે. આ જ રીતે ૧૮ મીટર કે તેથી વધુ પહોળા માર્ગ ઉપર ૨૫ મીટરને બદલે હવેથી ૪૫ મીટર એકલે કે સાત ને બદલે ૧૪ માળ સુધીના આવાસ બાંધી શકાશે. (www.cialive.in) આ છુટછાટને કારણે મહાનગરોની જેમ નગરોમાં થઇ રહેલા વિકાસને વધારે બળ મળશે. ઊંચાઇમાં વધારો કરવાની છુટ ગ્રાઉન્ડનો ભાગ વધુ ખુલ્લો રાખી શકે તેવા હેતુથી અપાઇ છે.

અમદાવાદમાં ૧૪ માળ સુધીની છુટછાટ અપાયેલી છે પરંતુ અન્ય મહાનગરો, નગરોમાં જીડીસીઆરની જોગવાઇ મુજબ વધુ છુટછાટ મળતી ન હતી. હવે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. સરકારના આ નિર્ણયના કારણે હાઉસિંગ સેક્ટરમાં વર્ટિકલ ડેવલપમેન્ટમાં વધારે સરળતા ઊભી થશે અને નાગરિકોને સારા હવા ઉજાસવાળા આવાસો (www.cialive.in) શક્ય બનશે.

આ ઉપરાંત ગામોમાં ગામતળ પાસે બનતાં આવાસોમાં ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી ફરજિયાત હતી. હવે તેમાં સુધારો કરી અગ્ર ભાગે નિયત છુટછાટ પછી બાકીની જગા તે પોતાના આવાસની કોઇપણ સાઇડમાં રાખી શકશે. (www.cialive.in) આવી જ રીતે ગામડાઓ, નગરોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે અપાતા પ્લોટ્સ અથવા તો ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા પ્લોટ્સના માર્જીનના ધોરણોમાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. આનો લાભ ધોરાજી, જેતપુર, થરાદ, ડીસા, ધાનેરા, મહેસાણા, પાટણ, નવસારી, વાપી, વલસાડ, પાવી જેતપુર, હાલોલ, ગોધરા સહિતના અનેક નગરોને મળશે.

મહાનગરો, નગરોમાં હવે વધુ ઊંચાઇવાળા આવાસો બની શકશે

— હાલ ૧૨ મીટર કે તેથી વધુ પહોળા માર્ગો ઉપર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બની શકતા હતા. હવે ૩૦ મીટરની ઊંચાઇવાળા મકાન બની શકશે. જેનાથી બેઝમેન્ટનો ભાગ વધારે ખુલ્લો રહેશે. (www.cialive.in)
— હાલ ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇવાળા માર્ગો પર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બનાવી શકાતા હતા. હવે આ મર્યાદા વધારી ૪૫ મીટર કરાતાં ૧૪ માળ સુધીના આવાસ બની શકશે. વર્ટિકલ ડેવલપમેન્ટ વધશે. (www.cialive.in)
— હાલ ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી પડતી હતી. હવે ફ્રન્ટ સાઇડ ઉપરાંત કોઇપણ ભાગે કુલ ૨૫ ટકા જગા ખુલ્લી રાખી શકાશે. જેથી ગામડાઓમાં ગામતળ પાસે બનતાં આવાસો વધારે હવા ઉજાસ, સુવિધાવાળા બની શકશે.

ઔદ્યોગિક હેતુના નાના પ્લોટના માર્જીનમાં મહત્વના ફેરફારથી રાહત

–ઔદ્યોગિક હેતુ માટેના નાના પ્લોટોમાં ૫૦૦ ચો.મી. સુધીના રસ્તા સિવાય ફલ્ત ગમે તે એક બાજુ ૩.૦ મીટર માર્જીન છોડી શકાશે. જે અગાઉ માત્ર ફ્રન્ટ સાઇડ જ હતું. (www.cialive.in)
–૫૦૦ ચો.મી થી ૧૦૦૦ ચો.મી.ના પ્લોટમાં રસ્તા સિવાય બે બાજુ ૩ મીટર માર્જીન છોડી શકાશે.
–નાની નગરપાલિકાઓમાં જ્યાં ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) હોતા નથી એવા વિસ્તારોમાં ગામતળથી ૨૦૦ મીટર બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે પ્લોટ વિકસાવી શકાશે. જે અગાઉ ૫૦૦ મીટર એટલે કે અડધો કિમી દૂર રાખવો પડતો હતો. આ છુટછાટથી ગામડાઓ અથવા તો ઓછી વસતિવાળા અર્ધ શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસશે અને લોકોને ઘરઆંગણે રોજગારની તક વધશે.

November 3, 2018
sudico_green.jpg
1min6940

સુરતના અઠવાગેટ નજીક રિંગ રોડ પર આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની હેડ ઓફિસના ભવનને તાજેતરમાં હૈદરાબાદ ખાતે મળેલી નેશનલ ગ્રીન બિલ્ડીંગ કોન્ફરન્સમાં ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો આપવામાં અાવ્યો છે. સુરત કે સાઉથ ગુજરાતમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક એવી પહેલી બેંક બની છે કે જેની હેડ ઓફિસ ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ ધરાવે છે. નેશનલ ગ્રીન બિલ્ડીંગ ઓથોરિટીએ યોજાયેલા એક ખાસ સમારોહમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ તેમજ વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇએ સર્ટિફિકેટ અને ટ્રોફી સ્વીકારી હતી.

કેમ મળ્યો ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ.બેન્ક લી સુરતની રજિસ્ટર્ડ ઓફિસના ગ્રીન બિલ્ડીંગમાં વિવિધ એન્વાયરમેંટ ફ્રેંડલી પેરામીટર્સ મુજબ પર્યાપ્ત લેન્ડ સ્કેપિંગ, ઑક્સીજન ઉત્સર્જન કરતાં ઈન્ડોર પ્લાન્ટસ, કેમ્પસમાં વૃક્ષોનું પ્લાન્ટેશન અને રૂફ ટોપ પર 36 કિલો વોટની સોલાર પેનલો લગાડવામાં આવી છે. જેનાથી 30થી 35 ટકા સૌર ઉર્જા ઉત્પન્ન થશે. બિલ્ડીંગના નિર્માણમાં વાપરવામાં આવેલ મટિરિયલ્સ પણ પર્યાવરણ મિત્ર હોય આઇજીબીસી દ્વારા બેન્કના સહકાર ભવનની પર્યાપ્ત ચકાસણી બાદ બેન્કને ગ્રીન બિલ્ડીંગ ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અર્થકારણના ક્ષેત્રે અદકેરું સ્થાન ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેન્ક લી હવે પર્યાવરણના જતન માટે કટિબદ્ધ થઈ સાચા અર્થમાં ખેડૂતમિત્ર અને ગ્રામ્ય સંકસ્કૃતિની સુરક્ષા કવચ બની છે.

એકંદરે 7,300 કરોડનો વ્યાપાર ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ. બેન્ક લી. સુરતની અઠવાગેટ, સુરત સ્થિત રજિસ્ટર્ડ ઓફિસ કે જ્યાંથી બેન્કનો સમગ્ર કારોબાર એક છત નીચે હવે ચાલુ થયો છે. તેના ભવ્ય મકાનનું નિર્માણ વાયબ્રન્ટ ગુજરાતના સમજૂતી કરાર હેઠળ સંપૂર્ણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટથી ફક્ત એક વર્ષના ટૂંકા ગાળામાં બેન્ક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

સહકારી ક્ષેત્રે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન ધરાવતી પ્રથમ બેન્ક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના આ ભવનનું નિર્માણ પ્રોજેકટ મેનેજમેંટ કન્સલ્ટન્ટ જયેશ દલાલની દેખરેખ હેઠળ શહેરના બિલ્ડર સિદ્ધિ કન્સ્ટ્રક્શનના સાગર દંડવતે તથા પ્રશાંત દંડવતે દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

વર્તમાન ટીમ બેંકને નવા નવા શિખરો પર લઇ જવા કટિબદ્ધ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્કના ચેરમેન નરેશ પટેલ અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ આઇજીબીસી તરફથી આપવામાં આવેલ ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ સ્વીકારતા જણાવ્યુ હતું કે દેશમાં વધતાં જતાં ઔદ્યોગીકરણ સામે વન અને કૃષિ આધારિત વિકાસની ક્ષિતિજો જ આવનાર દિવસોમાં આ વિશ્વને પ્રદૂષણ મુક્ત રાખવાનો આધાર બનશે.