ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાનાર છે. પ્રથમ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ પર 1-0ની લીડ ધરાવે છે. આવતીકાલની મેચમાં કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પણ શાનદાર દેખાવ કરીને વાપસી કરવા માટે ઇચ્છુક છે. જેથી મેચ રોમાંચક બની શકે છે.
પ્રથમ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ટ્વેન્ટી મેચમાં 400 કરતા પણ વધારે રન થયા હતા.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને ન્યુઝીલેન્ડ સામે દેખાવ સુધારવાની તક રહેલી છે.
ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યુ છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી 2018-19માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી.
આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો તેમની વચ્ચે આજની મેચ સાથે 12 મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે.પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણી રમાનાર છે. વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.
બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ 26મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ’ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.પ્રથમ મેચમાં ભારતે’ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બાટિંગની મદદથી’ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આની સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઇડન પાર્ક મેદાન પર ભારતે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે પાંચ વિકેટે 203 રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 204 રન બનાવીને મેચ જીતી ગઈ હતી.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.
વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.
રાજસ્થાન વિધાનસભાએ શનિવારે નાગરિકત્વ સુધારિત કાયદો (સીએએ)ને પાછો ખેંચવાની દરખાસ્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ રાજકીય રમત રમી રહી છે.
પંજાબ બાજ રાજસ્થાન બીજું કોંગ્રેસની સત્તા હેઠળનું રાજ્ય છે જ્યાં આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળ વિધાનસભામાં પણ સીએએ સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં વોઇસ વોટ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), ૨૦૨૦ના અપડેશનની પ્રક્રિયા પણ રદ કરવાનું કેન્દ્ર સરકારને કહ્યું હતું.
‘સીએએ દ્વારા બંધારણની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો હોવાના પુરાવા છે. તેથી દેશમાં એકતા બનાવી રાખવા તથા ધર્મના આધારે નાગરિકત્વ આપીને ભેદભાવ કરવાનું ટાળવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે છે’, એમ સંસદીય બાબતના પ્રધાન શાંતિ ધરિવાલે જણાવ્યું હતું.
વિપક્ષ નેતા ગુલાબ કટારિયાએ રાજ્ય વિધાનસભામાં કાયદાને પડકારવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યો હતો.
‘નાગરિકત્વ પૂરું પાડવું એ કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આવે છે અને આવી પરિસ્થિતિમાં સીએએને પડકારવાનો અધિકાર આપણને છે? કોંગ્રેસે વોટ બેંક માટે અને ગંદું રાજકારણ બંધ કરવું જોઇએ’, એમ ભાજપી નેતાએ જણાવ્યું હતું.
પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.
ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.
સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.
ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.
ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.
ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.
સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા
Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.
The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.
The programme will be of two weeks duration during summer holidays (May 11-22, 2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.
3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.
The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.
S.No
Description
Weightage
1
Performance in the 8th Std Examination
60%
2
Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level (The higher level will be considered for weightage)
2/4/6/10%
3
Winners of District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)
2/4/6/10%
4
Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)
5%
5
Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)
15%
Total
100%
Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.
રજિસ્ટ્રેશન ડિટેલ્સ
The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.
It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.
For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.
ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.
મુંબઈમાં ‘કોરોના’ વાઈરસના ત્રણ શંકાસ્પદ દર્દી મળી આવ્યા છે. જ્યારે પુણેમાં બે શંકાસ્પદ દર્દીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ કલ્યાણ અને નાલાસોપારાના રહેવાસીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ ચીનથી આવ્યા હતા અને હાલ તેમને પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું
હતું. ચીનમાં ‘કોરોના’ વાઈરસે માથું ઊંચક્યું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં સ્વતંત્ર વોર્ડ ચાલુ કર્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હોઈ ત્યાં જ તેમના પર સારવાર કરવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પદમજા કેસકરે જણાવ્યું હતું. ‘કોરોના’ વાઈરસના આતંકને કારણે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર અત્યાર સુધી ૧,૭૮૯ જેટલા પ્રવાસીનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી જેઓ ચીનથી આવ્યા હતા તેમનામાં આ વાઈરસના લક્ષણો જણાયા હતા.
ડૉ. કેસકરે જણાવ્યા મુજબ ચીનથી મુંબઈ આવેલા ત્રણ શંકાસ્પદ દર્દીને ઉધરસ અને શરદીનો ત્રાસ થઈ રહ્યો હતો, તેથી તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ચીનથી મુંબઈ ઍરપોર્ટ પર ઊતરનારા પ્રવાસીઓમાં ‘કોરોના’ વાઈરસનાં અમુક લક્ષણો જણાઈ આવે તો તેમને તાત્કાલિક પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવાની સૂચના પાલિકા તરફથી ઍરપોર્ટ પ્રશાસનને આાપવામાં આવી હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર તરફથી કસ્તુરબા હૉસ્પિટલમાં ‘કોરોના’ વાયરસ સંબંધિત દર્દીઓની વિશેષ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન ‘કોરોના’ વાઈરસના ઈન્ફેક્શનના શંકાસ્પદ કોઈ દર્દી જણાયા હતા, પણ સ્ક્રિનિંગ દરમિયાન જ ત્રણ મુંબઈના અને ત્રણ પુણેના એમ છ દર્દીઓને મેડિકલ ઍક્ઝામિનેશનલ કરવા માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જેમાં ચાર લોકોમાં કોઈ ઈન્ફેકશન જણાયું નહોતું, તો બેને મામૂલી શરદી અને ઉધરસ હોવાથી તકેદારીના પગલારૂપે કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય ખાતાના કહેવા મુજબ છેલ્લા ૧૪ દિવસમાં ચીનના વુહાન શહેરથી આવેલા કોઈ પ્રવાસી થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન પોઝિટિવ (‘કોરોના’ વાઈરસ) જણાયો નથી.
ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ ‘કોરોના’ વાઈરસનો દર્દી નોંધાયો હતો. ‘કોરોના’ વાઈરસનની ચપેટમાં આવી જવાને કારણે અત્યાર સુધી ૨૫નાં મોત થયા છે. આ વાઈરસનો ચેપ લાગ્યા બાદ ઉધરસ થવી, શ્ર્વાસ લેવામાં ત્રાસ થવા જેવાં લક્ષણો જણાતા હોવાનું વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઈઝેશને જણાવ્યું હતું.
‘કોરોના’ વાઈરસને પગલે પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં અલાયદો સ્વતંત્ર વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસનું ઈન્ફેકશન થયું હોવાની શંકા હોય તેવા દર્દીની તપાસ કરીને તેની સારવાર કરવામાં આવશે એવું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટના ડૉકટરોને ચીનથી આવનારા પ્રવાસીઓમાં જો ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક કસ્તુરબા હૉસ્પિટલ મોકલી દેવાની સૂચના પણ આપવામાં આવી છે.
પાલિકાએ તો ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દી માટે કસ્તુરબા હૉસ્પિટલમાં વ્યવસ્થા કરી છે, પણ ચીનથી જો કોઈ પ્રવાસી મુંબઈ આવ્યો હોય અને તેનામાં ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તે માટે શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરનારા ડૉકટરો તથા ખાનગી હૉસ્પિટલોનેે પણ ઍલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું.
ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કૉરોના વાઈરસને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહેલા ચીને શનિવાર તા.25મી જાન્યુઆરી 202ના રોજ કહ્યું હતું કે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 41 વ્યક્તિનો ભોગ લેનારાં આ જીવલેણ વાઈરસનો ભોગ બનેલા દરદીઓ માટે શરૂ કરવામાં આવેલી ૧૦૦૦ પલંગ ધરાવતી હૉસ્પિટલમાં 1500 કરતા પણ વધુ દરદી ભરતી થયા હોવાનાં અહેવાલને સમર્થન આપ્યું હતું. દરદીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારના રોજ જાહેર કર્યું હતું કે, વાયરસની લપેટમાં આવેલા 1287 મામલાઓમાંથી 237 લોકોની સ્થિતિ ગંભીર છે. ન્યૂમોનિયા જેવા આ વાયરસના કારણે અત્યારસુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચીનના મધ્ય હુબેઈમાંથી 39 મોત નિપજ્યા છે જ્યારે એક મોત ઉત્તરપૂર્વીય હીલોંગજિયાંગમાં થયું છે. આયોગે જણાવ્યુ કે કુલ 1965 સંદિગ્ધ મામલાઓ નોંધાયા હોવાનો અહેવાલ છે. વુહાન અને હુબેઈમાં તમામ સાર્વજનિક અવરજવર સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે.
બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ ચીને જીવલેણ વાઈરસનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરની આસપાસના વધુ ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદતા કુલ ૧૩ શહેરના ૪.૧ કરોડ લોકો પર તેની અસર થઈ છે.
વાઈરસ સૌપ્રથમ જ્યાં જોવા મળ્યો હતો તે સેન્ટ્રલ હુબેઈ પ્રાન્તમાં આવેલા ઝિયાનિંગ, ઝિયાગાન, ઍન્શી અને ઝિજિયાન્ગ શહેરના અધિકારીઓએ કહ્યું હતું કે આ શહેરોમાં બસ અને રેલવે સહિતની તમામ પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે.
૮૦૦ કરતા પણ વધુ લોકોને ચેપ લગાડનાર નવા કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો તેમાં ઉપરોક્ત શહેરોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
હુબઈ પ્રાન્તની રાજધાની ગણાતા વૂહાન શહેરમાં સૌપ્રથમ આ વાઈરસ દેખાયો હતો.
આ શહેરની સીફૂડ અને ઍનિમલ માર્કેટ આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું.
સાડાપાંચ લાખની વસતિ ધરાવતા ઝિજિયાન્ગમાં ફાર્માને બાદ કરતા તમામ બિઝનેસ તો આઠ લાખની વસતિ ધરાવતા ઍન્શીમાં મનોરંજનનાં તમામ સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર વિજય મેળવી લીધો છે. ઓપનર કે એલ રાહુલની ઝડપી અડધી સદીની મદદથી ભારતને મજબૂત સ્ટાર્ટ મળ્યું હતું. રોહિત શર્મા સાત રન બનાવીને ભારતને આઉટ થઈ જતા ભારતીય ટીમને પ્રથમ ઝટકો વહેલો લાગ્યો હતો અને ન્યૂઝીલેન્ડના તોતિંગ સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ જણાતો હતો. કેપ્ટન વિરાટ કોહલીની 32 બોલમાં 45 રનની ઉપયોગી ઈનિંગ્સ અને શ્રેયસ ઐયરના 58 રનની મદદથી ભારતે એક ઓવર બાકી હતી ત્યારે જ આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદાર અડધી સદીની મદદથી કિવિઝ ટીમે એડન પાર્કમાં રમાયેલી પ્રથમ ટી20માં નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી બોલિંગમાં જસપ્રિત બુમરાહે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ અને શિવમ દુબેએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.
204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્માના રૂપે પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમના 16 રન હતા ત્યારે રોહિત સેંટનરની ઓવરમાં ટેલરના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. જો કે વનડાઉન બેટિંગમાં ઉતરેલા કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કે એલ રાહુલની જોડીએ 101 રનની ઉપયોગી પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ ઐયર અને મનિષ પાંડે (14) અણનમ રહીને ભારતને 19મી ઓવરમાં જીત અપાવી હતી. ઐયરની ટી20 ઈન્ટરનેશનલમાં પ્રથમ અડધી સદી રહી છે. ભારતને જીત માટે અંતિમ બે ઓવરમાં 18 રનની જરૂત હતી અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટીમ સાઉધીએ 19મી ઓવર લીધી હતી. શ્રેયસ ઐયરે સાઉધીની ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે
કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ
જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.
આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.
ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.
વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.
આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.
દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.
ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ
ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.
ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.
આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.
2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.
સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.
Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.
What is this virus?
It’s a new type of coronavirus that scientists have not seen before.
The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.
Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.
Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.
China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.
Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.
Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.
“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.