CIA ALERT

Slider Archives - Page 217 of 486 - CIA Live

July 11, 2020
corona_india.jpg
1min4590

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.

July 10, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5830

કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે જીવનદાન સમા ટોસીલીઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર તેમજ દુરુપયોગ થયો હોવા અંગે તેમજ એમાં કેટલાક પ્રાઇવેટ ડોક્ટરોની ભૂમિકા હોવા અંગેના તા.9મી જુલાઇ 2020ના સુરત ખાતેથી રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કરેલા નિવેદનથી સુરતના તબીબો અને તેમના સંગઠન ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ધૂંઆપૂંઆ થયુ છે.

રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિ માફી નહીં માંગે તો આંદોલનની તબીબોની ચીમકી

સુરતના તબીબોએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમેત અન્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ટોસીલીમુઝેબ ઇન્જેકશનનો સઘળો વહીવટ જ સરકાર હસ્તક છે. સરકાર સિવાય કોઇ વ્યક્તિ આ ઇન્જેકશનનો વહીવટ કરી શકે તેમ નથી. તો આવી સ્થિતિમાં હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કયા આધારે સુરતના પ્રાઇવેટ ડોક્ટરોને બદનામ કરતું નિવેદન તા.9મી જુલાઇની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સુરત ચેપ્ટરે એવી ચેલેન્જ ફેંકી છે કે ક્યાં તો જયંતિ રવિ ટોસીલીમઝુમેબ ઇન્જેકશનના દુરુપયોગમાં પ્રાઇવેટ ડોક્ટરોની સંડોવણી પુરવાર કરી બતાવે અન્યથા પ્રાઇવેટ તબીબોની જાહેરમાં માફી માગે.

કોવીડ-19માં જીવના જોખમે દર્દીઓની સેવા કરતા તબીબોને બદનામ કરવાની પ્રવૃતિ સામે આઇ.એમ.એ. ખફા

Read also on this web

July 10, 2020
corona_india.jpg
1min5860

દેશમાં કોરોનાના ૯૦ ટકા સક્રિય દરદી મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત મળીને ફક્ત ૮ રાજ્યના હોવાની અને ૮૦ ટકા કેસ ૪૯ જિલ્લાના હોવાની વાત કોવિડ-૧૯ માટેના પ્રધાનોના જૂથ (જીઓએમ)ને ગુરુવારે જણાવવામાં આવી હતી.

આ સિવાય, કોરોનાને લીધે મરણ પામનાર કુલ દરદીમાંથી ૮૬ ટકા દરદી છ રાજ્ય – મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના છે અને કુલ કેસના ૮૦ ટકા મૃતકો ૩૨ જિલ્લાના હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ માટેના જીઓએમએ આ ૧૮મી બેઠક યોજી હતી.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ દેશોની સરખામણીમાં ભારતમાં દર દસ લાખ વ્યક્તિએ સૌથી ઓછા કેસ (૫૩૮) અને દર દસ લાખ વ્યક્તિએ મરણાંક (૧૫) છે. આ સામે વૈશ્ર્વિક સરેરાશ અનુક્રમે ૧૪૫૩ અને ૬૯.૭નો છે.

કોવિડ-૧૯ માટેની સુવિધા વિશે જણાવાયું હતું કે ગુરુવાર સુધીમાં દેશમાં ૩,૭૭,૭૩૭ આઇસોલેશન બૅડ્સ (આઇસીયુ વગરના), ૩૯,૮૨૦ આઇસીયુ બૅડ્સ અને ૨૦,૦૪૭ વૅન્ટિલેટર્સ સાથે ૧,૪૨,૪૧૫ ઑક્સિજન સાથેના બૅડ્સ ૩૯૧૪ સ્થળે ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં સરકારે ૨૧.૩ કરોડ એન૯૫ માસ્ક, ૧.૨ કરોડ પીપીઇ કિટ્સ અને ૬.૧૨ કરોડ હાઇડ્રોક્ષિક્લોરોક્વિનની ગોળીઓ લોકોને વહેંચવામાં આવી છે.

આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સિવિલ ઍવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરી, રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબે અને રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ભાગ લીધો હતો.

આ સિવાય, નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. દેશમાં કોરોના વાઈરસનો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન ધીરે ધીરે ખોલીને આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. આમ છતાં, દેશમાં મોટાભાગના વ્યાપાર ધંધા ઠપ થયેલા છે.

July 10, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min5170

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ યસ બૅન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્યોની કુલ લગભગ ૨,૨૦૩ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.

ઇડી દ્વારા પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પાડવામાં આવેલા કામચલાઉ આદેશના ભાગરૂપે ડીએચએફએલના પ્રમોટર-બંધુઓ કપિલ તથા ધીરજ વાધવાનની પ્રોપર્ટીઓને પણ ટાંચ મારવામાં આવી છે. એટલું જ નહીં, કપૂરની કેટલીક વિદેશી અસ્ક્યામતો પણ આ કેન્દ્ર સરકારી સંસ્થા દ્વારા સ્થગિત કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

કપૂર તથા તેના પરિવારના સભ્યો સામે આક્ષેપ કર્યો છે કે તેમણે તથા અન્યોએ પોતાની બૅન્ક મારફત મોટી લોન આપવાની સામે કટકી લેવાની સાથે કુલ ૪,૩૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય ગેરરીતિનો ગુનો આચર્યો હોવાનો ઇડીનો આક્ષેપ છે.

ઇડીએ એવું પણ આક્ષેપમાં જણાવ્યું છે કે પછીથી આ કથિત ગુનેગારોએ મોટી લોનને નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ફેરવી નાખી હતી.

ઇડીએ માર્ચમાં કપૂરની ધરપકડ કરી હતી અને તે અદાલતી કસ્ટડીમાં છે. 

July 10, 2020
up_lockdown.jpg
1min4920

ઉત્તરપ્રદેશની યોગી સરકારે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેરને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન જાહેર કરી દીધું છે. ૧૦ જુલાઈના રોજ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહેશે. સરકારે યુપીમાં વધતા કોરોનાના કહેરના કારણે આ કડકાઈ પૂર્વક નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસની અંદર કડકરીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ દરમિયાન દરેક સંસ્થાઓ, બજાર, ઓફીસ, સરકારી ઓફીસ અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે. જયારે આવશ્યક સેવાઓ માટે પરવાનગી છે. આ દરમિયાન સાર્વજનિક સાધનોની સાથે રોડવેઝ બસોની આવનજાવન પણ બંધ રહેશે.

યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું હતું કે. કોવિડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા અન્ય રોગોને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રાજ્યમાં ૧૦ જુલાઈ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈ સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.

July 10, 2020
corona_india.jpg
1min6350

અમેરિકામાં અને બ્રાઝીલ બાદ દેશમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. આજે દેશમાં 24 કલાકમાં 26 હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા આઠ લાખને નજીક પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી 7,93,802 કેસ નોંધાયા છે. જેમાંથી 21,604 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 4,95,000 લોકો સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,506 નવા કેસ સામે આવ્યા છે અને 475 લોકોના મોત થયા છે. 

આંકડા મુજબ, દેશમાં હાલ 2,76,000 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 93 હજારથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારબાદ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. 

July 10, 2020
vikas_Dubeyancounter.jpg
1min5060

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્ય કરનારા વિકાસ દુબને શુક્રવારે સવાલે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. વિકાસ દુબેન ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહેલી યુપી એસટીએફના કાફલાની ગાડી આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. 

દુર્ઘટના પછી વિકાસ પોલીસકર્મીઓની પિસ્તોલ છીવનીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી ફાયરિંગમાં વિકાસ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવાનો આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ગુરુવારે સવારે જ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસ વિકાસની ધરપકડ કરી હતી. વિકાસ સાત દિવસથી ફરાર હતો. ત્યાબાદ મધ્ય પ્રદેશની પોલીસે વિકાસ દુબેને ઉજ્જૈનની કોર્ટમાં રજૂ કરીને સાંજે યુપી એસટીએફને સોંપી દીધો હતો. 

July 9, 2020
adm_guide-1280x874.jpg
2min14710

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના ગુજરાતમાં આવેલી એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસીની કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયા છે. આ વખતે કોવીડ-19ની સ્થિતિને કારણે હજુ ગુજકેટની પરીક્ષા લઇ શકાઇ નથી, આમ છતાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જણાવાયું છે કે તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારે કોઇ કચેરીમાં જવાનું નથી. ડોક્યુમેન્ટસની ખરાઇ કરવા પણ જવાનું નથી. જે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય અગર જે વાલીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એ.સી.પી.સી. દ્વારા સાઇબર સેન્ટર સ્પેશ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ ખાનગી સાઇબર કાફેમાં જઇને લૂટાતા નહીં, નીચે જણાવેલી કોલેજોના સાઇબર સેન્ટર પર બિલકુલ મફતમાં કામગીરી કરી આપવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતની કોલેજોના આ સાઇબર સેન્ટર પરથી મફતમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે

પ્રવેશ પ્રક્રિયાની સઘળી સૂચના બે-ત્રણ વાર વાંચી જાવ એટલે મોટા ભાગના પ્રશ્નો હલ થઇ જશે

Also Read on this WEB

July 9, 2020
covid_cia.jpg
1min5540

ભારતમાં રોજેરોજ નવા વિક્રમો સર કરી રહ્યા છે. તા.8મી જુલાઇના એક જ દિવસના સમયમાં કોરોનાના નવા 25હજારથી વધુ કેસો ભારતમાં પહેલીવાર નોંધાયા છે. તા.8મી જુલાઇના 24 કલાક દરમિયાન ભારતના કુલ નવા કેસની સંખ્યા 25,230 નોંધાઇ છે. આ જ દિવસે વધુ 400 કોરોના દર્દીઓના મોત સાથે કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 21,000ને પાર થઈ હતી.

વિતેલા સપ્તાહમાં કોરોનાએ લગભગ દરરોજ નવા કેસનો રેકોર્ડ બનાવીને ભારતને પરેશાન કરી મૂક્યું છે. પાછલા કેટલાક દિવસથી દેશમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરાતા ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. રવિવારે 1.8 લાખના, સોમવારે 2.41 લાખના અને મંગળવારે 2.62 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પાછલા 24 કલાકની અંદર 493 લોકોના કોરોના વાયરસથી મોત નોંધાયા છે. 4 જુલાઈના દિવસે 608 લોકોના મોત નોંધાયા બાદ બીજા નંબરે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુ 21,122 થઈ ગયા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 7,68,322 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, 2 દિવસ અગાઉ જ આંકડો 7 લાખ પર પહોંચ્યો હતો. જ્યારે 4,75,849 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમની ટકાવારી 62% છે.

મંગળવારે 5,134 કેસ સાથે મહારાષ્ટ્રમાં થઈ રહેલા ઉછાળામાં ઘટાડો આવ્યા બાદ બુધવારે 6,603 કેસ પોઝિટિવ આવ્યા. આ સાથે કુલ કેસનો આંકડો 2,23,724 થયો છે, અને 198ના મોત નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 9,448 પર પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં 12મી મેના રોજ મુંબઈમાં 785 કેસ નોંધાયા હતા તે પછી બીજા નંબરે સૌથી ઓછા કેસ બુધવારે 1,347 નોંધાયા છે.

તામિલનાડુમાં બીજા નંબરે સૌથી વધુ 3,756 કેસ નોંધાયા છે. જ્યારે 64ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,700 થયો છે. ચેન્નાઈમાં સતત 5માં દિવસે 2,000 કરતા ઓછા કેસ નોંધાયા છે, બુધવારે 1,261 લોકો પોઝિટિવ આવ્યા.

July 9, 2020
corona-gujarat.jpg
1min5970

ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવ કેસનો વિક્રમ ૭૮૩ કેસનો રચાયો છે. એમાંય સુરતના કુલ ૧૭૩ કેસની નવી સપાટી રચી છે એમાં મહાનગરના જ ૨૧૫ કેસ છે જ્યારે વિવિધ તાલુકાના મળી નવા ૫૮ કેસ આવ્યા છે એ પણ એક વિક્રમ છે. બીજી તરફ અમદાવાદ મહાનગરમાં ઓચિંતા ઘટતાં કેસનો સીલસીલો યથાવત રહેતાં ૨૦ એપ્રિલ પછી પહેલી વખત ૧૪૯ કેસ નોંધાયા છે એ જ રીતે જિલ્લાનો આંક બીજા દિવસે પણ સીંગલ ડીજીટ થઇ ગયો છે. સૌથી યોગાનુયોગ એ છે કે સુરત અને અમદાવાદમાં મૃત્યુ આંક ૫-૫ દર્દીનો નોંધાયો છે એની સાથે રાજકોટમાં ૩ દર્દી, જામનગર, મોરબી અને અમરેલીમાં ૧-૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં હવે લગભગ સમગ્ર શહેરમાં સંક્રમણ પ્રસરી રહ્યું હોવાથી અહીં પણ અમદાવાદની જેમ ધનવંતરી રથનો પ્રયોગ સાથે ઘરે ઘરે જઇ રેપિડ ટેસ્ટ, હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં નવા ૫૫ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાં ૧૨ નવા કેસ આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સંક્રમણ હવે મોટા પાયે પ્રસરી રહ્યું છે. રાજકોટ શહેરમાંથી ૨૬ નવા કેસ અને ૩ દર્દીના મોત નોંધાય છે. ધોરાજી સહિતના અન્ય તાલુકાઓમાં ૧૩ નવા કેસ ઉમેરાયા છે. આ જ રીતે ભાવનગરમાં ૧૨ કેસ, ગ્રામ્યના ૭ મળી ૧૯ કેસ નવા ઉમેરાયા છે.

ગાંધીનગર શહેરમાંથી નવા આઠ દર્દી અને તાલુકાઓમાંથી ૧૧ કેસ નવા મળ્યા છે. જામનગરમાં સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૮ કેસ, ગ્રામ્યમાંથી એક કેસ અને એક સારવાર હેઠળના દર્દીનું મૃત્યુ ઉમેરાયું છે. જૂનાગઢ મહાનગરામં નવા ૭ કેસ અને તાલુકાઓમાંથી ચાર કેસ મળ્યા છે.

જિલ્લાઓમાં ફરીથી વલસાડ જિલ્લામાં ૨૭ કેસ નવા નોંધાયા છે. દાહોદમાં ૧૮, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૧૬-૧૬ કેસ ઉમેરાયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં ૧૫-૧૫ કેસ, સાબરકાંઠા ૮, પાટણ, ૪, અરવલ્લી ૨ કેસ નોંધાયા છે.