CIA ALERT

Slider Archives - Page 471 of 488 - CIA Live

July 24, 2018
cod.jpg
1min7690

જે સિસ્ટમએ ભારતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ રાતોરાત વધારી દીધું છે, એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ સામે મોટું જોખમ ઉપસ્થિત થયું છે. ભારતની ઇ-કોમર્સ ખરીદીમાં 50 ટકા હિસ્સો ધરાવતી ‘કેશ ઓન ડિલિવરી’ (CoD) સિસ્ટમનો અમલ કરવા અંગે RBIની સ્પષ્ટ મંજૂરી નહીં હોવાનું RTIના પ્રશ્નના જવાબ પરથી જાણવા મળ્યું છે. ફ્લિપકાર્ટે ઇ-કોમર્સને ગ્રાહકોના બહોળા વર્ગ સુધી પહોંચાડવા 2010માં ‘કેશ ઓન ડિલિવરી’ શરૂ કરી હતી. કારણ કે એ સમયે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બહુ પ્રચલિત ન હતા અને ગ્રાહકોમાં ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગ બાબતે ખચકાટ હતો. ભારતમાં ઇ-કોમર્સની ઝડપી વૃદ્ધિ માટે ‘કેશ ઓન ડિલિવરી’ મહત્ત્વનું પરિબળ રહ્યું છે.

કેશ ઓન ડિલિવરી સિસ્ટમ અન્વયે ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય માર્કેટપ્લેસ પાર્સલ પહોંચાડતી વખતે થર્ડ-પાર્ટી વેન્ડર્સ વતી ગ્રાહકો પાસેથી રોકડ મેળવે છે, પણ RBIના જણાવ્યા અનુસાર ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે એપ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા એગ્રિગેટર્સ કે પેમેન્ટ ઇન્ટરમીડિયરીઝને PSS (પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ) એક્ટ, 2007ની કલમ 8 હેઠળ ડિલિવરી સામે રોકડ લેવાની કોઇ જ સત્તા નથી.

બીજી તરફ કાનૂની નિષ્ણાતો કહે છે કે  ઓનલાઇન શોપિંગ સંદર્ભના કાયદાઓમાં ‘કેશ ઓન ડિલિવરી’ માટે મનાઈ ફરમાવાઈ નથી. કાયદામાં ઇલેક્ટ્રોનિક અને ઓનલાઇન પેમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ ‘કેશ ઓન ડિલિવરી’ના વિકલ્પ દ્વારા મળેલાં નાણાં અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વેપાર સંગઠનો, યુનિયન્સ, ખેડૂતોનાં જૂથો અને લઘુઉદ્યોગોના ગ્રૂપ FDI વોચના ધર્મેન્દ્ર કુમારે એક પ્રશ્નમાં RBIને પૂછ્યું હતું કે, “ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા કેશ ઓન ડિલિવરી દ્વારા પેમેન્ટ કલેક્શન અને ઇ-કોમર્સ મર્ચન્ટ્સને તેની વહેંચણી પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ એક્ટ, 2007ના નં.51 હેઠળ પેમેન્ટ સિસ્ટમ અને સિસ્ટમ પ્રોવાઇડરની વ્યાખ્યામાં સામેલ છે કે નહીં. જો જવાબ ‘હા’માં હોય તો આ પેમેન્ટ સિસ્ટમ્સ એક્ટની કલમ 8 મુજબ અધિકૃત છે કે નહીં?”

મહત્ત્વની બાબત એ છે કે, રિઝર્વ બેન્કે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન અંગે કાયદો બનાવ્યો છે કે નહીં. RBIએ જવાબમાં કહ્યું હતું કે, “રિઝર્વ બેન્કે આ બાબતે કોઈ ચોક્કસ સૂચના જારી કરી નથી.” રિઝર્વ બેન્કે ઇન્ટરમીડિયરીઝની ‌વ્યાખ્યા અંગે જણાવ્યું હતું કે, “ઇન્ટરમીડિયરીઝમાં મર્ચન્ટ્સને પેમેન્ટ કરવા માટે ગ્રાહકો પાસેથી ઇલેક્ટ્રોનિક કે ઓનલાઇન પેમેન્ટના વિકલ્પ દ્વારા નાણાં લેતી તમામ એન્ટિટીનો સમાવેશ થાય છે. આ ગૂડ્ઝ પર GST ચૂકવાયેલો હોય તે જરૂરી છે અને આખરી સેટલમેન્ટ તરીકે જે તે એન્ટિટીએ નાણાં મર્ચન્ટ્સને ટ્રાન્સફર કરેલા હોવા જોઈએ.”

July 24, 2018
pharmacy.jpg
1min7660

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ રાજ્યભરમાં આવેલી બી.ફાર્મ. કોર્સની કોલેજોમાં હાથ ધરેલી પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે ફાર્મસી કોલેજોમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની સઘળી માહિતી અહીં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ખાલી પડેલી આ બેઠકોની માહિતી જોયા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પોતાની ચોઇશમાં સુધારો કરી શકે છે.

July 23, 2018
platinum1.jpg
1min9170

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણે સમગ્ર વિશ્વમાં વેપાર-વણજની સ્થિતિ ડામાડોળ થઇ જવા પામી છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી ટેરિફમાં વૃદ્ધિને પગલે સોના, ચાંદી, પ્લેટિનમ, પેલેડિયમ જેવા કિંમતી ધાતુઓના ભાવ લપસીને તળીયે બેઠા હોવાનું નોંધાયું છે. ટેરિફ, ટ્રેડ વોર, ટ્રમ્પ અને અમેરિકન ફેડરલ આ નામો હાલ બુલિયન માર્કેટમાં બોલિવુડના પિક્ચરમાં આવતા વિલન સમાન બન્યા છે.

સોના, ચાંદી કે પેલેડિયમ કરતાં વર્તમાન વિષમ સ્થિતિમાં પ્લેટિનમની થઇ છે. સફેદ સોનું તરીકે પણ ઓળખાતા પ્લેટિનમના ભાવ ગઇ તા.19મી જુલાઇ 2018ના રોજ 10 વર્ષની નીચી સપાટીએ ગબડ્યા હતા જે આ મિલેનિયમની શરૂઆતમાં એક તબક્કે ઊંચામાં 2,200 ડોલરની વિક્રમ સપાટીએ હતા. ભારતમાં હાલ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ ભાવ (31.1 ગ્રામ) ₹56,954ના સ્તરે હોવાનું ગોલ્ડબ્રોકર નામની એજન્સીના ડેટા સૂચવતા હતા.

પ્લેટિનમના ભાવ ઝડપથી તૂટવા પાછળનું કારણ વૈશ્વિક ટ્રેડ વોરના વાતાવરણમાં ઓટો ઉદ્યોગ પણ અડફેટે આવ્યો છે. યુરોપ અને ચીનમાં વેચાતી મોંઘી કારના પાર્ટ્સ બનાવવામાં પ્લેટિનમનો ઉપયોગ થાય છે. ઓટો ઉદ્યોગને સંભવિત ટ્રેડ વોરને કારણે વિપરીત અસર થશે તો તેની અસર પ્લેટિનમ પર થઈ શકે છે એમ ડોએચ્ચ બેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

ચીનના જૂન મહિનાના ઝવેરાત વેચાણના આંકડા પણ પ્લેટિનમ માટે નિરાશાજનક હતા. ચીનમાં સોનાના ઝવેરાતની માગ સુધરવા સામે પ્લેટિનમમાંથી બનતા દાગીનાની માગ નેગેટિવ રહી હોવાનું જોવાયું હતું. સોના અને પ્લેટિનમના ભાવ માટે ચીનનું જ્વેલરી વેચાણ અત્યંત મહત્ત્વનું ગણવામાં આવે છે કેમ કે કુલ માગમાં તેનો હિસ્સો 14 અને 16 ટકાનો રહ્યો છે.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, પ્લેટિનમની ઇન્ડસ્ટ્રિયલની સાથે જ્વેલરી માગ પણ નીચી રહેતાં તેનો આંચકો ભાવ પર જોવાયો હતો. વધુમાં સોના કરતાં પ્લેટિનમનો એક્સ્ચેન્જ ખર્ચ પણ વધુ રહેતાં તે ઓછું આકર્ષક રહ્યું હતું.

July 23, 2018
DSC_5336.jpg
1min6080

આગામી 29મી જુલાઈના રોજ સરસાણાના પ્લેટીનમ હોલ ખાતે ફેસ ઓફ ગુજરાતની ગ્રાંડ ફિનાલે યોજાશે

સુરત : ઓરા એકેડેમી દ્વારા આયોજિત “ફેસ ઑફ ગુજરાત 2018”સ્પર્ધાના ભાગરૂપે વિવિધ એક્ટિવિટીનું આયોજન થઇ રહ્યું છે. જે અંતર્ગત તા.23 જુલાઇ 2018ના રોજ બોક્સ ક્રિકેટનું આયોજન થયું હતું જેમાં સ્પર્ધકો સહીત અન્ય લોકોએ ભાગ લીધો હતો.

ઓરા એકેડેમી દ્વારા સતત બીજા વર્ષે ફેસ ઑફ ગુજરાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 32 ફાઇનાલિસ્ટસની પસંદગી  કરવામાં આવી છે. જેમાં 16પુરુષ અને 16મહિલાઓનું ગ્રુપ છે. આગામી 29મી જુલાઈના રોજ સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ગ્રાંડ ફિનાલે યોજાશે.

સ્પર્ધાની તસ્વીરી ઝલક આ મુજબ છે.

July 23, 2018
suratairport1.jpg
1min11290

ગુજરાતના જ નહીં બલ્કે ભારતના બિઝનેસ સિટી તરીકે ઝડપથી વિકસી રહેલા સુરત શહેરનું એરપોર્ટ હવે 24 કલાક ધમધમતું થશે એવી સત્તાવાર જાહેરાત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરી દેવામા આવી છે. અત્યાર સુધી ફક્ત ફ્લાઇટના સમયે જ સુરત એરપોર્ટ એક્ટિવ રહેતું હતું પરંતુ, હવે 24 કલાક, રાતદિવસ સુરત એરપોર્ટ પર ધમધમતું રહેશે. તેની સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટના નડતરરૂપ સ્લોટના માર્ગ આસાન બની ગયા છે. ઉપરાંત હયાત ટર્મિનલ બિલ્ડિંગને એક્સટેન્ડ કરવાનું તેમજ નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણના કામને સૈદ્ધાંતિક મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપી હોવાની વિગતો સાંપડી છે.

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સંખ્યા વધવા સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. સુરતની સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે શારજાહ-સુરતની ફ્લાઇટની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ, આ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ઓપરેશન્સ હોઇ, સ્લોટનો પ્રોબ્લેમ નડી રહ્યો હતો, પરંતુ, એરપોર્ટ ઓથોરિટીએ હવે સુરતને 24-7 ધમધમતું એરપોર્ટની કેટેગરીમાં મૂકતા સુરતને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ ખૂબ આસાન થઇ ગયો છે.

આ અંગે નવસારીના સાંસદ અને એરપોર્ટના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ આડેના અવરોધ એક પછી એક દૂર થઇ રહ્યા છે. દિવાળી સુધીમાં ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટસમાં સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટ મળે તે અંગેના પ્રયાસો ચાલી રહ્યા છે.

અગાઉ 80 બિલ્ડિંગ નડતરરૂપ હોવાનું જણાયુ હતું પણ હવે આ 17 બિલ્ડિંગનો ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો તોડવો જ પડે તેવો એજન્સીનો તપાસ રિપોર્ટ રજૂ કરાયો

 

પાલિકાની પહેલાં એવી રજૂઆત હતી કેઆ જે વિવાદી બિલ્ડિંગ્સ છેતે પ્રોજેક્ટ્સની મંજૂરી જે સમયે અરજીઓ સામે આવી હતી. તે વખતે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગની એનઓસીના આધારે ડેવલપમેન્ટ માટેની મંજૂરીની અપાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ પણ તેમાં એનઓસી આપ્યું હતું. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

તા.23મી જુલાઇએ આ પ્રકરણમાં જે ડેવલપમેન્ટ થયું છે, તે અંગે સૂત્રોનું કહેવું છે કે, એરપોર્ટના રનવેને 17 બિલ્ડિંગ નડે છે. આ બિલ્ડિંગની પાણીની ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો નડી રહ્યો છે. તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ જોતા 63 બિલ્ડિંગ્સના માથેથી ડિમોલીશનની ઘાત ગઈ છે.

 

July 23, 2018
medical.jpg
1min10310

જયેશ બ્રહ્મભટ્ટ    98253 44944

રાજ્યમાં હાલ ચાલી રહેલી મેડીકલ પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા માટે બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા કુલ 31 વિદ્યાર્થીઓને શોધી કાઢીને તેમને ફાળવવામાં આવેલા પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે. હજુ 95 વિદ્યાર્થીઓના ડોમિસાઇલ સર્ટિફિકેટ અન્ડર સ્કેનર છે અને તેની સામે શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાંથી જે 31 વિદ્યાર્થીઓના મેડીકલ પ્રવેશ રદ કરાયા છે એમાં 17 તો સુરતના છે. સુરતની ડોમિસાઇલ વેરિફિકેશન કમિટી દ્વારા તે રદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓની નામાવલી, તેમને ક્યાં પ્રવેશ મળ્યા હતા જે રદ કરવામાં આવ્યા છે, એ સહિતની સઘળી વિગતો અત્રે પ્રસ્તુત છે.

July 23, 2018
GST-28.jpg
1min6090

તા.1લી જુલાઇ 2017ના દિવસે જ્યારે ભારતમાં જીએસટી દાખલ થયો હતો ત્યારે સૌથી હાઇએસ્ટ રેટ 28 ટકાના સ્લેબમાં કુલ 228 જેટલી ચીજવસ્તુઓ સામેલ હતી. 228 ચીજવસ્તુઓનો આંક ગઇ તા.21 જુલાઇ 2018ના રોજ જીએસટી કાઉન્સિલની લેટેસ્ટ મિટીંગ બાદ ઓછો થઇને હવે 35 ચીજવસ્તુઓ પર આવીને ઉભો છે.

GST કાઉન્સિલે સૌથી ઊંચા ૨૮ ટકાના ટૅક્સ-સ્લૅબમાંની વસ્તુઓની યાદી ઘટાડીને ૩૫ કરી દીધી છે. હવે આ યાદીમાં AC, ડિજિટલ કૅમેરા, વિડિયો રેકૉર્ડર, ડિશ વૉશિંગ મશીન અને વાહન જેવી માત્ર ૩૫ વસ્તુઓ બચી છે. છેલ્લા એક વર્ષમાં GST કાઉન્સિલે સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબવાળી ૧૯૧ વસ્તુઓ પરના ટૅક્સ ઘટાડી નાખ્યા છે.

GST ૨૦૧૭ની ૧ જુલાઈએ લાગુ કરવામાં આવ્યો હતો. એ સમયે ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ૨૨૬ વસ્તુઓ હતી. GST કાઉન્સિલે એક વર્ષમાં ૧૯૧ વસ્તુ પરથી ટૅક્સ ઘટાડ્યો છે. GSTના નવા દર ૨૭ જુલાઈથી લાગુ થશે. જે ૩૫ વસ્તુઓ સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબમાં બચી છે એમાં સિમેન્ટ, વાહનોના પાર્ટ્સ, ટાયર, વાહનો માટેનાં સાધનો, કાર, યૉટ, પ્લેન, ઍરેટેડ ડ્રિન્ક્સ અને તમાકુ, સિગારેટ અને પાનમસાલા જેવી આરોગ્ય માટે હાનિકારક વસ્તુનો સમાવેશ થાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે આગળ જઈને મહેસૂલી આવક સ્થિર થયા બાદ કાઉન્સિલ ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ફક્ત સુપરલક્ઝરી અને આરોગ્યને હાનિકારક વસ્તુઓ સુધી મર્યાદિત રાખી શકે છે. એવી આશા કરી શકાય કે દરેક આકારનાં ટીવી, ડિશ વૉશર, ડિજિટલ કૅમેરા, AC પર ૧૮ ટકાના દરે GST લાગુ થઈ શકે છે. સારી સ્થિતિ એ હશે કે ફક્ત આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને જ ૨૮ ટકાના સ્લૅબમાં રાખવામાં આવે.

July 23, 2018
gst1-1.jpg
1min7790

સુરતના ટેક્સટાઇલ ઉધોગકારોને, વ્યાપારીઓને જીએસટીમાં રાહત મળે તે માટે જેમણે ચળવળ ઉપાડી હતી, અને છેલ્લે સુધી જેઓ સક્રીય રહ્યા હતા એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જ બાદબાકી અખબારી જાહેરાતોથી કરીને સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇએ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે

 

એવી પણ ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે કે જીએસટીમાં રાહતના બદલામાં કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા માટે, જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે તેમજ અખબારોમાં જાહેરાતો આપવા માટે સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી મસમોટું ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે ફોસ્ટાએ પણ જાહેરમાં વિરોધ નોંધવ્યો હોવાનું જાણવા મળે છે.

 

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ગઇ તા.21મી જુલાઇએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગને આપવામાં આવેલી રાહત બાદ સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કર્તાહર્તાઓએ જાણે પોતે જ રાહતો અપાવી હોય તે રીતે જશ ખાટવાની પ્રવૃતિ હાથ ધરી છે. હદ તો ત્યારે થઇ કે આજરોજ તા.23મી જુલાઇ 2018ના સ્થાનિક અખબારોમાં આપવામાં આવેલી મસમોટી ફુલપેજ જાહેરાતમાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બાદબાકી કરી દેવાતા ભારે ભડકો થયો છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને કનડતા જીએસટીના પ્રશ્નો સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સ્થાનિક આગેવાનોને સાંભળવાથી શરૂ કરીને કેન્દ્રીય નાણાંમંત્રી સમેત અનેક લોકોને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. મનસુખ માંડવીયાએ પોતે ઇનિશ્યીએટિવ લઇને છેક પી.એમ. નરેન્દ્ર મોદી સુધી ધારદાર રજૂઆતો કરી હતી.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સ્થાનિક સાંસદો ખાસ કરીને સી.આર.પાટીલએ સ્થાનિક આગેવાનોને લઇને કેન્દ્રીય નાણાં મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી અને તેને પગલે તા.21મી જુલાઇના રોજ જીએસટી કાઉન્સિલએ ટેકસટાઇલ ઉદ્યોગકારોને ભરચોમાસે દિવાળીનો ઘાટ સર્જાય તેવી રાહતો આપતા આખરે મામલો જશ ખાટવાની વૃતિ પર આવ્યો હતો.

રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇ સમેત કેટલાક આગેવાનોએ મળીને જાણે ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી અખબારોમાં કેન્દ્ર સરકારનો આભાર માનતી જાહેરાતોનો મુસદ્દો તૈયાર કરાવ્યો હતો. આજે દૈનિક અખબારોમાં છપાયેલી જાહેરાતોની ડિઝાઇન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ  તૈયાર કરાવી હતી. આ જાહેરાતમાં પી.એમ. નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય નાણાં મંત્રી પિયુષ ગોયેલ, પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલી, કપડા મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ સ્થાનિક સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ અને દર્શના જરદોષના ફોટા સામેલ કરવામાં આવ્યા પરંતુ, જેમણે ટેક્સટાઇલ ઉદ્યોગને જીએસટી રાહત મળે તે માટેની ચળવળની શરૂઆત કરી હતી, તેમના જ ફોટાની બાદબાકી કરી દેવામા ંઆવી છે.

એવી પણ ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે કે જીએસટીમાં રાહતના બદલામાં કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા માટે, જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે તેમજ અખબારોમાં જાહેરાતો આપવા માટે સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી મસમોટું ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે ફોસ્ટાએ પણ જાહેરમાં વિરોધ નોંધવ્યો હોવાનું જાણવા મળે છે.

આજે અખબારોમાં જાહેરાતો છપાયા બાદ ભાજપમાં રાજ્યકક્ષાએ મામલો ભારે ગરમાયો છે. ખુદ મનસુખ માંડવીયા કેમ્પ પણ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓની આ હરકતથી ભારે નારાજ થયા છે. સ્થાનિક આગેવાનોએ આ વાત મનસુખ માંડવીયાના ધ્યાન પર પણ લાવતી તેઓ પણ નારાજ ચાલી રહ્યા છે. મનસુખ માંડવીયાએ સુરત ટેનિસ ક્લબમાં સ્થાનિક આગેવાનોને બોલાવીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આમ જેમણે જીએસટી રાહત મળે તે માટે ચળવળ ઉપાડી હતી અને છેવટ સુધી તેઓ આ મામલે સક્રીય રહ્યા હતા આમ છતાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ કયા કારણોસર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બાદબાકી કરી એ હવે તપાસનો વિષય બન્યો છે.

લાખો રૂપિયાની આ અખબારી જાહેરાતમાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને જીએસટીમાં રાહત અપાવવા માટે ચળવળ શરૂ કરનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જ બાદબાકી કરીને વણનોતર્યો વિવાદ ખડો કરી દીધો છે. આ મુદ્દે છેક વડાપ્રધાન સુધી રજૂઆત થઇ છે.

July 22, 2018
warner.jpg
1min4630

બૉલ-ટૅમ્પરિંગ કાંડને પગલે એક વર્ષના રમવા પરના પ્રતિબંધમાંથી પસાર થઈ રહેલો ઑસ્ટ્રેલિયાનો ૩૧ વર્ષીય આક્રમક બૅટ્સમૅન ડેવિડ વૉર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન માટે આવતા વર્ષે ૩૦મી મે 2018 એ ઇંગ્લૅન્ડમાં શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપને લક્ષ્યાંક બનાવ્યો છે. તે ત્રણ મહિના પહેલાં શરૂ થયેલા ૧૨ મહિનાના પ્રતિબંધ બાદ તા.21 જુલાઇ 2018 પહેલી જ વાર ઑસ્ટ્રેલિયાની ધરતી પર સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો હતો. તેની આ મૅચ ડાર્વિનના હોમગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં તેણે ૩૨ બૉલમાં ૩૬ રન બનાવ્યા હતા.

વૉર્નરને વિદેશની લીગ ટુર્નામેન્ટોમાં તથા ડોમેસ્ટિક ક્રિકેટની નીચલા સ્તરની મૅચો રમવાની છૂટ મળેલી છે. શનિવારની નૉર્ધર્ન ટેરિટરી સ્ટ્રાઇક લીગની મૅચ પછી તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘હું ઑસ્ટ્રેલિયાની ટીમમાં કમબૅક કરવા માટે તત્પર છું. મારા પરનો પ્રતિબંધ પૂરો થવાને હજી આઠેક મહિના બાકી છે. જોકે, આગામી મે મહિનાના વર્લ્ડ કપ પહેલાં રમાનારી પ્રૅક્ટિસ-મૅચોથી હું કમબૅક શકીશ.’

July 22, 2018
vac3.jpg
1min4860

રાજ્યભરમાં સરકાર દ્વારા ઓરી રૂબેલા વિરોધી રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે ઇડર તાલુકાના ફીંચોડ હાઇસ્કૂલમાં ખોડમ ગામની 15 વર્ષિય કિશોરી સ્નેહા જીતેન્દ્રસિંહ રાઠોડને રસી આપવામાં આવી હતી. રસી લીધા પછી 30 કલાકમાં કિશોરીનું મોત નીપજ્યું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. કિશોરી સાથે 577 બાળકોને પણ રસી આપવામાં આવી હતી.

ઇડર તાલુકાના ખોડમ ગામમાં ઓરી-રૂબેલાની રસી લીધા બાદ 30 કલાક પછી 15 વર્ષિય કિશોરીનું મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારજનોના કહેવા મુજબ રસી લીધા બાદ કિશોરીને ચક્કર આવવા લાગ્યા હતા.

ઊંઘ આવી હતી અને ત્યારબાદ પેટમાં દુ:ખાવા સાથે ઊલટીઓ શરૂ થઇ હતી. જે પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા મોત નીપજ્યુ હતું. જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે રૂબેલાના વાયરસથી તાવ પણ આવતો નથી. પ્રોટીનથી રિએક્ષન આવવાનું હોય તો મહત્તમ અડધા પોણા કલાકમાં આવી જાય છે.

ઘટનાને અંગે સમગ્ર પંથમમાં ચકચાર મચી ગઈ છે. જો કે, પરિવારજનોએ દીકરીનું પી.એમ કરાવ્યું હોત તો મોત રસીથી થયું છે કે અન્ય કોઈ કારણથી તેની જાણ થઇ જાત. કિશોરીના પિતાએ આ અંગે જણાવતા કહ્યું કે, રસીના કારણે તે આખી લાલ થઈ ગઈ હતી. સવારમાં શરીર પીળું પડી ગયું હતું. તેને બીજી કોઈ તકલીફ ન હતી પરંતુ રસી આપ્યા પછી થયું હોય એવું લાગે છે.