CIA ALERT
27. April 2024
December 21, 20191min2650

Related Articles



ગુજરાતમાં જરૂર જણાશે તો ત્રણ દિવસ માટે ઈન્ટરનેટ બંધ થશે

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતમાં નાગરિકતા કાયદાનો વિરોધ થવા સામે બંધના એલાન બાદ અમદાવાદ અને વડોદરામાં થયેલા તોફાનોને ગંભીરતાથી લઇને રાજ્ય સરકાર અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની સત્તા એડી.જીપીને આપવામાં આવી હોવાની વાત ફેલાઇ હતી. જોકે, ખુદ ગ્ાૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ આખી વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, આવી કોઇ સૂચના આપી નથી અને ઇન્ટરનેટ ચાલુ જ છે અને આવતીકાલે પણ ચાલુ જ રહેશે.

બીજી બાજુ સરકારે કરેલા આદેશ મુજબ ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રાખવા ઈન્ટેલિજન્સના એડીજીપીને અધિકાર અપાયા છે. રાજ્યમાં ઉગ્ર દેખાવો અને ક્ધટ્રોલ બહાર જતી દેખાય તેવી સ્થિતિ હોય ત્યારે ઈન્ટરનેટ બંધ કરાશે. જે વિસ્તારમાં તંગદિલીભરી સ્થિતિ હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં છે જ્યારે વડોદરામાં થયેલા જુમ્માની નમાઝ બાદ થયેલા પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. રાજ્યમાં આવી કોઈ ઘટનાઓ બને અને સ્થિતિ વણસતી જણાય તો જ ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવશે. આ અંગે એક પરિપત્ર વાયરલ થયો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :