CIA ALERT
28. April 2024
November 16, 20181min7880

Related Articles



સમૂહ લગ્નોત્સવ થકી આત્મહત્યા વિરુદ્ધ જાગૃતિ આણશે સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સમાજ

Share On :
Print Friendly, PDF & Email

સુરત આવીને સ્થાયી થયેલી સૌરાષ્ટ્રવાસીઓ સકારાત્મક અને સમાજ ઉપયોગી ક્ષેત્રની વાત કરીએ તો જુદા જુદા ક્ષેત્રમાં ક્રાંતિજનક કાર્ય કરી રહ્યા છે, પછી એ લોક આરોગ્ય હોય, સફાઇ અભિયાન હોય, ગુટખા-તમાકુ વિરોધી પ્રવૃતિ હોય કે અન્ય કોઇ સામાજિક દુષણ હોય. સૌરાષ્ટ્રવાસીઓએ સુરતમાં અનેક રચનાત્મક કાર્યો મોટા પાયે હાથ ધરીને સમાજમાં જાગૃતિ અભિયાનો પાર પાડ્યા છે. હવે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે આત્મહત્યાના દુષણ સામે જંગ છેડી છે અને આ જંગ માટે જે ઉત્સવમાં હજારો, લાખો લોકો જોડાય છે એ સમૂહ લગ્નોત્સવને નિમિત બનાવ્યો છે. સમૂહ લગ્નોત્સવ થકી આત્મહત્યા વિરુદ્ધ જાગૃતિ આણશે એ સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ.

સારાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે સામાજિક જાગૃતિ સાથે સમૂહલગ્નનું આયોજન કરે છે. નવા વર્ષે 60 માં સમૂહલગ્નનું’ આયોજન છે. આ વર્ષે આપાઘાત રોકો થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં 275 જેટલા નવ યુગલ’ લગ્નગ્રંથીથી’ જોડાશે. સમૂહ લગ્ન પહેલા સમાજમાં વિવિધ કાર્યક્રમો યોજીને આપઘાત રોકવા માટેના કાર્યોક્રમો યોજવામાં આવશે.

તા. 17. ફેબ્રુઆરી,2019ના રોજ તમામ નવ યુગલો અને તેમના પરિવારોને આપઘાત નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. સારાષ્ટ્ર પટેલ સમાજ’ દ્વારા 40 હજાર જેટલી કંકોત્રી છાપવામાં આવશે. અને આ કંકોત્રીમાં’ આપઘાત કેવી રીતે ટાળી શકાય એવા સંદેશાઓ દર્શાવાશે. આ સમૂહલગ્ન સમારોહમાં 200 જેટલા એનજીઓ જોડાશે. આ તમામ એનજીઓ આપઘાત રોકવા માટે જુદા જુદા કાર્યક્રમો કરશે. “આપઘાત રોકો’’ ના થીમ કાર્યક્રમોમાં 3000 થી વધુ લોકો ભાગ લેશે.’

સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે લગ્ન મંડપમાં જુદા જુદા સામાજિક સંદેશાઓ આપવાનું પ્લેટફોર્મ બને એવો પ્રયાસ કરીશું. લગ્નમાં ખોટા ખર્ચને બચાવી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું’ એ અંગે સેમિનારોનું આયોજન કરવામાં આવશે. તમામ યુગલો માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 1983 થી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.’ લગ્ન કરવા એટલે પક્ષકારોને આર્થિક રીતે મદદ કરવું એ નહિં પરંતુ સમાજને નવો વિચાર આપવાનો છે. સમાજમાં નવી જાગૃતિ આવે એ માટે પટેલ સમાજ દ્વારા દર વર્ષે વિવિધ થીમો પર સમૂહલગ્નનું આયોજન કરે છે. સમાજમાં દિનપ્રતિદિન આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.’ લોકો આપઘાત કરતાં અટકે અને પરિવાર’ અને સમાજને નવી દિશામાં લઇ જાય તે માટે આ નવા વર્ષે જીવનને નિહાળીને નવી નજરે અંતર્ગત સમૂહ લગ્ન યોજાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :