CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 69 of 79 - CIA Live

December 12, 2018
vd.jpg
1min6640

કામરેજ વિધાનસભાથી ભાજપની ટિકીટ પરથી ચૂંટાયેલા વી.ડી. ઝાલાવડીયા અને તેમના સગાસબંધીઓના કારનામાઓથી સુરત ભાજપની જે બદનામી થઇ રહી છે એ જોતા આજે પ્રદેશ ભાજપના એક દિગ્ગજ નેતા બોલી ઉઠ્યા હતા કે ખુદ અમે ભાજપના લોકો ઝાલાવડીયાથી કંટાળી ચૂક્યા છે. ભાજપાના ઘણા નેતાઓ તેમની સાથે સ્ટેજ શેર કરવાનું પણ ટાળી રહ્યા છે એટલી હદે લોકોમાં તેમની છાપ ખરાબ થઇ ચૂકી છે.

કામરેજના વી.ડી. ઝાલાવડીયાની આ રીતરસમો ભાજપની છબિ ખરડી રહી છે

  1. સામાન્ય લોકોના કામો નહીં કરવાના
  2. બિલ્ડરો, ધનકુબેરો, લેન્ડ માફિયાઓની બ્રિફ લઇને તેમના કામો કરી આપવાના
  3. ગ્રાન્ટના કામો કાગળ પર મંજૂર થાય એટલે કટકીબાજને સક્રીય કરી દેવાના
  4. તેમના દિકરા અને મળતીયાઓ સામે દાદાગીરીના કેસો
  5. પાટીદાર અનામત માટે લડતા યુવકો અને તેમના પરિવારજનોની યેનકેન પ્રકારે હેરાનગતિ કરવી
  6. સામાન્ય દાખલાઓ લેવા આવતા લોકોને કોંગ્રેસી કહીને કાઢી મૂકવાના અનેક કિસ્સાઓ

વી.ડી. ઝાલાવડીયા સામે તાજા વિવાદ ભાજપના મોવડીઓ સુધી પહોંચ્યો

વી.ડી. ઝાલાવડીયા ફરીથી એક મોટા વિવાદમાં સપડાયા છે અને પોતાના મતવિસ્તારમાં બહુજન (સામાન્ય લોકો)નું હિત જોવાની જગ્યાએ ધનકુબેરોની બ્રિફ પકડીને ચાલતા વી.ડી. ઝાલાવડીયાને કહેવાય છે કે તેમના મતવિસ્તારના લોકોએ રીતસર ભગાડ્યા હતા. પોલીસે પરાણે તેમને ટોળામાંથી ઉગાર્યા હતા. એવી પણ વાતો વાઇરલ થઇ કે સીમાડા વિસ્તારમાં બિલ્ડરોને ફાયદો થાય એ રીતે અને સોસાયટીવાસીઓને અન્યાય થાય એ પ્રકારે વી.ડી. ઝાલાવડીયા તંત્રવાહકો પાસે કામ કરાવવા પહોંચ્યા હતા. વી.ડી. ઝાલાવડીયાની આ અન્યાયી હરકતથી ઉશ્કેરાયેલા લોક ટોળાએ ઝાલાવડીયાનો એવો તે હૂરીયો બોલાવ્યો કે તેણે સ્થળ છોડીને ભાગવાની ફરજ પડી હતી. આ સંઘર્ષ દરમિયાન કોઇ મહિલાએ વી.ડી. ઝાલાવડીયાને તેના કારનામાઓ બદલ લાફા ઠોકી દીધા હતા. જોકે, વી.ડી. ઝાલાવડીયા આ વાતને રદીયો આપી રહ્યા છે. પણ જે રીતે વિડીયો વાઇરલ થયો છે, એ જોતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે સવાર પડે ને ફક્તને ફક્ત કમાણી થાય એવી ફાઇલ કે એવું કામ હાથ પર લેતા વી.ડી. ઝાલાવડીયા સામાન્ય લોકોના કામો ક્યારે કરતા હશે. યુ ટ્યુબલ અને ફેસબુક પર વી.ડી. ઝાલાવડીયાને ધક્કે ચઢાવતો વીડીયો ભારે વાઇરલ થયો છે અને તેને કારણે ભાજપના ભારે બદનામી થવા પામી છે.

વી.ડી. ઝાલાવડીયા માટે તો કહેવાય છે કે પોતાની ગ્રાન્ટના કામમાંથી પણ તેમના કેટલાક મળતીયાઓ કામ મંજૂર થાય એટલે કટકી પડાવવા માટે પહોંચી જાય છે. ઇરાદાપૂર્વક એવી વ્યક્તિને કટકી માટે મોકલાય છે કે જ્યારે મામલો વિવાદિત બને અને છાપરે ચઢીને પોકારે ત્યારે વી.ડી. ઝાલાવડીયા સરળતાથી છટકી જઇ શકે.

વી.ડી. ઝાલાવડીયાના આ તાજા વિવાદ અંગે પ્રદેશ પ્રમુખથી લઇને અમિત શાહ સુધી રજૂઆતો કરવામાં આવી છે. ભાજપની છબી આવા ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવતા નેતાઓને કારણે જ ખરડાય રહી હોઇ, આગામી દિવસોમાં વી.ડી. ઝાલાવડીયા સામે ભાજપા મોવડીમંડળ આકરાં સરશંધાન વ્યક્ત કરે તો નવાઇ નહીં.

શરદ વી.ડી. ઝાલાવડીયાની કરતૂત પોલીસ ફરીયાદ સ્વરૂપે દર્જ

(કામરોજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા તેમના પુત્ર શરદ સાથે, ફાઇલ ફોટો)

અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં જ વી.ડી. ઝાલાવડીયાના દિકરા શરદ સામે ગુનો નોંધાયો છે. રેતીની લીઝના મુદ્દે દાદાગીરી કરતા આ ધારાસભ્યના પુત્રના કારનામાઓ છોટા ઉદેપુરમાં પણ થયા છે.

દેશના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક

https://timesofindia.indiatimes.com/city/surat/kamrej-bjp-mlas-son-booked-for-threatening-transporter/articleshow/62922751.cms

દેશના અગ્રગણ્ય મિડીયા સમૂહ નેટવર્ક 18માં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક

https://gujarati.news18.com/news/south-gujarat/surat-illegal-drawing-issues-in-kamrej-743850.html

December 10, 2018
bni_lympic.jpg
2min6420

શહેરમાં વીકએન્ડ પર અનેક મહત્વપૂર્ણ ઇવેન્ટસએ આકાર લીધો. રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટસ વગેરે ફિલ્ડમાં અનેક નોંધપાત્ર ઇવેન્ટસ આકાર પામી. પરંતુ, એમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ઇવેન્ટ રહી સ્પોર્ટસની અને એ ઇવેન્ટ છે  BNI સુરત આયોજિત ઓલમ્પિક્સ.

ગત શનિ-રવિવારની રજાઓ દરમિયાન BNI સુરત ઓલમ્પિક્સમાં વોલીબોલથી શરૂ કરીને સ્વીમીંગ, એથ્લેટિક્સ, ફૂટબોલ, બેડમિગ્ટન વગેરે જેવી ઇવેન્ટ્સમાં બી.એન.આઇ.ના 16 જુદા જુદા ચેપ્ટસના મેમ્બર્સ તેમજ તેમના ફેમિલી મેમ્બર્સે ઉત્સાહભેર ભાગ લઈને BNI સુરત ઓલમ્પિક્સને વાઇબ્રન્ટ બનાવી દીધી હતી. શહેરના બિઝનેસમેન સર્કલ્સમાં બી.એન.આઇ. સુરતની આ ઇવેન્ટ મોટા ભાગે ચર્ચાસ્પદ રહી હતી.

BNI સુરત ઓલમ્પિક્સને સફળ બનાવવા પાછળ રહેલી ટીમે જબરદસ્ત પુરુષાર્થ કરીને દરેક ઇવેન્ટ સુપેરે પાર પડે તે માટે જબરદસ્ત વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું હતું. જુદા જુદી ઇવેન્ટસમાં બાળકોથી લઇને મોટેરાઓ પાર્ટીસિપેટ્સને કોઇ તકલીફ ન પડે એ રીતે સ્મૂધલી સમગ્ર ઓલમ્પિક્સ યોજાઇ રહ્યો છે. હજુ તા.23મી ડિસેમ્બર સુધી આ રમતોત્સવ જારી રહેશે.

પ્રસ્તુત છે બી.એન.આઇ. સુરત આયોજિત ઓલમ્પિક્સની કેટલીક યાદગાર તસ્વીરો

ડીકેથ્લોન ખાતે આયોજિત એથ્લેટિક્સની ચિલ્ડ્રન વિભાગમાં વિજેતાઓને પ્રાઇઝ આપીને સન્માનિત કરાયા એ પ્રસંગની તસ્વીર

ડીકેથ્લોન ખાતે આયોજિત એથ્લેટિક્સની ચિલ્ડ્રન વિભાગમાં વિજેતા નિવડેલી વિદ્યાર્થિનીએ તેના માતા-પિતા સાથે તસ્વીર ખેંચાવી હતી.

ડીકેથ્લોન ખાતે આયોજિત એથ્લેટિક્સ પુખ્તવયનાઓ માટેની સ્પર્ધાના વિજેતાને સન્માનિત કરાયા એ પ્રસંગની તસ્વીર

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં બાળકો માટેની ચેસ ચેમ્પિયનશીપમાં બાળકો એ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં સ્વીમીંગ કોમ્પિટીશન સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી. તસ્વીરમાં રવિવારે સવારે યોજાયેલી ચેમ્પિયનશીપમાં ખેલાડીઓ કડકડતી ઠંડી વચ્ચે પણ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં સ્વીમીંગ કોમ્પિટીશન સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી. તસ્વીરમાં રવિવારે સવારે યોજાયેલી ચેમ્પિયનશીપમાં ખેલાડીઓ કડકડતી ઠંડી વચ્ચે પણ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં વીકએન્ડ દરમિયાન યોજાયેલી બેડમિંગ્ટન મેચીસ દરમિયાન જુદા જુદા ચેપ્ટર્સના પ્લેયર્સના ફોટોગ્રાફ્સ

 

 

December 8, 2018
embroidery.jpg
1min6670

સુરતના એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશનની તાજેતરમાં મળેલી બેઠકમાં કરાયેલા એક મહત્વપૂર્ણ ઠરાવમાં એમ્બ્રોઇડરી કારખાનાઓ-મશીન્સમાં ઉપયોગમાં આવતા દોરા અને જરી વેચાણ બાદ પેમેન્ટ ક્રેડીટ પેટે આપવામાં આવતી 90 દિવસની મુદતમાં ઘટાડો કરીને 60 દિવસ કરવામાં આવ્યા છે. સુરતના હજારો એમ્બ્રોઇડરી કારખાનેદારો માટે આ નિર્ણય કપરો સાબિત થાય તેમ છે. એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશનના ઉક્ત ઠરાવની ઘેરી અસર એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં એવી થશે કે તમામ પ્રોસેસની સાઇકલ (સમયની મુદત) બદલાશે. દોરા અને જરી ઉત્પાદકો કેશ લિક્વિડીટીના અભાવનો સામનો કરી રહ્યો હોઇ, પેમેન્ટ ક્રેડિટની મુદતમાં એક મહિનાનો ધટાડો કરી દેવામાં આવ્યો છે. આ જ બેઠકમાં એવું પણ ઠરાવાયું છે કે કોઇપણ જરી-દોરા ઉત્પાદક પાર્ટી પાસેથી સિક્યુરિટી ચેક લીધા વિના વેપાર નહીં કરે.

 

એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશન શું નિર્ણય લીધા

  1. પેમેન્ટ ક્રેડીટ પેટે અપાતા 90 દિવસને બદલે હવે 60 દિવસની મુદત
  2. કોઇપણ ઉત્પાદક સિક્યુરિટી ચેક લીધા વિના માલ સપ્લાય નહીં કરે

ખાસ નોંધનીય બાબત એ છે કે એમ્બ્રોઇડરી ઉધોગ આમે ય છેલ્લા ઘણા મહિનાઓથી મંદ ચાલી રહ્યો છે. કાપડઉદ્યોગમાં નબળી સ્થિતિનાં કારણે શહેરમાં ઘણાં એમ્બ્રોઈડરી કારખાનેદારોએ મશીન્સ વેચી કાઢીને ધંધો જ બદલી નાંખ્યો છે. આવા કિસ્સામાં જરી અને દોરા ઉત્પાદકોએ સપ્લાય કરેલા માલનું પેમેન્ટ નહીં થતાં ઉપરોક્ત નિર્ણય લેવાયા છે.

 

December 7, 2018
jica1-1280x960.jpg
1min6760

નરેન્દ્ર મોદીના કહેવાતા ડ્રીમ પ્રોજેક્ટ મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની જે કંપની 8000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ કરવાની છે એ જીકા કંપનીના પ્રતિનિધિમંડળે આજે કઠોર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટીંગ યોજીને રજૂઆતો સાંભળી હતી. જીકા કંપની અને ખેડૂતોની આ મિટીંગ મેરેથોન રહી હતી અને 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગ સાંજે 7 વાગ્યા જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ યથાવત હતી.

ખેડૂત આગેવાન તરફે દર્શન નાયક, આનંદભાઇ યાજ્ઞિક, જયેશભાઇ દેલાડ, જયેશભાઇ પટેલ પાલ સમેત 600થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સામે ખેડૂતોએ સ્પષ્ટ, મુદ્દાસર, આક્રમક અને નક્કર રજૂઆતો કરી હતી. ખેડૂતોની રજૂઆતોનો સૂર એ રહ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર કરવાના ઇરાદે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના મૂળભૂત હકોને પણ વિસરી જવાની પેરવી કરતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવવું પડ્યું હતું. ખેડૂતોની આક્રમક રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

  1. પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળતા વળતરના ભાવોમાં અસમાનતા
  2. જમીનના બદલામાં વળતરનો રેટ માર્કેટ રેટ આધારિત હોવો જોઇએ
  3. જેમના મકાનો જઇ રહ્યા છે તેમના રેટની ગણતરીમાં ભારે અન્યાયની ભીંતિ
  4. પ્રોજેક્ટ માટે જમીન વપરાયા બાદ બાકી બચેલી પડતર જમીનનો મુદ્દો
  5. સ્થાનિકોને રોજગારીનો મુદ્દો

મોડીસાંજે અંંધારુ થઇ ગયા બાદ પણ ખેડૂતોની આક્રમક રજૂઆતોનો દૌર ચાલ્યો હતો. ખેડૂતો તરફે રજૂઆત કરી રહેલા સુરત જિલ્લાના સામાજિક, રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ખેડૂતોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં રાજ્ય સરકારે જે સરમુખત્યારશાહીભર્યું વલણ અપનાવ્યું તેની પણ આકરી ટીકા કરી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવાતિયા મારી રહેલી સરકારે ખેડૂતોના મૂળભૂત હકો છીનવી લેવા ઉપરાંત ખેડૂતોના પરિવારો જેના પર દાયકાઓથી નિર્ભર છે એ જમીન છીનવી લેવાની પેરવી કરતા ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવી પડી હતી.

દર્શન નાયકે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બદલામાં ખેડૂતોને જે દરથી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ દરો સાવ બેબુનિયાદ છે. માર્કેટ રેટ અને રાજ્ય સરકારના રેટ વચ્ચે ભારે અસમાનતા રહેલી છે. એથી વિશેષ અરીયાવાઇઝ પણ દરોમાં અસમાનતા હોઇ, ખેડૂતો જમીન આપવાના મૂડમાં નથી.

December 6, 2018
bni_lympic.jpg
1min5770

તા.1લી ડિસેમ્બર 2018થી શરૂ થયેલા BNI સુરત ઓલમ્પિક્સના પ્રથમ 5 દિવસના અંતે જાહેર થયેલી વિનર ટેલીમાં BNI સુરતના કુલ 16 ચેપ્ટર્સ પૈકી BNI અલકેમિસ્ટએ સૌથી ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે. BNI સુરત ઓલમ્પિક્સનો પ્રારંભિક દૌર ચાલી રહ્યો છે અને હજુ તા.23મી ડિસેમ્બર 2018 સુધી BNI સુરત ઓલમ્પિક્સ ગેમ્સ ચાલશે. જોવાનું એ રહે છે કે 23મી ડિસેમ્બર 2018ના રોજ ફાઇનલ ટેલિમાં BNI સુરતના 16 ચેપ્ટર્સ પૈકી કયા ચેપ્ટર્સના પ્લેયર્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું સ્ટેટસ હાંસલ કરે છે.

BNI સુરત ઓલમ્પિક્સમાં તા. 5મી ડિસેમ્બર 2018ની સ્થિતિએ પહેલા સ્થાને અલકેમિસ્ટ બાદ બીજા સ્થાન પર બીએનઆઇ બેંચમાર્ક્સના ખેલાડીઓએ મેદાન માર્યું છે. જ્યારે ત્રીજું સ્થાન બે ચેપ્ટર્સ, ઇલાઇટ અને હોલમાર્કના ખેલાડીઓ 3400 પોઇન્ટસ સાથે શેર કરી રહ્યા છે.

BNI સુરત ઓલમ્પિક્સની વિનર ટેલી 5મી ડિસેમ્બર 2018 સુધી

November 29, 2018
trade-fair.jpg
1min15150

સુતમાં એક તરફ એમ કહેવાય રહ્યું છે કે અભૂતપૂર્વ મંદીનો માહોલ છે અને લોકો ખાસ કરીને વ્યાપારીઓ અપૂર્વ નાણાંભીડમાંથી પસાર થઇ રહ્યા છે. ધંધો-ધાપો ચાલતો નથી. આવી સ્થિતિમાંથી બહાર નીકળતા સહેજેય એક વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે. આમ છતાં સુરત બહારના ધંધાદારીઓ, વ્યાવસાયિકોના મતે સુરતમાં હજુ પણ લિક્વિડીટી છે અને જે લોકો રૂપિયા લઇને બેઠા છે, જેઓ રોકાણની યોગ્ય તકની રાહ જોઇને બેઠા છે એવા સુરતના બિઝનેસમેનની સંખ્યા પણ ખાસ્સી છે. સુરતની ઇકોનોમી પર સરવે કરનારી સંસ્થાઓ કહે છે કે સુરતના ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવાની જગ્યાએ દેશ કે દુનિયામાં જ્યાંથી સારુ એવું રિટર્ન મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે સતત તકોની શોધમાં હોય છે. અને આ જ કારણે સુરતમાં હવે ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઓ વેચાવા માટે આવી રહી છે. પ્રોપર્ટીઓ વેચાણ એટલે દુબઇની 25 જેટલી પ્રાઇમ લોકેટેડ પ્રોપર્ટી હોય કે અમેરિકામાં 3.5 કરોડ કે તેનાથી વધુનું રોકાણ કરીને ઇન્વેસ્ટર વીઝા મેળવવાની પ્રોસેસ તમામમાં મિલક્ત ખરીદીનો સંદર્ભ હોય છે અને સુરતીઓ આ બાબતને એક સારી તક માનતા હોય આગામી તા.1 લી અને તા.2 ડિસેમ્બરે સુરતમાં દુબઇ અને અમેરિકાના EB-5 વીઝા માટે સુરતના વીઆઇપીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યા છે.

  • તા.1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ટીજીબી ખાતે દુબઇની 25 પ્રોપર્ટીઓના વેચાણ માટે વીઆઇપીઓ માટે ખાસ શૉ
  • તા.1લી ડિસેમ્બરના રોજ સુરતમાં અમેરિકાના EB-5 વીઝા ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા માટે પણ સુરતી બિઝનેસમેનોને આકર્ષવાનો પ્રયાસ થશે

સુરતના આંગણે દુબઇ પ્રોપર્ટી શૉ

સુરતમાં આગામી તા.1લી અને 2જી ડિસેમ્બર 2018ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પોતાની સંસ્થાનું નામ જાહેર કરાયું નથી કે દુબઇની પ્રોપર્ટીનું વેચાણ કોણ કરી રહ્યું છે પરંતુ, સોશ્યલ મિડીયામાં આપવામાં આવેલી જાહેરાતોમાં જણાવાયું છે કે દુબઇમાં સુરતી રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને 10 વર્ષના વીઝા ઉપરાંત બીજા અનેક બેનિફિટ્સ મળી શકે તેમ છે. 10 વર્ષના યુનાઇટેડ આરબ અમિરાતસના રેસિડેન્સી વીઝા માટે ઓછામાં ઓછું ભારતીય ચલણ મુજબ રૂ.1.2 કરોડનું રોકાણ દુબઇ ખાતે કરવું પડે તેમ જણાવાય છે.

સુરત ખાતે યોજાઇ રહેલા દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉમાં 25 જેટલી દુબઇની પ્રાઇમ લોકેશનવાળી પ્રોપર્ટીનું સેલિંગ ઓફર્સ તેમજ પેમેન્ટ પ્લાન્સ દર્શાવવામાં આવશે. આ પ્રોપર્ટી માટે ઇન્વેસ્ટર્સને પહેલા ત્રણ વર્ષ સુધી 8 ટકા જેટલું વળતર ચૂકવવાની પણ ગેરેન્ટી આપવામાં આવી રહી છે.

અમેરિકાના EB-5 વીઝા એટલે ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા જે

5 લાખ યુએસ ડોલર્સ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં પડે

સુરતમાં તા.1લી ડિસેમ્બર 2018ના રોજ એક એવો પણ ઇન્વેસ્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં અમેરિકા જવા માટે ઇચ્છુકોને જો ત્યાંના  રેસિડેન્સી વીઝા ન મળતા હોય તો EB-5 વીઝા એટલે કે અમેરિકામાં પ્રોપર્ટીમાં રોકાણ કરીને ત્યાના વીઝા મેળવી શકાય તે માટે આકર્ષવામાં આવશે. આ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન કોણે કર્યું છે તેની કોઇ જ માહિતી સોશ્યલ મિડીયા કેમ્પેનમાં આપવામાં આવી નથી. ફક્ત ટેલિફોનિક ઇન્કવાયરીમાં એવું કહેવાય રહ્યું છે કે તા.20મી નવેમ્બર 2018ના રોજ ઇન્કવાયરી કરનારાઓને આ શૉ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી તેમના ટેલિફોન નંબર પર જણાવવામાં આવશે.

 

 

November 29, 2018
varacha_bank_logo.png
1min29410
કોઇ સહકારી બેંકની વાસ્તવિક કામગીરી શું હોય શકે ? , સહકારી બેંકોની સ્થાપના પાછળ કયો આશય હશે? વગેરે બાબતની પ્રતીતિ કરવી હોય તો સુરતની વરાછા કો.ઓ. બેંકની કામગીરીને જોવી, જાણવી, માણવી પડે. વરાછા કો.ઓ. બેંક ખરેખર એવી સહકારી બેંક બની છે કે જે ખાતેદારો સાથે ફક્ત ધંધાકીય કે આર્થિક લેવડ-દેવડ જ નથી કરતી પરંતુ, ખાતેદારો, બેંકના ગ્રાહકોને સુખ-દુખમાં સહભાગી પણ બને છે, ખાસ કરીને દુખમાં તો ભાગીદાર અવશ્ય બને છે.
એવું નથી કે કોઇ સહકારી બેંક માટે ફક્ત બેંકના કર્મચારીઓ કે ડિરેક્ટરો જ કામ કરતા હોય, સુરતના વરાછા રોડની આ બેંક માટે તો બિલકુલ સેવાભાવી રીતે એક એવી ફૌજ કામ કરે છે બેંકની દરેક બ્રાંચ અને ગ્રાહકો વચ્ચે સેતુ સાધી આપે છે. કદાચ બેંક તેના ગ્રાહકથી સંપૂર્ણ રીતે વાકેફ ન હોય અને તેની સાથે અન્યાય કરી બેસે પણ વરાછા કો.ઓ. બેંક દ્વારા ઉભી કરવામાં આવેલી બ્રાન્ચ કમિટીના સભ્યો જે તે બ્રાન્ચમાં કામકાજ અર્થે આવતા ખાતેદારો, ગ્રાહકો વગેરેની કામગીરી, સામાજિક સ્ટેટસ, આર્થિક સ્ટેટસ વગેરેથી બેંકને વાકેફ કરીને એવી ઉપયોગી સલાહ આપે છેકે બેંક સચોટ નિર્ણય લે છે.
વરાછા કો.ઓ. બેંકના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાએ વધુમાં જણાવ્યું હતું વરાછા બેંકએ એક પણ રૂપિયાનું વધારાનું ભારણ ઉભું કર્યા વગર 200થી વધુ સ્વયં સેવકોની આખી ફૌજ તૈયાર કરી છે. વરાછા બેંક આજે કુલ 23 બ્રાન્ચ ધરાવે છે, આ તમામ બ્રાન્ચમાં વિકાસ કમિટીનું ગઠન કરાયું છે. વિકાસ કમિટીને કાયદાકીય રીતે બેંક સાથે કોઇ જ સંબંધ નથી આમ છતાં, વિકાસ કમિટીના સભ્યો બેંક માટે બિલકુલ નિશ્વાર્થ પણે સેવા બજાવે છે. બેંક માટે આ વિકાસ કમિટીઓના સભ્યોની સેવા અત્યંત અમૂલ્ય થઇ પડી છે.
વધુમાં તાજેતરમાં વરાછાબેંકના ખાતેદાર સ્વ.વસંતભાઈ નારણભાઈ પોકળનું અકસ્માતે અવસાન થયું હતું. બેંકના નિયમો મુજબ કોઇ ખાતેદારનું અકસ્માત નિધન થાય તો તેમના ચોક્કસ રકમ આર્થિક વળતર રૂપે મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. બેંકના ખાતેદાર સ્વ. શ્રી વસંતભાઇ પોકળનું નિધન થતાં તેમના  વારસદાર શ્રી નારણભાઈ મોહનભાઈ પોકળને રૂ. ૩,૦૦,૦૦૦ ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વરાછા બેંકના માજી. ચેરમેન શ્રી પ્રવિણભાઈ પાનસુરીયા, ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ મુખ્યશાખા વિકાસ કમિટિ સભ્ય ભાવેશભાઈ રફાળિયા વગેરે આગેવાનોના હસ્તે આ નેક કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.
November 21, 2018
ICAI.jpg
1min27860

सुरत के जाने माने चार्टर्ड अकाउन्टन्ट जय छैरा आगामी समय में होने वाले इन्स्टिट्यूट ओफ चार्टर्ड अकाउन्टन्टस आफ इन्डिया कि सेन्ट्रल काउन्सिल मेम्बर्स के हो रहे इलेकशनमां सुरत से एकमात्र प्रत्याशी है. 2013 से लगातार दो टर्म से वे ICAI के सेन्ट्रल काउन्सिल का इलेक्शन जीत ते आए है और उन्हो ने सेन्ट्रल काउन्सिल में बतौर मेम्बर रहेते हुए ऐसे कई कार्य किए जिसके चलते सी.ए. व्यवसाय को नया आयाम मिला और मिलेगा.

सुरत के सी.ए. जय छैरा के सोश्यल हेन्डल से मिले ईस पोस्टर का अभ्यास करते पता चलता है कि उन्हो ने अपने व्यावसायिक करीयर के साथ ICAI में बतौर मेम्बर कौन से कार्य किए जो कि सी.ए. व्यावसायिको के फायदे में रहे.

ICAI के वेस्टर्न रिजन से कुल 18 प्रत्याशी ICAI की सेन्ट्रल काउन्सिल में मेम्बर बन ने के लिए चुनाव लड रहे है. जिन में गुजरात से अमहदाबाद से दो और सुरत से जय छैरा के साथ कुल 3 प्रत्याशी है, जब की बाकी 15 प्रत्याशी या तो मुंबई अगर तो पूने से चुनाव लड रहे हे.

November 21, 2018
surat_athwa.jpg
1min739580

(Symbolic photo of Surat)

ગુજરાતની જ નહીં બલ્કે દેશની આર્થિક નગરી ગણાતું સુરત શહેર ગુજરાતના અમદાવાદ કે રાજકોટના મુકાબલે હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી પછી સુરતમાં ધંધા-રોજગાર હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સેંકડો દુકાનો શરૂ તો થઇ છે પણ લાભપાંચમ પછી કેટલીય દુકાનોમાં બોણી પણ થઇ નથી. વિવર્સ પાસે કામ નથી. મિલોમાં પણ પ્રોડકશન નહીંવત છે. સુરતના બાંધકામ ઉદ્યોગની તો આમેય દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મોટા કારખાનાઓ પાસે ઠીકઠીક કામ છે, જ્યારે નાના કારખાના તો ડિસેમ્બરમાં શરૂ થાય તેમ છે.

ધંધો મળવાની આશા નથી એટલે નવું દેવું કોઇ કરતું નથી, કેપિટલમાંથી ખર્ચા કાઢતા વેપારીઓ

સૂત્રો જણાવે છે કે સુરતમાં દિવાળી પછી આ પ્રકારનો અભૂતપૂર્વ માહોલ 14 વર્ષ બાદ સર્જાયો છે. બજારમાં લિક્વિડીટી (કેશ ફ્લો)નો પ્રોબ્લેમ એટલી હદે વધી ગયો છે કે શહેરની જુની અને મોટી વેપારી પેઢીઓ નાણાં ભીડને કારણે તેમની કેપિટલ તોડવા માંડ્યા છે. કેપીટલ તોડીને કેટલાક ખર્ચને પહોંચી વળવાનું આયોજન કરી રહ્યા છે. બજારમાંથી કે બેંક પાસેથી નાણાં લઇને દેવું કરવાની જગ્યાએ મોટી પેઢીઓ કેપીટલ તોડી રહ્યા છે એ બાબત સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પણ તેમના ધંધા રોજગાર ધમધમે તેવા કોઇ અણસાર દેખાતા નથી.

સૌરાષ્ટ્રવાસીઓ વતનથી પરત ફર્યા નથી

દિવાળીના પાંચ દિવસ પૂર્વેથી સુરતના લગભગ મોટા ભાગના કામ ધંધા બંધ થયા હતા, જે આજે 21 મી નવેમ્બર સુધી પણ પૂર્વવત થયા નથી. સુરતની સરખામણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગારની સ્થિતિ પૂર્વવત જોવા મળી રહી છે. સુરતમાં હજુ સુધી કેમ ધંધા રોજગાર શરૂ થયા નથી તે અંગે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સુરતની ઇકોનોમીમાં સૌથી મોટું યોગદાન સ્વભાવિક છે કે સૌરાષ્ટ્રવાસીઓનું રહ્યું છે, સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી નિમિત્તે વતન ગયા છે અને હજુ સુધી પરત ફર્યા નથી, આવી સ્થિતિમાં ધંધા રોજગાર સ્વાભાવિક છે કે ઠપ થઇ ગયા છે.

ટેક્સટાઇલ ટ્રેડર્સનો આખો દિવસમાં બોણી પણ થતી નથી

બીજી તરફ સુરતમાં બે મોટા ઉદ્યોગો પૈકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની ચેઇન સાવ જ નિષ્ક્રીય પડી રહી છે. સાવ સામાન્ય કામ જોવા મળી રહ્યું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના સેંકડો દુકાનદારો એવા છે કે જેમને હાલના દિવસોમાં મોડી સાંજ સુધી બોણી પણ થતી નથી. માલ વેચાણની વાત તો દૂર રહી પણ પ્રોડકશન કરતા વિવર્સ કે પ્રોસેસર્સ પાસે પણ હાલમાં કામ નથી.

હજીરા રિલાયન્સમાં યાર્નનો ભરાવો, સ્ટોરેજ માટે જગ્યા નથી

આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે એની પ્રતીતિ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં રોડ પર, જાહેરમાં ખડકાયેલા યાર્નના બોક્સ પરથી થઇને રહે છે, રિલાયન્સ હજીરા યુનિટમાં યાર્નનો ભરાવો થયો છે અને તેમની પાસે યાર્નના બોક્સ સ્ટોર કરવાના ગોડાઉનમાં માલનો ભરાવો એટલો થયો છે કે તેમણે ઓપન ગ્રાઉન્ડ પર યાર્ન સ્ટોર કરવું પડ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ યાર્નનો મોટો હિસ્સો છે, એનું યાર્ન નથી વેચાતું એના પરથી પ્રતીતિ થાય છેકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મંદીમાંથી પસાર થઇ રહી છે.

રિયલ એસ્ટેટમાં અભૂતપૂર્વ નાણાં ભીડ

શહેરના બાંધકામ ઉદ્યોગ પર આમેય જીએસટી અને રેરાનો માર તો પહેલેથી જ હતો પણ દિવાળીના તહેવારોમાં જે ગેપ પડ્યો તેને કારણે મંદ ગતિએ ચાલતો રિયલ એસ્ટેટ બિઝનેસ હાલમાં મંદીની ગર્તામાં ધકેલાય ગયો છે. ઓન ગોઇંગ પ્રોજેક્ટસ કરી રહેલા બિલ્ડરો પ્રોજેક્ટ પૂરા કરે તો બુકિંગ કરાવનારાઓ પાસેથી પેમેન્ટ મળે તેમ છે, બીજી તરફ પ્રોજેક્ટ પૂરો કરવા માટે નાણાં નથી. નાણાં ભીડને કારણે હાલમાં બાંધકામ ઉદ્યોગ જબરદસ્ત મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. બિલ્ડર્સ આગેવાનો જણાવે છે કે અગાઉ દિવાળી બાદ જ્યારે કામ શરૂ કરવામાં આવે ત્યારે ટર્ન ઓવર પર થોડી અસર થતી પણ સાવ મંદીની સ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી.

સુરતની ઇકોનોમી સ્લો ડાઉનની અસર સામાન્ય પરિવારો પર પણ પડી રહી છે. સામાન્ય પરિવારો પણ તેમના રોજબરોજના ખર્ચા પર અસાધારણ કાપ મૂકી રહ્યા છે.

November 20, 2018
alpesh-kathiriya-1280x720.jpg
1min8660
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઇકોર્ટે જામીન આપ્યા
  • જામીનના એક દિવસ પૂર્વે જ સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને અેરેસ્ટ કર્યા હતા
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા હોવા છતાં હજુ તેઓ સુરત પોલીસની કસ્ટડીમાં રહેશે

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.