CIA ALERT

Slider Archives - Page 218 of 486 - CIA Live

July 9, 2020
vikas_Dubey.jpg
1min12440

મધ્ય પ્રદેશ પોલીસની ટીમે કાનપુરના 8 પોલીસમેનોની હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈન મહાકાલી મંદિરમાંથી 8મી જુલાઇની મધરાતે ધરપકડ કરી લીધી છે. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીઓનો હત્યાનો આરોપ છે. પોલીસે તેના પાંચ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે જ્યારે અન્ય કેટલાકની ધરપકડ કરી છે. 

અગાઉ વિકાસ દુબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બદઆ દુબેને પોલીસે ઠાર માર્યા હતો. પોલીસે જણાવ્યું છે કે, કાનપુર ટીમ ફરીદાબાદમાંથી વિકાસ પ્રભાત મિશ્રાની ધરપકડ કરી હતી. કાનપુરત લાવતી વખતે તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પ્રભાને ગોળી વાગી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંજ વિકાસન દુબેનો બીજો સાથી બદઆ દુબેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ જાણકારી ઈટાવા એસએસપી આકાશ તોમરે આપી છે. 

July 9, 2020
AIIMS-1280x768.jpg
1min5930

કોરોના રોગચાળા દરમિયાન રાજ્યની હૉસ્પિટલના આઇસીયુના દર્દીની સારવાર કરતા ડૉક્ટરોને એઇમ્સના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માર્ગદર્શન આપશે, એવી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ અંગેનું પહેલું સત્ર લેવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦૦ બેડ ધરાવતી મુંબઇની નવ અને ગોવાની એક એમ દસ હૉસ્પિટલના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુંબઇની હૉસ્પિટલમાં નેસ્કો ખાતેની જંબો ફેસિલિટી, સિડકો-મુલુંડની જંબો ફેસિલિટી, મલાડ ઇન્ફિનિટી મૉલ જંબો ફેસિલિટી, જીઓ ક્ધવેન્શન સેન્ટર જંબો ફેસિલિટી, એચઇ નાયર હૉસ્પિટલ, એમસીજીએમ સેવન હિલ્સ હૉસ્પિટલ, એમએમઆરડીએ બીકેસી જંબો ફેસિલિટી,એચઇ-ફેઝ ૧, મુંબઇ મેટ્રો દહિસર જંબો ફેસિલિટીનો સમાવેશ થાય છે. ગોવાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પણ આમાં સામેલ હતી.

ઉપરની દરેક હૉસ્પિટલના આઇસીયુમાં સેવા આપતા બે ડૉક્ટરે રાજ્યની હેલ્થ સેવાના ડિરેક્ટર જનરલ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એઇમ્સના ડૉક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

એઇમ્સ દ્વારા કુલ ૧૭ રાજ્યના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં દિલ્હી, ગુજરાત, તેલંગણા, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પ. બંગાળ, તમિળનાડુ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

July 8, 2020
CIA_devas_topper_girl.jpg
2min11200

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્યમાં બોર્ડમાં ટોપર આવતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે સન્માનિત, બહુમાનિત કરીને તેમનો જુસ્સો વધારવામાં આવે છે. પરંતુ, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ધો.10માં ટોપર આવેલી વિદ્યાર્થિનીનો જુસ્સો એવી રીતે વધારવામાં આવ્યો કે થોડી ક્ષણો તો વિદ્યાર્થિનીને એવું લાગ્યું કે તેણે જોયેલું સપનું પૂરું થઇ ચૂક્યું છે.

એમ.પી.ના દેવાસ જિલ્લાના કલેક્ટરે સમગ્ર મધ્યપ્રદેશ રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેવાસમાં પહેલા ક્રમે ધો.10માં પાસ થયેલી વિદ્યાર્થિનીને પોતાની ખુરશીમાં બેસાડીને તેને સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં પાસ થઇને ફરી અહીં બેસવાનો જુસ્સો અપાવ્યો હતો. આ ખુશનસીબ વિદ્યાર્થિનીનું નામ યુક્તા ચૌધરી છે અને તે દેવાસમાં રહે છે. તેનું સપનું છે કે તેણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. બનવું છે.

મધ્યપ્રદેશના દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લની આ પ્રકારે જુસ્સો વધારવાની રીત સોશ્યલ મિડીયામાં હાલ ખુબ વાઇરલ થઇ છે.

Yukta Choudhary of Dewas, who secured third position in MP board by obtaining 299/300 marks, had hardly imagined to realize her dream of ‘becoming collector’ in reality, even for a while, even before clearing one of the toughest UPSC exams.

યુક્તા ચૌધરી નામની મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની ધો.10ની ટોપર વિદ્યાર્થિનીને દેવાસ કલેક્ટરે પોતાની ખુરશી ખાલી કરી તેના પર બેસાડી જુસ્સો વધાર્યો

દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું ધો.10માં મારા તો ફક્ત 70 ટકા જ આવ્યા હતા

દેવાસ અને મધ્યપ્રદેશ બોર્ડમાં ધો.10માં ઝળહળતું પરીણામ લાવનારી યુક્તા ચૌધરી નામની વિદ્યાર્થિનીને પોતાની દેવાસ કલેક્ટરની ખુરશીમાં બેસાડીને દેવાસ કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું કે મારા તો ધો.10માં ફક્ત 70 ટકા માર્કસ આવ્યા હતા. આમ છતાં, હું કલેક્ટર બની શક્યો છું. યુક્તા, તમે તમારું આઇ.એ.એસ.નું ડ્રીમ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે તમારા લક્ષ્યાંક પ્રત્યે સજાગ, સચેત અને સંનિષ્ઠ રહેશો તો.

In Hindi

देवास कलेक्टर चंद्रमाैली शुक्ला ने 10वीं में जिले से सबसे ज्यादा अंक लाने वाली उत्कृष्ट स्कूल की छात्रा युक्ता चाैधरी काे अपनी कुर्सी पर बैठा दिया। हुआ यूं कि प्रदेश और जिले की मैरिट में अने वाले विद्यार्थियाें काे सम्मान के लिए कलेक्टर ने साेमवार सुबह कलेक्टाेरेट बुलाया था। 

कलेक्टर ने जिले से सबसे ज्यादा अंक लाकर प्रदेश की मैरिट लिस्ट में तीसरे स्थान पर अाई युक्ता से पूछा-आप क्या बनना चाहती हाे। युक्ता ने कहा- आईएएस ऑफिसर। कलेक्टर ने कहा- ताे बैठाे मेरी कुर्सी पर। वे उठे और युक्ता काे अपने कुर्सी पर बैठाया। कलेक्टर ने अन्य सभी टाॅपराें का भी सम्मान किया। उत्कृष्ट प्राचार्य चंद्रावती जाधव, पूर्णिमा बिंदल, सैयद माेकीत अली, मिर्जा मुसाहिद बैग, नीरज कानूनगाे काे अच्छा रिजल्ट घाेषित हाेने पर बधाई दी। प्राचार्य जाधव ने बताया- स्कूल के बच्चाें ने इस बार गजब ही कर दिया है। पहली बार ऐसा माैका आया है कि स्कूल के 6 बच्चे टाॅप 10 में और 6 ही बच्चे जिले की टाॅप 10 में अपना स्थान बनाने में कामयाब हाे सके।

Read also on this web

July 8, 2020
corona-gujarat.jpg
1min5240

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાં સતત કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે દરરોજ અમદાવાદ કરતા સુરતમાં કોરોના વાયરસના વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં તા.7મી જુલાઇના દિવસના 24 કલાકમાં કોરોના વાયરસના નવા 249 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 124 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7 દર્દીઓના જ્યારે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22,262 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 17,089 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1498 દર્દીઓના મોત થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 6458 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 4185 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 194 દર્દીઓના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 700 પાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં વધુ નવા 778 કેસ નોંધાતા હવે કુલ આંકડો પણ 37,636 પર પહોંચ્યો છે. નવા કેસમાં અમદાવાદમાં 187, સુરતમાં 249 જ્યારે વડોદરામાં વધુ 68 કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં વધુ 421 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 26744 થયો છે.

July 8, 2020
covid_cia.jpg
3min4850

India has one of the lowest COVID-19 cases per million in worldPTIIndia has one of the lowest COVID-19 cases per million in the world. Union Health Ministry said, according to World Health Organization Situation Report, India’s cases per million population is around 505 while the global average is at over one thousand 453.Chile has witnessed around 15,459 cases of COVID-19 per million population, while US over 8,500, Brazil over 7,419 and Spain witnessed over 5,358 cases per million population.

The WHO Situation Report also shows that India has one of the lowest deaths per million population. India’s cases of death per million population is around 14 while the global average is more than its four times, at 68.The Ministry said, India has ramped up the hospital infrastructure to adequately and effectively manage the cases. The preparedness included arrangement of oxygen support, ICU and ventilator facilities.

As on today (7 july) , there are over 1200 Dedicated COVID Hospitals, two thousand 611 Dedicated COVID Healthcare Centres and nine thousand 909 COVID Care Centres to look after COVID patients from those with very severe to very mild symptoms. Early detection and timely effective clinical management of COVID-19 cases have resulted in increasing daily recoveries.

During the last 24 hours, a total of 15,515 COVID-19 patients have been cured, taking the cumulative figure of recovered cases to more than 4,39,000. The Ministry said, due to coordinated efforts at all levels of the national and State governments for prevention, containment and management of COVID-19 are showing encouraging results with consistently increasing gap between recoveries and active cases.

As on date, there are over one lakh 80 thousand recovered cases more than the active COVID-19 cases.The recovery rate among COVID-19 patients has increased to 61.13 per cent yesterday. Presently, there are over 3, 59,000 active cases and all are under medical supervision.The Ministry said, more than two lakh tests being conducted per day. During the last 24 hours more than 3, 41,000 samples have been tested. With this, the nationwide samples tested for COVID-19 reached to over one crore two lakh

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે. આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે. 

બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે. 

સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે. 

July 8, 2020
england_vs_westindies.jpg
1min5670

લાંબી ઇંતેજારીનો છેવટે અંત આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું લગભગ ત્રણ મહિના બાદ આજે પુનરાગમન થઈ રહ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને લીધે માર્ચથી ક્રિકેટ સદંતર રમાવાની બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે સાઉધમ્પટન ખાતે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પહેલી ટેસ્ટ શરૂ થઈ રહી છે. બીજી અને ત્રીજી ટેસ્ટ મૅન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.

યજમાન ઇંગ્લૅન્ડની ટીમનું સુકાન કાર્યવાહક સુકાની બેન સ્ટૉક્સ સંભાળશે, જ્યારે જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો કૅપ્ટન છે. આ સિરીઝ પર સમગ્ર ક્રિકેટવિશ્ર્વની નજર રહેશે, કારણકે કોરોના વાઇરસના ફેલાવાને લીધે પ્લેયરો નવા નિયંત્રણો મુજબ રમશે, રમતી વખતે તેઓ બૉલ પર થૂંક નહીં લગાડી શકે, સ્ટેડિયમમાં પ્રેક્ષકો નહીં હોય અને ખેલાડીઓ વચ્ચે સેલિબ્રેશન પણ ખૂબ મર્યાદિત રહેશે. કોઈ પ્લેયરો એકમેક સાથે હાથ નહીં મિલાવે, ભેટશે પણ નહીં અને એકમેક સાથે મુઠ્ઠી અથવા કોણી ટકરાવીને ખુશી વ્યક્ત કરશે.

July 8, 2020
corona_testing.png
1min5430

કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી ચાર લાખ કરતાં વધુ ટેસ્ટ થયાં છે જે વસતીના પ્રમાણમાં ખૂબ ઓછાં છે. દેશના મોટા રાજ્યોમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ટેસ્ટ થયાં છે પરંતુ ગુજરાતમાં ખૂબ ઓછા જોવા મળ્યાં છે. આ સરેરાશ પ્રમાણે દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ ૩૨૮૬૩ ટેસ્ટ થયાં છે જ્યારે ગુજરાતમાં ૬૨૮૯ ટેસ્ટ થયાં છે.

ગુજરાતની વસતી ૬.૭૯ કરોડ છે જેની સામે ૧૦ લાખની વસતીએ માત્ર ૬૨૮૯ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ૧.૯૮ કરોડની વસતી ધરાવતા દિલ્હીમાં કુલ ૬.૪૩ લાખ ટેસ્ટ થયાં છે. દિલ્હીમાં જુલાઇથી પ્રતિદિન ૨૦૦૦૦ જેટલા ટેસ્ટ થાય છે.

કેસ વધી રહ્યાં છતાં ટેસ્ટ નહીં ઘટાડનારા રાજ્યોમાં તામિલનાડુનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યમાં ૧.૧૧ લાખ કેસ છે પરંતુ ૧૩.૦૬ લાખ લોકોના ટેસ્ટ થયાં છે. એટલે કે ૧૦ લાખની વસતીએ ૧૬૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

૧૦ લાખની વસતીએ મહારાષ્ટ્ર્ર ૮૯૦૦ સાથે નવમા ક્રમે છે. આ રીતે આસામમાં ૧૩૫૦૦, રાજસ્થાનમાં ૧૨૩૦૦ પંજાબમાં ૧૧૨૦૦, હરિયાણામાં ૧૦૭૦૦, કર્ણાટકમાં ૧૦૫૦૦ કેરળમાં ૭૨૦૦, ઓરિસ્સામાં ૬૫૦૦ છત્તીસગઢમાં ૬૪૦૦ અને ગુજરાતમાં ૬૨૯૮ ટેસ્ટ થયાં છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને બિહારમાં ગુજરાત કરતાં ઓછા ટેસ્ટ થયાં છે .

ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે તેમ છતાં રાજ્ય સરકાર કોરોનાને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ ટેસ્ટ વધારવાને બદલે ઘટાડીને કેસની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગુજરાતમાં કોરોના એટલો બધો ફેલાઈ ગયો છે કે, ઓછા ટેસ્ટમાં પણ કેસ તો વધતા જ જાય છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના ટેસ્ટમાં ગુજરાત છેક ૧૩મા સ્થાને છે. એટલે કે સૌથી ઓછા ટેસ્ટ ગુજરાતમાં થાય છે. ખાસ કરીને દિલ્હીની સાથે ગુજરાતના ટેસ્ટ જોવામાં આવે તો ૧૦ લાખની વસતીએ દિલ્હીમાં ૩૩૦૦૦ અને ગુજરાતમાં માત્ર ૬૩૦૦ ટેસ્ટ થયાં હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

July 7, 2020
cbse.jpg
2min21380

દેશના અન્ય રાજ્યોના બોર્ડ ટૂંક સમયમાં આ પગલાને અનુસરશે

Jayesh Brahmbhatt 98253 44944

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ આજે તા.7મી જુલાઇએ સાંજે એવી જાહેરાત કરી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં ઉદભવેલી કોવીડ 19ની અસામાન્ય સ્થિતિને કારણે હાલમાં ચાર મહિનાનો અભ્યાસ વેડફાઇ ચૂક્યો છે અને હજુ પણ કેટલો સમય વેડફાશે એ નિશ્ચિત ન હોઇ, આ વર્ષે ધો.12 અને ધો.9ના વિદ્યાર્થીઓ માટે સિલેબસ ઘટાડી નાંખવામાં આવે છે.

શાળાઓ, શિક્ષકોને ઘટાડેલા સિલેબસ અનુસાર અભ્યાસ કરાવવા સૂચના

સીબીએસઇએ સ્કુલો, આચાર્યો તેમજ શિક્ષકોને સૂચના આપી છે કે હાલ થઇ રહેલા ઓનલાઇન ટીચીંગમાં ઘટાડેલા સિલેબસ અનુસાર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે. જે સિલેબસ પાર્ટ ઘટાડાયો છે તેનું આંતરીક મૂલ્યાંકન પણ કરાવાનું નથી.

For complete details click link below

http://cbseacademic.nic.in/Revisedcurriculum_2021.html

સીબીએસઇએ ટ્વીટ કરીને માહિતી આપી

ઘટાડેલો સિલેબસની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ

Also Read on this web

July 7, 2020
modi_trump.jpg
1min6820

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભારત અમેરિકાનું શ્રેષ્ઠ મિત્ર છે. ભારત અમેરીકાને ચાહે છે. ભારત અને અમેરિકા સાથે છે. પણ બીજી તરફ છેલ્લા 7 દિવસમાં અમેરિકાએ ભરેલા બે પગલાંઓને કારણે ભારતના લાખો વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાય ગયા છે.

વિતેલા સપ્તાહે વીઝા પર પ્રતિબંધ મૂકીને ભારતીયોની ઉંઘ હરામ કરી નાંખી

અગાઉ વિતેલા સપ્તાહે અમેરીકાએ એચ-વનબી વીઝા પર બેન મૂકી દઇને અમેરીકામાં હાલ વ્યવસાય, નોકરી કરતા લાખો લોકો અને તેમના પરિવારો તેમજ હવે પછી આ ક્વોટામાં અમેરીકા જવા બિલકુલ તૈયાર લાખો ભારતીય યુવકોની ઉંઘ હરામ કરી દીધી છે. એચ-વન બી વીઝા બેનથી સૌથી વધુ અસરગ્રસ્ત જો કોઇ બનશે તો એ ભારતીય યુવાનો અને તેમના પરિવારજનો છે.

હવે અમેરીકામાં ઓનલાઇન સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓ જો રેગ્યુલર ક્લાસીસમાં નહીં જાય તો ફરજિયાત ડિપોર્ટ (પ્લેનમાં બેસાડીને રવાના)

તા.7મી જુલાઇએ એવા સમાચારોએ અમેરીકામાં રહીને હાલ કોવીડ 19ના લીધે ઓનલાઇન સ્ટડી કરી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓની ઉંઘ હરામ કરી દીધી છે. અમેરીકાએ નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે ક્યાં તો એ પ્રત્યક્ષ રીતે ક્લાસીસ જોઇન કરી લે અન્યથા તેમને શોધી શોધીને વતન વાપસી કરવામાં આવશે. આ નિર્ણય અમેરીકામાં વસતા તમામ દેશના વિદ્યાર્થીઓને લાગુ પડશે. પરંતુ, અંહી એ વાત નોંધવી ઘટે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ જો અમેરીકામાં હોય તો એ ભારતીય વિદ્યાર્થીઓ છે.

7 દિવસમાં ઉપરા છાપરી બે નિર્ણયોથી લાખો ભારતીયો મુશ્કેલીમાં

સાત દિવસમાં જ અમેરીકાની ટ્રમ્પ સરકારે બે એવા નિર્ણયો કર્યા કે જેની સીધી અસર ભારતના લાખો યુવાનો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ પર થઇને પડી છે ત્યારે સવાલ એ થાય છે કે સાલુ અમેરીકા ભારતનું દોસ્ત છે કે દુશ્મન?

July 7, 2020
Govind_dholakia.jpg
1min10720

Jayesh Brahmbhatt 98253 44944

સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.

સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.

સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.

ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો

શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.

અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી

તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.

સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે

ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel यांनी वर पोस्ट केले सोमवार, ६ जुलै, २०२०