તિહાર જેલમાં સજા કાપી રહેલા દિલ્હીની નિર્ભયા રેપ કેસના ચારેય નરાધમ હરામખોર અપરાધીઓને આગામી તા. 16મી ડિસેમ્બરના દિવસે અથવા તો 29મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. તિહારમાં ફાંસીનો તખતો જેલ નંબર -3માં રાખવામાં આવ્યો છે.
ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. આમ છતાં, તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજોની તૈયારી કરવામાં આવી ચૂકી છે. તિહાર જેલમાં નંબર-3માં તમામને ફાંસી આપવામાં આવનાર છે.
એક અહેવાલ પ્રમાણે દોષિતોને ફાંસી આપવા માટે મેરઠથી જલ્લાદ આવશે. આ માટે યુપી જેલના ડીજીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે.
નિર્ભયાના ચારે દોષિત પણ શાંત ભાવમાં દેખાઈ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. બીજી બાજુ અપરાધી નર્વસ થવા લાગી ગયા છે. હાલમાં તો સામાન્ય રીતે અપરાધી ભોજન કરી રહ્યા છે. જો કે તેમના ચહેરા પર ચિંતાના ભાવને જોઈ શકાય છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ કાલબાદેવીના ૨૩ વર્ષના ઝવેરીની સોમવારે ધરપકડ કરી હતી. પકડાયેલા ઝવેરીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૮૦ કિલો સોનું દાણચોરીથી મેળવ્યું હતું, જેની કિેંમત રૂ. ૫૪ કરોડ જેટલી છે. ઝવેરીની ઓળખ સાહિલ જૈન તરીકે થઇ હોઇ ડીઆરઆઇએ સાહિલની સાથે ગોપારામ (૩૬) નામના શખસની પણ ધરપકડ કરી હતી. બંને જણ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતેથી ગોપારામને ઝડપી પાડ્યો હતો. તે હાવડા એક્સપ્રેસમાં કોલકાતાથી મુંબઈ આવ્યો હતો. ગોપારામ પાસેથી રૂ. ૨.૭૧ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું, જે જેકેટમાં છુપાવાયું હતું અને તે દાણચોરીથી લાવવામાં આવ્યું હતું.
આ સોનું તે મુંબઈમાં સાહિલ જૈન નામના ઝવેરીને આપવાનો હતો, એવું ગોપારામે પૂછપરછમાં જણાવ્યા બાદ ડીઆરઆઇએ ઝવેરીને તાબામાં લીધો હતો. ઝવેરીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે આ પ્રમાણે છેલ્લા દસ મહિનામાં ૧૮૦ કિલો સોનું મેળવ્યું હતું.
દરમિયાન સોનાના દાણચોરીના રેકેટની તપાસ કરી રહેલા ડીઆરઆઇના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે કોલકાતા, રાયપુરથી સોનું મુંબઈમાં લાવવામાં આવતું હતું. આ રેકેટ સાથે સંકળાયેલા વધુ આઠ જણની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા અને રાયપુરથી ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગોવિંદ માલવિયા, અન્ના રામ, મહેન્દ્ર કુમાર, ફિરોઝ મુલ્લા, સૂરજ મુલ્લા, કૈલાશ જગતાપ અને વિશાલ અંકુશ તરીકે થઇ હોઇ અત્યાર સુધીમાં રૂ. ૧૬.૫ કરોડની કિંમતનું ૪૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શન વધતા દિબ્રુગઢમાં સેના પણ બોલાવવામાં આવી છે અને ઘણી ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે અને કેટલાકના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બની રહ્યું છે. બુધવારે પ્રદર્શનકારીઓએ રાજધાની દિસપુરમાં જનતા ભવન નજીક બસોમાં આગ ચાંપી દીધી હતી. અહેવાલ પ્રમાણે વિરોધ પ્રદર્શન હિંસક બનતા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને પ્રદેશના 10 જિલ્લામાં બુધવારે સાંજે સાત વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ઈન્ટરનેટ સેવાઓ 12 ડિસેમ્બર સાંજે સાત વાગ્યા સુધી લખીમપુર, તિનસુકિયા, ઢેમાજી, દિબ્રુગઢ, ચરાયદેવ, શિવસાગર, જોરહાટ, ગોલઘાટ, કામરૂપ મેટ્રો અને કામરૂપ જિલ્લામાં બંધ કરવામાં આવી છે.
રાજધાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી
પ્રદર્શનકારીઓને સચિવાલય તરફ આગળ વધતા જોયા બાદ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો
હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ
જીએસ રોડ પર રાખવામાં આવેલા બેરિકેડ્સ તોડી દીધા હતા અને તે જોતા પોલીસે લાઠીચાર્જ
પણ કર્યો હતો. વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.
તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.
ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.
મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.
ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.
ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી.
રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે’ છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.
વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.
ધો.12 B ગ્રુપના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડજો : એઇમ્સ ભણવું એટલે બેડો પાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા મહત્વના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. હાલ નીટનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ એઇમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સમાં બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે અને તેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ એ સમજવાની જરૂર છે કે એઇમ્સ એ મેડીકલ ફિલ્ડની ભારતની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમાં બી.એસસી. નર્સિંગ કે પેરામેડીકલમાં અભ્યાસ કરવો એટલે જીવનનો બેડો પાર જેવી સ્થિતિ સર્જવી એમ ગણાય.
ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કે જેમાં પેથોલોજીકલ લેબ-માઇક્રોબાયોલોજી સમકક્ષનું કામકાજ આવે છે, આ બન્ને કોર્સમાં તેઓ લાયકાતપાત્ર છે. જ્યારે ધો.12 એ ગ્રુપના વિદ્યાર્થીઓ ઇચ્છે તો એઇમ્સના બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
AIMS B.Sc. Nursing and B.Sc. Paramedical Entrance Details
નીચેની લિંક પર ક્લીક કરશો તો એઇમ્સની વેબસાઇટ પરથી નોટીફિકેશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકાશે
All India Institute of Medical Sciences (AIIMS) has released an important notice regarding entrance examinations to admission in B.Sc. Courses-2020 on its official website.
According to the notification, the basic registration (PAAR) for B.Sc(H) Nursing/B.Sc Nursing (Post-Basic)/B.Sc(Paramedical Courses) -2020 will commence on December 12, 2019. The last date for the registration will be January 16, 2020.
Eligibility
B.Sc (H) Nursing course
Candidates who have passed the 12th Class under the 10+2 Scheme/Senior School Certificate Examination or Intermediate Science or an equivalent examination from a recognized University/Board of any Indian State with English, Physics, Chemistry and Biology and has a minimum aggregate marks required in qualifying examination i.e.10+2 or equivalent is 55% for Gen/EWS/OBC and 50% in case of SCs/STs categories can apply for B.Sc (H) Nursing course 2020 entrance examination.
B.Sc (Paramedical Courses)
The candidates who have passed 10+2 or equivalent examination with English, Physics, Chemistry and either Biology or Mathematics with 50% for Gen/ EWS/OBC and 45% in case of SCs/ STs Categories are eligible to apply for B.Sc (Paramedical Courses).
B.Sc Nursing (Post-Basic)
The candidate who have passed 12th class under 10+2 system of education or an equivalent examination from a recognized Board/University (Those who have passed 10+1 on or before 1986 are also eligible). (For BSc Nursing Post-Basic)
Diploma in General Nursing and Midwifery from any institution recognized by the Indian Nursing Council. (For BSc Nursing Post-Basic)
Registration as a nurse, RN, RM (registered nurse, registered midwife) with any State Nursing Council. (For BSc Nursing Post-Basic)
In case of male nurses, (if passed before implementation of new integrated course in 2003), beside being registered as a nurse with the State Nursing Council, should have obtained a certificate in General Nursing and instead of Training in Midwifery, training in any subject out of following, for a period of six months: i) O.T. Techniques, ii) Ophthalmic Nursing, iii) Leprosy Nursing, iv) TB Nursing, v) Psychiatric Nursing, vi) Neurological and Neuro Surgical Nursing, vii) Community Health Nursing, viii) Cancer Nursing, ix) Orthopaedic Nursing (For BSc Nursing Post-Basic)
AIIMS B.Sc Nursing 2020 entrance exam: Important Dates
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપતિમાં છેલ્લા 9 માસ દરમિયાન પ્રતિમાસ 2620 કરોડ રૂપિયા ઉંચકાઈ હતી. ફોર્બ્સ મેગેઝિનનાં અહેવાલ અનુસાર માર્ચ 2019માં મુકેશની મિલકત પ0 બિલિયન ડોલર જેટલી હતી. એટલે કે 3.6પ6 લાખ કરોડ રૂપિયા જેટલી હતી. 6 ડિસેમ્બર સુધીમાં તે વધીને પ9.9 અબજ ડોલર થઈ ગઈ છે. એટલે કે તેની કુલ મિલકતમાં દર મહિને 1.2 અબજ ડોલરનો વધારો થયો. આ રકમને જો ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો પ્રતિમાસ તેની સંપતિમાં 2620 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અંબાણીની કુલ મિલકત છેલ્લા 9 વર્ષમાં બમણી થઈ ગઈ છે. માર્ચ 2010માં તેમની મિલકત 29 બિલિયન ડોલર હતી. ત્યારબાદ 2010થી 2014 વચ્ચે તેમાં ઘટાડો જોવા મળેલો અને તે ઘટીને 18.6 બિલિયન ડોલર સુધી ઘટી ગઈ હતી. જો કે પછી તેમાં સતત વધારો જ થયો છે અને અત્યારે તે પ0 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા અમૂલ દહીંની વિવિધ પ્રોડકટ ભાવોમાં ભાવ વધારો ઝીંકાયો હતો જેમાં મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચમાં ૨ રૂપિયા, કિલોમાં ૫ રૂપિયા, જ્યારે ૫ કિલોના પેકીંગમાં ૨૫ રૂ. લાઈટ દહીંની જુદી-જુદી વેરાઈટીઓનામાં પ્રતિકિલોએ ૧ રૂપિયાથી ૮ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આમ ગુજરાતી થાળીમાં પીરસાતી કઢીનો સ્વાદ ખાટો બન્યો છે.
નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો હતો. જીસીએમએમએફએ દહીંની પ્રોડકટમાં એક રૂપિયાથી લઈને ૮ રૂ. સુધીનો ભાવ વધારો કર્યો છે. પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંઘું બની રહ્યું હોઈ તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી છે. ઉપરાંત પશુદાણની કિંમતમાં થઈ રહેલો વધારો દહીંના ભાવ વધારા માટે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.