CIA ALERT

Slider Archives - Page 473 of 488 - CIA Live

July 20, 2018
milk2.jpg
1min5930

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ખેડૂતોની લિટરદીઠ રૂ. 25નો ભાવ આપવાની માગ સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેરી ડેવલપમેન્ટ પ્રધાન મહાદેવ જાનકરના નિવેદન અનુસાર પાઉચમાં પૅક કરવામાં આવતા દૂધ માટે કોઈ સબ્સિડી આપવામાં આવશે નહીં. આ ઉપરાંતના દૂધને સરકાર રૂ. 5ની સબ્સિડી આપશે. આ સબ્સિડી દૂધ પુરવઠો ઉપલબ્ધ કરનાર અથવા પ્રક્રિયા કરનાર સંસ્થામાંથી એકને જ મળશે. જે દૂધનો પાઉડર ઉત્પાદિત કરે છે તેઓ જો રૂ. પાંચની સબ્સિડીનો લાભ લેશે તો તેમને પાઉડર પર મળતી આયાત માટે મળતી મદદનો લાભ મળશે નહીં, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

દૂધના ભાવમાં લિટરદીઠ પાંચના વધારાની માગ સાથે શરૂ થયેલું આંદોલન ચાર દિવસ ચાલ્યું હતું. મુંબઈમાં તેની સીધી અસર જોવા મળી નથી, કોલ્હાપુર, સોલાપુર, બુલઢાણા, પુણે તેમ જ રાજ્યના ઘણા ભાગોમાં તે હિંસક બન્યું છે. રાજ્યના અમુક જિલ્લા અને અંતરિયાળ વિસ્તારોમાં દૂધ દ્વારા ભગવાનનો અભિષેક કરવો, દૂધ રસ્તા પર ઢોળી દેવાના બનાવો બન્યા હતા.

બીજી બાજુ અમુક સ્થળોએ ખેડૂતોએ જાનવરોને પણ રસ્તા પર ઉતાર્યાં હતાં અને ચક્કાજામ કર્યો હતો. ચિખલી, સાતારા, બારામતી, નાશિક, બુલઢાણા, જાલના વગેરે જિલ્લાઓમાં આંદોલનની તીવ્રતા વધારે દેખાઈ હતી. પોલીસે લગભગ 30 જેટલા આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. બૅંગલૉર નેશનલ હાઈ વૅ સહિત અમુક રસ્તાઓ પર પણ ચક્કાજામ કરવાની કોશિશ થઈ હતી.

રાજ્યમાં ચાલી રહેલા દૂધના આંદોલનની ઘણા કારણોસર ટીકા કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્યના ખેડૂતોને દેશમાં સૌથી ઓછો ભાવ મળતો હોવાની હકીકત પણ સામે આવી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર દેશમાં દૂધ ઉત્પાદનના મહારાષ્ટ્રનો ક્રમાંક સાતમો છે, પરંતુ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને ઓછો ભાવ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગાયના દૂધ માટે ખેડૂતોને ખાનગી સેક્ટરમાં રૂ. 16 મળે છે જ્યારે સહકારી સેક્ટરમાં રૂ. 18.5થી 23 મળે છે. દેશભરમાં ડેરી ઉદ્યોગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેનું એક કારણ આ પણ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે રૂ. 29.5, કર્ણાટકમાં રૂ. 27.5- આ સાથે સરકાર રૂ. 5 સબ્સિડીરૂપે આપે છે, ઉત્તર પ્રદેશમાં રૂ. 25.6, પંજાબ રૂ. 25, મધ્ય પ્રદેશ રૂ. 25, રાજસ્થાન રૂ. 23.6 અને મહારાષ્ટ્રમાં રૂ. 18.5થી રૂ. 23 સુધી આપવામાં આવે છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં રાજ્યોનો ભાગ જોઈએ તો ઉત્તર પ્રદેશ 17 ટકા, રાજ્સ્થાન 12.6 ટકા, મધ્ય પ્રદેશ 8.1 ટકા, ગુજરાત 7.7 ટકા, આંધ્ર પ્રદેશ 7.4 ટકા, પંજાબ 6.8 ટકા અને મહારાષ્ટ્ર 6.3 ટકા છે.

July 20, 2018
ca-1.jpg
1min7800

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ સી.એ. ફાઇનલ્સ તેમજ સી.પી.ટી.ના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. સી.એ. ફાઇનલ્સ પરીણામની વાત કરીએ તો ફક્ત ગ્રુપ એ ની પરીક્ષામાં 38696 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 6195 પાસ થતાં ફક્ત ગ્રુપ-1નું પરીણામ 16.01 ટકા આવ્યું હતું.

ગ્રુપ-2માં કુલ 37350 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 5075 વિદ્યાર્થીઓ પાસ થતાં ફક્ત ગ્રુપ-2નું પરીણામ 13.59 ટકા આવ્યું હતું.

27727 વિદ્યાર્થીઓએ બન્ને ગ્રુપની પરીક્ષા આપી હતી. આ પૈકી 2520 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થવામાં સફળ નિવડ્યા હતા. બન્ને ગ્રુપ પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 9.09 ટકા હતી. જ્યારે 3658 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-1 પાસ કરી શક્યા અને 693 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-2 પાસ કરી શક્યા છે.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 9104 ઉમેદવારોને આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી.

 

સુરતના અનુરાગ બગરીયા નામના ઉમેદવારે 800માંથી 597 માર્કસ મેળવીને કુલ 74.63 ટકા સાથે સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હોવાની યાદી આઇ.સી.એ.આઇ. દ્વારા જાહેર કરવામાં આવી હતી.

July 20, 2018
DSC05597.jpg
2min7870

આજથી શરૂ થયેલી ટ્રક અને ટ્રાન્સપોર્ટ હડતાળના પહેલા જ દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા વિવિધ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પરથી ટ્રક તેમજ અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. ટ્રક ડ્રાઇવરોએ હડતાળમાં જોડાઇને પોતાની ટ્રકો સલામત સ્થળે પાર્ક કરી દઇને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાંથી પસાર થતા હાઇવે પર ટ્રાન્સપોર્ટ ટ્રક, ટેન્કર વગેરે જોવા નહીં મળતા ટ્રાફિક સાવ જ નહીંવત જોવા મળ્યો હતો. પ્રસ્તુત છે ટ્રક હડતાળની તસ્વીરી ઝલક

July 20, 2018
vac3.jpg
1min8960

બાળકો-વાલીઓએ ખોટી અફવાઓ અને અપપ્રચારથી ગભરાવું નહીં

સોશિયલ મીડિયા પર ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું

સોશ્યલ મીડિયા પર ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું

રાજ્યભરમાં માત્ર બે દિવસમાં ૧૭ લાખથી વધુ બાળકોને રસીકરણમાં આવરી લેવાયા છે, જેમાં હજુ સુધી એક પણ બાળકને આડઅસર થઇ નથી

ખોટી અફવાઓથી ન દોરવાઈને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે રસી મૂકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ

 

દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. રાજ્યમાં ૧૬મી જુલાઇથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં જ ૧૭ લાખથી વધુ બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી છે. જે પૈકી એક પણ બાળકને મોટી ગંભીર આડ અસર થઇ નથી. જેથી સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું. બાળકો-વાલીઓએ અફવા અને અપપ્રચારથી ગેરમાર્ગે દોરાઇને ગભરાવાની કોઈ જરૂર નથી. આપના બાળકને અગાઉ રસી અપાવી હોય તો પણ પુન:રસી અપાવવામાં કોઇ જ વાંધો નથી. એમ.આર.ની રસી મૂકવાથી બાળકને નપુસંકતા આવે એવી તદ્દન પાયાવિહોણી અને ખોટી અફવા-માન્યતાને નજરઅંદાજ કરી બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

દર વરસે ભારતભરમાં અંદાજિત ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ બાળકોનું મૃત્યુ ઓરીની બિમારીને કારણે થાય છે, જેમાં મોટા ભાગના બાળકોએ આ ઓરીની રસી લીધી ન હતી. રૂબેલા એટલે કે નુરબીબીનું વાઇરસ જો સગર્ભા માતાને લાગી જાય તો તેને ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે, વળી, ગર્ભસ્થ બાળક ખોડખાપણ અને મંદબુદ્ધિવાળું પણ જન્મી શકે છે. આ રોગને અટકાવવા તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો અને તેનો નિકાલ કરવો જરૂરી છે. વર્ષ ૧૯૯૮ માં Andrew Wakefield નામના ડોક્ટરનો દાવો હતો કે MMRની રસી લેવાથી ઓટીઝમ થઈ શકે છે. આ રિપોર્ટ “The Lancet” નામના જર્નલમાં છપાયેલો હતો. જેને વર્ષ ૨૦૧૦ માં બ્રિટીશ મેડિકલ જર્નલે આ રિપોર્ટ ને તદ્દન પાયવિહીન ગણાવ્યો હતો. જાણી જોઈને રિસર્ચના ખોટા રિપોર્ટ આપવા બદલ યુ.કે. મેડિકલ કાઉન્સિલે એન્ડ્ર્યુનું લાઇસેંસ રદ કરેલું. આ અભિયાન હેઠળ, પ્રથમ બે દિવસમાં સુરત ગ્રામ્યમાં ૭૫,૮૭૨ તથા સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬૨,૩૪૩ બાળકો ને એમ.આર.ની રસી આપવામાં આવી છે. જેમાં કોઈ પણ બાળક ને જરા પણ આડઅસર થઈ નથી.

સુરતની જે. બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ, લસ્કાણામાં ૧૬ અને ૧૭ જુલાઈના રોજ ૧૧,૪૦૩ બાળકો એટલે કે ૧૦૦ ટકા બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે આ પ્રકારે ઉત્સાહભેર રસીકરણ કરાવવા બદલ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી છે. આ શાળાની જેમ જ અન્ય તમામ શાળાઓએ તથા વાલીઓએ પરસ્પર સહયોગથી તમામ બાળકોને એમ. આર. ની રસી અચૂક અપાવવી જોઇએ એવી વિનંતી જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે. જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા એમ.એમ.આર. (મીઝલ્સ, મમ્સ, રૂબેલા) નહીં પણ એમ.આર. (મીઝલ્સ, રૂબેલા) રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વપરાતી વેકસીન આપણા દેશમાં જ બનાવવામાં આવે છે. જે રસી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરી છે. સમગ્ર વિશ્વમાં ૧૪૯ દેશોમાં આ રસી છેલ્લા ૪૦ વર્ષોથી આપવામાં આવે છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે. જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તે પ્રમાણિત થાય છે. ઓરી રૂબેલા રસીકરણ અભિયાન દેશભરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ડબલ્યુ.એચ.ઓ. તેમજ યુનિસેફ જેવા પાર્ટનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કાઓ દરમિયાન ૨૦ રાજ્યોના ૯.૨ કરોડથી પણ વધારે બાળકોને સુરક્ષિત રસીકરણ કરાયું છે. આ સમગ્ર અભિયાન દરમ્યાન તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા જ ઓરી રૂબેલાના રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુ.એન.ડી.પી. જેવી સંસ્થાઓનું પણ માર્ગદર્શન મળ્યું છે. બાળ રોગ નિષ્ણાંતની સંસ્થા એ.ઓ.પી. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ આ અભિયાનને સમર્થન અપાયું છે, સોશ્યલ મીડિયાપર જો કોઇ આ કેમ્પેઈન સંદર્ભે અપપ્રચાર થતો માલુમ પાડે તો જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી અને લોકોને વાસ્તવિક બાબતથી અવગત કરવા પણ અનુરોધ કરાયો છે.

 

July 20, 2018
tax1.jpg
1min9940

ટેક્સ રિટર્ન ભરવા માટે 31 જુલાઈની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે કેટલાક કરદાતાઓને આંકડાના ગોટાળા કરીને કમાણીની તક દેખાય છે. પોતાની જાતને સીએ તરીકે ઓળખાવતા લેભાગુ લોકો કરદાતાઓને જંગી રિફન્ડ અપાવવાનું વચન આપે છે અને તેના બદલામાં 15 ટકા કમિશન કાપે છે.

આવા લેભાગુ સીએ કરદાતાના રિટર્નમાં ખોટી આવક દર્શાવે છે જેથી 50,000 રૂપિયાથી લઈને બે લાખ સુધીનું રિફંડ મળે છે. તેઓ વ્યક્તિની કરપાત્ર આવકને ઓછી દર્શાવે છે અથવા ચોક્કસ કરકપાત (ડિડક્શન) કે કરમુક્તિ ક્લેમ કરે છે.

આવું કરવું સરળ છે કારણ કે ટેક્સ રિટર્નમાં ડિડક્શન કે એક્ઝેમ્પશનનો ક્લેમ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોતી નથી. મુંબઈ સ્થિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કહ્યું કે, “કરદાતા મેડિકલ વીમો, હોમ લોન, એજ્યુકેશન લોન અથવા પોતાની વિકલાંગતા અથવા આશ્રિતની વિકલાંગતાનો ક્લેમ કરીને ટેક્સ રાહત ક્લેમ કરી શકે છે જેમાં કોઈ પુરાવા આપવાના હોતા નથી.” આ માટે લેભાગુ સીએ રિફંડના 10થી 15 ટકા નાણાં કમિશન ચાર્જ કરે છે.

હજારો કરદાતાઓએ આવા લોકો દ્વારા રિટર્ન ફાઇલ કરી દીધાં હશે અને રિફંડ ક્લેમ કર્યાં હશે. તેમણે માત્ર ફોર્મ 16, આધાર અને બેન્ક ખાતા નંબર આપીને રિટર્ન ભરાવવાનું હોય છે. ઇટીએ આવા એક સીએને ફોર્મ 16 અને બીજી વિગત આપી હતી. પાંચ દિવસની અંદર તેણે રિટર્ન ફાઇલ કરી દીધું જેમાં કરદાતાની આવક ₹1.90 લાખ ઓછી દર્શાવી હતી. તેના આધારે ₹50,000નો રિફંડ પણ ક્લેમ કરવામાં આવ્યો છે.

ટેક્સ રિટર્નમાં દર્શાવેલી ગ્રોસ ઇન્કમ ફોર્મ 16ના આંકડા કરતાં કઈ રીતે ઓછી હોઈ શકે તે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે તેણે કેટલાંક એલાઉન્સને ધ્યાનમાં લીધાં હતાં જે સેક્શન ૧૦ હેઠળ કરકપાતને પાત્ર છે પરંતુ ફોર્મ ૧૬માં તેનો ઉલ્લેખ નથી.

જોકે, ટેક્સ નિષ્ણાતો ચેતવણી આપે છે કે રિટર્નનું એસેસમેન્ટ થાય ત્યારે આ વિસંગતતા પકડાઈ શકે છે. અત્યાર સુધી વ્યક્તિના ફોર્મ 26ASમાં ટીડીએસની વિગત આઇટી રિટર્નમાં દર્શાવેલા ટેક્સ સાથે સુસંગત કરવામાં આવતી હતી. હવે ટેક્સ સત્તાવાળાઓ ફોર્મ 16 ચેક કરીને રિટર્નમાં દર્શાવેલી આવક સાથે તેની ચકાસણી કરે છે. તાજેતરમાં બેંગલુરુમાં આ રીતે ટેક્સ રિફંડ મેળવવાનું કૌભાંડ પકડાયું હતું.

July 20, 2018
moditw.gif
1min6230

આજે તા.20મી જુલાઇ 2018ના રોજ ભારતના સંસદભવનમાં નરેન્દ્ર મોદીની ચાર વર્ષ જુની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા વિચારણા થઇ રહી છે તેની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાગણીસભર ટ્વીટ કરતા કહ્યું હતું કે તા.20મી જુલાઇ ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ બની રહેશે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં શું કહ્યું એ અક્ષરસઃ અત્રે પ્રસ્તુત છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ’અમારા સાંસદીય લોકતંત્ર માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. હું એ આશા રાખુ છું કે મારા સાંસદ આ અવસર પર આવશે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે સાંસદ સભ્યો રચનાત્મક અને સકારાત્મક ડિબેટમાં ભાગ લેશે અને કોઈ પણ વિવાદાસ્પદ ડિબેટમાં ભાગ નહીં લે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે આ બધાનો શ્રેય દેશની જનતા અને કાયદો ઘડનારા લોકોને જાય છે. મોદીએ આગળ લખ્યું કે સમગ્ર ભારત આજે અમને ખૂબ નજીકથી જોઈ રહ્યું છે.’

July 20, 2018
bri.jpg
1min5080

લાંચ આપનારને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરતો નવો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો રાજ્યસભામાં પસાર કરાયો હતો. ૩૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં પ્રિવેન્શન ઑફ કરપ્શન (સુધારો) ખરડાએ કેટલીક કલમોમાં ફેરફાર કર્યા છે. આ ખરડો મૌખિક મતદાન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના પર્સોનેલ ખાતાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનો આ ઐતિહાસિક ખરડો છે. ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અને નિવૃત્તિ બાદ પણ અમલદારો સામે ખોટી ફરિયાદો ન થાય એ માટે ખરડામાં અનેક કલમ ઉમેરવામાં આવી છે.

એક તરફ કાયદાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, તો બીજી તરફ એનો અમલ કરતા અમલદારોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ખરડો હવે લોકસભામાં મંજૂરી માટે જશે.

July 19, 2018
st2-1.jpg
1min5230

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

ગુજરાતે સપ્ટેમ્બર 2017માં ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

આ વખતે સમિટમાં આઠ થીમ પર ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં કુલ ₹3 કરોડ જેટલી ઊંચી રકમ સ્ટાર્ટઅપને ફંડિંગ તરીકે આપવામાં આવશે. ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ આઇટી બેઝ આવ્યા છે. દેશના વિશાળ હિતમાં નાગરિકોને લાભ થાય તેવા વિચારો ધરાવનારા લોકો છે, પરંતુ તેમના આઇડિયા વેરવિખેર છે. આવા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અમારો પ્રયાસ છે.

ભાવિ ટેક્‌નોલોજીને સમસ્યાઓ સાથે જોડીને ઉપાયની દિશામાં આગળ વધી શકાશે. સ્ટાર્ટઅપની સાથે જ ગુજરાતની આઇટી- સોફટવેર કંપનીઓનું એસોસિયેશન ગેસિયાની સાથે યોજાનારી ટેક્‌નોલોજી સમિટમાં આવનારા સીઇઓ સાથે બેઠકો યોજાશે. કેટલાંકને ફંડિંગ પણ મળે તેવા વેન્ચર કેપિટાલિસ્ટ કે નાના રોકાણકારો કે રાજ્યના જ ઉદ્યોગકારોને તેમાં જોડીને ફંડિંગ માટે નવી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે અને સમિટમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ જોડાશે. આ સમિટમાં અપાનારી ઇનામની રકમ અગાઉ ક્યારેય અપાઈ નથી. યુકેમાં ફંડિંગ મિકેનિઝમ સારી છે, તેમની સાથે ફિક્કી દ્વારા જોડાણ કે સહયોગ કરીશું.

અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં યુકે આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ યુકે-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.”

રાજ્યની આઇટી-ટેક કંપનીઓ તેમની ટેક્‌નોલોજી-સર્વિસિસ રજૂ કરશે. રાજ્યમાં એસએમઇનો મોટો બેઝ અને આઇટી કંપનીઓ બંને ભેગા થઈ વધુ સારી સેવા આપવા અને નેક્સ્ટ જેન ટેક્‌નોલોજીમાં કેવી રીતે કામ કરે તેના પર ભાર મૂકશે. કંપનીઓ તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે રોબોટિક્સને સ્થાનિક ઉદ્યોગોમાં કેવી રીતે પ્રાથમિકતા અપાય તેના પર પણ ફોકસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ₹3 કરોડ પ્રાઇઝ મની અપાશે. પ્રથમ આવનારને ₹25 લાખ, દ્વિતીયને ₹27 લાખ, તૃતીયને ₹25 લાખ અને પછીના 12 વિજેતાઓને ₹12 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, માત્ર આઇડિયા રજૂ કરનારને પણ ₹10,000 આપવામાં આ‌વશે. રેડી પ્રોડક્ટ ધરાવનારાને પણ ₹નવ લાખનું ઇનામ મ‌ળશે.

July 19, 2018
st1-1280x720.jpg
1min5680

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેક્સ કાઉન્ટી સાથે ક્ર્યો કરાર

ભારતરત્ન અને સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેન્ડુલકરે તા.18મી જુલાઇ 2018ના દિવસે મિડલસેક્સ ક્રિકેટ ક્લબ સાથે મળીને તેન્ડુલકર મિડલસેક્સ ગ્લોબલ ઍકૅડેમી (TMGA) લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઍકૅડેમી ૯થી ૧૪ વર્ષના છોકરાઓ અને છોકરીઓને તેન્ડુલકર અને મિડલસેક્સ ક્રિકેટ ક્લબ પાસેથી ક્રિકેટ શીખવાની તક આપશે.

આ ઍકૅડેમીની પહેલી શિબિર નૉર્થવુડની મર્ચન્ટ ટેલર્સમાં ૬થી ૯ ઑગસ્ટ દરમ્યાન યોજાશે. ત્યાર બાદ મુંબઈ અને લંડનમાં પણ શિબિરનું આયોજન કરવામાં આવશે. મિડલસેક્સે ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસ, માઇક ગૅટિંગ જેવા પ્લેયરો આપ્યા છે. આ ઍકૅડેમી જરૂરિયાતમંદ ખેલાડીને સ્કૉલરશિપ પણ આપશે. તેન્ડુલકરે જણાવ્યું હતું કે ‘મિડલસેક્સ સાથેની પાર્ટનરશિપથી મને ઘણો આનંદ થયો છે. અમારું ધ્યેય ફક્ત સારા ક્રિકેટર તૈયાર કરવાનું જ નહીં, પણ ભવિષ્યના સારા નાગરિક બનાવવાનું પણ છે. આ વેન્ચરથી હું અને મિડલસેક્સ શ્રેષ્ઠ ક્રિકેટ-કોચિંગ આપીશું.’

July 19, 2018
bal.jpg
1min17060

ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

 

જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે.

ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે. વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.

વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દર્શાવ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એમ જણાવીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.