CIA ALERT

Slider Archives - Page 292 of 487 - CIA Live

October 25, 2019
hariyana_election.jpg
1min5220

હરિયાણામાં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ હતી ત્યારે ભાજપને મળેલા મતની ટકાવારી ૫૮ ટકા હતી. વિધાનસભાની ચૂંટણીમાં તે ૨૨ ટકા ઘટી છે. લોકસભામાં ભાજપે તમામ ૧૦ બેઠક જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી નથી. મનોહરલાલ ખટ્ટર સરકારના અનેક પ્રધાનો હારી ગયા છે. “અબકી બાર ૭૫ પાર નારો ભાજપે જાહેર કર્યો હતો, પરંતુ ૪૫ બેઠક પાર કરી શકી નથી. ભાજપની મતની ટકાવારી ઘટીને ૩૬.૩ ટકા રહી છે.

કૉંગ્રેસની મત ટકાવારી લોકસભા ચૂંટણીમાં હતી જ એટલી રહી છે જોકે બેઠકની દૃષ્ટિએ દેખાવ સુધર્યો છે. લોકસભામાં કૉંગ્રેસની મત ટકાવારી ૨૮.૪૨ ટકા હતી. વિધાનસભામાં ૨૮ ટકા આસપાસ જળવાઈ રહી છે.

October 25, 2019
bjp_vs_congress.jpg
1min4730

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગ્ાૃહ પ્રધાન અમિત શાહના ગ્ાૃહ રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસે પોતાની બે બેઠકો યથાવત રાખીને ભાજપ પાસેથી એક બેઠક આંચકી લીધી હતી. છ બેઠકમાંથી ભાજપનો ત્રણ અને કૉંગ્રેસનો ત્રણ બેઠકો પર વિજય થયો હતો. સૌથી મોટો સેટબેક રાધનપુર બેઠક પર સર્જાયો હતો. અહીં કૉંગ્રેસમાંથી ધારાસભ્યપદે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાઇને ફરીથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય થયો હતો તેમજ તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાનો પણ બાયડ બેઠક પરથી પરાજય થયો હતો.

ગુજરાતની છ બેઠકોમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર કૉંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર સામે ૨૯ હજાર જેટલા મતથી જીત્યા હતા જ્યારે થરાદ બેઠક પર કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને છ હજારથી વધુ મતની સરસાઇથી હરાવ્યા હતા. અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર કૉંગ્રેસના જશુભાઈ પટેલ તેમના હરીફ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે ૭૪૩ મતની નજીવી સરસાઇથી જીત્યા હતા. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ કૉંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ સામે ૫૬૦૧ મતથી જીત્યા હતા. તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિગેશ સેવકે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને ૧૨ હજારથી વધારે મતની સરસાઇથી હરાવ્યા હતા. પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર કૉંગ્રેસના રઘુ દેસાઇએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ૩૮૦૭ મતની સરસાઇથી હરાવ્યા હતા.

છ બેઠકોમાંથી લુણાવાડા બેઠક પર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયેલા અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઇ ગયા હતા. આ બેઠક ઉપરાંત અમરાઇવાડી અને ખેરાલુ એમ ત્રણ બેઠકો જાળવી રાખી હતી જ્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક કૉંગ્રેસે આંચકી લીધી હતી. જ્યારે કૉંગ્રેસે બાયડ અને રાધનપુર એમ બન્ને બેઠકો જાળવી રાખી હતી.

અત્રે ગુજરાતની ૬ બેઠક ઉપર સરેરાશ ૫૩.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર ૩૪.૬૯ ટકા જ્યારે ખેરાલુમાં ૪૬.૧૯ ટકા મતદાન થયું હતું. થરાદમાં ૬૮.૯૩ ટકા, રાધનપુરમાં ૬૨.૯૧ ટકા, બાયડમાં ૬૧.૦૫ ટકા અને લુણાવાડામાં ૫૧.૨૪ ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં સરેરાશ ૫૬.૭૬ ટકા પુરુષ તેમજ ૫૦.૦૩ ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

October 24, 2019
fmcg-1280x720.jpg
1min5300

રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.

કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.

ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.

October 24, 2019
petrol-diesel-1.jpg
1min12710

દેશમાં વર્તમાન સમયમાં અંદાજીત 65000 પેટ્રોલ પંપ છે. જેમાં મોટાભાગના પંપની માલિકી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે છે. બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને રોયલ ડચ શેલ પણ છે પણ તેની ઉપસ્થિતિ સીમિત છે.

સરકારે ઈંઘણના છૂટક કારોબારને બિનપેટ્રોલિયમ કંપનીઓ માટે ખુલો મુક્યો છે. હવે એવી કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલી શકશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના નિર્ણયથી ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે.

કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઈંઘણના છૂટક કારોબારને પેટ્રોલિયમ કારોબારને પેટ્રોલિયમ ક્ષેત્રથી બહારની કંપનીઓ માટે ખોલવાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. વર્તમાન સમયમાં ઈંઘણના છૂટક કારોબારનો પરવાનો મેળવવા માટે કોઈ કંપનીને હાઈડ્રોકાર્બનની ખોજ, ઉત્પાદન, રિફાઈનિંગ કે પાઈપલાઈન ક્ષેત્રમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.

જાવડેકરે કહ્યું હતું કે, આર્થિક મામલાની સમિતિએ વાહન ઈંઘણના વેપારનો અધિકાર આપવા સંબંધીત દિશાનિર્દેશોની સમીક્ષાને મંજૂરી આપી છે. એવી કંપનીઓ કે જેનો કારોબાર 250 કરોડ રૂપિયા છે તે ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં ઉતરી શકશે. આ માટે ઓછામાં ઓછા પાંચ પેટ્રોલપંપ ગ્રામ્ય વિસ્તારમાં ખોલવાની શરત રહેશે.

October 24, 2019
amit_shah1.jpg
1min4970

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૨૫ અને તા.૨૬ ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ ધનતેરસ ઉજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાના આશયે શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શીશ ઝૂકાવશે ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની એક કૉલેજમાં દિવ્યાંગોને કિટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. બાદમાં કલોલ એપીએમપીના નવા બનેલા કૉન્ફરન્સ હૉલનું લોકાપર્ણ કરશે સાથે નવ નિર્માણ પામનાર એપીએમપી ભવનનું ખાતમુહૂર્ત કરશે. ૨૬મીના શનિવારે અંજલી ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોર્ટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વૉર્ડ ઑફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

October 23, 2019
cm_dinesh_Navadia_CIALIVE1-1280x960.jpg
2min7680

Meeting in the Plane : રત્નકલાકારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ મળવાના સંકેતો 

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉદ્યોગપતિઓનું ડેલિગેશન ઉઝબેકિસ્તાન ગયું હતું. આ ડેલિગેશનમાં સૂરતના ઉદ્યોગપતિઓ સર્વશ્રી દિનેશ નાવડીયા, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી હર્ષ સંઘવી, કાર્પ ઇમ્પેક્સના શ્રી અનિલભાઇ વિરાણી જોડાયા હતા.

ઉડતાં પ્લેનમાં મુખ્યમંત્રી રૂપાણીઅને GJEPC-SGCCIના દિનેશ નાવડીયાએ સૂરતના ઉદ્યોગોના કેટલાક મહત્વના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી – C.I.A. Live news

SGCCI ને સરસાણા ખાતે મળવાની બાકી 10 હજાર ચો.મી. જમીન છુટી ટૂંકમાં છુટી થશે, GJEPC એવોર્ડ ફંકશનનું આમંત્રણ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું

સૂરતના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા કે જેઓ હાલ બે મહત્વના પદો, SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ અને GJEPCના રિજિયોનલ ચેરમેન હોઇ આ બન્ને સેક્ટરના કેટલાક પડતર પ્રશ્નો અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને અમદાવાદ પરત ફરતી વખતે પ્લેનની મુસાફરી દરમિયાન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં રાજ્ય સરકારના સચિવ શ્રી એમ.કે. દાસ પણ ઉપસ્થિત હતા.

ઉડતાં પ્લેનમાં મુખ્યમંત્રી રૂપાણીઅને GJEPC-SGCCIના દિનેશ નાવડીયાએ સૂરતના ઉદ્યોગોના કેટલાક મહત્વના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી – C.I.A. Live news

લાખો રત્નકલાકારોને પ્રોફેશનલ ટેક્સના બોજમાંથી મુક્તિ મળવાના સંકેતો

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું કે સૂરતના હીરા ઉદ્યોગને સ્પર્શતો મહત્વનો અને પેન્ડિંગ પ્રશ્ન એ હતો કે રત્નકલાકારોની આવક પર પ્રોફેશનલ ટેક્સ રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો. આ ટેક્સનો બોજ દૂર કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દિનેશ નાવડીયાએ ભારપૂર્વક આ ટેક્સમાંથી હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારોના હિતમાં મુક્તિ આપવાની રજૂઆત કરી હતી. તેમની રજૂઆતો સાંભળ્યા બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણી અને શ્રી દાસએ આ કાર્ય થઇ શકે તેમ હોઇ, ટૂંક સમયમાં અધિકારીઓ સાથે મિટીંગ યોજીને આ મુદ્દે સકારાત્મક નિવેડો લાવવાની કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી.

ચેમ્બર માટે સંપાદિત સરસાણાની જમીનનો કબજો મળશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કન્વેન્શન સેન્ટર સાથે 10 હજાર વાર જેટલી જગ્યાનો કબજો લેવાનો હજુ બાકી છે. એક યા બીજા કારણોસર અને કેટલીક ટેકનિકલ ગૂંચને પગલે ચેમ્બર ઓફ કોમર્સને જમીનનો કબજો મળી શકતો ન હતો. ઉઝબેકિસ્તાનથી પરત ફરતી વખતે દિનેશ નાવડીયાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને આ પેન્ડિંગ પ્રશ્નનો હલ તાત્કાલિક લાવી આપવા રજૂઆત કરી હતી. જેના સંદર્ભમાં પણ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ તેમને ટૂંક સમયમાં આ મુદ્દે સકારાત્મકતાથી કામ લઇને ચેમ્બરની તરફેણમાં જમીનનો પ્રશ્ન હલ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.

GJEPC ના એવોર્ડ ફંકશનમાં આવવાનું આમંત્રણ મુખ્યમંત્રી રૂપાણીએ સ્વીકાર્યુ

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GJEPC દ્વારા હીરા ઉદ્યોગો દ્વારા જુદા જુદા એરીયા, સેક્ટર, વિભાગો, ક્રાઇટેરીયા વગેરેમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ હીરા ઉદ્યોગપતિઓનું જાહેર અભિવાદન કરવા માટે એવોર્ડ ફંકશન યોજવામાં આવે છે. આ એવોર્ડ ફંકશનમાં ઉપસ્થિત રહેવા અંગે GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ મુખ્યમંત્રી શ્રી રૂપાણીને નિમંત્રિત કર્યા હતા. શ્રી રૂપાણીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હોવાનું દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.

October 23, 2019
CIA_Live_Logo_New2.jpg
5min8460

સૂરતીઓ માટે મૈત્રેય હોસ્પિટલ એટલે બ્રાન્ડ ન્યુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

Jayesh Brahmbhatt 98253 44944

સૂરત શહેર ધંધાકીય દ્રષ્ટીએ જે પ્રકારની પ્રગતિ કરી રહ્યું છે એ પ્રકારની પ્રગતિ મેડીકલ ટ્રીટમેન્ટ ક્ષેત્રમાં પણ થઇ રહી છે. અગાઉના વર્ષોમાં કેટલીક ક્રિટીકલ ટ્રીટમેન્ટ તેમજ ઓપરેશન્સ માટે મુંબઇ જવું પડતું પરંતુ, હવે સૂરત શહેર પોતે જ મેડીકલ ફિલ્ડમાં પગભર થઇ રહ્યું છે અને બહારગામથી લોકો મેડીકલ ટ્રીટમેન્ટ માટે સૂરત આવી રહ્યા છે તેવી માળખાગત સુવિધાઓ સૂરતમાં ઉભી થઇ છે.

મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ચાલુ માસે સૂરતના ઉધના મગદલ્લા રોડ પર સોમેશ્વરા બીઆરટીએસ નજીક, હાર્લે ડેવિડસન બાઇક શો રુમની સામે શરૂ થયેલી મૈત્રૈય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સૂરત જ નહીં બલ્કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના લોકો માટે મહત્વની ફેસેલિટી બનશે. કેમકે મૈત્રેય હોસ્પિટલની એક છતની નીચે સૂરતના મોટા ભાગના ખ્યાતનામ તબીબોની સેવા ઉપલબ્ધ બનશે.

મેડીકલ પ્રોફેશનમાં હાલ એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એ ટ્રેન્ડ એવો છે કે જેમાં જુદી ફિલ્ડ, જુદી જુદી સ્પેશ્યાલિટી ધરાવતા તબીબો ભેગા મળીને એક મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરે અને તેનો લાભ સૂરતના લોકોને બખૂબી મળે. એક તબીબ કે થોડા તબીબોના એક જૂથથી આગળ વધીને મૈત્રેય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી હોસ્પિટલ બની છે કે જ્યાં હાર્ટથી લઇને પ્લાસ્ટિક સર્જરી સુધી, એનેસ્થેટિસ્ટથી લઇને ક્રિટિકલ કેર, ડેન્ટીસ્ટથી લઇને યુરોલોજી, હિમેટોલોજીથી લઇને ઓન્કો સર્જરી, મેડીકલ ક્ષેત્રમાં જરૂરી જણાય એવા તમામ એક્સપર્ટસ તબીબોની સેવા અહીં મળશે. એવા અનેક ફેમિલી ફિજિશ્યન્સ તેમજ નિષ્ણાંત તબીબો મૈત્રેય હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરશે અને જરૂર પડશે ત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે તેમના દર્દીઓ માટે ઘનિષ્ઠ સારવારની સુવિધા પણ મેળવી શકશે.

કઇ-કઇ સુવિધાઓ મળશે મૈત્રેય હોસ્પિટલમાં?

  • 70 બેડની હોસ્પિટલ
  • 20 બેડના લેવલ-3 ફુલ્લી ઇક્વિપ્ડ આઇ.સી.યુ., આઇ.સી.સી.યુ.
  • 24 કલાક એડવાન્સ્ડ ક્રિટીકલ કેર, કાર્ડિયોવાક્યુલર કેર
  • સ્ટેટ ઓફ ધ આર્ટ કાર્ડિઆક કેથ લેબ
  • કોરોનરી ઇમેજિંગ એન્ડ ફિજિયોલોજી
  • કોરોનરી એન્ડ એન્ડોવાસક્યુલર ઇન્ટરવેનશન્સ
  • એડલ્ટ એન્ડ પીડીયાટ્રીક સ્ટ્રક્ચરલ હાર્ટ ઇન્ટરવેન્સન્સ
  • એડવાન્સ્ડ ટ્રોમા એન્ડ ન્યુરો ક્રિટિકલ કેર
  • જોઇન્ટ રિપ્લેશમેન્ટ, ઓર્થોસ્કોપી, સ્પોર્ટસ મેડિસીન
  • બેઝિક ટુ એડવાન્સ્ડ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી
  • ગાયનેકોલોજી એન્ડ હાઇ રિસ્ક ઓબ્સ્ટેટ્રીક્સ
  • એડવાન્સ્ડ યુરો સર્જરી
  • મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • હિમેટોલોજી એન્ડ ઓન્કોલોજી
  • નેફ્રો ક્રિટીકલ કેર
  • સ્ટેટ ઓફ ધ આર્ટ ડાયાલિસીસ યુનિટ
  • ફાર્મસી એન્ડ પેથોલોજી સર્વિસ ચોવીસ કલાક
  • સીટી સ્કેન, એક્સ રે ચોવીસ કલાક
  • 2 લેમિનાર મોડ્યુલર સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટર્સ
  • ફુલ્લી ઇક્વિપ્ડ કાર્ડિયાક એબ્યુલન્સ
  • એડવાન્સ્ડ ગે સર્જરી
  • ન્યુરોલોજી એન્ડ ન્યુરો સર્જરી
  • many more are there

મૈત્રૈય ટીમ ફિઝિશ્યન્સ

  • ડો. અભય શાહ
  • ડો. અંકિત મુંદ્રા
  • ડો. ભાવિનકાંત ચૌધરી
  • ડો. દિનેશ શાહ
  • ડો. ગિરીશ પોંખરા
  • ડો. હેમાંશુ પટેલ
  • ડો. જયેશ પટેલ
  • ડો. કિશોર વિરડીયા
  • ડો. ક્રુનાલ જોશી
  • ડો. એમ.એમ. ભટ્ટાચાર્ય
  • ડો. નીતા શાહ
  • ડો. પરિમલ દેસાઇ
  • ડો. પારુલ આનંદ
  • ડો. પ્રકાશ ક્યાદા
  • ડો. સમીર ચૌધરી
  • ડો. સંદીપ પટેલ
  • ડો. વિજય લુખી
  • ડો. વિપુલ પટેલ (ભીંગરાડીયા)
  • ડો. યતીશ લાપસીવાલા
  • એનેસ્થેશિયોલોજી

ડો. આલોક રંજન (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

ડો.પ્રણવ ઠાકર (ડાયરેક્ટ, ક્લિનિકલ એક્સેલન્સ)

ડો. સુચય પરીખ ( ફિઝિશ્યન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ)

ડો. નરેન્દ્ર તંવર ( ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

શ્રી પરિમલ મોદી ( બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર)

શ્રી વિમલ પટેલ (ચીફ ઓપરેટિંગ ઓફિસર)

  • એનેસ્થેશિયોલોજી
  • ડો. રાજેશ શાહ અને ડો. પૂજા રાજન
  • ક્રિટિકલ કેર મેડિસીન
  • ડો. રાજેશ પ્રજાપતિ અને ડો. રોનક નાગોરીયા
  • ડેન્ટીસ્ટ્રી – ડો. ઉમંગ દેસાઇ
  • ગેસ્ટ્રોએન્ટ્રોલોજી – ડો.સૌરભ અગરવાલ
  • જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી
  • ડો. નરેશ અરોરા, ડો. હિતેશ અરોરા અને ડો. પ્રિતેશ ગાંધી
  • ગાઇનેકોલોજી એન્ડ હાઇ રિસ્ક ઓબ્સ્ટ્રેટ્રીક્સ
  • ડો. કોમલ પરીખ, ડો. કલ્પના ચૌધરી અને ડો.ટીમ શારડા હોસ્પિટલ
  • નેફ્રોલોજી – ડો. સિદ્ધાર્થ જૈન
  • ન્યુરોલોજી – ડો. પાર્થિવ દેસાઇ
  • ન્યુરો સર્જરી – ડો. કિરીટ શાહ
  • નોનઇન્વેસિવ કાર્ડિયોલોજી – ડો. વિભા તંવર
  • ઓન્કોલોજી એન્ડ હિમેટોલોજી
  • ડો. અંકિત પટેલ અને ડો. તન્વીર મકસુદ
  • ઓન્કોસર્જરી – ડો. નિકુંજ વિઠલાણી
  • ઓર્થોપેડિક્સ એન્ડ જોઇન્ટ રિપ્લેશમેન્ટ
  • ડો. હર્ષદ જોશી, ડો. નિરલ શાહ અને ડો. દેવ પડીયા
  • પેથોલોજી
  • ડો. અમિતા પટેલ અને ડો.ભક્તિ શાહ
  • ફિઝિયોથેરાપી – ડો. મિતલ વશી
  • પ્લાસ્ટિક સર્જરી એન્ડ કોસ્મેટોલોજી – ડો. આશુતોષ શાહ
  • રેડીયોલોજી – ડો. નિખિલ શાહ
  • સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • ડો. દર્શન પટેલ અને ડો. જય ચોક્સી
  • યુરોલોજી ડો. કૌશિક શાહ
October 23, 2019
Sourav-Ganguly.jpg
1min4840

ભારતનો એક સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની બુધવારે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં ૩૯મા પ્રમુખ તરીકે હોદ્દો સ્વીકારશે અને તે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સી. ઓ. એ. (કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ)ની કારોબારી મુદતનો અંત આવશે.

ક્રિકેટ બૉર્ડના પ્રમુખ તરીકે ગાંગુલીની એકમાત્ર ઉમેદવારી છે અને ગૃહ ખાતાના કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો પુત્ર જય સચિવ બનશે.

ઉત્તારાખંડના મહિમ વર્મા નવા ઉપ-પ્રમુખ હશે તથા ખજાનચીપદે અરુણ ધુમાલ અને સહ મંત્રી તરીકે કેરળના જયેશ જ્યોર્જ હોદ્દો સંભાળશે. પણ, ગાંગુલીએ નવા બંધારણ મુજબ આવતા વર્ષે જુલાઈના અંત સુધીમાં પોતાનો હોદ્દો છોડી દેવાનો હોવાથી તે ફક્ત નવ મહિના સુધી પ્રમુખ રહેશે. નવા બંધારણ પ્રમાણે સત્તાધીશ તરીકે છ વર્ષ રહ્યા પછી દરેક વ્યક્તિએ હોદ્દો છોડી દેવાનો રહે છે અને તે ત્રણ વર્ષના કૂલિંગ-ઑફ પિરિયડ બાદ ફરી કોઈ હોદ્દે આવી શકે છે.

ગાંગુલી ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (સી. એ. બી.)ના સચિવ અને ત્યાર પછી, પ્રમુખપદે પણ રહ્યો છે.

October 23, 2019
qs.jpg
1min4330

આઇઆઇટી-બૉમ્બેને ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ક્યુએસ (ક્વેક્વેરેલ સાયમન્ડસ) ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગની ૨૦૨૦ની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી, તેમાં આઇઆઇટી બૉમ્બે પહેલા ક્રમાંકે, આઇઆઇએસસી (ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) બૅંગ્લોરબીજા અને આઇઆઇટી દિલ્હી ત્રીજા, આઇઆઇટી મદ્રાસ ચોથા, આઇઆઇટી ખડગપુર પાંચમા અને આઇઆઇટી કાનપુર છઠ્ઠા સ્થાને હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિદ્યાર્થીઓને અપાતા રોજગારની દૃષ્ટિએ પણ આઇઆઇટી બૉમ્બેએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્થાઓ માટે ક્યુએસ રૅન્કિંગની બીજી આવૃત્તિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

October 23, 2019
MSME-SSI-1280x782.jpg
1min6710

માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસની (એમએસએમઈ) વ્યાખ્યામાં સરકાર ટૂંકમાં ફેરફાર કરશે એમ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. પાંચ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં પાંચ કરોડ રોજગારી ઊભી થવાની આશા દર્શાવી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઑગસ્ટમાં કહ્યું હતું કે, એમએસએમઈ એકટમાં સુધારો કરવા સરકાર વિચારશે.

એમએસએમઈની એક જ વ્યાખ્યા કરાશે. કરવેરા, ઈન્વેસ્ટમેન્ટ વિ. બાબતમાં એક જ વ્યાખ્યા રહેશે. તે માટે એમએસએમઈ એકટમાં સુધારો કરાશે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેબિનેટે એમએસએમઈ વર્ગીકરણ માટે પ્લાન – મશીનરીમાં રોકાણથી બદલીને વાર્ષિક ટર્નઓવરનો માપદંડ કરવા કાનૂનમાં સુધારાને મંજૂરી આપી હતી.એમએસએમઈની વ્યાખ્યામાં સૂચિત ફેરફાર ટૂંક સમયમાં અમલી બનાવાશે, એમ ગડકરીએ કહ્યું હતું. એકાદ બેઠક મળ્યા બાદ આ બાબતને અંતિમરૂપ અપાશે. દેશના જીડીપીમાં એમએસએમઈ ૨૯ ટકાનો હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. હવે આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વધુ રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. ખાસ કરીને ટ્રાઈબલ, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોજગારી વધારાશે.

સોલાર વસ્ત્ર સ્કીમ હેઠળ ૧ધ કલસ્ટરને મંજૂરી આપવાની પ્રક્રિયા સરકાર કરી રહી છે. દરેક કલસ્ટર ત્રણથી સાડા ત્રણ હજાર જોબ ઊભા કરવાની સંભાવના ધરાવે છે.ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય પણ સંભાળે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી- મુંબઈ વચ્ચે ૧૨ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાઈવે પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સ્થાપવાની યોજના પણ છે. જે હેન્ડલૂમ – હેન્ડિક્રાફટના માર્કેટિંગ અને ટૂરિઝમમાં મદદરૂપ થશે. ૪૦૦ રેલવે સ્ટેશનો પર કુલ્હડ (માટીના વાસણ)નો ઉપયોગ કરવા ફરજિયાત બનાવાયું છે. હવાઈ મથકે પણ તેનો અમલ કરવાની યોજના છે.