CIA ALERT

Slider Archives - Page 245 of 491 - CIA Live

April 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6150

167 વર્ષે પહેલી વાર બન્યું : સ્થાપના દિને એકેય ટ્રેન દોડાવી શક્યું નહીં રેલવે

ગઇ તા.16મી એપ્રિલ વિશ્વના સૌથી મોટા રેલવે તંત્ર ગણાતા ભારતીય રેલવેનો સ્થાપના દિન હતો. 167 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતીય રેલવે તંત્રના સ્થાપના દિવસે કમનસીબે હાલ ચાલી રહેલા લૉકડાઉનને કારણે એક પણ ટ્રેન દોડાવી શક્યું નહીં કે પોતાનો સ્થાપના દિન ઉજવી શક્યું નહી. દૈનિક કરોડો લોકોને પોતાના મુકામ પર પહોંચાડતા ભારતીય રેલનું નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવે છે.

કોરોના વાઈરસની મહામારીને કારણે રેલવેએ ૨૫ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી એક પણ ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં લૉકડાઉન 2.0 ને પગલે હવે તા.3જી મે સુધી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે દૈનિક ધોરણે ૧૫,૫૨૩ ટ્રેન દોડાવે છે, જેમાં ૩૦૦૦ મેલ-એક્સ્પ્રેસ તથા ૯૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉન 2.0ની ઘોષણા કરતા વધુ ૨૧ દિવસ એટલે કે તા.3જી મે સુધી તમામ ટ્રેનો રેલવે દ્વારા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી છે. લૉકડાઉન 2.0માં ગત ગુરુવારે (૧૬ એપ્રિલના) ભારતીય રેલવેનો જનમદિવસ હતો, પરંતુ ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક પણ પેસેન્જર ટ્રેન દોડાવાઈ નહોતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ(એ જમાનામાં બોરીબંદરથી તાના વચ્ચે)થી થાણે વચ્ચે સૌથી પહેલી ટ્રેન દોડાવાઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગુરુવારે ભારતીય રેલવેમાં સૌથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી એના જન્મદિવસ નિમિત્તે રેલવે શુભેચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરતા પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક પણ ટ્રેન દોડાવી શક્યા નથી. એ પણ લોકોના હિત અને રક્ષણ માટે, તેથી સૌને ઘરમાં સુરક્ષિત રહેવાની પણ અપીલ કરી હતી

April 18, 2020
coronaworld-1280x1023.jpg
7min10950

કોરોના મહાસંકટ વચ્ચે ઈટાલીથી 44 લાખ લોકો કામ પર પરત ફર્યા

યુરોપમાં કોરોના વાયરસનો ગઢ ઈટાલીમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઈટાલીમાં કોરોના વાયરલ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપ્યા બાદ 44 લાખ લોકો કામ પર પરત ફર્યા છે. ઇટાલીની હવે મુસાફરો માટે કેટલાક એરપોર્ટ પણ ખોલવાની યોજના છે. ઈટાલીમાં મૃત્યની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો થતા લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.

સ્પેનમાં હવે સલૂન જેવા નાના ઉદ્યોગો ખુલી રહ્યા છે. કોરોના વાયરસના પાયમાલથી ખૂબ પ્રભાવિત સ્પેનમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે સૌથી ઓછા 164 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રોગચાળાથી સ્પેનમાં 25 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જર્મનીમાં, વિસ્તૃત પરીક્ષણને કારણે કોરોના વાયરસ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં રહે છે. જર્મનીમાં હવે કેટલીક શાળાઓ ખુલી છે.

Reported on 2 May

ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં મૃતકોની સંખ્યા ઘટી

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 337 લોકોના મોત થયા. કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં જે રીતે મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો તે પ્રમાણે સોમવારના દિવસે જે કેસ નોંધાયા તેની સંખ્યા ઓછી હતી. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 106 લોકોના મોત થયા છે. આ બંને શહેરોના ગવર્નરે આ આંકડા જાહેર કર્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298,004 કેસ નોંધાયા છે અને 22,623 લોકોના મોત થયા છે. જ્યારે, ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 111,188 કેસ નોંધાયા છે અને 6,044 લોકોના મોત થયા છે.

World મૃત્યુઆંક 1,66,000 : USA માં જ 41 હજારથી વધુ મોત 

વિશ્વસ્તરે કોરોના વાયરસ 1,66,794 લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. આ આંકડો સોમવરા સાંજ સુધીનો છે. જ્યારે કુલ કેસોનો આંકડો  
24,32,092થી વધુ નોંધાયો છે. આ પૈકી 6,36,929 દર્દીઓ સારવાર દરમિયાન ઠીક થયા છે. 

જોકે આંકડાઓને લઇને માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી જાહેર કરાયેલા વાસ્તવિક આંકડાનો એક ભાગ છે, કારણ કે કેટલાક દેશો માત્ર ગંભીર કેસોની સારવાર કે તપાસ કરી રહ્યા છે.  

વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે જ્યાં કોવિડ-19ને કારણે મરનારાની સંખ્યા 40 હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ કેસોની સંખ્યા 7,60,570એ પહોંચી છે. જેમાં પ્રતિ દિવસ વધારો જોવા મળી રહ્યો છે. બીજા સ્થાને ઇટાલી છે જ્યાં મૃત્યુઆંક 23660 છે અને કુલ કેસો 178,000થી વધારે સામે આવ્યા ચૂક્યા છે. 

સ્પેનમાં પણ કુલ કેસોનો આંકડો 2 લાખને પાર નીકળી ગયો છે, જેમાંથી 20852 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં પણ 19744 લોકો જીવ ગુમાવી બેઠા છે અહીં કુલ 1,54,098 કેસ સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1,25,850 કેસ થયા છે જેમાંથી 16544 લોકોના મોત થયા છે. 

સમગ્ર યુરોપમાંથી કુલ 11,83,307 લોકો કોરોનાગ્રસ્ત છે જે પૈકી 1,04,028 લોકો દમ તોડી ચૂક્યા છે. અમેરિકા અને કેનેડામાં કોરોના કુલ 7,93,169કેસ સામે આવ્યા છે. ત્યાં મૃત્યુઆંક 42 હજારથી વધુ છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાંથી કુલ 1,66,453કેસ સામે આવ્યા છે અહીં મૃત્યુઆંક 7 હજારથી વધુ છે. પશ્ચિમ એશિયામાંથી કુલ 1,26,793 કેસ સામે આવ્યા છે જેમાંથી 5664 લોકોના મોત થયા છે. આફ્રિકામાં પણ કોરોનાના કુલ 21 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જે પૈકી 1124 લોકોના મોત થયા છે. 

World Nation wise data

OtherCasesDeaths
World2,250,790154,266
USA710,02137,158
Spain190,83920,002
Italy172,43422,745
France147,96918,681
Germany141,3974,352
UK108,69214,576
China82,7194,632
Iran79,4944,958
Turkey78,5461,769
Belgium36,1385,163
Brazil34,2212,171
Russia32,008273
Canada31,9271,310
Netherlands30,4493,459
Switzerland27,0781,327
Portugal19,022657
Austria14,595431
India14,352486
Ireland13,980530
Peru13,489300
Sweden13,2161,400
Israel12,982151
S. Korea10,653232
Japan9,787190
Chile9,252116
Ecuador8,450421
Poland8,379332
Romania8,067411
Saudi Arabia7,14287
Denmark7,073336
Pakistan7,025135

યુકેમાં માસ્ક ફરજિયાત બનાવો: લંડનના મેયર

બ્રિટનની રાજધાનીના મેયર સાદિક ખાને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો રોગચાળો ફેલાતો અટકાવવા માટે ફેસ માસ્ક ફરજિયાત બનાવવાની યુકેની સરકારને શુક્રવારે વિનંતિ કરી હતી.

દરમિયાન, યુકેમાં કોવિડ-૧૯ના રોગચાળાને લીધે લદાયેલો લોકડાઉન વધુ ત્રણ અઠવાડિયાં એટલે કે ૭ મે સુધી લંબાવાયો છે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો અટકાવવાના પગલાંના ભાગરૂપે ન્યૂ યોર્ક સહિતના દુનિયાના અનેક શહેરમાં ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયો છે અને તે અસરકારક સાબિત થઇ રહ્યો હોવાથી આપણે ત્યાં પણ, ખાસ કરીને જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકો માટે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવવો જોઇએ.

બ્રિટનના વિપક્ષ મજૂર પક્ષના નેતા સાદિક ખાને જણાવ્યું હતું કે મેડિકલ માસ્ક આરોગ્ય સેવા માટે કામ કરી રહેલા ડોક્ટરો, નર્સો સહિતના મેડિકલ સ્ટાફ માટે રાખવા જોઇએ, પરંતુ સામાન્ય જનતા જો ફરીથી વાપરી શકાય એવા ફેસ માસ્ક પહેરે તો તેનાથી કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.

આમ છતાં, લંડનના મેયરની આગામી ચૂંટણીમાંના ખાનના હરીફ રૂઢિચુસ્ત પક્ષના નેતા શોન બેલીએ આક્ષેપ કર્યો હતો કે શહેરના મેયર દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર

લંડનના કર્મચારીઓને ફેસ માસ્ક અને અન્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે પૂરતા પગલાં નથી લેવાયા.

કોરોનાના વિષાણુ ચકાસવા સચોટ ટેસ્ટની શોધ

વિજ્ઞાનીઓએ એવા નવા પ્રકારના ટેસ્ટ (તબીબી પરીક્ષણ)ની શોધ કરી છે જેમાં શરીરમાં નોવેલ કોરોના વાઇરસ જો હશે તો એ વધુ ચોકસાઇપૂર્વક અને વધુ ઝડપથી શોધી શકાશે. હાલમાં કોવિડ-૧૯ની મહામારી સામેની લડતમાં પોલીમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર) આધારિત ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નવા પ્રકારના ટેસ્ટની શોધ સાથે હવે વર્તમાન ટેસ્ટ પરનું દબાણ દૂર થશે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાઇરસનો ‘આતંક’ શરૂ થયો ત્યાર પછી લાખો લોકોના ટેસ્ટ પીસીઆરની કિટને આધારે કરાયા હતા.

પીસીઆર સંવેદનશીલ પદ્ધતિ છે જેમાં સાર્સ-સીઓવી ટૂ આરએનએ પ્રકારના આ રોગમાં દર્દીના ગળામાંથી સ્ત્રાવનો નમૂનો લેવામાં આવે છે જેથી એમાં સૂક્ષ્મ વિષાણુ હોય તો એ શોધી શકાય. જોકે, કોવિડ-૧૯ મહામારી જેમ-જેમ આગળ વધતી જાય છે એમ લેબોરેટરીના સ્ટાફ પર નવી અને નક્કર શોધ કરવાનું દબાણ વધતું જાય છે. જોકે, સ્વિટ્ઝરલૅન્ડમાં ઝુરિક ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, ઇટીએચ નામની સંસ્થાના સંશોધકોએ વધુ સચોટ કહી શકાય એવી ટેસ્ટની પદ્ધતિ શોધી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે નવી ટેસ્ટ કોવિડ-૧૯ને કાબૂમાં રાખવા માટે મહત્ત્વની પુરવાર થઈ શકશે. હાલમાં અમુક દેશોમાં કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેનિંગ તથા કલ્ચરિંગ નામની પદ્ધતિઓ પણ છે, પરંતુ એમાં પરિણામો વર્તમાન સંજોગો જોતાં ઝડપથી નથી મળી શક્તા.

April 17, 2020
rbi.jpeg
1min4720

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી રવિકાંત દાસએ આજે તા.17મી એપ્રિલના રોજ મિડીયા બ્રિફિંગમાં ભારતના અર્થતંત્ર પર કોવીડ 19ની અસરો ઓછી વર્તાય એ માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી હતી. જે મુદ્દાસર નીચે મુજબ છે.

શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે 

બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે

રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી 30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા વધશે

2020 વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી ખરાબ રહેશે

IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે

જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે : દાસ

નીચા WPIથી અમે ખુશ નથી

લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે

સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે

TLTRO 2.0ની જાહેરાત,વધુ 50,000 કરોડના બોન્ડનું ઓક્શન કરશે RBI

SIDBI સહિતની રાષ્ટ્રીય ફાઇનાન્સ કંપનીઓ માટે રિફાઈનાન્સિંગની જાહેરાત

50,000  કરોડ NABARD, SIDBI અને NHBને આપશે RBI

NABARD રીફાઈનાન્સ આપશે 25,000 કરોડની સહાય, સહકારી બેંકો અને સંસ્થાને મળશે રાહત

SIDBIને પણ 15,000 કરોડની સહાય, શિડ્યુઅલ બેંક અને અન્ય ફાઈનાન્સ કંપનીઓ માટે સહાય

દેશની રિયલ્ટી કંપનીઓને રાહત આપવા NHB આપશે 15,000 કરોડની રિફાઈનાન્સ સુવિધા

April 17, 2020
gold2.jpg
1min6000

સોનાનો ભારત વિશ્વનો સૌથી મોટો બીજો આયાતકાર દેશ છે. હાલ પ્રવર્તમાન કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે સોનાની માગમાં ઘટાડો થયો છે આમ છતાં ભારતમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ગુરુવાર તા.16મી એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 47,250 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. ભારતમાં સોનાનો આ ભાવ ઓલ ટાઈમ હાઈ બન્યો છે. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 50 હજારની સપાટીને પણ વળોટી જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાનો વેપાર બંધ છે. પરંતુ કોમોડિટી ફ્યુચર્સ એક્સચેન્જ પર કામકાજ સોદાઓ થઇ રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ લિક્વિડિટી, આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના અવમૂલ્યન સહિતાના પરિબળોના કારણે ભાવમાં 30થી 35 ટકાનો વધારો થઈ શકે છે. 2019ના જુલાઈ મહિનાને સોનામાં હાલની તેજીની શરૂઆત તરીકે લઈ શકાય છે, જ્યારે કિંમત આશરે 32,200 રૂપિયા હતી. હવે, 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં ભાવમાં 46 ટકાનો વધારો થયો છે. તેમાં હજુ 35 ટકાનો વધારો થતાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

April 16, 2020
coronaresearch-1280x720.jpg
1min14210

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

April 16, 2020
plazma.jpg
1min732

કોરોના સામે લડવા માટે એક અમોઘ શસ્ત્ર એટલે કે કારગર ટેક્નિક મળી છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ ટેક્નિકની કોઇ સાઇડ-ઇફેક્ટ પણ નથી. આ ઇલાજ બેહદ સસ્તો પણ છે. અમેરિકામાં કોરોના વાઇરસગ્રસ્ત કેટલાક ભારતીય-અમેરિકન દર્દીઓ પર આ ટેક્નિકથી સારવાર કરવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. ચીનમાં પણ પ્લાઝમા આપ્યા બાદ ૭૨ કલાકમાં દર્દીમાંથી કોરોનાનાં લક્ષણ ખતમ થવા માંડ્યાં હતાં અને દર્દીઓ સાજા થઇ ગયા હતા.

આ ટેક્નિકનું નામ કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપી છે. ભારતમાં આ થેરેપીની ટ્રાયલ કરવા માટે આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ મંજૂરી આપી દીધી છે. હાલમાં કોરોનાના ફક્ત ગંભીર અસરગ્રસ્ત દર્દીઓ પર પ્રતિબંધિત ઉપયોગ માટે જ પ્રાયોગિક ઉપચાર પ્લાઝમા થેરેપીને મંજૂરી મળી છે.

આ થેરેપીથી કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવાર કરનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ સારવાર પદ્ધતિ બેહદ પારંપરિક અને ભરોસાપાત્ર છે. ઘણા રોગ સામે આ થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કારગર નીવડ્યો છે. આ અત્યંત બેઝિક ટેક્નિક છે જેનો લાભ કોઈ પણ દેશ લઈ શકે છે. આવો આપણે કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપી વિશે જાણીએ.

બેક્ટેરિયાના ચેપની સામે લડવા માટે આપણી પાસે અસરકારક એન્ટિબાયોટિક્સ દવાઓ છે, પરંતુ અસરકારક એન્ટિવાઇરલ દવાઓ નથી. જ્યારે પણ કોઈ નવો વાઇરસ ફાટી નીકળે છે ત્યારે તેની સારવાર માટે કોઈ દવા હોતી નથી. ૨૦૦૯-૧૦માં એચ૧એન૧ ઇનફ્લુએન્ઝા વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પ્લાઝમા થેરેપીની સારવાર મેળવનારી વ્યક્તિઓ સાજી થઈ હતી અને મૃત્યુદરમાં પણ ઘટાડો થયો હતો. ટૂંક સમય પહેલાં જ્યારે ઇબોલા અને સાર્સનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પણ આ જ પદ્ધતિથી રોગીઓની સારવાર કરવામાં આવી હતી જે ઘણી ઉપયોગી નીવડી હતી.

આ થેરેપી રસીકરણથી કેવી રીતે અલગ છે તે સમજવાની કોશિશ કરીએ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ એક રોગ માટે રસી આપવામાં આવે છે ત્યારે તેના શરીરની રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડી ઉત્પન્ન કરે છે જેનાથી એ રોગ સામે રક્ષણ મળે છે. અને આ એન્ટિબોડીઝ તેના શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહે છે. પછીથી જ્યારે રસી અપાયેલી વ્યક્તિને ક્યારેક ચેપ લાગે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ નિષ્ક્રિય પડી રહેલા એન્ટિબોડીઝ મુક્ત કરે છે જે રોગના ચેપને બેઅસર કરે છે અને વ્યક્તિ સાજી થઇ જાય છે. રસીકરણથી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન થાય છે. કોરોનાના ઇલાજ માટે રસીની શોધ અને સંશોધનો ચાલુ છે પરંતુ એની માટે છ મહિનાથી લઇને એકાદ વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેથી હાલમાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે પ્લાઝમા થેરેપી પર જ નિર્ભર રહેવું પડે તેમ છે.

હવે પ્લાઝમા થેરેપી શું છે એ વિશે જાણીએ. સૌપ્રથમ આપણે પ્લાઝમા વિશે જાણીએ. આપણા શરીરમાં જે લોહી હોય છે તેમાં ૫૫ ટકા પ્લાઝમા હોય છે જે રક્તમાં રહેલા લાલ કણ અને શ્ર્વેત કણને પ્રવાહી પદાર્થ ઉપલબ્ધ કરાવે છે.

રોગીઓને ઉચિત માત્રામાં પ્લાઝમા આપવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે. જે વ્યક્તિ કોરોનાના રોગમાંથી સાજો થયો છે તેના શરીરમાંથી બ્લડ લેવામાં આવે છે અને તેમાંથી સિરમ (પ્લાઝમા) છૂટો પાડવામાં આવે છે અને તે કોરોનાના રોગ માટેના એન્ટિબોડીઝથી સમૃદ્ધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી આ સિરમ કોરોનાના દર્દીને આપવામાં આવે છે. રસીથી વિપરીત એન્ટિબોડી સિરમ દર્દીના શરીરમાં ત્રણથી ચાર દિવસ રહે છે. યુએસએ અને ચાઇનાના સંશોધન અહેવાલો સૂચવે છે કે ટ્રાન્સફ્યુઝન પ્લાઝમાની ફાયદાકારક અસર ત્રણથી ચાર દિવસમાં જોવા મળે છે અને તે ધીમે ધીમે સાજો થઇ જાય છે. આ સમય દરમિયાન દર્દી આડકતરી રીતે કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ મેળવે છે. તેના લોહીમાં એન્ટિબોડીઝ પેદા થાય છે જે રોગ સામે લડે છે. જેમ આપણે કોઈ રોગ માટે રસી લઈએ અને એ રસી શરીરમાં એ રોગના એન્ટિબોડીઝ બનાવે જે શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહેતા હોય છે અને જરૂર પડે ત્યારે સક્રિય થઇને રોગનો ખાતમો બોલાવે છે તેવી જ રીતે કોરોનાના દર્દીને અન્ય સાજા થઇ ગયેલા દર્દીના લોહીમાંથી આપવામાં આવેલા સિરમમાંના એન્ટિબોડીઝ સાજા થવામાં અને રોગનો ખાતમો બોલાવવામાં મદદ કરે છે.

કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપીનો ઇતિહાસ ઘણો જૂનો છે. ૧૮૯૦ની સાલમાં એક જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહરિંગે શોધી કાઢ્યું કે ડિપ્થેરિયાથી સંક્રમિત સસલામાંથી મેળવેલો સિરમ (પ્લાઝમા) ડિપ્થેરિયા ચેપને રોકવા માટે અસરકારક હતો. બેહરિંગને ૧૯૦૧માં પ્રથમ વખત દવા માટેનું નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું. તે સમયે એન્ટિબોડીઝ જાણીતા ન હતા. કોન્વેલેસેન્ટ સિરમ થેરેપીની અસરકારકતા વિશે ઝાઝી જાણ નહોતી.

જોકે, આ સારવાર પદ્ધતિ સામે પણ ઘણા પડકાર રહેલા છે. આ પ્રકારના ઉપચારમાં મુખ્યત્વે રોગમાંથી બચી ગયેલા અથવા તો રોગ સામે લડત આપીને સફળ થયેલા લોકો જ પ્લાઝમાના દાતા બની શકે છે અને તેમની પાસેથી જ પ્લાઝમા મેળવવામાં આવે છે જેમાં મુશ્કેલી આવી શકે છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો પાસેથી પ્લાઝમાની નોંધપાત્ર માત્રા મેળવવામાં મુશ્કેલીને કારણે તેનો ઉપયોગ સરળ નથી.

કોરોના જેવા રોગમાં જ્યાં મોટા ભાગના લોકો વૃદ્ધ હોય છે અને હાઈપરટેન્શન, ડાયાબિટીસ જેવી વ્યાધિઓથી પીડાતા હોય છે તેથી તેમની પાસેથી રક્ત લઈ શકાતું નથી. આ ઉપરાંત જે બ્લડ ગ્રુપ ધરાવતા સાજા થયેલા દર્દીનું રક્ત લીધું હોય તે બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીને જ તે આપી શકાય છે.

આ ઉપરાંત પ્લાઝમાના દાતાની હેપેટાઇટિસ, એચ.આઇ.વી., મેલેરિયા વગેરે જેવા રોગ માટે પણ તપાસ કરવી જરૂરી છે જેથી તેઓ રિસીવરને કોઈ જુદા રોગ પેદા ન કરે.

April 15, 2020
closed.png
2min5250
  • All domestic and international air travel of passengers except for security purposes
  • All passenger movement by trains, except for security purposes
  • Buses for public transport
  • Metro rail services
  • Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
  • All educational, training, coaching institutions etc. shall remain closed
  • All industrial and commercial activities other than those permitted
  • Hospitality services other than those specifically permitted
  • Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
  • All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
  • All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
  • All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
  • In case of funerals, congregation of more than twenty persons will not be permitted
April 15, 2020
jaanjahaan.jpg
3min16210

હોટસ્પોટ એરીયામાં લૉકડાઉન છૂટછાટો લાગૂ પડશે નહીં

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આજે તા.15મી એપ્રિલે 20મી એપ્રિલથી લૉકડાઉન દરમિયાન કેટલીક પ્રવૃતિઓને ચુસ્ત નીતિ નિયમોના પાલન કરવાની શરત સાથે છુટછાટ આપવાની જાહેરાત કરી છે. અહીં અમે તેનું ગુજરાતી તેમજ અંગ્રેજી અનુવાદ લખી રહ્યા છે. અમારું ઇન્ટરપ્રિટેશન અને સરકારના નોટિફિકેશન વચ્ચે ભેદ હોઇ શકે. અહીં ફક્ત અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાચકોને સરકારના નોટીફિકેશનનો રેફરન્સ જ ઉપયોગમાં લેવા જણાવવામાં આવે છે.

તદુપરાંત હોટસ્પોટ, ક્લસ્ટર કોરન્ટાઇન વિસ્તારમાં કોઇપણ પ્રકારની છૂટછાટો આપવામાં આવનાર નથી. નોટીફિકેશન ગાઇડલાઇન્સ હોટસ્પોટ એરીયાને લાગૂ પડતી નથી.

Activities permitted April 20 onwards

Specific activities have been allowed April 20 onwards which will be operationalized by states, UTs and district administrations while adhering to social distancing measures.

However, exemptions given from April 20 will not be applicable in Covid-19 hotspots or containment zones and industries operating in rural areas will be able to operate only after April 30:

આટલી કામગીરીને આંશિક રીતે છૂટછાટ મળશે

  • ખેતી, હોર્ટિકલ્ચર, ફાર્મિંગ, ખેત પેદાશો હેરફેર, લે-વેચ, લેવડ-દેવડ
  • મત્સ્યોદ્યોગ, એકવા કલ્ચર, ઝીંઘા ફાર્મ તેમજ તેના ઉછેર અંગેની પ્રવૃતિઓ
  • આયુષ સમેતની તમામ પ્રકારની મેડીકલ સર્વિસીઝ
  • ફાર્મ મશીનરી, સ્પેરપાર્ટસ, સપ્લાય ચેન, રિપેરિંગ, મશીનરી સંબંધિત કસ્ટમ હાયરિંગ સેન્ટર
  • દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ, મેડીકલ ડીવાઇસ, મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રકશન કામગીરી
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ તેના દ્વારા સંચાલિત નાણાકીય બજારો અને આનુષંગિક પ્રવૃતિઓ
  • હાઇવે ધાબા, ટ્રક રિપેરિંગ શોપ્સ, સરકારી પ્રવૃતિઓ માટેના કોલ સેન્ટર્સ
  • બાળકો, દિવ્યાંગો, માનસિક વિકલાંગો માટેની પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ
  • સોશ્યલ ડિસ્ટન્સીંગનો કડક અમલ સાથે મનરેગા યોજનાઓ
  • ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ તેમજ પોસ્ટલ સર્વિસીઝ, વીજ ઉત્પાદન એકમો વગેરે પબ્લિક યુટિલિટીઝ યુનિટ્સ,
  • મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન્સ, એક્સપોર્ટ ઓરીએન્ટેડ યુનિટ્સ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ, ટાઉનશીપ્સ

What allowed

  • Agricultural, horticultural, farming, procurement of agri products, ‘mandis’
  • Fishery, aquaculture and plantation activities
  • All health services (including AYUSH)
  • Shops of farm machinery, its spare parts, supply chain, repairs, ‘Custom Hiring Centres’ related to machinery
  • Manufacturing units of pharmaceuticals, medical devices, construction of medical infrastructure
  • Reserve Bank of India & RBI-regulated financial markets and entities
  • Highway ‘dhabas’, truck repairing shops, call centres for govt activities
  • Operation of homes for children/ disabled/ mentally challenged/ senior
  • MNREGA works will be allowed with strict implementation of social distancing
  • Public utilities like operations of oil and gas sector, postal services, power generation etc.
  • Manufacturing, industrial units with access control in SEZs, Export Oriented Units, industrial estates, townships
April 15, 2020
khedawala.jpg
1min6050

ખાડિયા જમાલપૂર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પોલીસ વડા DGP શિવાનંદ ઝા સાથે મુલાકાત કરી હતી.

ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસની કોરોનાના લક્ષણ દેખાતા હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ અમદાવાદ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં દાખલ થશે.

ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જેથી પત્રકારોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે.

April 14, 2020
coronaguj-1280x875.jpg
13min22870

દેશના 170 હોટસ્પોટમાં ગુજરાતના સૂરત સમેત 5 જિલ્લાઓ : ગુજરાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરતા કેસો મળવાના શરૂ થયા

રાજ્યમાં તા.16મી એપ્રિલે સવારે 10 વાગ્યે આરોગ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 105 કેસો મળ્યા હતા. જેમાંથી 42 અમદાવાદ અને 35 સૂરતના છે. સૂરતમાં ઉમરવાડા, કતારગામ, માનદરવાજા, મીઠીખાડી અને રૂસ્તમપુરા ખાતે નવા કેસો મળ્યા હોવાનું તેમણે બ્રિફીંગમાં જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં કોરોના સ્થિતિ અંગે માહિતી માટે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 કલાકમાં વધુ 105 કેસ સાથે કુલ કેસનો આંકડો 871 પર પહોંચી ગયો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 64 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,000થી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2971 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં પાછલા કલાકમાં અમદાવાદ અને સુરતમાં વધુ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણીનગર, મેમનગર, સરસપુર અને ગોમતીપુરમાં નવા કેસનો નોંધાયા છે. જ્યારે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી, રુસ્તમપુરામાં નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં મળેલા નવા કેસોની વિગત

સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો તા.15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે 64 હતો જેમાં 22 વધારા સાથે તા.16મી એપ્રિલે સવારે એ વધીને 86 થઇ ગયો છે.

ગુજરાતના કુલ કેસો તા.16મી એપ્રિલે સવારે 11 વાગ્યે

દેશમાં 170 અને ગુજરાતમાં 5 જિલ્લાઓ હોટસ્પોટ જાહેર

કોરોના વાયરસથી અસરગ્રસ્ત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (રેડ ઝોન) તરીકે તેમજ સંક્રમણની હાજરી ધરાવતા 207 જિલ્લાઓને નોન હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ બાકીના જિલ્લાઓમાં જો વાયરસનું સંક્રમણ નહીં હોય તો તેમને ગ્રીન ઝોન હેઠળ મુકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના આ માપદંડ હેઠળ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર છે તેવા જિલ્લા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટ (hotspot districts with large outbreaks ) જાહેર કરવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જે વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાતું હોય તે જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ જો સંક્રમણવાળા વિસ્તારમાં એક જ સ્થાન પર સંક્રમણના ઓછામાં ઓછા 15 કેસ થાય તો તેને એક ‘ક્લસ્ટર’ માનવામાં આવશે. આ માપદંડ અનુસાર ગુજરાતનો પાટણ જિલ્લો ક્લસ્ટર ઝોન જાહેર થયો છે.

ગુજરાતમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાની મંજૂરી મગાઇ

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.

આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે. કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.

ગુજરાતમાં રિકવરી રેટમાં ગાંધીનગર પ્રથમ

ભાવનગરમાં અત્યાર સુધીમાં જે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં સાત કેસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા ભાવનગરમાં દર્દીઓના સાજા થવાનો દર ૨૬.૯૨ ટકા છે. જ્યારે

  • ગાંધીનગર પ્રથમ ક્રમે છે જ્યાં પોઝિટિવ દર્દીનો સાજા થવાનો દર ૪૬.૬૭ ટકા છે. ત્યાં ૧૫ પૈકી સાત દર્દી સાજા થઇ ગયા છે. તો
  • બીજા ક્રમે રાજકોટ છે જ્યાં ૧૮ પૈકી ૮ દર્દી સાજા થઇ જતાં ટકાવારી ૪૪.૪૪ છે. તો
  • ત્રીજા ક્રમે પાટણ છે જ્યાં સાજા થવાનો દર ૨૮.૫૭ ટકા છે.
  • ચોથા ક્રમે ભાવનગર છે.

મૃત્યુ દરમાં ગુજરાતના શહેરોની તુલના

ભાવનગરમાં મૃત્યુદર ઉંચો છે. ભાવનગરમાં ૨૬ દર્દીમાં ત્રણના મોત થતાં ટકાવારી ૧૧.૫૪ ટકા થઈ છે. સુરતમાં મૃત્યુદર ૪૦ દર્દીમાં ચારના મોત થતા ટકાવારી ૧૦ ટકા છે. આમ રાજ્યમાં ભાવનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. જોકે વડોદરામાં પણ પાંચ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે અહીં કુલ પોઝિટિવ કેસ ૧૧૬ ઉપર પહોંચ્યો છે.

લોકડાઉનનું પાલન ન કરે તે વિસ્તારમાં ‘કોરોના કરફ્યૂ’ લદાશેઃ DGPની ચેતવણી

રાજ્યના DGP શિવાનંદ ઝાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, લોકડાઉનનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવશે. લોકોના હિત માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ અપીલ કરતી આવી છે, છતાં અનેક લોકો તેનું પાલન કરતાં નથી અને કોરોના વકરે તેવી પ્રવૃત્તિ કરે છે. આ કારણે પોલીસ પાસે લોકડાઉનનું પાલન થતું ન હોય તે વિસ્તારમાં કરફ્યૂ લાદવાનો વિકલ્પ જ બચે છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવાયો છે ત્યાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી  રહ્યાં છીએ. પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે અને જનતા લોકડાઉનનું કડક પાલન કરે. 

કોરોના રસીશોધની દિશામાં ગુજરાતની લેબને મહત્વની લીડ મળી

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

Reported on 15 April 2020

કોરોનાથી મુક્ત વિસ્તારોમાં ચેપ નહીં ફેલાય એની ખાસ તકેદારી : એક દર્દીના મોત સાથે સૂરતમાં મૃત્યુઆંક 5

ગુજરાતમાં આજે તા.15મી એપ્રિલે સવારે પૂરા થયેલા 12 કલાક દરમિયાન ગુજરાતમાંથી કોરોના પોઝીટીવના વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો પોઝિટીવ દર્દીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 30 થઇ છે.

આજે તા.15મી એપ્રિલે સવારે વધુ નવા ત્રણ પોઝિટીવ કેસ આવ્યા છે. વધુમાં રાંદેરની ૪૫ વર્ષિય મહિલા યાસ્મીનના મોત સાથે કુલ મોતની સંખ્યા 5 પર પહોંચી છે. સૂરતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 50 થઇ છે જેમાં 2 કેસ જિલ્લા વિસ્તારના છે.

India at glance

  • Cases : 12,380
  • Deaths : 414
  • Recovered : 1,489
  • Active Cases : 10,477

India Statewise on 16 April 11 am

StateCaseDeathRecover
MH2916187295
DL15783240
TN124214118
RJ10233147
MP9875364
GJ7663364
UP7351151
TG64718120
A.P.5251420
KL3883218
JK300436
KA2791280
WB231742
HR205343
PB1861327
BR70129
OR60118
UK3709
HP35116
CG33017
AS3310
JH2820
CH2107
Leh17010
AN11010
PY701
ML710
GA705
MN201
TR201
MZ100
AR100
NL000

ગુજરાતમાં 15 એપ્રિલે સવારે મળેલા કેસોની વિગતો

તા.15મી એપ્રિલે સવારે 10 કલાકે ગુજરાતનું કોરોના સ્ટેટસ અપડેટ

કેન્દ્ર સરકારે તા.15મી એપ્રિલે જાહેર કરેલી લૉકડાઉન સંદર્ભની ડિટેલ્ડ ગાઇડલાઇન માટે નીચેની લિંક ક્લીક કરો

https://mha.gov.in/sites/default/files/PR_Consolidated%20Guideline%20of%20MHA_28032020%20%281%29_1.PDF

આજરોજ તા.15મી એપ્રિલથી ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક નવા અભિગમ સાથે રણનીતિનો અમલ કરી રહ્યા છે. હવે સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ લંબાવવામાં આવ્યું છે.

દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે. રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.

મંગળવાર રાત્રે 8 વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.

મહારાષ્ટ્રમાં મંગળવારે 350 નવા પોઝીટીવ કેસો અને આ જ રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં મંગળવાર તા.14મીએ કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.

ભારતમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં મંગળવારે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં મંગળવારે રાત સુધીની સ્થિતિ

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ સામે આવ્યા છે. આમ, ગઈકાલ રાતથી અત્યારસુધી રાજ્યમાં કુલ 78 નવા કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં બે દર્દીના મોત પણ થયા છે. આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજના દિવસમાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં ભાવનગરના બે, અમદાવાદના બે, અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.

મંગળવારે રાત્રે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા હતા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૯૮૦ જેટલા સેમ્પલ ટેસ્ટિંગને અંતે કુલ ૬૧૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૬ દર્દીઓનો મોત થઇ ચૂક્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૫૧ કેસ નોંધાયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરન્ટીન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરન્ટીન, ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બીજી બાજુ ૨૦ જિલ્લાઓમાં કોરોના વાઈરસ પ્રસરી ચૂક્યો છે. જિલ્લા દીઠ કોરોનાના આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૩૫૧ કેસ અને ૧૩ દર્દીઓના મોત, વડોદરામાં ૧૦૮ અને ત્રણના મોત, સુરતમાં ૪૩ કેસ અને ચાર દર્દીઓના મોત, ભાવનગરમાં ૨૬ કેસ અને બે ના મોત, ગાંધીનગરમાં ૧૬ કેસ અને એકનું મોત, પાટણમાં ૧૪ કેસ અને એકનું મોત, પંચમહાલમાં બે કેસ અને એકનું મોત, જામનગરમાં એક કેસ અને એકનું મોત થયું હતું. કુલ ૬૧૭ કેસમાંથી ૩૩ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા ૩૩, આંતરાજ્ય પ્રવાસ કરનારાં ૩૪ અને લોકલ ૫૫૦ દર્દીઓના સમાવેશ થાય છે. કુલ ૨૬ના મોત થયાં છે, જેમાં વિદેશ યાત્રા કરનારાં ત્રણ અને આંતરરાજ્ય પ્રવાસ કરનારાં ત્રણ તેમજ ૨૦ લોકલ દર્દીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે.

ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં. અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Reported on 14 April 2020

ભારતમાં 15 એપ્રિલથી Lockdown 2.0 : કેસોની સંખ્યા 10,000ને પાર

ગુજરાતમાં તા.13મી એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી તા.14મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 42 નવા કેસો ઉમેરાયા હોવાની માહિતી રાજ્યના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા 14 એપ્રિલ સવારે 11 વાગ્યે

ભારતમાં 3 મે સુધી લોકડાઉન.02, 20 એપ્રિલ સુધી અત્યંત સખ્તાઈથી થશે અમલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે તા.14મી એપ્રિલે સવારે 10 કલાકે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે.

તેમણે કહ્યું કે નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે. આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે. જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.

જોકે, આ છૂટછાટ શરતી હશે, અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે, અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.

ભારતમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓ

કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.

ભારતમાં આંકડો 10 હજારને પાર (14 એપ્રિલ સવારે 11 વાગ્યે)

  • Cases : 10,363
  • Deaths : 339
  • Recovered : 1,036
  • Active Cases : 8,988
STATECaseDeathRecover
MH2334160217
DL15102830
TN11731158
RJ873321
MP6044344
TG56216100
UP558549
GJ5392654
AP432711
KL3793198
JK270416
KA247659
WB190736
HR185329
PB1671114
BR65126
OR54112
UK3505
HP32113
CG31010
AS3110
JH2420
CH2107
LADAKH15010
AN11010
PY701
GA705
MN201
TR200
NL100
MZ100
AR100

ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67% વધવા સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.

ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.