CIA ALERT

Slider Archives - Page 166 of 486 - CIA Live

February 24, 2021
jeemain.png
3min657
JEE Main 2021 Notification (Delayed) Exam Dates, Eligibility, Syllabus,

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.

The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.

The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.

The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.

This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.

Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.

According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.

Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.

February 24, 2021
QT-Motera.jpg
1min367

દુનિયાના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સંકુલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (મોટેરા) ખાતે 24/2/21 બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ડે-નાઇટ મુકાબલો શરૂ થશે. ત્યારે મોટેરાની નવી-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને સંકટમાં મુકવા માટે ટીમ ઇન્ડિયાએ ગુલાબી દડાના પાછલા ભયાવહ દેખાવને ભૂલીને ઉચિત પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પહેલા ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો 36 રનમાં ધબડકો સર્જાયો હતો. આ હાર કેપ્ટન કોહલી અને ટીમને કયાંક ને કયાંક ખટકી રહી હશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ આ મેચ બન્ને ટીમ માટે કરો યા મરો સમાન જેવો છે.

24/2/21 ભારતનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા મોટરાના મેદાન પર તેનો 100મો ટેસ્ટ મેચ રમવા ઉતરશે અને કપિલ દેવ બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. ઇશાંતની ઇલેવનમાં પંસદગી હાલ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે લોકલ બોય જસપ્રિત બુમરાહ હશે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.

સરદાર પટેલ સ્ટેડિયમનું નવિનીકરણ થયું છે. તે હવે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. જો કે અહીં લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. આથી ટીમ ઇન્ડિયા પર સાવધાની સાથે મેદાને પડશે. ભારતીય ટીમ ઇચ્છશે કે અહીંનો ટ્રેક સંપૂર્ણ ઝડપી બોલરોને મદદ આપે તેવો નહીં, પણ સ્પિનરોને પણ મદદ મળે તેવો હોય, જેથી શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી શકે. પરંતુ મોટેરાની નવી પિચનો વ્યવહાર કેવો હશે તે સમય જ કહેશે. રોહિત શર્મા પિચને લઇને તેનો મત સ્પષ્ટ કરી ચૂકયો છે. તેણે કહ્યંy હતું કે અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાંથી અશ્વિન અને અક્ષર જેવા બોલરોને મદદ મળે.’ ઠીક એવી રીતે જે રીતે ઇંગ્લીશ કપ્તાન જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે.

જો કે કેટલાક એવા સવાલ છે જે બન્ને ટીમે શોધવા પડશે. ડે-નાઇટ ટેસ્ટ અને પિન્ક બોલને લીધે સંધ્યાટાણે બન્ને ટીમના બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ થાય છે. મેચ બપોરે 2-30થી શરૂ થવાનો છે. આથી અંતિમ સત્રમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. એ સમયે સ્પિનરો માટે બોલ પર ગ્રીપ બનાવવી મુશ્કેલ બનશે. આ મુદા પર ઇશાંત શર્માએ સ્વીકાર્યું છે કે આ મેચ ડે-નાઇટમાં રમવાનો છે અને નવી પિચ હશે. એટલે અમે પણ જાણતા નથી કે કેમ પાર પાડશું. જો કે ઇંગ્લેન્ડની ટીમનું માનવું છે કે મોટારાની નવી પિચ પાછલા મેચમાં જેવી ચેપોકની પિચ હતી તેવી જ હશે.

ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. તેણે ભારતમાં રમાયેલા ગુલાબી દડાના ટેસ્ટમાં સદી કરી હતી. તે પાછલા એક વર્ષથી સદી કરી શકયો નથી. આથી અમદાવાદમાં તેના બેટમાંથી સદીની મોટી ઇનિંગ નીકળે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત છે. જેમાં ફેરફારને અવકાશ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને તક નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત ક્રાઉલીનો પણ સમાવેશ થઇ શકે છે. એન્ડરસન અને આર્ચર વાપસી કરશે.

ભારતીય ક્રિકેટની અનેક ઉપલબ્ધિઓનું અમદાવાદ સાક્ષી
અમદાવાદ ભારતીય ક્રિકેટની ઘણી ઉપલબ્ધિઓનું સાક્ષી રહી ચૂકયું છે. મહાન સુનિલ ગવાસ્કરે અહીં જ તેના 10000 ટેસ્ટ રન પૂરા કર્યાં હતા. કપિલ દેવે અહીં 83 રનમાં 9 વિકેટ લઇને તેનું સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોં હતો. બાદમાં રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ કપિલે અમદાવાદમાં જ તોડયો હતો. સચિન તેંડુલકરે તેની પહેલી બેવડી સદી અહીં જ ફટકારી હતી, તો રવિચંદ્રન અશ્વિન પાસે અહીં તેની 400 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક છે. આ માટે તેને 6 વિકેટની જરૂર છે.

February 24, 2021
mamta_benerji.jpg
1min1246
CBI sleuths question TMC MP Abhishek Banerjee's wife in coal scam case |  Hindustan Times

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને હાલ ભારે હલચલ થઈ રહી છે. અભિષેકના દરવાજે સીબીઆઈના ટકોરા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ભત્રીજાને મળવા દોડી ગયા હતા.

કોલસા કૌભાંડમાં સીબીઆઈએ તપાસ માટે તાજેતરમાં સમન્સ પાઠવ્યા બાદ અભિષેકના પત્ની રૂજિરાની પૂછપરછ માટે સીબીઆઈ કોલકતા ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ પહેલા સીબીઆઈએ રૂજિરાની બહેન એટલે કે અભિષેકની સાળી મેનકા ગંભીરના ઘરે પહોંચી તેની 3 કલાક પૂછપરછ કરી હતી. રૂજિરાએ સીબીઆઈ નોટિસના જવાબમાં કહ્યંy હતું કે તે પૂછપરછ માટે હાજર થવા તૈયાર છે. એક પત્ર પાઠવી તેમણે સીબીઆઈને ર3 ફેબ્રુઆરીએ સવારે 11 થી બપોરે 3 સુધી પોતાના નિવાસ સ્થાને આવવા જાણ કરી હતી. જેથી મંગળવારે એક તરફ સીબીઆઈની ટીમ અભિષેકના ઘેર પહોંચી તો બીજી તરફ મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા.

February 23, 2021
coronaupdate.jpg
1min365

ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.

22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.

ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.

February 22, 2021
mohandelkar.jpg
1min411
Image result for hotel sea green south marine drive mumbai mohan delkar

સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનેલા સેલવાસના સાંસદ શ્રી મોહનભાઇ ડેલકરના મૃત્યુના સમાચાર બાદ બહાર આવેલી માહિતી મુજબ દક્ષિણી મુંબઇના મરીન ડ્રાઇવ ખાતે આવેલી હોટેલ સી ગ્રીન એક રૂમમાંથી તા.22મી ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાના અરસામાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસેથી ગુજરાતી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.

મોહન ડેલકર મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને તેમણે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી છે.

મોહન ડેલકરનો મૃતદેહ અંગે જાણ થતાં જ તેમના પરિવારજનો સેલવાસથી મુંબઇ જવા રવાના થઇ ચૂક્યા હતા. 58 વર્ષિય મોહન ડેલકર તેમની પાછળ તેમના પત્ની કલાબેન અને બે સંતાનો અભિનવ અને દિવિતાને વિલાપ કરતા છોડી ગયા છે. મોહન ડેલકર સેલવાસની લોકસભા બેઠક પરથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ 1989થી સેલવાસ બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

  • દક્ષિણી મુંબઈના મરિન ડ્રાઈવ પર આવેલી હોટેલ સી ગ્રીનમાંથી મળ્યો ડેલકરનો મૃતદેહ
  • અપક્ષ સાંસદ હતા ડેલકર, ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે
  • ડેલકરે ભારતીય નવશક્તિ પાર્ટીની પણ સ્થાપના કરી હતી

February 22, 2021
sensex_down.jpg
1min371

આજે સવારે માર્કેટ ખૂલ્યું ત્યારે પાછલી બંધ સપાટી કરતાં સાવ સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, થોડા જ સમયમાં વેચવાલી નીકળતા તેમાં કડાકો બોલાયો હતો, માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ 1145 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,744ની સપાટી પર બંધ થયો હતો.હજુ ગયા અઠવાડિયે જ 52,516નો ઓલટાઈમ હાઈ બનાવનારા સેન્સેક્સમાં માત્ર ચાર જ ટ્રેડિંગ ડે માં 2500 પોઈન્ટ્સનો જંગી ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે, અને મહારાષ્ટ્રના અમરાવતીમાં તો લોકડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ આવશે કે કેમ તે ભીતિએ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ શેર્સ અનુક્રમે 4.85 અને 4.28 ટકાના ઘટાડા સાથે 946 અને 838 રુપિયાના સ્તરે બંધ થયા હતા. જ્યારે ડૉ. રેડ્ડીમાં 4.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેર 4487 રુપિયાની સપાટી પર બંધ થયો હતો.

આ સિવાય બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસિન્ડ બેન્કમાં 3.95, એક્સિસમાં 3.54, એચડીએફસીમાં 2.94, એસબીઆઈમાં 2.79 ટકાના ઘટાડાનો સમાવેશ થાય છે. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસમાં પણ અનુક્રમે 3.87 ટકા, 2.61 ટકા અને 3.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં બજેટ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે, અને ખાસ કરીને બેંકોના શેર્સ નવી જ ઉંચાઈ પર પહોંચ્યા છે. બજારનું હાલનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હોવાનું જાણકારો અનેકવાર કહી ચૂક્યા છે, પરંતુ તેમાં કરેક્શન ક્યારે આવશે તે અંગે કોઈ કશુંય સ્પષ્ટ રીતે કહેવા માટે તૈયાર નથી. હાલ માર્કેટમાં ચંચળતા પણ ખૂબ જ જોવા મળી રહી હોવાથી નાના રોકાણકારોને કોઈ લોંગ પોઝિશન ના લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે.

February 22, 2021
surat-women.jpg
1min642
Symbolic Photo

50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકામાં મતદાન માટે મહિલાઓ ઉદાશીન

Jayesh Brahmbhatt 9825344944

50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે પૂર્ણ થયેલા મતદાનના આંકડાનું વિશ્લેષણ કરતા એવી હકીકત સપાટી પર આવી છે કે મહિલાઓમાં મતદાન બાબતે ભારે ઉદાશીન વલણ જોવા મળ્યું છે. 30 વોર્ડ પૈકીના 10 ટકા એટલે ફક્ત 3 વોર્ડમાં જ મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી વધુ નોંધાયું છે. બાકીના 27 વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી 5થી 20 ટકા જેટલું નીચું નોંધાયું છે.

જે સુરતના જે ત્રણ વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ નોંધાયું છે એ તમામ શ્રમજીવી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.

  • અલથાણ, બમરોલી અને વડોદ મ્યુનિસિપલ વોર્ડ નં. 29માં 41.40 ટકાના પુરુષ મતદાનની સામે મહિલાઓનું મતદાન 43.20 ટકા નોંધાયું છે.
  • પાંડેસરા-ભેસ્તાન મ્યુનિસિપલ વોર્ડ નં.28માં પણ પુરુષોના 46.43 ટકા મતદાનની સામે મહિલાઓનું ટકાવારી મતદાન 47.18 ટકા નોંધાયું છે.
  • ઉધના દક્ષિણ મ્યુનિસિપલ વોર્ડ નં.24માં પુરુષોનું ટકાવારી મતદાન 47.35 ટકાની સામે મહિલાઓ મતદારોનું ટકાવારી મતદાન 47.76 ટકા નોંધાયું છે.

આ ત્રણેય વોર્ડની મહિલાઓએ શહેરના અન્ય 27 વોર્ડની મહિલાઓ માટે પ્રેરણાદાયી અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. અન્ય વોર્ડની તુલનામાં આ ત્રણ વોર્ડની મહિલાઓએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજીને એ લોકશાહીના હિતમાં અદા પણ કરી બતાવી છે.

February 22, 2021
saif.jpg
1min589
Image result for karina saif new born baby

કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે નવો મહેમાન આવ્યો છે. આજે રવિવારે કરિના કપૂર ખાને પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર મળતાં જ કરિના કપૂરના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરિના બીજા સંતાનની માતા બની છે. 

આ સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ પણ કરિના અને સૈફને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કરિના કપૂરે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તેણે સૈફ સાથેના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમને એ જણાવતાં ખુશી થઇ રહી છે કે અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાવવાનો છે. તમામ શુભચિંતકોની શુભેચ્છા અને સહયોગ માટે આભાર.

બીજા વખત ગર્વભતી હોવાની સમાચાર સામે આવ્યા બાદ કરિના કપૂરની સતત લેટેસ્ટ તસવીરો ચર્ચામાં રહી હતી. તેણે વર્ષ ૨૦૧૬માં પુત્ર તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. જ્યારે સૈફ અને કરિનાના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. પ્રેગ્નેન્સી દરમિયાન કરિના કપૂર લોકોને ફેશન ગોલ્સ આપતી જોવા મળી. શરૂઆતમાં કરિના કપૂર જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળતી હતી. જ્યારે તે બાદ કરિના કફ્તાન, મેક્સી ડ્રેસ અને કુર્તા અને પલાજો જેવા આઉટફિટ્સમાં જોવા મળી હતી.

ઉપરાંત કરિનાએ આ વખતે પણ પ્રેગ્નેન્સી દરમિયાન કામ ચાલુ રાખ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં કરિનાએ કહ્યું હતું કે, પ્રેગ્નેન્સીમાં મહિલાઓ કામ કેમ કરી શકતી નથી? મને આ વાત સમજાતી નથી. મેં મારી પૂરી પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે અને ડિલીવરી પછી પણ કામ કરતી રહીશ. એક્ટિવ રહેવું લાભદાયી હોય છે. તેનાથી બાળકની હેલ્થ પણ સારી રહે છે. 

February 22, 2021
vaccine.jpg
1min472

આરોગ્ય ક્ષેત્ર અને કોરોના યોદ્ધાઓ સહિત અગ્રણી કાર્યકરોનું હજુ સુધી મોટા પ્રમાણમાં રસીકરણ ન થઈ શક્યું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રના આરોગ્ય ખાતાએ કોરોનાની રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો આદેશ આપતો પત્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અઠવાડિયામાં રસી આપવાના દિવસોની સંખ્યા વધારીને ઓછામાં ઓછા ચાર દિવસ કરવાનો તેમ જ પચાસથી વધુ વયના લોકોને વહેલામાં વહેલી તકે રસી આપી શકાય તે માટે રસીકરણની પ્રક્રિયાને વેગ આપવાનો આદેશ આપ્યો હતો.

હાલ, અમુક રાજ્યમાં અઠવાડિયામાં બે જ દિવસ રસી આપવામાં આવે છે તો અમુક રાજ્યમાં અઠવાડિયામાં ચાર કે તેથી વધુ દિવસ રસી આપવામાં આવી રહી છે. આ સેવાનો વ્યાપ વધારી શકાય તે માટે સિસ્ટમમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

પહેલી માર્ચથી રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ યંત્રણા સજ્જ રાખવાની પણ તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી.

૨૧ ફેબ્રુઆરી સુધીમાં ૨,૩૦,૮૮૮ સેશનમાં દેશભરમાં રસીના ૧,૧૦,૮૫,૧૭૩ ડોઝ આપી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના અમુક રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો હોવા વચ્ચે કેન્દ્ર સરકારે તેમને કોરોનાના ટૅસ્ટની સંખ્યા વધારવાની સલાહ આપી છે.

ભારતમાં હાલ કોરોનાના કુલ ૧,૪૫,૬૩૪ સક્રિય કેસ છે જે કુલ કેસની સંખ્યાના ૧.૩૨ ટકા જેટલા છે.

દરમિયાન, કોરોનાની રસીનું ઉત્પાદન કરતી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદાર પુનાવાલાએ રવિવારે અન્ય દેશોને એમ કહીને ધીરજ રાખવા જણાવ્યું હતું કે કંપનીને ભારતની જરૂરિયાતને પહોંચી વળવા પ્રાથમિકતા આપવામાં આવી છે.

કંપની ભારતની જરૂરિયાતને પૂરી કરવા ઉપરાંત અન્ય દેશોની જરૂરિયાતને પહોંચી વળાય તે માટેના પણ પ્રયાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

February 22, 2021
voting.jpg
1min469

ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓમાં રવિવારે એકંદરે પાંગળુ મતદાન થયું હતું. બપોર સુધીમાં સરેરાશ ૩૦ ટકા જેટલુ નીચું મતદાન થતા સત્તાધારી ભાજપે મતદારોને મતદાન મથકે પહોંચીને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા તેમ જ ઘરે ઘરે જઇને અપીલ કરવી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૪૧ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સમય પૂરો થઈ ગયા બાદ મતદાન બૂથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવામાં આવતું હોવાથી મતદાનમાં સરેરાશ મતદાનમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. જોકે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ઘટેલા મતદાનથી રાજકીય પક્ષોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.

છ મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અંદાજે ૩૭.૮૧ ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં અંદાજે ૪૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૩૭.૧૦ ટકા, સુરત ૩૪.૯૬ ટકા, વડોદરા ૩૪.૮૭ ટકા અને ભાવનગર ૩૮.૫૭ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.

મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાતા તેમજ મતદાર યાદીઓમાંથી મતદારોના નામ ગાયબ થવાના તેમજ બોગસ મતદાનના અનેક બનાવો નોંધાયા હતા. મનપા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. હવે ૨૩મીએ મત ગણતરી થશે.

છ મહાનગરોમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ શરૂઆતમાં સારા ટ્રેન્ટ બાદ અચાનક મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. અડધો સમય વીતવા છતાં મતદાનનો આંકડો ૩૦થી ૩૭ ટકા સુધી જ પહોંચ્યો હતો. મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કૉંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ૪૭૦ અને એનસીપીના ૯૧ અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે. ૬ મહાનગરોમાં મતદાન માટે ૧૧ હજાર ૧૨૧ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કુલ એક કરોડ ૧૪ લાખ ૬૬ હજાર ૯૭૩ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૭ ટકાએ મતદાન કર્યું હતું. રવિવારે મતદાન બાદ ૨૩મી ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકોની ચૂંટણીનું મતદાન થયું હતું.