CIA ALERT

Slider Archives - Page 227 of 486 - CIA Live

June 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9480

કોવીડ-19માં શિક્ષણ વિભાગ કે ગુજરાત બોર્ડ લોકો સુધી પહોંચવા વેબસાઇટ પર મદાર રાખે છે ત્યારે

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19માં જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વની માહિતીઓ, પરીપત્રો, નોટિફિકેશન્સ વગેરે છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે પોતાની સત્તાવાર વેબસાઇટનો સહારો લઇ રહ્યા છે ત્યારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી રાજ્યગુરુ સાહેબે કોવીડ-19નું લૉકડાઉન શરૂ થયું તેના 3 જ દિવસ બાદ શિક્ષણાધિકારીની કચેરી ની સત્તાવાર વેબસાઇટ https://deosurat.org/Circulars.aspx પર સરક્યુલર મૂકવાની પોતાના કર્મચારીઓને ના પાડી દીધી છે.

https://deosurat.org વેબસાઇટ પર છેલ્લો પરિપત્ર તા.26મી માર્ચ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. એ પછી કોવીડ-19ની સિચુએશન, માસ પ્રમોશન, ઓનલાઇન ક્લાસીસ, ધો.10-12 સાયન્સના રીઝલ્ટ વગેરે મળીને ડી.ઈ.ઓ. કચેરીએ 250થી વધુ સરક્યુલર સ્કુલો જોગ જારી કર્યા છે. પરંતુ, એક પણ સરક્યુલર ડીઈઓ સુરતની વેબસાઇટ મૂક્યો નથી.

ડીઇઓ રાજ્યગુરુ સાહેબે મહત્વના સરક્યુલર જે તે સ્કુલોના ક્લાર્ક, આચાર્યો કે ટ્રસ્ટીઓને વ્હોટ્સએપ પર અથવા તો ઇમેલ આઇડી પર મોકલવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં ઇમેલ અને વ્હોટ્સ એપ નંબરો બદલાતા રહેતા હોઇ, અનેક શાળાઓ મહત્વના સરક્યુલરથી વંચિત રહી જાય છે. ડી.ઈઓ. કચેરી દ્વારા મોકલવામાં આવતા સેંકડો ઇમેલ રિટર્ન થઇ રહ્યા છે. ગુજરાત સરકાર કે ગુજરાત બોર્ડ કોવીડ-19માં ઉદભવેલી પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે જો વેબસાઇટ્સનો ઉપયોગ કરતા હોય તો ડી.ઈ.ઓ સુરતને વેબસાઇટ પર સરક્યુલર અપલોડ કરવામાં શું વાંધો આવે છે.

વ્હોટ્સએપ ભરોસે

શહેર જિલ્લાની બે હજારથી વધુ શાળાઓ છેલ્લા અઢી મહિનાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ, પરીપત્રો, નોંધ વગેરે માટે વ્હોટ્સએપ કે ઇમેલના ભરોસે બેઠી છે, કેટલાય એવા સરક્યુલર છે જે વ્હોટ્સએપ પર મેસેજોના ઢગલામાં અટવાય ગયા અને સ્કુલોએ મહત્વની સૂચનાઓથી વંચિત રહેવું પડ્યું છે.

અનેક શાળાઓ સુધી મહત્વના પરીપત્રો પહોંચી શક્યા નથી.

સુરત શહેર ઉપરાંત જિલ્લાની અંદાજે 2000થી વધુ શાળાઓનો વહીવટ સુરત ડી.ઇ.ઓ. કચેરીના તાબા હેઠળ હોય છે. રોજેરોજ ડી.ઇ.ઓ. કચેરી દ્વારા કંઇકને કંઇક સૂચનાઓ, પરીપત્રો, કાર્યવાહીઓ, સુધારા વધારા નોંધ વગેરે જોગ સ્કુલોને પરીપત્રો પાઠવવાના થતા હોય છે ત્યારે ડી.ઇ.ઓ.ની વેબસાઇટ પર તેનું અપલોડેશન થવું જરૂરી બન્યું છે.

સોમ અને ગુરુવારે મુલાકાતી મળતા નથી, અન્ય દિવસોમાં મુલાકાતી જાય તો કહે સોમ-ગુરુએ આવજો

જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુ સામે મુલાકાતીઓની પણ એક ગંભીર ફરીયાદ એ છે કે તેઓ મુલાકાતીઓને ન્યાય આપતા નથી. અનેક લોકો કલાકો સુધી તેમની રાહ જોઇને કચેરીના ધક્કા ખાય રહ્યા છે. નિયમાનુસાર સોમ અને ગુરુવારે તેઓ મુલાકાતીને મળે છે એવી જાહેરાત કરવામાં આવી છે. પણ સોમવાર અને ગુરુવારે તેઓ મુલાકાતીઓના સમયે કચેરીમાં હોતા જ નથી. સોમ અને ગુરુ સિવાયના દિવસોએ મુલાકાતીઓ જાય ત્યારે એમને સોમવાર કે ગુરુવારે જ આવવા માટે કહેવામાં આવે છે.

હવે પછી વાંચો લઘુમતિ શાળાઓમાં બિનજરૂરી શિક્ષકોની ભરતીનું વેલ ઓર્ગેનાઇઝ્ડ કૌભાંડ

Latest on this News Web

June 11, 2020
vodaidea.jpg
1min5560

ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે તા.11મી જુનને ગુરુવારે સુનાવણી હાથ ધરાવાની સુપ્રીમ કોર્ટની સૂચનાના આધાર પર ટેલિકોમ શેર્સની નું ભાવી નક્કી થશે. ખાસ કરીને વોડા આઇડિયા માટે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે જેનો શેર છેલ્લા એક મહિનામાં બમણાથી વધારે વધ્યો છે.

સુનાવણીમાં સરકારની વિનંતી પણ સામેલ કરી શકાય છે જેણે ટેલિકોમ કંપનીઓને ચુકવણી માટે 20 વર્ષનો સમય આપવાની માંગણી કરી છે. એનાલિસ્ટ્સે કહ્યું કે કોર્ટ કંપનીઓને વહેલી ચુકવણી કરવા જણાવશે તો આ શેરમાં આવેલી તેજી અટકી જશે.

એજીઆરની ચુકવણી માટે 15-20 વર્ષ કરતાં ઓછો સમય મળશે તો તેમની પાસે 4G માટે મૂડીખર્ચ કરવા નાણાં નહીં બચે. તેથી માર્કેટ શેર પર અસર પડશે કારણ કે રોકાણ નહીં વધારાય તો માર્કેટ હિસ્સો ઘટશે.

ટેલિકોમ ઓપરેટર વોડાઆઇડિયાએ સરકારને એજીઆર પેટે ₹58,254 કરોડની ચુકવણી કરવાની છે જેમાંથી હજુ સુધી માત્ર ₹6,854 કરોડ ચૂકવાયા છે. બુધવારે આ શેર 7.34 ટકા વધીને ₹10.82 બંધ આવ્યો હતો. એક મહિના પહેલાં ₹4.58નો ભાવ હતો. તેની તુલનામાં શેર 136 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતી એરટેલના શેરમાં છ ટકાનો વધારો થયો છે.

વોડાઆઇડિયાના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે ડિલિવરી વોલ્યુમ ઘટ્યું છે. એટલે કે લાંબા ગાળાના રોકાણકારોને તેના ઋણના સ્તર અને એજીઆરની બાકી નીકળતી રકમ અંગે શંકા છે.

ઇટીઆઇજી ડેટાબેઝ દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડિલિવરી વોલ્યુમની ટકાવારી 23 ટકાની નજીક હતી જ્યારે છેલ્લા એક મહિનામાં 26.9 ટકા હતી. તે ત્રણ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.6 ટકા અને છ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.54 ટકાની નજીક છે.

આ કાઉન્ટરમાં સટ્ટાકીટ પ્રવૃત્તિ દર્શાવે છે. ટેલિકોમ સેક્ટર સારું દેખાય છે અને શેર વધી રહ્યો છે કારણ કે બીજી ટેલિકોમ કંપનીઓ વધી રહી છે. વધુ રેલી આવે તો વોડાફોનનો શેર વેચવો જોઈએ.

લાંબા ગાળાના રોકાણકારોને એજીઆર અને રિપેમેન્ટના મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. કંપની ચાલુ રહે તે માટે એજીઆરની ચુકવણીમાં તેને ઓછામાં ઓછાં 15 વર્ષનો સમયગાળો મળવો જોઈએ.

June 11, 2020
coronaindia-1-1280x1044.jpg
1min7150

છેલ્લા 24 કલાક દરમિયાન વધતાં કોરોના પેશન્ટની સંખ્યામાં રેકૉર્ડ વધારા પછી ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા ત્રણ લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10,956 નવા કેસ સામે આવ્યા છે, અને એક દિવસમાં સૌથી વધારે 396 મૃત્યુ પામ્યા છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2,97,535 થઈ ગયો છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે, જેને કારણે ભારતમાં રિકવરી રેટ 49.47 ટકા પહોંચી ગયો છે. આ સમયે દેશમાં કુલ 1,41,842 સક્રિય COVID-19 કેસ છે, અને ભારતમાં અત્યાર સુધી 8,498 લોકો COVID-19ને કારણે પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે.

આની સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોની સૂચીમાં બ્રિટેનને પાછળ મૂકીને ભારત ચોથા નંબરે પહોંચી ગયો છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાની પાછળ છે. અમેરિકામાં સૌથી વધારે 20 લાખ કેસ છે, તો તેના પછી બ્રાઝીલમાં સાડાસાત લાખ કેસ છે. જ્યારે ત્રીજા નંબરે રશિયમાં 4 લાખ 93 હજારથી વધારે કેસ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર મહારાષ્ટ્રમાં કુલ 97,648 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3607 કેસ નવા છે. હાલ 47980 કેસ સક્રિય છે અને 46078 દર્દીઓ સ્વસ્થ થઈને પાછાં ઘરે ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 152 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં મરણાંક 3590 પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ચોક્ક્સ રીતે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, “અહીં સુધી કે ભારત WHOની કોમ્યુનિટી સ્પ્રેડની વ્યાખ્યા પણ નથી.” તેમણે કહ્યું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. શબ્દ ‘કૉમ્યુનિટી સ્પ્રેડ’ને લઈને ઘણા વિવાદની સ્થિતિ છે.

India : 10 June : વધુ 10,911 કેસ : કુલ 2,87,025 કેસ : 8,105નાં મોત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસનો નવો રેકોર્ડ બન્યો છે.

10 June બુધવારે નોંધાયેલા નવા 10,911 કેસ સાથે દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો 2,87,025 પર પહોંચ્યો છે. આ સાથે કુલ 356 લોકોના મોત નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુનો આંકડો 8,000ને પાર કરીને 8,105 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં બુધવારે વધુ 1,501 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 32,810 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 984 થયો છે. દિલ્હીમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે. નવા 191 કેસ સાથે તેંગાણામાં 4000 કરતા વધારે કેસ થઈ ગયા છે, અને વધુ 8ના મોત સાથે કુલ મૃત્યુઆંક 156 થયો છે.

ગુજરાતમાં બુધવારે 510 કેસ નોંધવાના કારણે કુલ કેસનો આંકડો 21,553 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1347 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 15,305 કેસ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયેલા છે જ્યાં વધુ 3,254 કેસ સાથે કુલ આંકડો 94,041 પર પહોંચી ગયો છે. જ્યારે નવા 149 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,438 થયો છે. રાજ્યમાં 44,500 કોરોનાથી પીડાતા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.


June 11, 2020
corona-gujarat.jpg
1min5130

ગુજરાતમાં ૫ જૂન પછી પાંચ દિવસમાં ફરીથી ૫૧૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે ૩૪ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. અમદાવાદમાં વધુ ૩૪૩ નવા કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થઇ ૧૫૩૦૫ થયો છે જ્યારે વધુ ૨૬ દર્દીઓના વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૦૯૨ એટલે કે હવે ૧૧૦૦ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, ભાવનગરમાં મૃત્યુ નોંધાતા હતા, એ હવે અન્ય જિલ્લાઓમાં પણ ધીમે ધીમે ચેપ પ્રસરતાં ત્યાં પણ મૃત્યુ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને અરવલ્લીમાં બે બે, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક એક દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૭૩ કેસ, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨ કેસ, પંચમહાલ, પાટણ, છોટા ઉદેપુરમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 11, 2020
mumbai-1.jpeg
1min5870

ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે. 

ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે. 

June 11, 2020
jageshmukati.jpg
1min6140

2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.

અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.

જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.

June 11, 2020
life_insurance-1.jpg
1min5220

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 11, 2020
tamilnadu-1.jpg
1min20410

કોરોના મહામારીને કારણે તમિળનાડુમાં દસમા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને હવે પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ મંગળવારે 9 June જણાવ્યું હતું. અગાઉ ૧૧મા ધોરણની પરીક્ષા પણ લેવાઇ શકી નહોતી.

ત્રણ માસિક દરમિયાન વિદ્યાર્થીઓના વર્તનને ધ્યાનમાં રાખીને ૮૦ ટકા માર્ક અને તેમની હાજરીને આધારે વીસ ટકા માર્ક આપવામાં આવશે.

મદ્રાસ હાઇ કોર્ટે અગાઉ કહ્યું હતું કે નવ લાખ વિદ્યાર્થીના જીવ આ રીતે જોખમમાં મૂકી શકાય નહીં. આ સિવાય સરકારને કોરોનાના જોખમને કારણે પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિચાર કરવાનું સરકારને કહ્યું હતું. તેના આધારે રાજ્ય સરકારે ઉક્ત નિર્ણય લીધો હતો.

પલાનીસ્વામીએ કહ્યું હતું કે અગાઉ ૧૫મીથી પચીસમી જૂન સુધી પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ બાબત હાઇ કોર્ટમાં ગઇ હતી અને કોર્ટે પરીક્ષા લેવા અંગે વિચાર કરવાનું કહ્યું હતું. સરકાર આ બાબતે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાને કારણે પરીક્ષા લેવાનું શક્ય ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

June 11, 2020
petrol-diesel-1.jpg
1min5740

પેટ્રોલના ભાવમાં બુધવારે લિટર દીઠ ૪૦ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૪૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઑઇલ ક્ષેત્રની જાહેર ક્ષેત્રીય કંપનીઓએ ભાવમાં ફેરફાર કરવા સંબંધિત ૮૨ દિવસના બ્રેકનો અંત આવ્યો એ પછી આ સતત ચોથો દૈનિક ભાવવધારો છે.

દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ વધારીને રૂપિયા ૭૩.૦૦થી વધીને રૂપિયા ૭૩.૪૦ થયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા ૭૧.૧૭થી વધારીને રૂપિયા ૭૧.૬૨ કરવામાં આવ્યો છે, એમ સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશનમાં જણાવાયું હતું.

ભાવવધારો દેશભરમાં કરાયો છે. જોકે, રાજ્યોમાં સ્થાનિક વેચાણ વેરા અથવા વેલ્યૂ એડેડ ટેક્સને આધારે નક્કી કરાશે. રવિવારથી કરવામાં આવેલા લાગલગાટ ચોથા ભાવવધારામાં એકંદરે પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૧૪ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૨૩ વધ્યો છે.

June 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min15540

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે જાહેર થયેલું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ આંચકારૂપ જણાય રહ્યું છે. ગુજરાતનું ઓવરઓલ પરીણામ ગત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. કેટલાક ફાઇન્ડીંગ્સ અમને પરીણામના એનાલિસીસ પરથી મળ્યા છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

2019 કરતા 40,297 વધુ નાપાસ

  • C.I.A. Live Analysis : ધો.10માં 2020માં કુલ 3 લાખ 12 હજાર નાપાસ થયા છે, 2019માં આ આંકડો 2.71 લાખનો હતો. આ વર્ષે કુલ 40 હજાર 297 વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધુ નાપાસ થયા છે.

કુલ 3,12,097 નાપાસ પૈકી 3.10 લાખ ગણિતમાં

  • C.I.A. Live Analysis : ધો.10માં નાપાસ થયેલા કુલ 3,12,097 વિદ્યાર્થીઓ પૈકી ગણિત વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 3,10,833 છે.

ઇંગ્લિશ મિડીયનું પરીણામ 86 ટકા ગુજરાતીનું 57 ટકા

  • C.I.A. Live Analysis : મિડીયમવાઇઝ પરીણામમાં ઇંગ્લિશ મિડીયમની સ્કુલોનું પરીણામ ગુજરાતી અને હિન્દી મિડીયમની સ્કુલો કરતા અનેક પ્રકારે ઉંચું અને ચઢીયાતું છે. ઇંગ્લિશ મિડીયમનું ધો.10નું ઓવરઓલ પરીણામ 86.75 ટકા છે. જ્યારે ગુજરાતી મિડીયમનું પરીણામ ફક્ત 75.54 ટકા છે. હિન્દી મિડીયમનું પરીણામ ફક્ત 65.94 ટકા આવ્યું છે.

કન્યાઓનું પરીણામ કુમારો કરતા 10 ટકા ઉંચું

  • C.I.A. Live Analysis : કન્યાઓનું પરીણામ કુમારો કરતા વધુ ચઢીયાતું પુરવાર થયું છે. કુલ 66.62 ટકા કન્યાઓ આજે ધો.10ની પરીક્ષા પાસ કરી શકી છે જેની સામે કુમારોનું પરીણામ ફક્ત 56.63 ટકા જ છે.

ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું

C.I.A. Live Analysis : ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓને ભાષામાં સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવવામાં આવે છે. સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીનું પરીણામ પણ સાવ કંગાળ આવ્યું છે. કુલ 7,26,687 વિદ્યાર્થીઓ પૈકી 5.13 લાખ પાસ થયા છે જ્યારે 2.02 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતી મિડીયમના છે તેઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે.

આખા રાજ્યમાં સુરતનું પરીણામ અવ્વલ રાજ્યના 60 ટકા સામે સૂરતનું પરીણામ 74 ટકા

C.I.A. Live Analysis : આખા રાજ્યનું સરેરાશ પરીણામ 60 ટકા છે તેની સામે સૂરત શહેર જિલ્લાનું પરીણામ 74 ટકા રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા તેજસ્વી તારલાઓની સંખ્યા પણ સૂરતમાં છે. સૂરતમાં કુલ 350 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે.

SSC Result At A glance

SSC Results District Wise

District wise Detailed Results

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

Latest on this Web