અગ્નિકાંડની ઘટનામાં SMCના Executive ઇજનેર સહિત 4ની ધરપકડ
સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ભભૂકેલી આગમાં છાત્રો સહિત 22 વ્યકિતના થયેલા મૃત્યુના બનાવમાં સુરત મહાપાલિકાના કાર્યપાલક ઇજનેર, એકઝીકયુટીવ ઇજનેર, વીજકંપનીના નાયબ ઇજનેર અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ સેન્ટ્રલ ઝોન ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અને આનંદ રો હાઉસ બંગલા નં.7માં રહેતાં પરાગ ડી. મુન્શી, અડાજણના આનંદ મહલ રોડ પર પવિત્રા રો હાઉસમાં રહેતાં અને રાંદેર ઝોનના એકઝીકયુટીવ ઇજનેર જયેશ રમણલાલ સોલંકી, વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર અને કાપોદ્રા ચાર રસ્તા પાસે જીઇબી કોલોનીમાં રહેતાં દીપક ઇશ્વરલાલ નાય અને સરથાણાના નિર્મળનગરમાં રહેતા તક્ષશિલાના બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામભાઇ કહારની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની માહિતી આપતા પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, બિલ્ડર રવિન્દ્ર કહારે જરૂરી ધારાધોરણ પ્રમાણે પરમીશનો મેળવી ન હતી અને તક્ષશિલા બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ કર્યુ હતું.
કાર્યપાલક ઇજનેર પરાગ મુન્શીએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ થયેલા પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરૂધ્ધ ઇમ્પેકટ ફી મંજુર કરીને ગુનાઇત બેદરકારી દાખવી હતી. એકઝીકયુટીવ ઇજનેર જયેશ સોલંકીએ સ્થળ સ્થિતિની ચકાસણી કર્યા વગર સર્ટીફીકેટ ઓફ રેગ્યુલાઇઝેશન ઇસ્યુ કરીને ખોટી રીતે મંજુરી આપીને બેદરકારી દાખવી હતી. જયારે વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર દીપક નાયકે ગ્રાહક તરફથી કરવામાં આવેલ વીજ વપરાશની માગણી સામે વપરાશની ચકાસણી, ગેરકાયદેસર વીજ કનેકશનની ચકાસણી અને આગ લાગ્યા પછી પણ લાંબા સમય સુધી વીજકનેકશન બંધ ન કરીને ફરજચુક દાખવી હતી.આ રીતે ચારેયે ફરજચુક અને ગુનાઇત બેદરકારી દાખવી હોવાથી ધરપકડ કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now