CIA ALERT

Slider Archives - Page 188 of 486 - CIA Live

October 12, 2020
mumbai.jpeg
1min5140

મુંબઇમાં ઇલેક્ટ્રીસિટી સપ્લાયનો ઇજારો ધરાવતી કંપની, બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી

ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર, તા.12મી ઓક્ટોબરે સવારથી જ ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થઈ ગયો છે. એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ નોર્મલ છે પરંતુ, ટ્રેન વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે.

mumbai power cut no electricity across mumbai due to grid failure adani power latest news updates

સમગ્ર મુંબઈમાં પ્રત્યેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેમાં પણ પાવર કટનો મેજર પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.

ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાને કારણે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ચૂક્યું છે. કચેરીઓમાં કામકાજ થંભી ગયા છે.

અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.

ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.

October 12, 2020
beaches-1280x720.jpg
5min9260

Jayesh Brahmbhatt 98253 44944

ભારતના આઠ જુદા જુદા બીચીસ (દરિયા કિનારાઓ)ને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યા છે. આ બીચ સહેલગાહ માટેના તમામ ધારાધોરણો તેમજ પર્યાવરણની દ્રષ્ટીએ શ્રેષ્ઠ પરિસ્થિતિ ધરાવી રહ્યા છે. ભારતના આ આઠ બીચને એટલા માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશનથી નવાજવામાં આવ્યા છે કેમકે અહીં ક્લીન (સ્વચ્છતા), ગ્રીન (પર્યાવરણ) અને સેફ્ટી (સલામતિ)ના ધારાધોરણો અપટુ ડેટ છે.

વાંચો શું છે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન

The ‘Blue Flag‘ is a certification that can be obtained by a beach, marina, or sustainable boating tourism operator, and serves as an eco-label.

The beaches that have been awarded the Blue Flag are

  • Shivrajpur (Gujarat),
  • Ghoghla (Diu),
  • Kasarkod and Padubidri (Karnataka),
  • Kappad (Kerala),
  • Rushikonda (Andhra Pradesh),
  • Golden (Odisha) and
  • Radhanagar (Andaman & Nicobar Islands)
  • Radhanagar (A&N Islands)

PM મોદી સાહેબે પણ કર્યું ટ્વીટ, 8 દરિયા કિનારાને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળવું પ્રતિષ્ઠાસભર

India becomes the first country to be awarded coveted international #BlueFlag certification for 8 of its beaches in one attempt.

ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ

Image

દિવનો ઘોઘલા બીચ

Ghoghla Beach, , India: View Images, Timing and Reviews | Tripoto

કર્ણાટકનો કસરકોડ બીચ

Sirsi Attractions: Kasarkod Beach

કપ્પડ બીચ, કેરેલા

Kappad Beach in Calicut- Photos and When to Go

રુષિકોંડા બીચ, આંધ્રપ્રદેશ

Rushikonda Beach Vizag (Location, Activities, Night Life, Images, Facts &  Things to do) - Vizag Tourism 2020

પદુબિદ્રી બીચ, કર્ણાટક

Padubidri beach bags Blue Flag certification | Deccan Herald

ગોલ્ડન બીચ, ઓરિસ્સા

Golden Beach of Odisha - Golden Beach of Odisha, Holidays to Odisha

રાધાનગર બીચ, આંદામાન નિકોબાર

Radhanagar Beach, (Havelock Island) | Things to Do, Hotels, Photos
October 12, 2020
bjp_logo.png
1min6300

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે આજે લીંબડી સિવાય 7 બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે, ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે 3 નવેમ્બરે યોજાનારી છે, અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

7 બેઠક પર ઉમેદવારનું નામ જાહેર
અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડા- આત્મારામ પરમાર
કરજણ- અક્ષય પટેલ
ધારી- જે.વી. કાકડીયા
મોરબી- બ્રિજેશ મેરજા
ડાંગ- વિજય પટેલ
કપરાડા- જીતુ ચૌધરી

October 12, 2020
gujrat-012.jpg
1min5050

ગુજરાત રાજ્યમાં કુલ ૭૭ જાહેર સાહસો છે, જે પૈકી ૧૧ જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે.

કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, ૧૫ જાહેર સાહસોએ રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટ કરી છે, જયારે ૪૪ જાહેર સાહસોએ ૨૪૮૭.૨૮ કરોડનો નફો કર્યો છે.

ગુજરાતમાં કાર્યરત ૭૭ જાહેર સાહસોમાં રૂ.૧૪૨૮૮૦.૭૯ કરોડનુુ રોકાણ છે. આ જાહેર સાહસાનીે અંદાજીત સહાય રૂ.૮૧૫૦,૭૯ કરોડ અને રૂ.૯૯૫૩.૮૩ કરોડ હતી.

કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે, આ કુલ જાહેર સાહસો પૈકી ૧૫ જાહેર ઉપક્રમોએ રૂ.૨૫૬૯.૬૪ કરોડની ખોટ કરી હતી જયારે ૧૫ જાહેર સાહસો રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટમાં રહ્યાં હતાં. કાર્યરત ૬૧ જાહેર ઉપક્રમો પૈકી ૩૯ જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં.

કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, ૫૭ જાહેર ઉપક્રમોમાંથી ૪૭ ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના ૨૧ ઉપક્રમોએ હિસાબી ધોરણોનુુંય પાલન કર્યુ નહોતું. આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે.

October 12, 2020
m2.jpg
1min5120
Peanut

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના તમામ વર્ષોના ઉત્પાદનોનો વિક્રમ તૂટશે. આ વર્ષે મબલખ ઉત્પાદનને પગલે ધીંગી આવક પણ શરૂ થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં એક લાખ ગૂણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના ૨૦ કિલોના ૬૦૦થી ૧૦૦૧ સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે ૧ લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે.

October 12, 2020
gst.jpg
1min4850

જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં સતત ત્રીજી વખત જીએસટી વળતરનો મુદ્દો ચર્ચાશે.

ભાજપ શાસિત રાજ્યોએ તો કેન્દ્ર સરકારે આપેલી નાણાં ઉધાર લેવાના પર્યાયને સ્વીકારી લીધો છે, પણ કેટલાક બિનભાજપ શાસિત રાજ્યો આ મામલે સહમતિ સધાય એ માટે પ્રધાનોની પેનલ રચવાની માગણી કરી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનોવાળી કાઉન્સિલ સામાન અને સેવા કર (જીએસટી)માં લૉકડાઉનને લીધે આવેલા તોટાની ભરપાઇ વિશેના મુદ્દે સતત ત્રીજી વખત ચર્ચા કરશે.

જોકે, ભાજપશાસિત રાજ્યો ઉધાર નાણાં લેવાનો પર્યાય પોતે સ્વીકાર્યો હોવાથી તેઓ ઝડપથી નાણાં મેળવી શકે એ માટે મંજૂરી માગી રહ્યા છે.

કાઉન્સિલની ૪૩મી બેઠકમાં આગળ કઇ રીતે વધવું એ એક જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગત સપ્તાહની બેઠક દરમિયાન કાઉન્સિલે કાર અને તમાકુ ઉત્પાદનો જેવા લક્ઝરી સામાનના કર પર સરચાર્જ જૂન ૨૦૨૨ બાદ વધારવાનો નિર્ણય લીધો હતો, પણ વળતરને મામલે સહમતિ સધાઇ શકી નહોતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વળતરનો અંદાજ રૂ. ૨.૩૫ લાખ કરોડનો આંકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઑગસ્ટમાં રાજ્યોને બે પર્યાય આપ્યા હતા – એક રિઝર્વ બૅન્કની ખાસ બારી મારફત રૂ. ૯૭૦૦૦ કરોડ અથવા માર્કેટમાંથી રૂ. ૨.૩૫ લાખ કરોડ ઉધાર લેવા. આ સાથે કેન્દ્ર સરકારે લીધેલી રકમ પાછી આપી શકાય એ માટે લકઝરી, ડિમેરિટ અને અન્ય વસ્તુઓ પર વળતરની સેસ ૨૦૨૨ બાદ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યોની માગ અનુસાર રકમ વધારીને રૂ. ૧.૧૦ લાખ કરોડ કરવામાં આવી હતી.

ભાજપ અને ભાજપને ટેકો આપતા ૨૧ રાજ્યએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ પૂરી કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ છૂટા કર્યા છે.

October 12, 2020
trains.jpg
1min4950

રેલવેએ તેની સુપરફાસ્ટ ટ્રેનોને એપગ્રેડ કરતાં 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધુ ઝડપે જતી ટ્રેનોમાં સ્લીપર કોચ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. આ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે માત્ર એસી કોચ લાગશે. આ કોચ ઇકોનોમિકલ અને વધારે અનુકૂળ કોચ હશે. 

રવિવારે આ અંગેની જાહેરાત કરતા રેલવે વિભાગે જણાવ્યુ કે આ નિર્ણય માત્ર સુપરફાસ્ટ ટ્રેનો માટે લેવામાં આવ્યો છે અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર કોચ રહેશે. 

રેલવેનું કહેવુ છે કે જ્યાં પણ ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધુ છે ત્યાં એસી કોચ ટેકનીક જરુરી નીવડે છે. રેલવે એના નેટવર્કને હાઇ સ્પીડમાં અપગ્રેડ કરવાના મોટા પ્રોજક્ટ પર કાર્યરત છે. સ્વર્ણિમ ચતુર્ભુજ એને કર્ણ રેખા પર ટ્રેકને 130 કિમીથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

વર્તમાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જેવી કે શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, આ ટ્રેનોનો રૈક 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. 

નવા કોચને કપૂરથલા સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 72ની જગ્યાએ હવે 83 સીટો હશે. 

October 11, 2020
CIA_Live_Logo_New2.jpg
5min8270

Jayesh Brahmbhatt 98253 44944

આમ તો દેશભરમાં એવી હવા વહેતી થઇ છે કે મેડીકલ ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2020નું પરીણામ તા.12મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થશે. જોકે, પરીક્ષા લેનાર સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સત્તાવાર રીતે (તા.11 ઓક્ટોબર સવારે 10 વાગ્યા સુધી) કોઇ ફોડ હજુ સુધી પાડ્યો નથી. આમ છતાં નીટ 2020ના પરીણામની ઘડીઓ ગણાવાનું શરૂ થઇ ચૂક્યું છે. જોકે, ગયા વર્ષના પરીણામ અને આ વર્ષના પરીણામમાં ખાસ્સો ફેર જોવા મળે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.

નીટ 2020 પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સ્પર્શે એવી કેટલીક ઉપયોગી માહિતી ટીપ્સ અહીં રજૂ કરી રહ્યા છીએ.

આ વર્ષે ડ્રોપ આઉટ લેનારાઓની સંખ્યા વિક્રમી રીતે વધવાના સંકેતો નીટ પરીક્ષા અંગે એન.ટી.એ. એ જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કી જોયા પછી જ મળવાના શરૂ થઇ ગયા છે. કેમકે પરીક્ષાર્થીઓએ જે પ્રશ્નપત્ર આપીને બહાર આવ્યા બાદ જે ગણતરીઓ કરી હતી એ ઉંધી પડી છે. સાથોસાથ એવું પણ બન્યું છે કે અમૂક સેટના પ્રશ્નપત્રો સહેલા હતા જેમાં વિદ્યાર્થીઓ સારા માર્કસ ખેંચી લાવશે તો કોમ્પિટીશનનું લેવલ પણ વધશે. કોવીડ-19ની સ્થિતિના કારણે કથળેલી આર્થિક વ્યવસ્થાની આડઅસર રૂપે પણ અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ લેવાનું વિચારતા હતા એ હવે ફેરવિચારણાના લેવલ પર આવી ચૂક્યા છે. આવા અનેક કારણોથી ડ્રોપ આઉટનું લેવલ વધે તેવી શક્યતા જોવાય રહી છે.

  • તા.11મી ઓક્ટોબર 2020ના રોજ રવિવારે એન.ટી.એ. નીટ પરીક્ષાના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સરકી જાહેર કરે તેવી સંભાવના છે. તા.12મી ઓક્ટોબરે ઓલ ઇન્ડિયા રેન્ક સાથેનું મેરીટ લિસ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.
  • નીટ પરીક્ષાથી દેશભરમાં એમ.બી.બી.એસ., બી.ડી.એસ., આયુષ ડિપાર્ટમેન્ટ સંચાલિત અભ્યાસક્રમો, એઇમ્સ, જીપમેર વગેરેમાં પ્રવેશ મળી શકે.
  • ગુજરાતમાં નીટ પરીક્ષાના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી એમ 5 કોર્સમાં પ્રવેશ મળે છે.
  • દેશભરમાં MBBSની 80,055 સીટ, BDS 26,949 સીટ છે.
  • ગુજરાતમાં હાલ એમ.બી.બી.એસ.ની કુલ 5400 જેટલી સીટો છે, આ વર્ષે વધારાની શક્યતા છે. બીડીએસની 1100 પ્લસ બેઠકો છે.
  • નીટ 2020ની આન્સર કી બાદ જે રીતે સોશ્યલ મિડીયામાં ઉમેદવારો અને તેમના વાલીઓ બળાપો કાઢી રહ્યા છે એ જોતા હજારો વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા પરીણામ અલગ આવશે અને શિક્ષણ સર્વદા, કાઉન્સિલર્સ પ્રિડીકશન વગેરે જોતા આ વખતે નીટના પરીણામથી અસંતોષ વધારે જોવા મળશે અને તેની અસર ડ્રોપ આઉટ રેશીયો વધવા પર પડશે. સેંકડો વિદ્યાર્થીઓ આવતા વર્ષે ફરી નીટ આપવાનું પસંદ કરશે.

admissions to AIIMS and JIPMER will be done on the basis of marks and rank secured by candidates in NEET 2020

2019 Marks vs Rank

Marks rangeRank range
7011
690-68120-88
680-67199-214
670-661223-476
660-651568-930
650-640946-1714
639-6311809-2570
630-6212788-3956
620-6114074-5630
610-6015692-7580
600-5917784-10036
590-58110248-12898
580-57113064-16008
570-56116173-19478
560-55119967-23501
550-54123695-27650
540-53127994-32317
530-52132796-37464
520-51137780-38736
518-50838822-44553
507-49745023-51086
496-48651498-58114
485-47558214-65316
474-46465801-73197
463-45373337-81607
452-44282216-89872
441-43190825-99323
430-42099914-109429
419-409109937-120258
408-398121183-130881
397-387131606-142409
386-376143021-154839
375-365155526-166885
364-354168240-180534
353-343181904-194475
342-330196229-212737
329-319213657-228146
318-308229715-244438
307-297246358-262168
296-286264920-281164
285-275282209-301278
274-264301630-321670
263-253323239-342377
252-242345392-365681
241-231367875-389513
230-220390772-415591
219-209417086-443048
208-198444437-473780
197-187474172-504471
186-176505827-537501
175-165541048-576326
164-154578413-615798
144-134619072-700772
133-123704652-753821
122-112760098-815858
111-101816706-879718
100-90881132-950796
83-731000399-1071321
70-591094305-1168705
58-501174669-1228755
34-181318393-1374142
October 11, 2020
govt_jobs.jpg
1min5650

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

October 11, 2020
coronatest.jpeg
1min5870

ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોના વાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ માત્ર એક ફૂંક મારીને વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ છે કે કેમ તે જાણી શકશે. આ રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે ફાઈનલ સ્ટેજમાં છે અને કેટલાક દિવસોમાં આ ટેકનોલોજી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. આ ટેકનોલોજીથી એક મિનિટથી ઓછા સમયમાં ટેસ્ટના રિઝલ્ટ સામે આવી જશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ જણાવ્યું કે આવનારા સમયમાં ભારત અને ઈઝરાયેલની વચ્ચે તાલમેલ માટે હેલ્થકેર એક મહત્વનું ક્ષેત્ર સાબિત થઈ શકે છે.

ભારત અને ઈઝરાયેલની તરફથી એક સાથે મળીને તૈયાર કરાયેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી ફક્ત એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. આ માટે ટેસ્ટ કરાવનાર વ્યક્તિએ એક ટ્યૂબમાં મોંથી બસ હવા મારવાની જરુરત રહેશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ કહ્યું કે આનાથી 30 થી 50 સેકન્ડમાં પરિણામ ઉપલબ્ધ થઈ જશે. માલ્કોએ કહ્યું કે આના પર ખર્ચ પણ ખૂબ ઓછો આવશે, કારણ કે રિઝલ્ટ માટે સેમ્પલને લેબમાં મોકલવાની જરુરત રહેશે નહીં. ત્યાં જ ક્ષણભરમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવી જશે.