CIA ALERT

Slider Archives - Page 472 of 491 - CIA Live

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min5760

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.

August 4, 2018
pani-puri1.jpg
1min5840

ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત

panipuri1

ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ 2 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમા ધોરણની વિદ્યાર્થિની આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટીને સ્પર્ધાની વિજેતા બની હતી.

મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા ક્લબ દ્વારા અમદાવાદમાં ગોલગપ્પા ઈટિંગ કૉમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઈ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ધસારો થયો હતો અને એક તબક્કે હૉલના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઈ ગઈ હતી.

સ્પર્ધાના આયોજકોનું કહેવું હતું કે મહિલાઓ માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઈએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

panipuri

૧ ઑગસ્ટ હવેથી ગોલગપ્પા દિવસ

અમદાવાદની પાણીપૂરી સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઈને કર્યું હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઑગસ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કૅન્ડી આપવામાં આવી હતી.

August 4, 2018
vi-1280x720.jpg
1min5480

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસને ‘ડે ઝીરો’ તરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે.

 

બંને કંપનીના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરે પગલાં ભરવાનું નક્કી કરાયું છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.

મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને ₹૧,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ‘ડે ઝીરો’ આવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે. જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છે. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.

August 4, 2018
id3-1280x720.jpg
1min5710

@  Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આયોજિત કરેલ યાર્ન એક્સ્પોના ઉદ્ઘાટન માટે સુરત પધારેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાંભળવા શહેરની પ્રસિદ્ધ ફેશન સંસ્થાઆઈ.ડી.ટી.ની  વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી .કાર્યક્રમ ની સમાપ્તિની વેળાએ આઈ.ડી.ટી.ની  આ ૧૨૫ જેટલી   વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીના પ્રતીક રૂપે, તેમણે જાતે બનાવેલ ફ્રેન્ડશીપ બેલ્ટઅર્પણ કર્યો હતો  અને તે સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો .

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આઈ.ડી.ટી ના ડિરેક્ટર અનુપમ ગોયલને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ મળયું મળ્યું હતું તે સમયે શ્રી ગોયલેવિદ્યાર્થીનીઓની મંત્રીશ્રીને  મળીને તેમને ફ્રેન્ડશીપ બેલ્ટ અર્પણ કરવાની તેમની ઈચ્છા ચેમ્બરના પદાધિકારીઓને જણાવી હતી અને તેને માટે અનુકૂળ પ્રતિસાદ મળતા. વિદ્યાર્થીનીઓનો ઉત્સાહબેવડાયો હતો અને આખરે મંત્રીશ્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમની સ્મૃતિ ભેટ – ફ્રેન્ડશીપ બેલ્ટ સ્વીકારી લેતા તેમણે ખુશી વ્યક્ત કરીને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને તેમની સાથે સમૂહ માં તસ્વીર પડાવી હતી .

 

August 4, 2018
au8.jpg
2min5990

@ Jayesh Brahmbhatt 98253 44944

 

સુરતની અવંતિકા અને સાહિલ બન્યા ફેસ ઓફ ગુજરાત

સુરત : ઓરા એકેડેમી દ્વારા સતત બીજા વર્ષે યોજાયેલ “ફેસ ઑફ ગુજરાત”ની ગ્રાંડ ફિનાલેનું આયોજન સરસાણાના પ્લેટીનમ હોલ ખાતેકરવામાં આવ્યૂ હતું.

ગ્રાન્ડ ફિનાલેના અંતે ગર્લ્સમાં સુરતની અવંતિકા શરદ પ્રથમ જ્યારે દેવયાની સિંહ દ્વિતીય અને બીના સોની તૃતીય સ્થાને વિજેતા રહી હતી. તેમજ બોયઝમાં પણ સુરતના સાહિલ અરોરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને સતીશ તિવારી દ્વિતીય તેમજ આર્યન કુકડિયા તૃતીય સ્થાને રહ્યા હતા.

દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 32ફાઇનલિસ્ટોનું ચયન કરવામાં આવ્યું હતું જેમાં 16પુરુષ અને 16મહિલાઓનું ગ્રુપ હતું.

-x-x-x-x-

August 4, 2018
am4-1280x853.jpg
2min9020

@ JAYESH BRAHMBHATT  98253 44944

 

  • પ્લેબેક સીંગર પૂર્વા મંત્રી અને ભાવીન શાસ્ત્રીની બેલડીએ પોતાના ગીતોથી સૌને ઝુમાવ્યા
  • અમેઝિયા ફેમિલી ક્લબના3000 મેમ્બર્સે પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો પણ ભરપૂર લ્હાવો માણ્યો

સુરત : ગુજરાતમાં સૌ પ્રથમ વખત અને તે પણ સુરતમાં “અમેઝિયાએક્વા લાઈવ કોન્સર્ટ”નું આજરોજ અમેઝિયા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના સદસ્યોએ ગીત સંગીતની સાથે-સાથે પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો ભરપૂર લ્હાવો માણ્યો હતો.

રાજગ્રીન ગ્રુપના સંજય મોવલિયાઅને અલ્પેશ કોટડીયાએ જણાવ્યું હતું કે અમેઝિયાફેમિલી ક્લબ પોતાના મેમ્બર્સ માટે સતત આ પ્રકારના મનોરંજનથી ભરપૂર આયોજન કરતું રહે છે.ત્યારે આજરોજ અમેઝિયા ખાતે અમેઝિયા એક્વા લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક લાઈવ કોન્સર્ટ, પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો આનંદ અમેઝિયા ફેમિલી ક્લબના મેમ્બર્સે માણ્યા હતા. લાઈવ કોન્સર્ટમાં પ્લેબેક સીંગર પૂર્વા મંત્રી અને ભાવીન શાસ્ત્રીએ બૉલીવુડના ગીતો રજુ કરી સૌને ડોલાવી દીધા હતા. આ ઉપરાંત 3000થી વધુ મેમ્બરોએ પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો પણ પરિવાર સાથે ભરપૂર  લ્હાવો માણ્યો હતો.

 

-x-x-x-x-

August 4, 2018
se3-1280x856.jpg
1min7400

સુરત, 3 ઓગસ્ટ, 2018 – શેલ્બી હોસ્પિટલે સુરતની પ્રથમ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડો. તૈયાબ લાકડાવાલા ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સાથે સ્કોલિયોસીસને કારણે લાંબા સમયથી ગંભીર કમરના દુઃખાવાની સમસ્યાથી પીડીતા હતાં અને આ બિમારીને કારણે તેમના પોશ્ચર વિકૃત થઇ જતાં તેમના ડાબા પગમાં તીક્ષ્ણ પીડાની સમસ્યા સર્જાઇ હતી, જેથી તેમના ડાબા પગમાં આંશિક લકવાની અસર સર્જાઇ હતી. 67 વર્ષની ઉંમરના ડો. તૈયબ લાકડાવાલા છેલ્લાં એક વર્ષથી આ સમસ્યાથી પીડીત હતાં અને તેના કારણે તેમની હલનચલન ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી અને પોતાના ક્લિનિકમાં પણ જવાનું બંધ કરી દીધું હતું. એક વર્ષ બાદ તેમણે સુરતના અડાજણ ખાતે શેલ્બી હોસ્પિટલમાં સિનિયર સ્પાઇન સર્જન ડો. ગૌરવ ખંડેલવાલની સલાહ લીધી હતી.

શેલ્બી હોસ્પિટલ ખાતે ડો. ગૌરવે દર્દીની વિકૃતિ અને નર્વ ડિકમ્પ્રેશનને સુધારવા માટે સ્પાઇન સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરીના માત્ર 24 જ કલાકમાં ડો. લાકડાવાલા ચાલતા થયાં અને તેમની પીડામાં નોંધપાત્ર ઘટાડો પણ આવ્યો. સર્જરીના એક મહિના બાદ તેમનું જીવન એકદમ સામાન્ય થયું અને ડો. લાકડાવાલ ફરીથી પોતાના ક્લિનક જવા લાગ્યાં. હવે તેમને કોઇપણ સમસ્યા નથી.

આ સર્જરી અંગે માહિતી આપતાં ડો. ગૌરવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્પાઇન સર્જરી ટેકનીકમાં બદલાવ આવ્યો છે અને પરંપરાગત ઓપન સર્જરીની જગ્યાએ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરવામાં આવે છે. મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સારા પરિણામો આપે છે તેમજ ખુબજ ઓછા કટ સાથે તંદુરસ્ત સ્નાયુઓને સાચવવામાં આવે છે. આ સર્જરીમાં લોહીની જરૂરી પણ ઓછી રહે છે અને અત્યંત વૃદ્ધિ દર્દીઓ ઉપર પણ શુન્ય ઇન્ફેક્શન રેટ સાથે સર્જરી કરી શકાય છે. ખુબજ ઓછા સમયમાં દર્દી સામાન્ય અને પીડામુક્ત જીવન વિતાવતા થાય છે. આ સર્જરી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં ઓછી ખર્ચાળ છે. સ્પાઇનની સમસ્યાથી પીડીત દર્દીઓમાં ઝડપી રિકવરીને જોતાં મને ખુશી અનુભવાય છે. આ સુરતની પ્રથમ જટીલ મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી છે.”

ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે કરાતી સર્જરીમાં ઓછામાં ઓછા 10 કલાકનો સમય, 15 દિવસના હોસ્પિટલ સ્ટે, 5 લોહીના 5 યુનિટ અને સંપૂર્ણ રિકવરી માટે એક વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તેનો ખર્ચ રૂ. 4થી5 લાખ, એક વર્ષ ફિઝિયોથેરાપી માટેનો અંદાજિત ખર્ચ રૂ. 75,000 જેટલો થવા પામે છે, એટલે કે સારવારનો કુલ ખર્ચ રૂ. 5થી6 લાખ થાય છે. જોકે, ડો. ખંડેલવાલ દ્વારા કરાયેલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં 5 દિવસના હોસ્પિટલ સ્ટેની જરૂર રહે છે અને દર્દી સર્જરીના એક દિવસમાં ચાલતો થઇ જાય છે તથા માત્ર એક યુનિટ લોહીની જરૂરિયાત રહે છે. મહત્વપૂર્ણ છે કે સર્જરીનો ખર્ચ પરંપરાગત સર્જરીની સરખામણીમાં એક તૃતયાંશ ઓછો છે.

શેલ્બી હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી મનિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્પાઇનના દર્દીઓ અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઇને કોઇપણ પ્રકારના કોમ્પલિકેશન વિના ઝડપી રિકવર હાંસલ કરી શકે છે. સુરત ખાતે શેલ્બી હોસ્પિટલે મુંબઇમાંથી પણ સ્પાઇન સર્જરી કેસ મેળવ્યાં છે. હોસ્પિટલ પાસે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બ્રેઇન અને સ્પાઇન સર્જનની પ્રતિબદ્ધ ટીમ છે. અમે ખુબજ ઓછા સમયમાં 200થી વધુ સ્પાઇન સર્જરી કરી છે અને સફળતાનો દર પણ ઉંચો છે. અમારા પ્રયાસોથી મોટી સંખ્યામાં દર્દીઓને લાભ થતાં જોઇ અમે ખુશી અનુભવીએ છીએ.”

August 4, 2018
b9.jpg
4min10610

@ Jayesh Brahmbhatt   98253 44944

 

અમેઝિયા-ધ ફેમિલિ ક્લબ ખાતે “બીએનઆઇ ઝુનુન 2018”નું થયું ભવ્ય આયોજન

સુરત, 29જુલાઇ, 2018:

બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ (બીએનઆઇ)એ શહેરના અગ્રણી અને ખ્યાતનામ સીએ ગૌરવ વી. સંધવી અને ડો. નિધિ સંધવી દ્વારા 29મી જુલાઇ 2016ના રોજ શરૂ કરાયેલા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ એટલેકે “રેફરલ માર્કેટિંગ”ના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાંની જાહેરાત કરી હતી. તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે.

બીએનઆઇ સુરતે આ બે વર્ષના સમયગાળામાં કુલ 13 ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે અને હાલમાં 1,000થી પણ વધુ સભ્યો ધરાવે છે. આ ઉપરાંત બીએનઆઇ સુરત આગામી મહિનાઓમાં વધુ 7 ચેપ્ટર્સ ઉમેરીને 350થી વધુ સભ્યોને જોડવાની અપેક્ષા રાખે છે.

બીએનઆઇ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસલ કરાયેલી સિદ્ધિઓ અંગે વાત કરતાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, અમને 3 સેન્ટેનિયલ ચેપ્ટર્સ અને વિશ્વભરમાં સૌથી વધુ એવરેજ ચેપ્ટર સાઇઝ ધરાવવાનું સન્માન મળેલું છે. 72 દેશોમાં 900થી વધુ રિજનમાં બીએનઆઇ સુરતે વિશ્વમાં પ્રથમ ક્રમના રિજન હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત કરેલું છે.

સુરતના સભ્યો ગિવર્સ ગેઇનનું સુત્ર ખુબજ સારી રીતે સમજે છે, જેનો મુખ્ય સંદેશો ‘યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્થ’ છે તથા આ શુભ પ્રસંગે બીએનઆઇ સુરત 29મી જુલાઇ, 2018ના રવિવારના રોજ અમેઝિયા-ધ ફેમિલિ ક્લબ ખાતે બીએનઆઇ ઝુનુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીએનઆઇ સુરત ઝુનુન 2018માં મેમ્બર્સ ગાલા એવોર્ડ્સ નાઇટ યોજાયુ હતું, જે સુરત શહેર માટે પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ હતો અને ગત વર્ષે પણ આ કાર્યક્રમને ખુબજ સારી સફળતા પ્રાપ્ત થઇ હતી. આ વિશાળ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ખ્યાતનામ સુરત શહેરના 1,000થી વધુ ઉચ્ચ દરજ્જાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગ્રુપ અને સોલો પર્ફોર્મન્સ, મેમ્બર્સને પોતાની બ્રાન્ડ પ્રદર્શિત કરવા યુનિક મેગા ફેશન શો, એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન, વિશેષ સન્માન સહિત સંખ્યાબંધ મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

-x-x-x-

For English Readers.

Surat :BNI Surat is honored and pleased announce that the Journey of superlative Techo – Networking (Technology enable networking organization) called “Referral Marketing “which started on 29th July 2016 by Surat’s most leading & prominent Chartered Accountant CA Gaurav V. Singhvi& Dr. NidhiSinghvi. They are Executive Directors of BNI Surat.

BNI Surat has completed successful 2 Years of its journey with the launch of total 13 Chapters with over 1000+ Members. In the coming months we are expecting 7 more Chapters to be launched which are in making with an addition of 350+ members. Talking about some of global achievements of BNI Surat Region, we have the honour of having 3 Centennial Chapters & highest Average Chapter Size all across the world. The Region is also well recognized for being the World’s No.1 Region in BNI Journey till now from out of 900+ Regions and 72 Countries.

The philosophy of Giver’s Gain is enrooted in the members of Surat and it revolved around one single statement “Your network is your net worth” and on this auspicious day BNI Surat a Giver’s platform is celebrating and organizing BNI Junoon on 29th July 2018, Sunday at Amaazia- the Family Club.

BNI SuratJunoon 2018 a Member’s Gala Award’s Night is one of the prestigious award night of the Surat City which was a huge successful event in last year. This mega event will be attended by the 1000+ elite entrepreneur of the Surat City having business in all horizons. The event comprises of Group & Solo Performances, Unique Mega Fashion Shows which is organized for the member’s only to showcase their esteemed brand during event, Awards Distribution, Special Recognition, Singing and lots of Entertainment and surprises followed up by dinner.

July 28, 2018
662202-paswanramvilas-031918-1280x720.jpg
1min5300

મોદી સરકાર સામે ખાંડા ખખડાવતા કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના વડપણ હેઠળ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)એ શુક્રવારે કહ્યું હતું કે, ભાજપને આપેલો ટેકો મુદ્દા આધારિત છે. એલજેપીએ દલિતો સામેના અત્યાચાર વિરોધી ધારાની આકરી જોગવાઈ ફરી સ્થાપિત કરવા તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના અધ્યક્ષ એ. કે. ગોયલને નવમી ઑગસ્ટ સુધીમાં બરતરફ કરવાની માગણી કરી હતી. એનડીએના એક અન્ય સહયોગી પક્ષ એલજેપીએ પણ ભાજપ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે. એસસી-એસટી એકટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને ચેતવણી આપી હતી.

એલજેપી અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્રે વડા પ્રધાન મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ચેરમેન એ. કે. ગોયલને ચેરમેનપદેથી દૂર કરવા માગણી કરી છે. તેમણે સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન એસસી-એસટી એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજાની હળવી કરેલી જોગવાઈ દૂર કરવા અંગે ખરડો પસાર કરવા સરકારને અપીલ કરી છે.

જો તેમ કરવામાં સરકાર અસમર્થ રહે તો વટહુકમ બહાર પાડવા પણ અનુરોધ કર્યો છે. જેથી ૯ ઑગસ્ટથી શરૂ થનારા એસસી-એસટી એકટ વિરુદ્ધના અભિયાનને રોકી શકાય. ૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે હળવી કરેલી સજા વિરુદ્ધ દેશભરમાં લોક આંદોલન ફાટી નીકળ્યા હતા, જેણે હિંસક સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ વકરી હતી. પાસવાને સરકારને દેશને ફરી વખત હિંસક આંદોલન તરફ જતો રોકવા અનુરોધ કર્યો છે. ૧૦ ઑગસ્ટના રોજ દલિત અને આદિવાસી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે એસસી-એસટી સમુદાય પર અત્યાચાર વધ્યાં હોવાનું જણાવી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનું જણાવ્યું હતું. જો કે ચિરાગ પાસવાને મોદી સરકાર દલિતોના હિતમાં નિર્ણય કરશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિરોધ પક્ષ દ્વારા ભાજપની એન્ટી દલિત પાર્ટી તરીકે ઊભી કરાયેલી છાપને ભૂસવા ભાજપ સરકારને અનુરોધ કર્યો હતો.

July 28, 2018
Devendra-Fadnavis-PTI1_2_2017.jpg
1min5140

નવી મુંબઇ જમીન સોદાના કેસમાં જ્યુડિશીયલ તપાસનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જમીન સંબંધી દરેક ટ્રાન્ઝેક્શન્સ પર સ્ટે મૂકી દીધો હતો. આ અંગે વિધાનસભામાં જાહેરાત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જમીન ની લે-વેચ કરી નહીં શકાય અને તેને ભાડા પર આપી નહીં શકાય. તેમણે મહેસૂલ વિભાગને આ જમીન પર કોઇ થર્ડ પાર્ટી દાવો ના કરે એનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કોયના પીએપી જમીન વિવાદની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ કૉંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમે દાવો કર્યો હતો કે કોયના બંધના આઠ પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે નવી મુંબઇમાં રાખવામાં આવેલી 1,767 કરોડ રૂપિયાની જમીન ખાનગી બિલ્ડરને 3.60 કરોડ રૂપિયાના મામૂલી ભાવે આપી દેવામાં આવી છે.