નરેન્દ્ર મોદી સરકારને આગામી ચૂંટણીમાં પરસેવો પડાવી દે તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને એ એ છે કે સામાન્ય મોબાઇલ કંપનીઓ યેનકેન પ્રકારે બેલેન્સ કાપી લે છે તેમ બેંકોએ સામાન્ય ખાતેદારોના ખાતામાંથી મિનીમમ બેલેન્સ મેઇન્ટેન નહીં કરવા સબબ અબજો રૂપિયા ઉસેટી લીધા છે અને હવે આ પ્રશ્ન મોદી સરકાર માટે અનેક મુશ્કેલીઓ પેદા કરે તેમ છે.
પોતાનાં બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં બેંકોએ સામાન્ય ખાતેદારો પાસેથી અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જે લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ નથી રાખી શકતા તે લોકો માટે જન-ધન યોજના અંતર્ગત લગભગ 30.8 કરોડ બેઝિક સેવિંગ્સ અકાઉન્ટ ખોલવા છતાં પણ બેન્કો દ્વારા વસૂલાયેલી દંડની રકમ ખૂબ જ વધારે અને આકરી છે.
ભારતીય સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે તેમનાં ખાતાધારકો પર સૌથી વધારે લગભગ ૨૪૩૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. લગભગ ૩૦ ટકા દંડ ભારતની ત્રણ મોટી પ્રાઈવેટ બેંક એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકે વસૂલ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં દંડની રકમ બમણી થઈ જવાનું એક કારણ સ્ટેટ બેંક પણ છે. આ વર્ષે એસબીઆઈએ લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખે તો તેમની પાસેથી બમણો દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.
આ બેંકોએ વર્ષ ૨૦૧૭-૧૮માં આટલો દંડ વસૂલ્યો હતો:
– SBI – ૨૪૩૪ કરોડ
– HDFC- ૫૯૦ કરોડ
– Axis – ૫૩૦ કરોડ
– ICICI – ૩૧૭ કરોડ
– PNB – ૨૧૧ કરોડ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now