CIA ALERT

Slider Archives - Page 470 of 491 - CIA Live

August 7, 2018
narmada.jpg
1min5340

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ સરદાર ડેમની સપાટી 111.07 મીટર છે. રવિવારે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ છે. પાણીની આવક કરતા જાવક બમણી થઇ છે.

બીજી બાજુ વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઇ જશે અને સાર મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે.

નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિના અન્ય ડેમો ની જળસપાટી પર નજર નાખીએ તો, બર્ગી ડેમ બે મીટર ખાલી (પાણીનો જથ્થો- 2604 એમસીએમ), તવા ડેમ 8 મીટર ખાલી (પાણીનો જથ્થો- 733 એમસીએમ), ઈન્દિરાસાગર 10 મીટર ખાલી (પાણીનો જથ્થો- 3357 એમસીએમ), ઓમકારેશ્ર્વર 4 મીટર ખાલી, મંડલેશ્ર્વર- 18 મીટર ખાલી, હોશંગાબાદ 8 મીટર ખાલી, બર્મનઘાટ 13 મીટર ખાલી અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ સરદાર સરોવર 27 મીટર ખાલી (પાણીનો જથ્થો- 57 એમસીએમ) રહ્યો છે.

August 7, 2018
m2.jpg
1min14070

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Peanut

રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.

August 6, 2018
v1.jpg
1min6850

❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!

DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”

વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”

@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન

❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ

August 6, 2018
abhay.jpg
2min13150

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.

Image may contain: 3 people, people standing

Image may contain: 4 people, people standing and indoor
Image may contain: 11 people, people standing and indoor
Image may contain: 1 person, sitting, table and indoor
August 6, 2018
sensex-l-express-photo.jpg
1min5810

શુક્રવારની રેલીને આગળ ધપાવતા BSE સેન્સેક્સ સોમવારે સવારે 200 પોઈન્ટ્સ વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટીએ પણ સૌપ્રથમવાર 11,400ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી દીધી હતી. સવારે સેન્સેક્સ 234.56 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચને સ્પર્શી ગયો હતો અને 1 ઓગસ્ટની 37,711.87ની ટોચનો વિક્રમ તોડી નાખ્યો હતો. સોમવારે સવારથી જ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)ની નવી લેવાલી અને અમેરિકન ડોલર સામે રૂપિયાની મજબૂતીને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતને પગલે આજે સવારથી જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

નિફ્ટી પણ આજે 1 ઓગસ્ટની 11,390.55 પોઈન્ટ્સની ઊંચી સપાટીને વટાવી ગયો હતો. આજે નિફ્ટીએ 62.80 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 11,423.60 પોઈન્ટ્સની નવી ટોચ રચી હતી.

આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU, બેન્ક, હેલ્થકેર, મેટલ, પાવર, ઈન્ફ્રાસ્ટર્ક્ચર, IT, ટેકનો, ઓટો, FMCG અને ઓઈલ-ગેસ શેર્સ 1.03 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની ભારતીય હવામાન ખાતાની આગાહી બાદ ગ્રામીણ માંગમાં સુધારાની આશા સાથે સોમવારે શેરબજારમાં મજબૂત હવામાન જોવા મળ્યું હતું.

આજે ICICI બેન્ક, SBI, યસ બેન્ક, વેદાંતા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, હીરો મોટો કોર્પ, ONGC, RIL, M&M, સન ફાર્મા, બજાજ ઓટો, NTPC, TCS, ITC, L&T અને પાવર ગ્રીડના શેર્સ 2.59 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે અમેરિકાના શેરબજાર વધીને બંધ રહ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ 0.35 ટકા, હોંગકોંહનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડિકેસ 0.14 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

August 5, 2018
Jai-Shani-Dev-HD-Wallpaper-1280x720.jpg
1min8260

દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.

અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.

તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.

August 5, 2018
china-1280x720.jpg
1min5330

ટ્રેડ વોરના આંચકા ચીની શેરબજારમાં વર્તાવાના શરૂ થયા છે. ચીનની બીજા નંબરની જગ્યા હાંસલ કરતા જાપાન ચાર વર્ષ પછી ફરી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર ધરાવતો દેશ બન્યો છે.

જાપાનના શેરબજાર વધીને રહેતાં તેનું માર્કેટ કેપ 6.17 ટ્રીલિયન અબજ ડોલર રહેતાં ચીનને ઓવરટેક કરી ગયું જતાં વિશ્વમાં અમેરિકા પછી બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. અમેરિકાનું શેરબજાર 31 ટ્રીલિયન ડોલર સાથે વિશ્વના સૌથી મોટું માર્કેટ કેપ ધરાવે છે.

જાપાન પાસેથી બીજા નંબરનું સ્થાન ચીને જાન્યુઆરી 2014માં છીનવી લીધું હતું અને ત્યાર પછી 2015માં માર્કેટ કેપ એક તબક્કે વધીને 10 ટ્રીલિયન ડોલર સુધી વધ્યું હતું. ચીનનો શાંઘાઈ આંક 2018માં ઇમર્જીંગ માર્કેટમાં સૌથી નબળું રિટર્ન આપનારા શેરબજારમાં છે અને તે 17 ટકા તૂટ્યો છે. ચીનનો યુઆન અમેરીકન ડોલર સામે 10 વર્ષની નીચી સપાટી તરફ સરક્યો છે. છેલ્લા છ મહિનામાં ડોલર સામે ચીનની કરન્સી 8 ટકા તૂટી છે અને સતત આઠમાં સપ્તાહમાં ઘટીને રહી હતી. આ સપ્તાહને અંતે યુઆન 6.862ના સ્તરે બંધ રહ્યો હતો.

ચીનની કરન્સી યુઆન ડોલર સામે દસ વર્ષની નીચી સપાટી તરફી સરકી ગઈ છે અને તેના પગલે શેરબજાર પણ વિશ્વના બીજા મોટા શેરબજારનું સ્થાન ગુમાવીને ત્રીજા સ્થાને આવી ગયા છે.

અમેરિકા દ્વારા ચીનના 200 અબજ ડોલરના વેપાર પર 25 ટકા ટેરિફની વધતી પ્રબળ સંભાવના પાછળ ચીનના શેરબજાર ઘટ્યા છે અને તા.3 ઓગસ્ટે વધુ તૂટતાં ચીનની ઇક્વિટીનું માર્કેટ કેપ 6.09 ટ્રીલિયન ડોલરની સપાટીએ ગબડ્યું હતું.

ચીને અમેરિકા પર વળતો પ્રહાર કરીને અમેરિકાથી આયાત થતી પ્રોડક્ટ પર 60 અબજ ડોલરની ટેરિફ લાદવાની ચિમકી આપી છે. અમેરિકાએ તાજેતરમાં ચીનની 200 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાના સંકેત આપતાં તેના પ્રત્યુતરમાં ચીન પણ અમેરિકાની પ્રોડક્ટ પર ટેરિફ વધારશે.

August 5, 2018
mibala.jpg
1min4990
નરેન્દ્ર મોદી સરકારને આગામી ચૂંટણીમાં પરસેવો પડાવી દે તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને એ એ છે કે સામાન્ય મોબાઇલ કંપનીઓ યેનકેન પ્રકારે બેલેન્સ કાપી લે છે તેમ બેંકોએ સામાન્ય ખાતેદારોના ખાતામાંથી મિનીમમ બેલેન્સ મેઇન્ટેન નહીં કરવા સબબ અબજો રૂપિયા ઉસેટી લીધા છે અને હવે આ પ્રશ્ન મોદી સરકાર માટે અનેક મુશ્કેલીઓ પેદા કરે તેમ છે.
પોતાનાં બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં બેંકોએ સામાન્ય ખાતેદારો પાસેથી અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જે લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ નથી રાખી શકતા તે લોકો માટે જન-ધન યોજના અંતર્ગત લગભગ 30.8 કરોડ બેઝિક સેવિંગ્સ અકાઉન્ટ ખોલવા છતાં પણ બેન્કો દ્વારા વસૂલાયેલી દંડની રકમ ખૂબ જ વધારે અને આકરી છે.
ભારતીય સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે તેમનાં ખાતાધારકો પર સૌથી વધારે લગભગ ૨૪૩૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. લગભગ ૩૦ ટકા દંડ ભારતની ત્રણ મોટી પ્રાઈવેટ બેંક એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકે વસૂલ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં દંડની રકમ બમણી થઈ જવાનું એક કારણ સ્ટેટ બેંક પણ છે. આ વર્ષે એસબીઆઈએ લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખે તો તેમની પાસેથી બમણો દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.
 
આ બેંકોએ વર્ષ ૨૦૧૭-૧૮માં આટલો દંડ વસૂલ્યો હતો:
– SBI – ૨૪૩૪ કરોડ
– HDFC- ૫૯૦ કરોડ
– Axis – ૫૩૦ કરોડ
– ICICI – ૩૧૭ કરોડ
– PNB – ૨૧૧ કરોડ
August 5, 2018
apple.jpeg
1min6220

એપલ માટે ભારતમાં આ વર્ષ સૌથી વધુ કપરું સાબિત થાય તેમ છે. 2018ના પ્રથમ છ મહિનામાં તેના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે કંપની વૃદ્ધિના બદલે નફાને વધુ મહત્ત્વ આપે છે અને તેણે ડિસ્કાઉન્ટ તથા ડિસ્ટ્રિબ્યુશનમાં ઘટાડો કર્યો છે તેનું આ પરિણામ છે. કેટલાકે કહ્યું કે તહેવારોની સીઝન અગાઉ સપ્ટેમ્બરમાં કંપની નવા મોડલ લોન્ચ કરે તો વેચાણ વધી શકે છે.

સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ જૂન ક્વાર્ટરમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 55 ટકા ઘટાડો નોંધાવ્યો હતો અને ક્રમિક ધોરણે ૩૦ ટકા ઘટાડો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટ્સ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટ્યા હતા જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 46 ટકાનો ઘટાડો થયો હતો.

સિંગાપોર સ્થિત રિસર્ચ કંપની કેનાલિસના રિસર્ચ મેનેજર રુષભ દોશીએ જણાવ્યું કે 2018 એ એપલના બજાર માટે સૌથી ખરાબ વર્ષ રહેવાની શક્યતા છે. બીજું ક્વાર્ટર ઘણું નબળું રહ્યું છે. તેના કારણે ભારતમાં આઇફોન ઉત્પાદકનો બજારહિસ્સો ઘટી શકે છે જે પહેલેથી તેની હાજરી વિસ્તારવામાં મુશ્કેલી અનુભવી રહી છે. સામાન્ય રીતે વર્તમાન અને ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વધતું હોય છે.

પ્રીમિયમ બજારમાં એપલની સ્થિતિ મજબૂત હોય છે પરંતુ તેમાં સ્પર્ધામાં વધારો થયો છે. વનપ્લસ જેવી નવી કંપનીના આગમન તથા સેમસંગની આક્રમકતાના કારણે પ્રીમિયમ મોબાઇલ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. પ્રીમિયમ સેગમેન્ટમાં જ એપલનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 20 ટકા થયો હતો જે ગયા વર્ષમાં 43 ટકા હતો.

August 5, 2018
st.jpg
1min23770
સ્ટીવ જોબ્સની પુત્રીએ પુસ્તકમાં ખોલ્યા પિતા સાથેના સંબંધોના રહસ્યો

વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પુત્રી સાથેના સંબધો ખૂબ જ ખરાબ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી સ્ટીવે લીઝાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે સ્ટીવ જોબ્સની પુત્રીએ પિતા સાથેના સંબંધો પર પુસ્તક લખ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે જીવનના અંતિમ દિવસોમાં સ્ટીવ જોબ્સે તેને કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે.

લીઝા બ્રેનન-જોબ્સે પોતાના પુસ્તક ‘સ્મોલ ફ્રાય’ માં પિતા સાથેના સંબધો વિશે લખ્યું છે. લીઝા સ્ટીવની પ્રથમ પુત્રી છે. આ પુસ્તકનો એક ભાગ ‘વૈનિટી ફેરે’ છાપ્યો છે જેમાં લીઝાએ જણાવ્યું કે જ્યારે સ્ટીવ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને પથારીવશ હાલતમાં લીઝા તેમને મળવા ગઇ હતી, પોતે રોઝ સેંન્ટ છાંટીને ગઈ હતી પરંતુ સ્ટીવે કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે. બ્રેનન માને છે કે તેમના જન્મ પર દુ:ખની લાગણી જ પિતા સાથેના ખરાબ સંબધોનું કારણ છે.

લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે
લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે

બ્રેનને જણાવ્યું કે તેમના પિતા પાસેથી તેમની જૂની પોર્શ કાર માંગતા સ્ટીવે કહ્યું હતું કે તને કંઇ જ નહી મળે. સમજી લે જે, કંઇ જ નહી મળે.

1978માં જન્મેલી લીઝા બ્રેનન-જોબ્સ, સ્ટીવ અને ક્રિસન બ્રેનનની પુત્રી છે. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ક્રિસન ગર્ભવતી થતા સ્ટીવે બાળકી પોતાની હોવાનો ઈન્કાર કરી અલગ થયા હતા, પરંતુ કોર્ટે પીતૃત્વ પરીક્ષણ કરાવ્યું જેમાં સાબિત થયું કે આ બાળકીના પિતા સ્ટીવ જોબ્સ જ છે.

સ્ટીવ જોબ્સ 2011માં મૃત્યું પામ્યા હતા અને પુત્રી 9 વર્ષની થઇ ત્યાં સુધી સ્ટીવ પોતાની વાત પર રહ્યા કે તેઓ ઈન્ફર્ટાઈલ હોવાથી પિતા નહી બની શકે. જો કે ત્યાર બાદ સ્ટીવ તેમની પત્ની લોરેન પોવેલ થકી ત્રણ સંતાનોના જન્મ્યા હતા.

નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે
નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે

બ્રેનને પુસ્તકમાં લખ્યું છે કે પાછળથી સ્ટીવે માફી માંગી હતી પરંતુ તેમના સંબધો હમેશાં તણાવપૂર્ણ રહ્યાં. તે કયારેક ક્યારેક પિતાના ઘરે જતી પરંતુ તેમની વાતચીતમાં સ્ટીવ લાંબા સમય મૌન રહેતા હતા. પિતા સ્ટીવ માટે બ્રેનન હમેશાં તેમની સફળતા પર એક ડાઘ સમાન હતી. કારણ કે તેની જીંદગી એ મહાનતા અને ગુણો સાથે બંધબેસતી નહોતી જે સ્ટીવ પોતાના માટે ઈચ્છતા હતા. મારા માટે આનાથી વિરૂધ્ધ હતું, હું જેટલી એમની નજીક જતી એટલી ઓછી શરમ અનુભવતી હતી.