CIA ALERT

Slider Archives - Page 152 of 486 - CIA Live

April 14, 2021
SRH-vs-RCB.jpg
1min500

વિજય સાથે આઇપીએલની 14મી સિઝનનો પ્રારંભ કરનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઇરાદો બુધવારે રમાનાર તેના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ સફળતાનો આ ક્રમ જાળવી રાખવાનો રહેશે. આરસીબીએ પહેલા મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હાર આપીને તેના અભિયાનનો પ્રારંભ કર્યોં હતો. જ્યારે ડેવિડ વોર્નરના સુકાનીપદ હેઠળની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ હાર સહન કરવી પડી હતી. તેનું લક્ષ્ય પ્રથમ જીત હશે. જો કે આરસીબી સામે જીત મેળવવા માટે સનરાઇઝર્સે ચમકદાર દેખાવ કરવો પડશે.

પહેલા મેચના શાનદાર દેખાવ બાદ આરસીબીની ટીમમાં ઇન ફોર્મ ઓપનર દેવદત્ત પડીક્કલની વાપસી થશે. આથી ટીમ વધુ મજબૂત બનશે. પડીક્કલ કોરોનામુકત થયો હતો અને રમવા તૈયાર છે. પહેલા મેચમાં તે રમી શકયો ન હતો. તેણે પાછલી સિઝનમાં આરસીબી તરફથી સૌથી વધુ 473 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટીક સિઝનમાં મુશ્તાક અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં 737 રન ખડકયાં હતા.

આથી કોહલી સાથે સુંદરને ઇનિંગની શરૂઆત કરી હતી. આરસીબી આવનારા મેચોમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર આડમ ઝમ્પા અને મોહમ્મદ અઝહરૂદીનને ઉતારી શકે છે. આરસીબીનો બેટિંગનો દારોમદાર ફરી કપ્તાન કોહલી અને સ્ટાર ડિ’વિલિયર્સ પર હશે. કાંગારૂ ફટકાબાજ મેકસવેલ તેની ઉપયોગિતા સાબિત કરવા માંગશે. મીડિયમ પેસેર હર્ષલ પટેલે પહેલા મેચમાં 27 રનમાં પ વિકેટ લીધી હતી. તે ફરી આવું પ્રદર્શન કરવા માંગશે.

હૈદરાબાદના ઓપનર કપ્તાન ડેવિડ વોર્નર અને વિકેટકીપર રિધ્ધિમાન સાહા કેકેઆર વિરૂધ્ધ નિષ્ફળ રહ્યા હતા. બન્ને ફોર્મમાં વાપસીની કોશિશ કરશે. જોની બેયરસ્ટો લગભગ વોર્નર સાથે દાવનો પ્રારંભ કરશે. તેણે પહેલા મેચમાં અર્ધસદી કરી હતી. જ્યારે મનીષ પાંડે 44 દડામાં 61 રને નોટઆઉટ રહ્યો હતો. કેન વિલિયમ્સનનું આરસીબી સામેના મેચમાં રમવું સંભવ નથી. કારણ કે તે હજુ પૂરી રીતે ફિટ નથી. કેકેઆર સામેના મેચમાં ભુવનેશ્વર સહિતના હૈદરાબાદના મુખ્ય બોલરોએ ઘણા રનનો ખર્ચ કર્યોં હતો. તેઓ આ વખતે વિકેટ લેવા પર અને રન અટકાવવા પર ધ્યાન આપશે.કે દુનિયા ભલે કોરોના 19 વિરોધી રસીના 78 કરોડ ડોઝ આપી ચૂકી હોય પરંતુ આ મહામારીનો અંત હજુ ઘણો દૂર છે. જો કે જનઆરોગ્યલક્ષી પગલાંઓ દ્વારા તેને કાબૂ કરી શકાય છે.

ભારત સહિત દુનિયાભરમાં સંક્રમણમાં ઝડપથી થઈ રહેલા વધારા અંગે કહ્યંy કે જાહેર સ્વાસ્થ્ય ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ

April 14, 2021
remdesivir.jpg
1min581

ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.

નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.

April 14, 2021
maharashtra_lockdown.jpg
1min422
સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની પરવાનગી લોકલ ટ્રેન ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકને પ્રવેશ બંધ પાલિકાના નાળાં સફાઈના કર્મચારીઓ તેમ જ મેટ્રોની સેવાના મજૂરોને પણ પરવાનગી

 સરકાર આપે એવી આવશ્યકતા છે, જેથી અસરગ્રસ્ત વર્ગોને રાહત આપી શકાય, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

શું બંધ?

ખાનગી કચેરીઓ, ફ્ેરિયા, નોન-એસેન્શિયલ સામાનની દુકાનો, આવશ્યકતા વગર બહાર જવાની પરવાનગી નહીં, જીવનાવશ્યક સેવા માટે કામ કરનારા લોકોને બાદ કરતાં અન્ય લોકોને પરવાનગી નહીં, રિક્ષા-ટેક્સી અને બેસ્ટની બસમાં નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે.

શું ચાલુ રહેશે

અત્યંત આવશ્યક સેવા સાથે સંકળાયેલા હૉસ્પિટલ, મેડિકલની દુકાનો, વીમા, ટેલિકોમ, આરબીઆઈ સહિત બધી બૅંકો, સેબીની માન્યતાપ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થા ચાલુ રહેશે. આ બધી સંસ્થાઓના કર્મચારીઓને અવજવર કરવા માટે મુક્તિ આપી હતી. ઉપરાંત, અત્યારની ઈમર્જન્સી પરિસ્થિતિ હોવાથી જાહેર પરિવહન ક્ષેત્રને ચાલુ રાખવામાં આવે છે. અલબત્ત, મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે. રાજ્યમાં (લોકલ ટ્રેન), બેસ્ટની બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, ઓટોરિક્ષા, ટેક્સીની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પત્રકારોને અવરજવર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. અન્ય સરકારી સંસ્થા પૈકી વિદેશી દૂતાવાસ, ચોમાસા સંબંધિત કામકાજ કરનારા કર્મચારીઓ તથા ઈ-કોમર્સ ચાલુ રહેશે. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે, જ્યારે પાર્સલની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારના પરિપત્રમાં જણાવ્યું હતું.

મફતમાં અનાજ – શિવભોજન થાળી

ગરીબોનું જીવન મુશ્કેલ બનશે એવી સંભાવનાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગરીબોને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. આવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે.

નાના-મધ્યમ વેપારીને બાબાજી કા ઠુલ્લુ

ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં વેપારીઓને ત્રણ મહિનાના જીએસટીમાં રાહત આપવામાં આવે એવો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. વેપારીઓને રાજ્ય સરકાર તરફથી કોઈ સીધી રાહત આપવાની વાત ઉદ્ધવ ઠાકરેએ કરી નહોતી.

ઓક્સિજન માટે એરફોર્સની મદદ માગી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડરની પ્રવર્તી રહેલી અછતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઓક્સિજનના સિલિન્ડર જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેની યાદી સરકાર પાસે છે. રાજ્યને રોજ ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે અને આગામી દિવસોમાં કદાચ આમાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં વડા પ્રધાનને એવી વિનંતી કરવામાં આવશે કે ભારતીય હવાઈદળના વિમાનોનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરોના પરિવહન કરવા માટે તાકીદની સ્થિતિમાં પરવાનગી આપવી જેથી રાજ્યમાં તેની અછત ન સર્જાય.

૫,૪૦૦ કરોડનું રાહત પેકેજ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ૧૫ દિવસ માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરીબો અને અન્યોને કોઈ ભારે નુકસાન ન થાય એ માટે ૫,૪૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં ૩૫ લાખ ગરીબોને રૂ. ૧૦૦૦ આપવામાં આવશે. ૧૨ લાખ બાંધકામ મજૂરોને રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. પાંચ લાખ અધિકૃત ફ્ેરિયાને રૂ. ૧,૫૦૦ સ્વનિધિ ખાતામાં આપવામાં આવશે. રાજ્યના ૧૨ લાખ પરમિટ હોલ્ડર રિક્ષાચાલકોને રૂ. ૧,૫૦૦ની રોકડ આર્થિક સહાય કરવામાં આવશે.

April 13, 2021
mi_vs_kkr.jpg
1min492

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં તેના પ્રારંભિક મુકાબલામાં હાર સહન કર્યાં બાદ હવે 13/4/21 મંગળવારે તેના બીજા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે વર્તમાન વિજેતા ટીમનું લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. મુંબઇને પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આખરી દડે હાર મળી હતી. જયારે કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હાર આપીને વિજયી પ્રારંભ કર્યોં છે.

આઇપીએલના રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સનું પલડું હંમેશા કોલકતા નાઇટ રાઇડર્સ પર ભારે રહ્યંy છે.પાછલી પાંચ સિઝનમાં રમાયેલા 11 મુકાબલામાં મુંબઇએ 10માં જીત મેળવી છે. જયારે કેકેઆરને ફકત એક જીત જ નસીબ થઇ છે. ઓવરઓલ રેકોર્ડ જોઇએ તો બન્ને ટીમ વચ્ચે 27 મેચમાં ટકકર થઇ છે. જેમાં મુંબઇએ 21માં જીત મેળવી છે. બીજી તરફ કોકલતાને ફકત 6 મેચમાં વિજય હાથ લાગ્યો છે.

પાછલી બે સિઝનની વાત કરીએ તો કોલકતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ વખતે પ્રારંભિક મેચમાં નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કર્યું છે. જો કે પહેલા મેચમાં તેના મીડિલ ઓર્ડરમાં જોર જોવા મળ્યું ન હતું. બિગ હિટર રસેલ, કેપ્ટન મોર્ગન નિષ્ફળ રહ્યા હતા. અંતમાં અનુભવી દિનેશ કાર્તિકે 9 દડામાં 22 રન કરીને ટીમને 187 રને પહોંચાડી હતી. બોલિંગમાં કમિન્સ, રસેલ, શકીબ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ સારો દેખાવ કરીને હૈદરાબાદને 177 રને અટકાવી દીધું હતું.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પહેલા મેચમાં આરસીબીના મીડીયમ પેસર હર્ષલ પટેલ અને આફ્રિકી સ્ટાર એબી ડિ’વિલિયર્સના શાનદાર દેખાવને લીધે આખરી દડે હાર સહન કરવી પડી હતી. ડિ’કોકની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલ ક્રિસ લિને સર્વાધિક 49 રન કર્યાં હતા. જો કે તેની ભુલને લીધે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. આવતીકાલના મેચમાં ડિ’કોક વાપસી કરશે. આથી મુંબઇને કોઇ એક વિદેશી ખેલાડીને પડતો મુકવો પડશે. શાનદાર દેખાવ છતાં કદાચ લિનને બહાર બેસવાનો વારો આવી શકે છે. મુંબઇ પાસે ઇશન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કાયરન પોલાર્ડ અને કુણાલ પંડયાના રૂપમાં મજબૂત મધ્યક્રમ છે. જે કેકેઆરની બોલિંગ લાઇનઅપ પર ભારે પડી શકે છે. બોલિંગમાં મુંબઇનો દારોમદાર ફરી એકવાર જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ પર હશે. હાર્દિક હજુ બોલિંગમાં ઉપલબ્ધ નથી. આથી મુંબઇને છઠ્ઠા બોલરની ખોટ પડી રહી છે.

April 13, 2021
infosys.png
1min449
Infosys share buyback: Infosys board to consider share buyback proposal on  April 14 - The Economic Times

આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસે રવિવારે જણાવ્યું કે, તેના ડાયરેક્ટર બોર્ડ ૧૪ એપ્રિલે સેર બાયબેક પ્રપોઝલ પર વિચાર કરશે. ઈન્ફોસિસે શેર માર્કેટને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, ભારતીય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) નિયમન, ૨૦૧૮ પ્રમાણે કંપનીના ડાયરેક્ટર બોર્ડની ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ યોજાનારી બેઠકમાં પૂર્ણપણે ચૂકતા શેર મૂડીના બાયબેક માટે પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવશે. બેંગાલુરૂની આ કંપનીના ડાયરેક્ટર બોર્ડની બેઠક ૧૩-૧૪ એપ્રિલ ૨૦૨૧એ યોજાવાની છે. આમાં ૩૧ માર્ચ ૨૦૨૧એ પૂરા થતા ક્વાર્ટર અને નાણાકીય વર્ષમાં કંપની અને તેના સબસીડિયરી યુનિટના ફાઈનાન્શિયલ રિઝલ્ટને મંજૂરી અને તેના રેકોર્ડમાં લાવવામાં આવશે. આ અગાઉ, ઈન્ફોસિસે ઓગસ્ટ ૨૦૧૯માં ૮,૨૬૦ કરોડ રૂપિયાની વેલ્યૂએશનના ૧૧.૦૫ કરોડ શેરની પુન: ખરીદી કરી હતી. કંપનીએ આ પહેલા શેર બાયબેક ડિસેમ્બર ૨૦૧૭માં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય હતું. આમાં કંપનીએ ૧,૧૫૦ રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે ૧૧.૩ કરોડ શેરની પુન:ખરીદી કરી હતી.

April 12, 2021
stock-market-down.jpg
1min412

તા.૧૨ એપ્રિલ ૨૦૨૧ને ઉઘડતા સપ્તાહ, સોમવારની સવારે સવા નવ વાગ્યે જ્યારે ભારતીય શેરબજારોમાં કારોબાર શરૂ થયો ત્યારે પહેલી જ મિનિટે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખૂલતા સપ્તાહનો વર્તારો જોવા મળી ગયો છે. બપોરે બાર વાગ્યા બાદ સેન્સેક્સ અને નીફ્ટી બન્નેમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. સાડા બાર વાગ્યાના અરસામાં સેન્સેક્સમાં ૧૭૦૦થી વધુ પોઇન્ટનું ગાબડું જોવાયું હતું. એવી જ રીતે નીફ્ટી ૫૦૦ જેટલા પોઇન્ટ ડાઉન ટ્રેડ કરતો જોવાયો હતો.

એ પૂર્વે આજે સપ્તાહના આરંભની સવારના પહેલા જ સેશનના ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. બેંકીંગ અને ફાયનાન્સ શેરો જેવા કે RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.

વૈશ્વિક શેરબજારોમાં પણ નોંધાયો ઘટાડો

હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 373 પોઇન્ટ તૂટીને 28,305ની સપાટીએ બંધ રહ્યો છે.
– ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24 પોઇન્ટ ઘટીને 3,425 પર બંધ રહ્યો છે.
– કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 1 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,130 પર બંધ થયો.
– ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 37 પોઇન્ટ ઘટીને 7,214 પર પહોંચી ગયો છે.
– જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 172 અંક નીચે 29,596 પર બંધ રહ્યો છે.

આજે તા.૧૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ શેરમાર્કેટમાં ઘટાડા પાછળ ટોચના નબળા શેર્સમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, બજાજ ઓટો, આઈસીઆસીઆઈ બેંક, કોટક બેંકના નેગેટીવ અહેવાલો જવાબદાર મનાય છે. ઇન્ફોસિસ એક માત્ર શેર એવો છે જે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તેની પાછળનું કારણ આઈટી મેજર રુ. 12000 કરોડના શેર બાયબેક કરવા અંગે વિચારી રહી હોવાના અહેવાલો આવ્યા છે.

April 12, 2021
bBSBD-BANK-ACCOUNT.jpg
4min454

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સહિતની કેટલીક બૅંકો ઝીરો બેલેન્સ ખાતા અથવા મૂળભૂત બચત બૅંક ડિપોઝિટ (બીએસબીડીએ) ખાતા ધરાવતા ગરીબ વ્યક્તિઓને પૂરી પાડવામાં આવતી કેટલીક સેવાઓ પર વધારે ચાર્જ લાદી રહી છે, એમ આઇઆઇટી-બૉમ્બે દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો હતો.

The study observed that the SBI’s decision to levy a charge of ₹17.70 for every debit transaction beyond four by the BSBDA account holders cannot be considered as ‘reasonable’

બીએસબીડી ખાતાધારકો દ્વારા ચાર કરતા વધારાના દરેક ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે એસબીઆઇએ રૂ. ૧૭.૭૦નો ચાર્જ વસૂલ્યો છે જે યોગ્ય નથી. આ સર્વિસ ચાર્જ લાદવાને પરિણામે એસબીઆઇએ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન આશરે ૧૨ કરોડ બીએસબીડી ખાતાધારકો પાસેથી ૩૦૦ કરોડથી વધુ રૂપિયા વસૂલ્યા હતા.

એવી જ રીતે દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅંક પંજાબ નેશનલ બૅંકે આ જ સમયગાળા દરમિયાન ૩.૯ કરોડ બીએસબીડી ખાતાધારકો પાસેથી ૯.૯ કરોડ રૂપિયા વસૂલ્યા હતા.

સપ્ટેમ્બર, ૨૦૧૩ની આરબીઆઇની માર્ગદર્શિકામાં બીએસબીડી ખાતાધારકો પાસેથી ચાર્જ વસૂલવા અંગે જણાવવામાં આવ્યું છે, જે મુજબ આ ખાતાધારકો બૅંકની મુનસફીના આધારે મહિનામાં ચારથી વધુ વખત ઉપાડની મંજૂરી છે અને બૅંક તેના માટે ચાર્જ કરી શકતી નથી. બીએસબીડીએની વિશેષતા નિર્ધારિત કરતી વખતે નિયંત્રણકારોએ સ્પષ્ટ કર્યું હતું કે જો બચત ખાતું બીએસબીડીએ હોય તો બૅંક મહિનાના ચાર ઉપાડ ઉપરાંત વધારાના ઉપાડ (વેલ્યુ એડેડ સેવા) પર કોઇ ચાર્જ લગાવી શકશે નહીં. (મહિનાના ચારથી વધારે વાર ઉપાડ કરવાની મંજૂરી આપવી એ વેલ્યુ એડેડ સેવા છે, એમ આરબીઆઇએ જણાવ્યું હતું).

In English

Several banks, including State Bank of India (SBI), have been imposing excessive charges on certain services provided to poor persons having zero-balance or Basic Savings Bank Deposit Accounts (BSBDA), a study by the IIT-Bombay has revealed.

The study observed that the SBI’s decision to levy a charge of ₹17.70 for every debit transaction beyond four by the BSBDA account holders cannot be considered as “reasonable.”

It highlighted that the imposition of service charges resulted in undue collections to the tune of over ₹300 crore from among nearly 12 crore Basic Savings Bank Deposit Account (BSBDA) holders of SBI during the period 2015-20.

India’s second-largest public sector lender Punjab National Bank, which has 3.9 crore BSBD accounts, collected ₹9.9 crore during the same period.

“There had been systematic breach in the RBI regulations on BSBDAs by few banks, most notably by the SBI that hosts the maximum number of BSBDAs, when it charged @ ₹17.70 for every debit transaction (even via digital means) beyond four a month.

“This imposition of service charges resulted in undue collections to the tune of over ₹300 crore from among nearly 12 crore BSBDA holders of SBI during the period 2015-20, of which the period 2018-19 alone saw a collection of ₹72 crore and the period 2019-20, ₹158 crore,” the study by IIT Bombay professor Ashish Das stated.

Levying of charges on BSBDA is guided by September 2013 RBI guidelines. As per the direction these accounts holders are ‘allowed more than four withdrawals’ in a month, at the bank’s discretion provided the bank does not charge for the same.

“While defining the features of a BSBDA, the regulatory requirements made it amply clear that in addition to mandatory free banking services (that included four withdrawals per month), as long as the savings deposit account is a BSBDA, banks cannot impose any charge even for value-added banking services that a bank may like to offer at their discretion,” the study said.

April 11, 2021
SRH-vs-KKR.jpg
1min421

પૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થનારા આઇપીએલ મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન કરીને અભિયાનની સફળતાથી શરૂઆત કરવાની કોશિશ કરશે. કેકેઆરની આગેવાની આ વખતે સીમિત ઓવરોમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક ઇયોન મોર્ગન કરી રહ્યો છે. ગયા સત્રમાં દિનેશ કાર્તિકે કેપ્ટનશિપ સંભાળી હતી.

ગયા સત્રમાં કેકેઆર, સનરાઇઝર્સ અને આરસીબીના અંક સમાન હતા. કેકેઆર રન રેટમાં પાછળ રહીને સતત બીજી વખત પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી. મોર્ગન પહેલી વખત પૂર્ણકાલિન કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. તેવામાં તમામની નજર ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઉપર રહેશે. જે કેકેઆરને પ્રતિષ્ઠા પરત અપાવવા માટે પ્રતિબદ્ધ જોવા મળી રહ્યો છે.

કેકેઆર પાસે શુભમન ગીલનાં રૂપમાં શિર્ષ સ્તરમાં શાનદાર બેટ્સમેન છે જ્યારે રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા અને અનુભવી કાર્તિક રૂપે સારા ભારતીય બેટ્સમેનો છે. આ ઉપરાંત મોર્ગન પણ કોઈપણ બોલરનો સામનો કરવા સક્ષમ છે. વધુમાં હરભજન સિંહ ઉપર પણ નજર રહેશે છે પોતાના સંભવત: અંતિમ આઇપીએલમાં સારામાં સારો પ્રભાવ છોડવા માગશે.

આઇપીએલની જે ટીમોમાં નિરંતરતા રહી છે તેમાં હૈદરાબાદ પણ સામેલ છે. હૈદરાબાદ ગયા વર્ષે બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે હાર્યું હતું. તેવામાં ભુવનેશ્વર કુમારની વાપસીની હૈદરાબાદને મજબૂતી મળી છે. વધુમાં ટી નટરાજન પણ જવાબદારી સંભાળશે.

સનરાઇઝર્સ પાસે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પણ છે જ્યારે હૈદરાબાદની સાચી તાકાત ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો છે. મધ્યક્રમમાં કેન વિલિયમસન અને મનીષ પાંડે છે જ્યારે’ સાહા પણ પોતાને સાબિત કરવા પ્રયાસ કરશે. બન્ને ટીમો વચ્ચેના મુકાબલાની વાત કરવામાં આવે તો કેકેઆરએ અત્યારસુધી 12 અને સનરાઇઝર્સે 7 મેચ જીત્યા છે.

April 10, 2021
corona_india.jpg
1min452

વર્લ્ડોમીટર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.70 લાખ જેટલા નવા કેસ આવ્યા છે. જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસના સૌથી વધુ છે. તો આ દરમિયાન લગભગ 900 લોકોના મોત પણ થાય છે. સતત દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. દેશમાં શનિવારે 10 લાખને પાર પહોંચેલા એક્ટિવ કેસ બે જ દિવસમાં વધીને સોમવાર સુધીમાં 12 લાખને પાર થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 70 હજાર લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં કહેર બનીને પોતાનો આતંક વરસાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ્યાં દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. કોરોનાના 70 ટકા કરતા વધુ કેસ તો ફક્ત પાંચ જ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. આ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ કોરોના તીવ્ર ઝડપ પકડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં પણ કોરોના વધવાનો શરું થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તે દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 63294 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા નવા કેસના આંકડામાં સૌથી વધુ છે. રાજ્યમાં મુંબઈ પછી પુણેમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પુણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12377 નવા કોરોના કેસ આવ્યા છે તો 87 લોકોના મોત થયા છે. રાજધાની મુંબઈમાં પણ 24 લાકમાં 9989 કેસ આવ્યા છે. જ્યારે 58 લોકોના મોત થયા છે. જોકે મહારાષ્ટ્ર માટે એક સારો સંકેત એ પણ છે કે 34 હજારથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રમાં કોરોના રિકવરી રેટ વધીને 81.65 ટકા થઈ ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં શનિવારે એક દિવસમાં 10774 નવા કેસ સામે આવ્યા છે. તો 48 કોરોના દર્દીઓના મોત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે 24 કલાકમાં કોરોના સંક્રમણના 10 હજાર કરતા વધુ કેસ આવવા સાથે શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે લોકોને ખૂબ જ જરુરી હોય તો જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ચોથી લહેર પાછલી લહેર કરતા વધુ ખતરનાક છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ છત્તસીગઢ, ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ સિહના રાજ્યોમાં કોરોના કહેર વધી રહ્યો છે. આ રાજ્યોમાં દરરોજ વધુને વધુ કોરોના નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેવા પ.બંગાળમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. તેમ છતા ત્યાં મોટી સંખ્યામાં રોડ શો અને રેલિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કોરોના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ તૈયારી કરી રહ્યું છે.

Reported on 10/4/21 : ભારતમાં કોરોના એક્ટીવ કેસ ૧૦ લાખથી વધી ગયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર તા.૧૦ એપ્રિલ ૨૦૨૧ના સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. પાછલા 28 દિવસમાં દેશમાં કોરોના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. ગતત 12 માર્ચે દેશમાં એક્ટિવ કેસ 2 લાખનો આંકડો પાર કર્યો હતો. જે બાદ આજે 9 એપ્રિલે એક્ટિવ કેસનો આંક 10 લાખને પાર થયો છે. એક્ટિવ કેસની ગણના પ્રતિ દિવસ નવા નોંધાયેલા કોરના કેસમાંથી તે દિવસે રિકવર થયેલા કુલ કેસને બાદ કરવામાં આવે છે. પછી જે આંકડો મળે છે તેને એક્ટિવ કેસ કહેવાય છે.

આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે.

દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે.

વેક્સીનેશન ૧૦ કરોડ સુધી પહોંચશે

કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.

April 10, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min535

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.

વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.

રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે.
રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.

રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.