CIA ALERT

Slider Archives - Page 473 of 491 - CIA Live

July 28, 2018
panipuri-1280x720.jpg
1min6520

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રોગચાળો અને ખાસ કરીને કમળાના ભયને કારણે શહેરભરમાં પાણીપૂરી પર પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ સુરત મહાનગરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખાદ્ય પાણીપુરીવાળાઓ સામે ઝુંબેશ ચલાવીને ટનબંધી માલસામાન જપ્ત કરી દેવાયો છે.

આ વિભાગના અધિકારીઓએ શહેરભરમાં પાણીપુરીના જથ્થાનો નાશ કર્યો હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. પાણીપૂરીની સામગ્રીમાં વપરાતા ચણા અને બટાટા સડેલા હોવાનું જણાવ્યું હતું.

વર્તુળોના જણાવ્યા મુજબ ચોમાસામાં શહેરમાં રોગચાળો વકર્યો છે. ગંદકીવાળી જગ્યાઓએ પાણીપૂરી બનાવાતી હોવાથી રોગચાળાનો ભય વધુ ફેલાયો છે. શહેરમાં ઝાડા-ઊલટીના 18 હજાર કેસ અને કમળાના 134 કેસ નોંધાયા હોવાનું આધારભૂત સાધનો જણાવે છે.

છેલ્લાં થોડા દિવસથી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા પરિણામે પાણીજન્ય રોગની ફરિયાદો પણ વધી રહી છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાણીપીણીની જગ્યાઓ પર તૂટી પડયા હતા. અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને નોટિસો ફટકારી હતી. ચાર હજાર કિલો પૂરી, 3500 કિલો બટાટા તથા ચણા અને 1200 લિટર પાણીપૂરીનું પાણીનો નાશ કરાયો હોવાનું વર્તુળો જણાવે છે.

July 28, 2018
a12.jpg
3min9110

એસ.આર.આઈ.ડી.(SRID)નો વાર્ષિક ફેશન શો યોજાયો

Jayesh Brahmbhatt  98253 44944

સુરત :જાણીતીફેશનઇન્સ્ટીટ્યુટશ્રીરામ ઇન્સ્ટીટ્યુટઓફ ડિઝાઈન(SRID)નીઅડાજણ શાખાદ્વારાવાર્ષિકફેશનશો (રાગા 2018)નુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.

ઇન્સ્ટીટ્યુટનાડિરેક્ટર હિતેશ ચૌહાણે જણાવ્યું હતું કે ઇન્સ્ટીટ્યુટના25 જેટલા વિદ્યાર્થીઓએમળી14 થીમ પર તૈયારકરાયેલાગારમેન્ટ્સરજૂકર્યાહતાઅનેશોનાઅંતેઅલગ-અલગથીમઅનેકેટેગરીમાંવિજેતાઓનીઘોષણાકરવામાં આવી હતી.

જ્યુરીપેનલજજકરવાશહેરની ખ્યાતનામ ફેશન ડીઝાઈનર સંગીતા ચોકસી ઉપસ્થિતરહીહતી.

વિવિધ થીમના નામ આ પ્રમાણે છે  :

  1. Structure To Realty
  2. Achromatic Blaze
  3. Blue Games
  4. Drape Chronicles
  5. Scarlet Affair
  6. Beauty Of Braids
  7. Jashna-E-Bahara
  8. Still A Child
  9. Mystery Of Lines

10.  Little Awesome Blossom

  1. Early Flora
  2. Gold Dust
  3. Ranunculus Cuties
  4. Absolute Allure

 

 

 

 

 

 

 

 

 

 

 

 

एस.आर.आई.डी. (SRID)द्वारा वार्षिक फैशन शो का हुआ आयोजन

सूरत:शहर की प्रख्यात फैशन इंस्टिट्यूट श्री राम इंस्टीट्यूट ऑफ डिजाइन (एसआरआईडी) की अडाजन शाखा द्वारा वार्षिक फैशन शो (रागा 2018) का आयोजन किया गया ।

इंस्टिट्यूट के डायरेक्टर हितेश चौहान ने बताया कि इंस्टिट्यूट के 25 छात्रों ने 14अलग-अलग थीम पर तैयार किये हुए गारमेंट्स प्रस्तुत किये और शो के अंत में विभिन्न थीम और श्रेणियों में विजेताओं की घोषणा की गई।

जूरी पैनल जज करने के लिए शहर की प्रसिद्ध फैशन डिजाइनर संगीता चोकसी मौजूद थी ।

विभिन्न थीम के नाम इस प्रकार हैं:-

  1. Structure To Realty
  2. Achromatic Blaze
  3. Blue Games
  4. Drape Chronicles
  5. Scarlet Affair
  6. Beauty Of Braids
  7. Jashna-E-Bahara
  8. Still A Child
  9. Mystery Of Lines

10. Little Awesome Blossom

  1. Early Flora
  2. Gold Dust
  3. Ranunculus Cuties
  4. Absolute Allure

 

-x-x-x-x-

July 27, 2018
Jaivel-Aerospace-MOU-with-Government-of-Gujarat-1280x854.jpg
1min6730
અમદાવાદમાં જયવેલ એરોસ્પેસ એન્જિનિયરિંગ-ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું

વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોઇંગ અને એરક્રાફટ એન્જિન બનાવતી રોલ્સ રોયસના પાર્ટસ હવે ગુજરાતમાં બનશે. જયવેલ એરોસ્પેસ લિમિટેડ ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટુલીંગ અને પ્રિસિઝન ફલાય કોમ્પોનન્ટનું ઉત્પાદન કરશે. ગઇ તા.26મી જુલાઇ 2018ના રોજ અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું હતું. બોમ્બાર્ડીયર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટીયર-૨ સપ્લાયર તરીકે પણ કામગીરી કરે છે. સાણંદ પ્લાન્ટ શરૂ થતાં કંપની માટે મલ્ટીનેશનલ એરોસ્પેસ કંપનીઓના મોટા ઓર્ડરની કામગીરી વિસ્તરશે.

જયવેલ એરોસ્પેસ હાલમાં લગભગ Rs ૩૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને કંપની સાણંદમાં નવી ફેસિલિટી પર કામકાજ કરી રહી છે, જેમાં કંપની તબક્કાવાર રોકાણ વધારશે. સાણંદ GIDCમાં કંપનીએ જમીન હસ્તગત કરી છે, જ્યાં Rs ૧૦૩ કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થશે. આ પ્રિસિઝન ફલાઇંગ કોમ્પોનન્ટનો સંપૂર્ણ પ્લાન્ટ વર્ષ ૨૦૧૯માં કાર્યરત થશે. સાણંદમાં નવી ફેસિલિટી શરૂ થતાં આ ત્રણેય સુવિધા એક જ સ્થળેથી કામગીરી કરશે.
બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનના ડેપ્યુટી હાઇ કમિશનર વેઇને જણાવ્યું કે ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં બ્રિટિશ કંપનીઓએ ૨૧ અબજ પાઉન્ડનુ રોકાણ કર્યું છે અને આઠ લાખ લોકોને રોજગારી આપી છે. બ્રેક્ઝીટ બાદ યુકેના સ્ટાર્ટઅપથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે અને બેથી ત્રણ કંપનીઓ નજીકના સમયગાળામાં ગુજરાતમાં તેમના પ્લાન્ટ સ્થાપીને રોકાણ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે.
July 27, 2018
lb1.jpg
1min5370

લાઇટ બાઇટ ફૂડ્સ, સંજીવ કપૂરની રેસ્ટોરન્ટ ચેઇન, જિગ્સ-ઝોરાવર કાલરાની ચેઇન તેમજ આરજે કોર્પની માલિકીની દેવયાની ઇન્ટરનેશનલે હવે અમેરિકા, દુબઈ, લંડન અને સિંગાપોર સહિતના દેશોમાં પોતાની રેસ્તરાં શરૂ કરી રહ્યા છે અને આ ડેવલપમેન્ટ ખૂબ ઝડપભેર પાર પડી રહ્યું છે. ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’, નિયમનસંબંધી સમસ્યાનું ઓછું પ્રમાણ અને રોકાણ પર ઊંચા વળતરને કારણે રેસ્ટોરન્ટ ચેઇન્સ હવે વૈશ્વિક બજારમાં સક્રિય બની છે.

લાઇટ બાઇટ ફૂડ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત દેશોમાં નિયમ વધુ સ્પષ્ટ છે. અમારે બહુ ક્લિયરન્સ કે લાઇસન્સ લેવાની જરૂર પડતી નથી. ઉપરાંત, પોલિસીમાં સાતત્ય છે. ભારતમાં પણ ‘બહાર’ જમવાનું ચલણ વધી રહ્યું છે. જોકે, આ બાબતમાં વિદેશી બજારમાં વૃદ્ધિ ઘણી વધારે છે.” લાઇટ બાઇટ ફૂડ્સ સપ્ટેમ્બરમાં વોશિંગ્ટન DCમાં 150 વ્યક્તિની ક્ષમતા સાથેનું ‘પંજાબ ગ્રિલ’ રેસ્ટોરન્સ શરૂ કરવાની છે. ઉપરાંત, તેની અન્ય બે બ્રાન્ડ ‘એશિયા 7 અને સ્ટ્રીટ ફૂડ્સ પણ દુબઈ તેમજ કુવૈત અને જેદ્દાહ સહિતના અખાતી દેશોમાં સક્રિય છે.

રેસ્ટોરન્ટ સેક્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્વાદ શોખીનોના ભારતની વાનગીઓ માટેના પ્રેમને ધ્યાનમાં રાખીને વિદેશમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનો હેતુ હવે એકમાત્ર મહત્ત્વનું પરિબળ રહ્યું નથી. સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરના જણાવ્યા અનુસાર “ઘણી બાબતોમાં નિયમોની સરળતાને કારણે ભારત બહાર બિઝનેસ કરવાનું સહેલું છે. ખાસ કરીને વેચાણના આંકડા આપવા સહિતની બાબતોમાં ભારત કરતાં અન્ય દેશોનાં ધોરણો સરળ છે.

જોકે, જરૂરી સ્ટાફ અને વિઝા મેળવવાની મર્યાદા નડે છે. ઘણાં વિદેશી બજારોમાં ગુણવત્તાવાળું ફૂડ પીરસતાં ભારતીય રેસ્ટોરન્ટ્સ નથી.” સંજીવ કપૂર રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કુલ SKPRL નામે 70 સ્ટોર્સ ધરાવે છે, જેમાં 50 ટકા વિદેશમાં છે. સંજીવ કપૂર લંડન, ન્યૂ યોર્ક, ટોરોન્ટો અને સાઉદી અરેબિયા સહિતના દેશમાં વિસ્તરણની યોજના ધરાવે છે. ભારતમાં તે ‘યલો ચિલી’ બ્રાન્ડ હેઠળ રેસ્ટોરન્ટ ચેઇન ચલાવે છે. જ્યારે તેમની ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સમાં ખઝાના અને સિગ્નેચરનો સમાવેશ થાય છે.

જિગ્સ અને ઝોરાવર કાલરાની માલિકીની ‘મેસિવ રેસ્ટોરન્ટ્સ’એ સાત દેશમાં સ્ટોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે અને તેમની શરૂઆત 2018માં જ કરવામાં આવશે. મેસિવ રેસ્ટોરન્ટ્સના એમડી અને ફાઉન્ડર ઝોરાવર કાલરાએ જણાવ્યું હતું કે, “ભારતમાં દર બે રેસ્ટોરન્ટ્સના પ્રારંભ સાથે અમે વિદેશમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરીશું.

દુબઈ ખાતેની અમારી ‘ફર્ઝી કાફે’ રેસ્ટોરન્ટ ભારતની કોઈ પણ રેસ્ટોરન્ટ કરતાં 3-4 ગણું વધુ વેચાણ કરે છે. તેની નફાકારકતા 50 ટકા વધુ છે, નિયમો સરળ છે અને ભાડું ભારત જેટલું અથવા ઓછું છે. ભારતમાં અમે એટલું ભાડું ચૂકવી ત્રીજા ભાગની આવક મેળવીએ છીએ.”

July 27, 2018
lunar1.jpg
1min11150

દેશભરના વૈજ્ઞાનિકો શુક્રવારે આજે ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવાની તૈયારી કરી રહ્યા છે અને આ ઘટના મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવી રહ્યો હોવાને દિવસે જ બનવાની હોવા વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે વાદળીયું વાતાવરણ ભારતમાં ચંદ્રગ્રહણ જોવા ઉત્સુક લોકોના મનસૂબા પર પાણી ફેરવી દે તેવી શક્યતા છે.

ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાએ આ ઘટનાને વધારેપડતી ન ચગાવવા સાવચેત રહેવા જણાવ્યું છે.

ખગોળશાસ્ત્રને ગંભીરતાથી લેતા ખગોળશાસ્ત્રીઓ માટે ટેલિસ્કોપની મદદથી મંગળ ગ્રહનો અભ્યાસ કરવાની આ એક અમૂલ્ય તક હશે.

જોકે મંગળની સપાટીની નાટ્યાત્મક વિગતો મેળવવાની ઉત્કંઠા રાખનાર વ્યક્તિ માટે તે નિરાશાજનક પુરવાર થઈ શકે એમ હોવાનું તેમણે કહ્યું હતું.

ભારતમાં ચોમાસું ચાલી રહ્યું હોવાને કારણે વાતાવરણ વાદળીયું રહે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

જમ્મુ-કાશ્મીર અને તમિળનાડુના લોકો આ ઘટના સ્પષ્ટપણે નિહાળી શકે તેવી ઉજળી શક્યતા હોવાનું પબ્લિક આઉટરિચ ઍન્ડ ઍજ્યુકેશન કમિટી (પીઓઈસી) ઑફ ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ અનિકેત સૂળેએ સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

આજે ચંદ્રગ્રહણની સાથે સાથે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવવાની ઘટના નિહાળવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦:૩૭ મંગળ, પૃથ્વી અને સૂર્ય બની શકે તેટલી સીધી લીટીમાં આવશે.

સૂર્યાસ્તના સમયથી સૂર્યોદયના સમય સુધી મંગળ ગ્રહ આકાશમાં દેખાશે. મંગળ ગ્રહ સામાન્ય કરતા વધુ તેજસ્વી અને કદમાં મોટો દેખાશે.

July 26, 2018
ama2.png
1min5630

એમેઝોન અને ફિ્લપકાર્ટ વચ્ચે ધંધાકીય યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ, હવે આ બે કંપનીઓ વચ્ચે અનોખું યુદ્ધ એ છેડાયું છે કે બન્ને ભારતમા ંએવા ટેલેન્ટને શોધી રહ્યા છે

એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચેનું ઇ-કોમર્સ ‘યુદ્ધ’ હવે કોલેજોના કેમ્પસ સુધી પહોંચ્યું છે. બંને કંપની શ્રેષ્ઠ યુવા ટેલેન્ટનો શોધમાં IITs,

IIMs અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્‌નોલોજી (NITs) સહિતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ રહી છે. ઇ-ટેલર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને મશિન લર્નિંગ જેવી ઊભરતી ટેક્‌નોલોજિસમાં કર્મચારીઓની ભરતીની યોજના ધરાવે છે.

વોલમાર્ટના ટેકઓવર પછી ફ્લિપકાર્ટને મોટું પીઠબળ મળ્યું છે. પ્રારંભિક સંકેત પ્રમાણે કંપની કેમ્પસ પ્લેસમેન્ટમાં એમેઝોનની લગોલગ રહેવાની શક્યતા છે. ફ્લિપકાર્ટ ગયા વર્ષની તુલનામાં વધુ કર્મચારીઓની ભરતી કરશે. કંપનીએ ફાઇનલ પ્લેસમેન્ટ માટે પહેલી વખત NIT વારંગલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્‌નોલોજી (NIFT), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને FMS દિલ્હીની મુલાકાત લીધી હતી.

IIM કલકત્તાના પ્લેસમેન્ટ સેલના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “વોલમાર્ટના ફન્ડિંગને કારણે ફ્લિપકાર્ટ આ વખતે અમારા કેમ્પસમાંથી વધુ વિદ્યાર્થીઓની ભરતી કરશે. આ કંપનીઓમાં વિદ્યાર્થીઓનો રસ ઘણો ઊંચો હોય છે. કારણ કે તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઓપરેશન્સ સંબંધી ભૂમિકા સોંપવામાં આવે છે.”

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ મેઇલ દ્વારા કબૂલ્યું હતું કે, “આ વખતે કર્મચારીઓની ભરતીમાં અમે બિગ ડેટા, મશિન લર્નિંગ, ડિસિશન સાયન્સિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ ઊભરતી ટેક્‌નોલોજિસમાં રિસોર્સિસની જરૂરિયાત વધી રહી છે.” IIM બેંગલોરના પ્લેસમેન્ટ સેલના અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “આ બંને કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ઘણી ઊંચી છે.” IIM બેંગલોર સપ્ટેમ્બરમાં સમર પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી કરશે. તેને બંને કંપની તરફથી રસ દર્શાવતા પત્ર મળ્યા છે.

IIT કાનપુર ઓગસ્ટથી સમર ઇન્ટર્નશિપ શરૂ કરવાની છે. તેના વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક એમેઝોન અને ફ્લિપકાર્ટની રાહ જોઈ રહ્યા છે. જોકે, અહીં ફ્લિપકાર્ટ ‘ફેવરિટ’ છે. IIT કાનપુર પ્લેસમેન્ટ સેલના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટનું કદ નાનું હોવાથી તે એમેઝોનની તુલનામાં વિદ્યાર્થીઓને વધુ ભૂમિકા ઓફર કરે છે.”

ગયા વર્ષે ઓફર્સની સંખ્યા અને વિદ્યાર્થીઓને ઓફર કરાયેલા પગારની બાબતમાં એમેઝોન આગળ હતી. કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેસમેન્ટમાં કંપનીએ (ઇસોપ્સ સહિત) વાર્ષિક ₹30 લાખના પેકેજ ઓફર કર્યા હતા. જ્યારે ફ્લિપકાર્ટની ઓફર ₹૨૧ લાખની આસપાસ રહી હતી.

એમેઝોનના ડિરેક્ટર (ટેલેન્ટ એક્વિઝિશન – ઇન્ડિયા) રાજ કાઝાએ જણાવ્યું હતું કે, “એમેઝોન આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ કરે છે અને અમે ટેક્‌નોલોજી માટે પેશન ધરાવતા ઉમેદવારોની ભરતી માટે સક્રિય છીએ.” ગયા વર્ષની તુલનામાં એમેઝોન દ્વારા કર્મચારીઓની ભરતીની સંખ્યા ગયા વર્ષની તુલનામાં વધુ છે.”

ફ્લિપકાર્ટ એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને બિઝનેસ એનાલિટિક્સ પ્રોફાઇલ્સ માટે IIT દિલ્હી, મદ્રાસ, ખડગપુર, કાનપુર, બોમ્બે, ગુવાહાટી, રુરકી, વારાણસી અને હૈદરાબાદની મુલાકાત લે છે. એમેઝોન પ્લેસમેન્ટ માટે અગાઉની રાબેતા મુજબની ૧૦ IITs ઉપરાંત, દેશની અન્ય અગ્રણી સંસ્થાઓમાં પણ ટેલેન્ટની શોધ કરશે.

July 25, 2018
gold.jpg
1min4650

હૈદરાબાદ ઍરપોર્ટ પર પકડાઈ: રેવન્યુ ઇન્ટેલિજન્સના ઑફિસરો આ નવી રીતથી આશ્ચર્યચકિત

 

સોનાના સ્મગલિંગમાં તગડી કમાણી થતી હોવાથી કસ્ટમ્સ-ઑફિસરોની નજર ચૂકવીને ભારતમાં સોનું ઘુસાડવાની અનેક નવી-નવી તરકીબો શોધવામાં આવી રહી છે, પણ શનિવારે રાતે હૈદરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રેવન્યુ ઇન્ટેલિજન્સના ઑફિસરો પણ આર્યમાં મુકાઈ જાય એવી રીત સામે આવી હતી. કોલંબોથી આવેલા એક પૅસેન્જરે સોનાને પેસ્ટ ફૉર્મમાં ઢાળીને હૅન્ડબૅગમાં ભરી દીધું હતું. સોશ્યલ મીડિયા પર સોનાના પેસ્ટ ફૉર્મની તસવીરો ફરી રહી હોવાથી લોકોમાં કુતૂહલ સર્જા‍યું છે.

અધિકારીઓને આ પૅસેન્જરની હૅન્ડબૅગમાંથી ૧૮૫૦ ગ્રામ પેસ્ટ મળી હતી. જોકે આ વિશે તેને કરવામાં આવેલા સવાલનો જવાબ તે નહોતો આપી શક્યો એથી આ પેસ્ટને પિગાળવામાં આવી ત્યારે એમાંથી ૧૧૨૦.૭૮૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું. કેટલાંક કેમિકલ વાપરીને સોનાને પેસ્ટનું ફૉર્મ આપવામાં આવ્યું હતું. આ સોનાની કિંમત ૩૪,૫૭,૬૦૬ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ગોલ્ડ પેસ્ટની આ તસવીર અધિકારીઓએ જાહેર કર્યા બાદ સોશ્યલ મીડિયામાં એ વાઇરલ થઈ હતી.

July 25, 2018
MS-Dhoni.jpg
1min5580

ક્રિકેટના મેદાન પર જ નહીં બલ્કે મહેન્દ્રસિંહ ધોની દુનિયાદારીના મેદાનમાં પણ પ્રેરણાદાયી અને પ્રશંસનીય રીતે વર્તી રહ્યો છે. હમણા તેણે પ્રમાણિકતાથી પોતાની આવક ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ જાહેર કરીને ઉદારતાથી સરકારની તિજોરીમાં ઇન્કમ ટેક્સ ભર્યો છે. માહીએ એટલો બધો ઇન્કમ ટેક્સ ભરી દીધો કે તે ઝારખંડ રાજ્યમાં વ્યક્તિગત રીતે હાઇએસ્ટ ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સુપર સ્ટાર માહી ઉર્ફે મહેન્દ્ર સિંહ ધોની પોતાની માતૃભૂમિ ઝારખંડ  રાજ્યમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનારો ટેક્સપેયર બન્યો છે. એસેસમેન્ટ વર્ષ 2017-18માં તેણે 12.17 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. એટલું જ નહીં આગામી નાણાકીય વર્ષ માટે તેણે ત્રણ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પણ ભરવાનું ઇનકમ ટેક્સ વિભાગને જણાવ્યું છે.

ઇનકમ ટેક્સ કમિશનર વી. મહાલિંગમના જણાવ્યા મુજબ વર્ષ 2016-17 માટે ધોનીએ 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. જોકે તે સમયે તે ઝારખંડ રાજ્યનો સૌથી વધુ આવક વેરો ભરનારો વ્યક્તિ નહોતો બન્યો. જ્યારે આ વર્ષે તે ઝારખંડનો સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

July 25, 2018
ICSI-875.jpg
1min9060

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ગયા જુન 2018માં ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાયેલી સી.એસ. કોર્સની ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આઇ.સી.એસ.આઇ. સુરત ચેપ્ટરનું પરીણામ છપ્પર ફાડ રહ્યું હતું. સુરતના પહેલા પાંચ ક્રમ પર પાંચેય દિકરીઓએ સ્થાન હાંસલ કરીને વુમન્સ એમ્પાવરન્મેન્ટનો દાખલો બેસાડ્યો હતો. સુરત ચેપ્ટરમાંથી સી.એ. ફાઉન્ડેશન પ્રોગ્રામ જુન 2018ની પરીક્ષામાં કુલ 176 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 117 વિદ્યાર્થીઓનું પરીણામ આજે પાસમાં આવ્યું હતું.

સુરતની મનિષા સુરેન્દ્ર જૈનએ 86.5 ટકા માર્ક્સ સાથે સુરત ચેપ્ટરમાં સૌપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

 

 

 

 

સુરતની જ ફાતેમા કુરેશ કોઠારીએ 85.5 ટકા માર્ક્સ મેળવીને સમગ્ર સુરત ચેપ્ટરમાં દ્વિતીય ક્રમ હાંસલ કરીને સુરતને ગૌરવ અપાવ્યું છે.

 

 

સાક્ષી નરેશ જૈન નામની વિદ્યાર્થિનીએ 80 ટકા માર્ક્સ મેળવીને કંપની સેક્રેટરીની ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.

 

 

 

July 25, 2018
mumbai1.jpeg
1min14410

મરાઠા અનામતની માંગને લઈને બીજા દિવસે પણ મહારાષ્ટ્ર બંધના એલાનના હિંસક પ્રત્યાઘાત પડ્યા છે. ટ્રેન, બસ, પબ્લિકપ્રોપર્ટી પર બેફામ પથ્થરમારો કરીને પારાવાર નુકસાની પહોંચાડવામાં આવી છે. માયા નગરી મુંબઇ જાણે ઠપ થઇ ગઇ છે. સ્કુલ કોલેજોને તકેદારીના પગલા રૂપે પહેલેથી જ બંધ રખાયા છે. પ્રાઇવેટ ઓફિસો પણ બંધ કરાવી દેવામાં આવી છે. કેટલાક માર્ગો પરથી કરફ્યુ હોય તેવી સ્થિતિ ભાસી રહી છે.

થાણે અને નવી મુંબઈમાં બંધ દરમિયાન રાજ્ય પરવિહન નિગમની બસોને નિશાન બનાવવામાં આવી હતી. ટોળા દ્વારા બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈમાં બંધને પગલે કંજુરમાર્ગ અને ભાંડુપમાં પણ બે બેસ્ટ બસને ટાર્ગેટ બનાવાવમાં આવી હતી. બસો પર પથ્થરમારો કરવાની ઘટનાને પગલે બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ કેટલાક ભાગોમાં સેવા સ્થગિત કરી દીધી હતી.

અનામતની માગણી સાથે થાણે પછી ઘંસોલી રેલવે સ્ટેશન પર ટ્રેક પર લોકો ઉતર્યા હતા અને ટ્રાંસ-હાર્બર સેવા ઠપ થઈ ગઈ હતી. થાણે-ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મરાઠા સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન બાદ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી પડી હતી.