CIA ALERT

Slider Archives - Page 200 of 486 - CIA Live

August 27, 2020
daru4.jpg
1min615

દારુના શોખીન હવે તો સુરત નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતના દારૂના શોખીન લોકોને કદાચ આ સમાચાર થોડી ઠેસ જરૂર પહોંચાડશે. પણ દારુબંધીનો કડક અમલ કરાવતા ગાંધીનગર જિલ્લામાં 8 પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના સૌથી મોટા જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો છે.

1.45 લાખ દારુની બાટલીઓ હતી

473 ગુનાઓમાં ઝડપાઇ હતી દારૂની બાટલીઓ

4 કરોડ 78 લાખ 67 હજાર 438 રૂપિયાનો દારુ હતો

ગાંધીનગર સબડિવિઝન વિસ્તારમાં આવતા 8 પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન કરવામાં આવેલા પ્રોહિબિશનના કુલ 473 કેસોમાં દારુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. કુલ 1,45,188 જુદી જુદી બ્રાન્ડની દારુની બોટલોની કુલ બજાર કિંમત રૂ.4.78 કરોડ જેટલી થવા જાય છે.

રાજ્ય સરકારની કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત જે દારુનો જથ્થો પોલીસ ઝડપી પાડે છે તેનો નાશ કરવામાં આવે છે. આ જોગવાઇ અંતર્ગત ગતરોજ દારુના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો કચ્ચરઘાણ કાઢી નાંખવામાં આવ્યો હતો.

August 27, 2020
neet.jpg
1min4470

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તા.26મી ઓગસ્ટને બુધવારે રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ મેડીકલ ડેન્ટલ માટેની NEET અને એન્જિનિયરિંગ માટેની JEE પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારના પગલાં સંદર્ભે બિનભાજપી સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન મિટીંગ યોજી હતી.

આ બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ સિંહ બધેલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પુડુચેરીના સીએમ નારાયણસામી, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો. આ બધા રાજ્યો કોરોનાના સમયમાં NEET અને JEEની પરીક્ષા ટાળવાની માગ કરી રહ્યા છે.

Opposition CMs join hands against holding NEET - india news - Hindustan  Times

આ રાજ્યોની સરકારની NEET અને JEEની પરીક્ષા ટાળવાની માગ

  • છત્તીસગઢ
  • રાજસ્થાન
  • પંજાબ
  • પુડુચેરી
  • મહારાષ્ટ્ર
  • ઝારખંડ
  • પશ્ચિમ બંગાળ
August 27, 2020
government_gujarat.jpg
1min6700

છ માસમાં આવશે કોર્ટનો ફેંસલો : ગુનેગારને 14 વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવી’ સજા અને દંડની જોગવાઈ

મહેસુલ મંત્રી કૌશિક પટેલે ગુજરાતની કેબિનેટ દ્વારા પારિત કરાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની વિગતો આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાને મંજૂરી આપી છે.

જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્ત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્ત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરતા હોવાનુ સામે આવ્યું છે.

રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપિંડીથી ગેરકાયદેસર કબજો જમાવીને ઉપરાંત કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરીને પણ જમીન પચાવી પાડવામાં આવતી હોવાનું સરકારની નજરમાં આવ્યું છે. જેને કડક હાથે ડામી દેવા માટે રાજ્યસરકારે મોટો નિર્ણય કર્યો છે.

કૌશિક પટેલે કહ્યું કે, જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દાખલ થયાના છ જ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને 14 વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવા આકરી સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણૂક કરશે. મહત્વનું છે કે, કાયદામાં માત્ર ખાનગી, ધાર્મિક- શૈક્ષણિક- સામાજિક સંગઠનોની માલિકીની જ નહી પણ સરકારી, પાલિકા- પંચાયત સહિત સ્થાનિક સત્તા મંડળોની જમીનોમાં જે કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ગુનેગાર ગણવાનું ઠેરવ્યું છે.

કેબિનેટમાં પસાર થયેલા લેન્ડ ગ્રાબિંગ પ્રોહિબિશન એક્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો હતો.

August 27, 2020
corona-gujarat.jpg
1min4240

કોરોના પોઝિટિવ કેસનો આંક ૯૦,૦૦૦, ડિસ્ચાર્જ ૭૨૦૦૦ને પાર, મૃત્યુ ૨૯૪૭ થયાં, ત્રીજા ભાગના કેસ અને પચાસ ટકાથી વધુ મૃત્યુ ધરાવતા અમદાવાદમાં કુલ ૧૬૩ કેસ-પાંચ મૃત્યુ, સુરત-રાજકોટમાં ૪-૪, વડોદરા,૨ મૃત્યુ, દાહોદ અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ

ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત નવા ૧૧૯૭ દર્દીઓ મળી આવતાં કુલ પોઝિટિવ કેસનો આંક હવે ૯૦,૦૦૦ને પાર થઇ ચુક્યો છે. આ સાથે ચોવીસ કલાકમાં નવા ૧૦૪૭ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારાની સંખ્યા ૭૨,૦૦૦ને પાર થઇ ગઇ છે. જ્યારે આ સમયમાં વધુ ૧૭ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં એની સંખ્યા ૨૯૪૭ સુધી પહોંચી છે.

બુધવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ કેસ ૨૫૩ સુરતમાં નોંધાયા છે એ જ રીતે શહેર અને ગ્રામ્યમાંથી મળી બે-બે દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે, કુલ મૃત્યુમાં એક મહિના પછી પહેલી વખત સુરત અમદાવાદ કરતાં પાછળ રહ્યું છે. અમદાવાદમાં ચોવીસ કલાકમાં કુલ પાંચ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે એમાં ચાર  શહેરના દર્દી છે અને એક ગ્રામ્ય વિસ્તારના મૃત્યુનો સમાવેશ થાય છે. પોઝિટિવ કેસ અનુક્રમે ૧૪૪ અને ૧૯ નવા નોંધાયા છે.

વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ અને ગ્રામ્યના ૩૨ મળી ૧૨૨ કેસ ઉમેરાયા છે. શહેરના બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૨૦ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી પણ ૨૩ નવા કેસ ઉમેરાયા છે. આમ એનો કુલ આંક ૪૩ થાય છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી સૌથી વધુ ૭૯ કેસ અને ગ્રામ્યના ૯ ઉમેરાતાં કુલ ૮૮ કેસ થયા છે. રાજકોટ શહેરમાંથી ૭૭ કેસ અને બે મૃત્યુ તેમજ ગ્રામ્યમાંથી ૨૨ કેસ અને વધુ બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગ્રામ્યમાં ધોરાજીની પોલીસ લાઇનના ૧૩ કેસનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૧૮ મળી ૪૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસમાં શહેરના ૧૪ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો અમરેલીમાંથી નવા ૩૪ કેસ ઉમેરાયા છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા સૌથી વધારે સંક્રમિત થતાં અહીં સઘન ટેસ્ટિંગ ઝુંબેશનો આરંભ કરાયો છે. જિલ્લામાં નવા ૩૧ કેસ ઉમેરાયા છે. ભરૂચ જિલ્લામાંથી વધુ ૨૯ કેસ મળ્યા છે તો કચ્છમાંથી ૨૪ અને બનાસકાંઠામાંથી ૨૩ કેસ નોંધાયા છે.

August 26, 2020
Greta-Thunberg-.jpg
2min7790

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં પરોપકારી વૃતિ એટલી બધી વધી ગઇ છે કે કોઇએ પોતાનો ધંધો-રોજગાર કરવો નથી અને બીજાનું જ ભલું કરવું છે. અને હાલમાં ભારત અને હવે તો વિશ્વમાં ભારતના ધો.12 સાયન્સના વિદ્યાર્થિઓ પર ઉપકાર કરવાની વૃતિ સાથે એક અભિયાન છેડાયું છે કે NEET/JEE જેવી પરીક્ષાઓ કોવીડ-19 અને અતિવૃષ્ટી, પૂરજનક સ્થિતિમાં મુલતવી રાખી દેવી જોઇએ.

ભારતમાં કહેવાતા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશ્યલ મિડીયામાં પલિતો ચાંપ્યો હતો કે NEET/JEEને વર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા જોઇએ. એ પછી દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( મોટા ભાગના મોદી વિરોધી નેતાઓ)એ NEET/JEE મુલતવી રાખવા માટે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકી દીધી છે. આ બધા નેતાઓને ભારતના ધો.12ના વિદ્યાર્થીઓની એટલી ફિકર છે કે કોઇપણ સંજોગોમાં NEET/JEE મુલતવી રાખવા માટે હવે તેઓ છેલ્લી લડાઇ લડી લેવા તૈયાર થયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ માટે બ્રિટનની સ્કુલોમાં હડતાળ પડાવી ચૂકેલી ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સુધી NEET/JEEનો મુદ્દો પહોંચાડીને તેમના ટ્વીટર હેન્ડલ પરથી ભારતના વિદ્યાર્થીઓ પર પરોપકાર કરવાની વૃતિએ પોસ્ટ પણ મૂકવામાં આવી છે.

ગ્રેટા થનબર્ગનું ટ્વીટ

ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતના વિદ્યાર્થીઓ સાથે ઘેરો અન્યાય થઇ રહ્યો છે, તેમને કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિ અને એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં રાષ્ટ્રીય પરીક્ષાઓમાં બેસવાનું કહેવામાં આવી રહ્યું છે. હું NEET/JEE મુલતવી રખાવવાના તેમના અભિયાનમાં સાથે ઉભી છું.

ગ્રેટા થનબર્ગ કોણ છે

ગ્રેટા થનબર્ગ (જન્મ: ૩ જાન્યુઆરી ૨૦૦૩)

ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.

પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.

જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

August 26, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9840

Jayesh Brahmbhatt 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજરોજ તા.26મી ઓગસ્ટ 2020થી નીટ અન્ડરગ્રેજ્યુએટ પરીક્ષાના એડમિટ કાર્ડ ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. ધો.12 પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે તા.13મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ નીટ યુજીના એડમિટ કાર્ડ પોતાના આઇ.ડી. પાસવર્ડની મદદથી ડાઉનલોડ કરી શકશે. દરેક વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની તમામ વિગતો ચેક કરી લેવા તેમજ પરીક્ષા કેન્દ્રની ખાસ ખરાઇ અગાઉથી કરી લેવા માટે જણાવવામાં આવ્યું છે.

કોવીડ 19 સ્થિતિ વચ્ચે લેવામાં આવનાર નીટ પરીક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર સોશ્યલ ડિસ્ટન્સિંગથી લઇને સ્ક્રિનીંગ, સેનિટાઇઝીંગ સમેતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પણ માસ્ક, સેનિટાઇઝર વગેરેથી સજ્જ થઇને જ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લેવા મક્કમ

નીટના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા

જેઇઇ મેઇન્સના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા

નીટ-જેઇઇ પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ

સમગ્ર ભારતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ છે. મોદી વિરોધીઓ પરીક્ષા મુલતવી રખાવવા માટે સોશ્યલ મિડીયાથી લઇને વિદ્યાર્થીઓને ઉપવાસે ઉતારવા સુધીના પ્રયાસો કરી રહ્યા છે. ખુદ ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ પરીક્ષાઓ મુલતવી રખાવવા માટે અધિરા બન્યા છે. આમ છતાં મોદી સરકારે પરીક્ષા લેવા માટેનું મન બનાવી લીધું છે.

ભાજપના સુબ્રમણ્યમ સ્વામી પણ પરીક્ષા મુલતવી રખાવવા મેદાનમાં પડ્યા

દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયા પણ જોડાયા નીટ-જેઇઇ રદ કરાવવાના અભિયાનમાં

August 26, 2020
corona-gujarat.jpg
1min5000

કોરોનાથી સંક્રમિત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૯૬ કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે વધુ ૧૦૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના હોસ્પિટલના બિછાને મૃત્યુ થયાં છે. સૌથી વધારે સુરતમાં સાત, અમદાવાદમાં ચાર, જૂનાગઢ અને અમરેલીમાં બે-બે, વડોદરા, રાજકોટ, તાપી, ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરત મહાનગરમાં ૧૬૯ અને ગ્રામ્યમાંથી વધુ ૮૧ નવા દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. આ જ રીતે અમદાવાદ મહાનગરમાંથી ૧૪૫ તથા ગ્રામ્યમાંથી ૧૨ મળી ૧૫૭ કેસ નવા નોંધાયા છે. વડોદરા શહેરમાંથી નવા નેંવું તથા ગ્રામ્યના ૩૨ મળી ૧૨૨ કેસ ઉમેરાયા છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ગાંધીનગર, માણસા, દહેગામ, કલોલ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે. સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી સતત પાંચમા દિવસે ૭૪ નવા કેસ ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી છ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ ૬૬ અને ગ્રામ્યમાંથી ૨૯ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેરમાંથી ૨૧ તથા ગ્રામ્યના ૧૫ મળી ૩૬ કેસ નોંધાયા છે. જૂનાગઢમાં શહેર અને ગ્રામ્યમાંથી ૧૪-૧૪ કેસ આવ્યા છે.

અમદાવાદ શહેરમાં હવે બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાડજ, શાહીબાગ, નારોલ, વસ્ત્રાલ, નરોડા જેવા વિસ્તારોમાંથી નવા નવા કેસ ઉમેરાય છે. હવે અનલોક-૪ માટે નવી ગાઇડલાઇન્સ થોડા દિવસોમાં જાહેર થવા જઇ રહી છે એમાં હાલ નિયંત્રણ હેઠળની પ્રવૃત્તિઓમાં કેટલીક છુટછાટ મળી શકે એવી શક્યતાઓ છે.

સોમવારથી અમદાવાદની વિવિધ ક્લબ શરૂ થઇ છે. હવે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સના સંચાલકો રાત્રિ ખાણીપીણીનો સમય વધારવા માગણી કરી રહ્યા છે તથા મલ્ટીપ્લેક્સ, સિનેમા ગૃહના સંચાલકો પણ પ્રેક્ષકોને પ્રવેશ માટે ઉતાવળા થયા છે. જોકે, શાળા અને કોલેજો અંગે કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ સંદર્ભે સ્પેશ્યલ ઓપરેટિવ પ્રોસિઝર ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરે પછી જ અંતિમ નિર્ણય લેવાશે ત્યાં સુધી તેને ખોલવાની મંજૂરી અપાશે નહીં. આ પરિસ્થિતિમાં કોચિંગ ક્લાસિસ પણ હાલ ખુલે એવી શક્યા નહીવત છે.

દરમિયાન, રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો પંચમહાલમાં નવા ૨૯, ભરૂચમાં ૨૬, કચ્છમાં ૨૨ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે ગીર સોમનાથમાંથી ૧૯, દાહોદ અને મહેસાણામાંથી ૧૭-૧૭ કેસ, મોરબી અને પાટણમાં ૧૫, અમરેલી, ખેડા, નર્મદામાંથી ૧૪-૧૪ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી ૧૧, નવસારી, સાબરકાંઠા અને વલસાડમાંથી ૯-૯ કેસ, છોટાઉદેપુર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૮-૮ કેસ, બોટાદ અને તાપીમાંથી ૭-૭, આણંદ અને મહીસાગરમાંથી ૬-૬, અરવલ્લામાંથી ૫, છોટાઉદેપુરમાંથી ૩ નવા કેસ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૨,૫૭૭ ટેસ્ટ કરાયા હતા એના પગલે કુલ આંક ૧૮,૯૧,૭૭૫ સુધી પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૮૮,૯૪૨ થઇ છે. આ પૈકી ૭૧,૨૬૧ ડિસ્ચાર્જ થયા છે અને ૨૯૩૦ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૪૭૫૧ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૪૬૭૨ સ્ટેબલ છે.

August 26, 2020
jaminmapni.jpg
1min5680

વેસુની વિવાદીત જમીન ની માપણી કરવા માટે લાંચની રકમ એસીબી ઓફિસની સામે જ રોડ પર સ્વિકારવામાં આવી હતી

સુરત શેહરમાં વેસુ વિસ્તારમાં આવેલ વિવાદીત કોરોડો રુપિયાની જમીનની માપણી કરવા માટે રૂ. નવ લાંખની લાંચ લેતા એસીબીએ સુરતના જીલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી રિતેશ રાજપરા, મહેસુલી નાયબ મામલતદાર જસ્મીન બોઘરા સહિત આજે ચારની ધરપકડ કરી હતી. આ ટોળકી દ્વારા જમીન માપણી માટે રૂ. 18 લાખની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ એસીબીની કચેરીની સામે જ સ્વિકારવામાં આવી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની જમીનના માલિકી હક્કને લઈન લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીનને લઈને ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઈ ચુકી છે. તદ ઉપરાંત સુરત કલેક્ટર કચેરી અને મહેસુલ વિભાગમાં પણ માલિકી હક્કના કેસો ચાલી રહ્યા છે. આ કેસને લઈને જમીનની માપણી કરાવવી જરૂરી હતી.જેને લઈને જમીન માલિક દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઈ.એલ.આર.) માં અરજી કરી હતી. આ દરમિયાન જમીન માલિકની ઓળખાણ ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા સાથે થઈ હતી. તેને આ જમીન માપણી કરાવી આપવા માટેની બાહેંધરી લીધી અને અધિકારી સાથે બેઠક કરીને રૂ. 18 લાખ ની રકમ નક્કી કરીને જમીન માપણી કરી આપવા માટેનુ નક્કી કર્યુ હતુ. 
    જમીન માપણી અધિકારીના કેસીયર રેવન્યુ નયાબ મામલતદાર જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા( જનસેવા કેન્દ્ર, પુણા ) એ આ કેસનો હવાલો લીઘો હતો. બીજી બેઠકમાં માપણી પહેલા રૂ. નવ લાખ અને ત્યાર બાદ બાકીના રૂપિયા જમીન માલિકે આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. રૂપિયા  અધિકારીના માણસ રાજેશકુમાર ભનુભાઇ શેલડીયાને આપવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. આ બેઠક બાદ જમીન માલિક સીધો એસીબીની કચેરી ખાતે ગયો હતો. અને ત્યાર બાદ એસીબીના મદદનીશ નિયામક નિરવ ગોહીલ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. તે મુજબ આજે બપોરે જમીન માલિક પાસેથી રૂ. નવ લાખની લાંચ લેવા માટે અધિકારી વતી રાજેશ તથા ડોલરભાઈ નાનપુરા ખાતે જજીસ કોલોનોની સામે આવ્યા હતા. જેવી લાંચની રકમ લીધી તેની સાથે જ પોલીસે તેઓને ડબોચી લીધા હતા.
    તો બીજી તરફ આ રેડ સફળ થતાની સાથે જ પોલીસની બીજી ટીમે કે જે ડી.આઇ.એલ.આર. કચેરીની બહાર જ ઉભી હતી તેઓએ ક્લાસ – 2 અધિકારી રિતેશ બાલુભાઈ રાજપરાની ધરપકડ કરી હતી. અને મોબાઈલ લોકોશનના આધારે નાયબ મામલતદાર જસ્મી અરવિંદભાઈ બોઘરની ધરપકડ કરી હતી. આ સફળ ઓપરેશન મદદનીશ નિયામક, એ.સી.બી. એન.પી.ગોહિલના સુપરવિઝનમાં પોલીસ ઈન્સપેક્ટર કે.જે. ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

August 25, 2020
gujrat-012.jpg
1min6120

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 2.66 ઈંચ વરસાદ વરસી ગયો, જે રાજયના મોસમી વરસાદના 8 ટકા છે. ભારે વરસાદની સાથે રાજ્ય સીઝનના 69 દિવસમાં 100 ટકાને પાર કરી રહ્યું છે.

2019 અને 2017માં રાજયમાં 100% કરતાં વધારે મોસમી વરસાદ નોંધાયો હતો. 2019માં 5 સપ્ટેમ્બરના દિવસે 100 ટકા વરસાદ પૂરો થયો હતો જ્યારે 2017માં 30 ઓગસ્ટે. 2018 અને 2016માં 31 ઓક્ટોબર સુધીમાં કુલ મોસમી વરસાદ અનુક્રમે 76.7% અને 91% હતો.

જો કે, ઓગસ્ટના પહેલા 23 દિવસમાં સોમવારે 6 વાગ્યા સુધીમાં 19.80 ઈંચ વરસાદ એટલે કે 59% વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજા સતત વરસતા રાજ્યમાં 1.19 ઈંચ નોંધાયો હતો. સોમવાર સવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 109માં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ વરસ્યો.

24 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં અનુક્રમે 91%, 126% અને 119% મોસમી વરસાદ નોંધાયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમ અને SDRFની 1 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં લો-પ્રેશર તેમજ ઉત્તર-પશ્ચિમી અરબ સાગર પર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. વધુમાં નિષ્ણાતોની નજર બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ પર છે, જે રાજ્યમાં વધારે વરસાદ લાવી શકે છે.

August 25, 2020
fraud.jpg
1min5420

ફેસબુક પર લોનની જાહેરાત મૂકીને ઠગાઇ કરનાર સુરતના ત્રણ શખસની પોલીસે ધરપકડ કરી હતી. ફેસબુક પર બજાજ ઇએમઆઇના કાર્ડ પર લોન આપવાની જાહેરાત કરીને ઠગાઇ કરવા અંગે સુરતના મહેશ વલ્લભભાઇ આસોદરિયા, બાબા હજાભાઇ ચૌધરી, દીપક ગોકુલભાઇ ડોબરિયાની ધરપકડ કરી હતી.

નાનામવા રોડ પરના મોકાજી સર્કલ પાસે સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતાં અને બીગબજાર સામે ઇમ્પિરીયલ હાઇટ્સમાં બી વિંગમાં બજાજ ફાયનાન્સની ઓફિસમાં રીસ્ક મેનેજર તરીકે નોકરી કરતાં ઘનશ્યામભાઇ જયંતીભાઇ શિંગાળાએ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ ધરાવતાં પાંચ ગ્રાહકો પાસેથી એક સરખી ફરીયાદ મળી હતી કે તેમણે પોતે ખરીદી કરી ન હોવા છતાં તેના નામે લોન બજાજ કંપનીની લોન શરૂ થઇ ગઇ હોવાના મેસેજીસ આવ્યા છે.

પાંચ ગ્રાહકોની એક સરખી ફરીયાદ મળતા બજાજ ફાઇનાન્સના રિસ્ક મેનેજરે આ અંગે હેડઓફિસ પુના ખાતેની ઓફિસે તપાસ કરાવી હતી. કંપનીની પ્રાથમિક તપાસમાં એ ગ્રાહકોના નામે ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું હતું. વધુ કડી મેળવતા એવી વિગત સપાટી પર આવી હતી કે સુરતના મહેશ આસોદરિયા, બાબા ચૌધરી અને દીપક ડોબરિયા એ આ કામને અંજામ આપ્યો છે, પરીણામે પોલીસ મથકમાં ત્રણેય સામે ઠગાઇ સહિતનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ ફરિયાદ અંગે રાજકોટ સાયબર ક્રાઇમના પીઆઇ ફર્નાડીઝ,  પી.એમ. કાતરિયા, એન.એન. ચુડાસમા, પીએસઆઇ જે.કે.ગઢવી અને તેમના મદદનીશો સંજય ઠાકર, દીપક પંડિત, યોગરાજસિંહ ગોહીલ, પ્રદીપસિંહભાટીએ તપાસ હાથ ધરીને સુરતના ત્રણ શખસની ઝડપી લીધા હતાં.

પોલીસની પુછપરછમાં આ શખસોએ એવી કબુલાત આપી હતી કે, તેઓ હીરા ઘસવાનું કામ કરતાં હતા પરંતુ લોકડાઉનના કારણે કામ બંધ થઇ જતાં ઠગાઇના રવાડે ચડી ગયા હતાં અને બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ ધારકોના નંબર મેળવી તેની પાસેથી કાર્ડના નંબર, ઓટીપી મેળવીને એ કાર્ડધારકના નામે ઓનલાઇન ખરીદી કરતા હતાં અને ખરીદેલી વસ્તુઓ અન્ય લોકોને વેચી નાખતા હતાં.