CIA ALERT
29. April 2024
July 8, 20191min2970

Related Articles



Karnataka Crisis : JDSના તમામ મંત્રીના રાજીનામાં

Share On :
Print Friendly, PDF & Email

kumaraswamy

કર્ણાટકમાં રાજકીય સંકટ થતાં સીએમ કુમારસ્વામી અમેરિકાથી તાત્કાલિક દોડી આવ્યા હતા

કર્ણાટકમાં અગાઉ કોંગ્રેસના 21 મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા બાદ આજે તા.8મી જુલાઇ 2019ના રોજ જેડીએસના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતા કર્ણાટકમાં રાજકીય સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે.

કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ રાજકીય સંકટ શરુ થયું હતું. જેના કારણે અમેરિકાના પ્રવાસે રહેલા કુમારસ્વામીએ તાત્કાલિક પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની માગ છે કે કુમારસ્વામી તેમને વિશ્વાસમાં લીધા વિના જ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે, અને તેમને હટાવી પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને ફરી સીએમ પદ સોંપવામાં આવે.

કોંગ્રેસના સિનિયર નેતાઓ તા.8મી જુલાઇના રોજ સાંજે સાત વાગ્યે દિલ્હીમાં કર્ણાટકની સ્થિતિ અંગે બેઠક કરી હતી પરંતુ, તે પરીણામ વિહોણી બની રહી હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટકના સીએમે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે જલ્દીથી કેબિનેટનું રિશફલ કરવામાં આવશે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :