CIA ALERT

Slider Archives - Page 281 of 487 - CIA Live

December 9, 2019
marriage_season.jpg
1min6110

ડિસેમ્બર 16થી કમૂરતા બેસી રહ્યા છે, ડિસેમ્બરનું છેલ્લું શુભ મૂહૂર્ત 12મી નું છે

ગુજરાતમાં ખાસ કરીને દિવાળી બાદ દેવ ઉઠી એકાદશથી ઉતરાયણ સુધીના સમયગાળામાં લગ્નોત્સવની મોસમ દર વર્ષે જામતી હોય છે પણ આ વખતે તો 12મી ડિસેમ્બર 2019નો દિવસ જાણે ગુજરાતમાં મેરેજ ડે તરીકે ઉજવાશે. આગામી ગુુરુવારને તા. ૧૨ ડિસેમ્બરે લગ્નના શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી આ એક જ દિવસમાં એકલા ગુજરાતમાં હજારો નવ યુગલો લગ્નના તાંતણે બંધાશે, કારણે કે લગ્નની પહેલી સીઝનનું આ છેલ્લું મુહૂર્ત માનવામાં આવે છે.

વાડીઓ, પાર્ટી પ્લોટ્સ બુક્ડ, ભોજન સમારોહની ભરમાર, માર્ગો વરઘોડા અને જાનૈયાઓથી ઉભરાશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્નનાં માત્ર છ મુહૂર્ત છે, જેમાંથી ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ લગ્ન ૧૨ ડિસેમ્બરે છે, કારણ કે ત્યાર પછી કોઈ મુહૂર્ત નથી અને ૧૬ ડિસેમ્બરથી કમુરતાં બેસે છે. આ દિવસે અંકશાસ્ત્ર મુજબ દિનાંક, માસાંક અને વર્ષાંકનો અંક ૩ થાય છે, જે અંક ગુરુગ્રહનો ગણાય છે, જેનો ભાગ્યાંક ૯ થાય છે. તે મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

લગ્ન જેવા શુભ પ્રસંગમાં આ બંને ગ્રહો ખૂબ જ મહત્ત્વના હોવાથી આવા દિવસે લગ્નો સંપન્ન થશે.

સૂરત શહેરમાં આખા રાજ્યમાં સૌથી વધુ લગ્નોત્સવ તા.12મી ડિસેમ્બરના રોજ યોજાશે. સૂરતમાં લગ્નોત્સવ માટે વાડીઓ કે પાર્ટી પ્લોટ્સ તા.12મી ડિસેમ્બરે બુક્ડ થઇ ચૂક્યા છે. એવી જ રીતે લગ્નની સીઝન શરૂ થતાં બેન્ડવાજા, ડેકોરેશન, બ્યુટીપાર્લર, કેટરિંગના ભાવમાં પણ વધારો થઈ જતો હોય છે. આ વર્ષે પણ લગ્નગાળામાં લગ્ન સંબંધિત વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૨મી ડિસેમ્બરે એનઆરઆઈ યુગલોનાં શહેરમાં વિવિધ જગ્યાએ લગ્ન યોજાશે. આ ઉપરાંત વિવિધ સમાજના સમૂહ લગ્નોનું પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

December 6, 2019
jee_main.png
3min7040

વેબસાઇટ jeemain.nta.nic.in. પરથી ડાઉનલોડ થઇ શકશે એડમિટ કાર્ડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી તા.6થી 11 જાન્યુઆરી 2020 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી જેઇઇ મેઇન પરીક્ષાના એડમિટ કાર્ડ આજરોજ તા.6 ડિસેમ્બર 2019થી વેબસાઇટ પરથી મળવા માંડશે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જેઇઇ મેઇન અત્યંત મહત્વની પરીક્ષા છે.

દેશભરમાં પથરાયેલી આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. જેવી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન પરીક્ષા લેવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાનું સંચાલન કરે છે અને સંપૂર્ણ પણે આ કમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા છે. વિદ્યાર્થીઓએ પોતાના આઇ.ડી, પાસવર્ડની મદદથી જેઇઇની ઓફિશ્યલ વેબસાઇટ પર લોગઇન કરીને એડમિટ કાર્ડ ડાઉન લોડ કરીને પોતાની તથા પરીક્ષા કેન્દ્રની વિગતો ચકાસી લેવી.

The National Testing Agency (NTA) is going to release the joint entrance exam (JEE) mains admit card today i.e., Friday, December 6, 2019.

The JEE (Main) exam will be held in the month of January 2020.

Candidates, who have applied for the JEE January 2020 exam, can download their admit card from the official website — jeemain.nta.nic.in.

The First JEE (Main)-2020 will be conducted in January 2020 between 6th January (Monday) and 11th January (Saturday) 2020 and the Second JEE (Main)-2020 will be conducted between 3rd April (Friday) and 9th April (Thursday) 2020.

The Examinations will be held in “Computer Based Test” (CBT) Mode only, except that the Drawing Test for B.Arch. will be held in “Pen & Paper” (offline) mode.

The candidates aspiring to take admission to the undergraduate programs at IITs for the year 2020 will also have to appear in B. E. /B. Tech. Paper of JEE (Main)-2020. Based on the performance in the B.E./B. Tech. of JEE (Main)-2020, number of top candidates as per the requirement for JEE (Advanced) 2020 will be eligible to appear in JEE (Advanced)-2020. Admission to IITs will be based on category -wise All India Rank (AIR) in JEE(Advanced),subject to the conditions as would be mentioned in JEE(Advanced)-2020 Website.

December 6, 2019
cyclno.jpg
2min7170

અરબી સમુદ્ર પર ફરી TWIN (બે અલગ) વાવાઝોડા’નું સંકટ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એવું નથી કે ફક્ત રૂપિયા જ આપણું જીવન બદલી શકે છે. આ વખતે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોનું જીવન વાવાઝોડાઓએ બદલી નાંખ્યું છે. વરસાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં પાંચ વાવાઝોડાએ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતનું વાતાવરણ એવું બદલ્યું છે કે લોકોની દિવાળી બગડી, ખેડૂતોના પાક બગડ્યા હાલ ઠંડીની સિઝન બદલી અને સ્વાસ્થય પર તો ઘેરી અસર થઇ રહી છે. પહેલા વાયું આવ્યું, પછી હિક્કા, પછી ક્યાર પછી મહા અને હવે પવન નામનું વાવાઝોડું ગુજરાતમાં બિનમૌસમ બારીસ લાવી રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ભારતીય હવામાનના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેથી નવેમ્બર મહિના દરમ્યાનની અરબી સમુદ્રમાં કેન્દ્રિત થતી વાવાઝોડાની મોસમ દરમ્યાન આ વખતે ફરી બે વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતાએ આપતાં વાવાઝોડા કેન્દ્રિત થવાના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ કરીને નવેમ્બર મહિના સુધી આઠ જેટલા વાવાઝોડા કેન્દ્રિત થયા હતા પણ હવે વધુ બે વાવઝોડા ત્રાટકવાની ચેતવણી હવામાન ખાતાએ જારી કરતાં આ સંખ્યા એટલે કે વાવાઝોડા બનવાની સંખ્યા ૧૦ પર પહોંચવા પામી છે.

મળતી વિગતો પ્રમાણે

  • દક્ષિણ-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં હાલે કર્ણાટક અને ગોવાથી દૂર એક વાવાઝોડું કેન્દ્રિત થઇ રહ્યું છે જે ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે
  • તેવી જ રીતે હવાનું બીજું એક હળવું દબાણ મુંબઈથી દક્ષિણ -પશ્ર્ચિમે ૬૦૦ કિલોમીટર દૂર ઉભું થવા પામ્યું છે અને આ બને હળવા દબાણો આગામી એક સપ્તાહમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરે પૂરી શક્યતા છે.

આ વાવાઝોડાં મોટેભાગે ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોઈ, ગુજરાતના સાગરકાંઠે પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોડિયાં વાવાઝોડાની આગાહી સાથે જ કચ્છમાં પણ ગુરુવારે સાંજથી વાતાવરણ પલટાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. માવઠાં જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડા કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

આ વર્ષે છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી વધુ હવાના હળવાં દબાણો અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયા છે જેમાંથી મોટાભાગના વાવાઝોડામાં પરિવર્તિત થયા છે.

The Arabian Sea witnesses a normal of one cyclone per year. The last time five tropical cyclones were witnessed in a year was in 1902.
This year, very severe cyclonic storm Vayu was witnessed from June 10-17, very severe cyclonic storm Hikka from September 22-25, super cyclonic storm Kyarr between October 24 and November 2, extremely severe cyclonic storm Maha from October 30 to November 7, and presently Cyclone Pawan.

As compared, the Bay of Bengal has witnessed only three cyclones—Pabuk, Fani and Bulbul—against the normal of four per year.

December 6, 2019
CIA_Live_Logo_New2.jpg
2min13370

શુક્રવારની સવારે આવેલા સમાચારો અજંપાગ્રસ્ત ભારતીઓ કલેજા ઠાર્યા, પોલીસ પર શાબાશીઓનો વરસાદ

હૈદરાબાદ ખાતે વિતેલા સપ્તાહે એક યુવતિ પર બળાત્કાર ગુજારી તેની કમકમાટીભરી હત્યા કરનાર 4 આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાના સમાચારે સમગ્ર શુક્રવારની સવારે એક પ્રકારની ખુશાલી પ્રસરાવી દીધી હતી. હૈદરાબાદમાં યુવતિના રેપ વીથ મર્ડરની ઘટના બાદ સમગ્ર ભારતના લોકોમાં બળાત્કારીઓને ત્વરીત સજા સાથે એક પ્રકારનો અજંપો હતો. શુક્રવારની વહેલી સવારથી ભારતમાં પ્રસરેલા આ સમાચારે કરોડો ભારતીયોના કલેજાને ઠંડક પહોંચાડી હતી.

શનિવારની સવારે સમગ્ર દેશમાં પ્રસરેલા સમાચારને અનુમોદન આપતા હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતું કે 20થી 24 વર્ષના ચારેય આરોપીઓએ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશ કરી હતી. પોલીસે તેમની કોશીશને નાકામ બનાવવા માટે ફાયરીંગ કરવું પડ્યું હતું અને આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત નિપજ્યા હતા.

શુક્રવારે સવારે 3.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાનું સાઇબરાબાદ પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ હતા અને પોલીસ તેમને ઘટનાના રીકન્સ્ટ્રકશન માટે લઇ ગઇ હતી ત્યારે તેઓએ ભાગવાની કોશીશ કરી હતી.

હૈદરાબાદ રેપ વીથ મર્ડર ઘટનાને પગલે સમગ્ર ભારતના લોકોમાં ભારે અજંપો હતો. શુક્રવારે સવારે આ સમાચાર આવતા જ લોકોમાં એક પ્રકારનો સંતોષની લાગણી જન્મી હતી. અનેક લોકોએ સોશ્યલ મિડીયા પર લખ્યું હતું કે ત્વરીત ન્યાયના આ સમાચારે દિવસ અને સપ્તાહ બન્ને સુધારી દીધા છે.

હૈદરાબાદ ખાતે રેપ વીથ મર્ડરની ઘટનાએ સમગ્ર દેશમાં બળાત્કારીઓ સામે લોકરોષની ઘટનાઓને જન્મ આપ્યો હતો. દેશમાં શુક્રવારની સવારે લોકોએ પોલીસ એન્કાઉન્ટરને વધાવતા ટ્વીટ્સ કર્યા હતા.

All four people accused in the rape and murder of woman veterinarian in Telangana have been killed in an encounter with the police.

Cops claimed they tried to escape while the crime scene was being reconstructed and were killed in the encounter.

The charred body of the woman, working as an assistant veterinarian at a state-run hospital, was found dumped under a culvert at Shadnagar near here on November 28 morning, a day after she went missing.

Four men, all lorry workers, aged between 20 and 24, were arrested on November 29 on charges of raping and killing the woman and had been sent to judicial custody for 14 days on Saturday.

December 3, 2019
CIA_Live_Logo_New2.jpg
4min34500

ધો.12 બી ગ્રુપ : NEET અને બોર્ડના પરીણામની લઘુત્તમ લાયકાતમાં ફેરફારો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બાયોલોજી સાથે પાસ થઇને મેડીકલ પ્રવેશ માટે પ્રયત્નશીલ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અમે ટીમ શિક્ષણ સર્વદા એક મહત્વની બાબત પર અંગૂલી નિર્દેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી સામાન્ય વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક જગતમાં એવી સામાન્ય સમજ છે કે મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ધો.12 બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ બધુ મળીને કુલ 50 ટકા માર્કસ લાવવા ફરજિયાત છે. 50 ટકામાં પ્રેક્ટીકલના માર્કસ પણ ગણતરીમાં લેવાય. એવી જ રીતે નીટમાં લઘુત્તમ લાયકાત 50 પર્સન્ટાઇલની હોવાની માન્યતા તમામમાં પ્રવર્તે છે. પરંતુ, નીટ 2020નું ઇન્ફર્મેશન બુલેટિન વાંચતા કેટલીક મહત્વની સ્પષ્ટતા અહીં કરી રહ્યા છીએ.

શું ફેરફારો છે નીટ અને ધો.12ના પરીણામની લઘુત્તમ લાયકાતમાં વાંચો અહીં

NEET પરીક્ષામાં પણ લઘુત્તમ લાયકાતનું ધોરણ ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 50 પર્સન્ટાઇલ જ્યારે એસ.સી., એસ.ટી., ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 40 પર્સન્ટાઇલ કરવામાં આવ્યું હોવાનો નિર્દેશ નીટ ઇન્ફર્મેશન બુલેટીનમાં પાના નં.36, ચેપ્ટર નં.13માં કરવામાં આવ્યો છે.

એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષાના પરીણામની આ લઘુત્તમ લિમિટમાં આ વખતે જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના નોટિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેનું અર્થઘટન આ મુજબ છે.

Please Refer NEET Information Bulletin Page no. 36, Chapter no. 13

https://ntaneet.nic.in/Ntaneet/ShowPdf.aspx?Type=50C9E8D5FC98727B4BBC93CF5D64A68DB647F04F&ID=AC3478D69A3C81FA62E60F5C3696165A4E5E6AC4

મેડીકલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મેળવવા ફરજિયાત છે.

એવી જ રીતે ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માં પોતાનું નામ સામેલ કરાવનારા વિદ્યાર્થીઓએ ધો.12 બોર્ડની પરીક્ષામાં 45 ટકા ફરજિયાત લાવવાના રહેશે.

તેમજ અનામત વર્ગના વિદ્યાર્થીઓએ જેમકે એસ.સી., એસ.ટી. અને ઓબીસીના વિદ્યાર્થીઓએ એમ.બી.બી.એસ.ના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં બધુ મળીને કુલ 40 ટકા માર્કસ લાવવાના રહેશે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જાહેર કરેલા NEET 2020ના નોટિફિકેશનમાં નીચે મુજબનો નિયમ દર્શાવાયો છે જે અહીં અક્ષરસઃ પ્રસ્તુત છે

To be eligible for admission to the Undergraduate Medical Courses, a candidate must have passed in the subjects of Physics, Chemistry, Biology/Bio-technology and English individually and must have obtained a minimum of 50% marks taken together in Physics, Chemistry, Biology/Biotechnology at the Qualifying Examination as mentioned in Graduate Medical Education Regulations-1997 as amended in 2018 and BDS Course Regulations, 2007 and in addition must have come in the merit list of National Eligibility Cum Entrance Test for admission to Undergraduate Medical Courses.

In respect of the candidates belonging to the SC, ST and OBC-NCL category, the marks obtained in Physics, Chemistry, Biology/Biotechnology taken in qualifying examination and competitive examination (Physics, Chemistry, Biology) must be 40% marks instead of 50%.

In respect of candidates with Benchmark Disabilities specified under the Rights of Persons with Disabilities Act, 2016, the minimum marks in qualifying examination in Physics, Chemistry and Biology/Biotechnology taken together must be 45% instead of 50% for Unreserved category & GEN-EWS candidates and 40% for SC/ST/OBC-NCL candidates.

For admission in BUMS Course, the candidate must have passed the 10th standard with Urdu or Arabic or Persian language as a subject, or clear the test of Urdu of 10th Standard (wherever there is provision to conduct of such test) in the entrance examination conducted by the University or Board or registered Society or Association authorized by the Government to conduct such examination. For admission in BSMS course, the Candidate must have passed Tamil as one of the subjects in the 10th Standard/in Higher Secondary course or Candidates shall have to study Tamil as a subject during the First Professional course

December 3, 2019
hdfc-bank-1-1575361318.jpg
1min8070

HDFC બેંકની ઓનલાઇન ટ્રાન્ઝેકશન સિસ્ટમ કોલેપ્સ, લાખો ગ્રાહકોના ટેન્શનમાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં પ્રાઇવેટ બેંકિંગ ક્ષેત્રમાં મોટું નામ અને વ્યાપ વિસ્તાર ધરાવતી HDFC બેંકની નેટ બેંકિંગ અને મોબાઇલ એપ્લિકેશન બન્ને સિસ્ટમ આજે તા.3 ડિસેમ્બર 2019ના રોજ સતત બીજા દિવસે ખોરવાયેલી રહેતા ભારતમાં HDFC બેંકના લાખો ખાતેદારો અને ઓનલાઇન સવિર્સ યુઝર્સમાં મોટી બૂમ ઉઠી છે. કેટલાક ગ્રાહકોએ તો સોશ્યલ મિડીયામાં HDFC બેંકના કામકાજ અંગે પણ શંકા પ્રેરી છે. HDFC બેંક દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નેટ બેંકિંગ તેમજ મોબાઇલ એપ્લિકેશન નહીં ચાલવા પાછળ કેટલાક ટેકનિકલ ફોલ્ટ છે, HDFC બેંક આ ફોલ્ટને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

એચડીએફસી બેંકના ગ્રાહકોને આજે પણ નેટવર્કિંગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે જ નેટબેકિંગ અને મોબાઈલ બેકિંગ એપ એક્સેસ ન કરી શકવાને કારણે ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિનાની શરૂઆતને કારણે લોકો બિલ પેમેન્ટ અને અન્ય લેવડદેવડ રોકાઈ જવાથી પરેશાન છે.

તા.2જી ડિસેમ્બર 2019ને સોમવારે સવારથી HDFC બેંકની નેટવર્કિંગ સેવા ખોરવાય જવાનો સિલસિલો શરૂ થયો હતો જે મંગળવારે પણ યથાવત રહ્યો હતો. સોમવારે સાંજે 6.15 કલાકે HDFC બેંકએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી સમસ્યા વિશે પોતાના ગ્રાહકોને જાણકારી આપી હતી. મોડી રાત સુધી બેંક પોતાની સેવાઓ શરૂ કરવામાં નિષ્ફળ રહી હતી.

HDFC બેંકની સ્પષ્ટતા

HDFC બેંકની સ્પષ્ટતા કરતી ટ્વિટ માં જણાવ્યુ હતું કે ટેકનિકલ ગરબડને કારણે અમારા કેટલાક ગ્રાહક નેટબેન્કિંગનો અને મોબાઈલ બેન્કિંગ એપમાં લોગઈન નથી કરી શકતા. અમારા નિષ્ણાંતો આ ગરબડને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે આશ્વસ્ત છીએ કે ટૂંક સમયમાં જ સેવાઓ ફરી શરૂ થઈ જશે.

HDFC બેંકની નેટ બેકિંગ તેમજ મોબાઇલ એપ્લિકેશન સવિર્સીઝ તા.2જી ડિસેમ્બર 2019થી બગડી છે અને આજરોજ તા.3 જી ડિસેમ્બરના રોજ પણ આ ધાંધીયા જારી રહેતા લાખો ખાતેદારોએ ટ્વીટર પર HDFC બેંક સામે પસ્તાળ પાડી હતી.

અગાઉ HDFC બેંકે નવી મોબાઈલ એપ લોન્ચ કરી હતી, ત્યારે પણ ગ્રાહકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નવી મોબાઈલ એપને લોન્ચ કર્યા બાદ જૂની એપ ગુગલ એપથી હટાવી લેવાઈ હતી, જેના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

November 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9150

થોડા દિવસોમાં Fastag ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ પર મળવા માંડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટોલ પ્લાઝા અને બેંકો મારફતે ફાસ્ટેગ વેચાણ વિતરણ ગોકળગાયની ગતિએ નોંધાતા કેન્દ્ર સરકારે ફાસ્ટેગ યોજનાનો અમલ 15 દિવસ પાછો ઠેલવવો પડ્યો છે. ભારતના વાહનોમાં ફાસ્ટેગ ઝડપથી લાગૂ થાય તે માટે સરકારે હવે પહેલી વખત કોઇ સરકારી પ્રોડેક્ટને પ્રાઇવેટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર લોંચ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ભારતીય લોકોમાં શોપિંગ સાઇટ્સ પરથી ચીજવસ્તુઓ મેળવવાના ક્રેઝને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. સરકારને આશા છે કે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવી શોપિંગ સાઇટ્સ પર ફાસ્ટેગ મળતા થશે એટલે ફાસ્ટેગના વેચાણ વિતરણમાં મોટા ઉછાળો નોંધાશે.

તા.1લી ડિસેમ્બર 2019થી ભારતમાં ફાસ્ટેગ સ્કીમ લાગૂ કરવામાં પીછેહઠ થવા પાછળનું કારણ એ જ બહાર આવ્યું છે કે કરોડ વાહનો સુધી હજુ ફાસ્ટેગ પહોંચી શક્યું નથી. આવી સ્થિતિમાં ફાસ્ટેગના અમલમાં 15 દિવસની મુદત વધાર્યા બાદ હવે કેન્દ્ર સરકારના એ પ્રયાસો છે કે ફાસ્ટેગને વધુ શુલભ બનાવવામાં આવશે અને એટલે જ હવે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે પર ફાસ્ટેગ ઉપલબ્ધ બનશે. ભારતમાં એવું પહેલી વખત જોવાશે કે કોઇ સરકારી સ્કીમ પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર પણ ઉપલબ્ધ બનશે.

કેન્દ્ર સરકારે ફાસ્ટેગ માટે સર્વિસ પ્રોવાઇડરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાથી આગામી પખવાડીયા કે મહિના દિવસમાં ફાસ્ટેગ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ઉપલબ્ધ બનશે. હાલમાં ફાસ્ટેગ પબ્લિક, પ્રાઇવેટ બેંક્સ તેમજ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. પણ ઘણું ખરું જાન્યુઆરી 2020થી ફાસ્ટેગ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પણ સરળતાથી મળતા જોવા મળશે. ફાસ્ટેગ ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ પર ઉપલબ્ધ બનશે. આ સાથે ગ્રાહકો માટે ફાસ્ટેગની ઓનલાઇન ખરીદી સરળ બનશે.

ઇકોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગ મળી રહે એ માટે તા.29મી નવેમ્બર 2019ના રોજ શુક્રવારે આ માટેના બિડ ખોલવામાં આવ્યા હતા. ફાસ્ટેગ માટેના સર્વિસ પ્રોવાઇડરને અધિકૃત મેન્યુફેક્ચરર્સ નિયત કરવામાં આવ્યા છે. બિડના દસ્તાવેજમાં સર્વિસ પ્રોવાઇડરને કોઈ એક ગ્રાહક કે ગ્રાહકોના સમૂહને ફાસ્ટેગનું બલ્ક વેચાણ નહીં કરવાની તાકીદ કરાઈ છે.

જાન્યુઆરીથી ફાસ્ટેગ ત્રણેય ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ બનશે. ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદ કે પ્રશ્નોના ઓનલાઇન ઉકેલ માટે સિસ્ટમ બનાવાશે.

માત્ર ક્લાસ-4 વ્હિકલ (કાર, જિપ, વાન અને હળવા મોટર વ્હિકલ્સ) માલિકો જ ફાસ્ટેગ ઓનલાઇન ખરીદી શકશે. અત્યારે ફાસ્ટેગ Paytm પર ઉપલબ્ધ છે.

ગ્રાહકને ઓર્ડર મૂક્યા પછી સાત દિવસમાં ફાસ્ટેગ પહોંચાડવાના રહેશે. પેકેજમાં ફાસ્ટેગ ઉપરાંત, મૂળ ઇન્વોઇસ અને વાહન પર ફાસ્ટેગ કેવી રીતે ચોંટાડવું તેની સૂચના આપતું મેન્યુઅલ આપવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર સત્તાવાળાને વેચાણ અંગેનો દૈનિક અહેવાલ આપશે.

સરકારને આશા છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગનું વેચાણ શરૂ થયા પછી સેલ્સમાં મોટો ઉછાળો નોંધાશે. 21 નવેમ્બરથી ટેગના ખર્ચમાંથી મુક્તિની જાહેરાત પછી ફાસ્ટેગ લેનારાની સંખ્યામાં 130 ટકા ઉછાળો નોંધાયો હતો.

ફાસ્ટેગ 560 ટોલ પ્લાઝા પર સ્વીકારવામાં આવશે. દૈનિક ધોરણે પ્લાઝાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિવિધ બેન્કો દ્વારા ઇશ્યૂ થઈ રહેલા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા પ્રિ-પેઇડ વોલેટ સાથે લિંક્ડ કરાયા છે. આવા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ બનશે અને બેન્કના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી પણ તે ખરીદી શકાશે. બેન્ક-ન્યૂટ્રલ NHAI ફાસ્ટેગ વિવિધ પોઇન્ટ ઓફ સેલ એજન્ટ્સ પાસેથી ખરીદી કરી શકશે.

November 29, 2019
indian_naval.jpeg
4min8490

ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇન્ડીયન નેવીમાં જોડાવાની અમૂલ્ય તક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્ડીયન નેવી દ્વારા હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપ (પી.સી.એમ.)માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે કેરળ સ્થિત ઇન્ડિયન નેવેલ એકેડેમીમાંથી બી.ટેક. અભ્યાસ કરવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન નેવીમાં જોડાઇને કારકિર્દી બનાવવાનો લક્ષ્યાંક રાખતા યુવાનો માટે આ અમૂલ્ય તક માનવામાં આવે છે. ઇન્ડીયન નેવેલ એકેડેમીમાં અભ્યાસ કરવો એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે.

ઇન્ડીયન નેવી રિક્રુટમેન્ટ જુલાઇ 2020 માટે કેડેટ એન્ટ્રી સ્કીમ અન્વયે આવેદનપત્ર આમંત્રિત કરવાની ઘોષણા ઇન્ડીયન નેવીએ કરી છે. ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ માટે લાયક ગણાશે.

સિલેક્ટ થયેલા ઉમેદવારોને Indian Naval Academy, Ezhimala, Kerala ખાતે બી.ટેક. અભ્યાસક્રમ પૂર્ણ કરવાની તક મળશે. અને એ પછી એમની ક્ષમતા અનુસાર ઇન્ડીયન નેવીમાં નોકરીની તક ઉભી થઇ શકે.

ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરતા હોય અને ઇન્ડીયન નેવીમાં રસ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તા.29 નવેમ્બરથી 19 ડિસેમ્બર 2019 સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. આ પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોની ટ્રેનિંગ જુલાઇ 2020થી શરૂ કરવામાં આવશે.

સિલેક્શન પ્રક્રિયા

સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જેઇઇ મેઇન ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કરવામાં આવશે. સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બે સ્ટેજમાં ઇન્ટરવ્યુ યોજાશે. પહેલા સ્ટેજમાં ઇન્ટેલિજન્સ ટેસ્ટ, પિક્ચર પર્સેપ્શન અને ગ્રુપ ડિસ્કશન યોજાશે. બીજા સ્ટેજમાં સાઇકોલોજીકલ ટેસ્ટિંગ, ગ્રુપ ટેસ્ટિંગ અને ઇન્ટરવ્યુ યોજાશે. આ બન્ને સ્ટેજમાંથી પાસ થયેલા ઉમેદવારોએ મેડીકલ એકઝામિનેશનમાં સફળ થવાનું રહેશે.

Indian Navy Recruitment July 2020:
Application invited for 10+2 (B.Tech) Cadet Entry Scheme

Indian Navy Recruitment July 2020 : Application invited for 10+2 (B.Tech) Cadet Entry Scheme

The Indian Navy Recruitment department has invited applications from unmarried male candidates (fulfilling the conditions of nationality as laid down by the Govt. of India) to join the prestigious Indian Naval Academy, Ezhimala, Kerala for a four year degree course under the 10+2 (B.Tech) Cadet Entry Scheme.

The candidates who are eligible can submit their online application from November 29, 2019, to December 19, 2019. The training of the selected candidates will commence in July 2020.

The candidates are advised to print one copy of filled online application form and carry it along with original certificates/documents as mentioned in Para 22 Note (c) while appearing for SSB interview.

Eligibility Details

Age: Born between 02 Jan 2001 and 01 Jul 2003 (both dates inclusive).

Educational Qualification: Passed Senior Secondary Examination (10+2 Pattern) or its equivalent examinations from any Board with at least 70% aggregate marks in Physics, Chemistry and Mathematics (PCM) and at least 50% marks in English (either in Class X or Class XII).

Selection process

Call up for Service Selection Board (SSB) will be issued on the basis of JEE (Main) – 2019 All India Rank. SSB interview will be conducted in two stages. Stage I test consists of Intelligence test, Picture Perception and Group Discussion. Candidates who fail to qualify in Stage I will be routed back on the same day. Stage II test comprises Psychological testing, Group testing and Interview which will last for 04 days. Successful candidates will thereafter undergo Medical Examination (approx duration 03-05 working days).

November 29, 2019
relience.png
1min6050

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૦ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બીએસઈ પર રિલાયન્સના શેરમાં ગુરુવારે (Dated 28 November 2019) ૦.૭ ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં ૫ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો હતો. સત્રને અંતે માર્કેટ કેપ રૂ. ૧૦,૦૧,૫૫૫.૪૨ના સ્તરે પહોંચી હતી. બીએસઇ પર આ શેર રૂ. ૧૫૮૪ની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા પછી અંતે ૦.૬૫ ટકાના વાધારા સાથે રૂ. ૧૫૭૯.૯૫ના સ્તરેે, જ્યારે એનએસઇ પર ૦.૭૭ ટકાના ઉછાળે રૂ. ૧૫૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. ગત મંગળવારે ૯.૫ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને ૪૦ ટકા રિટર્ન આપ્યું છે.

November 29, 2019
ambaji-1280x720.jpg
1min6880

 બનાસકાંઠા જિલ્લામાં દાંતાથી અંબાજી જતા માર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજીમાં દાંતા માર્ગમાં મરામતની કામગીરી ચાલી રહી હોવાથી આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી જવા વાયા હડાદ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્રિશૂળિયા ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરીને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.