CIA ALERT

Slider Archives - Page 199 of 486 - CIA Live

August 29, 2020
corona_testing1.jpg
2min4790

જાન્યુઆરી 2020થી કોવિડ-19 સામેની લડતમાં, ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સંચિત પરીક્ષણોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે આજે કરોડને પર થઇ ગયા છે.

કેન્દ્રની આગેવાની હેઠળ કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નોથી અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સફળ અમલીકરણને લીધે ભારતે 4,04,06,609 લોકોના પરીક્ષણ કરવાનું નવું સીમાચિહ્ન પાર કર્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં પુણેની લેબોરેટરીમાંથી માત્ર એક પરીક્ષણથી શરુ કરીને 4 કરોડ પરીક્ષણો કરવા સુધીની એક લાંબી મજલ કાપી છે.

દૈનિક પરીક્ષણોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પહેલાથી જ દરરોજ 10 લાખ પરીક્ષણોની પરીક્ષણ ક્ષમતા પ્રાપ્ત કરી હોવાથી છેલ્લા 24 કલાકમાં 9,28,761 પરીક્ષણો કરવામાં આવ્યા.

આનાથી પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) તીવ્ર વધારા સાથે 29,280 થયા છે. કેટલાક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે કે જ્યાં પરીક્ષણમાં વધારો કર્યો છે, ત્યાં પોઝિટિવિટી દર આખરે ઉચ્ચ સ્તરના પરીક્ષણ સાથે ઘટ્યો છે. રાષ્ટ્રીય પોઝિટિવિટી દર ઓછો રહ્યો છે એટલે કે 8.57% રહ્યો છે અને તે સતત ઘટી રહ્યો છે.

ભારત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટના વ્યૂહાત્મક અભિગમનું પાલન કરી રહ્યું છે, જ્યાં કોવિડ માટે પરીક્ષણને પ્રતિસાદ અને સંચાલનમાં મુખ્ય નિર્ણાયક સ્તંભ તરીકે રાખવામાં આવ્યો છે. સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટિવ કેસ પ્રારંભિક તબક્કે ઓળખવામાં આવે છે, તેમના નજીકના સંપર્કોને તાત્કાલિક ટ્રેક કરી અને આઇસોલેટ કરી શકાય છે અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકો અને હોસ્પિટલમાં દાખલ લોકો માટે સમયસર અને અસરકારક સારવારને સુનિશ્ચિત કરી શકાય છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને ઘણા નીતિગત પગલા દ્વારા દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ રાષ્ટ્રીય પરીક્ષણ દરમાં આ ઉછાળાને નોંધપાત્ર વેગ આપ્યો છે. દેશમાં 1576 જેટલી લેબ્સ છે; સરકારી ક્ષેત્રે 1002 લેબ્સ અને 574 ખાનગી લેબ્સ કાર્યરત છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 806 (સરકારી: 462 + ખાનગી: 344)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 650 (સરકારી: 506 + ખાનગી: 144)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 120 (સરકારી: 34 + ખાનગી: 86)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

August 29, 2020
Saurastra.png
1min5110

કોવિડ-19 મહામારી જાણે સૌરાષ્ટ્રમાં ઘર કરી ગઈ હોય તેમ હવે જુદા જુદા વિસ્તારોમાંથી નવા કેસ આવી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતો રહે છે. આજે તો રાજકોટમાં કોરોનાના રેકર્ડબ્રેક 105 કેસ નોંધાયા હતા તો જામનગરમાં રેકર્ડબ્રેક 97 દરદી કોરોનામુક્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 10, જામનગરમાં 10 અને અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.

રાજકોટ શહેરમાં નવા 78 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2978 થયો હતો. જ્યારે તાલુકા-ગ્રામ્ય પંથકમાં નવા 27 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4435 થઈ હતી. બીજી તરફ આજે શહેરના 10 અને ગ્રામ્યના 1 મળીને 11 દરદીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, ગોંડલના પ્રતિનિધીના જણાવ્યાનુસાર તાલુકામાં છેલ્લા ચોવિસ કલાકમાં 23 કેસ નોંધાયા છે અને 5 દરદીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે જિલ્લાની યાદીમાં ગ્રામ્યમાં માત્ર એક જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત શહેરના 22 અને ગ્રામ્યના 15 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજકોટ સિવિલમાં 370 અને ખાનગી હોસ્પિટલમાં 361 મળીને કુલ 731 દરદી સારવાર હેઠળ છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જામનગર શહેરના 6, ગ્રામ્યના 1 અને દ્વારકા જિલ્લાના 3 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે હોસ્પિટલમાં શહેરી વિસ્તારના 74 અને ગ્રામ્યના 11 મળીને નવા 85 કોરોના પોઝિટિવ દરદી સારવાર માટે ખસેડાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2230 થઈ હતી. જેમાંથી આજે સારી બાબત એ છે કે, જામનગર જિલ્લાના 97 દરદીઓ કોરોનામુક્ત થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસ કરતા ડિસ્ચાર્જ દરદીનો આંક વધતો જાય છે.

જૂનાગઢ જિલ્લામાં આજે 14 પોલીસ કર્મી સહિત નવા 32 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં બે મહિલા કોન્સ્ટેબલ, એક ડ્રાઈવર, એક ટી.આર.બી.જવાન તથા બે હોમગાર્ડ કોરોનાની ઝપટે ચડયા હતા. જ્યારે વંથલીમાં છેલ્લા ચાર દિવસમાં એક મહિલા સહિત આઠ પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત આવ્યા છે. જૂનાગઢ શહેરમાં આજે 17, કેશોદમાં 3, વિસાવદર, માંગરોળ, માણાવદર, માળીયા અને ભેંસાણમાં 2-2 તથા વંથલી અને જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 સહિત જિલ્લામાં નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 39 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 27 પુરુષ અને 10 સ્ત્રી મળીને 37 તેમજ ભાવનગર ગ્રામ્ય, ગારીયાધાર, ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર તથા ઉમરાળા તાલુકાઓમાં 28 સહિત જિલ્લામાં નવા 65 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2669 થયો હતો. જેમાંથી આજે શહેરના 29 અને ગ્રામ્યના 21 એમ કુલ 50 દરદી કોરોનામુક્ત થતા હાલ 524 એક્ટિવ કેસ છે.

અમરેલી જિલ્લામાં નવા 28 કેસ નોંધાતા કુલઆંક 1191 થયો હતો. જ્યારે આજે 29 દરદી કોરોનામુક્ત થયા હતા અને એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના કોટડાપીઠા પાસેના પાનસડા ગામે અઠવાડીયામાં કોરોનાના ત્રણ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

મોરબી શહેર-તાલુકામાં 21 તેમજ વાંકાનેર અને હળવદમાં 2-2 તથા માળીયામાં 1 મળીને નવા 26 કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં 6, વેરાવળમાં 5, ઉનામાં 4, કોડીનારમાં 1 મળીને 16 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 1000ને પાર અર્થાત 1006 થયો હતો. જેમાંથી આજે 13 દરદી ડિસ્ચાર્જ થયા હતા અને કોડીનારના એક દરદીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના પાટનગર તાલાલામાં બે દિવસમાં બે મૃત્યુ નોંધાયા છે અને મામલતદાર કચેરીમાં બે સહિત શહેરમાં કુલ 99 કેસ નોંધાયા છે.

પોરબંદર શહેર-જિલ્લામાં નવા 12 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 443 થઈ છે. જેમાંથી આજે શહેરના એક દરદીનું અન્ય જિલ્લામાં મૃત્યુ નિપજતા કુલમૃત્યુઆંક 32 થયો હતો અને હાલ 103 દરદી સારવારમાં છે.

બોટાદ શહેરમાં 4, બરવાળા અને કારીયાણી ગામે એક-એક એમ નવા 6 કેસ નોંધાયા હતા અને વધુ 8 દરદી કોરોનામુક્ત થતા હાલ 81 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.

August 29, 2020
corona-gujarat.jpg
1min4720

ગુજરાતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તોનો આઠ જ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૨૭૨ પોઝિટિવ કેસ મળ્યા છે અને વધુ ૧૪ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં છે. ૨૧ ઓગસ્ટના રોજ પહેલી વખત રાજ્યમાં ૧૨૦૦ની સપાટીને પાર થયા પછી બીજી વખત નવી વિક્રમી સપાટી સાથે કેસ નોંધાયા છે. કુલ કેસ ૯૨,૬૦૧ થયા છે. આ સાથે રાજ્યના એક્ટિવ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થયો છે. આ આંક દોઢ મહિનામાં પાંચ હજાર કેસ વધીને ૧૫૦૭૨ થયા છે. ૧૧ જુલાઇના રોજ એક્ટિવ કેસ બમણાં થઇ ૧૦,૦૦૦ને પાર થયા હતા. આમ, છેલ્લા એક મહિનામાં નવા કેસની સરખામણીમાં સાજા થનારાની સંખ્યા ભલે વધી હોય, પરંતુ સતત વધતાં કેસ સામે હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરોમાં રહીને સારવાર લઇ રહેલા એક્ટિવ દર્દીમાં વધારો થયો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનાથી સંક્રમિત થયેલા શહેરોમાં જૂન સુધી ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની સંખ્યા ઘણી ચિંતાજન હતી, એવી સ્થિતિ હવે ધીમે ધીમે ઘટી રહી હોવાનો દાવો કોરોનાની સારવાર સાથે સંકળાયેલા તજજ્ઞો કરી રહ્યા છે. શહેરોમાં બેકાળજી અને હજીયે અન્ય ગંભીર બિમારીઓ સાથે કોરોનાથી સંક્રમિત થનારા કેસમાં મૃત્યુની સંખ્યા ઘટી રહી છે એમ છતાં રાજ્યમાં રોજેરોજ થતાં મૃત્યુમાં શહેરી વિસ્તારના દર્દીઓની સંખ્યા ૭૫ ટકાથી વધારે હોય છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં કેસની સંખ્યા વધી રહી હોય એમ સ્પષ્ટ જણાય છે. શહેરમાંથી ૧૭૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ જિલ્લામાંથી એક સાથે નવા ૯૨ કેસ ઉમેરાયા છે. બન્નેમાં અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદ શહર રાજ્યમાં સૌથી વધુ પાંચ દર્દીના મૃત્યુ સાથે આજે ટોપ પર છે.

જ્યારે પોઝિટિવ કેસમાં ૧૪૩ નવા દર્દી ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૨૩ કેસ પણ આવ્યા છે. ત્રીજા ક્રમે વડોદરામાં હવે ગમે ત્યારે કેસની સંખ્યા સદીને પાર કરે એવી શક્યતા છે. નવા ૯૭ કેસ સાથે જિલ્લાના ૩૫ કેસ મળી કુલ ૧૩૨ કુલ કેસ થાય છે. એક એક દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૩ અને ગ્રામ્યના ૨૫ મળી ૩૮ કેસ થાય છે.

સૌરાષ્ટ્ર એક સપ્તાહથી વધુ સમય સુધી ટોપ ઉપર રહ્યા પછી જામનગરમાં આજે રાજકોટની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૧૦૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૮૨ નવા કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે જામનગર શહેરમાંથી નવા ૮૧ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૯૨ કેસ થવા જાય છે. ભાવનગર શહેરમાંથી વધુ  ૩૭ અને ગ્રામ્યના ૨૮ કેસ મળી ૬૫ કેસ થાય છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હોય તેમ કુલ ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લામાં જોઇએ તો પંચમહાલમાં ૩૦, અમરેલામં ૨૮, મોરબી ૨૬, ગીર સોમનાથ ૨૪, બનાસકાંઠા ૨૩, કચ્છ ૨૨, ભરૂચ ૨૧ કેસ નવા નોંધાયા છે. જ્યારે મહેસાણામાં ૧૯, વલસાડ ૧૮ કેસ, આણંદ અને પાટણમાં ૧૬-૧૬, દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં ૧૫-૧૫ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ૧૪, ખેડામાં ૧૩, નર્મદા ૧૨, છોટાઉદેપુર, મહીસાગરમાં ૯-૯, સુરેન્દ્રનગર ૮, બોટાદ ૭, અરવલ્લી, બનાસકાંઠા, તાપી ૬-૬, પોરબંદર ૫ અને ડાંગમાં ૨ નવા કેસ ઉમેરાયા છે.

આમ, ચોવીસ કલાકમાં વધુ ૧૦૫૦ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૭૪,૫૫૧ થઇ છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૫૦૭૨ થઇ છે એમાં ૮૫ વેન્ટીલેટર ઉપર છે અને ૧૪૯૮૬ સ્ટેબલ છે

August 29, 2020
vinesh-phogat-2-1280x720.jpg
1min5520

દિગ્ગજ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવિયો છે. તેને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જ ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવાની હતી. તેને વર્ષ 2016માં પણ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારના રોજ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે તેની પસંદગી દેશમાં ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત થવા માટે કરવામાં આવી હતી. હાલમાં તે પોતાના કોચ ઓમ પ્રકાશની દેખ-રેખ હેઠળ સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી.

ફ્રીસ્ટાઈલ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલ પુરસ્કારોની તૈયારીઓ અંતર્ગત મારો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોનીપતમાં કોરોના માટે મારો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. ભગવાન ઈચ્છશે તો હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.

હરિયાણાની 26 વર્ષીય વિનેશ ફોગાટ એ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા હતા. તેમજ ગયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે પણ તે ક્વોલિફાય થઈ હતી.

August 28, 2020
csk.jpg
1min6520

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચેલી ભારતની આઠ ટીમો પૈકી દુબઇ ખાતે 7 દિવસનો ફરજિયાત કોરન્ટાઇન પિરીયડ પૂરી કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણેક સભ્યોને કોરોના થયો હોવાની પુષ્ટી થતાં જ આઇ.પી.એલ. ઇવેન્ટ સામે મોટું જોખમ ઉભું થયું છે. ચેન્નઇ ક્રિકેટ ટીમના કયા સભ્યોને કોરોના થયો એ સત્તાવાર ઘોષિત થયું નથી પરંતુ, ફાસ્ટ બોલર ચહર તેમજ અન્ય ક્રુ મેમ્બર્સને કોરન્ટાઇન પીરીયડ પૂરો થવાના છેલ્લા દિવસે જ કોરોના હોવાનું ટેસ્ટિંગમાં જણાયું છે.

મળતી માહિતી મુજબ હવે ચેન્નઇ ક્રિકેટ ટીમના તમામે તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના તમામને વધુ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા બનાવવામાં નિયમો અંતર્ગત છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટીન સમય પૂરો કરી દીધો હતો. આઈપીએલનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે.

આઇપીએલ શરૂ થવા પહેલા જ જોખમ

યુએઈમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનની શરૂઆત પહેલા જ લીગને કોરોના વાયરસે મોટું જોખમ ઉભું કરી દીધું છે. કોરોના વાયરસના કારણે લીગ શરૂ થવામાં વિલંબ થયો છે અને તેને ભારતની બહાર રમાડવાની ફરજ પડી છે. જોકે, હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેન્નઈ ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે ટીમ આજે તા.27મી ઓગસ્ટને શુક્રવારથી દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી.

August 28, 2020
CIA_Live_Logo_New2.jpg
2min15520

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.28મી ઓગસ્ટના રોજ ગઇ તા.24મી ઓગસ્ટે લીધેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વિષયવાર પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આ આન્સર કી નીચે પ્રમાણે છે.

ગણિત વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)

બાયોલોજી વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)

જે વિદ્યાર્થીઓને આન્સર કી માં પ્રોબ્લેમ હોય તેઓ વાંધા અરજી તા.1લી સપ્ટેમ્બર સુધીમાં મોકલાવી શકે છે

August 28, 2020
real_cia-1-1280x1022.jpg
1min8000

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના એક્ટીવ કેસોમાં ભારત તા.28મી ઓગસ્ટ 2020ના રોજ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયું છે. એક્ટીવ કેસો અને કુલ કેસોમાં હવે ભારતથી આગળ અમેરીકા રહ્યું છે.

વર્લ્ડો મીટરના આંકડા મુજબ તા.28મી ઓગસ્ટે બપોરે 1 કલાકે ભારતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 7 લાખ 45 હજાર 540 થઇ હતી. જ્યારે અત્યાર સુધી ભારતથી આગળ ચાલતા બ્રાઝીલમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા 6 લાખ 98 હજાર 517 થઇ છે. આમ, બ્રાઝીલમાં કુલ કોરોના કેસ ભલે ભારત કરતા વધુ હોય પરંતુ, એક્ટીવ કેસોમાં હવે ભારત અમેરીકા પછી બીજા નંબરે પહોંચ્યું છે.

વિશ્વમાં સૌથી વધુ કોરોના એક્ટીવ કેસ અમેરીકામાં છે. તા.28મી ઓગસ્ટ 2020ની લેટેસ્ટ માહિતી મુજબ અમેરીકામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 25 લાખ 15 હજાર 137 છે. જે ભારતથી સાડા ત્રણ ઘણી વધુ છે.

કોરોનાની સંખ્યામાં વિશ્વના ટોચના પાંચ દેશોની સંખ્યા

વિશ્વમાં કુલ કોરોના એક્ટીવ કેસોની સંખ્યા 67 લાખ 3 હજાર 590 છે.

August 28, 2020
corona_india.jpg
1min4500

ભારતમાં છેલ્લા બે દિવસોમાં કોરોના વાયરસની મહામારીનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે કોવિડના 76 હજારથી વધારે કેસ મળી આવ્યા છે. બુધવારે જ્યાં 76,014 નવા કેસ નોંધાયા હતા, તો ગુરુવારે પણ 76,489 કેસ સામે આવ્યા, જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા હાઈએસ્ટ કેસ છે. આટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં વાયરસથી 1081 મોત થયા છે, જે એક દિવસમાં થયેલા મોતનો બીજો સૌથી મોટો આંકડો છે.

આ સાથે જ ઓગસ્ટમાં અત્યાર સુધી 16,86,162 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડો લગભગ તમામ પાછલા મહિનાઓમાં સામે આવેલા કેસની સંખ્યા (16,94,918) બરાબર છે. મહિનામાં કોવિડ-19ના મોતનો આંકડો 25,000ને પાર કરી ગયો છે. જુલાઈમાં 19,122 મોત થયા હતા. છેલ્લા બે દિવસોમાં નવા કેસોમાં વધારાના કારણે મંગળવારથી લગભગ 35,000 સક્રિય કેસોમાં વૃદ્ધિ થઈ છે, જે હાલના દિવસોમાં સૌથી વધારે છે.

એક દિવસમાં ત્રીજો સૌથી મોટો આંકડો
દેશમાં હાલ 7.4 લાખથી વધારે કોરોનાના કેસ એક્ટિવ છે, જ્યારે રિકવરી 25.8 લાખ સુધી પહોંચી છે. દેશમાં નવા નોંધાયેલા કેસનો આંકડો દુનિયામાં એક દિવસમાં સામે આવેલા ત્રીજા સૌથી વધુ કેસ છે. જ્યારે પહેલા બંને નંબર માત્ર અમેરિકાના (25 જુલાઈએ 78,427 અને 17 જુલાઈએ 76,730) કેસનો છે. આ આંકડા ourworldindata.org અનુસાર છે.

ભારતમાં કોરોનાના કેસ 33.8 લાખથી વધારે થઈ ગયા છે, જ્યારે મોતનો આંકડો 61,621 છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે સૌથી વધારે 14,718 નવા કેસ સામે આવ્યા છે. જોકે બુધવારે નોંધાયેલા 14,888થી તે ઓછા કહી શકાય. જ્યારે મૃતકોની સંખ્યા 355 રહી. આંધ્ર પ્રદેશમાં 10,000થી વધારે કેસ (10,621) નોંધાયા. જ્યારે કર્ણાટકમાં 9,386 નવા કેસ નોંધાયા. આ પહેલીવાર છે જ્યારે અહીં એક જ દિવસમાં 9000થી વધુ કેસ નોંધાયા હોય. ઉપરાંત રાજ્યમાં 141 મોત થયા.

August 28, 2020
corona-gujarat.jpg
1min4560

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ મહાનગરો, જિલ્લાઓમાંથી નવા ૧૧૯૦ દર્દીઓ મળી આવ્યા છે એની સામે ચોવીસ કલાકમાં વધુ ૧૧૯૦ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ સાજાં થઇ જવાથી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, આ સમયમાં સુરતમાં વધુ ૫, અમદાવાદ અને રાજકોટમાં ૩-૩, વડોદરા, અમરેલી, આણંદ, કચ્છ, પાટણ અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૧૭ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯ના કારણે થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ સાથે રાજ્યમાં કોરોનાના ચેપગ્રસ્તો શોધવા માટે ચાલી રહેલી વ્યાપક ટેસ્ટીંગ ઝુંબેશના પગલે કુલ ટેસ્ટનો આંક ૨૦ લાખને પાર થઇ ગયો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંક પણ વધીને ૯૧૩૨૯ થયો છે જ્યારે સાજા થનારાની સંખ્યા ૭૩૫૦૧ થઇ છે. જોકે, મૃત્યુ આંક ૨૯૬૪ સુધી પહોંચ્યો છે જે ૩.૪ ટકા જેટલો થવા જાય છે. જુલાઇ મહિનાની સરખામણીમાં મૃત્યુનું દૈનિક સ્તર ખાસ્સું ઘટ્યું છે એવો દાવો સરકારે કર્યો છે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત દર્દીઓમાં સુરતમાં કુલ ૨૫૩ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૬૪ કેસનો સમાવેશ થાય છે અને ૩ દર્દીના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સતત બીજા દિવસે નવા ૮૯ કેસ મળ્યા છે અને બે દર્દીના અવસાન થયા છે. અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૩ કેસ મળ્યા છે અને ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ નવા કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા વીસ કેસ તો ગ્રામ્યમાંથી ઘટીને ૮ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરામાં સતત વધતાં કેસ વચ્ચે નવા ૮૯ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી બીજા દિવસે નવા ૩૪ કેસનો ચિંતાજનક ઉમેરો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૭૯ કેસ અને ગ્રામ્યમાંથી ૧૦ કેસ મળી ૮૯ કેસનો ઉમેરો થયો છે. રાજકોટ શહેરમાંથી ૬૬ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ ગ્રામ્યામંથી નવા ૩૦ કેસ અને એક દર્દીનું મૃત્યુ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી નવા ૩૦ અને ગ્રામ્યના ૨૧ મળી કુલ ૫૧ કેસ, જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાંથી નવા ૩૦ કેસ, પંચમહાલમાંથી ૨૮, કચ્છમાંથી ૨૭, મોરબીમાંથી ૨૪, ભરૂચ અને મહેસાણામાંથી ૨૧-૨૧ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી વધુ ૧૯ કેસ, બનાસકાંઠા, દ્વારકા, ગીર સોમનાથમાંથી ૧૭-૧૭ કેસ સત્તાવાર જાહેર કરાયા છે. પાટણ જિલ્લામાંથી નવા ૧૬ કેસ નોંધાયા છે જ્યારે બોટાદ અને નર્મદામાંથી ૧૪-૧૪ કેસ ઉમેરાયા છે. નવસારીમાંથી ૧૨, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૧-૧૧ કેસ, ખેડામાંથી નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ડાંગ, સાબરકાંઠા અને તાપીમાંથી ૭-૭ નવા કેસ નોંધાયા છે. પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાંથી નવા ૫-૫ કેસ તેમજ અરવલ્લીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭૬,૨૨૭ ટેસ્ટ કરાયા હતા એ સાથે કુલ આંક ૨૦,૪૫,૯૫૧ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૪૮૬૪ સુધી પહોંચી છે તો એમાંથી ૯૧ દર્દી વેન્ટીલેટર ઉપર રાખવા પડ્યા છે અને બાકીના ૧૪૭૭૩ સ્ટેબલ હોવાનો દાવો કરાયો છે.

August 27, 2020
viratkohli.jpg
1min6390

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક અને સફળ કેપ્ટન વિરાટ કોહલી હાલ આઇ.પી.એલ. 2020 રમવા માટે યુએઇમાં છે, આજરોજ તા.27મી ઓગસ્ટે સવારે 11 કલાકે તેમણે ટ્વીટ કરીને એ વાત જાહેર કરી દીધી છે કે તે અને અનુષ્કા હવે ત્રણ બનવા જઇ રહ્યા છે. 2021 જાન્યુઆરીમાં તે આવી રહ્યું (બેબી) છે.

વિરાટ કોહલીએ કરેલું આ ટ્વીટ એટલું ઝડપથી વાઇરલ થયું કે ન પૂછો વાત. સમગ્ર વિશ્વભરમાં લોકોએ વિરાટ કોહલીના આ ટ્વીટને રીટ્વીટ કરવા માંડ્યું. વિરાટ અને અનુષ્કા ભારતમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત સેલિબ્રિટી છે.

આ રીતે વિરાટ કોહલીએ જાણકારી આપી