CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 59 of 79 - CIA Live

May 29, 2019
vnsgu_logo.jpg
1min11520

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે

 

May 29, 2019
fire_safty.jpg
1min7250

સ્કુલ્સ અને ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી માટે બેદરકારી દાખવાય છે, તેના સેંકડો પુરાવા મળ્યાં છે. હોસ્પિટલ્સ અને તે પણ શહેરની ટોચની હોસ્પિટલ્સ પણ આ દિશામાં સદંતર બેદરકાર જણાઈ છે. મંગળવારે 29 May 2019 પાલિકાએ આવી 40 ટોચની હોસ્પિટલ્સને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો સપ્તાહમાં કોઈ દરકાર નહીં લેવાય તો પાણીનું કનેક્શન કાપી નાંખવા માટેની ચિમકી આપવામાં આવી છે.

ફાયર બ્રિગેડે કહ્યું હતું કે, શહેરની જાણીતી હોસ્પિટલ્સ જેમાં યુનિક હોસ્પિટલ, ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, ગિરીશ ગ્રુપ હોસ્પિટલ, બી.ડી.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, બાપ્સ હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, નુપુર નર્સિંગ હોમ જેવી કુલ 40 હોસ્પિટલ્સને ગત એપ્રિલ મહિનામાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ હોસ્પિટલ્સ હજુ તેમાં આળસ દાખવી રહી છે. જોકે, હવે તેમની આળસને નહીં બક્ષવામાં આવે. તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો તેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહીં કરે તો આ તમામ 40 હોસ્પિટલ્સના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવશે. તેવી આખરી મહેતલ આપવામાં આવી છે.

May 29, 2019
fire_safty-1.jpg
1min8480

સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને ફાયરબ્રિગેડ હરકતમાં આવતા રાજ્યમાં ફાયરસેફ્ટીના સાધનો ખરીદવા ખાનગી ટયૂશન સંસ્થાના માલિકો, ઑફિસોવાળા, શાળા સંચાલકો માટે પડાપડી કરી રહ્યાં છે. તો બીજી તરફ ફાયરસેફ્ટીના સાધનોનું વેચાણ કરતા ડિસ્ટ્રિબ્યુટર્સ બમણા ભાવે સાધનોનું વેચાણ કરી રહ્યાં છે. જેમાં ઓરિજનલ સાધનો સાથે ડુપ્લિકેટ ફાયરસેફ્ટીનો માલ વેચી બમણોે ફાયદો કરી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ડિસ્ટ્રિબ્યુટર્સ પણ ફાયદો ઊઠાવી રહ્યાં છે.

સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરન્ટ અને હૉસ્પિટલમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જેથી વિવિધ સંસ્થાના સંચાલકો ફાયરસેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે.

ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં વધારો થતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હોર્સ પાઈપ, મીટર, વાલ્વ સહિત સાધનોની માગ સૌથી વધુ ગુજરાતના મુખ્ય શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયરસેફ્ટીની સુવિધા પૂરતી નથી અને જે ચાલું છે તેમાંથી કેટલાક કામ નથી કરતા. સરકાર, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડના કડક આદેશથી સંચાલકો ફાયરસેફ્ટીના નવા સાધનો ખરીદી રહ્યાં છે. જેમાં એક્સટિંગ્વિશર, હોર્સ પાઈપ, મીટર, વાલ્વ, હેવી ડેનસિટી સહિતના સાધનોની ડિમાન્ડ સૌધી વધુ છે.

ફાયરના સાધનોનું વેચાણ કરતા વેપારીઓનો ધંધો બમણો થઈ જતાં બેફામ ભાવ લેવામાં આવે છે. સાથે સાથે ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર્સ ડુપ્લિકેટ માલ પણ પધરાવી દેતા હોવાનું જાણવા મળ્યું હતું. એક ઈક્વિપમેન્ટનો ભાવ જો 1500 હોય તો સંચાલકોને તંત્ર અને સરકારનો ડર બતાવી તેને ડબલ એટલે કે 3000માં વેચી રહ્યાં છે. સુરત તક્ષશિલા અગ્નિકાંડની કરુણાંતિકા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. આ ઘટનામાં 22 વહાલસોયાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરાં અને હૉસ્પિટલમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.

May 26, 2019
suratfire-1.jpg
1min4840

સુરતમાં આગ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા તે સંબંધમાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)એ ગુજરાત સરકારને નોટિસ મોકલી છે. એનએચઆરસીએ ‘સુઓ મોટો’ (આપમેળે) ઘટનાની નોંધ લીધી હતી. માનવ અધિકાર પંચે એક નિવેદનમાં કહ્યું કે, ‘વિદ્યાર્થીઓના માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે તે જોતાં ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ મોકલવામાં આવી છે. બિલ્ડિંગના માલિક અને અન્ય ગુનેગારો સામે નોંધવામાં આવેલી ફોજદારી કેસ સંબંધિત સરકારી કર્મચારીઓ સામે ભરવામાં આવેલા પગલાં વિગેરેનો અહેવાલ મગાવવામાં આવ્યો છે. બિલ્ડિંગની કાયદેસરતા, બાંધકામ, ફાયર ફાઈટિંગ માટેના સાધનો, ફાયર સેફટી માટેની મંજૂરી, શોકગ્રસ્ત પરિવારોને આપવામાં આવેલી રાહત વિગેરે વિગતો પણ મુખ્ય સચિવે આપવાની રહેશે.’

માનવ અધિકાર પંચે કહ્યું કે, ‘ઈજાગ્રસ્તોને સારામાં સારી નિ:શુલ્ક સારવાર મળવી જોઈએ.’ નોટિસનો જવાબ ચાર સપ્તાહમાં માગવામાં આવ્યો હતો.

પંચે અવલોકન કર્યું હતું કે, ‘મીડિયા અહેવાલોથી જાણવા મળે છે કે ભોગ બનેલાઓ માટે બહાર જવાનો સુરક્ષિત માર્ગ ન હતો. શોકગ્રસ્ત પરિવારોને ફક્ત વળતર ચૂકવવું આવા જોખમો સામેનો ઉકેલ બની શકે નહીં.’

May 26, 2019
Surat-funeral.jpg
1min6070

સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં માર્યા ગયેલા 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર અર્થે સુરતના અશ્ર્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા. મૃતક બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ ચોધાર આસુની સાથે જવાબદાર અધિકારીઓ અને ગેરકાયદેસર ચલતા ટ્યુશન કલાસીસના સંચાલકો સામે રોષ ફેલાયો હતો.

આજે 23માંથી 19 બાળકોની એક સાથે અર્થી ઉઠતાં સુરત હીબકે ચડ્યું હતું. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો. સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઊભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે શનિવારે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતીઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.

સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડની આગમાં 21 માસૂમ જિંદગીઓનો અકાળે અંત આવ્યો તેના માટે ખરેખર કોણ જવાબદાર તેવો પ્રશ્ર્ન સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે. ભયાનક આગથી બચવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઉપરથી કૂદી પડ્યા. કેટલાક તેમાં જીવતા ભૂંજાઈ ગયા તેમ છતાં નઘરોળતંત્રની કુંભકર્ણ નિદ્રા નહિ ઊડે તે હકીકત છે. સરકારે તપાસની જાહેરાત કરી. અગ્રસચિવ, ચીફ ફાયર ઓફિસર અને જાડી ચામડીના રાજકારણીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. એએમસીના તેમ જ ફાયરબ્રિગેડના અધિકારીને જવાબદાર ગણી સસ્પેન્ડ કરી સરકારી તંત્ર કામ કર્યાની જાહેરાત કરશે, પરંતુ હકીકત એ છે કે આવી ઘટનાઓ માટે જવાબદાર મોટાં માથાઓને છાવરવાની બદલે શું તેમને કઠેડામાં ઊભા કરી કડક સજા કરવાની હિંમત સરકારમાં છે ખરી? થોડા સમય પહેલાં જ સુરતના જ કોચિંગ કલાસમાં આગ લાગી હતી જેમાં એક શિક્ષક અને વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના બાદ સુરતના તમામ કોચિંગ કલાસીસનું ચેકિંગ તેમ જ ફાયરસેફટીનો મુદ્દો ગરમાયો હતો. એક તારણ પ્રમાણે કોચિંગ કલાસ ફક્ત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનું સૂચન થયું હતું, જેથી તાકીદની પળોમાં જાનમાલનું નુકસાન ન થાય, પરંતુ થોડા સમય બાદ આ તમામ વાતો અને કાર્યવાહી ફકત હવામાં જ રહી ગઈ, પેપરવર્ક પણ થયું નહિ.

સુરતનું તક્ષશિલા આર્કેડ આવું જ ગેરકાયદે હતું. અહીં ચોથે માળે બનાવેલા ડોમની હાઈટ ફક્ત છ ફૂટ જ હતી, આટલું જ નહિ ત્રીજા અને ચોથા માળે જવા માટેનાં પગથિયાં ફાયબર અને લાકડાના હતાં જે આગ ફેલાવવામાં કારણભૂત બન્યા અને વિદ્યાર્થીઓ માટે કાળ. હોલની સીલિંગ થર્મોકોલથી ડેકોરેટ કરાયેલી હતી, તો બેસવા માટે ગાદલા અને તેની ઉપર ટાયર મૂકવામાં આવ્યા હતાં. આગ લાગતા ટાયર સળગ્યાં અને તેમાંથી ગંધક નીકળતાં વિદ્યાર્થીઓના શ્ર્વાસમાં જતાં તેઓ ગૂંગળાઈ મર્યા. આ બિલ્ડિંગને મંજૂર કરાવવા અહીંના એક વગદાર અને રાજકારણીએ બિલ્ડર સાથે મિલીભગત કરી 2011માં ઈમ્પેક્ટ ફી હેઠળ વરાછા ઝોનમાં મંજૂરી માટે પ્લાન મૂકયો હતો. એ સમયના અધિકારીઓ, વગદાર વ્યક્તિ અને પાલિકાના એન્જિનિયરની મિલીભગતને કારણે ગ્રાઉન્ડ પ્લસ બેને ઈમ્પેક્ટ ફીમાં મંજૂરી મળી, ત્યાર બાદ ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બન્યા, તેમ છતાં પાલિકા, ફાયરબ્રિગેડ અને અહીંના સ્થાનિક રાજકારણીઓની ઊંઘ ઊડી નહોતી. એવું કહેવાય છે કે વરાછા ઝોનમાં 70 ટકાથી વધુ બાંધકામને પરવાનગી મળી નથી.

એક મહિના પહેલાં જ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીના મુદ્દે નોટિસ આપી હતી. પાલિકાના ભ્રષ્ટ તંત્રએ પણ ત્રીજા અને ચોથા માળની તપાસ કરી પોતાના ખિસ્સાં ભર્યાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ફાયરબ્રિગેડને આગની જાણ કરાઈ, ત્યાર બાદ આવવામાં ઘણો વિલંબ થયો અને આવ્યા ત્યારે ફકત દોઢ માળ સુધી પહોંચે તે લેડરનું હાઈડ્રોલિક જ ચાલુ થયું નહિ. આ ઉપરાંત ફાયરબ્રિગેડ વિભાગ ઉપરથી કૂદતા વિદ્યાર્થીઓને ઝીલનારી સેફટી નેટ જ લાવવાનું ભૂલી ગયા. આમ ફાયરબ્રિગેડની અક્ષમ્ય ભૂલને કારણે જાનહાનિનો આંક વધી ગયો. એએમસી પાસે 10 માળ સુધી પહોંચે તેવી હાઈડ્રોલિક લેડર છે, પરંતુ તે મુખ્યાલયમાં હોવાને કારણે અહીં સુધી ટ્રાફિકમાં લાવી શકાય તે શક્ય જ નહોતું. કટોકટીની પળોમાં માનવ-જાનમાલને બચાવવા જે આયોજન જોઈએ તેનો અહીં સદંતર અભાવ હતો.

તક્ષશિલા આર્કેડને અડીને આવેલા વીજળીના થાંભલામાં શોર્ટસર્કિટ થઈ અને જોતજોતામાં થાંભલા પર લગાડેલું જાઈન્ટ હોર્ડિંગ તેની ઝપેટમાં આવી ગયું જે બિલ્ડિંગ પર પડતાં ત્રીજા અને ચોથા માળના ફાયબરના અને લાકડાના પગથિયાં તેની ઝપટમાં આવતાં જ વિદ્યાર્થીઓ માટે કાળ પુરવાર થયું. આ ઉપરાંત બીજા માળની મીઠાઈની દુકાનનું એસી ફાટતાં તેના કોમ્પ્રેશરની હવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ તેમ જ થર્મોકોલની સીલિંગ અને બળતા ટાયરના ગંધકથી વિદ્યાર્થીઓ ગૂંગળાઈ મર્યા. હવે જોવાનું એ છે કે શું આ કરુણ ઘટના માનવીય સંવેદનાને ઝંઝોડી નીંભર તંત્રને હકીકતમાં સેફટીના પગલાં ભરવાની બુદ્ધિ આપશે? કે પછી બે દિવસ મીડિયામાં હાઈલાઈટ્સ બની આ સમાચાર ફરી આવી ઘટના બને ત્યાં સુધી કચરાની ટોપલીમાં જતા રહેશે.

May 25, 2019
smc.jpg
1min12590

સુરતના વરાછાના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર તા.24મી મે 2019ના રોજ સર્જાયેલી આગ કરુણાંતિકામાં ઘટનાસ્થળે પહોંચવાથી લઇને બચાવ રાહત કામગીરીમાં ઢીલું વલણ અખત્યાર કરનાર ફાયર બ્રિગેડ તંત્ર સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. ખુદ સરકાર તેમજ લોકોએ વિડીયોમાં ફાયર બ્રિગેડની કામગીરી જોઇને ભારોભાર ટીકા કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. આજે તા.25મી મે 2019ને શનિવારે મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર  એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી ફરજ મૌકુફી (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેડમાં જે ટ્યુશન ચાલી રહ્યા હતા એ ટ્યુશન ક્લાસીસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું જણાય આવે છે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21650

જયેશ બ્રહ્મભટ્ટ

તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.

આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ

ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.

જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં

  • હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
  • યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
  • નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
  • આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.

મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો

મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.

એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી

આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.

 

આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં

  1. સંઘાણી મીત  (આશાદીપ વિદ્યાલય)  (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
  2. કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ  (આશાદીપ વિદ્યાલય)  (ધો.12 સાયન્સ પાસ)
  3. અંશ મનસુખભાઇ ઠુમ્મર             (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ)    ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ
May 25, 2019
Surat1-1.jpg
1min6720

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા એક ડ્રોઈંગ ક્લાસમાં એકાએક લાગેલી ભયાનક આગમાં 21 વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયા જ્યારે 19 જેટલા લોકો ઘાયલ થયા છે. સુરતની આ હૃદયદાવક ઘટનામાં એવી ચોંકાવનારી વાત જાણવા મળી રહી છે કે, ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારીને કારણે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્યોને બચાવવામાં મોડું થયું અને મૃતકોનો આંકડો વધી ગયો. દરમિયાનમાં ડ્રોંઈગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. FSLની ટીમ ઘટનાની તપાસ કરશે અને તેમના રિપોર્ટના આધારે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવશે તેવી પણ માહિતી મળવા પામી છે.

કેટલાક ટીવી રિપોર્ટ મુજબ, ક્લાસીસમાં આગ લાગ્યાની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડ અડધો કલાક જેટલી મોડી આવી હતી અને એટલું જ નહીં, આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન પાણી પણ ખૂટી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરીમાં મોડું થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા પહોંચવામાં મોડું કરાતા અને તે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો લઈને ન આવી હોવાથી બચાવ કામગીરીમાં મોડું થયું હતું અને જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો તેવો લોકોનો આક્ષેપ છે.

જાણવા મળ્યા મુજબ, એસી ડક્ટ્સ અને કોમ્પ્રેસરમાં આગ લાગી હતી, જે ધીમે-ધીમે આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, બાળકો ક્લાસમાંથી બહાર નીકળી દાદર તરફ પણ જઈ શકે તેમ નહતા. એટલે, કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ત્રીજા માળે આવેલા ક્લાસિસની બારીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં બે બાળકોનો મોત થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા એ વાતથી જ સમજી શકાય છે કે, આગથી બચવા 9 જેટલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયર બ્રિગેડના આઠ ટેન્કરો આગ બૂઝાવવા પહોંચ્યા હતા. ઘટના સ્થળે એમ્બુલન્સોનો પણ ખડકલો કરી દેવાયો હતો. જણાવાયા મુજબ, જ્યાં આગ લાગી ત્યાં રમત-ગમતના સાધનો અને ટાયરો પણ હતા, જેના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો.

દરમિયાનમાં આ ક્લાસિસમાં જેમના બાળકો હતા તે વાલીઓ પણ ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

May 25, 2019
suratfire.jpg
1min11950

સુરતના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડમાં આવેલા એક કલાસમાં પ્રચંડ આગમાં 20થી વધુ વિદ્યાર્થીઓના મોત થતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગની દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ અર્થે તાત્કાલિક શહેરી વિકાસ અગ્ર સચિવને સુરત ખાતે મોકલી ત્રણ દિવસમાં દુર્ઘટનાનો રીપોર્ટ આપવાના આદેશો કર્યા હતા અને જવાબદાર સામે પગલાં લેવાના પણ આદેશો આપ્યા હતા.

મોડી રાતથી સુરત આવેલા અગ્ર સચિવએ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાને સુરતના ટ્યુશન કલાસીસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના મોતની દુખદ ઘટના પર અત્યત દુ:ખની લાગણી વ્યક્ત કરી તાકીદે સુરત જવા રવાના થયા હતા અને દુર્ઘટનાને પગલે મુખ્ય પ્રધાને આ આગ લાગવાની ઘટનાના કારણોની, ફાયરબ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડિંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા શહેર મનપાની કામગીરી બાબતે સંપૂર્ણ તપાસ કરવા રાજ્ય સરકારે તાકીદે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને તાબડતોબ સુરત મોકલી દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની કડક આદેશો આવ્યા હતા. મુખ્ય પ્રધાને દુર્ઘટનાનો ભોગ બનનારના પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારોને રૂપિયા ચાર લાખની સહાયની મુખ્ય પ્રધાનના રાહત નિધિમાંથી કરવાની જાહેરાત કરી હતી. ઘટનાને પગલે વડા પ્રધાન

નરેન્દ્ર મોદીએ, કૉંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કૉંગે્રસના નેતા શક્તિસિંહ, કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલે વિદ્યાર્થીઓના મોતની ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત હતી.

May 25, 2019
modi_varacha-1280x497.jpg
1min5640

બીજી તરફ આ કરૂણ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુ:ખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું હતું. વડા પ્રધાનના આ ટ્વીટ બાદ તરત જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ અધિકારીઓને તત્કાળ ઘટના સ્થળે જઇને બચાવ કામગીરી ઉપરાંત તપાસ કરવાના આદેશ કર્યા હતા. તેમ જ રાત્રે ઘટનાસ્થળે પહોંચી જઇને સમીક્ષા કરી હતી.