CIA ALERT

Slider Archives - Page 305 of 487 - CIA Live

September 18, 2019
maha_election.jpg
1min4880

રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની માહિતી આપવા માટે કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવાર, ૧૮મી સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ બોલાવી છે. તેમ છતાં બુધવારે ચૂંટણીની જાહેરાત કરાશે નહીં.

અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યવાળી ટીમ ચૂંટણીની તૈયારી ચકાસવા માટે મંગળવારે રાજ્યમાં આવ્યા છે. ચૂંટણી પહેલા આ ટીમ બે દિવસ રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર પોલીસ, રેલવે, ઇન્કમ ટેક્સ વિભાગ, એક્સાઇસ વિભાગ તથા અન્ય અધિકારીઓની મુલાકાત લેશે. તેમજ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ બેઠક યોજશે. ‘ત્રણ સભ્યવાળી ટીમ બે દિવસ તપાસ કરીને બેઠક યોજશે. ત્યાર બાદ ૧૯મી સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બે તબક્કામાં યોજાઇ શકે છે જ્યારે ઝારખંડમાં અનોખુ પેટર્ન જ હશે. ૨૦૧૪માં અહીં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી’, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર સહિત હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તૈયારી માટે ૩૫ દિવસનો સમય જોઇતો હોય છે. દિવાળીની રજા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ અને આ વખતે દિવાળી ૨૭મી ઓક્ટોબરે છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકાર પાસે વધારાના પોલીસ વ્યવસ્થાની માગણી કરી છે.

September 17, 2019
kalash.jpeg
1min7250

જયેશ બ્રહ્મભટ્ટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગીફ્ટમાં મળેલી ભેંટ સોગાદોની ચાલી રહેલી ઇલેક્ટ્રોનિક ઓનલાઇન હરાજીમાં આજે તેમને ભેંટમાં મળેલો ચાંદીનો કળશ અને તેના પર નાળીયેર, આ આખા સેટના એક વ્યક્તિએ કુલ રૂ.1 કરોડ ચૂકવ્યા છે. હરાજી કરનારાઓએ ચાંદીના આ કળશ અને નાળિયેરના સેટની બેઝ પ્રાઇઝ રૂ.18,000 રાખી હતી. જેના બદલામાં કલ્પના બહાર રૂ.1 કરોડની બોલી લાગી છે.

વડાપ્રધાનને મળેલી ગીફ્ટની હરાજી: 500નું ફોટો સ્ટેન્ડ 1 કરોડમાં વેચાયું

પ્રસ્તુત તસ્વીરમાં જમણી બાજુએ દ્રશ્યમાન ચાંદીનો કળશ અને તેના પર નાળીયેરનો સેટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અગાઉની મુલાકાત દરમિયાન ગીફ્ટ કર્યો હતો. આ કળશની જાહેર હરાજીમાં બેઝ પ્રાઇઝ રૂ.18 હજાર નક્કી કરવામાં આવી હતી. જેના પ્રતિસાદમાં એક ખરીદનારે આ કળશ માટે રૂ.1 કરોડની બોલી લગાવી છે.

વડાપ્રધાન શ્રી મોદી પહેલેથી જ ઘોષણા કરી ચૂક્યા છે કે તેમને મળેલી ભેંટ સોગાદોની હરાજીમાંથી ઉપજનારી તમામ રકમ, પાઇએ પાઇ નમામી ગંગે પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે.

જે ચાંદીના કળશના રૂ.1 કરોડ ઉપજ્યા છે એ કળશ વડાપ્રધાન શ્રી મોદીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ગીફ્ટ કર્યો હતો.

500 રૂ.ના ફોટો સ્ટેન્ડના 1 કરોડ ઉપજ્યા

છેલ્લા છ મહિના દરમિયાન વડાપ્રધાન શ્રી મોદીને ગીફ્ટ મળેલી ચીજવસ્તુઓની હરાજીમાં જંગી રકમ એક ફોટો સ્ટેન્ડને પણ મળી છે. રૂ.500ની બેઝ પ્રાઇઝ ધરાવતા ગુજરાતી ભાષામાં વડાપ્રધાન શ્રી મોદીના એક સંદેશો લખાયેલા ફોટો સ્ટેન્ડના એક કદરદાને રૂ.1 કરોડ ચૂકવ્યા હોવાનું જાણવા મળે છે.

September 17, 2019
sensex_down.jpg
1min10740

સાઉદી અરેબિયામાં સર્જાયેલી પેટ્રોલિયમ કટોકટીની વિપરીત અસર ભારતના શેરબજારો પર પડી છે. છેલ્લા બે દિવસથી ભારતના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. આજે તા.17મી સપ્ટેમ્બર 2019ની બપોરે અઢી વાગ્યે ભારતનો મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સમાં 660 પોઇન્ટનો કડાકો બોલી જતા શેરમાં રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

ગઈકાલે તા.16મી સપ્ટેમ્બર 2019ના રોજ 200 પોઈન્ટ્સ જેટલા ઘટાડા બાદ આજે પણ સેન્સેક્સમાં ધોવાણ ચાલુ રહ્યું છે.

સૌથી વધુ ઘટનારા શેરોમાં આજે હીરોમોટોકોર્પ ટોચ પર રહ્યો છે. આ શેર બપોરે બે વાગ્યે 4.30 ટકાના ઘટાડા સાથે 2621ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. એચડીએફસી ટ્વીન્સમાં પણ આજે કડાકો બોલાયો છે. એચડીએફસી બેંક આજે દોઢ ટકા અને એચડીએફસી અઢી ટકા જેટલા ધોવાયા છે. આ ઉપરાંત, એક્સિસમાં ચાર ટકા, આઈસીઆઈસીઆઈમાં 2 ટકા, ઈન્ડસિન્ડ બેંકમાં 2.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ રહેલા ઓટો શેર પણ ક્રુડના ભાવ વધવાની ભીતિથી પડતાં પર પાટું પડ્યું હોય તેમ આજે તૂટ્યા તા. મારુતિના શેરમાં આજે ત્રણેક ટકાનો, બજાજ ઓટોમાં 1.90 ટકા, ટાટા મોટર્સમાં 1.94 ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. અશોક લેલેન્ડ પણ આજે સવા બે ટકાના ઘટાડા સાથે 61 રુપિયાનું સ્તર સાચવવા મથી રહેલો જોવા મળ્યો હતો.

September 17, 2019
ibps.jpg
2min91530

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 17, 2019
plane_crash.jpg
1min8650
ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ કરેલું ટ્વીટ
Unmanned Aerial Vehicle (UAV) being developed by DRDO on experimental flight trial in new configuration has crash landed in fields near ATR Chitradurga. Data is being analysed.

ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્થા ડી.આર.ડી.ઓ. (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમપેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત એક Rustam Drone એરીયલ વ્હીકલ જેને દેશીભાષામાં પ્લેન કહી શકાય, એ આજે ટ્રાયલ રન દરમિયાન કર્ણાટકના ચિત્રદુર્ગા નામના બિનરહેઠાણી વિસ્તારમાં ક્રેશ થઇ ગયુ હતું.

ડીઆરડીઓના સત્તાવાર ટ્વીટર પર જણાવાયું છેકે સદનસીબે દુર્ઘટનામાં કોઇની જાનહાની થયાના અહેવાલો નથી. ઘટના અંગે ડીઆરડીઓએ તપાસ કમિટી રચીને તપાસ શરૂ કરાવી દીધી છે.

September 17, 2019
crud.jpg
1min5280

સાઉદી અરેબિયામાં ઓઈલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ખોરવાયેલ ઉત્પાદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભડકેલી તંગદિલી વચ્ચે આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 1991નાં ખાડી યુદ્ધ પછી પહેલીવાર સૌથી મોટો આંતરદિવસીય ઉછાળો નોંધાયો હતો. એશિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 19.પ ટકા ઉછળીને 71.9પ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે આગળ જતાં ભાવ 10 જેટલો વધુ 66.28 ડોલર આસપાસ સ્થિર થયો હતો.

સાઉદીમાં થયેલા હુમલાને પગલે દુનિયાનાં ક્રૂડ ઓઈલનાં કુલ ઉત્પાદનનું પાંચ ટકા જેટલું ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને તેને પગલે ભાવમાં ભડકો થઈ ગયો છે. જે ભારતમાં ક્રૂડનો કાચામાલ તરીકે ઉપયોગ કરતાં ઉડ્ડયનથી માંડીને કલર, ટાયર અને ઓઈલ-ગેસ સહિતનાં ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.

આગામી માસ માટેનાં સોદા 6.06 ડોલર પ્રતિબેરલ ઊંચા એટલે કે 66.28 ડોલરનાં ભાવે થયા હતાં. અમેરિકાનાં વાયદાનાં સોદા પણ 1પ.પ ટકા ઊંચા 63.34 ડોલર પ્રતિબેરલનાં ભાવે પડયા હતાં.

સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ઉપર હુમલા બાદ ઉત્પાદનમાં પ.7 મિલિયન બેરલ પ્રતિબેરલ ઘટાડો થઈ ગયો છે. કંપની દ્વારા હજી સુધી પૂર્ણક્ષમતાએ ઓઈલ ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકશે તેની કોઈ સમયમર્યાદા પણ આપી નથી. આમાં હજી થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ કેવો વળાંક લેશે તેનાં ઉપર પણ દુનિયાની નજર રહેશે. આની પણ સીધી અસર ઓઈલનાં ભાવ ઉપર પડવાની છે.

September 17, 2019
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min4970

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૨૧.૬૩ ટકા વરસ્યો છે. પરિણામે રાજ્યના ૨૦૪ જળાશયોમાંથી ૮૭ જળાશયો છલકાયા છે. સોમવારે સવાર સુધીમાં ૭૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે, જ્યારે ૧૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવરમાં હાલમાં ૩,૩૩,૨૮૩.૯૦ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૯.૭૬ ટકા છે. સત્તાવાર રીતે જાણવા મળ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૫,૭૯,૮૪૭ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે ૪,૬૮,૯૭૨ ક્યુસેક પાણીની જાવક છે.

વણાકબોરી જળાશયમાં ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં ૧,૫૫,૭૦૦ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૩૧,૬૧૨ ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઇ જળાશયમાં ૯૨,૬૧૭ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૨૧,૫૭૨ ક્યુસેક પાણીની જાવક છે અને દમણગંગા જળાશયમાં ૧૩,૩૪૯ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૬,૨૦૧ ક્યુસેક પાણીની જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૬.૮૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૯.૯૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૯૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૪.૩૪ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૮૫.૬૯ ટકા એટલે ૪,૭૭,૦૬૧.૫ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

September 16, 2019
memo.jpg
1min36750

ઉપરોક્ત ટ્રાફિક પોલીસનો મેમો આજે સુરત સમેત ગુજરાતના સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયો હતો. નવા ટ્રાફિકના રૂલ્સનું ગુજરાતમાં આજે પહેલી વખત પાલન કરવાનું શરૂ કરાયું અને સુરતના પોલીસે સહારા દરવાજા ખાતે એક આઇશર ટેમ્પો ચાલકનો રોક્યો હતો. ફિટનેશ સર્ટિફિકેટ વગર ચાલતા આ ટેમ્પોના ચાલકને પોલીસે રૂ.5000નો દંડ નિયમાનુસાર ફટકાર્યો હતો.

પોલીસે જેવો રૂ.5000નો મેમો ફાડ્યો કે તરત જ મેમોનો ફોટો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો. પહેલી મોટી દંડની રકમ રૂ.5000, દંડનું ખાતું ખૂલ્યું વગેરે ટેગ સાથે સુરતના ટ્રાફિક પોલીસનો મેમો વાઇરલ થયા બાદ સુરત પોલીસના ઉચ્ચાધિકારીઓએ સમગ્ર ઘટનામાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને સાંજે એવો નિર્ણય કર્યો હતો કે હકીકતમાં ટેમ્પોના ફિટનેશ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની કામગીરી તેમજ એ સંદર્ભની ક્ષતિઓ અંગે દંડ ઉઘરાવવાની સત્તાઓ આર.ટી.ઓ.ને હસ્તક છે. ટ્રાફિક પોલીસ આ કામગીરી કરી શકે નહીં. સુરત પોલીસે આઇશર ચાલકને કોર્ટ મેમો અગર તો આર.ટી.ઓ. મેમો આપવાનું નક્કી કર્યું છે અને તેની પાસેથી લીધેલી દંડની રકમ પરત કરવામાં આવશે એમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

રૂપિયા પરત કરવા માટે ટેમ્પો ચાલકને પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક ડીસીપી શ્રી સુધીર દેસાઇએ બોલાવ્યો પરંતુ, પહેલા તો ગભરાટના માર્યા ટેમ્પો ચાલક દંડની રકમ લેવા પરત આવતો ન હતો.

September 16, 2019
modi.jpeg
1min7480

નર્મદા ડેમે ૭૦ વર્ષમાં પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે ત્યારે નર્મદાના નીરના વધામણાં કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. તેઓ જન્મદિવસના એક દિવસ પહેલા આવતી કાલે ૧૬ સપ્ટેમ્બરે ગુજરાત આવી ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરી ૧૭મીએ જન્મ દિવસે સવારે સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચી નર્મદાના નવા નીરના વધામણાં કરશે.

ફાઇલ ફોટો, મોદી ગુજરાતમાં આવ્યા હતા એ વેળાનો

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મ દિવસે આ ઐતિહાસિક ઘટના નમામી દેવી નર્મદેની ઉજવણી કરશે. આ ઐતિહાસિક ક્ષણે પીએમ મોદી નર્મદાના નીરના વધામણાં કરશે. કેવડિયા સહિતનો વિસ્તારમાં એસપીજી તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા પહોંચશે ત્યાર બાદ હેલિકૉપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે અને બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.

વડા પ્રધાનના આગમનના પગલે રેન્જ આઈજીએ લેખિત ઓર્ડર કરી છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ એમ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી. તેમ જ બીજા કર્મચારીઓની રજા કેન્સલ કરી તેમને પરત બોલાવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપ સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસન સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. જો કે છેલ્લાં બે વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે.

September 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18710

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તમામ પોલીસ મથકની બહાર પોલીસ જવાનોની બાઇક, મોપેડ પર હેલ્મેટ જોવા મળતી હતી, માર્ગો પર હેલ્મેટધારી પોલીસો જોવા મળ્યા, નિયમોનું પાલન પોલીસે સ્વયંથી શરૂ કર્યું

આજે તા.16મી સપ્ટેમ્બર 2019થી ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમો ખાસ કરીને દંડનાત્મક જોગવાઇઓમાં વધારાનો અમલ શરૂ કરાયો છે. સામાન્ય લોકોમાં ટ્રાફિકના નવા નિયમોથી એટલી હલચલ મચી ગઇ છે કે લોકો પીયુસી કઢાવવા અને હેલ્મેટ ખરીદવા માટે કતારો લગાડી રહ્યા છે. કારચાલકો સીટબેલ્ટ બાંધીને નીકળ્યા છે.

ટ્રાફિકના નવા રૂલ્સનો અમલ શરૂ થાય એ પૂર્વે અઠવા પોલીસ મથકના જવાનોએ પોતાની હેલ્મેટ સાથે નિયમ પાલન કવરા અંગેન કટિબદ્ધતા વ્યક્ત કરી એ વેળા લેવાયેલી તસ્વીર, સુરતના પોલીસ જવાનોએ લોકોમાં દાખલો બેસાડ્યો

ખાસ કરીને સામાન્ય લોકોમાં ટ્રાફિકના નવા નિયમો અંગે એટલી દાઝ છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં હેલ્મેટ નહીં પહેરતા કે સીટ બેલ્ટ બાંધ્યા વગર પોલીસ જીપ કે ખાનગી વાહનોમાં ફરતા પોલીસ જવાનો કે પોલીસ અધિકારીઓને વિડીયો ઉતારી, ફોટા ક્લીક કરીને લોકોએ સોશ્યલ મિડીયામાં પોલીસ સામે જ ભારે દેકારો મચાવી દીધો છે.

સુરત શહેર પોલીસને સલામ છે કે આજે ટ્રાફિકના નવા નિયમોના પાલનના પહેલા જ દિવસો સ્થાનિક પોલીસ જવાનોએ જડબેસલાક રીતે ટુ વ્હીલ વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને લોકોમાં દાખલો બેસાડ્યો છે. ઘણાં લોકો એવી પણ ફિરાકમાં હતા કે હેલ્મેટ પહેર્યા વગર કે સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળતા પોલીસ જવાનોના વિડીયો ઉતારીને કે ફોટો ઉતારીને તેમની જ સામે સોશ્યલ મિડીયામાં ઝુંબેશ ચલાવવામાં આવે.

પરંતુ, સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલએ ગઇકાલ તા.15મી સપ્ટેમ્બર 2019ના રોજ પોલીસ જવાનોને ખાસ અપીલ અને તાકીદ બન્ને કરી હતી કે પોલીસ જવાનોએ પોતાનાથી જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે, લોકો પોલીસને પહેલા આગળ ધરતા હોય છે. ઇન્ચાર્જ સી.પી.ની આ અપીલ કહો કે તાકીદ જબરદસ્ત રીતે કારગત નિવડી છે અને 99 ટકાથી વધુ પોલીસ જવાનો કે જેઓ ટુ વ્હીલ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે આજે હેલ્મેટ પહેરીને લોકોને દાખલો બેસાડ્યો છે.

આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ માટે આવતા પોલીસ જવાનોની બાઇક જુઓ કે પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરાયેલા ટુ વ્હીલ વાહનો જુઓ તમામ પર હેલ્મેટ હતી. શહેરના માર્ગો પર ફરતા પોલીસ જવાનોને જોયા ત્યારે પણ અનુભૂતિ થઇ કે સુરતના પોલીસ જવાનોએ સ્વયંથી જ ટ્રાફિકના નવા નિયમોના પાલનની શરૂઆત કરીને પોતાની ટીકાનો એકેય મોકો આપ્યો નહીં.