CIA ALERT

Slider Archives - Page 110 of 485 - CIA Live

October 31, 2021
kutchh.jpg
1min464

ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક એક ગામમાં એક મંદિરમાં પ્રવેશવાની બાબતે દલિત પરિવારના છ લોકોને 20 જેટલા લોકોએ ઢોર માર માર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ નાયબ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કથિત બનાવ મંગળવાર (26/10/21)ના ભચાઉ સ્ટેશનની હદના નેરગામમાં બન્યો હતો, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

પોલીસ નયાબ અધિક્ષકના જણાવ્યા મુજબ આ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવિંદ વાઘેલા અને તેના પિતા જગભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્નેએ દાવો કર્યો છે કે લગભગ 20 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે આઠ જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહિત 20 જેટલા શખ્સોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ, મારપીટ અને એસસી/એસટી કાયદા સંલગ્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

એફઆઈઆર મુજબ ફરિયાદી ગોવિંદ વાઘેલા અને તેનો પરિવાર 20 ઓક્ટોબરના નેરગામના રામ મંદિરમાં પૂજા કરવા ગયો હતો જેનાથી આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી મારપીટ કરી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તેઓ દર્શન કરવા ગયા હતા. 26 ઓક્ટોબરના ગોવિંદ તેની દુકાને હતો ત્યારે કેટલાક લોકોએ તેના ખેતરમાં ઢોર છોડી દીધા હતા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. 

જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ એક મોબાઈલ ફોન પણ ચોરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

આરોપીઓએ ફરિયાદીની માતા, મોટાબહેન, પિતા જગભાઈ અને અન્ય બે સંબંધીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

October 31, 2021
t20_world.jpg
1min1030

ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે સેમિ-ફાઈનલમાં પ્રવેશવું હોય તો ન્યૂ ઝીલેન્ડ સામે ૩૧ ઑક્ટોબર, રવિવારે રાતે ૭-૩૦ વાગ્યે રમાનારી મૅચમાં જીત મેળવવી જરૂરી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મૅચ મહત્ત્વની છે અને તે ભારત માટે ‘કરો યા મરો’નો જંગ કહી શકાય. હાલમાં સ્થિતિ એવી છે કે ભારત સેમિ-ફાઈનલમાં પહોંચશે કે કેમ એ અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ મોટા રન રૅટથી અને ભારે તફાવતથી જીતવી જરૂરી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયા હવે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ જીતવા કમર-કસશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટસેનાની વર્લ્ડકપમાંની આગળની સફર નક્કી કરશે. કોહલી ઍન્ડ કંપનીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે અને જો તેમ નહિ થાય તો તેણે અન્ય અગ્રણી ટીમના સંભવિત પરાજયની રાહ જોવી પડશે.

ભારતની ત્રીજી નવેમ્બરે આબુધાબીમાં અફઘાનિસ્તાનની સામે મૅચ છે. તે પછી પાંચમી નવેમ્બરે દુબઇમાં ‘બી-૧’ ટીમ સામે અને આઠમી નવેમ્બરે દુબઇમાં ‘એ-ટૂ’ ટીમ સામે મૅચ છે. ભારતની બધી મૅચ રાતે ૭-૩૦ વાગ્યે રમાવાની છે.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની ઈવેન્ટ્સની કુલ ૭ મૅચ રમાઈ હતી. જેમાંથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ૬ મેચ જીતી હતી, જ્યારે એક મૅચમાં વરસાદના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો થયો.
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બે વખત ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાયું હતું અને આ બન્ને મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતને ૧૦ રન અને ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપમાં ૪૭ રનથી હરાવ્યું હતું.

ભારતે ૨૦૦૩ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૨૦૧૯ વર્લ્ડકપની સેમિ-ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું અને વિશ્ર્વકપ જીતવાનું દેશનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. વરસાદને કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિ-ફાઇનલ મૅચમાં ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ૮ વિકેટથી ભારતને હરાવ્યું હતું. 

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં કુલ ૧૬ મેચ રમાઈ હતી અને તેમાં પણ કિવી ટીમ સૌથી વધુ ૮ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભારત માત્ર ૬ મેચ જીતી શક્યું હતું અને ૨ મૅચ ટાઈ રહી હતી.

વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર ગણવામાં આવતી હતી. ક્રિકેટના ચાહકોને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાન વિરુદ્ધની પહેલી મૅચમાં જીત મેળવીને વર્લ્ડ કપની શરૂઆત વિજય સાથે કરશે, પરંતુ કરોડો ક્રિકેટ-રસિયાઓની આશા પર ૨૪ ઑક્ટોબરે પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.
ભારતની ટીમ હાલમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે.

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મૅચ માટેની ભારતીય ટીમમાં વધુ અનુભવી બૉલરને સ્થાન મળવાની શક્યતા છે.

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શાર્દૂલ ઠાકુર, રવીચંદ્રન અશ્ર્વિન, ઈશાન કિસાન, રાહુલ ચહર. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડૅરીલ મિશૅલ, ડૅવોન કૉન્વે, ટીમ સૅફર્ટ (વિ.કી.), જૅમ્સ નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સન્તનર, ઈશ સોઢી, ટ્રૅન્ટ બૉલ્ટ, ટીમ સઉધી, માર્ક ચૅપમૅન, આદમ મિલ્ને, કાયલે જૅમીસન, ટૉડ ઍસ્લે. 

October 30, 2021
cia_multi-1280x1045.jpg
6min948

એક સોલાર તોફાન geomagnetic storm ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં પૃથ્વીના વાતાવરણ સાથે અથડાશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ તોફાન સૂર્યની સપાટી પર વિસ્ફોટ બાદ પેદા થયું છે અને તેની ઝડપ ખૂબ જ તેજ છે. વૈજ્ઞાનિકોના મતે આ તોફાનથી સેટેલાઈટ સિગ્નલ્સમાં અડચણ આવી શકે છે. આ કારણે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેની અસર જોવા મળી શકે છે. 

What is a solar flare? Warning as geomagnetic storm forecast to hit Earth  today - Daily Star

નિષ્ણાંતોના મતે આ સૌર તોફાનની સ્પીડ 1,260 કિમી પ્રતિ સેકન્ડની છે. વૈજ્ઞાનિકોના મતે આ સૌર તોફાન શનિવારે તા.30 ઓક્ટોબર 2021 કે રવિવારે તા.31મી ઓક્ટોબરે કોઈ પણ સમયે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. તોફાન ધરતી પર પહોંચે તે પહેલા જ અમેરિકાના એક હિસ્સામાં કામચલાઉ રીતે રેડિયો સિગ્નલ બ્લેકઆઉટ થઈ ગયા છે. 

આ સૌર તોફાન તેમની રીતના સૌથી શક્તિશાળી x1-ક્લાસ Solar Flair તરીકે ઓળખાય છે. નાસાના અધિકારીઓેએ તેને મહત્વપૂર્ણ સોલર ફ્લેયર ઠેરવ્યું છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીના રિયલ ટાઈમ વીડિયોમાં પણ કેપ્ચર કરવામાં આવ્યું છે. 

સોલાર ફ્લેયરની સૌથી શક્તિશાળી શ્રેણી એક્સ ક્લાસ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તાકાતના ઘટતા ક્રમમાં તે એમ, સી, બી અને એ ક્લાસના નામથી ઓળખાય છે. આ સૌર તોફાનના કારણે 30 ઓક્ટોબરના રોજ અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને અસર પડી શકે છે. 

In English

A geomagnetic storm is set to hit Earth on Saturday after the Sun blasted out millions of tons of ionised gas from one of five sun-spot clusters late on Thursday and may affect GPS signals, satellites and the electricity grid. The solar storm could also touch off geomagnetic activity that could make the Northern Lights visible as far south as the Hudson Valley New York.

The Solar Dynamics Observatory of the National Aeronautics and Space Administration (Nasa) captured a “significant solar flare” erupting from the Sun. The US space agency said on Friday that the Sun on Thursday emitted an X1-class flare. “POW! The sun just served up a powerful flare,” Nasa tweeted.

Nasa says X-class denotes the most intense flares, while the number provides more information about its strength—an X2 is twice as intense as an X1, an X3 is three times as intense, etc.

When the solar flare— powerful bursts of radiation—erupted on Thursday, it caused a strong radio blackout storm, which can disrupt some high-frequency radio broadcasts and low-frequency navigation.

Spaceweather.com reported that the flare originated from a sunspot called AR2887 currently positioned in the centre of the Sun and facing the Earth, based on its location.

The US Space Weather Prediction Center (SWPC) said the X1-class flare caused a temporary, yet strong radio blackout across the sunlit side of Earth-centered on South America.

William Murtagh, SWPC director, said that of the five sunspot clusters, those large magnetic storms that appear darker than the rest of the sun, only two are likely to cause the Earth any trouble. According to Nasa, the X1-flare is also likely to hit Earth’s magnetic field on Saturday.

The harmful radiation from a solar flare cannot pass through Earth’s atmosphere to affect humans but they can disturb the atmosphere in the layer where GPS and communications signals travel.

When these intense flares are aimed directly at Earth, they can also be accompanied by a massive eruption of solar particles, called a coronal mass ejection. The SWPC said that the impulsive X1-class flare on Thursday also “appeared to have coronal mass ejection related signatures”.

The wave of solar energy may also deliver a celestial show for sky-watchers in the Northern Hemisphere when it hits. However, for observers along the Eastern Seaboard the potential for weekend rain may dampen viewing opportunities.

When a wave of solar energy hits Earth’s magnetic field it will often create an aurora at the poles—in the Northern Hemisphere this is often called the Northern Lights and can appear as colourful ribbons in the sky or just flickering.

“We think the initial impact will happen during the daylight hours, so for aurora enthusiasts in the US, we are looking at overnight of the 30th into 31st for the best chance to see the aurora,” Murtagh was quoted as saying by Bloomberg.

The solar storm is rated as G3 on the five-step scale for ranking such events, lower than the level where power grid operators become concerned.

October 30, 2021
rahul.jpg
1min469

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા દરેક ચોરની અટક કેમ મોદી હોય છે ? જેવા વિવાદિત નિવેદન બાદ સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ કેસની ઓક્ટોબર 2019ના કરવામાં આવેલી સુનાવણી દરમિયાન પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. અને બાદમાં 24મી જૂન 2021ના પણ સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. અને તેઓને પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના સવાલોના જવાબમાં તેઓએ મને ખબર નથી હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, તમામ કૌભાંડીઓ અને ચોરની અટક મોદી હોય છે. એવું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. જેના કારણે અમારા સમાજના 13 કરોડ લોકોનું અપમાન થયું છે. જેના પગલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરતની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરત શહેર કોંગ્રેસ કમિટી દ્વારા એરપોર્ટથી કોર્ટ સુધીના મુખ્ય માર્ગ ઉપર બે મુખ્ય સ્થળોએ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસ.વી.એન.આઈ.ટી સર્કલ અને પૂજા અભિષેક બિલ્ડીંગ પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત રસ્તા પર ઊભા રહીને સ્વાગત કરાયું હતું.

રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટીપ્પણી કરી હતી. જેમાં તેઓએ નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.ત્યારબાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી સમગ્ર મોદી સમાજની લાગણી દુભાય છે.

October 30, 2021
t20_world.jpg
1min378

આઇસીસી ટી-20 વિશ્વ કપના ગ્રુપ વનના શનિવારના મેચમાં બે પરંપરાગત હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ મુકાબલો રોચક અને રસાકસીભર્યોં બની રહેશે, કારણ આ બન્ને ટીમ તેમના પહેલા બે મેચ જીત ચૂકી છે.

ગ્રુપ-વન ગ્રુપ ઓફ ડેથ છે. આ મુશ્કેલ ગ્રુપમાં આ મેચની વિજેતા ટીમની સેમિ ફાઇનલની રાહ નક્કી થઇ જશે અને ગ્રુપ પર વર્ચસ્વ પણ મેળવી લેશે. ઓસ્ટ્રેલિયાએ તેના પહેલા મેચમાં સંઘર્ષ બાદ આફ્રિકા સામે જીત મેળવી હતી, બીજા મેચમાં શ્રીલંકા સામે પ્રભાવશાળી જીત નોંધાવી હતી.

શ્રીલંકા વિરૂધ્ધના આ મેચમાં કાંગારૂ ટીમ માટે સકારાત્મક વાત એ રહી હતી કે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા સ્ટાર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચે ફોર્મમાં વાપસી કરી હતી.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગલાદેશ સામે મોટી જીત મેળવીને હવે મજબૂત હરીફનો સામનો કરવા તૈયાર છે. પહેલા બે મેચમાં તેમની જીત આસાન રહી હતી, પણ ઓસિ. વિરૂધ્ધ આકરો પડકાર નક્કી છે. ઇંગ્લેન્ડ માટે મોઇન અલી હુકમનો એક્કો બની રહ્યો છે. તેને બે મેચમાં 4 વિકેટ લીધી છે. ઝડપી બોલર ટાઇમન મિલ્સે પ્રભાવિત કર્યાં છે. આ ઉપરાંત શનિવારના મેચમાં આદિલ રશીદ કાંગારૂ બેટધરોને તેની સ્પિન જાળમાં ફસાવી શકે છે.

જો કે ઈંગ્લેન્ડના બેટસમેનોની પણ કાંગારૂ પેસ બેટરી મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ સામે અગ્નિપરીક્ષા થશે. ઇંગ્લીશ કપ્તાન ઇયોન મોર્ગનના બેટિંગ પ્રદર્શન પર પણ આ મેચમાં સહુની નજર રહેશે. વિશ્વ કપના અગાઉના મેચોની જેમ આ મુકાબલામાં પણ ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.

October 30, 2021
Aryan-Khan.jpg
1min492

ક્રૂઝ-ડ્રગ્સમાં પકડાયેલા આર્યન ખાનને જામીન મળ્યાના એક દિવસ પછી બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ‘ઓપરેટિવ ઓર્ડર’ જાહેર કર્યો હતો. આર્યન ખાન પર જામીનની ૧૪ શરતો લાદવામાં આવી હતી. પાંચ પાનાંના ઓર્ડરમાં હાઇ કોર્ટે ક્હ્યું હતું કે આર્યન ખાન અને અન્ય બે સહઆરોપી વતી પર્સનલ બોન્ડ અને સ્યોરિટી રજૂ કરવાની રહેશે.

તેણે વિશેષ એનડીપીએસ કોર્ટ સમક્ષ પાસપોર્ટ જમા કરવા પડશે. વિશેષ કોર્ટ પાસેથી પરવાનગી લીધા વગર તેઓ ભારત છોડી નહીં શકે અને દર શુક્રવારે તેણે એનસીબીની ઓફિસમાં હાજર થવું પડશે. આ ત્રણે દ્વારા જો શરતોનો ભંગ થશે તો એનસીબી વિશેષ કોર્ટ સમક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકશે તેવું કોર્ટે ક્હ્યું હતું.

કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ‘પ્રત્યેક અરજદારો/આરોપીઓએ એક લાખ રૂપિયાનો પર્સનલ બોન્ડ આપવો પડશે અને તેટલી જ રકમની એક અથવા વધુ સ્યોરિટી જમા કરાવવી પડશે. પુરાવાઓ સાથે છેડછાડ અથવા સાક્ષીઓ પર વ્યક્તિગત રીતે અથવા કોઇના દ્વારા પ્રભાવિત કરવાનો ઓરોપીઓએ પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું.

મુંબઇ છોડવા અગાઉ આરોપીઓએ એનસીબીને જાણ કરવી પડશે. કેસમાંના અન્ય આરોપીઓ અથવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા કોઇ સાથે આ ત્રણેય સંપર્ક કરી શકશે નહી તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. ‘એકવાર અદાલતી કાર્યવાહી શરૂ થશે તે પછી અરજદારો/આરોપીઓએ કાર્યવાહીમાં વિલંબ કરાવવાનો પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. અરજી આપવાના કારણો સહિતનો વિગતવાર આદેશ આગામી સપ્તાહમાં આપવામાં આવશે તેવું જજે કહ્યું હતું.

October 29, 2021
sensex_down.jpg
1min484

તા.28મી ઓક્ટોબરને ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ્સથી પણ વધારેના ઘટાડા બાદ આજે તા.29મી ઓક્ટોબરે સતત બીજા દિવસે પણ સેન્સેક્સ 677 પોઈન્ટ્સ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ આજે 185 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 59,306 જ્યારે નિફ્ટી 17,671 પોઈન્ટ્સ પર હતા.

તા.29મી ઓક્ટોબરના ટોપ લુઝર્સની વાત કરીએ તો, આ સપ્તાહમાં જ પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શનારો ટેક મહિન્દ્રા 3.62 ટકા ઘટ્યો હતો. જ્યારે એનટીપીસી 3.42 ટકા, કોટક બેન્ક 3.21 ટકા જ્યારે ઈન્ડસિન્ડ બેન્ક 3.04 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત એલ એન્ડ ટી, રિલાયન્સ, એક્સિસ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચડીએફસી ટ્વિન્સ જેવા હેવી વેઈટ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં આજે પણ મંદીના માહોલ વચ્ચે મિડકેપ ઈન્ડેક્સમાં 41.44 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં કેનેરા બેન્ક સૌથી વધુ 9.83 ટકા ઉછળ્યો હતો. જ્યારે ABB ઈન્ડિયા લિમિટેડ 6.23ટકા, ગુજરાત ગેસ 5.38 ટકા ઉછળ્યા હતા. આજે IRCTCના શેરમાં માર્કેટ ખૂલ્યું તેના ગણતરીના સમયમાં જ 25 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. જોકે, રેલવે મંત્રાલય તરફથી કન્વેનિયન્સ ફી લેવાની દરખાસ્ત પરત ખેંચવામાં આવતા તેમાં રિકવરી જોવા મળી હતી. માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 7.45 ટકાના ઘટાડા બીએસઈ 500 શેર્સની વાત કરીએ તો, આજે આરબીએલ બેન્કમાં 10.33 ટકા, અતુલ ઓટોમાં 7.36 ટકા, એસબીઆઈ કાર્ડ્સમાં 6.26 ટકાનું ધોવાણ થયું હતું. જ્યારે સરકારે 100 ટકા ક્ષમતા સાથે એરલાઈન્સને ઓપરેટ કરવાની છૂટ આપતા ઈન્ડિગોનો શેર 8.83 ટકા ઉછળીને 2173 રુપિયાના સ્તરે પહોંચી ગયો હતો.સાથે 845 રુપિયાની સપાટી પર હતો.

October 29, 2021
Free-vaccinee-1280x720.jpg
1min555

રાજ્યના સનદી અધિકારી જયપ્રકાશ શિવહરેએ આજે બપોરે એવી જાણકારી સાર્વજનિક કરી હતી કે ગુજરાતમાં કોવીડ વિરોધી વેક્સીનના આજદિન સુધીમાં કુલ 7 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગુજરાતની વસતિ હાલમાં 6 કરોડ માનવામાં આવે છે, સો એ સો ટકા ગુજરાતીઓને વેક્સીન અપાઇ નથી પરંતુ, 7 કરોડમાં સિંગલ અને ડબલ ડોઝ એમ બન્ને લેનારાઓનો સમાવેશ થાય છે.

10 દિવસ અગાઉની સ્થિતિ અનુસાર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નીચે દર્શાવેલી સંખ્યા મુજબ વેક્સીન આપી દેવામાં આવી હતી.

October 29, 2021
diwali-fire-crackers-vectors-1.jpg
1min555

આગામી દિવસોમાં દિવાળીના તહેવારોમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ફટાકડા ફોડવામાં આવશે. પરંતુ, એ પહેલા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફટાકડા અંગે આપેલા આદેશ અનુસાર ગુજરાત સરકારે આજે જારી કરેલા એક નોટિફિકેશનને વાંચી લેવું જરૂરી છે.

ગુજરાત સરકારના આદેશમાં કહેવાયું છે કે ગ્રીન અને માન્યતાપ્રાપ્ત અને ઓછો ઘોંઘાટ કરે તેવા જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાય તમામ પ્રકારના ફટાકડા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 દરમિયાન જ ફોડી શકાશે.

ગુજરાત સરકારનું ફટાકડા અંગેનું ઓક્ટોબર 2021નું જાહેરનામુ નીચે મુજબ છે.

October 29, 2021
crackers-ban.jpg
1min452

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘તેઓ ફટાકડા પર પ્રતિબંધ મૂકીને કોઈ એક સમુદાયના વિરોધમાં નથી. મનોરંજનના નામ હેઠળ કોર્ટ નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન ન કરવા દઈ શકે.’

Nagaland decides to ban firecracker - News Move

ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને એ. એસ. બોપ્પાની બેન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટે આપેલા આદેશનો એ સંપૂર્ણ અમલ જોવા માગે છે. બેન્ચે એવું પણ કહ્યું હતું કે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ નથી. પ્રકૃતિને અનુકૂળ તૈયાર કરવામાં આવેલા ફટાકડા (ગ્રીન ફાયરક્રેકર્સ)ને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે કોઈ સમુદાય માટે ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ તમામ નાગરિકોના હિતમાં આ નિર્ણય લીધો છે. 

હજી પણ બજારોમાં જાહેરમાં ફટાકડાઓ મળી રહ્યા છે એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે આદેશનો અમલ કરાવનારી સંસ્થાઓની પણ મોટી જવાબદારી છે. બધા જાણે છે કે દિલ્હીના લોકો પ્રદૂષણને લીધે કેવા સંઘર્ષમાં જીવી રહ્યા છે. કોર્ટ લોકોના અધિકારોની રક્ષા કરવા માટે છે એવો સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ.