રામાયણની સીતા હવે સરોજિની નાયડુ બનશે
હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.
એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.
પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now