CIA ALERT

Slider Archives - Page 245 of 486 - CIA Live

March 25, 2020
Promotion.jpg
1min7390

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે રાજ્યમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી (માસ પ્રમોશન) આપવાનો મોટો અને અપેક્ષિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતાં આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળું વેકેશન લાગુ પડી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થઇ ગઇ છે અને શાળાકીય પરીક્ષાઓ લેવાની બાકી હતી પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાકિય પરીક્ષાઓ રદ કરવાનો મોટો નિર્ણય લેવાતાં હવે તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.

રાજ્યમાં મુખ્યપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિનીકુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે.

અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય અર્થાત શિક્ષકોએ શાળાએ જવું ફરજિયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે. આમ તો ગઇકાલે જ આ માસ પ્રમોશનના અહેવાલ આવ્યા હતાં પણ મોડેથી સરકારે કહ્યું હતું કે, હજી સ્પષ્ટ થયું નથી.

નોંધનીય છે કે હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબું ખેંચાઈ શકે છે એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.

March 25, 2020
CIA_Live_Logo_New2.jpg
8min11580

13-14 માર્ચે અમદાવાદ આવેલી 11 ફ્લાઇટ્સના મુસાફરોને કોરોન્ટાઇન થવા સૂચના : વાંચો લિસ્ટ કઇ કઇ ફ્લાઇટ્સ?

રાજ્યના એક સનદી અધિકારીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગઇ તા.13 અને 14મી માર્ચ 2020ના રોજ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી 14 જેટલી ફ્લાઇટ્સમાં ભારત, અમદાવાદ કે અન્ય કોઇપણ શહેરમાં આવેલા પેસેન્જરો જો સેલ્ફ કોરોન્ટાઇન ન હોય તો સત્વરે સરકારના ટોલફ્રી નંબર પર જાણ કરવા માટે જણાવાયું છે.

ગુજરાતના સનદી અધિકારી ડૉ. ઓમ પી. મછરાએ ટ્ટવીટ કરીને તા.13 અને 14મી માર્ચની અમદાવાદ આવેલી ફ્લાઇટ્સની માહિતી આપી

13-14 માર્ચ 2020ના રોજ અમદાવાદ આવેલી આ ફ્લાઇટ્સના પેસેન્જરો કોરોન્ટાઇન થાય

તા.13મી અને 14મી માર્ચ 2020ના રોજ અમદાવાદ એરપોર્ટસ પર જે ફ્લાઇટ્સ આવી હતી તે મોટા ભાગે મિડઇસ્ટ એટલે કે દુબઇ કે સાઉદી અરેબિયાથી આવેલી છે. કેમકે એ સમયે કોરોનાથી ઇફેક્ટેડ દેશોની ફ્લાઇટ્સ પર બેન લગાડી દેવામાં આવ્યો હતો. તા.13મી માર્ચે એક ફ્લાઇટ યુ.કે.થી અમદાવાદ આવી હતી.

ગુજરાતમાં 43 કેસ

સવારે 11 કલાકે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 43 થઇ છે. જેમાં અમદાવાદના 15, ગાંધીનગર અને સૂરતના 7-7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તથા કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ હોવાની પુષ્ટી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરના કેસ તા.26મી માર્ચ 2020 સવારે 11 કલાકે

  • અમદાવાદ 15
  • વડોદરા 8
  • સૂરત 7
  • ગાંધીનગર 7
  • રાજકોટ 4
  • કચ્છ 1
  • ભાવનગર 1

સૂરત માટે રાહતના સમાચાર, કોરોના શંકાસ્પદ 8ના રિપોર્ટ નેગેટીવ, કોઇ નવા શંકાસ્પદ કેસો નહીં (26/03/20 @ 11a.m.)

जिंदगी की पहली रेस होगी जिसमें रुकने वाले की जीत पक्की है : ગુજરાતમાં કોરોના કેસ 43 થયા

સૂરત શહેરના લાખો લોકો માટે આજે તા.26મી માર્ચ 2020નો દિવસ રાહતના સમાચાર લઇને આવ્યો છે. સૂરત શહેરમાં કોરોના વાઇરસ જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 8 દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે પેન્ડીંગ સ્ટેટસ ધરાવતા હતા. એ તમામનો આજે રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે.

આજે સવારે 10.30 કલાકે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૂરત શહેરમાં હવે કોરોના શંકાસ્પદ એક પણ દર્દીના સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ નથી. સૂરત શહેરમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6 જ છે. 8 દર્દીઓના સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રવાહકો સમેત શહેરીજનો માટે ખાસ્સી રાહતના સમાચાર છે.

Corona update 26/03/20 સવારે 11 વાગ્યે

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1243
KERALA1180
TELANGANA410
KARNATAKA411
RAJASTHAN380
GUJARAT381
UP370
DELHI351
PUNJAB331
HARYANA300
TAMIL NADU261
MADHYA PRADESH151
LADAKH130
J&K110
ANDHRA PRADESH110
WEST BENGAL91
CHANDIGARH70
UTTARAKHAND50
CHHATTISGARH30
HIMACHAL PRADESH31
BIHAR31
GOA30
ODISHA20

Corona updage 25/03/20 સવારે 11 વાગ્યે

: ભારતમાં કેસ 539 : કેરળમાં 109 : મહારાષ્ટ્રમાં 101

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા મંદ ગતિએ પણ આગળ વધી રહી છે. આજે તા.25મી માર્ચ 2020ને સવારે 10 વાગ્યે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકારોને આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 38 થઇ છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં બે કેસ થયા છે જેમાં 36 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે જે દુબઈથી પરત ફર્યો હતો જ્યારે 75 વર્ષના એક શખ્સને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં વૃદ્ધને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. અમદાવાદમાં 31 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે જે તાજેતરમાં દુબઈ ગઈ હોવાનું ખુલ્યું છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું ગુજરાતમાં 24 કલાકમાં પાંચ કેસ, કુલ 20,688 લોકો ક્વોરન્ટાઈન હેઠળ

  • ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા
  • અમદાવાદ 14
  • સૂરત 7 (એક મૃત્યુ સાથે)
  • વડોદરા 7
  • ગાંધીનગર 6
  • રાજકોટ 3
  • કચ્છમાં 1

ગુજરાત સરકારના આરોગ્ય અધિકારી જયંતિ રવિએ તા.25મી માર્ચે માહિતી આપી હતી

કોરોનાના ગુજરાતના 25 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે, એટલે ઘરોમાં બંધ રહેવા તાકીદ

મંગળવારે છ નવા કેસ નોંધાતા, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. જે નવા કેસ નોંધાયા છે તે સુરત, ગાંધીનગર અને રાજકોટના છે. 35 કેસમાંથી 9 એટલે કે 25 ટકા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના બંને કેસ સ્થાનિક ટ્રાન્સમિશનના છે. રાજ્યના પાટનગરમાં એક પુરુષ (53) અને મહિલા (52)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટમાં નોંધાયેલા બે કેસમાંથી 36 વર્ષનો યુવક દુબઈથી પરત ફર્યો હતો અને અન્ય 75 વર્ષીય મહિલાને લોકો દ્વારા ચેપ લાગ્યો હતો.

હોમ કોરન્ટાઇનનો ભંગ બદલ 147 લોકો સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો

રાજ્યના આરોગ્ય અધિકારી જયંતિ રવિએ માહિતી આપી હતી કે રાજ્યમાં 14 દિવસ હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો પૈકી અનેક લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે આવા કુલ 147 લોકો બહાર ફરતા પકડાતા તેમની સામે ફોજદારી રાહે પગલાં ભરીને તેમને સરકારી કોરોન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ તમામ સામે એફ.આઇ.આઇ. દાખલ કરવામાં આવી છે.

ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 કલાકે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 539

25મી માર્ચે ભારતમાં રાજ્યવાર કેસોની સંખ્યા

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1090
MAHARASHTRA1012
KARNATAKA411
TELANGANA350
UP350
GUJARAT331
RAJASTHAN320
DELHI311
PUNJAB291
HARYANA280
TAMIL NADU180
LADAKH130
ANDHRA PRADESH90
WEST BENGAL91
MADHYA PRADESH90
J&K70
CHANDIGARH70
UTTARAKHAND40
HIMACHAL PRADESH31
BIHAR31
ODISHA20
PUDUCHERRY10
CHHATTISGARH10

લૉકડાઉન ભંગ બદલ સજાની જોગવાઇ વાંચી લેજો એકવાર

દેશભરમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે તા.24મી માર્ચે રાત્રે 12 વાગ્યાથી લૉકડાઉનનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં જો સામાન્ય લોકો (બિનઆવશ્યક સેવા સિવાયના) બહાર ફરતા દેખાશો તે તેમને સજા અને દંડ એમ બંનેની જોગવાઈ કરાયેલી છે. લૉકડાઉન ભંગ બદલની સજાને એક મહિનાથી 2 વર્ષ સુધી વધારી શકાય છે.

21 દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનારા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 અંતર્ગત કાર્યવાહી કરાશે. જેમાં સજા અને દંડ એમ બંનેની જોગવાઈ છે. લોકડાઉનનું પાલન ન કરનારાને 200 રૂપિયાનો દંડ અને 1 મહિનાની જેલની સજા. પરંતુ આ કારણથી કાયદાકીય વ્યવસ્થામાં કોઈ તકલીફ આવી, તોફાનની સ્થિતિ પેદા થઈ તો સજા 6 મહિના સુધી વધારી દેવાશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આદેશ નથી માનતા અને કોઈનો જીવ જાય છે અથવા તો ખતરો ઊભો થાય છે તો તેવી સ્થિતિમાં દોષી જાહેર થવા પર જેલ થશે, જે બે વર્ષ સુધી વધી શકે છે.

અફવા ફેલાવતા લોકો સામે પણ પગલાં

ગૃહ મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કોરોના વાયરસથી સંબંધિત અફવા ફેલાવે છે, તો તેને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે, સાથે દંડ પણ ભરવો પડશે. લોકોની સહાયતા માટે આપવામાં આવેલા ફંડમાં ભ્રષ્ટાચાર કરનાર સામે પણ કાર્યવાહી કરાશે. આવી સ્થિતિમાં બે વર્ષની સજા ફટકારાશે. સરકારી અધિકારીઓએ પણ પાલન કરવું પડશે. સરકારે જણાવેલી ગાઈડલાઈનનું પાલન ન કરવા પર કોર્પોરેટ પર દંડ ફટકારાશે.

March 24, 2020
lockdown-1.jpg
2min19040

21 દિવસના લૉકડાઉન અંગે વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણાના તુરંત બાદ સૂરત, શહેર, ગુજરાતભર તેમજ દેશભરમાં લોકોમાં ગભરાટ મચી ગયો અને લોકો પોતપોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી ગયા. દવાની દુકાનો પર તો મોટી મોટી કતારો લાગી જવા પામી હતી.

ગભરાટના માર્યા ખરીદી ન કરવા વડાપ્રધાનની અપીલ

તાબડતોડ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા, સુવિધાઓ, વસ્તુઓ સતત મળતી રહેશે અને તેનો પુરવઠો જારી રહે તે માટે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા કરશે. આમ છતાં લોકો ગભરાટના માર્યા ખરીદી કરવા દોડી આવ્યા હતા.

આ બધું જ પહેલાની જેમ મળતું રહેશે

  • હોસ્પિટલ્સ અને તેને આનુષંગિક અન્ય સેવા-સુવિધાઓ
  • કરીયાણું, ખાદ્ય, ફૂડ પ્રોડકટ્સ, ફળફળાદી, શાકભાજી, દૂધ અને તેની બનાવટો
  • બેંકો, વીમા કંપનીઓ, બેંક એટીએમ
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા
  • હોમ ડિલીવરીમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, મેડીકલ સાધનો વગેરે ઇ કોમર્સ થકી
  • પેટ્રોલ પંપ્સ, એલ.પી.જી., પેટ્રોલિયમ અને ગેસ બોટલ્સ, સ્ટોરેજ આઉટલેટ્સ
  • સ્મશાન પ્રસંગે ફક્ત 20 લોકોને સાથે જવા દેવાની મંજૂરી
  • લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાયેલા લોકો માટે હોટેલ, મોટેલ, લોજ વગેરે
  • ટેલિકોમ્યુનિકેશન, આઇ.ટી., ઇન્ટરનેટ રિલેટેડ, બ્રોડકાસ્ટ તથા કેબલ સર્વિસ

will remain open

  • Hospitals and other related medical establishments
  • Shops, including ration shops, dealing with food, groceries, fruits and vegetables, dairy and milk booths
  • Banks, insurance offices and ATMs
  • Print and electronic media
  • Delivery of all essential goods including food, medicine, medical equipment through e-commerce
  • Petrol pumps, LPG, petroleum and gas retail and storage outlets.
  • In case of funerals, congregation of not more than 20 persons will be permitted.
  • Hotels, lodges, motels and homestays accommodating tourists and people stranded due to lockdown
  • Telecommunications, internet services, broadcasting and cable services, IT and IT-enabled services will have to work from home as far as possible.

March 24, 2020
modi-1280x720.jpg
1min5550

પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે તા.24મીએ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. કોરોનાની ખતરનાક અસરો અને ફેલાવો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પીએમે કહ્યું કે દેશને અને દેશના દરેક નાગરિકને બચાવવા માટે આ લોકડાઉન કરાઈ રહ્યું છે. દેશના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લાને લોકડાઉન કરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે, જનતા કર્ફ્યુથી પણ વધુ અને તેનાથી પણ વધુ સખ્ત.

ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના જોતા આજ રાત 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આજ રાત 12થી સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે આ એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં જ રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં જ રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું  અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.    

આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.

March 24, 2020
lockdown.jpg
1min8490

સમગ્ર દેશમાં 606 જિલ્લાઓમાં કોરોના વધતા વ્યાપ વિસ્તારને કાબૂમાં રાખવા માટે આજે તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિ છે. આમ છતાં, લોકો લૉકડાઉનમાં પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે બપોરે 12 કલાકના અરસામાં રાજ્યોને આદેશ કર્યા છે કે જ્યાં લોકો લૉકડાઉન નથી કરી રહ્યા ત્યાં કરર્ફ્યુ લગાડી દેવામાં આવે.

કોરોના વાઇરસ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સામાન્ય લોકોમાં લાગૂ ન પડી જાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ થાય એ માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. આમ છતાં લોકો સમજી રહ્યા નથી.

કોરોના વાયરસ સામેની લડાઈમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ બાદ આખા ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ડૉક્ટર અને પોલીસ દ્વારા કોરોના વાયરસની ગંભીરતા અંગે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે છતાં લોકો કોરોના વાયરસનો કોઈ ડર ના હોય તે રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પણ લોકો રાતના સમયે ઘરી બહાર નીકળતા જોઈને પોલીસને તેમને પાઠ ભણાવ્યો છે.

March 24, 2020
mask.jpg
2min6980

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને

હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.

વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ

ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.

માસ્ક કોના માટે જરૂરી

  • જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
  • શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
  • કોરોનાના કન્ફર્મ દર્દી હોય
  • દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
  • જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
  • ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
  • સફાઇ કામદારો
  • મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો

સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું

વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ

આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે

હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.

વપરાયેલા માસ્કનો નિકાલ આ રીતે કરવો

March 24, 2020
shainbaug.jpeg
1min8500

સમગ્ર દેશમાં કોરોના વાઇરસ સ્પ્રેડને અટકાવવા માટે કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન પણ દિલ્હીના શાહીન બાગમાં ધરણા ચાલુ રહેતા આજે તા.24મીએ સવારે દિલ્હી પોલીસે શાહીનબાગનો ધરણાનો ટેન્ટ જ ઉખાડી નાંખ્યો હતો. ધરણા પર બેઠેલી મહિલાઓએ પ્રતિકાર કરવાની કોશીસ કરી હતી પરંતુ, નાકામ રહી હતી. ગઇ તા.15મી ડિસેમ્બર 2020થી દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણા યોજાઇ રહ્યા હતા.

નાગરિકતા સુધારા કાયદો (CAA) સામે 15 ડિસેમ્બરથી શાહીન બાગમાં ધરણાં કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે હટાવી દીધા છે. દિલ્હી અને નોઈડાને જાડતા આ રોડ પર લાગેલા ટેન્ટને પણ પોલીસે ઉતારી લીધો છે.

કોરોના વાયરસનો ખતરો હોવા છતાં લોકો ધરણા પર ઉતર્યા હતા. કોરોનાના કારણે દિલ્હી સહિત ભારતભરમાં લોકડાઉન છે. આમ છતાં મંગળવારે મહિલાઓ ફરી એકઠી થઈ. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટેંટ ઉખાડી નાખવામાં આવ્યો. સાથે જ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી. શાહીન બાગમાં મહિલાઓ પાછલા 100 દિવસથી ધરણા પર બેઠી હતી.

March 23, 2020
CIA_Live_Logo_New2.jpg
5min7340

ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 વાગ્યા સુધીમાં કોરોનાનાં 562 પોઝિટિવ કેસ થયા છે 40 દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇને પોતાના ઘરે પરત ફરી ગયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં નોંધાતા કુલ આંક 10 યથાવત છે. દેશનાં કુલ મળીને 103 જિલ્લાઓમાં કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. આજથી 25 મી માર્ચ 2020થી ભારતમાં સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામા આવ્યું છે

ભારતમાં સૌથી વધુ કેસ કેરળમાં 87 અને મહારાષ્ટ્રમાં 84 નોંધાયેલા છે. ત્યારબાદ કર્ણાટકમાં 37, રાજસ્થાનમાં 31, યુપીમાં 32 અને દિલ્હીમાં 30 સૌથી વધુ ધરાવતા કેસ છે.

ભારતમાં કોરોના કેસનું સ્ટેટસ તા.25મી માર્ચ 2020 સવારે 10 કલાકે

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1090
MAHARASHTRA1012
KARNATAKA411
TELANGANA350
UP350
GUJARAT331
RAJASTHAN320
DELHI311
PUNJAB291
HARYANA280
TAMIL NADU180
LADAKH130
ANDHRA PRADESH90
WEST BENGAL91
MADHYA PRADESH90
J&K70
CHANDIGARH70
UTTARAKHAND40
HIMACHAL PRADESH31
BIHAR31
ODISHA20
PUDUCHERRY10
CHHATTISGARH10

ગુજરાતની સ્થિતિ, ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનો ભય, પખવાડિયું નિર્ણાયક

ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ વિદેશ પ્રવાસની સાથો સાથ હવે આવા શંકાસ્પદોના સંપર્કમાં આવવાથી પણ પ્રસરવાની શરૂઆત થતાં રાજ્યના આરોગ્ય વિભાગે આગામી એક પખવાડિયું નિર્ણાયક જાહેર કર્યું છે. વાયરસનો ચેપ હવે વાહકોમાંથી આગળ વધી રહ્યો હોવાના સંકેતો સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે વધારે સતર્ક બની કવોરન્ટાઈન અને શંકાસ્પદ દર્દીઓની સંભવિત સંખ્યા મુજબ આઈસોલેશન હોસ્પિટલોની તાબડતોબ તૈયારીઓ શરૂ કરી છે.

બીજી તરફ છેલ્લા ચોવીસ જ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત પોઝિટીવ દર્દીઓની સંખ્યા 29થી વધીને 35 સુધી પહોંચી ગઈ છે. જેમાં ગાંધીનગરમાં 2 દર્દી અને સુરતમાં 2 દર્દીનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Reported on 25 March 2020

દેશમાં 1,87,000 લોકો પર કોરોના સંક્રમણ સંદર્ભે 24×7 નજર રાખવામાં આવી રહી છે

ભારતમાં કોરોના સંક્રમણ અંગે કુલ 1,87,000 જેટલા લોકો પર દિવસ રાત વોચ રાખવામાં આવી રહી છે. આ લોકો એવા છે જેમના હજુ સુધી કોરોના પોઝીટીવ ડિટેક્ટ થયો નથી પરંતુ, આ વ્યક્તિઓમાં આગામી દિવસોમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવી શકે તેમ હોવાથી તેમને સતત વોચમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 4ના મોત, કુલ કેસ 101ને પાર

મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી મુંબઈમાં વધુ એક મોત થયું છે. UAEની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક 65 વર્ષના વૃદ્ધ 15મી માર્ચે પરત ફર્યા હતા. વિદેશથી અમદાવાદ આવીને મુંબઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ચોથું મોત, 101 કેસ પોઝીટીવ નોંધાયા

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 101 પાર થઈ ગઈ છે. રાજ્ય સરકારે તા.24મી માર્ચ 2020થી રાજ્યમાં કરફ્યૂ જાહેર કરી દીધો છે.

Union Health Minister Dr Harsh Vardhan :

National Centre for Disease Control has been keeping an eye on all potential Coronavirus patients. Today, more than 1,87,000 people in the country are being monitored by the way of community surveillance.

ભારતમાં 728 પૈકી 606 જિલ્લાઓમાં લૉકડાઉન

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 728 જિલ્લામાંથી 606 હાલ લોકડાઉન હેઠળ છે. તો કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જેમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દેશના સૌથી ખરાબ કોરોનાગ્રસ્ત રાજ્ય કેરળમાં સીએમ વિજયને કેન્દ્ર સરકારના આદેશ મુજબ 10 જિલ્લામાં લોકડાઉન જાહેર કર્યું હતું.

સોમવારે અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ અને મણિપુર હતા. રવિવારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ચંદીગ., રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.

પંજાબમાં વિદેશથી 90,000 NRI પરત ફર્યા

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની વચ્ચે પંજાબમાં વિદેશથી પરત ફરનાર 90 હજાર ભારતીય લોકોની તપાસ કરવાની તૈયારી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખીને લોકો વિશે જાણકારી આપતાં 150 કરોડ રૂપિયાના વિશેષ ફંડની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશોથી પરત આવેલા તમામ લોકોમાંથી કેટલાક કોરોનાથી સંક્રમિત હોઈ શકે થે અને જો એમ હશે તો પંજાબમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો જબરદસ્ત રીતે વધી શકે છે.

પંજાબ સરકારે હાલ રાજ્યના તમામ 22 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે, પરંતુ સરકાર માટે તે 90 હજાર લોકો ચિંતાનો વિષય બન્યા છે, જે દુનિયાભરમાં કેસ સામે આવ્યા બાદ પંજાબમાં પોતાના ઘરે પરત ફર્યા છે. પંજાબ સરકારના મંત્રી બલવીર સિંહ સંધૂએ આ તમામ વિષયમાં કેન્દ્ર સરકારને માહિતી આપતો એક પત્ર લખ્યો છે.

India Update on 24/03/2020 at 10 a.m.

Reported on 23/03/2020

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

March 23, 2020
sensex_down.jpg
1min17080

કોરોનાને કારણે વિશ્વભરમાં લોકડાઉનથી વૈશ્વિક મંદીના ભયે આજરોજ સોમવાર તા.23મી માર્ચ 2020ના રોજ સવારે BSE સેન્સેક્સ ખુલ્યાના એક કલાકમાં જ 3,000 પોઈન્ટ્સ ગગડી જતાં શેરબજારમાં લોઅર સર્કિટ લાગી હતી અને ટ્રેડિંગ 45 મિનિટ અટકાવી દેવામાં આવ્યું હતું. શેરબજારમાં નેશનલ સ્ટોક એક્ષચેન્જની નિફ્ટી પણ 842.45 પોઈન્ટ્સ અથવા 9.63 ટકા તૂટીને 7,903 પોઈન્ટ્સની સપાટીએ આવી ગયો હતો.

બજારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ફ્રી ફોલના કિસ્સામાં 10 ટકાના ઘટાડાનું ઓટોમેટિક મિકેનિઝમ છે જેમાં ટ્રેડિંગ 45 મિનિટ સુધી અટકાવી દેવામાં આવે છે.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોગ અને સિઓલ શેરબજારો 4 ટકા સુધી ઘટીને જ્યારે જાપાનનું શેરબજાર વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બજારમાં ઊંચી વોલેટિલિટી ડામવા માટેના પ્રયાસમાં બજારની નિયમનકાર સેબીએ શુક્રવારે 23 માર્ચથી એક મહિના સુધી અમલી રહે તે રીતે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શેર માટેની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટમાં ફેરફાર, ડાયનામિક પ્રાઈસ બેન્ડ અને અન્ય પગલાં ભર્યા હતા. જેને કારણે બજારમાં શોર્ટ સેલિંગમાં તેમજ વોલેટિલિટી ઘટશે.

જોકે, સ્ટોક એક્સચેંજ અને નિયમનકારી અધિકારીઓએ કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે શેરબજારમાં ટ્રેડિંગના કલાકો ઘટાડવાની સૂચનને ફગાવી દેવામાં આવ્યું હતું.

March 23, 2020
CIA_Live_Logo_New2.jpg
7min21860

વિશ્વમાં 1 લાખથી વધુ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે, ભારતમા 37 દર્દીઓ સાજા થયા

Jayesh Brahmbhatt 98253 44944

તા.24મી માર્ચ 2020નો સૂર્ય ભારત બંધ સાથે ઉગ્યો હતો. કોરોના વાઇરસને ભારતમાં ફેલાતો અટકાવવાના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ફરજિયાત લૉકડાઉન લાગૂ કર્યું છે. ભારતમાં કુલ 728 જિલ્લાઓ પૈકી આજે તા.24મી માર્ચ 2020થી તા.31મી માર્ચ 2020 સુધી ભારતના 606 જિલ્લાઓમાં લૉકડાઉન શરૂ થયું છે. લૉકડાઉનને તોડનારા લોકો સામે હવે ફોજદારી રાહે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારતમાં આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે. કોરોના સામે લડવું હશે તો લોકોએ ફરજિયાત એક સપ્તાહ પોતપોતાના ઘરોમાં પૂરાઇ રહેવું પડશે.

ગુજરાતમાં કોરોના પોઝીટવ કેસોની સંખ્યા 33 થઇ, ગાંધીનગર અને સૂરતમાં 2-2 નવા કેસ

તા.23મી માર્ચ 2020ના રોજ સેમ્પલમાં મોકલાયેલા ટેસ્ટમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા 4 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આજે સવારે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સૂરતમાં 2 અને ગાંધીનગરમાં 2 મળીને કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ગુજરાતમાં વધીને 33 થઇ છે. આખા દેશમાં તા.23મી માર્ચે 99 નવા કેસો નોંધાયા છે.

  • ગુજરાતમાં હવે ક્યાં કેટલા કેસો
  • અમદાવાદ 13
  • સૂરત 06
  • વડોદરા 06
  • ગાંધીનગર 06
  • કચ્છ 1
  • રાજકોટ 1

Official Press Release of Gujarat Govt.

સૂરતમાં કોરોના દર્દીઓને સારવાર આપતા 9 મેડીકલ સ્ટાફ આઇસોલેશનમાં ખસેડાયા

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ જ્યાંથી પોઝીટીવ આવ્યો હતો અને ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત જ્યાં થયું હતું એ મહાનગર સુરતમાં મહાવીર હોસ્પિટલના ત્રણ સ્ટાફ મેમ્બર્સને સોમવારે નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફના ત્રણ કર્મચારીઓમાં 26 વર્ષનો એક પુરુષ, 35 વર્ષનો એક પુરુષ અને 36 વર્ષના એક પુરુષનો પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે કહ્યું અન્ય છ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને પણ નવી સિલિવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રખાયા છે.

SMCની સ્મિમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી 38 વર્ષની નર્સને પણ નવી સિવિલના આઈસોલેશન વોર્ડમાં રખાઈ છે. આ ઉપરાંત અન્ય લોકોમાં 59 વર્ષના એક દર્દી છે જેમણે થોડા દિવસો પહેલા ટ્રેનથી હરિદ્વારની યાત્રા કરી હતી. જ્યારે 40 વર્ષની એક મહિલા અને 22 વર્ષના એક યુવકની કોઈ ટ્રાવલે હિસ્ટ્રી નથી તેમને પણ આઈસોલેશનમાં રખાયા છે.

ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં 31મી સુધી આખું રાજ્ય લોકડાઉન

કોરોના મહામારી ભારતમાં ભરડો લેવા લાગી છે ત્યારે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને દેશમાં હળવાશથી લેવામાં આવતો હોવાનાં અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે રાજ્ય સરકારોને લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવા અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

દેશમાં કોવિડ-19 ઘાતક વાયરસનાં ઝડપી પ્રસારને ધ્યાને લેતા ડઝન જેટલા રાજ્યો અને 80 જિલ્લાઓમાં નિષેધાત્મક આદેશો આપવામાં આવ્યા છે.

આજે તા.24 માર્ચે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન

ભારતમાં સોમવાર તા.23 માર્ચે વધુ 99 કેસ : મૃત્યુઆંક 10

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 100 જેટલા નવા કેસ સામે આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનના કડકાઈથી પાલન કરાવવાની દિશામાં પગલાં ભરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 496 થઈ છે અને વધુ બે દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 10 થયો છે. કેરળમાં એક જ દિવસમાં 28 જેટલા નવા કેસ સામે આવતા હડકંપ મચ્યો છે અને કેરળના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 91 જેટલી થઈ હતી. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ નવા કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાને રોકવા માટે ગુજરાત, કર્ણાટક, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને મણિપુર સહિતના રાજ્યોએ પણ લોકડાઉનનું એલાન કર્યું હતું. જેના લીધે હવે દેશના કુલ 22 રાજ્યમાં લોકડાઉન છે. આ ઉપરાંત લોકડાઉન બેઅસર રહેતા મહારાષ્ટ્ર અને પંજાબમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

સોમવારે થયેલા મૃત્યુમાં પશ્ચિમ બંગાળના 55 વર્ષિય દર્દી અને મહારાષ્ટ્રમાં ફિલિપિન્સના રહેવાસીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં જે દર્દીનું મૃત્યુ થયું તે કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયો હતો પણ બાદમાં કિડની ફેઇલ થતાં અને શ્વાસ લેવામાં તકલીફના કારણે જીવ ગુમાવ્યો હતો. દેશમાં 10મું મૃત્યુ હિમાચલમાં નોંધાયું હતું જેમાં અમેરિકાથી પરત ફરેલા 69 વર્ષના તિબેટિયન નાગરિકે જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં કેસોની રાજ્યવાર સંખ્યા તા.24મી માર્ચે સવારે 8 વાગ્યા સુધીમાં

STATE/UTCONFIRMEDDEATHS
KERALA940
MAHARASHTRA872
KARNATAKA371
TELANGANA320
DELHI311
UP310
GUJARAT291
RAJASTHAN280
HARYANA260
PUNJAB211
LADAKH130
TAMIL NADU90
ANDHRA PRADESH70
WEST BENGAL71
CHANDIGARH60
MADHYA PRADESH60
J&K40
UTTARAKHAND30
HIMACHAL PRADESH31
ODISHA20
BIHAR21

ભારત અને વિશ્વમાં કોરોનાની સરખામણી તા.24 માર્ચ 2020 સવારે 10 કલાકે

દુનિયાના 1,02,000 દર્દીઓ કોરોનાને પછડાટ આપી ચૂક્યા છે

તા.24મી માર્ચ 2020 સવારે 10 વાગ્યે વિશ્વમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases : 381,635

Deaths : 16,557

Recovered : 102,429

ચીનમાં અત્યારસુધીમાં 81093 કેસ નોંધાયા છે અને 3270ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 72703 લોકો રિકવર થયા છે. ઈરાનમાં 23049 કેસમાંથી મૃત્યુઆંક 1812 છે. જ્યારે 8376 લોકો કોરોના વાયરસની ચેપટમાંથી બહાર આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયામાં 8961 કેસ નોંધાયા છે. જેમાંથી 111ના મૃત્યુ થયા છે અને 3166 લોકોનો બચાવ થયો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન બાદ હવે ઈટાલી સહિત યુરોપના દેશોમાં કોરોના વાયરસે ભીષણ મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. જો કે સાવચેતી અને યોગ્ય તબીબી ઉપચાર એવા હથિયાર છે જેનાથી કોરોના વાયરસ પણ મહાત થઈ શકે છે.

અત્યારસુધીમાં દુનિયાભરમાંથી કોવિડ-19ના 3.5 લાખ કેસ સામે આવ્યા છે. જેમાંથી 15296 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 1 લાખ લોકો કોરોનાની ચપેટમાંથી બહાર પણ નિકળી ચૂક્યા છે અને સાવચેતી સાથેનું સામાન્ય જીવન જીવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
કોરોના વાયરસની દહેશત’ વચ્ચે તબીબો અને સરકાર તરફથી વારંવાર તકેદારી રાખવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસને પછાડનારા દર્દીઓની આપવિતી પણ સામે આવી ચૂકી છે. જેમાં દર્દીઓ કોરોના વાયરસની ગંભીરતાઓ અને તેને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચીન કોરોનાના મૃત્યુઆંકમાં દુનિયામાં બીજા ક્રમાંકે છે.

મિડીયા હાઉસીસને વડાપ્રધાન મોદીની અપીલ

વડાપ્રધાને તા.23મી માર્ચે અનેક પ્રસાર માધ્યમોનાં સંપાદકો સાથે વિડીયોલિંકથી સંવાદ સાધ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલોને ત્રણ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી હતી. વડાપ્રધાને સમાચાર ચેનલોને લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે સ્ટે હોમ અભિયાનનો મહત્તમ પ્રસાર કરવાં કહ્યું હતું. આવી જ રીતે તેમણે લોકો ડિજિટલ પેમેન્ટનો વપરાશ વધારે તે માટે તેને પ્રોત્સાહન આપવા પણ કહ્યું હતું. આ ઉપરાંત લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટેનાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે પણ જણાવ્યું હતું.’

Reported on 23 March 2020

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 29 : ભારતમાં 429 મહારાષ્ટ્રમાં વધુ 1 મોત : મૃત્યુઆંક 09

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

  • કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
  • અમદાવાદ 13
  • વડોદરા 6
  • ગાંધીનગર 4
  • સૂરત 4
  • રાજકોટ 1
  • કચ્છ 2

ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

સિટીઝન પોતાનું યોગદાન આ રીતે આપી શકે

કોરોના વાયરસને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેટલીક એડવાઈઝરી બહાર પાડવામાં આવી રહી છે. જો આપણે તે એડવાઈઝરીનું પાલન નહીં કરીએ તો ચીન અને ઈટાલીમાં હાલ જે પરિસ્થિતિ છે તેવી ભારતમાં પણ થઈ શકે છે. જેથી લોકો થોડા દિવસ માટે ઘરેથી બહાર જવાનું ટાળો, જો તમને શરદી,ઉધરસ અને તાવની તકલીફ હોય તાત્કાલિક ડૉક્ટરનો અથવા રાજ્ય સરકારે જારી કરેલો હેલ્પલાઈન નંબર 104નો સંપર્ક કરો. ઘરમાં કોઈને સર્દી અને તાવ છે તેને સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં રહેવું જોઈએ. જેથી ઘરના અન્ય વ્યક્તિને તેનો ચેપ ન લાગે. ખાસતા અને છીંકતા વખતે મો રૂમાલથી ઢાકો અને થોડા થોડા સમયાંતરે હાથ ધોતા રહો. આ રીતે આપણે વાયરસને ફેલાતા રોકી શકીએ છે.

Rajkot : ખોટી અફવા ફેલાવનાર શખસની ધરપકડ

Rajkot કોરોના વાયરસ સંદર્ભે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર બે શખસ વિરુદ્ધ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી એક શખસની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક શખસ ફરાર થઈ જતાં શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટ શહેરમાં વોટસએપ મારફતે અલગ અલગ ગ્રુપમાં ખોટા મેસેજ વાયરલ થયેલ કે મ્યુ કમિ.નો સંદેશ-નમસ્તે હું તમને વિનંતી કરું છે કે તમે આજે રાત્રે દસ વાગ્યા પછી કાલે સવારે પ વાગ્યા સુધીમાં તમારા ઘરની બહાર ના આવો, કેમ કે તેઓ કોવિડ-19ને મારવા માટે હવામાં દવા છાટશે. આ માહિતી તમારા બધા મિત્રો, સંબંધીઓ અને તમારા પરિવારોને શેર કરો.

આ મેસેજ બાબતે ખરાઈ કરતાં મ્યુ.કમિ. દ્વારા આવી કોઈ સૂચના આપવામાં ન આવી હોવાનું ખૂલ્યું હતું અને ખોટો મેસેજ વાયરલ કરી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું અને સાયબર ક્રાઈમના સ્ટાફે સોશિયલ મીડિયા ગ્રુપ પર વોચ રાખી હતી અને સેલ્સ પ્રમોટર સોશિયલ નામના ગ્રુપમાંથી વાયરલ કરવામાં આવ્યો હોવાનું ખૂલતા સાઈબર ક્રાઈમના સ્ટાફે મોરબી રોડ પરની માધાપર ચોકડી પાસે ડ્રીમવિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામકાજ કરતાં પરેશ રસીક રૂપારેલિયા નામના લોહાણા પ્રૌઢ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઓલ ટાઈમ હિટ કોંગ્રેસ નામના ગ્રુપમાંથી પણ અફવા ફેલાવનાર અને રૈયા રોડ પરના મીરાનગરમાં રહેતા તેજશ જોષી નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય : લોકો ઘરમાં બંધ રહે : નહીં તો સ્થિતિ વણસી જતા વાર નહીં લાગે