CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 68 of 79 - CIA Live

December 24, 2018
siddhi_vinayak_pal.jpg
1min21560

સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બનેલા સુરતના પાલ આરટીઓ બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આવતીકાલ મંગળવાર તા.25મી ડિસેમ્બર 2018ના અંગારકી ચૌથના પર્વે ખાસ ગણેશાર્ચનમ્ પૂજા વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગણેશાર્ચનમ્ પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ પણ અંગારકી ચૌથના પર્વે તેનું વિશેષ મહાત્મ્ય હોય છે.

પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલ ખાતે દર વખત કરતા આ વખતની અંગારકી ચૌથની ઉજવણી કંઇક અનોખી રીતે કરવામાં આવશે. મંદિર સંચાલકગણએ આવતીકાલે ગણેશ યાગ આયોજન તો કર્યું જ છે પણ તેમાં આકર્ષણ ભારતવર્ષ માં ગજરાજ (હાથી)ના પૂજન-વિધાન સાથે તથા કેરળના પારંપરિક અને સાંસ્કૃતિક શણગારથી પરીસર બની રહ્યું છે. કેરળના જુદા જુદા વાદ્યોનું વાદન સાથે સમગ્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વેદપારાયણ પણ કરવામાં આવશે. આ તમામ પૂજાઓ સુરતમાં ભાગ્યે જ થતી હોય છે.

વડોદરા, કાશી અને નાશિકના પ્રખર વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં ગણેશયાગ અને અન્ય પૂજન વિધી હાથ ધરવામાં આવશે. કુલ ૧૦૮ યુગલ આ યાગ માં બેસશે. મંગળવાર તા.25મી ડિસેમ્બર સવારથી પાલ સ્થિત અન્નપુર્ણા (સિધ્ધી વિનાયક ) મંદિર , પાલ ( આર.ટી. ઓ. ની બાજુ માં) કાર્યક્રમો શરૂ થશે.

સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે આ આયોજન મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણાં દિવસો પૂર્વેથી શરૂ કરી દેવાયું હતું. અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી, આખરે આ મહાપૂજા સમાન ગણેશાર્ચનમ્ માટે અમે પૂર્વ સંધ્યાએ સજ્જ થઇ શક્યા છીએ. ગણેશ યાગમાં આમ તો 101 યુગલ બેસવાના હતા પરંતુ, ભક્તજનોની માગણીને પગલે 125થી વધુ યુગલ પૂજામાં બેસશે. તેમણે કહ્યું કે સુરત, તાપી, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગણેશાર્ચનમ્ આયોજન અંગે ખાસ્સી ચર્ચા છે અને આવતીકાલે મંદિર પરીસરમાં વીસથી પચ્ચીસ હજાર ભક્તજનો અંગારકી ચૌથના પર્વે ભગવાન શ્રી ગણેશના દર્શનાર્થે તેમજ ગણેશયાગનો લાભ લેવા પધારશે એવી ગણતરી છે. તેમણે કહ્યું કે ભક્તજનોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનોએ સ્વયં સેવકોને અનુસરીવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

December 24, 2018
mal7.jpg
4min8300

આજના જમાનામાં એન.જી.ઓ. બનાવીને સમાજ સેવાની જાણે ફેશન ચાલી નીકળી છે. સમાજ સેવાના ક્ષેત્રમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક પ્રકાર એવો હોય છે જેમાં કેટલાક લોકો પબ્લિસિટી મેળવવા માટે જ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાતા હોય છે અને બીજો પ્રકાર એવો હોય છે કે જેમાં લોકો ખરેખર ઉમદા સમાજ સેવા કોઇપણ જાતની પબ્લિસિટી વગર કર્યે રાખતા હોય છે. બીજા પ્રકારના લોકોને સી.આઇ.એ. ન્યુઝ પોર્ટલ પ્લેટફોર્મ આપે છે. અમે એવા લોકો, એવી સંસ્થાઓને શોધીને તેમની પ્રવૃતિને મહેક ચારે કોર પ્રસરાવવાનું કામ કરે છે.

આજે અહીં એવા જ એક ગ્રુપની વાત કરી રહ્યા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર એવી સંસ્થા છે જે સિનિયર સિટીઝન્સ (વયોવૃધ્ધ) માટે કાર્યરત છે. આ ગ્રુપ ડો.રમેશ ઠક્કરે 2010માં સ્થાપ્યું હતું. આ ગ્રુપમાં 11 જેટલા તબીબો જોડાયેલા છે.  મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે જોડાયેલા તબીબોમાં એક કોમન શોખ છે અને એ છે સંગીત. મ્યુઝિકની પેશન ધરાવતા આ તબીબો શહેરના સિનિયર સિટીઝન્સની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ શબ્દ અમે આપ્યો છે, કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સિનિયર સિટીઝન્સ માટે ઓડિટોરીયમમાં સંગીત સંધ્યા રાખે છે, અહીં સિનિયર સિટીઝન્સના તેમના ઠેકાણેથી બસમાં લાવીને તેમની સામે 11 તબીબો એક એકથી ચઢીયાતા ગીતો ગાય છે, મનોરંજન કરાવે છે, સંગીત સંધ્યા બાદ તેમને પ્રેમથી જમાડે છે અને ફરીથી તેમને તેમના મુકામ સુધી સહીસલામત પહોંચાડે છે. તાજેતરમાં આ જ પ્રકારે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હારના ડો.રમેશ ઠક્કર, ડો. યોગેશ કાંઠાવાલા અને ડો.મુકેશ વાઘેલા સમેત અન્યોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના ઓડિટોરીયમ ખાતે ખાસ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કર્યું હતું. સિનિયર સિટીઝન્સની આવી સેવા જો કોઇ કરતું હોય તો એ ફ્કત મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર છે.

(મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે યોજાયેલી સંગીત સંધ્યામાં શહેરના સિનિયર સિટીઝન્સને લઇ જવામાં આવી રહ્યા હતા એ પ્રસંગની તસ્વીર)

મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે 11 તબીબો જોડાયેલા હોવા ઉપરાંત 30 જેટલા મેમ્બર્સ પણ છે જેઓ કોઇપણ જાતની અપેક્ષા, સ્વાર્થ વગર સિનિયર સિટીઝન્સની દેખભાળ રાખે છે, સ્વૈચ્છીક બધી જ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા શહેરના અંદાજે 1200 જેટલા સિનિયર સિટીઝન્સ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરી ઝલક આ મુજબ છે.

 

 

The Statement of The Music group of Malhar Founder Member Dr.Ramesh Thakkar. ( Pediatrician )

I m founder member of my group, named ” Music group of Malhar ” ! The name was given by me. I have started this group ( as a founder members ) in 2010. This is small group of ( 11 ) doctors, having common, passion for music. The concept was generated in my mind (in 2010 ). Do some social services for the benefits of those section of society , who are socially deprived from their home – society and who are really in need of help-support . ( group of people from Old age home, poor Students from orphan center , poor Patients, and students from tribal area’s school ). What me and my group are doing…? As we all members are music lovers. So, we are doing once -twice large scale music concerts in big auditorium, usually after diwali. We ourselves are performing ( singing ) on stage with live orchestra. We invite people from old age home and from different senior citizens clubs for this live music program. We make arrangements of transport (of almost 20 plus buses ) for these all people. The group viewers( almost plus 1500) are there, to attend our program. Really, it’s worth to watch, how these old aged group of persons are enjoying in our program! ! ! It’s really great enjoyment for all of them. Prog is running for, almost 3 hrs plus. Afterwards, at the end of program, We all serving food ( dinner ) for all. After dinner, they will return to their place through buses. 30 Volunteers are working with my group, to help us this kind work. Charity should be start from our home. So, we individual( all my members ) contribute for this prog. And during program, we many times receiving donation from rich members of different seniors citizens clubs. Here, we ( me & my group) are using this donation for those, who are socially deprived from society, ( old age homes ) poor patients and poor students of tribal area’s school. So, in brief, my self and members of my group are doing such social activities, through music platform. Sometimes, we are receiving invitation for music program out of Surat also. Small scale music program are running every 3 – 4 months at local (surat ) level round the year. Regards ! Dr.Ramesh Thakkar. ( Pediatrician )

December 22, 2018
oyster_hotel.jpg
1min6310

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઓયસ્ટર હોટલ કે જ્યાંથી તા.21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસે 21 દારુ પીધેલી મહિલાઓને ઝડપી પાડી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ઓયસ્ટર હોટલ કે જ્યાં દારુની પાર્ટી ચાલી રહી હતી એ ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતાં કશુંક રંધાયું હોવાની વાતોએ વેગ પકડ્યું છે.

શહેરની માલેતુજાર મહિલાઓને હોટેલ જેવા પબ્લિક પ્લેશમાં દારુની ખુલ્લેઆમ પાર્ટી અને એ પણ ડી.જે.ના મ્યુઝિકના સથવારે કરવા દેવાની પરવાનગી આપનાર ઓયસ્ટર હોટેલના સંચાલકો આ કેસમાં પણ પોતાનું નામ ન આવે તે માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે તા.21મી ડિસેમ્બર 2018ના રોજ માલેતુજાર મહિલાઓને દારુની પાર્ટી કરવાની ઓયસ્ટર હોટેલના સંચાલકોએ બિન્ધાસ્ત રીતે છૂટ આપી એવી જ રીતે આ હોટેલમાં છાશવારે દારુની મહેફિલો જામતી રહે છે, હોટેલના સંચાલકો મોટી રકમ વસુલ કરીને તમામ વ્યવસ્થા કરી આપતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.

21 દારુ પીધેલી મહિલાઓ ઝડપાવાના કેસમાં ઉમરા પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ઓયસ્ટર હોટેલમાં આ પ્રકારની પાર્ટી ખુલ્લેઆમ ચાલી રહી હતી, મહિલાઓ વ્હીસ્કી, દારુ અને વાઇન ઢીંચી રહી હતી, ખુલ્લેઆમ મોટા અવાજે મ્યુઝિક વાગી રહ્યું હતું આમ છતાં ઓયસ્ટર હોટેલના સંચાલકોએ પાર્ટી કેમ ચાલવા દીધી, ઓયસ્ટર હોટેલમાં આ પાર્ટી માટે બુકિંગ કોણે કરાવ્યું હતું, કેટલા રૂપિયા લઇને દારુની પાર્ટી કરવા દેવામાં આવે છે વગેરેની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાય તેમ છે.

પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયસ્ટર હોટલ અગાઉ પણ ગોરખધંધા માટે બદનામ થઇ ચૂકી છે. ઇલિગલ કપલ્સ માટેનું આ મિટીંગ સ્થળ ગણાય છે, એ સિવાયના ધંધાઓ પણ થતા હોવાની ગંભીર ફરીયાદો હોવા છતાં પોલીસે હજુ સુધી ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.

અગાઉ તા.29મી ડિસેમ્બર 2015ના રોજ ઉમરા પોલીસે ઓયસ્ટર હોટેલમાં ગેરકાનૂની રીતે ચાલી રહેલા હુક્કાબાર પર રેડ પાડીને તેના એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. એ વખતે પણ ઓયસ્ટર હોટેલના સંચાલકો યેનકેન પ્રકારે કાયદાની ચુંગાલ માંથી છટકી ગયા હતા.

સુરતની ઓયસ્ટર હોટલમાં 29મી ડિસેમ્બર 2015ના રોજ હુક્કાબાર પર પોલીસે રેઇડ કરી હતી. અહીં જીતેન્દ્ર ઠાકુર નામના કર્મચારીને હાજર કરીને તેની સામે કેસ કરાયો હતો. અહીં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમયે છપાયેલા સમાચારની લિંક પ્રસ્તુત છે

https://timesofindia.indiatimes.com/city/surat/New-Year-crackdown-Hookah-bars-raided/articleshow/50388873.cms

December 21, 2018
fogwa-1.jpg
1min11720

GST ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક રજૂઆતો કર્યા પછી કોઇ દાદ નહીં મળતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુદ્દો લઇ જવાની ધમકી ઉચ્ચારનાર ફોગવાના અશોક જીરાવાળા એન્ડ કંપની હવે ફરીથી પી.એમ. મોદીના શરણે આવી છે. 22મી ડિસેમ્બર 2018ના રોજ મળી રહેલી GST કાઉન્સિલની બેઠકમાં વિવર્સની અંદાજે રૂ.600 કરોડની ક્રેડિટ પરત મળે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે.

GST ક્રેડિટનો મુદ્દો હકીકતમાં વિવર્સ ફેડરેશનના નેજા હેઠળ લડત ચલાવી રહેલા અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશિષ ગુજરાતી એન્ડ કંપની અવૈચારિક પગલાઓને કારણે વકર્યો છે. ભાજપાના સ્થાનિક આગેવાનો ખાસ કરીને નવસારીના એમ.પી. શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓની દરમિયાનગીરી અને કેન્દ્રના કેટલાક મંત્રીઓની ભલામણ બાદ વિવર્સ અને પ્રોસેસર્સ બન્ને મળીને રૂ.1500 કરોડની GST ક્રેડિટ અંગેનો પ્રશ્ન ઉકેલાય જવાની તૈયારીમાં હતો. પરંતુ, બરાબર એ જ સમયે ધીરજ ગુમાવી ચૂકેલા ફોગવાના આગેવાનો પૈકી અશોક જીરાવાળાએ એવું નિવેદન આપી દીધું કે ભાજપાના નેતાઓથી કશું નહીં થાય તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જવું પડશે.

જાણકારો કહે છે કે અશોક જીરાવાળાના આ જ વાણી વિલાસને પગલે હજારો વિવર્સને કનડતો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થતા રહી ગયો. ભાજપી નેતાગીરીએ ગંભીર નોંધ લઇને વિવર્સને આ મુદ્દે લટકાવી રાખ્યા. આ બાબત સાથે એ પૂર્વે અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતીએ સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની કરેલી હરકત પણ જોડાઇ જવા પામી હતી અને વિવર્સનો પ્રશ્ન તેમના જ આગેવાનોના અપરિપક્વ વર્તનને કારણે આજે પણ ટલ્લે ચઢી રહ્યો છે.

હવે ફોગવા ફરીથી પી.એમ. નરેન્દ્ર મોદીના દરબારમાં ક્રેડિટનો પ્રશ્ન ઉકેલી આપવા ગુજારીશ કરી રહ્યું છે. હકીકતમાં ફોગવાની આ લેખિત ગુજારીશ પી.એમ. સુધી શું દિલ્હી સુધી પણ પહોંચે તો બસ છે. કેમકે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના લેટરહેડ પર વડાપ્રધાનને ઉદ્દેશીને હાથથી લખાયેલા પત્રમાં કોઇપણ જાતના રેફરન્સ, અગાઉની રજૂઆતો ટાંક્યા વગર લખાયો છે. એવું સ્પષ્ટ જણાય આવે છે કે વડાપ્રધાનને નહીં ફક્તને ફક્ત મિડીયામાં માઇલેજ લેવા માટે આ પત્ર લખાયો છે.

વડાપ્રધાનને ફોગવાના લેટર હેડ પર આ પ્રકારે પત્ર લખાયો

અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતી અને તેમની કંપની દ્વારા ભરાયેલા આ પગલાંઓને કારણે સમગ્ર વિવર્સ આલમે સહન કરવું પડી રહ્યું છે

  • સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની હરકત
  • ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા નેતાગીરીને ધમકાવવા માટે રાહુલ ગાંધીના નામની હૂલ આપવાની હરકત
  • કારખાનેદારોના સંગઠન ફોગવામાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ઘૂસાડવાની હરકત
  • નક્કર નહીં પણ ઉપજાવી કાઢેલી આંકડાકીય માહિતીઓ રજૂ કરવાની અપરિપક્વ હરકત

પરીણામ શું આવ્યું

  • ફોગવા જેવા વિશાળ સંગઠનને સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાએ કોર્નર કરવી પડી
  • કોંગ્રેસને ક્રેડિટ આપવાની પેરવી થતાં રાજ્ય સરકારે રજૂઆતોને યોગ્ય પ્રતિસાદ ન આપ્યો
  • ટેક્સટાઇલ પોલિસીમાં વિવર્સના પ્રશ્નો ફોગવા પાસેથી નહીં પણ અન્ય સંગઠનો, આગેવાનો પાસેથી સરકારે સાંભળ્યા
  • ફોગવા એ બિનરાજકીય સંગઠન છે એવી છાપ ભૂંસાઇ અને કોંગ્રેસનું લેબલ લાગવા માંડતા ભાજપના નેતાઓએ સહાનુભૂતિ દાખવવાનું છોડી દીધું

હવે શું થશે

  • હવે શું થશે એવી કલ્પના કરવી સરળ છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ડ્રાફ્ટ થઇ રહેલી નવી ટેક્સટાઇલ પોલિસીમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતોને પ્રાધાન્ય અપાશે
  • પ્રોસેસર્સનો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થઇ જાય તો નવાઇ નહીં, પણ ફોગવાના આગેવાનોને કારણે સમગ્ર વિવર્સ આલમે નુકસાની વેઠવી પડે તેવી શક્યતા 
  • અશોક જીરાવાળા, મયુર ગોળવાળા અને આશીષ ગુજરાતી એન્ડ કંપની દ્વારા ફોગવામાં ઘૂસાડવામાં આવેલા ડર્ટી પોલિટીક્સને કારણે હવે ભવિષ્યમાં ફોગવાના જેન્યુઇન પ્રશ્નોને પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર ગંભીરતાથી નહીં લે.
  • ફોગવાની રજૂઆતો સાચી અને નક્કર હશે તો પણ તેના પર રાજકારણનું લેબલ લગાડીને તેને ક્રેડિટ નહીં મળવા દેવાય
December 21, 2018
ms2-1280x853.jpg
1min10080
  • તા.૨૩મીએ પી. પી. સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘લાડકડી’ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે
  • નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવનાર સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની પ્રેરણાદાયી પહેલ
  • નવદંપતિઓને લગ્નસ્થળે જ રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી ઉપયોગી યોજનાઓથી લાભાન્વિત કરાશે
  • ‘લાડકડી’ લગ્નોત્સવના આયોજન સંદર્ભે આયોજક સવાણી ગ્રુપ અને મોવલિયા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પિતાવિહોણી દિકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દિકરીઓના રંગે ચંગે લગ્ન કરાવી સાસરે વળાવનાર સેવાભાવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે પણ આગામી તા.૨૩મીના રોજ પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન ‘લાડકડી’ લગ્નોત્સવ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે. સવાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યમાં ભોજલરામ ગ્રુપના બટુકભાઈ અને અશ્વિનભાઈનો મોવલિયા પરિવાર પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સહભાગી બન્યો છે.

પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે યોજાનાર લાડકડી લગ્નોત્સવ વિષે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જાણકારી આપતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પિતાવિહોણી દિકરીઓ અને પરિવારની વ્યથા સમજી લગ્નના આર્થિક ભારણને પહોંચી ન વળનાર પરિવારની દિકરીઓને પી. પી. સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે. આ વર્ષે પણ ૨૬૧ દીકરીઓના પિતા બની સવાણી અને મોવલિયા પરિવાર કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના પિતાવિહોણી તેમજ વિધવા બહેનોની દીકરીઓને પરણાવી સાસરે વળાવશે.

આ વર્ષે ૨૬૧ ‘લાડકડી દીકરીઓ’ પૈકી છ મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓ પણ એમની પરંપરાગત રિતીરિવાજ-લગ્ન વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દેશભરમાંથી ૫૦ રાજસ્વી મહાનુભાવો, બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ધર્મના સંતોમહંતો, મહાનુભાવો આ લાડકડીઓનું કન્યાદાન કરશે.

શ્રી મહેશભાઈએ એક નવી જ પહેલ કરી દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી બીજી ઉપયોગી યોજનાનો લાભ મળે એનું પણ આયોજન કર્યું હોવાનું જણાવી ઉમેર્યું કે, દીકરીના ખાતામાં સરકાર અમુક રકમ ફિક્સ ડિપોઝીટમાં મુકે છે, જે ૨૦-૨૧ વર્ષ પછી એના બાળકને ૬ લાખથી વધુ રકમ મળે છે. આ યોજનાના લાભ સાથે જ “લાડકડી”ના મંડપમાં લગ્ન કરનાર નવયુગલને ‘પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત ૨-૨ લાખનું વિમા કવચ પણ મળશે. ઉપરાંત લગ્નસ્થળે જ સુરત મહાનગરપાલિકાના સહયોગથી મેરેજ સર્ટિફિકેટ એનાયત કરાશે.

લગ્ન કરનારી ૨૬૧ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆતમાં માત્ર ૨૫ દિવસમાં પિતાવિહોણી ૬00 દીકરીઓની અરજી આવી હતી. જેમાં માતા અને પિતા બંનેની છત્રછાયા વિનાની ૫૪ દીકરીઓને પસંદગીમાં પ્રાથમિકતા આપી છે. ત્યાર બાદ પિતા વિનાની ૧૧૮ દીકરીઓ પસંદ કરાઈ છે. આ વર્ષે ‘લાડકડી’માં કામરેજના આંબોલી સ્થિત જનનીધામમાં રહેતી ૪ એચ.આઈ.વી.ગ્રસ્ત દીકરીઓના પણ લગ્ન થશે એમ શ્રી સવાણીએ કહ્યું હતું.

મહેશભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં ૦૨ દિકરીઓથી પ્રારંભ કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના નિ:સ્વાર્થભાવે ધામધૂમથી લગ્ન કરાવી તેમના સપના પૂરા કર્યા છે. કરિયાવરમાં અનેક જીવન જરૂરિયાત વસ્તુઓ આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ પી.પી.સવાણી ગ્રુપ દીકરીની તમામ સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધો.૧૦ સુધીની અભ્યાસ ફી અને કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. સુરતના ૮૦૦૦ થી વધુ પરિવારના પાલકપિતા તરીકેની જવાબદારી આજે પી.પી. સવાણી પરિવાર નિભાવી રહ્યો હોવાની વિગતો તેમણે આપી હતી.

‘લાડકડી’ લગ્નોત્સવના ૨૬૧ નવયુગલોમાંથી લક્કી ડ્રો દ્વારા વિજેતા થયેલા ૧૦ દંપતિને આડતીયા ફાઉન્ડેશનના રિઝવાનભાઈ આડતીયાના સૌજન્યથી સીંગાપુર-મલેશિયા ક્રુઝ ટુર પ્રવાસ અને ૫૦ લક્કી કપલને કિઆન એરવેઝના કેપ્ટન નૈયુમભાઈ સૈયદ કિઆન એરવેઝ દ્વારા હેલિકોપ્ટર મારફત સુરત દર્શન પણ કરાવવામાં આવશે.

December 21, 2018
icai_logo.jpeg
4min22440

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

December 18, 2018
nitin12.jpg
2min18230

(ઇટલી મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીના મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

( સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન માસ્ટર ટ્રેનર સાથે ઇટલીમાં )

ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા પોતાના આર્ટથી ઇટલીમાં પણ નામના મેળવી રહ્યા છે)

કહેવાય છે ને કે નોકરી-ધંધામાં એ લોકો જ સફળ થાય છે જેઓ તેમના ધંધો-રોજગારને દિલોજાનથી ચાહતા હોય છે. સામાન્ય સંજોગોમાં આજે હાલતા-ચાલતા કોઇને પણ પૂછીએ કે નોકરી-ધંધો કેવો ચાલે છે, ત્યારે 99 ટકા જવાબો એવા જ આવે છે કે કશું બરાબર ચાલતું નથી, ફરીયાદોના ઢગલા થઇ જાય એટલું સાંભળવા મળે, ભાગ્યે જ એવા લોકો હોય કે જેમને પોતાના ધંધા-રોજગારથી પ્રેમ હોય. અહીં સુરતના એવા યુવાનની વાત કરી રહ્યો છું જે વ્યવસાયે વાળંદ છે પણ તેને પોતાના વ્યવસાય પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ સુરતનો આ યુવાન નીતિન લિંબાચિયા ભારતનો જ નહીં પણ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રનો રોકસ્ટાર બની ચૂક્યો છે. અગાઉ ફેશન સિટી એમ્સટરડેમ ખાતે અને હાલમાં ઇટલીના મોનાકો, મોન્ટી કાર્લો ખાતે હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગમાં પણ આ યુવાન વાહવાહી લૂટીં રહ્યો છે.

કટ્સ એન્ડ કલર્સના નીતિન કહે છે ઇટલીમાં હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગનો લાભ સુરતના લોકોને જ મળવાનો છે 

હેર  ડ્રેસિંગમાં આંતર રાષ્ટ્રીય સ્તરે રોજેરોજ નીતનવી ટ્રીક્સ એન્ડ ટેકનિક્સ આવી જતી હોય છે

વાત કરી રહ્યો છું સુરતના ઘોડદોડ રોડ પર ક્રોમા નજીક આવેલા નીતિન્સ કટ્સ એન્ડ કલર્સના નીતિન લિંબાચીયાની. નીતિન હાલમાં ઇટાલીમાં છે અને હેર ડ્રેસિંગની લેટેસ્ટ ટેક્નોલોજી, ટ્રેન્ડસ જાણી રહ્યો છે. નીતિન કહે છે કે હેર ડ્રેસિંગ એ આર્ટ હોવાની સાથે સાયન્સ પણ છે. આ એટલું ડીપ સાયન્સ છે કે તેને સમજવામાં એક યુગ નીકળી જશે. અમારી પાસે આવતા ક્લાયન્ટસને ફક્ત એક હેરકટ, હેર સ્ટાઇલ કે બ્યુટી ટ્રીટમેન્ટથી એવો સંતોષ થાય કે તેમનું કમ્પલિટ મેકઓવર થયું છે, એનાથી મોટી ખુશી કઇ હોઇ શકે.

ઇટાલીના મોનાકોથી સી.આઇ.એ. લાઇવ સાથે વાત કરતા નીતિને કહ્યું કે હું જે કંઇપણ ટ્રેનિંગ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લઇ રહ્યો છું એ ફક્તને ફક્ત મારા ક્લાયન્ટસ, કસ્ટમર્સ અને સુરતના લોકો માટે છે. હું સુરતના લોકોને તેમની હેયરસ્ટાઇલ થકી નવી પહેચાન આપવા માગુ છું. આજે પણ સુરતમાં નીતિન પાસે હેર ડ્રેસિંગ કે અન્ય ટ્રીટમેન્ટ કરાવનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે, એપોઇન્ટમેન્ટ વગર નીતિન પાસે જઇ શકાય નહીં. આવું થવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે નીતિન સાયન્ટિફીક એપ્રોચ થકી પોતાના ક્લાયન્ટની હેર સ્ટાઇલ, હેર કટ કે અન્ય બ્યુટી ટ્રીટમેન્ટસને આકાર આપે છે.

(ઇટલીના મોનાકોમાં જે ટીમ સાથે રહીને ટ્રેનિંગ લઇ રહી છે એ ટીમ સાથે ગ્રુપ ફોટો)

પરંપરાગત રીતે દાયકાઓ સુધી સિમીત રહેનાર હેર ડ્રેસિંગ પ્રોફેશનને સુરતના નીતિનએ એવા સ્ટેજ પર મૂકી દીધું છે કે તેના ક્લાયન્ટસ ટોળામાં પણ અલગ જ તરી આવે. નીતિન કહે છે કે વ્યક્તિની પર્સનાલિટીમાં હેર સ્ટાઇલ સૌથી મહત્વની ભૂમિકા ધરાવે છે, અમારી પાસે જ્યારે કોઇ ક્લાયન્ટ હોય ત્યારે તેના ચહેરા પર કઇ હેર સ્ટાઇલ સૌથી વધુ શૂટ થશે એ નક્કી કરીને તેને ઓપ આપવા માટે વિઝન જરૂરી છે, ટ્રેનિંગ અને નોલેજ વગર વિઝન મેળવવું મુશ્કેલ છે અને એટલે જ ક્લાયન્ટને 100 ટકા આપવા માટે અમારે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે.

નીતિન સાથે તેમના વાઇફ પણ વુમન્સ બ્યુટી પાર્લરનું સુપેરે સંચાલન કરી રહ્યા છે.

December 17, 2018
SDCA_logo.jpg
1min12400

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 15, 2018
darshan1.jpg
1min6040
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
December 14, 2018
bni_lympic.jpg
1min7440

BNI સુરતની સૌથી મોટી ઇવેન્ટ BNI ઓલમ્પિક્સ રમતોત્સવ હાલમાં સુરતમાં ચાલી રહ્યો છે. BNI સુરતના 16 ચેપ્ટર્સના 1200થી વધુ મેમ્બર પ્લેયર્સ ઉપરાંત તેમના પરિવારજનો, બાળકો આ ઓલમ્પિક્સની જુદી જુદી રમતોમાં ભાગ લઇને ઇનામો જીતી રહ્યા છે.

કોઇપણ ઇવેન્ટ યોજાવાની હોય એટલે પહેલા તો તેનો ખર્ચ, વ્યવસ્થા, વેન્યુથી લઇને તેના સમાપન સમારોહ સુધીની બાબતો વિચારવી પડે. બી.એન.આઇ. ઓલમ્પિક્સ માટે શહેરની જાણીતી બ્રાન્ડસએ ઉદાર મનથી પોતાનાથી શક્ય એટલી હેલ્પ કરીને આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સરળ બનાવ્યું હોવાની નોંધ બી.એન.આઇ.ના જુદા જુદા ચેપ્ટર્સ અને તેના સભ્યો લઇ રહ્યા છે.

BNI સુરતે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે BNI ઓલમ્પિક્સનો રમતોત્સવ તેમના સ્પોન્સર્સ અને પાર્ટનર્સ વગર આટલી ભવ્ય રીતે યોજી શકાયો ન હોત. BNI સુરતના ઓલમ્પિક્સમાં જુદા જુદા હેડ્સમાં પાર્ટનર્સ દ્વારા વીન-વીન સિચુએશન, બાર્ટર સિચુએશનથી BNI સુરત ઓલમ્પિક ગેમ્સને જે સપોર્ટ કર્યો છે એ માટે BNI તમામને આભારી છે. પાર્ટનર્સ અને સ્પોન્સર્સના કારણે રમતોત્સવ પાછળ થતા ખર્ચમાં ભારે ઘટાડો કરી શકાયો હોવાની નોંધ પણ લેવામાં આવી રહી છે.

BNI સુરત ઓલમ્પિક્સના મેઇન સ્પોન્સર્સ તેમજ કો-સ્પોન્સર્સ પર નજર કરીએ તો દરેક ચેપ્ટર દીઠ એક મેઇન સ્પોન્સર્સ રહ્યા છે. જેમાં

અલકેમિસ્ટ    માધવ પ્રિન્ટર્સ

બેંચમાર્ક        જલારામ ખીચડી

ચેમ્પિયન્સ       ધરતી સ્વીટ્સ એન્ડ નમકીન

ડાયમંડ           ફેસકોમ

ઇલાઇટ           એન.એક્સ.વિનઅર

ફાલ્કન           અંબા ટ્રેડિંગ

ગ્લેડિએટર       સ્કોઇ, ધ ઇન્સ્યુરન્સ સુપર માર્કેટ

હોલમાર્ક          સાઇ વર્લ્ડ ટ્રાવેલ

આઇકોન        મેટ્રો કુલ કોર્પોરેશન- 24 કેરેટ્સ

જ્યુપીટર          જ્યુપીટર

કામા                એન.એમ.

માર્વેલ                ઇઝ્ઝી-જી ટેલ

બાહુબલી            બુક એન ફ્લાય

ચાણક્ય               તોષલ ઇન્ફોટેક

 

કો-સ્પોન્સર્સ

હોમ સ્ટુડીયો

જૈનમ

શ્રી રંગ સરીતા

બ્રાઇડલ ઃ બી-મોર

રીચીરીચ

જય બાલાજી ડાયમંડ

ધ રીયલ એસ્ટેટ હબ

કોઝ્મો

બ્રહ્માણી

ટીઆરટી ટેક્નોલોજીસ્ટ એલએલપી

ગૌરાંગ ગ્રુપ

સ્વાસ્થયમ્ આયુર્વેદિક ક્લિનિક

ડિઝાઇન માય હોલીડેઝ

પ્રાઉડ પાર્ટનર્સમાં

ડીજીટર મિડીયા પાર્ટનર   ઓનલાઇન યુગ- સુરતીઝ

વિડીયોગ્રાફી પાર્ટનર     ડીએસએલઆર એકેડેમી

ફોટોગ્રાફી પાર્ટનર        ફોટોવાલે

એન્ટરટેઇનમેન્ટ પાટર્નર    વન-ઓ-સેવન

રેડીયો પાર્ટનર     બીગ એફ.એમ.

ઓનલાઇન ન્યુઝ બ્રાન્ડિંગ પાર્ટનર   સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ

બેનર્સ પાર્ટનર          ફેબ વર્લ્ડ

હેલ્થ એન્ડ મેડીકલ પાર્ટનર       બોમ્બે મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ

ઇવેન્ટ પાર્ટનર           યુ.એન. આઇ. -ડી વોકા

હાઇડ્રેશન પાર્ટનર        વોટર જાપાન

પાવર પાર્ટનર        ફર્સ્ટ એનર્જી

મંડપ-ડેકોરેશન પાર્ટનર    ક્રિશ્ના મંડપ ડેકોરેશન

બેગ પાર્ટનર              હેમિશફિઅર

ગીફ્ટિંગ પાર્ટનર        સીઝનલ ડેકોર, આમંત્રણ, ફોન માસ્ટર, શ્રી સાઇનાથ સ્ટોર્સ

મેડલ્સ એન્ડ ટ્રોફી પાર્ટનર       ડીકેથ્લોન

બ્રાન્ડિંગ એન્ડ ડિઝાઇનિંગ પાર્ટનર       બ્રાન્ડ ઇન્ડિયા

સ્વીમીંગ વેન્યુ પાર્ટનર          સી.બી પટેલ હેલ્થ ક્લબ

વેન્યુ પાર્ટનર        પ્લેયર્સ સ્પોર્ટસ એન્ડ કાફે

ઇન્ડોર ગેમ વેન્યુ પાર્ટનર      સ્ટરલિંગ એકેડેમી

કેટરિંગ પાર્ટનર       સાઇ કેટરિંગ