CIA ALERT

Slider Archives - Page 187 of 491 - CIA Live

November 13, 2020
AffordableHousing.png
1min8070

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મોટી રાહતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રોજગારી વધારવાના પગલાં અને કોરોનાની રસીના સંશોધન માટે રૂપિયા ૯૦૦ કરોડની ફાળવણીની પણ જાણકારી આપી હતી. ખેડૂતોને ખાતર સબસિડી પેટે રૂ. ૬૫,૦૦૦ કરોડ ફાળવાયા હતા. નિકાસને પ્રોત્સાહન આપવા રૂપિયા ૩૦૦૦ કરોડ ફાળવાશે.

રૂપિયા બે કરોડ સુધીના ઘર (પ્રાઇમરી રેસિડેન્શિયલ યુનિટ)ના સર્કલ રેટથી ઓછી કિંમતે વેચાણ માટે આવકવેરાના કાયદા હળવા બનાવાયા છે. અત્યાર સુધીમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના માત્ર ૧૦ ટકા તફાવતની પરવાનગી હતી. હવે રૂપિયા બે કરોડ સુધીની કિંમતના રેસિડેન્શિયલ યુનિટ્સના પ્રાઇમરી સેલ માટે આ ગાળો ૨૦૨૧ની ૩૦મી જૂન સુધી વીસ ટકા કરાયો છે. સરકારના આ પગલાંથી ઘર ખરીદનારા લોકો અને ડેવલપર્સ, એમ બન્નેને લાભ થશે.

સરકારે નવી રોજગારી પૂરી પાડનારી કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ સબસિડીમાં રિટાયરમેન્ટ ફંડમાંના ફાળાને બે વર્ષ માટે આવરી લેવાશે. નવા કર્મચારીને નોકરીમાં રાખનારી અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધાયેલી કંપનીને આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ સબસિડી અપાશે.

નિકાસને પ્રોત્સાહન આપવા એક્ઝિમ બેંકને રૂપિયા ૩,૦૦૦ કરોડ ફાળવાશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશ હવે કોરોનાને કારણે આવેલી મંદીમાંથી બહાર આવી રહ્યો છે અને દેશની ઈકોનોમી રીકવર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે આંકડાઓ જોઈએ તો જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ ટકા વધીને રૂ. ૧.૦૫ લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે પીએમઆઇ ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ૩૫.૩૭ અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારે રૂ. ૧૮૦૦૦ કરોડ વાપરશે જેનાથી ૧૨ લાખ નવા ઘરો બનાવવામાં મદદ મળશે.

નાણાં પ્રધાને દેશમાં કોવિડ-૧૯ની રિકવરીને પહોંચી વળવા માટે મદદ કરવા નવી રાહત અને પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. મે, ૨૦૨૦થી કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાહત આપવામાં આવી છે, તે રાહતની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

સીતારામને કહ્યું હતું કે વિદેશી હુંડિયામણની અનામત ૫૬૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એફડીઆઇ ૩૫.૩૭ અબજ ડોલર રહ્યું હતું જે વાર્ષિક ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મુખ્ય અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું હતું કે રિકવરી માત્ર માંગથી જ નહીં, પણ મજબૂત આર્થિક વૃદ્ધિમાંથી પણ આવશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં પીએમઆઇ ૫૮.૯ ઉપર પહોંચી ગયો. જે સપ્ટેમ્બરમાં ૫૪.૬ ની સપાટીએ હતો.

વીજ વપરાશમાં વધારો અને બજારનું મજબૂત પ્રદર્શન સુધારણાના કેટલાક સંકેતો છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી આર્થિક સુધારા દેખાય છે.

સ્વનિર્ભર ભારત અભિયાન-૧ અંતર્ગત કેટલીક બાબતોમાં પર પ્રગતિ જોવા મળી રહી છે. વન નેશન વન રેશનકાર્ડ આમાં અગ્રણી છે. તેનો અમલ પહેલી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૬૮.૬ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

ઇન્ટ્રા સ્ટેટ પોર્ટેબિલીટી હેઠળ ૧.૫ કરોડ માસિક વ્યવહારો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ યોજના હેઠળ ૨૬.૬૨ લાખ લોનની અરજીઓ મળી છે. તેમાંથી ૧૩.૭૮ લાખ એપ્લિકેશન હેઠળ ૩૦ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧,૩૭૩.૨૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં ૧૮૩ લાખ અરજીઓ આવી છે. બેંકોએ આ અંતર્ગત ૧૫૦ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બેંકે બે તબક્કામાં ૧,૪૩,૨૬૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ૨૧ રાજ્યો દ્વારા કુલ ૧,૬૮૧.૩૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નાબાર્ડ દ્વારા ૨૫ હજાર કરોડનું વધારાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યું છે. આ ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગ છે.

અહેવાલો અનુસાર સરકાર મુશ્કેલીમાં હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આના માધ્યમથી તે અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરશે. કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં ૧૦ સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઇ)ના અમલીકરણને મંજૂરી આપી છે. પીએલઆઇ હેઠળ આવતા પાંચ વર્ષમાં ૧.૪૬ લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૭ હજાર કરોડની મહત્તમ પ્રોત્સાહન પ્રાપ્ત કરનારા ક્ષેત્રોમાં ઓટો અને ઓટોમોબાઈલ ક્ષેત્ર હોઈ શકે છે.

આ સિવાય જે ક્ષેત્રોને લાભ થશે તેમાં એડવાન્સ સેલ કેમિસ્ટ્રી, બેટરીઓ, ફાર્મા, ફૂડ પ્રોડકટ્સ અને વ્હાઇટ ગુડ્સ સામેલ છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વધારાના ઉત્પાદન પર કંપનીઓને પ્રોત્સાહન આપશે અને તેમને નિકાસ પણ કરશે. ગયા મહિને, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે સરકાર ઘરેલું ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન લાવશે.

રાહત પેકેજ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ તે છે કે વધુને વધુ લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવી તેના ઉપર રાહત પેકેજમાં મહત્ત્વની જાહેરાત હોઈ શકે છે. આ માટે સરકાર પ્રોવિડન્ટ ફંડમાં ૧૦ ટકા સબસિડીની જાહેરાત કરી શકે છે.

બીજા પગલાં તરીકે સરકાર કે.વી. કામત સમિતિ દ્વારા દબાણ અને મુશ્કેલી હેઠળ તમામ ૨૬ ક્ષેત્રો માટે ઇમર્જન્સી ક્રેડિટની વ્યવસ્થા કરી શકે છે. વિવિધ ક્ષેત્ર માટે વિવિધ રાહત આપી શકાય છે.

November 11, 2020
backtoschool.png
1min4990

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા 23 નવેમ્બરથી સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે, સ્કૂલે આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહીં હોય. સ્કૂલો શરુ થાય ત્યારે આચાર્યએ તમામ તકેદારી રાખવાની રહેશે તેમ પણ સરકાર દ્વારા જણાવાયું છે.

સ્કૂલો દ્વારા રોજેરોજ શિક્ષકોના ટેમ્પ્રેચર પણ લેવામાં આવશે. આ સિવાય બાળકને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓની લેખિત મંજૂરી પણ ફરજિયાત બનાવાઈ છે. સ્કૂલો ઉપરાંત, પીજી, મેડિકલ, પેરામેડિકલ કોલેજ અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરુ કરાશે.

ઠંડીમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા વચ્ચે સ્કૂલો શરુ કરવાના નિર્ણય સામે કચવાટ જોવા મળી રહ્યો છે.

November 10, 2020
bjp_logo.png
1min5520

ગુજરાતમાં ફરી BJPનું કેસરીયા રોલર ફરી વળ્યું :

ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે તમામ આઠેય બેઠકો પર વિજય મેળવીલીધો છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ’

સી.આર. પાટીલે જણાવ્યું કે ‘કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીની કામ કરવાની જે રીતની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે’

કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ હતી. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી અને ટ્વીટરમાં આ બાબતે પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.

November 9, 2020
breaking_CIA-1280x831.jpg
1min8030

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનના આજે તા.9મી નવેમ્બરે અંતિમ દિવસે સાંજે 7 કલાકે પ્રવેશ સમિતિએ મહત્વની જાહેરાત કરી છે.

મેડીકલ અને પેરામેડિકલ એડમિશનના નિયમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આપેલી માર્ગદર્શક સૂચનાનું પાલન કરતા આ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે.

એડમિશ કમિટીની વેબસાઇટના હોમ પેજ પર મૂકવામાં આવેલી સૂચના મુજબ 2017માં ધો.10 ગુજરાત રાજ્યની બહારથી પાસ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યા ન હતા. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન થતાં ગુજરાત હાઇકોર્ટે ફક્ત આ વર્ષ માટે જેમણે ધો.10 ગુજરાત બહારના રાજ્યોમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને અન્ય નિયમોની પૂર્તતાની શરતે પ્રવેશ કાર્યવાહીમાં સમાવવા માટે સૂચના આપી છે.

એડમિશન કમિટીના હોમપેજ પર રજૂ કરાયેલી સૂચનાનો સ્ક્રીન શોટ

નવા નિયમનું નોટિફિકેશન તા.9મી નવેમ્બરે જાહેર કરાયું

Online Registration પ્રક્રિયા લંબાવવામાં આવી, તા.10મી નવેમ્બર સુધી રજિસ્ટ્રેશ થઇ શકશે

November 9, 2020
carlos-g-valls.jpeg
1min1094

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ફાધર કાર્લોસ જી. વાલેસને સવાયા ગુજરાતી તરીકે સંબોધવા પડે. કેમકે તેઓ જન્મે અને નખશીખ સ્પેનિશ (સ્પેન દેશના) પણ કર્મે અસ્સલ ગુજરાતી, કેમકે ગુજરાતમાં રહ્યા, કર્મભૂમિ ગુજરાતી બનાવી, ગુજરાતી ભાષામાં 75 જેટલા પુસ્તકો લખ્યા અને ક્યારેય બેસ્ટ સેલરનો દાવો કર્યો નહીં આ છતાં આજેય એ પુસ્તકોની લોકપ્રિયતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી જોવાયો, એવા સવાયા ગુજરાતી ફાધર વાલેસનું આજે તા.9મી નવેમ્બર 2020ના રોજ તેમના મૂળ વતન સ્પેન ખાતે નિધન થયાના સમાચારે ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી દીધી છે.

મૂળ સ્પેનના ફાધર કાર્લોસ જી. વાલેસે ગુજરાતીમાં 75 પુસ્તકો લખ્યા છે અને બેસ્ટ સેલરનો એકેય દાવો કર્યો ન હોવા છતાં આજેય એ પુસ્તકો લોકપ્રિય

ફાધર વાલેસે ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી એ પછી તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનેક પુસ્તકોનું પ્રદાન કર્યું.

ગુજરાતી સાહિત્યમાં ફાધર વાલેસે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેઓ નિવૃત્તિ બાદ વતન સ્પેન પરત ફર્યા હતા. કાર્લોસ જી વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.

November 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7760

આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.

દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.

8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું

https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.

November 6, 2020
whasapppay.jpg
4min8540

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.

NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.

જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે

National Payments Corporation of India NPCI

National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.

How to Make a Payment Using WhatsApp In-Chat Payment?

To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.

Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):

Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon

Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions

Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.

Features and Benefits of WhatsApp In-Chat Payment

  • Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
  • User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
  • The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
  • There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
  • The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature

November 6, 2020
rcbvssrh.jpg
1min5950

સનરાઇઝર્સ હૈદરાબાદ SRHનો સામનો આઇપીએલના એલિમિનેટર મેચમાં Today 6/11/2020 શુક્રવારે RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધ થશે. ત્યારે સનરાઇઝર્સને નજર વિજયક્રમ જાળવી રાખીને ફાઇનલ તરફ આગેકૂચ કરવા પર હશે.

RCBનું લક્ષ્ય પાછલા ચાર મેચની હાર ભૂલીને નોકઆઉટ મુકાબલામાં જીત મેળવીને ફાઇનલની આશા જીવંત રાખવાનું રહેશે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત છતાં હૈદરાબાદની ટીમ આખરી તબક્કે શાનદાર દેખાવ કરીને પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને રહીને ક્વોલીફાય થયું છે. ટૂર્નામેન્ટના આખરી તબક્કામાં બન્ને ટીમનું પ્રદર્શન એક-બીજાથી વિપરિત હતું. એક તરફ આરસીબી સતત ચાર મેચ હારીને ચોથા સ્થાને રહીને ક્વોલીફાય થયું તો હૈદરાબાદે આખરી ત્રણ મેચમાં દિલ્હી, બેંગ્લોર અને મુંબઇ જેવી ટોચની ટીમને હાર આપી છે. આખરી મેચમાં મુંબઇ સામેની 10 વિકેટની જીતથી વોર્નરની ટીમ આત્મવિશ્વાસના શિખર પર છે.

સનરાઇઝર્સનો સુકાની ડેવિડ વોર્નર 14 મેચમાં પ29 રન કરી ચૂકયો છે. જયારે તેનો સાથીદાર રિધ્ધિમાન સાહા ત્રણ મેચમાં 184 રન કરી ચૂકયો છે. બન્નેની જોડી હૈદરાબાદને સારો પ્રારંભ આપી રહી છે. મીડલ ઓર્ડરમાં હૈદરાબાદ પાસે મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર અને જેસન હોલ્ડર છે. તેના બોલરો સંદિપ શર્મા, જેસન હોલ્ડર, ટી. નટરાજન, રાશિદ ખાન, શાહબાજ નદીમ સારા ફોર્મમાં છે. હૈદરાબાદની આ બોલિંગ લાઇન અપ વિરાટ કોહલી એન્ડ કું. પર ભારે પડી શકે છે.

November 6, 2020
diwali-fire-crackers-vectors-1.jpg
2min8200

હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારમાં ફટાકડાની ભારે ધૂમ હોય પરંતુ, કહેવાતા સિદ્ધાંતવાદીઓ, પર્યાવરણવાદીઓ હવે દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની પેરવી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે મુંબઇ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે રાજ્યોએ તો ફટાકડા પર પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાતમાં સરકારે આ અંગે કશો ફોડ પાડ્યો નથી એનો અર્થ એ સમજવો કે ગુજરાતમાં ફટાકડા ફૂટશે.

મુંબઇ

દિવાળીના તહેવારમાં પણ કોરોનાના આંતકનો ઓછાયો રહેવાનો હોઈ દિવાળીની ઉજવણી દરમિયાન મરિન ડ્રાઈવ, જુહૂ, વરલી સી ફેસ જેવા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડવા સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકા એક સ્ટાર્ન્ડ ઑપરેટિંગ પ્રોસેજર (એસઓપી) બહાર પાડવાની છે, તે મુજબ મર્યાદિત માત્રામાં ફટાકડા ફોડી શકાશે. જોકે સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડનારા સામે મુંબઈ પોલીસની મદદથી મુંબઈ મહાનગરપાલિકાએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાએ પગલે આ વર્ષે તમામ તહેવારો સાદગીપૂર્વક ઊજવવામાં આવ્યા છે ત્યારે હિંદુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીને પણ સાદાઈપૂર્વ ઊજવવાની રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને નમ્ર વિનંતી કરી છે. તેથી દર વર્ષની માફક ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવી જવાનું છે. પાલિકા આગામી બે દિવસમાં ફટાકડા ફોડવા માટે નિયમાવલી જાહેર કરશે. આ દરમિયાન ફટાકડા ફોડતા સમયે સૅનિટાયઝરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે એવું એડિશન મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

નવી દિલ્હી

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મુકાયો હતો. પ્રદૂષણ વધવાને કારણે દિલ્હીની પરિસ્થિતિ વણસી રહી હોવા વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકોને આ વરસે દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડવાની અને ‘આપ’ સરકાર દ્વારા યોજવામાં આવનારા લક્ષ્મીપૂજનના કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળ

કોલકાતા હાઈ કોર્ટે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ બંગાળમાં મા કાલી પૂજા, જગદધાત્રી પૂજા અને છઠ પૂજા સહિતના હિન્દુ તહેવારો દરમિયાન ફટાકડા વેચવા તથા ફોડવા પર ગુરુવારે પ્રતિબંધ મૂક્યો હતો.

ન્યાયાધીશો સંજીબ બૅનરજી અને અરિજીત બૅનરજીની ડિવિઝન બેન્ચે બે જાહેર હિત અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ જાહેર કર્યો હતો. કાળી પૂજા ૧૫મી નવેમ્બરે છે.

અદાલતે એવો પણ આદેશ બહાર પાડ્યો હતો કે ‘આ પ્રતિબંધ જગદધાત્રી, છઠ પૂજા તથા કાર્તિક પૂજા દરમિયાન પણ લાગુ પડશે. દુર્ગા પૂજા દરમિયાન મંડપમાં પ્રવેશની મનાઈ જેવા માર્ગદર્શિકાઓ પણ કાલી પૂજા દરમિયાન લાગુ પડશે.

દુર્ગા પૂજા દરમિયાન અદાલતની માર્ગદર્શિકાઓનો અસરદાર અમલ કરવા બદલ ન્યાયમૂર્તિઓની બેન્ચે રાજ્ય સરકારને બિરદાવી હતી અને પોલીસને આદેશ આપ્યો હતો કે કાલી પૂજા દરમિયાન પણ પ્રતિબંધ સહિતના નિયમો બરાબર લાગુ પડે એની તકેદારી રાખજો.

કાલી પૂજા દરમિયાન ૩૦૦ ચોરસ મીટરના મંડપમાં ૧૫ લોકોને અને વધુ મોટા વિસ્તારના મંડપમાં ૪૫ લોકોને પ્રવેશવાની છૂટ મળશે. અદાલતે વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Hariyana

The Haryana government on Monday declared possession and sale of imported firecrackers as illegal and punishable in the state. Deputy commissioners of all the districts have been directed to be vigilant in this regard and take strict action against the sale and distribution of imported firecrackers.

Additionally, they have also been asked to ensure there is no storage of imported firecrackers by conducting the inspection of all the establishments and taking preventive actions.

November 5, 2020
ipl.jpeg
1min507

મુંબઇ ઇન્ડિયન્સની મજબૂત ટીમ અને આઇપીએલની વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કરનાર દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ગુરૂવારે ફાઇનલમાં પહોંચવા માટે પહેલા ક્વોલીફાયરમાં કાંટે કી ટક્કર થશે. લીગ રાઉન્ડના બન્ને મેચમાં મુંબઇએ દિલ્હીને હાર આપી છે. આથી આવતીકાલના મેચમાં પણ તે ફેવરિટ માનવામાં આવે છે. જો કે સુકાની રોહિત કહે છે કે તે ઇતિહાસ છે. અહીં પહોંચ્યા બાદ જે સારો દેખાવ કરશે તેને જીત મળશે.

આ મુકાબલાની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે. જ્યારે પરાજીત ટીમને આ માટે વધુ એક તક મળશે. કારણ કે બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર પહેલા-બીજા સ્થાને છે.

આઇપીએલની ચાર વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ ટીમને લીગ રાઉન્ડમાં હાર આપવી કોઇ ટીમ માટે આસાન ન હતી, પણ મંગળવારના મેચમાં હૈદરાબાદના હાથે 10 વિકેટે મળેલી હારથી ચેમ્પિયન ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે.

બીજી તરફ પોતાના પહેલા ખિતાબ માટે ઝઝુમી રહેલી દિલ્હી કેપિટલ્સ સતત ચાર મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મુકાબલામાં બેંગ્લોરને પરાજીત કરીને નંબર ટૂ ટીમ બની છે. આ જીતથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. મુંબઇની ટીમ માટે સકારાત્મક વાત એ છે કે તેનો કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી ચૂકયો છે. હેમસ્ટ્રિંગને લીધે તે ચાર મેચ રમી શકયો ન હતો. જો કે આ સ્ટાર બેટ્સમેન હૈદરાબાદ સામે પ રન જ કરી શકયો હતો. મુંબઇ પાસે સારી બેટિંગ લાઇન અપ છે. યુવા ઇશાન કિશન (428 રન) તેનો મહત્ત્વનો બેટધર બનીને ઉભરી આવ્યો છે. કિવંટન ડિ’કોક (443 રન) તેની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ (410 રન) શાનદાર ફોર્મમાં છે. જ્યારે કિરોન પોલાર્ડ, હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બિગ હિટર છે.

સુકાની રોહિત શર્મા દબાણગ્રસ્ત મેચનો મોટો ખેલાડી ગણાય છે. મુંબઇની બોલિંગને જસપ્રિત બુમરાહ (23 વિકેટ) અને ટ્રેંટ બોલ્ટ (20 વિકેટ) ધારદાર બનાવે છે. આ બન્નેને હૈદરાબાદ વિરૂધ્ધ વિશ્રામ અપાયો હતો.

બીજી તરફ દિલ્હી તરફથી અનુભવી શિખર ધવન (પ2પ રન) શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે તેને બીજા બેટ્સમેનો તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. દિલ્હીની ચિંતા પૃથ્વી શો અને ઋષભ પંતના નબળા ફોર્મની છે. સુકાની શ્રેયસ અય્યર (421 રન) લીગ રાઉન્ડના બીજા તબક્કામાં ચમકદાર દેખાવ કરી શકયો નથી. વિદેશી ખેલાડી હેટમાયર અને સ્ટોઇનિસે મહત્ત્વના મેચમાં ફોર્મ બતાવવું પડશે. રબાડા (2પ વિકેટ) અને નોત્ઝે (19 વિકેટ) સાથે સારી બોલિંગ કરી રહ્યા છે. આ આફ્રિકી જોડી દિલ્હી માટે હુકમના એક્કા સમાન છે.