Slider Archives - Page 153 of 486 - CIA Live

April 10, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min535

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.

વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.

રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે.
રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.

રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.

April 10, 2021
viratrohit.jpg
1min401

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝન ની આજથી ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (Royal Challengers Bangalore) વચ્ચે યોજાયેલ પ્રથમ મેચ રોમાંચક રહી હતી.

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ચેન્નઈના એમ. ચિદમ્બરમબ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે 160 રનના લક્ષ્યને 20 ઓવરમાં 8 વિકેટ આપીને હાંસલ કર્યું હતું. મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી.

ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમે 20 ઓવરમાં મુંબઈની 8 વીકેટ ઝડપી હતી. મુંબઈએ 159 રન બનાવ્યા હતા. જેમાં ક્રિસ લિને 49, સૂર્યકુમાર યાદવે 31 અને ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. બૅન્ગલોર માટે હર્ષલ પટેલે 5 વિકેટ, જ્યારે કાયલ જેમિસન અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

160 રનનો પીછો કરતા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ આપીને મેચ જીતી હતી. બૅન્ગલોરને જીત અપાવવા માટે એબી ડિવિલિયર્સે 48, ગ્લેન મેક્સવેલે 39 અને વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ અને માર્કો જાનસેને 2-2 વિકેટ અને  કૃણાલ પંડ્યાએ 1 વિકેટ લીધી હતી.

આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11માં રોહિત શર્મા (કેપ્ટન), ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, માર્કો જાનસેન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ હતો.

જયારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની પ્લેઈંગ 11માં વિરાટ કોહલી (કેપ્ટન), રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, કાયલ જેમિસન, શાહબાઝ નદીમ, હર્ષલ પટેલ મોહમ્મદ સિરાજ અને યૂઝવેન્દ્ર ચહલનો સમાવેશ હતો.

April 10, 2021
dhoni_vs_pant.jpg
1min471

એક તરફા રહેલા મુકાબલામાં દિલ્હીના સૌથી યુવા કેપ્ટન રિષભ પંતની ટીમે સૌથી વધુ અનુભવી દિગ્ગજ સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સને આસાનીથી પરાજય આપ્યો હતો.

Reported Before Match on 10/4/21

10/4/21, IPL 21 : આજે ધોની વિરુદ્ધ પંતની મુંબઇમાં ટક્કર

મુંબઈમાં આજે 10/4/21 IPL2021ની આ ૧૪મી સીઝનમાં બીજી ટક્કરમાં ભારતના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર ભવિષ્યના કૅપ્ટન તરીકે જેને જોવામાં આવી રહ્યો છે એ રિષભ પંતની ટીમ દિલ્હી કૅપિટલ્સની સામે ટક્કર થવાની છે. આજે 10/4/21 ભારતીય ક્રિકેટના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે રોમાંચક ટક્કર જામવાની છે.

શ્રેયસ ઐયરના નેતૃત્વમાં દિલ્હી કૅપિટલ્સે ગઈ સીઝનમાં શાનદાર પર્ફોર્મન્સના જોરે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઇનલમાં તેઓ મુંબઈના મહારથીઓને રોકી નહોતા શક્યા અને રનર-અપથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નઈ માટે છેલ્લી સીઝન તેમની સૌથી ખરાબ રહી હતી અને પ્રથમ વાર જ તેઓ પ્લે-ઑફમાં નહોતા પહોંચી શક્યા. ચેન્નઈ પૉઇન્ટ ટેબલમાં સેકન્ડ લાસ્ટ સાતમા ક્રમાંકે રહી હતી.

આજે 10/4/21 દિલ્હી ઇન્જરીને લીધે ઐયરની ગેરહાજરી છતાં યુવા અને શાનદાર ફૉર્મમાં રમી રહેલા રિષભ પંતના નેતૃત્વમાં ગઈ સીઝનનું ફૉર્મ જાળવી રાખવા કમર કસી રહી છે, જ્યારે ચેન્નઈ ગઈ સીઝનને ભૂલીને આજે નવી શરૂઆત કરવા તત્પર હશે. 

ધોનીના રિટાયરમેન્ટ બાદ તેના અનુગામી તરીકે રિષભ પંતને ગણવામાં આવ્યો હતો. થોડો સમય નબળા ફૉર્મને લીધે ભારે ટીકા બાદ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં તેના પર્ફોર્મન્સના આધારે આજે એ ભારતનો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો છે. ધોની પાસેથી શીખેલી ટ્રિક આજે પંત કૅપ્ટન્સી તરીકેની પહેલી જ મૅચમાં તેની સામે અજમાવશે. પંતે કહ્યું કે ‘કૅપ્ટન તરીકે મારી પહેલી મૅચ માહીભાઈ સામે છે. મારા માટે આ એક સારો અનુભવ બની રહેશે, કેમ કે હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આ ઉપરાંત એક ખેલાડી તરીકેના મારા પણ કેટલાક અનુભવ છે. આજે માહીભાઈ પાસેથી જે શીખ્યો છું તેમની સાથે મારા અનુભવો વડે આજે કંઈક અલગ કરવાની કોશિશ કરીશ.’

April 10, 2021
guj_corona.jpg
1min434

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસનું સંક્રમણ ગંભીર રીતે વધતા સરકારે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાદવાને બદલે મહાનગરો સાથે કુલ ૨૦ નગરોમાં જ રાતનો કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો હતો. બીજી બાજુ ગુજરાત સરકારે રચેલી કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના તબીબી તજજ્ઞોએ પણ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન એ એક માત્ર ઉપાય નહીં હોવાનો મત વ્યક્ત કર્યો છે.

આ અંગે ડો વી.એમ. શાહે જણાવ્યું કે, આ એક વાયરલ યુદ્ધ છે. આપણે પહેલા રોગને સમજવો જરૂરી છે. આ રોગનો એક જ ઇલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક. તેનાથી ટેવાઇ જઇશું અને વેક્સિનથી હર્ડ ઇમ્યુનિટી થશે. હાલ યુ.કે. વેરયન્ટ ચાલી રહ્યો છે જે ખુબ જ ખતરનાક છે. વેક્સિનને માસ મુવમેન્ટ બનાવવી પડશે. દવાઓ બાબતે કેટલીક ગેરસમજ છે તે પણ દૂર કરવી પડશે. લોકોમાં અફવા છે કે, રેમેડેસિવિરથી કોરોના મટી જાય છે તે એક તથ્યહિન બાબત છે. દરેકને આ ઇન્જેક્શન આપી શકાય નહીં.

કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલે લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા અને વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી. કોરોનાનો સમય ઘણો કઠિન રહ્યો છે. વાયરોલોજીના તમામ સિદ્ધાંતને કોરોનાએ અવગણ્યો છે. દરેક ટેમ્પરેચરમાં વાયરસ સરવાઈવ થયો છે. એક સમય આવી ગયો કે હવે કોવિડ રવાના થશે પણ તેનાથી ઊલટી પરિસ્થિતિ શરૂ થઈ છે. હું વિનંતી કરું છું લોકોને માસ્ક પહેરવું જઈએ, ટોળાં ન થવા જોઈએ. લૉકડાઉન પણ આનો જવાબ નથી. હું લોકોને વિનંતી કરું છું વેક્સિન લઈ લો. વેક્સિનથી મોત થશે નહીં.

April 9, 2021
IPL_cia.jpg
1min385

દેશભરમાં જ્વાળામુખીની માફક ફાટી નીકળેલ કોરોનાની બીજી જીવલેણ લહેર વચ્ચે આજે તા.૯ એપ્રિલ ૨૦૨૧ને શુક્રવારથી દુનિયાની સૌથી ધનિક ટી-20 લીગ ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (આઇપીએલ)નો અનિશ્ચિતતા અને અજંપા વચ્ચે પ્રારંભ થશે. પહેલી મેચ મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ રોયલ ચેેલેન્જર્સ વચ્ચેે રમાશે

પાંચ ખિતાબ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કપ્તાન રોહિત શર્મા છઠ્ઠીવાર અને ખિતાબની હેટ્રિક રચવાના મકકમ નિર્ધાર સાથે તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે મેદાને પડશે. આ વખતે પણ રોહિતની ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે.

મુંબઇની ટીમમાં રોહિત ઉપરાંત ડિ’કોક, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, પંડયાબ્રધર્સની મજબૂત બેટિંગ લાઇનઅપ છે. બોલિંગમાં તેની પાસે બુમરાહ, બોલ્ટ અને નાથન કુલ્ટર નાઇલ જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે. સ્પિન વિભાગની જવાબદારી રાહુલ ચહર સંભાળશે. આ કડી મુંબઇની નબળી છે.

મુંબઇની સામે આરસીબી હશે. કોહલીની ટીમ પહેલીવાર આઇપીએલનું ટાઇટલ જીતવા માંગે છે.’ ટીમમાં મેકસવેલ અને કિવિ ઓલરાઉન્ડર કાઇલ જેમિસનને લેવામાં આવ્યા છે. કોહલી સાથે પડીક્કલ ઓપનિંગ કરશે. આ પછી સુપરસ્ટાર એબી ડિ’વિલિયર્સ હશે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ અને નવદિપ સૈની સારા ફોર્મમાં છે. જયારે સ્પિનર તરીકે યજુર્વેન્દ્ર ચહલ હશે.

April 8, 2021
modi_2nd_dose-1280x900.jpg
1min406

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.

કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.

April 8, 2021
corona_india.jpg
1min419

ભારતમાં કોરોના કાળ દરમિયાન નોંધાયેલા નવા કેસના તમામ રેકોર્ડ Dt 7/4/21 બુધવારે નોંધાયેલા કેસમાં તૂટી ગયા છે. દેશમાં પાછલા 24 કલાકમાં 1 લાખ 26 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 1,26,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાના લીધે પાછલા 24 કલાકમાં વધુ 685 લોકોના મોત થઈ ગયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 1,66,862 થઈ ગઈ છે. હાલ દેશમાં કોવિડ-19 એક્ટિવ કેસની સંખ્યા 9,10,319 પર પહોંચી ગઈ છે, પાછલા 24 કલાકમાં વધુ 59,258 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા કોરોના મુક્ત થયા છે.

આ પહેલા દેશમાં સૌથી વધુ કોરોના કે 1,15,736 મંગળવારે નોંધાયા હતા. આ ત્રીજો દિવસ છે કે દેશમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર ગયા છે.

ICMR (Indian Council of Medical Research) મુજબ બુધવારે 12,37,781 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલની સંખ્યા 25,26,77,379 થાય છે.

દેશમાં 9,01,98,673 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે. જેમાં 2 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોનાની રસીનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ પછી બીજો તબક્કો 1 માર્ચના રોજ શરુ થયો હતો. આ તબક્કા દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી 59 વર્ષના કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.

April 8, 2021
guj_corona.jpg
1min406

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વિસ્ફોટક બની રહ્યો છે તેમજ વિવિધ જિલ્લાઓમાં સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગની સ્થિતિ છે. તેવામાં On Date 8/4/21 સૌથી વધુ 4021 કોરોના કેસ સાથે 35 વ્યક્તિનાં મૃત્યુ થતાં સરકારની ચિંતામાં ઔર વધારો થયો છે. તો બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યનો રિકવરી રેટ On Date 8/4/21 પણ ઘટયો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાની સારવાર માટે કુલ 12 હજારથી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે આજે રાજકોટમાં 31 અને જામનગરમાં 14 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરાયું નથી.

On Date 8/4/21 રાજ્યમાં કુલ 20473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 દર્દી વેન્ટિલેટર પર છે અને 2021 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 307346 લોકોને ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યું છે તેમજ અત્યાર સુધીમાં 4655 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં આજે On Date 8/4/21 સુરત કોર્પો.માં 14, અમદાવાદ કોર્પો.માં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પો.માં 2 અને વડોદરા કોર્પો. 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1, મહેસાણામાં 1 અને વડોદરામાં 1 થઇને કુલ 35 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

આજે On Date 8/4/21 નોંધાયેલા કોવિડના કેસનો આંક જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 951, સુરત કોર્પો.માં 723, રાજકોટ કોર્પો.માં 427, વડોદરા કોર્પો.માં 379, સુરતમાં 237, વડોદરામાં 111, જામનગર કોર્પોરેશનમાં 104, જામનગરમાં 99, પાટણમાં 99, રાજકોટમાં 93, ભાવનગર કોર્પો.માં 61, મહેસાણામાં 74, કચ્છમાં 41, ગાંધીનગર કોર્પો.માં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, મહીસાગર 38, મોરબીમાં 37, ખેડામાં 29, પંચમહાલમાં 29, બનાસકાંઠામાં 27, અમદાવાદમાં 26, ભરૂચ 26, દાહોદમાં 26, અમરેલીમાં 24, ભાવનગરમાં 23, સાબરકાંઠામાં 22, નર્મદામાં 21, આણંદ 20, વલસાડમાં 20, નવસારીમાં 17, સુરેન્દ્રનગરમાં 15, દેવભૂમિ દ્વારકામાં 11, ગીર સોમનાથમાં 11, ડાંગમાં 9, તાપીમાં 9, અરવલ્લીમાં 8, બોટાદમાં 8, છોટાઉદેપુરમાં 8 અને પોરબંદરમાં 4 થઈને કુલ 4021 જેટલા કેસ નોંધાયા હતા.

On Date 8/4/21 અમદાવાદ કોર્પોરેશનમાં 470, સુરત કોર્પો.માં 598, રાજકોટ કોર્પો.માં 201, વડોદરા કોર્પો.માં 158, સુરતમાં 73, વડોદરામાં 64, જામનગર કોર્પોરેશનમાં 40, જામનગરમાં 6, પાટણમાં 9, રાજકોટમાં 71, ભાવનગર કોર્પો.માં 28, મહેસાણામાં 22, કચ્છમાં 22, ગાંધીનગર કોર્પો.માં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 9, મહીસાગર 18, મોરબીમાં 28, ખેડામાં 33, પંચમહાલમાં 26, બનાસકાંઠામાં 21, અમદાવાદમાં 20, ભરૂચ 18, દાહોદમાં 10, અમરેલીમાં 11, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 17, નર્મદામાં 21, આણંદ 49, વલસાડમાં 14, નવસારીમાં 14, સુરેન્દ્રનગરમાં 17, દેવભૂમિ દ્વારકામાં 0, ગીર સોમનાથમાં 0, ડાંગમાં 10, તાપીમાં 5, અરવલ્લીમાં 7, બોટાદમાં 0, છોટાઉદેપુરમાં 10, અને પોરબંદરમાં 0 થઇને કુલ કુલ 2197 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે.

અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિનું બીજા ડોઝનુ રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.’

Reported on 8/4/21

નવા 3575 સાથે કુલ કેસ 3.25 લાખ Cases

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં રોજે રોજ કોરોનાના દર્દીઓમાં તથા મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં 7/4/21 રેકોર્ડબ્રેક 3575 કોરોના કેસ સાથે 22 વ્યક્તિઓના મૃત્યુ થતા નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ 2217 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને મહાત આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.90 ટકાએ પહોંચ્યો હતો તેમજ 7/4/21 રાજ્યમાં 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દી છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 3,05,149 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4620 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં થયેલા મૃત્યુ પૈકી સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વડોદરામાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

7/4/21 નોંધાયેલા કોવિડના કેસ અને ડીસ્ચાર્જનો આંક જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 804 (ડીસ્ચાર્જ 439), સુરતમાં 621 (593), વડોદરા કોર્પો.માં 351 (168), સુરત-198 (162), પાટણમાં 111 (23), વડોદરામાં 106 (5), મહેસાણાં 66 (27), ગાંધીનગર કોર્પો.માં 40 (18), કચ્છમાં 38 (19), મહીસાગરમાં 37 (77), પંચમહાલમાં 33 (40), ખેડામાં 32 (31), દાહોદમાં 29 (11), બનાસકાંઠામાં 26 (0), ભરૂચમાં 22 (17), અમદાવાદમાં 19 (13), આણંદ 19 (0),નર્મદામાં 19 (26), સાબરકાંઠામાં 19 (17), વલસાડમાં 19 (13), નવસારીમાં 15 (3), તાપી 5 (9), અરવલ્લીમાં 3 (0), છોટાઉદેપુરમાં 3 (4), ડાંગમાં 3 (0) તેમજ સૌરાષ્ટ્રના 925 થઇને કુલ 3575 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના 925 કેસમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 મળીને જિલ્લામાં નવા 490 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 28958 થયો હતો. જેમાંથી વધુ 213 દરદી સાજા થયા હતા. તો બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં 22 અને બે ખાનગી હોસ્પિટલમાં 1-1 મળીને જિલ્લામાં વધુ 24 દરદીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અત્યારે શહેરના 1863 અને ગ્રામ્યના 336 મળીને કુલ 2199 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે જિલ્લાના ભાયાવદરમાં 20થી વધુ કેસ નોંધાતા નગરપાલિકા પ્રમુખે એક બેઠક બોલાવીને પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે વિંછીયા શહેરમાં 9 તેમજ તાલુકાના જનડામાં 1, પીપરડી આલા ખાચરમાં 6 કેસ નોંધાયા હતા.

જામનગર જિલ્લમાં નવા 202 કેસ નોંધાયા હતા અને 84 દરદી સાજા થયા હતા. બીજી તરફ 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 28 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1189 થયો હતો. જો કે, આ અંગે તંત્રએ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ભાવનગર જિલ્લામાં આજે નવા 90 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 7433 થયો હતો. જેમાંથી 41 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 528 એક્ટિવ કેસ છે. બીજી તરફ શહેરમાં એક અને વલ્લભીપુર શહેરમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે તળાજાની ગર્લ્સ સ્કૂલના ત્રણ શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે અને શાળા સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મોરબી જિલ્લામાં નવા 31 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3816 થયો હતો. જેમાંથી વધુ 14 દરદી સાજા થતા હવે 278 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને ઈન્ચાર્જ ડી.ડી.ઓ. ડી.ડી.જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં 20 કેસ અને 33 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 11 કેસ અને 16 ડિસ્ચાર્જ, દ્વારકામાં 14 કેસ અને 8 તેમજ બોટાદમાં 9 કેસ અને 3 ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે ગીર સોમનાથમાં 13 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા અને એકેય ડિસ્ચાર્જ થયો નહોતો.

April 7, 2021
night_curfew.jpg
1min987

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પાલન કરતા ગુજરાતના 20 શહેરોમાં તા.૭મી એપ્રિલથી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિ કરર્ફ્યુ (રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી)નો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

વીસ શહેરોમાં ગુજરાતની આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર) બાકીના ૧૨ શહેરોમાં આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ રાત્રિ કરફ્યુમાં કરવામાં આવ્યો છે. આ અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરાશે.

April 7, 2021
vaccine-1.jpg
1min472

ભારતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડ-૧૯ની રસીના ૪૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ આપવામાં આવેલી રસી માટેનો નવો વિક્રમ બન્યો હતો.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચમી એપ્રિલે ૪૮,૦૯૫ સત્રમાં કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ આપવામાં આવ્યા હતા, એમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીએ પ્રથમ વખત ડોઝ લીધો હતો અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૨,૮૩,૮૧૬ સત્રમાં કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં ૮૧,૨૭,૨૪૮, ત્યાર બાદ ગુજરાતમાં ૭૬,૮૯,૫૦૭ ડોઝ, રાજસ્થાનમાં ૭૨,૯૯,૩૦૫ ડોઝ, ઉત્તર પ્રદેશમાં ૭૧,૯૮,૩૭૨ ડોઝ અને પશ્ર્ચિમ બંગાળમાં ૬૫,૪૧,૩૭૦ ડોઝ અપાયા હતા.

દરમિયાન ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના નેવું હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ગત ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપી હતી.

આ સાથે મંગળવારે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૨૬,૮૬,૦૪૯ થઇ હતી.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૪૪૬ દરદીનાં મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૬૫,૫૪૭ થઇ હતી.

ભારતમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા.

ગત ૨૭ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને ૭,૮૮,૨૨૩ની સપાટીએ પહોંચી હતી.

હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૬.૨૧ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૨.૪૮ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.