Slider Archives - Page 222 of 486 - CIA Live

June 29, 2020
corona-gujarat.jpg
1min8090

સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. વિશ્વમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો એક કરોડને પાર થયો છે તો ભારતમાં પણ પાંચ લાખ પચાસ હજાર કોરોનાના દર્દીઓ થયાં છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત 3 દિવસમાં રાજ્યમાં 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 626 નવા કેસ નોંધાયા છે અને વધુ 19 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 32023 થઈ છે.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર એ પણ છે કે વધુ 626 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે કુલ 23248 વ્યક્તિઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,67,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,39,759 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,36,384 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન હેઠળ છે. જ્યારે 3,375 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

(28 June) એક દિવસમાં 624 કેસ

રાજ્યમાં રવિવારે 624 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસનો વિક્રમ છે. રાજ્યમાં સતત બીજા દિવસે 600થી વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જોકે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતાં મૃત્યુનો આંકડો 20થી ઓછો આવ્યો છે.

અમદાવાદમાં વધુ 211 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે એપ્રિલના અંત પછી સૌથી ઓછા છે. રાજ્યમાં અત્યાર સુધી 31,397 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1,809 દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને 22,808 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલમાં 6,૭80 એક્ટિવ કેસ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીનાં મૃત્યુ થયાં છે અને 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદમાં 13 દર્દીનાં મૃત્યુ, સુરતમાં 182 કેસ અને 3 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત વડોદરામાં 44 કેસ, વલસાડમાં 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10, મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં ૭-૭, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર,પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

June 29, 2020
sensex_down.jpg
1min4800

તા.29મી જુન 2020ને ઉઘડતા અઠવાડીયાના પહેલા દિવસ, સોમવારે વૈશ્વિક લાઇન અને અપેક્ષા મુજબ ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ ડાઉન ગેપમાં ખૂલ્યો હતો અને એ પછી વધુ ગગડ્યો હતો. શેરબજાર સવા નવ કલાકે શરૂ થયાની ગણતરીની મિનિટો બાદ સેન્સેક્સ 330 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. વીકલી ઓપ્શન ડેટામાંથી શેરબજાર નીચે ગેપમાં ખૂલવાનો સંકેત મળ્યો હતો.

આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, IT,ટેકનો અને પાવર શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે FMCG, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.

સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 255.92 પોઈન્ટ્સ અથવા 0.73 ટકા ગગડીને 34,915.35 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 69.20 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા ગગડીને 10,313.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા અને 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે પુટની સરખામણીમાં કોલનું વધુ સંખ્યામાં વેચાણ થયું હતું. આ ઉપરાંત એફઆઇઆઇ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેટ શોર્ટ છે, જે ઇન્ડેક્સમાં નજીકના ગાળામાં દબાણનો સંકેત આપે છે.

અમેરિકામાં કોરોના વાઇરસના વધતા જતાં કેસોથી આર્થિક રિકવરીની પ્રક્રિયા અટકી જવાની શક્યતાને કારણે શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ત્રણ ટકા કરેક્શન આવ્યું હતું.

June 29, 2020
coronaupdate.jpg
1min4050

સોમવારે 29 june પણ કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસમાં ઘટાડો નોંધાયો જોકે, કેસનો આંકડો 18,800ને પાર કરીને 18,870 પર પહોચ્યો હતો. આ દેશમાં એક દિવસમાં નોંધાતા પોઝિટિવ કેસમાં ત્રીજા નંબરના સૌથી વધુ કેસ હતા આ પહેલા બે દિવસ દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યોના કુલ કેસનો આંકડો સોમવારે 6,985 રહ્યો છે જે કુલ કેસના 37% છે. રવિવારે આ આંકડો 7,150 હતો અને તેની ટકાવારી કુલ કેસ (19,741) સામે 36.2% રહી હતી. જૂન મહિના પહેલા બે દિવસ દરમિયાન આ રાજ્યોના કેસની ટકાવારી 22%ની નીચે રહી હતી.

પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના 5 રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં 1000 કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.

સોમવારે તામિલનાડુમાં એક દિવસના સૌથી વધુ 3,949 કેસ નોંધાયા. કર્ણાટકામાં 1,105 નવા કેસ નોંધાયા, જે સોમવારે નોંધાયેલા 1,267 પછી બીજા નંબરના સૌથી વધુ કેસ રહ્યા, તેલંગાણામાં સૌથી વધુ 1,087 નવા કેસ શનિવારે નોંધાયા, જ્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે 813 કેસ નોંધાયા.

India Corona Updates: 28 June : 19,906 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. કોરોનાના આંકડાઓ દરરોજ એક નવો જ રેકૉર્ડ નોંધાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ તમામ રેકૉર્ડસ તોડયા છે અને એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 19,906 નવા કેસ નોંધાયા છે. તેમજ 410 દર્દીઓના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5,28,859 કેસ નોંધાયા છે. જ્યારે 2,03,051 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 16,095 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તો બીજી બાજુ, 3,09,713 લોકો સારવાર બાદ સાજા થયા છે. વિશેષ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ પ્રમાણે 27 જૂન સુધીમાં કોરોનાના 82,27,802 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,31,095 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં શનિવારે 6,368 નવા કેસ નોંધાયા હતા અને 167 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,59,133 થઈ ગઈ છે. જેમાંથી 67,600 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 7,273 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ચોવીસ કલાકમાં કોરોનાના 615 નવા કેસ નોંધાયા છે અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક દિવસમાં પ્રથમ વખત 600થી વધારે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  રાજ્યમાં કુલ 30,773 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

રાજસ્થાનમાં શનિવારે 284 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,944 થઈ ગઈ છે. જેમાંથી 3,186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં શનિવારે 167 નવા કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12,965 થઈ ગઈ છે. જેમાંથી 2,444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં  શનિવારે 606 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21,549 થઈ ગઈ છે. જેમાંથી 6,685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.

બિહારમાં શનિવારે શનિવારે કોરોનાના 302 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8,980 થઈ ગઈ છે. જેમાંથી 1,992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.

June 29, 2020
shankar-1.jpg
1min5310

ગુજરાતના માજી મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને શનિવારે રાત્રે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા બાદ રવિવારે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કોલ કરીને ખબર પૂછી હતી. બીજી બાજુ સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. હવે ડીસીપી વિધિ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો. ડીસીપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડીસીપીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાને શરદી અને સામાન્ય બીમારી જણાતા તબીબે તેમનો રિપોર્ટ કઢાવ્યો હતો તેમજ ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આજે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તાજેતરમાં એનસીપીમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના ખબરઅંતર પૂછયા હતા. વાઘેલાને કોવિડ-૧૯ માટે ખાસ ફાળવવામાં આવેલી ગાંધીનગરના સેક્ટર ૧૭ લોકેશનવાળી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ સરેરાશ ૫૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં શનિવારની સાંજ સુધીમાં કુલ ૩૦,૭૭૩ પોઝિટિવ કેસ અને કુલ ૧,૭૯૦ના વાઈરસના કારણે મોત થયા હતા. શનિવારે સાંજે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૧૫ કેસ નોંધાયા હતા તેમજ ૧૮ દર્દીના મોત થયા હતા.

June 29, 2020
SpiceJet-MAX2.jpg
1min4790

કોરોના અગાઉ તેમની કુલ ક્ષમતાના ૪૫ ટકા જેટલી પ્રવાસી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરવાની સરકારે ઍરલાઈન્સને શુક્રવારે પરવાનગી આપી હતી.

કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના બે મહિના બાદ પચીસ મેથી ઉડ્ડયન ખાતાએ ૩૦ ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક પ્રવાસી ફ્લાઈટ્સ શરૂ કરવાની પરવાનગી આપી હતી.

નવા આદેશમાં આ ક્ષમતા ૩૦ ટકાથી વધારીને ૪૫ ટકા સુધી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

જોકે, ૨૩ માર્ચથી બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા આગામી આદેશ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે, એમ તેમણે કહ્યું હતું.

June 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5510

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લૉકડાઉન પહેલાની ફી ચૂકવવામાં પણ વાલીઓ અખાડા કરી રહ્યા છે

સાંકેતિક તસ્વીર – ઓનલાઇન ટીચીંગ- ઓનલાઇન લર્નિંગ

કોવીડ-19નો વ્યાપ વિસ્તાર વધારવા માટે માર્ચ 2020ના છેલ્લા અઠવાડીયાથી ભારતમાં લૉકડાઉન શરૂ થયું, એ પછી ધંધા રોજગાર પડી ભાંગ્યા અને હવે ફરી શરૂ થયા છે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમયની ફી નહીં ભરી શક્તા વાલીઓ માટે એવી જાહેરાત કરી કે દાબદબાણથી કોઇ શાળા ફી વસુલ કરે તો તેની સામે પગલાં ભરવામાં આવશે, પણ હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે જે વાલીઓની લૉકડાઉન પીરીયડ પહેલાની ફી બાકી છે, એ લોકો પણ સરકારની બીક બતાવીને ફી નથી ભરી રહ્યા. શાળાઓની હાલત એટલી કફોડી થઇ છે કે હવે તેઓ શિક્ષકોને પૂરો પગાર આપી શકતી નથી, પરીણામે મરો શિક્ષકોનો થઇ રહ્યો છે.

જે વાલીઓની આર્થિક સ્થિતિ વાસ્તવિક રીતે કફોડી થઇ છે એમને તો શાળાઓ દ્વારા રાહત, માફી વગેરેની જાહેરાત કરી દેવામાં આવી છે પણ કેટલાક વાલીઓએ તો ફી ભરી શકવા માટે સમર્થ હોવા છતાં વાલી મંડળોના બની બેઠેલા નેતાઓના નામે સ્કુલોના સંચાલકો, ટ્રસ્ટીઓ બાકી ફી માગીને જાણે દેશદ્રોહનો ગુનો કરી રહ્યા હોય તેવી કાગારોળ સોશ્યલ મિડીયામાં મચાવી રહ્યા છે.

સુરતમાં શરૂ થયો અલગ પગારનો ટ્રેન્ડ ઓનલાઇન ટીચીંગ પગાર અલગ અને ઓછો

સુરતમાં કેટલીક શાળાઓએ ફી નહીં મળતી હોઇ, નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ ટ્રેન્ડ એવો છે જેમાં શિક્ષકોને ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ ભણાવવા માટે મળતો પગાર અલગ અને ઓનલાઇન ભણાવવાનો પગાર અલગ. હાલ કોવીડ-19ના વધતા વ્યાપ વિસ્તાર વચ્ચે અચોક્કસ મુદત માટે શાળાઓ બંધ રહેવાની હોઇ, આ પરિસ્થિતિમાં શાળાઓએ ઓનલાઇન ટીચીંગ કરાવ્યા વિના છુટકો નથી. ઓનલાઇન ટીંચીંગ નહીં કરાવતી શાળાઓની વિદ્યાર્થી સંખ્યા તૂટે તેવી પણ શક્યતા હોઇ, હવે સુરતમાં ઘણી બધી સ્કુલોએ પોતાના શિક્ષકોને ઓનલાઇન ટીચીંગનો અલગ પગાર આપવાનું શરુ કર્યું છે અને શિક્ષકોએ પણ જે મળ્યું એમાં રાજી રહીને ઓનલાઇન ક્લાસીસમાં ભણાવવાનું શરુ કર્યું છે. કેટલીક સ્કુલો પ્રતિ લેક્ચરના રૂ.100થી લઇને રૂ.300 સુધી ચૂકવી રહી છે. આ પગાર બિલકુલ હંગામી રીતે આપવામાં આવી રહ્યો છે.

ઓનલાઇન ટીચીંગ કરાવતા શિક્ષકોનો પગાર મૂળ ઓફલાઇન ટીંચીંગના પગાર કરતા ખૂબ ઓછો નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેટલીક સ્કુલોએ પ્રતિ લેક્ચર તો કેટલીક સ્કુલોએ સિલેબસ અનુસાર પગાર ચૂકવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

ગ્રાન્ટેડ સ્કુલોના શિક્ષકોને સરકાર પગાર ચૂકવે છે એટલે કોઇ વાંધો નહીં આવે પણ ખાનગી શાળાના શિક્ષકો તકલીફમાં

રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી શાળાના શિક્ષકોને ઓનલાઇન ટીંચીંગ હોય કે ઓફલાઇન ટીચીંગ હોય, પગારમાં કોઇ ફરક પડતો નથી અને પડશે પણ નહીં, કેમકે તેમનો પગાર સરકાર ચૂકવે છે. ઉલ્ટાનું સ્થિતિ એ છે કે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં તો સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગ સ્લોટ જાહેર કર્યા છે. સરકારી સ્કુલોમાં મોટા ભાગે ગરીબ વર્ગના અને ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલમાં ઘણું ખરું લૉઅર મિડલ ક્લાસના પરીવારોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગની વ્યવસ્થા ગોઠવી છે. એટલે મોટા ભાગની ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોના શિક્ષકો તો ઓનલાઇન ક્લાસીસ પણ નથી લઇ રહ્યા, આમ છતાં એમને સરકાર તરફથી પૂરેપૂરો પગાર મળશે.

પરિસ્થિતિ ખાનગી શાળાઓના શિક્ષકોની બગડી રહી છે. તેમને હવે ઓફલાઇન ટીચીંગમાં જેટલો પગાર મળતો હતો તે હવે અનિશ્ચિત બન્યો છે. ધીરે ધીરે ખાનગી સ્કુલોના સંચાલકો પણ ઓનલાઇન ટીચીંગનો પગાર અલગ કરવાનું શરૂ કરી રહી છે.

આમેય સુરતથી શરૂ થતો ટ્રેન્ડ રાજ્ય-દેશમાં ફેલાય છે

સુરત શહેરમાં શરૂ થતા ટ્રેન્ડ તબક્કાવાર ગુજરાતના અન્ય શહેરો અને દેશમાં ફેલાતા જોવા મળે છે. હવે શિક્ષણ જગતમાં સુરતથી શરૂ થયેલો ઓફલાઇન ટીંચીંગનો અલગ પગારનો ટ્રેન્ડ ક્યાં ક્યાં પહોંચે છે એ જોવું રહ્યું

આ ન્યુઝ વેબ પર લેટેસ્ટ

June 25, 2020
corona_testing1.jpg
1min4980

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ પ્રાઇવેટ લેબોરેટરીઝમાં હવેથી રુ. 2500માં કોરોનાનો ટેસ્ટ થશે. લેબ ટેકનિશિયનને ઘરે બોલાવવામાં આવે તો ત્રણ હજાર રુપિયા ચાર્જ આપવાનો રહેશે.

શ્રી પટેલે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ ફ્રીમાં કરી આપવાનું ચાલુ જ છે. કોઈપણ એમડી ડોક્ટરને જો દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવાની જરુરિયાત જણાય તો તેઓ ખાનગી લેબમાં પેશન્ટને મોકલી શકે છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટના ચાર્જમાં કરાયેલો આ ઘટાડો આજથી જ લાગુ પડશે. મતલબ કે, આજથી જે પણ દર્દી ટેસ્ટ કરાવવા આવશે તેની પાસેથી આજે કરાયેલી જાહેરાત અનુસાર જ ચાર્જ વસૂલી શકાશે. જો કોઈ લેબોરેટરી તેનાથી વધુ ચાર્જ લેશે તો તેની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી પણ નીતિન પટેલે ઉચ્ચારી હતી.

ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં રોજના સરેરાશ 500 જેટલા કોરોનાના ટેસ્ટ થાય છે. અત્યારસુધી તેના માટે ચારથી સાડા ચાર હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, સરકારે પોતાની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિનો ખાનગી લેબમાં ટેસ્ટ નહીં થઈ શકે તેવું ફરમાન જારી કર્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં અપીલ થતાં અમદાવાદમાં જો એમડી ડોક્ટર જણાવે તો ખાનગી લેબમાં ટેસ્ટ થઈ શકશે તેવી જાહેરાત કરાઈ હતી.

June 25, 2020
ISRO.jpg
2min5420

Pvt sector will be enabled to carry out space activities like building of rockets, providing launch services: ISRO chief K Sivan

Government has approved the establishment of an autonomous nodal agency – Indian National Space, Promotion & Authorisation Centre – for taking independent decisions with respect to permitting & regulating the activities of private companies in space sector: ISRO Chief K Sivan

It will act as a national nodal agency for handholding and promoting private sector in space endeavours and for this ISRO will share its technical expertise as well as facilities: ISRO Chief K Sivan

Watch Live: Address by Secretary, DOS/Chairman, ISRO

Secretary, DOS/Chairman, ISRO will address at 10:30 a.m IST on Thursday June 25, 2020 from ISRO Headquarters, Bengaluru

ISRO – Indian Space Research Organisation यांनी वर पोस्ट केले बुधवार, २४ जून, २०२०
June 25, 2020
corona-gujarat.jpg
1min4320

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા મહાનગરમાં નવા ૩૫ અને જિલ્લામાંથી વધુ ૧૦ મળી કુલ ૪૫ કેસ નોંધાયા છે. સુરતની જેમ એકાએક જામનગર મહાનગર અને જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે. કોરોના મહામારીમાં મે મધ્ય સુધી નિયંત્રિત સ્થિતિ ધરાવતા મહાનગરમાં સતત ત્રીજા દિવસે ૧૦ કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાંથી પણ એક કેસ મળ્યો છે.

રાજકોટ મહાનગરમાંથી વધુ ૯ અને જિલ્લામાંથી ચાર મળી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી મળી નવા પાંચ કેસ આવ્યા છે. ગાંધીનગર મહાનગરમાંથી બે અને જિલ્લામાંથી પાંચ મળી કુલ સાત કેસ ઉમેરાયા છે. જૂનાગઢ મહાનગર અને જિલ્લામાંથી બે બે કેસ આવ્યા છે.

આ સિવાય જિલ્લાઓમાં ભરૂચ ૧૦, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદા ૯-૯, અરવલ્લી ૭, નવસારી ૬, કચ્છ, ગીર સોમનાથ, વલસાડ ૫-૫ તેમજ મહેસાણા અમરેલી ૪-૪ કેસ મળ્યા છે. આ ઉપરાંત મહીસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાંથી ૩-૩, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ ઉમેરાયો છે. પાટણમાં બે, જામનગર મહાનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં સૌથી ગંભીર સ્થિતિ ફરીથી સર્જાઇ છે. ભરૂચ શહેરમાંથી પાંચ અને જંબુસર, અકલેશ્વર, આમોદમાંથી મળી નવા ૧૦ પોઝિટિવ કેસ મળ્યા છે. આ જ રીતે જામનગર મહાનગરમાંથી ૧૨ કેસ એક સાથે મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થતાં કમિશનર અને કલેક્ટરે નવા આદેશો બહાર પાડ્યા છે. અમરેલીના લાઠીમાંથી પિતા-પુત્ર સહિત ચાર નવા કેસ ઉમેરાયા છે.

June 25, 2020
rbi.jpeg
1min4670

કેન્દ્રના પ્રધાનમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં ૧૪૮૨ શહેરી કૉ-ઓપરેટિવ બૅન્ક અને ૫૮ આંતરરાજ્ય કો-ઓપરેટિવ બૅન્ક સહિત સરકારી બૅન્કોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાની જાહેરાત કરી હતી.

આ બૅન્કોમાં અંદાજે ૮.૬ કરોડ જેટલા ડિપોઝિટર છે, એમ તેમણે કહ્યું હતું.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડને પગલે લાખો ડિપોઝિટરો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા વચ્ચે પ્રધાનમંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

અગાઉ, પ્રધાનમંડળે પીએમસી બૅન્ક જેવી કટોકટીનું પુનરાવર્તન ટાળવા અને કો-ઓપરેટિવ બૅન્કોને વધુ મજબૂત બનાવવા બૅન્કિંગ રૅગ્યૂલેશન ઍક્ટમાં સુધારાને મંજૂરી આપી હતી.

ડિપોઝિટરના નાણાં સલામત હોવાની બાંયધરી પણ તેમણે આપી હતી અને કહ્યું હતું કે એ અંગેનો વટહુકમ ઘડી કાઢવામાં આવશે.

પ્રસારમાધ્યમને સંબોધન કરતા કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નિયમિત બૅન્કોને લાગુ પડતા આરબીઆઈના તમામ નિયમો હવે કો-ઓપરેટિવ બૅન્કોને પણ લાગુ પડશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શીશુ લૉન શ્રેણીના લેણદારને વ્યાજમાં બે ટકા રાહત આપવાનો પણ પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

અન્ય પછાતજાતિમાં પેટા વર્ગીકરણના મુદ્દાને ચકાસવા બંધારણની કલમ ૩૪૦ હેઠળ રચવામાં આવેલા પંચની મુદત છ મહિના લંબાવીને આવતા વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધી કરવાના પ્રસ્તાવને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ડેરી, મરઘાંબતકાં ઉછેર કેન્દ્ર અને માંસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંડળે રૂ. ૧૫,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી હતી.

અવકાશી પ્રવૃત્તિઓ માટે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે નવું જ રચવામાં આવેલું ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઈઝેશન સેન્ટર ખાનગી કંપનીઓને પણ ભારતીય અવકાશના માળખાનો ઉપયોગ કરવાની સમાન તક આપશે.

મત્સ્ય, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગના પ્રધાન ગીરીરાજસિંહે કહ્યું હતું કે પશુસંવર્ધન માળખા માટે વિકાસ ભંડોળ સ્થાપવાને પણ પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. પાત્ર લાભાર્થીને સરકાર વ્યાજમાં ત્રણ ટકા રાહત આપશે, એમ તેમણે કહ્યું હતું.

મ્યાનમારસ્થિત બ્લૉક એ-૧ અને એ-૩ના વિકાસ માટે ઓએનજીસી વિદેશ લિ. દ્વારા કરવામાં આવનારા વધારાના રોકાણને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.