CIA ALERT

Slider Archives - Page 331 of 491 - CIA Live

July 10, 2019
brasil_copa.jpg
1min6960

બ્રાઝિલે શનિવારે કોપા અમેરિકા ફૂટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પેરુને ૩-૧થી હરાવીને નવમી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રાઝિલે મુખ્ય ખેલાડી નેયમાર વિના આ સિદ્ધિ મેળવી છે અને ટીમને માત્ર તેના પર સૌથી મદાર હતો એ મહેણું હવે ભાંગ્યું છે.

ઘૂંટણની ઈજા તથા ‘બળાત્કાર’ના આક્ષેપથી ઘેરાયેલા કૅપ્ટન નેયમારને ૨૦૧૪માં ઘરઆંગણે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ઈજા થઈ હતી અને જર્મની સામેની સેમી ફાઇનલ તેણે ગુમાવી હતી. જર્મનીએ ત્યારે બ્રાઝિલને ૭-૧થી હરાવીને યજમાન ટીમનો માનભંગ કર્યો હતો.

બ્રાઝિલે ૧૨મા વર્ષે મોટી ટ્રોફી જીતી છે. નેયમાર છેલ્લા બે વર્ષથી કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે.

July 10, 2019
bjp_logo.png
1min5530

લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપાનો વિજયરથ પેટા ચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી રાજ્યમાં રાજ્યસભાની બે બેઠક, 10 નગરપાલિકાની 15 બેઠકોની પેટા ચૂંટણીઓમાંથી 11 બેઠકો પર ભાજપાના ઉમેદવારોએ જીતી લીધી હતી.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે તેના પરિણામ સ્વરૂપે ભાજપ પાસે અગાઉ છ બેઠકો હતી. તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટા ચૂંટણીઓમાં કુલ 11 બેઠકો પર કમળ ખીલ્યું છે. જ્યારે કૉંગ્રેસ પાસે સાત બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ત્રણ ઉપર અટકી ગઇ હતી. આમ જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપ સાથે છે. પ્રત્યેક નાની-મોટી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.

July 10, 2019
generics_brands_abandonment_1-1280x693.png
1min6710

જેનેરિક દવાઓના વેચાણથી સામાન્ય નાગરિકોને રૂ. 2000 કરોડનો લાભ થયો હોવાની માહિતી સરકારે લોકસભાને આપી હતી.

શૂન્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઑથોરિટી (એનપીપીએ)એ નક્કી કરેલા ભાવે જ બધા દવા ઉત્પાદકોએ દવાઓ વેચવી પડશે, પછી એ બ્રાન્ડેડ હોય કે જેનેરિક હોય. દવાઓ પર લોકલ ટેક્સ પણ આપવાનો રહેશે.

આ પ્રસંગે એમણે 1000થી વધુ દવાઓના ભાવ નક્કી કરવા અને હૃદયરોગના દર્દીઓ માટે સારવારના દર ઘટાડવા સહિત સરકારે લીધેલા પગલાં વિશે લોકસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના હેઠળ વેચાતી જેનેરિક દવાઓ ટોપ ત્રણ બ્રાન્ડની દવાઓની સરખામણીએ સરેરાશ 50-90 ટકા ઓછા ભાવે વેચાય છે.

એમણે સાંસદોને જનઔષધી માટેની વધુ દુકાનો ખૂલે એ માટે પ્રોત્સાહન આપવાની વિનંતી કરી હતી.

પાછલા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 5028 કેન્દ્ર શરૂ કરાયા હતા.

આ યોજના હેઠળ 900 દવા અને 154 સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે, એમાંથી જનઔષધી કેન્દ્રોમાં 714 દવા અને 53 સર્જિકલ સાધનો વેચાય છે.

July 10, 2019
suicide-703x422.jpg
1min4910

યુપીએ સરકાર વખતે 2008માં રૂ. 70 હજાર કરોડની લોનમાફી બાદ પણ ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો હતો, એમ કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોતમ રૂપાલાએ જણાવ્યું હતું. લોન માફીની મોટી સ્કીમની જાહેરાત બાદ હાથ ધરાયેલ ઓડિટમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ખેડૂત નહોતા તેમને લોન માફી અપાઈ હતી.

તેમણે પ્રશ્ર્નકાળના સમયગાળામાં ગૃહમાં માહિતી આપી હતી. ખેડૂતોની આત્મહત્યાને નાથવા રાષ્ટ્રીય નીતિ લાવવા સુપ્રીમ કોર્ટે સરકારને સૂચન કર્યું છે? એવા પ્રશ્ર્નના જવાબમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના 6 જુલાઈ – 2017ના ઓર્ડરમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાને રાતોરાત ઉકેલી શકાય નહીં, યોગ્ય સ્કીમ તૈયાર કરવા સમય માગી લેે છે એવા એટર્ની જનરલના નિવેદનને કોર્ટે ન્યાયી ઠેરવ્યું હતું.

આ હેતુસર શું પગલાં અપનાવવા તે કેન્દ્ર સરકાર નક્કી કરવાનું છે. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આમ તો કૃષિ એ રાજ્યનો વિષય છે. રાજ્ય સરકાર કૃષિને લગતા વિભિન્ન કાર્યક્રમ – સ્કીમ જાહેર કરતી રહે છે. કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ સહાય પૂરી પાડે છે. કેન્દ્ર સરકાર અગાઉ ઉત્પાદનને કેન્દ્રમાં રાખીને નીતિ તૈયાર કરતી હતી, હવે આવકને કેન્દ્રિત કરીને નીતિ તૈયાર કરે છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે.

July 10, 2019
modi_pad.jpg
1min13400

બે ઑક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતીથી 31 ઑક્ટોબર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી દરમિયાન 150 કિ.મી. લાંબી પદયાત્રા ભાજપના સાંસદોને તેમના મત વિસ્તારમાં કરવા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, એવી માહિતી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ મંગળવારે આપી હતી.

padyatra advised by modi માટે છબી પરિણામ

ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધતા મોદીએ રાજયસભામના સભ્યોને કહ્યું હતું કે, જયાં ભાજપનું સંગઠન નબળું છે તે મત વિસ્તારની મુલાકાત લો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ધ્યાનમાં લઈને 150 કિ.મી. લાંબી પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. પદયાત્રાનો સમયનો નિર્ણય પક્ષે લેવાનો છે. પદયાત્રાની વિગત જણાવતાં સંસદીય બાબતોના રાજયકક્ષાના પ્રધાન અર્જુન મેઘવાલે કહ્યું હતું કે, પદયાત્રામાં ગામડાંઓ પર વધુ ધ્યાન આપવા વડા પ્રધાને સલાહ આપી છે.

તમામ મત વિસ્તારમાં 150 ગ્રુપ ઊભા કરવા સાંસદોને જણાવ્યું છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારની કામગીરી અને અપેક્ષા વિશે જનતાનો અભિપ્રાય મેળવવાની સાથે તેઓ પાસે ફીડબેક મેળવવાનો છે. સાંસદો ગાંધીજીના વિચારો જનતા સમક્ષ રજૂ કરશે. વૃક્ષા રોપણ, સ્વચ્છતા અને ગામડાં સંબંધી અન્ય પ્રશ્ર્નોને પણ પદયાત્રા દરમિયાન આવરી લેવાશે.

July 10, 2019
naresh_goyal.jpg
1min4840

naresh goyal માટે છબી પરિણામ

દિલ્હી હાઈ કોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયેલને ભારત છોડવાની પરવાનગી આપી ન હતી. નરેશ ગોયેલ સામે કેન્દ્રે બહાર પાડેલો લૂક-આઉટ સર્ક્યૂલર પાછો ખેંચવા ગોયેલે કરેલી અરજી બાબતમાં કેન્દ્ર સરકારનો પ્રતિભાવ માગવામાં આવ્યો હતો. 25 મેના દિવસે ગોયેલને દુબઈ જતી ફલાઈટ પરથી ઊતારી મૂકવામાં આવ્યો હતો તે પછી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી ન હતી તેવું ગોયેલે પોતાની અરજીમાં કહ્યું હતું.

દિલ્હી હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ સુરેશ કૈટે કહ્યું હતું કે, હાલના તબક્કે અરજદાર ગોયેલને કોઈ રાહત આપી શકાય નહીં. તેમને વિદેશ જવું હોય તો ગેરંટી તરીકે

18000 કરોડ રૂપિયા જમા કરીને જઈ શકે છે, તેવું ન્યાયમૂર્તિએ કહ્યું હતું.

જેટ એરવેઝમાં ખૂબ મોટા પાયા પર છેતરપિંડી થઈ છે, તેવું એક ઈન્સ્પેકશન પછી ખબર પડી છે તેવું કોર્પોરેટ અર્ફેસ મંત્રાલયે જણાવ્યું હતું. સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઈઓ) નરેશ ગોયેલને 10મી જુલાઈએ હાજર રહેવા છઠ્ઠી જુલાઈએ સમન્સ આપ્યા હતા.

23મી ઑગસ્ટે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે, તેવું દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું.ઉ

July 9, 2019
indiavsnew.jpg
1min5060

આજે આઇસીસી વર્લ્ડ કપ ક્રિકેટની પહેલી સેમિફાઇનલ માન્ચેસ્ટર ખાતે યોજાઇ રહી છે. અહીં બે ટીમો નહીં બલ્કે ત્રણ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જોવાનું એ રહે છે કે ત્રણ પૈકી ભારત જીતે છે, ન્યુઝીલેન્ડ જીતે છે કે વરસાદ જીતે છે એના પર તમામ ચાહકોની નજર રહેલી છે. પ્રથમદર્શી નજરે એવું મનાય છે કે આજનો દિવસ ભારત કે ન્યુઝીલેન્ડને વરસાદ નહીં ફાવવે દે, માન્ચેસ્ટરમાં આજે 50 ટકા વરસાદ પડે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને આજનો આખો દિવસ ખોરવાય જાય તેવી આગાહી પણ કરવામાં આવી છે.

આ મૅચ બંને ટીમ માટે એટલા માટે પણ મહત્ત્વની હશે કેમ કે આજની મૅચમાં વિજય મેળવનારી ટીમ 14મી જુલાઈએ રમાનારી વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશશે.

આજની મૅચમાં જો ભારતનો વિજય થશે તો તેને ત્રીજીવાર વર્લ્ડ ચૅમ્પિયન બનવાની તક મળશે અને જો ન્યૂ ઝીલૅન્ડની ટીમ વિજય મેળવશે તો તે પ્રથમ જ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં વધુ એક ડગલું માંડશે અને કદાચ વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું તેનું સપનું સાકાર થશે.

ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બંને ટીમે કરેલા પ્રદર્શનને જોતાં આજની મૅચ માટે ભારતીય ટીમને ફૅવરિટ ટીમ તરીકે જોવામાં આવી રહી છે કેમ કે બૅંટિંગ અને બૉલિંગ એમ બંને ક્ષેત્ર ભારતની ટીમ ન્યૂ ઝીલૅન્ડની ટીમ કરતા બળૂકી જણાઈ રહી છે.

ભારતે ટુર્નામેન્ટની અત્યાર સુધી રમાયેલી નવ મૅચમાંથી સાત મૅચમાં વિજય મેળવ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની એક મૅચ ધોવાઈ ગઈ હોવાને કારણે 15 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે તો ન્યૂ ઝીલૅન્ડની ટીમે નવ મૅચમાંથી પાંચ મૅચમાં વિજય મેળવી 11 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

આજની મૅચ પ્રેક્ષકો અને પ્રશંસકો માટે રોમાંચક, મનોરંજક અને ઉત્તેજનાસભર બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

July 8, 2019
surat_airport.jpg
1min15440

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત એરપોર્ટના મેનેજમેન્ટે અક્કલનું દેવાળું ફૂંક્યું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. હેરીટેજ સાઇટ (ઐતિહાસક ઇમારત) માં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પૌરાણિક ધરોહર સમી ઇમારતોમાં જેને સ્થાન આપીને હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જેનું જતન કરવામાં આવે છે એ ડચ સિમેટ્રી (ડચ કબ્રસ્તાન)નું વોલ પેપર સુરત એરપોર્ટની મૂતરડી (યુરિનલ)માં મૂકવામાં આવ્યું છે. આવું કૃત્ય કરીને સુરત એરપોર્ટ ઓથોરિટીએ સમગ્ર સુરત માટે નામોષીજનક સ્થિતિ પેદા કરી છે.

જુઓ સુરત એરપોર્ટની મૂતરડીમાં ઐતિહાસિક ધરોહર તરીકે જેનો સમાવેશ કરાયો છે એ સુરતના કતારગામ સ્થિત ડચ સિમેટ્રીનું આ વોલપેપર સૂચવે છે કે અક્કલનું દેવાળું ફૂંકીને આવું કોણે કર્યું હશે અને આ ભૂલ હવે ક્યારે સુધારી લેવાશે

માહિતી એવી મળી રહી છે કે જ્યારથી સુરત એરપોર્ટ ધમધમતું થયું છે ત્યારથી આ પ્રકારનું વોલપેપર મૂતરડીમાં ડિસ્પ્લો કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મૂતરડીનો ઉપયોગ કરતા લોકોના ધ્યાને આ બાબત આવી ન હતી કે સુરત એરપોર્ટની મૂરતડીમાં જે વોલ પેપર છે એ ઐતિહાસિક ધરોહર સમી ડચ સિમેટ્રીનું છે. પરંતુ, કેટલાક બુદ્ધિજીવીઓના ધ્યાન પર આ બાબત આવતા હવે આ બાબત વાઇરલ થવા પામી છે.

એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે સુરત એરપોર્ટ મેનેજમેન્ટના અધિકારીઓને ઐતિહાસિક ઇમારત તરીકે જેને સ્ટેટસ મળ્યું છે એ સુરત સ્થિત ડચ સિમેટ્રીના ફોટોગ્રાફ્સ ડિસ્પ્લે કરવા માટે સુરત એરપોર્ટ પર મૂરતડીની દિવાલ સિવાય અન્ય કોઇ જગ્યા જ નહીં મળી હોય

કેટલાક લોકો માને છે કે ખરેખર આ અક્કલનું દેવાળું ફૂંકવા સમાન છે. એક તરફ સુરત મહાનગરપાલિકા આ હેરિટેજ સાઇટનું જતન-જાળવણી કરવા પાછળ લાખો રૂપિયા ખર્ચી રહી છે, સુરત આવતા વિદેશી મહેમાનોને ખાસ અહીં મુલાકાતે લઇ જવામાં આવે છે ત્યારે સુરત એરપોર્ટએ આવી ઐતિહાસિક ધરોહરને મૂતરડીમાં સ્થાન આપીને સુરતને નામોષી મળે તેવું પરાક્રમ કર્યું છે.

July 8, 2019
hd-kumaraswamy.jpg
1min5470

kumaraswamy

કર્ણાટકમાં રાજકીય સંકટ થતાં સીએમ કુમારસ્વામી અમેરિકાથી તાત્કાલિક દોડી આવ્યા હતા

કર્ણાટકમાં અગાઉ કોંગ્રેસના 21 મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા બાદ આજે તા.8મી જુલાઇ 2019ના રોજ જેડીએસના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતા કર્ણાટકમાં રાજકીય સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે.

કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ રાજકીય સંકટ શરુ થયું હતું. જેના કારણે અમેરિકાના પ્રવાસે રહેલા કુમારસ્વામીએ તાત્કાલિક પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની માગ છે કે કુમારસ્વામી તેમને વિશ્વાસમાં લીધા વિના જ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે, અને તેમને હટાવી પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને ફરી સીએમ પદ સોંપવામાં આવે.

કોંગ્રેસના સિનિયર નેતાઓ તા.8મી જુલાઇના રોજ સાંજે સાત વાગ્યે દિલ્હીમાં કર્ણાટકની સ્થિતિ અંગે બેઠક કરી હતી પરંતુ, તે પરીણામ વિહોણી બની રહી હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટકના સીએમે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે જલ્દીથી કેબિનેટનું રિશફલ કરવામાં આવશે.

 

July 8, 2019
sensex_down.jpg
1min12960

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇન્ડેસીસ સેન્સેક્સમાં આજે 800 પોઇન્ટનો તોતિંગ ઘટાડો થતા શેરબજારમાં કામ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. એમા પણ છેલ્લા બે સેશનમાં જ રોકાણકારોની ₹5 લાખ કરોડની સંપત્તિનું જંગી ધોવાણ થઈ ગયો હોવાથી હવે શેરબજારની આ ચાલ અનેક લોકો માટે મરણતોલ ફટકા સમાન નિવડે એમ મનાય છે.

મુંબઈ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,476.38 અને નીચામાં 38,605.48 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 792.82 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 38,720.57 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,771.90અને નીચામાં 11,523.30 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 252.55 પોઈન્ટ્સ અથવા 2.14 ટકાના ધોવાણ સાથે 11558.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.99 ટકા અને 2.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે કેપિટલ ગૂડ્ઝ, રિયલટી, પાવર, ઓટો, બેન્ક તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.