ભારત જેટલા ક્રિકેટ લવર્સ દુનિયામાં ક્યાંય નથી, Home Stay ટાઇમ કેવી રીતે પાસ કરવો ? એ પ્રશ્ન
Jayesh Brahmbhatt 98253 44944
સ્ટે હોમ કહો કે હોમ સ્ટે કહો, હાલમાં ભારત સમેત દુનિયાભરમાં લોકોના એ રીત અનુસરવાની સોનેરી સલાહ કોરોનાના વ્યાપને વધતા અટકાવવા માટે આપવામાં આવી રહી છે. ઘરે બેસીને કરવું શું, ભારતની વાત કરીએ તો ક્રિકેટ ચાહકો કરોડોની સંખ્યામાં છે અને હાલમાં ક્રિકેટની એક પણ મેચ ચાલતી નથી. ક્રિકેટ લવર્સને ફિલ્મો કે સિરીયલોમાં રસ નથી એટલે ટાઇમ પાસ કરવા માટે શું કરવું એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.
સી.આઇ.એ.એ જાંચ પડતાલ કરી તો જાણવા મળ્યું કે વિશ્વમાં સૌથી વધુ કોરોનાની અસર રમતગમત પ્રેમીઓ પર પડી છે કેમકે ક્યાંકને ક્યાંક કોઇ ટુર્નામેન્ટ રમાતી હોય અને લાઇવ ટીવી પ્રસારણમાં સમય નીકળી જતો હોય. ભારતમાં કરોડો ચાહકોના મનમાં પણ આ જ દ્વિધા છે. કેમકે વિશ્વમાં ક્યાંયે હાલમાં ક્રિકેટની કોઇ મેચ રમાતી નથી. અમે વધુ તપાસ કરી તો આશ્ચર્ય પમાડે એવી વાત જાણવા મળી.
વિશ્વમાં રોજેરોજ ઇન્ટરનેશનલ કે નેશનલ (ડોમેસ્ટિક) કોઇપણ પ્રકારની રમતો રમાતી હતી અને તેના લાઇવ પ્રસારણ સતત ટીવી ચેનલ્સ કે હોટસ્ટાર, જીઓ ટીવી જેવી એપ પર થતાં એટલે ભારતના કરોડો ક્રિકેટ લવર્સને ટાઇમ પાસ કરવામાં કોઇ તકલીફ પડી ન હતી. પરંતુ, હાલમાં કોરોનાને કારણે ક્યાંયે કોઇ ક્રિકેટ ઇવેન્ટ કે મેચ રમાતી નથી. તપાસ કરતા જાણવા મળ્યું કે છેલ્લે 75 વર્ષ પહેલા આવી સ્થિતિ સર્જાઇ હતી કે આંતર રાષ્ટ્રીય કે ડોમેસ્ટિક ક્રિકેટની કોઇ મેચ રમાતી ન હોય.
1877ની સાલથી (143 વર્ષથી) ટેસ્ટ-ક્રિકેટ રમાય છે અને ત્યારથી ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ બાદ વારાફરતી અનેક દેશોને ક્રિકેટનો ચસકો લાગ્યો હતો અને 1970ના દાયકામાં વન-ડે ક્રિકેટ તથા 2000ના દાયકામાં ટી-ટ્વેન્ટી ક્રિકેટના આગમન સાથે હવે તો અસંખ્ય દેશોમાં ‘જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી આ રમત રમાય છે તથા એમની વચ્ચે આંતરરાષ્ટ્રીય સિરીઝો તથા ટુર્નામેન્ટો રમાય છે.
જોકે, હાલમાં ક્રિકેટ માટે એવો કપરો સમય ચાલી રહ્યો છે જે અગાઉ માત્ર બે જ વખત નોંધાયો હતો. હાલમાં કોરોના વાઇરસના ફેલાવાને કારણે સમગ્ર વિશ્ર્વમાં ક્રિકેટ મૅચો રમાવાની બંધ થઈ ગઈ છે. અગાઉ આવું માત્ર બે વાર બન્યું હતું. 1914થી 1918 સુધી પ્રથમ વિશ્ર્વયુદ્ધ ચાલ્યું હતું ત્યારે ક્યાંય ક્રિકેટ મૅચો નહોતી રમાઈ. જોકે, ત્યારે ભારત ક્રિકેટની રમતમાં નહોતું પ્રવેશ્યું.
ભારતની સૌપ્રથમ ટેસ્ટ ૧૯૩૨ની સાલમાં રમાઈ હતી. બીજું વિશ્ર્વયુદ્ધ 1939થી 1945 સુધી થયું હતું અને એ વખતે પણ ક્યાંય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતી રમાઈ. તે સમયગાળામાં ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ ચાલુ હતી. જોકે, એ પછી 75 વર્ષ બાદ પહેલી વાર ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટે સદંતર વિરામ લીધો છે. આઇપીએલ સહિત અનેક શ્રેણીઓ અને ટુર્નામેન્ટો મુલતવી રાખવામાં આવી છે.
ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. ICMR મુજબ દેશમાં અત્યાર સુધી 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પૂને અને ચિંચવાડશહેરોમાં લોકડાઉનની વ્યૂહરચના અપનાવીને કોરોનાને મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે.
શહેરો બંધ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આજે મધરાતથી 31 માર્ચ સુધી મુંબઈ, MMR, પૂણે, પિંપરી ચિંચવાડ અને નાગપુર લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુંબઈ, પૂણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કોરોનાને પગલે ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શાળાકીય પરીક્ષાઓ ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે.
દિલ્હીમાં પબ્લિક પ્લેસિસ બંધ
દિલ્હીમાં કેજરીવાલ સરકારે શહેરના તમામ મૉલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં કોરોનાએ અત્યાર સુધી 4 લોકોનો ભોગ લીધો છે.
આજે તા.20મી માર્ચ 2020ની બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેતા મધ્યપ્રદેશની પોલિટીકલ ક્રાઇસીસનો અંત આવ્યો હતો. આ સાથે જ દોઢ વર્ષ જૂની મધ્યપ્રદેશ સરકારનું પતન થયું હતું.
હવે રાજ્યપાલ સંભવતઃ ભાજપને સરકાર રચવાનું નિમંત્રણ આપે એમ મનાય છે.
7 વર્ષ જેટલા લાંબી અને કાયદાકીય ગૂંચોને ઉકેલતા ઉકેલતા આખરે આજે તા.20મી માર્ચે નવી દિલ્હી સ્થિત વિશ્વભરમાં બહુચર્ચિત નિર્ભયા પર ગેંગરેપ કરીને તેની ઘાતકી હત્યા કરનારા ચારેય નરાધમો, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસી આપી દેવામાં આવી હતી છે. છેલ્લી ઘડી સુધી આ ચારેય હરામખોરોના વકીલોએ ફાંસી અટકાવવાના પ્રયાસો કરી જોયા પરંતુ, તમામ આંટીઘૂંટીઓ નિષ્ફળ નિવડી હતી.
કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તે અનુસાર બરાબર આજે શુક્રવાર તા.20મી માર્ચે સવારે 5.30ના ટકોરે તિહાર જેલના જેલરે સફેદ રુમાલ ફરકાવીને જલ્લાદને ફાંસીનું લીવર ખેંચવા ઈશારો કર્યો હતો, અને તે જ સેકન્ડે આ ચારેયના ગળામાં ફાંસીનો ફંદો મૂકાઈ ગયો હતો.
જેલ મેન્યુઅલ અનુસાર, સાડા પાંચે ફાંસી આપ્યા બાદ ચારેયને અડધો કલાક સુધી ફંદા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તિહાર જેલના મેડિકલ ઓફિસરે ફાંસીના ફંદા પર ઝૂલી રહેલા નરાધમોની નાડી ચકાસી હતી, અને આખરે તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આ સાથે જ નિર્ભયાને ન્યાય મળ્યો હતો.
ભારતમાં કોરોના સંક્રમણને રોકવા માટે દેશના સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન માધ્યમ રેલવે દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાતમાં જણાવાયું છે કે આગામી તા.31 માર્ચ 2020 સુધી તમામ પ્રવાસી ટ્રેનનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબા અંતરની ટ્રેન, એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેન ઉપરાંત પ્રીમિયમ ટ્રેનનો વ્યવહાર આગામી 31 માર્ચ રાતના 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રવિવારે કોરોનાથી પીડીત 2 દર્દીઓના મોત, એક મુંબઇ અને એક બિહાર પટણાના રહીશ
કોરોના વાયરસે ભારતમાં વધુ એકનો ભોગ લીધો છે. આ વખતે 38 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. આજ દિવસમાં ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના કોરોના પોઝિટિવ વાયરસના કારણે મોત થયું છે. આ સિવાય આજે મુંબઇમાં કોરોનાથી પોઝીટીવ હોય તેવા મુંબઇના એક બુઝુર્ગનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં 63 વર્ષની ઉંમરની વ્યક્તિનું મોત થયું છે તેઓ અગાઉથી ગંભીર બીમારીઓથી પીડાતા હતા જેના કારણે તેમના પર કોરોના વાયરસની ગંભીર અસરો થઈ હતી. મૃત્યુ પામેલી વ્યક્તિને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીથી પીડાતા હતા. જેના કારણે તેમની તબીયત વધારે ખરાબ થઈ હતી. મુંબઈન બે સિવાય દિલ્હી, કર્ણાટકા, પંજાબ અને બિહારમાં કોરોના વાયરસના કારણે 1-1 વ્યક્તિના મોત થયા છે.
તા.21મી માર્ચે ભારતમાં કોરોનાના 77 કેસો નોંધાયા
ભારતમાં કોરોનાના કેસમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. શનિવાર તા.21મી માર્ચ 2020ના રોજ જ વિવિધ રાજ્યોમાં 77 નવા કેસ સામે આવતા કોરોનાના દર્દીઓનો આંકડો 327 પર પહોંચ્યો હતો. જેમાંથી 23 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા કેસોનો ગ્રાફ હવે ઝડપથી ઉપર જઈ રહ્યો છે. 3 માર્ચના રોજ સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 6 કેસ હતા, જે 21 માર્ચ સુધી 327 પર પહોંચી ચૂક્યા છે. કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય, પરંતુ તેનાથી થયેલા મૃત્યુનો આંકડો 4 પર મર્યાદિત રહેતા સરકારે હાશકારો અનુભવ્યો છે.
ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.
કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.
હવેથી હોસ્પિટલમાં એડમિટ દરેક (SAR) સિરીયસ કેસોનું ટેસ્ટીંગ કરાશે
આ લિંક જ્યારે પણ ઓપન કરશો અપડેટેડ ન્યુઝ વાંચવા મળશે
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા કોરોનાના ભારતમાં વધતા કેસોને કાબૂમાં લેવા તેમજ સત્વરે તેની જાણ થાય તે માટે કોરોના ટેસ્ટિંગની નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે નીચે મુજબ છે. સાર કોવીડ-19 એટલે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ સાથે હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા તમામે તમામ પેશન્ટ્સનું હવે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. આ સાથે જ દર્દીઓની સારવાર કરી રહેલા તમામ સ્ટાફ તેમજ પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલા લોકોના દર 5માં દિવસે અને 14માં દિવસે કોરોના ટેસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ઉપરોક્ત ઇમેજને સત્તાવાર રીતે ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
બીજી તરફ દર્દીઓ ઉપરાંત તેમની સાથે સંસર્ગમાં આવેલા ૬૭૦૦ લોકો દેખરેખ હેઠળ હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. આરોગ્ય ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારપૂર્વક કહ્યું હતું કે સામાજિક અંતર રાખવું એ જ કૉરોના વાઈરસ સામે લડવાનો પ્રાથમિક અને સૌથી કારગત માર્ગ છે.
રવિવારે જનતા કર્ફયુ 3500થી વધુ ટ્રેનો અને 1000 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાહન પર તા.22મી માર્ચ 2020ને રવિવારે 14 કલાક સુધીના જનતા માટે દેશના બે મોટા ટ્રાન્સપોર્ટ ફેક્ટર રેલવે અને સિવિલ એવિએશને મહત્વની જાહેરાત કરી છે. એક બાજુ રેલવેએ રવિવારે દેશભરમાં 3500થી વધુ ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ દેશની બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ 1000 ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
હોસ્પિટલોને એલર્ટ મોડ પર રહેવા નિર્દેશ
કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરું કરી દીધું છે. શુક્રવારે સરકારે દેશની તમામ હોસ્પિટલો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ હોસ્પિટલો અને મેડિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટને કેટલાક બેડ અલગ કરવા અને આઈસોલેશન સુવિધા દેવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે આ એડવાઈઝરી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલ માટે જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં પૂરતી માત્રામાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. હાઈ ફ્લો ઓક્સિજન માસ્ક પણ તૈયાર રાખવામાં આવે અને કોવિડ-19 સાથે લડવા પૂરતી માત્રામાં સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવે.
ગુજરાતમાં વડોદરામાં 1 પોઝીટીવ સાથે કેસોની સંખ્યા 8 પર પહોંચી
તા.21મીએ સવારે ગુજરાતના વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ફોરેનથી આવેલા એક નાગરીકનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કેસોની સંખ્યા 8 પર પહોંચી છે. અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને રાજકોટ તથા સુરતમાં 1-1 કેસો મળીને કુલ 8 કેસ થયા છે.
શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
ટોલફ્રી 1075 નંબરનો ઉપયોગ કરો
કૉરોના વાઈરસ અંગે કોઈપણ પ્રકારની પુછપરછ કરવા ૧૦૭૫ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવાની લોકોને વિનંતી કરતા તેમણે કહ્યું હતું કે સરકાર સુરક્ષાનાં તમામ પગલાં લઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની હાકલ કરી છે. એક દિવસનો સહકાર કૉરોના વાઈરસના સંક્રમણની કડી તોડવામાં મદદ કરશે, એમ અગ્રવાલે કહ્યું હતું. જયપુરમાં શુક્રવારે મૃત્યુ પામેલા ઈટલીના નાગરિકની ભારતમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓમાં ગણતરી કરવામાં નહીં આવે એમ જણાવી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ચાર પર પહોંચ્યો છે.
કૉરોના વાઈરસ સામે લડવાની રાજ્યની ક્ષમતા વધારવા કેન્દ્રીય ટુકડીને મોકલવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે કૉરોના વાઈરસને મામલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી.
લદાખમાં કૉરોનાના વધુ બે કેસ
લદાખમાં કૉરોનાના વધુ બે કેસ નોંધાવાની સાથે જ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૉરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૧૦ પર પહોંચ્યો હોવાનું વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે કહ્યું હતું.
કમિશનર સેક્રેટરી (આરોગ્ય) રિગઝિન સામ્ફલે કહ્યું હતું કે નવા બંને કેસ લેહના ચોશોટ ગામમાં નોંધાયા હતા.
કૉરોનાના નવા બે કેસ નોંધાયા બાદ તરત જ આરોગ્ય ખાતાના અધિકારીઓએ બંને દરદીને હૉસ્પિટલના આઈસોલેશન વૉર્ડમાં ખસેડ્યા હતા, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
શુક્રવારે કરવામાં આવેલા ૧૧ પરીક્ષણ સહિત વધુ પંચાવન દરદીના ટૅસ્ટ રિપોર્ટ દિલ્હીસ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
લદાખમાં કૉરોના વાઈરસના તમામ દરદીઓની હાલત સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું.
લેહમાં બૅંકની શાખા બંધ કરવાના સરકારના નિર્ણય અંગે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા સલામતીનાં પગલાંનાં ભાગરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય ખાતાના અધિકારીનો એક પારિવારિક સભ્ય સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયાની સ્થાનિક શાખામાં કામ કરે છે. અગાઉ આ કર્મચારીનો કૉરોના ટૅસ્ટ નૅગેટિવ આવ્યો હોવા છતાં એ જ પરિવારના અન્ય એક સભ્યનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હોવાને કારણે અમે કર્મચારીના નમૂનાનું પરીક્ષણ ફરી કરવા મોકલ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
એક વખત નમૂનાના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયા બાદ બૅંક ફરી શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
અગાઉ લદાખમાં સેનાના જવાન સહિત આઠ જણમાં કૉરોનાનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હતો જેને પગલે વહીવટકર્તાઓને પ્રતિબંધિત આદેશ તેમ જ ચાર કરતા વધુ લોકો ભેગા ન થાય તે માટે બંધારણની કલમ ૧૪૪ લાગુ કરવાની ફરજ પડી હતી.
લેહ જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી વિદેશી પર્યટકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ય રાજ્યના શ્રમિકોના લેહમાં પ્રવેશ પર પણ ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કોરોના વાઈરસની સાઈડ ઈફેક્ટ અનેક થઈ છે. વાઈરસથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા નાગરિકો – પેસેન્જરનું હવાઈમથકે – બંદરોએ સ્ક્રિનિંગ કરાઈ છે છતાં અમુક પેસેન્જર છટકી જાય છે અથવા વિદેશથી આવ્યા છે તે છુપાવે છે.
સાઉથ-વેસ્ટર્ન રેલવેના એક અધિકારીને સરકારે સસ્પેન્ડ કર્યા છે, કારણ કે તેનો પુત્ર જર્મનીથી અહીં આવ્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિશે માતાએ વાત છુપાવી હતી અને રેલવેના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. રેલવેની મહિલા અધિકારીએ પુત્રની વાત છુપાવવાની સાથે તે અન્ય લોકોના સંપર્કમાં આવીને ઘણાની લાઈફ સામે જોખમ ઊભું કર્યું છે. બેંગલોર સ્ટેશન નજીકના રેલવે રેસ્ટ રૂમમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રેલવેમાં આસિસ્ટન્ટ પર્સોનલ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. તેનો ૨૫ વર્ષનો પુત્ર વાયા સ્પેન, જર્મની અને ત્યાંથી ભારત આવ્યો હતો. સ્પેનમાં વાઈરસની મોટી અસર થઈ છે. પુત્રને હોમ ક્વૉરોન્ટાઈનમાં રાખ્યા બાદ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવી હતી.
જનતા કર્ફ્યુ: દેશમાં કોઈ પ્રવાસી ટ્રેન નહીં દોડે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાવીસ માર્ચે જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુ દરમિયાન શનિવારે રાતના ૧૨ વાગ્યાથી રવિવારે રાત્રે ૧૦ વાગ્યા વચ્ચે દેશમાં એકપણ પેસેન્જર ટ્રેન દોડાવવામાં નહીં આવે, એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.
રવિવારે સવારે ચાર વાગ્યથી મૅલ અને ઍક્સ્પ્રેસ ટ્રેનસેવા પણ રોકી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પરાંની લોકલ ટ્રેનસેવાની સંખ્યામાં પણ અસાધારણ ઘટાડો કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કૉરોના વાઈરસના ભયને કારણે અને તેને વધારે ફેલાતો રોકવા પ્રવાસીઓ બિનજરૂરી પ્રવાસ ન કરે તે માટે રેલવેએ અત્યાર સુધીમાં ૨૪૫ ટ્રેન રદ કરી છે. સામાજિક અંતર જાળવી રાખવાની હાકલ કરતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે એમ કહીને બાવીસ માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ પાળવાની જાહેરાત કરી હતી. આ કર્ફ્યુ દરમિયાન કોઈ નાગરિક ઘરની બહાર નહીં નીકળે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે માત્ર અત્યાવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો જ ઘરની બહાર નીકળે.
Reported on 20 March 2020
વિશ્વમાં મૃત્યુઆંક 10,000 ને પાર : કેસોની સંખ્યા અઢીલાખ નજીક : વાંચો કયા દેશોમાં કેટલા કેસ? સંપૂર્ણ માહિતી
તા.20મી માર્ચે બપોરે 4 કલાકે કોરોના અપડેટની માહિતી મૂકતા જણાવી દઇએ કે આંતર રાષ્ટ્રીય સ્તરે હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા કમનસીબોની સંખ્યા 10,000ને પાર પહોંચી ચૂકી છે. સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. કોરોનાનો જ્યાંથી ઉદભવ થયો એ ચીન કરતા પણ વધુ મોત ઇટલીમાં સામે આવ્યા છે. નીચે મુજબના અપડેટ્સ સમગ્ર વિશ્વની માહિતી સૂચવે છે.
તા.20મી માર્ચ 2020ને બપોરે 4 કલાકે
Corona virus Cases : 2,48,699
Deaths : 10,083
Recovered : 88,563
ACTIVE CASES 1,50,053
Currently Infected Patients 1,42,613 (95%) in Mild Condition
તા.20મી માર્ચે બપોરે 11.30 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોની સત્તાવાર સંખ્યા 206ની થઇ છે. કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. 20 દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા ભારતમાં 181 હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
ઇટલીના ટુરીસ્ટ કોવીડ-19થી રિકવર થયા બાદ કાર્ડીયાક એરેસ્ટથી મોત ને ભેટ્યા હોવાની જયપુર SMS હોસ્પિટલની સ્પષ્ટતા
તા.20મી માર્ચ 2020ને સવારે જયપુરમાં ઇટલીના એક ટુરીસ્ટનું મોત નિપજ્યું હતું. પહેલા એવા ન્યુઝ સ્પ્રેડ થયા હતા કે ઇટલીના આ ટુરીસ્ટનું મોત કોવીડ19થી થયું હતું. બાદમાં હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટલીના ટુરીસ્ટ કાવીડ19માંથી રીકવર થઇ ગયા હતા અને તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હતું. આથી કોરોનાને કારણ તેમનું મોત નથી થયું હોવાની પુષ્ટી જયપુર સ્થિત હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.
અમદાવાદમાં 2 અને રાજકોટ, સુરત, વડોદરામાં 1-1 મળી કુલ 5 પોઝિટિવ કેસ
તા.20મી માર્ચે બપોરે 11.30 કલાકની માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 5 થઇ છે. રાજકોટ અને સુરતમાં તા.19મી માર્ચે એક એક કેસ પોઝીટીવ જાહેર થયા બાદ આજે તા.20મી માર્ચે સવારે અમદાવાદમાં 2 અને વડોદરામાં એક કેસ પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં પણ કોરોના વાયરસ દાખલ થઈ ગયો છે. રાજ્યમાં 2 વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા, સુરતની એક યુવતિ અને એક રાજકોટનો યુવક હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજ્યના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
સુરતમાં 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી વિદેશથી પરત ફરી હતી. યુવતીના પરિવારજનો પણ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 35 વર્ષીય વ્યક્તિ સાઉદી અરબથી આવ્યો હતો અને તે યુવક તથા તેના પરિવારજનોને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે.
કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય લોકો ઘરમાં બંધ રહે તો પ્રયાસો સફળ નિવડે
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.
કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
અમદાવાદ 13
વડોદરા 6
ગાંધીનગર 4
સૂરત 4
રાજકોટ 1
કચ્છ 2
ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી
કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી
Reported on 22 March 2020
ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 5 કેસો : કુલ 18 થયા
ગુજરાતમાં કોરોનાના આજે વધુ 5 કેસ પોઝીટીવ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 5 થવા પામી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નવા પાંચ કેસો પૈકી ત્રણ કેસ ગાંધીનગરના છે.
કયા શહેરોમાં કેટલા કેસ?
અમદાવાદ 07
સૂરત 03
વડોદરા 03
ગાંધીનગર 03
રાજકોટ 01
કચ્છ 01
કોરોના સૂરત ન્યુઝ :
તા.22મી માર્ચ 2020ને રવિવારે બપોરે 12 કલાકે સૂરતમાં કોરોનાનાના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાંથી કોરોના ટેસ્ટ માટે મોકલાયેલા વધુ 5 રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો વર્તાયો છે. સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 03 છે. 4 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાય રહી છે. જ્યારે 16 રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. સૂરતથી કુલ 23 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ અંગેની કાર્યવાહી અત્યાર હાથ ધરવામાં આવી છે.
ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.
કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.
કોરોનાના કેસો છેલ્લા ત્રણ દિવસમાં
તા.18 માર્ચ 206 પોઝીટીવ કેસ, 13,486 સેમ્પલ ટેસ્ટ
તા.19 માર્ચ 271 પોઝીટીવ કેસ, 14,811 સેમ્પલ ટેસ્ટ
તા.20 માર્ચ 341 પોઝીટીવ કેસ, 16,109 સેમ્પલ ટેસ્ટ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલું સૂત્ર Do the Five જોવા જાણવા નીચેની લિંક ક્લીક કરો
કોરોના સામેની લડાઇ ‘જનતા કર્ફયુ’ ને સૂરતીઓનો સજ્જડ રિસ્પોન્સ, દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 327 થઇ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિશ્વ માટે વસતિથી ભરપૂર ભારત સમસ્યાઓથી ભરેલો દેશ મનાય છે, પણ આજે ભારતના નાગરીકોએ દર્શાવી દીધું કે આ દેશના નાગરીકો જ તેની મોટી તાકાત છે. વિશ્વમાં સૌથી વિકસિત, અમીર, ભણેલા-ગણેલા, અદ્યતન દેશો ગણાતા હતા ત્યાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં કોરોનાનું સ્ટેટસ સ્વયં એ વાતની અનૂભુતિ કરાવે છે કે ભારતના નાગરીકો જ ભારતની સૌથી મોટી તાકાત છે. આજે તા.22મી માર્ચ 2020ને રવિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જનતા કર્ફયુની હાકલ હતી અને લોકોએ આ હાકલને જે સજ્જડ રિસ્પોન્સ આપ્યો છે એ જોતા અનુભવ્યું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એક પરિવાર છે.
સૂરતમાં સૌથી ભરચક વિસ્તાર ગણાતા વરાછા રોડ પર તા.22મી માર્ચ 2020ને રવિવારે સવારે 9 કલાકે સૂરતના પત્રકાર ગૌતમ ધાંધલિયાએ લીધેલી તસ્વીર એ વાતની પ્રતીતિ કરાવે છે કે સૂરત કેટલું સજ્જડ જનતા કર્ફયુનું પાલન કરી રહ્યું છે
We the People of India : વિકસિત દેશોના નાગરીકો ન કરી શક્યા એ સ્વયં શિસ્ત આપણે સૌ એ અનુસરી
સૂરતની વાત કરીએ તો સૂરતના લોકોએ જનતા કર્ફયુને જે રિસપોન્સ આપ્યો છે કાબિલે તારીફ છે. કોરોનાના અટકાવી દેવા માટે આપણે સૌ સ્લો ડાઉન થયા, સોશ્યલ ડિસ્ટન્સીંગ કરી રહ્યા છે. ભલભલા વિકસિત દેશો આ કરી શક્યા ન હતા. ઇટલી, સ્પેન, ઇરાન જેવા દેશોમાં કોરોના મહામારીએ જે કેર વર્તાવ્યો એના પરથી ભારતે બોધપાઠ લીધો છે અને જે કેન્દ્ર અને રાજ્યની સરકારો જે પગલાં ભરી રહી છે એને સિટીઝન્સ ઓફ ઇન્ડિયાનો રિસપોન્સ મળી રહ્યો છે એ દાદ આપવાને લાયક છે.
ભારત વિશ્વ માટે પ્રેરણાદાયી
જનતા કર્ફયુને જે રિસ્પોન્સ આપણે સૌ આપી રહ્યા છે એ જોતા કોરોનાને ભારત પછડાટ આપશે જ એ નક્કી છે, કોરોનાથી કદાચ આટલા મોટા દેશને બહુ ઓછું નુકસાન થશે જો આ જ પ્રકારે સરકારના નિર્ણયોને આપણે રિસ્પોન્સ આપતા રહીશું. આજે ભારતીય નાગરીકોએ દેખાડી દીધું કે વિશ્વ માટે ભલે સમસ્યાઓનો દેશ ગણાતો હોય ભારત, ઓછા ભણેલા, બિનઅદ્યતન, નોનહાઇજેનિક જેવા વિશેષણો જેને અપાઇ રહ્યા હતા એ ભારતના નાગરીકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા કોરોના જેવી મહામારી માટે જે લડત ચલાવી રહ્યું છે એ સાચે જ વિશ્વભર માટે પ્રેરણાદાયી નિવડશે.
કોરોના સામેની પ્રારંભિક લડાઇ ભારત જીતી ચૂક્યું છે
આજે સ્પેન, ઇટલી, યુરોપ, અમેરીકા, કોરીયા વગેરે જેવા વિકસિત દેશો કે જ્યાં હાઇજેનિક સ્ટાન્ડર્ડ ભારતના પેરામિટર્સની સરખામણીમાં ઉંચો આંક ધરાવે છે ત્યાં કોરોનાએ જે ખુંવારી કરી છે તેની સરખામણીમાં ભારતમાં કોરોનાને માઇલેજ મળ્યું નથી. વિશ્વભરમાં એ વાતની નોંધ લેવાય રહી છે જે રીતે ભારતની છાપ છે, જેટલી ભારતની વસતિ ગીચતા છે એ જોતા કોરોના વાઇરસ ભારતમાં પગપેસારો કરીને મોટી મહામારી બની ચૂક્યો હશે. પરંતુ, પ્રાથમિક લડાઇ એટલે કે સ્ટેજ એક અને સ્ટેજ બેમાં કોરોના ભારતમાં કશું ઝાઝું નુકસાન કરી શક્યો નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે જે પગલાંઓ ભર્યા એ સમયસરના હોવા કરતા પાણી પહેલા પાળ સમાન બની રહ્યા છે. કોરોના સામેની પહેલા બે સ્ટેજની લડાઇ ભારત જીતી ચૂક્યું છે.
સૂરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ 25 માર્ચ સુધી લોકડાઉન
ગુજરાતમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતિનો સામનો કરવા અને તેની સમીક્ષા માટે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં એક બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિશ્વમાં જોવા મળેલા ટ્રેન્ડ પ્રમાણે કોરોના વાયરસનો વ્યાપ બીજા અને ત્રીજા સ્ટેજમાં વધારે હોય છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે 25 માર્ચ બુધવાર સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં ફક્ત જીવન જરૂરિયાતની એટલે કે ખાદ્ય સામગ્રી, મેડિકલ તથા આરોગ્યલક્ષી દુકાનો જ ખુલ્લી રહેશે.
ચાર મહાનગરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિણાયુ, પ્રોવિઝનલ સ્ટોર્સ તથા મેડિકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્ય લક્ષી સેવાઓ જ ચાલું રહેશે. આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ પણ ચાલું રહેશે.
શનિવારે રાત્રે 8 વાગ્યે સૂરત શહેરમાં કોરોના અંગેના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાં કુલ 03 કેસ પોઝીટીવ થવા સાથે 09 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 11 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ આવ્યા છે. સૂરતમાં મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર અંદાજે 55000 મુસાફરો હોમ કોરન્ટાઇનનું પાલન કરી રહ્યા છે.
સૂરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૂરત તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોના અંગેની પરિસ્થિતિ જો વકરે તો તેના માટે તૈયારીના ભાગરૂપે સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સંકુલમાં હાલમાં કાર્યાન્વિત થઇ રહેલા સ્ટેમસેલ સંકુલમાં કુલ 120 બેડની હોસ્પિટલ આગામી 72 કલાકમાં કાર્યરત કરી દેવા અંગેની તૈયારી આદરી દેવામાં આવી છે. આ કામનો શુભારંભ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ શ્રીફળ વધેરીને કરાવ્યો હતો.
જનતા કર્ફયુ માટે સૂરતના ધંધા-ઉદ્યોગ, સંસ્થા-સંગઠનો બધા જ તૈયાર
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મહાનગરપાલિકામાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગના આગેવાનો સાથે મહત્વની મિટીંગ મળી સુરત મહાનગરપાલિકા ખાતે આજે સવારે સાડા દસ કલાકે રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, મેયરશ્રી ડો. જગદીશ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નિરવ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, સુરતના કલેકટર રહી ચૂકેલા તેમજ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા ખાસ ડેપ્યુટ કરાયેલા શ્રી મહેન્દ્ર પટેલની આગેવાનીમાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગ જગતના આગેવાનો સાથે મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કોરોના વાયરસની આપત્તી સામે વેપાર – ઉદ્યોગ માટે શુ કરી શકાય તે માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટીંગમાં
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇ અને
ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયા તથા
એપીએમસી,
ક્રેડાઇ,
સુરત ડાયમંડ એસોસિએશન,
ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન,
ફોસ્ટા,
ફોગવા,
સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ એસોસિએશન,
કેમિકલ સેકટર,
વેડરોડ વિવર્સ એસોસિએશન,
પાંડેસરા વિવર્સ એસોસિએશન,
જવેલરી મેન્યુફેકચરીંગ એસોસિએશન અને
સચિન જીઆઇડીસીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
મંત્રીશ્રી, મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને શ્રી મહેન્દ્ર પટેલ દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી તેની ગંભીરતા વિશે સર્વેને વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ આગામી રર, ર૩ અને ર૪મી માર્ચ ર૦ર૦ સુધી ધંધો–રોજગારને બંધ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. સાથે જ કારીગરોના પગાર ન કાપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
તદુપરાંત રવિવાર, રર માર્ચ ર૦ર૦ના રોજ સર્વેને જનતા કફર્યુનુ પાલન કરવાનું જણાવવામાં આવ્યુ હતુ. મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ માર્ચ એન્ડીંગ હોવાથી ઉદ્યોગકારો અને વેપારીઓના જીએસટી, ઇન્કમટેક્ષ, વિવિધ પ્રકારના ટેક્ષો ઉપરાંત બેંકોના હપ્તા અને વ્યાજ વિગેરે બાબતમાં રાહત માટે જરૂરી રજૂઆત રાજય સરકાર અને કેન્દ્ર સરકારને કરવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. વિવિધ ક્ષેત્રના સર્વે ઉદ્યોગકારોએ તેમના એકમો તા. રર, ર૩ અને ર૪મી માર્ચ સુધી બંધ રાખવામાં આવશે તેમજ કારીગરોને કોઇ તકલીફ નહીં પડે તેની કાળજી રાખી તેઓને રૂપિયાની સવલત પણ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
એપીએમસીના પ્રમુખ શ્રી રમણ જાનીએ વર્તમાન પરિસ્થિતિમાં સરદાર માર્કેટમાં શાકભાજી અને ફળફળાદી માટેની તકલીફ નહીં પડે તેવી ખાતરી આપી હતી. સહરા દરવાજા ખાતે આવેલા કૃષી બજાર દ્વારા લોકોને ઘરબેઠા શાકભાજી અને કરીયાણું મળી રહે તે માટેની ફ્રી હોમ ડિલીવરીની સુવિધા કરવામાં આવી છે. એના માટે લેન્ડલાઇન નંબર (૦ર૬૧ – ર૪૯૦૧૭૦/૭૧) ઉપર ફોન કરી શકાશે. મિટીંગના અંતે સર્વે એસોસિએશનોના પ્રતિનિધીઓએ પોતપોતાના સભ્યોને ધંધો–રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
બપોરે દોઢ વાગ્યા સુધીના સમાચાર
તા.21મી માર્ચ 2020ના રોજ બપોરે દોઢ વાગ્યે મળેલી માહિત મુજબ સૂરત શહેરમાં કોરોના પોઝીટીવનો બીજા બે દર્દી મળી આવ્યા હોવાના બિનસત્તાવાર રિપોર્ટ મળ્યા છે.
કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત બાબુ નિવાસની શેરી નજીક રહેતા એક 67 વર્ષિય પ્રૌઢ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીની કોઇ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે.
આ વ્યક્તિ જયપુર અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને છેલ્લા ત્રણેક દિવસથી મહાવીર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, બાદમાં તેમને મેડીકલ રિપોર્ટ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
સૂરત મહાનગરપાલિકાએ સમગ્ર વિસ્તારને હોમ કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ એ વ્યક્તિ જયપુર-દિલ્હીથી આવ્યા હતા. સૂરત મહાનગરપાલિકાએ એ રહેવાસી જ્યાં રહેતા હતા એને સંપૂર્ણપણે લોકડાઉન કરીને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે.
અઠવાઝોન વિસ્તારના એક યુવકને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો
અઠવાઝોન વિસ્તારમાંથી 23 વર્ષિય એક યુવક કે જે તાજેતરમાં શ્રીલંકા અને દુબઇની ફોરેન ટ્રીપ હિસ્ટ્રી ધરાવે છે તેને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. એનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા છે
સૂરતમાં એક તરફ પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ આખા ગામને સલાહ આપતા સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. સૂરતમાં પાનના ગલ્લાઓ અને ગલીના નાકાઓ પર અડીંગો જમાવીને લોકો બેસી રહ્યા છે.
સૂરતમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : સી.આર. પાટીલ
નવસારીના સાંસદ અને સૂરતના નેતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સૂરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે સૂરતના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ્સને અમદાવાદ મોકલવા નહીં પડે. સૂરતમાં 24 કલાકમાં જ રિપોર્ટ આવતા થઇ જશે. સૂરત શહેર માટે આ સુવિધા ઉપયોગી થઇ પડશે.
સત્તાવાર રીતે મળેલા સમાચારો મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 13 થઇ ગઇ છે. સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 08 હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે બપોરે સવા વાગ્યાના અરસામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 13 થઇ છે. રાજ્ય સરકાર તેમજ રાજ્યની તમામ હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે સજ્જ છે.
સૂરતમાં બિનઆવશ્યક સેવાના ધંધાકીય એકમો ટૂંક સમયમાં બંધ થશે, કરીયાણુ, શાકભાજી, ફ્રુટ અને દવાઓની દુકાનો ચાલુ રહેશે : Surat મ્યુનિસિપલ કમિશનર
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3, રાજકોટ અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા Vodadora તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
નિઝામપુરામાં રહેતા 52 વર્ષીય વ્યક્તિ 14 માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. ત્યારબાદ 19 માર્ચે તેઓ તપાસ માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા. કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માટે સેમ્પલ લેબમાં મોકલાયો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Surat : 50 હજારથી વધુ પેસેન્જરો સેલ્ફ કોરન્ટાઇન રહ્યાની SMC કમિશનરની ટ્વીટ
મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીએ આજે તા.21મી માર્ચે બપોરે બાર વાગ્યાના અરસામાં એક ટ્વટી કરીને જાણકારી આપી હતી કે તા.20મી માર્ચ 2020ના રોજ સૂરતમાં અંદાજે 50000થી વધુ વિદેશથી આવેલા પેસેન્જરો ઇન્ડોર એટલે કે પોતાના ઘરોમાં રહ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સીંગ કરવા બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.
ગુજરાત : ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી
ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ આવ્યાના પગલે સરકાર અને મનપા તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદની કંપનીને કોવિદ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.
રાજકોટમાં કોરોનાના એક દર્દીને પગલે ૨૫ હજાર લોકોનો સર્વે
જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળતાં આ વિસ્તારમાં ગુરુવારથી જ આરોગ્યની ટુકડીઓ ઉતારી દેવાઈ હતી. અહીં અંદાજે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ કામે લગાડાઈ છે અને ૨૫૦૦૦ જેટલા લોકો અહીં વસે છે, તેઓનો ઘરેઘરે જઈને આરોગ્ય સંબંધી સર્વે શરૂ કરાયો હતો. જે રહેવાસીઓને શંકાસ્પદ દર્દી તરીકે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, તેઓ માટે મ્યુનિ. કોર્પોરેશનના નવા રેઇન બસેરામાં તથા પથિકાશ્રમમાં ખાસ ક્વોરન્ટાઇન સેન્ટરો બનાવાયા છે.
ક્વૉરન્ટાઈનમાં રહેનારાને મફત દૂધ અને દવા
ગુજરાતમાં કોરોનાના સાત પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરતા જણાવ્યું હતું કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે ૧૪ દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મનપા દ્વારા મફતમાં ઘરે પહોંચાડશે. મનપા કમિશનરે અપીલ કરી છે કે વિદેશથી આવેલા તમામ લોકોના પરિવારજનોએ આ સુવિધાનો લાભ લેવો.
અમદાવાદમાં પાનના ગલ્લા પર પ્રતિબંધ
અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિસિપાલિટી સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે. મનપા સિવિક સેન્ટર્સે ૩૧ માર્ચ સુધી આ બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આજથી અમદાવાદના પાનના તમામ ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે.
૩૧ માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. ૫૦૦થી વધારીને રૂ. ૧૦૦૦ કરાશે અને દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી તેની અટક કરાશે. મનપાનો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે.
માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા
કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રની ૨૫ ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની ૩૫૫ જેટલી દવાઓની દુકાનોમાં તપાસ કરાઇ હતી, જે પૈકી અમદાવાદમાં ૩૦, સુરતમાં ૧૮, રાજકોટમાં ૧૫ અને વડોદરામાં ૧૦ દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનિટાઇઝર્સના કાળાબજાર થતા ધ્યાનમાં આવ્યા હતા. આ દુકાનોને તાત્કાલિક બંધ કરાવી શો કોઝ નોટિસ આપવામાં આવી હતી.
કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા વરિષ્ઠ નાગરિકો અને દશ વર્ષથી ઓછી વયના બાળકોને ઘરની અંદર રહેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચન કર્યું હતું. માસ્ક, સેનિરાઈઝર્સ અને આરોગ્ય સંબંધીત સામગ્રી માટે વધુ પડતી કિંમત લેનાાઓ સામે પગલાં ભરવા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસિટીકલ્સ અને ક્ધઝયુમર અર્ફેસ મંત્રલાયને જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જાહેર સેવક/ સરકારી કર્મચારી/ તબીબી ક્ષેત્રના પ્રોફેસનલ્સ સિવાયના ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝન્સને ઘરમાં રહેવાનુંં સૂચવ કરવામાં આવ્યું છે.
દરમ્યાન વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ડી. રવિએ કહ્યું કે બુધવારે ઈરાનથી ૨૦૧ ભારતીઓને પાછા લાવવામાં આવ્યા હતા. એવિયેશન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુબિના અલીએ કહ્યું કે “૨૧મી માર્ચે એર ઈન્ડિયા રોમમાં જશે અને ત્યાં ફસાયેલા ભારતીયોને લઈને ૨૨મી માર્ચે પાછું ફરશે.’
દર્દીઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગજન શ્રેણી સિવાય અન્ય રેલટિકિટો પર ૨૦ માર્ચ મધ્યરાત્રિથી ક્ધસેશન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે પચાસ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે તો બાકીના કર્મચારીઓને દરરોજ ઑફિસમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.
કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપ કર્મચારીઓને કામ માટે જુદા જુદા કલાકો ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ગ્રુપ બી અને ગ્રુપ સીના પચાસ ટકા કર્મચારીઓએ ઑફિસમાં દરરોજ હાજર રહેવું ને બાકીના પચાસ ટકા લોકોએ ઘરેથી કામ કરવું.
ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ માટે અઠવાડિક ધોરણે વારાફરતી આ આદેશનો અમલ કરવાનું વિભાગીય વડાને જણાવી દેવામાં આવ્યું છે.
નવું સમયપત્રક બનાવતી વખતે પહેલા અઠવાડિયામાં ઑફિસની નજીકના વિસ્તારમાં રહેતા કર્મચારીઓનો તેમાં સમાવેશ કરવાની વિભાગીય વડાઓને સલાહ આપવામાં આવી છે.
આદેશમાં કરવામાં આવેલા સૂચન મુજબ કર્મચારીઓને ત્રણ જૂથમાં વિભાજિત કરી દેવા અને તેમનો ઑફિસનો સમય અનુક્રમે સવારે ૯:૦૦થી સાંજે ૫:૩૦, સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦ અને સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૩૦નો રાખવો. ઘરેથી કામ કરતી વ્યક્તિ સંપૂર્ણ સમય ટેલિફોન તેમ જ અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે સતત ઉપલબ્ધ રહેવી જોઈએ અને અનિવાર્ય સંજોગોમાં જો તેમને બોલાવવામાં આવે તો તેમણે ઑફિસે હાજર થવાનું રહેશે.
તાકીદની તેમ જ જરૂરી સેવામાં રોકાયેલા તેમ જ કૉરોના વાઈરસને ફેલાતો અટકાવવાના કામમાં રોકાયેલા કર્મચારીઓને આ નિયમ લાગુ નહીં પડે એમ બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
ડિપાર્ટમેન્ટ ઑફ ફાઈનાન્સ સર્વિસ તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઍન્ટરપ્રાઈસ પણ નાણાંકીય સંસ્થાઓ અને જાહેરક્ષેત્રની કંપનીઓને આ પ્રકારની સૂચના આપી શકે છે, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
ઑફિસના પરિસરમાં ઓછામાં ઓછા મુલાકાતીઓ આવે કે પ્રવેશ લે તેની ખાતરી કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. વિઝિટર્સ કે ટૅમ્પરરી પાસ જારી કરવાનું પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું છે.
અધિકારીની યોગ્ય પરવાનગી બાદ મુલાકાતીની યોગ્ય ચકાસણી કરીને જ સંબંધિત વ્યક્તિને મળવાની પરવાનગી આપવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.
તમામ સરકારી વિભાગોને થર્મલ સ્કૅનર ગોઠવી દેવા જણાવી દેવામાં આવ્યું છે. બની શકે ત્યાં સુધી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જ મીટિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
મોદી સાહેબની કોરોના સામે લડવાની યુદ્ધ જેવી વ્યૂહરચના
Jayesh Brahmbhatt 98253 44944
ભારતમાં કોરોનાને આગળ વધતો અટકાવવા માટે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી જ વ્યૂહરચના ઘડી કાઢી છે. યુદ્ધમાં સૈનિકો લડતા હોય છે, કોરોના સામેના યુધ્ધમાં સિટિઝન્સે લડવાનું છે. સૈનિક જેમ શિસ્તબદ્ધ હોય છે, નિષ્ઠાવાન હોય છે એમ હવે સિટીઝન્સે રવિવારે બતાવવાનું છે કે તેઓ પણ શિસ્તબદ્ધ સૈનિકથી કમ નથી.
ભારતે કોરોના માટે જે પગલાં અત્યાર સુધી ભર્યા છે તેને કારણે જ કોરોના હાલમાં મર્યાદિત બની શક્યો છે
ભારતમાં કોરોના જે ગતિએ આગળ વધી રહ્યો છે જો તેને અટકાવવો હોય તો લોકોની સામૂહિક મૂવમેન્ટ સ્ટોપ કરવી પડે. જો ભારત ને એક દિવસ અટકાવવામાં આવે તો પારાવાર નુકસાન થાય, એટલે મોદી સાહેબ અને તેમની સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો. રવિવારે આમેય બધું બંધ હોય, ફક્ત લોકોની મૂવમેન્ટ અટકે તો પણ કોરોના માટે સ્પીડબ્રેકર સમાન બની રહે રવિવાર. એટલે રવિવારને જનતા કરર્ફ્યુ માટે પસંદ કરવામાં આવ્યો.
આ સિવાય પણ મોદી સાહેબની વ્યૂહાત્મક નીતિ જોઇએ તો તા.22મી માર્ચથી ભારતમાં કોરોના થર્ડ સ્ટેજમાં દેખા દે તેવું પ્રોજેક્શન હતું, એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ 22મીથી એક સપ્તાહ સુધી બેન કરી દીધી છે. એવા તમામ ભયસ્થાનો માનવવિહોણા કરી દીધા છે જ્યાંથી કોરોનાની ચેઇન ભારતમાં આગળ વધી શકે. હવે સિટીઝન્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરવાનું છે કે કોરોનાને સ્ટોપ કરવો છે કે આગળ વધવા દેવો છે. જો કોરોનાને સ્ટોપ કરવો હોય તો આપણે રવિવારે સ્ટોપ થવું પડશે.
જનતા કરફ્યુ છે કે નહીં એ જોવા પણ બહાર નહીં નીકળતા
વિશ્વભરના દેશોમાં જે રીતે કોરોનાએ કહેર મચાવ્યો છે એ જોતા ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમયસર ભરેલા પગલાં અને ભરવામાં આવી રહેલા પગલાને કારણે કોરોનાને હજુ સુધી અંકુશમાં રાખી શકાયો છે. 130 કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતમાં કોરોનાના કેસ 206 સુધી પહોંચી શક્યા છે. આનું કારણ કેન્દ્ર સરકારની વ્યૂહાત્મક નીતિ રહી છે. કેન્દ્રએ એક પછી એક નક્કર પગલાંભર્યા છે. હવે રવિવારે જનતા કરફ્યું પણ વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે.
જનતા કર્ફ્યુનું પાલન કરો, સંકલ્પ કરો અને સંયમ રાખો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ માર્ચ, રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી દેશભરમાં ‘જનતા કર્ફ્યુ’ (લોકોએ જાતે રાખેલી સંચારબંધી)ની ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે બે દિવસ પછી એટલે કે રવિવારે દેશભરમાં સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી કોઇએ બહુ જ જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવું અને ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરવું. તેમણે સંકલ્પ અને સંયમની વાત કહી હતી. આપણે સંકલ્પ કરીએ કે આપણે સંક્રમિત થવાથી બચીએ અને અન્યોને પણ બચાવીએ. ભારત અને માનવતા આ યુદ્ધ જીતશે જ એમ મોદી જણાવ્યુંં હતું.
સંયમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ભીડથી બચવું અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકોએ નિશ્ર્ચિંત બનવાને બદલે સજાગ બનવું જોઇએ. આપણે બધા સંકટનો સાથે મળીને સામનો કરીશું.મોદીએ દેશસેવા કરનારા ડૉક્ટરો, પ્રસારમાધ્યમના લોકો, સરકારી કર્મચારીઓ સહિત લોકોનો આભાર માનવા માટે જનતાને રવિવારે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરના દરવાજા, અગાશી, બારી પાસે ઊભા રહીને તાળી પાડવા તેમ જ થાળી અને ઘંટડી વગાડવા અનુરોધ કર્યો હતો.વડા પ્રધાને સ્થાનિક પ્રશાસનને રવિવારે સાંજે પાંચ વાગ્યે આ માટે સાયરન વગાડવાની સૂચના પણ આપી હતી. મોદીએ ખાનગી કંપનીઓને
કર્મચારીઓ પોતાની કે સગાંની બીમારીના સંબંધમાં હાલમાં ગેરહાજર રહે તો માનવતાને ધ્યાનમાં રાખીને પોતાના કર્મચારીઓનો પગાર નહિ કાપવા સૂચના આપી હતી.
મોદીએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં વિશ્ર્વયુદ્ધની સરખામણીમાં કોરોના વાઇરસના રોગચાળાથી વધુ દેશો પ્રભાવિત થયા છે. અમુક દેશમાં પ્રારંભિક દિવસો બાદ રોગચાળાનો વિસ્ફોટ થયો હતો અને દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઇ છે.
તેમણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે ફેલાયેલા રોગચાળાને લીધે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઇ છે. અમારી સરકારે કેન્દ્રનાં નાણાં પ્રધાનના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફૉર્સ રચ્યું છે અને તે આર્થિક મુશ્કેલી ઘટાડવા પગલાં લેશે.
મોદીએ જણાવ્યું હતું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. આપણે સ્વસ્થ રહીશું, તો જગત સ્વસ્થ રહેશે. કોઇએ પોતાનું અને અન્ય કોઇનું જીવન જોખમમાં ન મૂકવું. જાહેરમાં ટોળે નહિ વળવું અને કાર્યક્રમો નહિ યોજવા.
તેમણે જનતાને, ખાસ કરીને ૬૦ વર્ષથી મોટી વયની વ્યક્તિને જરૂરિયાત વિના ઘરની બહાર નહિ નીકળવાની વિનંતિ કરી હતી.
મોદીએ જીવનાવશ્યક ચીજોની સંગ્રહખોરી ન કરવા ચેતવણી આપી હતી. આમ છતાં, દેશમાં કેટલાક ઠેકાણે સંગ્રહખોરી થતી અથવા વધુ ભાવ વસૂલ કરવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે યુદ્ધના સમયે ‘બ્લૅક આઉટ’ જેવી સ્થિતિ હોય છે એવી જ વ્યવસ્થા દેશભરમાં ઊભી કરવી જોઇએ અને લોકોએ જરૂરી ન હોય તો ઘરમાં જ રહીને તબિયતનું ધ્યાન રાખવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે જનતાને સંકલ્પ સાથે સંયમ જાળવીને પોતાના, આસપાસ રહેતા લોકોના અને સમગ્ર દેશના લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ. ડૉક્ટરોની સલાહ ફૉન પર લેવી અને બિનજરૂરી સર્જરી પણ મુલતવી રાખવી જોઇએ.
મોદીએ જણાવ્યું હતું કે દુનિયામાં હજી સુધી કોરોના વાઇરસની દવા કે રસી શોધાઇ નહિ હોવાથી આપણે બધાએ સતર્ક રહેવાની જરૂર વધુ છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વની મહાસત્તા ગણાતા દેશો સહિતના અનેક વિકસેલા રાષ્ટ્રમાં રોગચાળો ફેલાયો છે. આગામી થોડા દિવસ દેશની જનતાના આરોગ્ય માટે મહત્ત્વના છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, પરંતુ તેમાં નાગરિકોની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિકોએ પોતાની ફરજ અને કર્તવ્યનું પાલન કરવું જોઇએ.
તેમણે એનસીસી, એનએસએસ સહિતના સામાજિક સંગઠનોને આ રોગચાળા અંગે જનતામાં જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ ‘સેવા પરમ ધર્મ’માં માને છે. દુનિયામાં હાલમાં એક દેશ બીજાને મદદ કરી નથી શકતો. આગામી થોડા દિવસમાં નવરાત્રિ શરૂ થવાની હોવાથી આશા રાખીએ કે શક્તિના આ તહેવારમાં આપણો દેશ પૂરી શક્તિ, સંયમ, સંકલ્પ દ્વારા આ રોગચાળાથી બચી જશે અને અન્યને બચાવી લેશે.
ભારતે ૨૨ અને ૨૩ માર્ચ વચ્ચેની રાતના ૧.૩૦ વાગ્યાથી એક અઠવાડિયું બધી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસૅન્જર ફ્લાઇટ્સના આગમન પર પ્રતિબંધ મૂકવાની ગુરુવારે જાહેરાત કરી હતી.
દરમિયાન, દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં ચોથી વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેના દરદીઓની સંખ્યા વધીને ૧૭૩ થઇ હતી.
દેશના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રોગચાળાને નાથવા માટે વિવિધ નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પંજાબમાં કોરોના વાઇરસને લીધે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેને મધુપ્રમેહ અને હૃદયની અગાઉથી જ તકલીફ હતી.
છત્તીસગઢમાં કોરોના વાઇરસના ૨૪ કલાકમાં ૨૦થી વધુ દરદી મળ્યા હતા, જ્યારે ચંડીગઢમાં પ્રથમ દરદી નોંધાયો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં વહીવટી તંત્રે અનેક વિસ્તારમાં લોકોની હરફર પર નિયંત્રણ મૂક્યા છે. શ્રીનગર શહેરમાં બધા સાર્વજનિક પરિવહન સેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દેખીતી રીતે મોટા ભાગનું વ્યાપારી કામકાજ બંધ થઇ ગયેલું જોવા મળે છે.
પંજાબ સરકારે શુક્રવારે મધરાતથી જાહેર પરિવહન સેવા બંધ કરી દીધી છે. મોટી સંખ્યામાં લોકોને ટોળે નહિ વળવા આદેશ અપાયો હતો. લગ્ન સમારંભના સ્થળો, હૉટેલ્સ, રેસ્ટૉરાં, બૅન્ક્વૅટ્સ, ડાઇનિંગ હૉલ્સ જેવી જગ્યાઓ બંધ કરાવાઇ છે.
દિલ્હીમાં કેજરીવાલની સરકારે રાજધાનીમાં રેસ્ટૉરાં બંધ કરાવી છે, પરંતુ રેસ્ટૉરાંમાંથી ઘરે લઇ જવાનું અને ઘેર ભોજન પહોંચાડતી સેવા ચાલુ રખાઇ છે.
વિશ્ર્વભરમાં કોરોના વાઇરસથી ૯,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને તેના બે લાખથી વધુ દરદી છે.
ભારતે ૨૨મી થી ૨૯મી માર્ચ સુધી બધા આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસૅન્જર ઍરક્રાફ્ટનું ઉતરાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે અતિ આવશ્યક સેવા સિવાયની બધી ખાનગી કંપનીઓને પણ કર્મચારીઓને ઘેર બેસીને કામ આપવાની સૂચના આપી હતી.
ભારતમાં કોરોનાનું લેબોરેટરી ટેસ્ટિંગ અને તેના નીતિ નિયમોનું નિયમન, સૂચનાઓ, ગાઇડલાઇન્સ જે બહાર પાડે છે એ સંસ્થાનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ Indian Council of Medical Research (ICMR).
Indian Council of Medical Research (ICMR) દ્વારા દેશભરના પ્રાઇવેટ તબીબો, હોસ્પિટલ્સ તમામ માટે કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો ઓળખવા માટેની એક સ્પેશિફિક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન્સથી તબીબો સહેલાઇથી શંકાસ્પદ દર્દીઓને અલગ તારવી શકે છે. ગાઇડલાઇન્સ આ મુજબ છે.
COVID-19 Case Definitions
Suspect Case:
A patient with acute respiratory
illness (fever and at least one sign/ symptom of respiratory disease (e.g.,
cough, shortness of breath) AND a history of travel to of residence in a
country/area or territory reporting local transmission (See NCDC website for
updated list) of COVID-19 disease during the 14 days prior to symptom onset;
OR
A patient / Health care worker
with any acute respiratory illness AND having been in contact with a confirmed
COVID-19 case in the last 14 days prior to onset of symptoms;
OR
A patient with severe acute
respiratory infection (fever and at least one sign/symptom of respiratory
disease (e.g., cough, shortness breath) AND requiring hospitalization AND with
no other etiology that fully explains the clinical presentation;
OR
A case for whom testing for
COVID-19 is inconclusive
Laboratory Confirmed case:
A person with laboratory
confirmation of
COVID-19 infection, irrespective
of clinical signs and symptoms.
Indian Council of Medical Research (ICMR) શું છે ?
ICMR stands for Indian Council of Medical Research (ICMR). It is an apex body in India for the formulation, coordination and promotion of biomedical research. It is funded by the Govt. of India through the Ministry of Health and Family Welfare and is one of the oldest medical research bodies in the world.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.