CIA ALERT

Slider Archives - Page 266 of 487 - CIA Live

January 24, 2020
India-vs-New-Zealand.jpg
1min5390

આજે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ ન્યૂ ઝીલૅન્ડ સામેની અલગ-અલગ સ્તરની ત્રણ ક્રિકેટ મૅચના પરિણામોની રાહ જોશે. એક જ દિવસમાં કોઈ એક દેશની બીજા એક જ દેશની ત્રણ ભિન્ન સ્તરની ટીમ સામે ક્રિકેટ મૅચ રમાવાનો કદાચ આ પહેલો જ કિસ્સો છે.

મુખ્ય મૅચ આજે ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૨૦ વાગ્યાથી ઑકલૅન્ડમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમનો કેન વિલિયમસનની ન્યૂ ઝીલૅન્ડ સાથે મુકાબલો થશે. આ ટી-ટ્વેન્ટી મૅચ છે અને એ લગભગ ૪.૦૦ વાગ્યે પૂરી થશે. પાંચ મૅચવાળી સિરીઝની એ પહેલી જ મૅચ છે.

સાઉથ આફ્રિકાના બ્લોમફોન્ટેનમાં વન-ડેનો અન્ડર-૧૯ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને બ્લોમફોન્ટેન શહેરમાં આજે પ્રિયમ ગર્ગના સુકાનમાં ભારતની યુવા ટીમનો મુકાબલો જેસી ડાશ્કૉફની કૅપ્ટન્સીના ન્યૂ ઝીલૅન્ડની યુવા ટીમ સામે થશે. ભારતીય ટીમ બન્ને લીગ મૅચ જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ન્યૂ ઝીલૅન્ડમાં ભારતથી ઇન્ડિયા ‘એ’ ટીમ બિનસત્તાવાર વન-ડે રમવા ગઈ છે અને આજે ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા ‘એ’નો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સાથે થશે. ઇન્ડિયા ‘એ’ના સુકાનીપદે શુબમન ગિલ અને ન્યૂ ઝીલૅન્ડ ‘એ’ ટીમના નેતૃત્વપદે ટૉમ બ્રુસ છે.

January 23, 2020
mumbai_shopping.jpg
1min5360

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા મંજૂરી

મહારાષ્ટ્ર કેબિનેટે આખી રાત રેસ્ટોરાં, મલ્ટિપ્લેકસ અને મૉલ્સ ખુલ્લા રાખવાના નિર્ણયને બુધવારે લીલી ઝંડી આપતા ૨૭ જાન્યુઆરી ને સોમવારથી આ નિર્ણય અમલમાં આવશે. જોકે બાર અને પબ એક્સાઈઝના નિયમો પ્રમાણે જ ચાલશે, આથી તે રાત્રે ૧.૩૦ વાગ્યે બંધ થઈ જશે. આ નિર્ણય અગાઉ વિધાનસભામાં થઈ ગયો હોવાથી સત્તાવાર રીતે કેબિનેટમાં પ્રસ્તાવિત થયો હતો, માત્ર આ મુદ્દે પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ કેબિનેટને જાણકારી આપી હતી.

જે બિનરહેવાસી વિસ્તારોમાં એકમો છે અને તેમને પોતાનું કમ્પાઉન્ડ અને ગૅટ છે, તે તમામ એકમો આ નિર્ણયનો લાભ લઈ શકે છે. રેસ્ટોરાં, મોલ્સ, શૉપિંગ સેન્ટર કે પછી થિયેટર કે મલ્ટિપ્લેકસ આ નિર્ણયનો લાભ લઈ શકે. આ નિર્ણયને લીધે જનતાને રાત્રે પણ ખાવા-પીવા કે પિક્ચર જોવાની સવલત મળશે અને પર્યટકો માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય સાબિત થશે, સાથે રાજ્યની મહેસૂલી આવક પણ વધશે.

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધીની જ ખુલ્લા રાખવા મંજૂરી

ઠાકરેના જણાવ્યા અનુસાર આ અંગે તેમણે છેલ્લા બે વર્ષથી અભ્યાસ કર્યો છે અને સતત દોડતા મુંબઈને આ સવલતની જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણયથી મુંબઈ પોલીસ માટે કામ આસાન થશે. તેમણે અગાઉ દોઢ વાગ્યા બાદ એકમો બંધ છે કે નહીં, તે જોવાનું રહેતું હતું, પરંતુ હવે તેઓ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે.

પર્યટકો અને શહેરના લોકોને ભૂખ લાગે તો દસ વાગ્યા પછી ક્યાં જવું તે સવાલ થતો હતો. લંડન જેવા શહેરોમાં આ વ્યવસ્થા છે અને મહેસૂલી આવક પણ છે. મુંબઈ સુરક્ષિત શહેર છે અને દરેક મોલ્સ કે રેસ્ટોરાંમાં સીસીટીવી કેમેરા હોય છે. જો કોઈને વધારે સુરક્ષા જોઈતી હોય તો તેમણે નાણાં ચૂકવવા પડશે.

January 23, 2020
sgcci-udyog-1280x854.jpg
1min5650

ચેમ્બર ઓફ કોમર્સના 12માં ઉદ્યોગ Expoનું આયોજન 24થી 27 જાન્યુઆરી દરમિયાન

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું ભવ્ય આયોજન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા. ર૪ જાન્યુઆરીથી ર૭ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એમએસએમઇના હબ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ અંગે વિદેશી હુંડીયામણને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની સાથે પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉત્પાદન માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પણ ચેમ્બર દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.

‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવારે, તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજય કક્ષાના માનનીય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) પધારશે અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજયના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો. રાહુલ બી. ગુપ્તા (આઇએએસ) અને યસ બેંક મુંબઇના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ચેમ્બરે આ મહિનામાં જ ‘સિટમે’ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. જેમાં કવોલિટી ફેબ્રિકસના ઉત્પાદન માટે પ્રદર્શિત કરવામાં આવેલી એમ્બ્રોઇડરી મશીનરીની ભારે ડિમાન્ડ જોવા મળી હતી. સામાન્યપણે સુરતમાં લૂમ્સના ચારથી પાંચ મોટા ઉત્પાદકો છે. ટીએફઓના પાંચ મોટા અને સાત જેટલા નાના ઉત્પાદકો છે. જયારે ટેક્ષ્ચ્યુરાઇઝીંગના પાંચ, સ્પીલિટીંગ મશીનના પાંચ અને યાર્ન ડાઈંગ મશીનના પાંચ ઉત્પાદકો છે. આથી નાના મશીનરી ઉત્પાદન ક્ષેત્રને બહોળું કરવા માટે ‘ઉદ્યોગ પ્રદર્શન’ ખૂબ જ મહત્વનું બની રહેશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીનાં ઉત્પાદકોને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરીનું ઉત્પાદન લેવા માટે કઈ મુશ્કેલી નડી રહી છે તે પણ પ્રદર્શનમાં ભાગ લેનારા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદના માધ્યમથી જાણી શકાશે.

‘ઉદ્યોગ ર૦ર૦’ પ્રદર્શનના ચેરમેન શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં કુલ ૧,રપ,૦૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયુ છે. જેમાં ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, ટૂરીઝમ, જીઆઇડીસી, ટોરેન્ટ) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસીઝ પ્રદર્શિત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.

ઉદ્યોગ પ્રદર્શન દરમિયાન ચેમ્બર, સુરત ટેક્ષ્ટાઇલ કલબ અને એનઆઇએફટીના સંયુકત ઉપક્રમે શુક્રવારે,

તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરતમાં બનતા વિવિધ ફેબ્રિકસનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારે, તા. ર૬/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે લોકડાયરાનું પણ આયોજન કરાયુ છે. જેમાં જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે અને ગાયક શ્રી ઘનશ્યામ કળથીયા દ્વારા રમઝટ બોલાવવામાં આવશે.

ચેમ્બરના આ આયોજનમાં રાજય સરકારના ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇ–ગવર્નન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોલ્ડ સ્પોન્સર તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., સિલ્વર સ્પોન્સર તરીકે કલર ટેક્ષ, એમએસએમઇ બેન્કીંગ પાર્ટનર તરીકે યસ બેંક જોડાયુ છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા, વેડરોડ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ., માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન, સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સચીન ઈન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. ચેમ્બરની સાથે એસોસિએટ્‌સ તરીકે જોડાયા છે.

January 23, 2020
biggest_diamond-1280x720.jpg
3min9110

લૂઈ વિટોંએ વર્ષ ૧૯૦૫ બાદ શોધાયેલો સૌથી મોટો ડાયમંડ ‘સૅવેલો’ ખરીદી લીધો છે. હીરાના ઈતિહાસમાં સૌથી મોટા કદના બીજા નંબરના હીરાને હવે લૂઈ વિટોંના રૂપમાં નવો માલિક મળ્યો છે. લૂઈ વિટોંના હાથમાં આવેલા સૅવેલો નામના હીરાનું વજન ૧૭૫૮ કૅરેટ્સનું છે. આ ડાયમંડ વર્ષ ૧૯૦૫ પછી શોધાયેલો બીજો મોટા કદનો હીરો છે. એપ્રિલ મહિનામાં ખાસ્સી ધામધૂમ સાથે એકદમ જાણે પ્રગટ થયેલા સૅવેલોનું નામકરણ જુલાઈ મહિનામાં થયું અને પછી એ હીરો પાછો લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો હતો. હવે પાછો નવા માલિક સાથે સૅવેલો લોકોની નજરમાં પ્રગટ્યો છે.

જોકે, એના માલિકના નામને તમે ઝડપથી નહીં જ કલ્પી શક્યા હોય! સૅવેલોનો નવો માલિક જાત જાતની મૂલ્યવાન અને મહત્ત્વની જણસો મેળવવા માટે જાણીતો જેફ બેઝોસ નથી કે નથી શોભા માટે કોઈ જણસ શોધનારું શાહી ખાનદાન. ડાયમંડ માર્કેટનું સર્જક ડી બીયર્સ જૂથ પણ નથી. વળી, ડાયમંડના ખાં ગણાતા ‘ગ્રાફ લેસેડી લા રોના’ નામના હીરાના માલિક ગ્રાફ પણ નવા વિશાળ કદના હીરા સૅવેલોના માલિક નથી, પણ લૂઈ વિટોં માલિક છે. આ લૂઈ વિટોં તેની ચામડાંની હૅન્ડબૅગો માટે ખ્યાતનામ બ્રાન્ડ છે. વળી, તે એક દશક કરતાં વધુ સમયથી જ્વેલરી બજારમાં પણ ખાસ્સા આદરથી લેવાતું નામ છે! લૂઈ વિટોંની વિશાળ કદની પિતૃકંપની એલવીએમએચ દ્વારા લક્ઝરી જ્વેલરીની ગિફ્ટ આઈટમો બનાવતી અને વેચતી ટિફની ઍન્ડ કો ૧૬.૨ અબજ યુરોમાં ગયા નવેમ્બર મહિનામાં ખરીદી લેવાઈ ત્યારે જ લૂઈ વિટોં હાઈ એન્ડ જ્વેલરી બજારમાં ધમાકો કરશે એવા સંકેતો ઝવેરાત બજારમાં પહોંચ્યા હતા. એ પછી આ સૅવેલો હીરો ખરીદીને કંપનીએ જાણે બમણો ધમાકો કર્યો છે.

એન્ટવર્પ ડાયમંડ એક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઈકોનોમિક સ્ટે્રટેજી એડવાઈઝરી ફર્મના મૅનેજિંગ ડાયરેક્ટર માર્સેલ પ્રુવરે કહ્યું હતું કે, “જગતમાં ૧૦ કરતાં પણ ઓછી વ્યક્તિ છે જે જાણે છે કે આવા મૂલ્યવાન રત્નું શું કરવું અને તેને કેવી રીતે કટ કરવો કે એનું મૂલ્ય બમણું થઈ જાય અને એ લોકો જ એવા સ્ટોનની ખરીદી કરવા માટે ટેબલ પર નાણાં મૂકી શકે છે. આટલેથી માર્સેલ પ્રુવર અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે,”એવો સ્ટોન ખરીદવો અને પછી એને પાંચ કરોડ યુરોના સ્ટોન તરીકે વેચવા માટે તમારી પાસે ટૅક્નિકલ યોગ્યતા-લાયકાત હોવી જોઈએ અને એ ઉપરાંત મોટી રકમનો ચેક લખવાની અને એ મોટું જોખમ લેવાની હામ હોવી જોઈએ. આવા જોખમ લેનારાઓમાં આ એક કંપની છે, લૂઈ વિટોં એમ માર્સેલ પ્રવરનું કહેવું હતું.

જોકે, લૂઈ વિટોંના ચીફ એક્ઝિક્યૂટિવ માઈકલ બર્કે કંપનીએ આ ખરીદી માટે કેટલો ખર્ચ કર્યો છે એ અંગે કશું કહ્યું નથી, પણ એમણે એટલું કબૂલ કર્યું હતું કે, “આ ખર્ચ ‘મિલિયન્સ’માં છે.

કેનેડાના ખાણમાલિક લુકારા ડાયમંડ કૉર્પની માલિકીની બોટ્સવાના ખાતે કેરોવે ખાણમાંથી એપ્રિલ ૨૦૧૯ના દિવસે આ બૅઝબૉલ કદનો જગતનો બીજા ક્રમનો વિશાળ કાચો-રફ હીરો મળ્યો હતો. સૌથી મોટા કદનો હીરો ૩,૧૦૬ કૅરેટનો કુલીનાન નામનો હીરો હતો. જે વર્ષ ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. જે હવે બ્રિટિશ તાજમાં છે. વળી, સૅવેલો બોટ્સવાનામાં મળેલા હીરામાંનો સૌથી વિશાળ કદનો કાચો હીરો છે અને કેરોવે ખાણમાંથી મળેલો મોટા કદનો ત્રીજા નંબરનો હીરો છે. લુકારા કંપનીએ આ હીરાનું નામ પાડવાની રાખેલી સ્પર્ધામાં બોટ્સવાનાના ૨૨૦૦૦ લોકોએ ‘સૅવેલો’ નામની હિમાયત કરી હતી. સેટ્સવાના ભાષામાં ‘સૅવેલો’ એટલે ‘વિરલ શોધ’ એવો અર્થ છે. મોટા કદના કોઈપણ મૂલ્યવાન સ્ટોનમાંથી કેટલા કિંમતી અને ચમકદાર સ્ટોન-રત્નો મળે છે તેના પર તેની સફળતાનો આધાર છે અને એ ‘બહુ મોટું જોખમ’ છે, કારણ કે એની ચમકદમક અને મૂલ્યવાનપણા પર જ નફાનો આધાર છે. કટ થયા પછી અને શ્રેષ્ઠ પ્રકારે કટ્સ પડ્યા પછી તેના તેજમાં વધારો થાય તે રીતે તેનું ઉત્પાદન થાય તો જ ખરીદકર્તાનું જોખમ લેખે લાગે નહીં તો તમામ મહેનત અને ખર્ચ કરેલાં નાણાં પરત મેળવવા માટે અન્ય કિંમતી શોધ સુધી રાહ જોવી પડે!

અંધારામાં એક નાનકડી ‘વિન્ડો’ દ્વારા લેસર અને સ્કેનિંગ વગેરેથી ચકાસણી કરનારી ખાણ આવા સ્ટોનને ક્યારેક હાઈ-ક્વોલિટી વ્હાઈટ જૅમના ક્ષેત્રનો ‘નીઅર જૅમ’ ક્વોલિટીનો ગણાવે છે એટલે કે આ સ્ટોન રત્ન કહેવાવાની નજીક છે એમ કહેવાય! ડાયમંડમાં હજારો ગ્રેડેશન છે. જેમાં ‘ડી’થી માંડીને ‘ડી-ફ્લોલેસ’ (અતિ વિરલ જણસ) અને ઔદ્યોગિક સ્ટોન્સ સુધીના ગ્રેડ હોય છે. આ ઈન્ડસ્ટ્રિયલ પથ્થરો કટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં વપરાશમાં લેવામાં આવે છે. આ ખરીદી અંગે બર્ક કહે છે કે, આ હીરો ‘ડી’ છે છે કે ‘ડી-ફ્લોલેસ’ છે એની મને ખબર નથી, પણ એની ખરીદીમાં થોડી હિંમત અને અમારા નિષ્ણાતોમાં ભરોસો હોવો જરૂરી છે. જોકે, જાણકારો કહે છેકે, “સાચું કહીએ તો, એલવીએમએચને આ ખરીદી પરવડી શકે એમ છે. વર્ષ ૨૦૧૮ની એની આવક ૪૬.૮ અબજ યુરોની અથવા બાવન અબજ યુરોની હતી.

This is what the second largest diamond in the world looks like

Introducing the world’s second ever biggest rough diamond, which comes in at an impressive 1,758 carats.

To put things into perspective, it is roughly the size of a tennis ball. The diamond was revealed as part of a partnership between Louis Vuitton and Lucara Diamond Corporation and the HB Company of Antwerp, to transform the diamond specimen.

It was discovered in April 2019 (it has since been named Sewelô, meaning Rare Find in the Setswana language) at the Karowe mine, Botswana. Weighing 352 grams, the Sewelô is the second largest rough gem diamond in recorded history, eclipsed only by the Cullinan, at 3,106 carats, discovered in South Africa in 1905, and fashioned into historic diamonds that are now in the British Crown Jewels and royal collection.

Now the next step is to assess the quality of the diamond, and then comes the fun bit: making jewellery. At the moment, the rough crystal is covered in a very thin layer of black carbon, and Louis Vuitton is working with master diamond cutters, HB Company, from Antwerp, to study it by opening a window onto the stone to gain visibility, and plot various permutations of size, colour and shape.

January 23, 2020
supreme.jpg
1min4980

સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયાનો અમલ હાલમાં અટકાવવાનો બુધવારે ઇનકાર કર્યો હતો અને કેન્દ્રને સંબંધિત અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે આ ધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓ બંધારણીય બૅન્ચને સુનાવણી માટે મોકલવાનો નિર્ણય લીધો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે અમે કાયદાના અમલને એકપક્ષી રીતે હાલમાં અટકાવી ન શકીએ. અમે બધી અરજીઓનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લઇશું. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં આ ધારાને મુદ્દે મોટા પાયે ચર્ચા થઇ રહી છે અને અમે કેન્દ્રની દલીલ સાંભળ્યા વિના કોઇ નિર્ણય નહિ લઇએ.

સર્વોચ્ચ અદાલતમાં આ ધારાની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ૧૪૩ અરજી કરાઇ છે. આ અરજીઓની સુનાવણી કરનારી બૅન્ચમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે ઉપરાંત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં નાગરિકત્વ (સુધારા) ધારા હેઠળ નાગરિકત્વ આપવાની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. જેઓને નાગરિકત્વ અપાઇ જશે, તેઓ પાસેથી પાછું લેવાશે નહિ અને તેથી આ કાયદાના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

વકીલ વિકાસ સિંહે આસામમાં નાગરિકત્વ (સુધારા) ધારાના અમલના સંબંધમાં એકપક્ષી ચુકાદાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે આ કિસ્સામાં આસામની હાલત અલગ છે. આ કેસને લગતી છેલ્લી સુનાવણીથી અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ લોકો રાજ્યમાં ઘૂસી ગયા છે.

દેશના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આસામ અને ત્રિપુરાના કિસ્સાને અન્ય રાજ્યોથી અલગ રીતે હાથ ધરાશે.

વકીલ કપિલ સિબલે નાગરિકત્વ સુધારા કાયદાનો બે મહિના અમલ નહિ કરવા, આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરનો એપ્રિલથી થનારો અમલ રોકવાની વિનંતિ કરી હતી.

ઍટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં માત્ર ૬૦ અરજીની નકલ મળી છે. કેન્દ્ર સરકારને બધી અરજીની નકલ આપવા અરજ કરીએ છીએ. અમને જવાબ આપવા માટે છ અઠવાડિયાંનો સમય લાગશે.

તેમણે જણાવ્યું હતું કે દેશની બધી વડી અદાલતોને નાગરિકત્વ સુધારા ધારાને લગતી અરજીઓની હાલમાં સુનાવણી નહિ કરવાની સૂચના આપવી જોઇએ.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો અને વડી અદાલતોને સંબંધિત સુનાવણી હાલમાં નહિ કરવાનો આદેશ આપવા સહમત થઇ હતી.

નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અગાઉ ૬૦ અરજી કરાઇ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસ દરમિયાન નવી ૮૩ અરજી કરાઇ હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આસામ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાંના આ કાયદાના અમલને પડકારતી અરજીઓની સુનાવણી બે અઠવાડિયાં પછી અલગથી જ કરાશે. જે અરજીઓ કેન્દ્રને નથી મળી તેઓનો જવાબ આપવા ચાર અઠવાડિયાંનો સમય આપીએ છીએ. અમે અમુક અરજીની સુનાવણી ચૅમ્બરમાં કરીશું.

January 22, 2020
cars.jpeg
1min5200

મોટર વીમા ઉદ્યોગમાં ટૂંક સમયમાં વપરાશ આધારિત પ્રીમિયમ લાગુ થવાની શક્યતા છે. વીમા કંપનીઓ એકથી વધારે કાર ધરાવતા સિંગલ માલિકને પ્રત્યેક કારના અપેક્ષિત વપરાશ આધારિત કવર આપવાના પ્લાન લોન્ચ કરી રહી છે. આમ, પહેલીવાર ગ્રાહકને મલ્ટિપલ વ્હિકલ્સ માટે સિંગલ પોલિસી ખરીદવાનો વિકલ્પ મળશે, જેમાં પ્રત્યેક કારની સબ-લિમિટ અલગ-અલગ હશે.

ICICI લોમ્બાર્ડ દ્વારા ‘ફ્લોટર’ પોલિસી વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો જ્યાં સુધી એકસાથે બે વાહનો નહીં ચલાવે ત્યાં સુધી તેમની સમ ઇન્સ્યોર્ડનો ઉપયોગ કરી શકશે. ICICI લોમ્બાર્ડની ‘સિંગલ ઓનર, મલ્ટિપલ વ્હિકલ’ ફ્લોટર પોલિસી એપ્લિકેશન આધારિત ઇન્ટરફેસ છે, જેનાથી મલ્ટિપલ વાહનોને એકસાથે લિન્ક કરવામાં મદદ મળશે. આ ‘ફ્લોટર’ વિકલ્પ અત્યારે ફેમિલી હેલ્થ પોલિસીમાં ઉપલબ્ધ છે, જેમાં પરિવારનો એક સભ્ય સિંગલ સમ ઇન્શ્યોર્ડ દ્વારા પરિવારના અન્ય સભ્યોને પણ આવરી લે છે.

“એક ફ્લોટર પોલિસી હેઠળ જ ત્રણથી ચાર કારનો વીમો લઈ શકાશે, જેનો અર્થ એ થયો કે, એક જ પોલિસી દ્વારા ત્રણ કારનું કવર મળશે. આ પ્રોટોટાઇપ છ મહિના માટે માન્ય રહેશે અને આ સમયગાળામાં તે કારગત નીવડશે તો કંપનીઓ તેને લોન્ચ કરી શકશે. કંપનીઓ વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ લોન્ચ કરશે, જેથી ગ્રાહકને તેની ડ્રાઇવિંગ પસંદગીના આધારે તેમના પ્રીમિયમની ચુકવણી કરવાનો વિકલ્પ મળશે.

મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અત્યારે ગ્રાહકો પાસેથી ‘ઓન ડેમેજ પ્રીમિયમ’ ચાર્જ કરે છે, જેનો આધાર વાહનોના મોડલ, બનાવટના વર્ષ, સ્થળ પર રહેલો છે અને આ પોલિસી પર નો-ક્લેમ બોનસ લાગુ પડે છે. નવી પોલિસીમાં વાહન માલિકની ડ્રાઇવિંગ આદતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગ્રાહક કેટલી ઝડપથી વાહન ચલાવે છે, કેટલું ટ્રાવેલ કરે છે અને કેટલીવાર સખત બ્રેક મારે છે જેવી બાબતોને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. ડ્રાઇવિંગની આદતનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ થશે અને જો ગ્રાહક સલામત સવારી કરતો હશે તો તેને રિવોર્ડ પણ મળશે. રિન્યુઅલ વખતે ગ્રાહકના ‘ઓન ડેમેજ પ્રીમિયમ’માં ગ્રાહકો તેમનો સ્કોર જોઈ શકશે. ગ્રાહકો એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે આ વિકલ્પ પસંદ કરી શકશે.

January 22, 2020
sharapova.jpeg
1min5910

ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને’ ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી.

32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નડાલે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.

મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.

ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે

January 22, 2020
kejriwalinqueue.jpg
1min5160

સાત-સાત કલાક સુધી વાટ જોયા પછી આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા હતાં. તેઓ નામાંકન દાખલ કરવા માટે બપોરે 12 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતાં પણ ત્યાં ઉપસ્થિત અપક્ષ ઉમેદવારોએ તેમને વચ્ચેથી ઉમેદવારી નોંધાવવા દીધી નહોતી. જેને પગલે કેજરીવાલને સાત કલાકની લાંબી અકળાવનારી રાહ જોવી પડી હતી.

દિલ્હીનાં જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીએ કેજરીવાલ બપોરે પહોંચી ગયા હતાં. તેમની પાસે ટોકન નંબર 4પ હતો. જેને પગલે ત્યાં અગાઉથી પોતાનાં વારાની વાટ જોઈ રહેલા અપક્ષ ઉમેદવારોએ તેમને વહેલા અંદર જવા દીધા નહોતા.’ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિશે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી સાજીશ કરે તો પણ કેજરીવાલને ઉમેદવારી નોંધાવતા રોકી નહીં શકે. એક દિવસ પહેલા સોમવારે પણ પોતાના રોડ શો માં ભારે ભીડના કારને બપોરે 3 વાગ્યનાં નિયત સમય સુધીમાં તેઓ જામનગર હાઉસ ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરી શકયા ન હતા.

કેજરીવાલે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ નામાંકન માટે વાટ જોઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવવામાં મોટી કતાર છે. લોકતંત્રનાં પર્વમાં આટલા લોકો ભાગ લઈ રહ્યા છે એ ખુબ જ ખુશીની વાત છે.

જે લોકો કેજરીવાલ પહેલા ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતાં એ ડીટીસીનાં કર્મચારીઓ હતાં. જેમને 2018નાં ધરણા દરમિયાન નોકરી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા. એ વખતે કુલ 250 જેટલા કર્મચારીઓને કાઢી મૂકાયા હતાં અને તેમાંથી 30 દ્વારા આજે ઉમેદવારી નોંધાવાઈ હતી. તે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચાતરીને કેજરીવાલ જ્યારે આજે ઉમેદવારી નોંધાવવા અંદર પ્રવેશી ગયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને પછી નાછૂટકે કેજરીવાલને રાહ જોવાનો વારો આવ્યો હતો.

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min9710

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 22, 2020
indiavsnz.jpg
1min4790

વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ગઈ કાલે છ અઠવાડિયાના પ્રવાસ માટે ન્યૂ ઝીલૅન્ડ પહોંચી ગયા હતા. તેઓ શુક્રવાર (૨૪ જાન્યુઆરી)થી કિવીઓ સામે પાંચ ટી-ટ્વેન્ટીની શ્રેણી રમશે. ત્યાર પછી બન્ને દેશો વચ્ચે ત્રણ વન-ડે અને છેલ્લે બે ટેસ્ટ-મૅચ રમાશે. ટેસ્ટ-સિરીઝ બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપ રમાવાની છે.

વિરાટે કિવીલૅન્ડ પર પગ મૂકતાંની સાથે જ શાર્દુલ ઠાકુર તથા શ્રેયસ ઐયર સાથે ફોટો પડાવીને એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને એ સાથે લખ્યું હતું, ‘ઑકલૅન્ડમાં થોડી જ વાર પહેલાં અમે પગ મૂક્યો. લેટ્સ ગો.’

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને, શ્રીલંકાના અને છેલ્લે ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ બુલંદ જોશ અને જુસ્સા સાથે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા છે. કિવી ખેલાડીઓને પહેલા બૉલથી જ પ્રેશરમાં લાવવાની વિરાટે સાથી-ખેલાડીઓને સૂચના આપી દીધી છે.

ભારતીયો ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા હતા જ્યાં તેમણે કિવી ટીમને વન-ડે શ્રેણીમાં ૪-૧થી હરાવી હતી. જોકે, ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો.