સતત વધી રહેલા ભારતીય શેરબજારોને આજે તૂટવાનું કારણ મળ્યું અને એ પણ આફ્રિકામાંથી ઉભો થયેલો કોરોનાનો નવો વેરીએન્ટ, કે જેને વિશ્વભર માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. બ્રિટન સમેત અનેક દેશોએ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધો ફરમાવી દીધા છે. જેના પ્રત્યાઘાત આજે ભારતીય શેરબજારો પર પડ્યા હતા.
તા.26મી નવેમ્બરને શુક્રવારે આજે સવારે શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સે 722.92 પોઈન્ટ્સ, 1.31 ટકાના ઘટાડા સાથે 58,022.17 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી સેન્સેક્સ સતત તૂટતો જ જોવાયો હતો.
મિડકેપ ઈન્ડેક્સમાં 400 પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆતી કારોબાર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 192-193 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને તમામ 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સવારે 9:23 વાગ્યે, નિફ્ટી 17293 પર ટ્રેડ કરી રહ્યો હતો અને તે જ સમયે તે 240 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.
બજારમાં આજે માત્ર ફાર્મા ઈન્ડેક્સમાં જ તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો અને ફાર્મા ઈન્ડેક્સના 20માંથી 15 શેરોમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ફાર્મા શેરોમાં સૌથી વધુ ઉછાળો એપોલો હોસ્પિટલ્સમાં જોવા મળ્યો હતો. 20માંથી માત્ર 5 ફાર્મા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, બજારના નિષ્ણાતો આજે ફાર્મા સાથે કેમિકલ શેરોમાં તેજીની અપેક્ષા રાખી રહ્યા છે. આજે કેડિલા હેલ્થકેર ઘટી રહેલા માર્કેટમાં 2.3 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરતી જોવા મળી હતી અને રોકાણકારો તેમાં સારો રસ દાખવી રહ્યા છે.
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં કરૂણ મોત થયા છે અને 2 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, ગોંડલ નજીક આવેલા ભુજપુરા અને બિલાયાળા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સરવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, કાર હાઈવે પર જઈ રહી હતી એ સમયે કોઈ કારણોસર કારનું ટાયર ફાટી ગયુ હતુ. જે બાદ કાર રોંગ સાઈડમાં જતી રહી હતી અને એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકો તરત દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીમાં સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકનાં મોત નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત નીપજ્યા હતા. ધોળાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટનામાં વલસાડના 2 અને નવસારીના 1 યુવકનું મોત નીપજ્યું હતું. વલસાડથી સુરત તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
સરીન આંતર રાષ્ટ્રીયસ્તરની કંપની છે, તેણે બનાવેલા સોફ્ટવેરથી હીરા કટ-પોલિશનું કામ આસાનીથી થઇ શકે છે, રૂદ્ર ડાયમે પાઇરેડેટ વર્ઝનનો વપરાશ શરૂ કરી દીધો હતો
Jayesh Brahmbhatt (cialive@yahoo.com)
હીરા ઉદ્યોગમાં હાલ એવા અનેક પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે જેનાથી હીરા કટ એન્ડ પોલીશનું કામ બિલકુલ સરળતાથી થઇ શકે છે. આવો જ એક વૈશ્વિક સ્વીકૃતિ પામેલો સોફ્ટવેર ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સરીનના ડાયમંડ સોફ્ટવેરનું પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ સુરતમાં થઇ રહ્યો છે તેવી માહિતી મળતા સરીન કંપનીએ ચલાવેલી તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા ગેરકાનૂની રીતે સરીન ડાયમંડ સોફ્ટવેયરનો ઉપયોગ કરાતો હતો, જેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના હિયરિંગમાં કોર્ટે રૂદ્ર ડાયમ પર સરીનના સોફ્ટવેરના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.
સુરતમાં જેટલો હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે તેટલો વિશ્વમાં ક્યાંય નથી પામ્યો. હીરા ઉદ્યોગમાં વિકાસની સાથે નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અગાઉ પધરાવી દેવાના પણ બનાવો બન્યા અને હવે ડાયમંડ કટ એન્ડ પોલીસિંગના કામમાં અત્યંત ઉપયોગી એવા કમ્પ્યુટરના સોફ્ટવેરની પણ પાઇરેસી માટે સુરત બદનામ થઇ રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા કેટલાક સોફ્ટવેયર તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હીરામાં કટ તથા પોલીશ કરવાનું કામ અત્યંત સરળ રીતે, સંપૂર્ણ રીતે અને ઓછી નુકસાનીથી થાય છે.
સરીન કંપનીને જાણમાં આવ્યું હતું કે સુરતમાં કેટલીક હીરા પેઢીઓમાં તેમના સોફ્ટવેરનો ગેરકાનૂની રીતે પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કરેલી પ્રાથમિક તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા સરીન કંપનીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેના હિયરીંગમાં કોર્ટ દ્વારા રૂદ્ર ડાયમ કંપની પર એવો કાયમી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કે તેઓ સીધી કે આડકતરી રીતે સરીનના કોઇપણ સોફ્ટવેરનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહીં.
કંપનીએ આ પ્રકારે પાઇરેટેડ સોફ્ટવેરનો વપરાશ કરતા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.
ગુજરાત સરકારની મેડીકલ પેરામેડીકલ એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ફક્ત ચાલુ વર્ષ પૂરતું વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ પણ એમબીબીએસ, ડેન્ટલમાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. વિદેશમાં વસતા એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનો ભારત સરકારે આપેલો કાર્ડ છે.
ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગઇ તા.8મી નવેમ્બર 2021ના રોજ આપેલા એક ચુકાદાને આધિન ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડીયા કાર્ડ હોલ્ડર વિદ્યાર્થીઓને મેડીકલ, ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ફક્ત આ વર્ષ 2021-22 માટે સરકારી (સ્ટેટ) ક્વોટા તેમજ મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટે લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હશે તો તેમને મેરીટમાં સરકારી ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મળી શકશે.
સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાં વસતા અને ઓસીઆઇ કાર્ડ હોલ્ડર અનેક ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેરીટમાં એડમિશન મળી શકશે. આવા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી એન.આર.આઇ. ક્વોટામાં લાખો રૂપિયાના ખર્ચે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવો પડતો હતો.
આ પ્રકારની જાહેરાત એડમિશન કમિટીએ પોતાની વેબસાઇટના હોમ પેજ પર કરી છે
OCI = Overseas Citizen of India
(a) The following categories of persons (except Pakistan and Bangladesh) are eligible to apply under OCI scheme:
Who is a citizen of another country, but was a citizen of India at the time of, or at any time after, the commencement of the constitution; or
Who is a citizen of another country, but was eligible to become a citizen of India at the time of the commencement of the constitution; or
Who is a citizen of another country, but belonged to a territory that became part of India after the 15th day of August, 1947; or
Who is a child or a grand-child or a great grandchild of such a citizen; or
(b) A person, who is minor child of a person mentioned in clause (a); or (c) A person, who is a minor child, and whose both parents are citizens of India or one of the parents is a citizen of India; or (d) Spouse of foreign origin of a citizen of India or spouse of foreign origin of an Overseas Citizen of india Cardholder registered under section 7A, Citizenship Act 1955 and whose marriage has been registered and subsisted for a continuous period of not less than two years immediately preceding the presentation of the application under this section: Provided that no person, who is or had been a citizen of Pakistan, Bangladesh or such other country as the Central Government may, by notification in the Official Gazette, specify, shall be eligible for the registration as Overseas Citizen of India Cardholder.
ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’
ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.” આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો આવતીકાલ તા.22મી નવેમ્બરથી જ શરૂ કરવા અંગે કરેલી જાહેરાત ઉતાવળે કરાયેલી જાહેરાત છે. કેમકે ધો.1થી 5ના ભૂલકાઓ માટે શાળા શરૂ કરવી એ કોઇ નાનીમાં ના ખેલ નથી. ભૂલકાઓ કોવીડ એપ્રોપ્રીએટ બિહેવીયરનું પાલન કરશે, માસ્ક પહેરી રાખશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવશે એની કોઇ ગેરેન્ટી નથી આ બધા વચ્ચે ટેકનિકલ સમસ્યા તો એ પણ છે કે હજુ સુધી ધો.1થી 5ના વિદ્યાર્થીઓ કે જેઓ 20 મહિનાથી સ્કુલે ગયા નથી. તેમની પાસે યુનિફોર્મ નથી, તેમણે સ્કુલે જઇને શું ભણવાનું છે તેનું કોઇ સમયપત્રક તૈયાર નથી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાલીઓની લેખિત સંમતિ વગર કઇ સ્કુલના સંચાલકો આવતીકાલ સોમવારથી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા તૈયાર થશે એ સવાલ છે.
સરકારને શાળા શરૂ કરવાની ઉતાવળ અને સુરત મહાનગરપાલિકાને શાળા બંધ કરવાની ઉતાવળ હોય છે, એક કેસ આવ્યો નથી કે ત્રણ હજાર વિદ્યાર્થીઓની સ્કુલ સાત દિવસ માટે બંધ
આજે જે રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાતને ઉતાવળીયો નિર્ણય ગણાવાય રહ્યો છે એ જ રીતે સુરત મહાગનરપાલિકા પણ એક કેસ આવે એટલે ત્રણ હજાર વિદ્યાર્થીઓની આખી સ્કુલને સાત દિવસ બંધ કરી દેવાની ઉતાવળમાં હોય છે. હવે જ્યારે ધો.1થી 5ના વિદ્યાર્થીઓ પણ સ્કુલે જવાના છે ત્યારે પહેલા તેમને માનસિક રીતે ઓફલાઇન વર્ગો માટે તૈયાર કરવા અત્યંત જરૂરી છે. અન્યથા સ્કુલોમાં કોવીડ ગાઇડલાઇન્સનો ભંગ અને કેસોની હારમાળા મળી આવે તેવું જોખમ દેખાઇ રહ્યું છે.
ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા માટે શાળાઓ તેમજ વાલીઓ બન્નેએ ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. ધો.1થી 5ના બાળકો ઉંમરમાં નાના હોવાથી તેઓ કેટલો સમય માસ્ક પહેરી રાખશે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે કે કેમ, દૈનિક કેટલા વર્ગો લઇ શકાશે, સેનિટાઇઝેશન કેવી રીતે થશે વગેરે અનેક સવાલોના જવાબો આપ્યા વગર શિક્ષણ મંત્રી એ ફક્ત એવી ઔપચારિક ઘોષણા કરી દીધી છે કે ધો.1થી 5ના વર્ગો શરૂ થશે.
કોવીડ વખતે બાળમંદિરમાં ભણતું બાળક હવે પ્રાથમિકમાં પહોંચી ગયું છે યુનિફોર્મનું શું
આવતીકાલથી ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સામે સૌથી મોટો પ્રશ્ન સ્કુલ યુનિફોર્મનો રહેશે. ધો.1થી 5ના વિદ્યાર્થીઓ ગ્રોઇંગ ચાઇલ્ડ એટલે કે ઝડપથી ઉછરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના કપડા પણ ઝડપથી નાના થઇ જતા હોય છે. આવી સ્થિતિમાં આ બાળકો છેલ્લા વીસ મહિનાથી સ્કુલે ગયા નથી. ઘણાં વિદ્યાર્થીઓ તો એવા છે જેઓ બાળમંદિરમાં હતા અને હવે પ્રાઇમરી સ્કુલમાં આવી ચૂક્યા છે પરંતુ, સ્કુલ શરૂ થઇ ન હોવાથી વાલીઓએ તેમના સ્કુલ યુનિફોર્મ ખરીદ્યા નથી. આવા વિદ્યાર્થીઓના યુનિફોર્મ વગર શાળાએ મોકલવા કે નહીં એ પણ વાલીઓને મૂંઝવણ છે.
બાળક કાલે સ્કુલે પહોંચી પણ જાય તો કયા પીરીયડમાં શું ભણાવવું સમયપત્રકનું શું
ધો.1થી 5ના વર્ગો શરૂ ન થઇ શકે તેનું સૌથી મોટું કારણ એ છે કે શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ પહોંચે તો કયા વર્ગમાં કયા શિક્ષક કયો વિષય ભણાવશે એ સમયપત્રક જ હજુ તો તૈયાર કરાયા નથી. કયા શિક્ષકોને વર્ગશિક્ષક બનાવવા કયા શિક્ષકો કયો વિષય ભણાવશે એ વર્ગવાર તાસવાર સમયપત્રક કોઇ જ શાળા પાસે તૈયાર નથી. હાલમાં જે રીતે ઓનલાઇન ક્લાસીસ ચાલી રહ્યા છે એ રીતે ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો નહીં યોજી શકાય. શાળા સંચાલકોનું કહેવું છે કે સમયપત્રક તૈયાર કરવામાં ઓછામાં ઓછા ચાર દિવસ લાગી જાય અને એ પ્રમાણે શિક્ષકોને કામની સોંપણી કર્યા પછી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે
બાળક બિમાર પડ્યું તો …વાલીઓની સંમતિ વગર કઇ સ્કુલ કાલથી શાળા શરૂ કરવાની હિંમત કરશે
ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા ત્યારે વાલીઓ પાસેથી લેખિત સંમતિ માંગવામાં આવી હતી કે તેઓ તેમના બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે મોકલવા માટે સંમત છે. જો વાલી સંમત ના હોય તો શાળા તરફથી તેમના ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. હવે ધો.1થી 5ના વિદ્યાર્થીઓના ઓફલાઇન વર્ગો અંગે વાલીઓની સંમતિ લેવી કે નહીં તે અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કશો જ ફોડ પાડ્યો નથી. શાળાઓ વાલીઓની સંમતિ વગર ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે હરગીઝ તૈયાર નહીં થાય કેમકે જો શાળા શરૂ થયા બાદ કોઇ બાળક બિમાર પડશે તો વાલીઓ સીધા જ શાળાને જવાબદાર ગણી શકે આથી જ્યાં સુધી વાલીઓ પોતાની જવાબદારીએ અને લેખિત સંમતિએ વિદ્યાર્થીને શાળાએ ન મોકલાવે ત્યાં સુધી શાળાઓ પણ ઓફલાઇન વર્ગો શરૂ કરવા રાજી નથી.
રાકેશ ટિકૈતે કહ્યું કે, MSP પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જ્યારે ત્રણેય કાયદા સંસદમાં પરત ફરશે તો આંદોલનો પણ ફરી વળશે. ટિકૈતે કહ્યું, મને મોદીમાં વિશ્વાસ નથી. તેમણે દરેકને રૂ. 15 લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.
પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેને આગામી સંસદીય સત્રમાં પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કૃષિ કાયદાને લઈને કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂતો છેલ્લા એકથી વધુ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમજ વિપક્ષમાં કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી સરકારને નિશાન બનાવી રહ્યો છે.
ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે ‘મને મોદી પર વિશ્વાસ નથી. ટિકૈતે કહ્યું કે પીએમએ 15 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધીમાં કેટલાને 15 લાખ રૂપિયા મળ્યા?
કોંગ્રેસની પ્રતિક્રિયા
સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરવામાં આવ્યું કે મારા દેશના ખેડૂતો જીત્યા છે અને અભિમાન તૂટી ગયું છે.
રાહુલ ગાંધી
જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ ટ્વીટ કરીને આંદોલનકારી ખેડૂતોને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે અન્યાય સામે આ ન્યાયની જીત છે. તેમણે લખ્યું કે દેશના અન્નદાતાઓના સત્યાગ્રહે અભિમાનનું મસ્તક ઝુકાવી દીધું છે.
સંયુક્ત કિસાન મોરચા
સંયુક્ત કિસાન મોરચા (SKM) 40 ખેડૂત યુનિયનોની એક છત્ર સંસ્થા છે જેણે શુક્રવારે PM મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતને આવકારતા કહ્યું કે “સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવવાની જાહેરાતની રાહ જોશે.”
અમરિંદર સિંહ
જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ નિર્ણયને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુ નાનક જયંતીના દિવસે સરકારનો આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે.
નવજોત સિંહ સિધુ
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિધુએ લખ્યું કે કાળા કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્ર સરકારનું સાચી દિશામાં પગલું છે.
પી ચિદમ્બરમ
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે જે આંદોલનથી નથી મેળવી શકાતું તે ચૂંટણીના ભયના કારણે મેળવી શકાય છે. તેમણે આ રીતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.
મમતા બેનર્જી
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપની ક્રૂરતા સામે આખરે આંદલનની જીત થઈ છે.
મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે જેઓ કૃષિ કાયદા સામે સતત વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોની જીત છે, જેઓ ઘણા દિવસોથી ખેતીના કાયદા સામે વિરોધ કરી રહ્યા છે; 700 થી વધુ મૃત્યુ પામ્યા. એવું લાગે છે કે કેન્દ્ર દોષિત છે… પરંતુ ખેડૂતોને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેની જવાબદારી કોણ લેશે? અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશું,” ખડગેએ કહ્યું.
અનિલ ઘનવત
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફાર્મ પેનલના સભ્ય અનિલ ઘનવતે શુક્રવારે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પ્રતિગામી ગણાવ્યો હતો. ઘનવતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીનું આ સૌથી પ્રતિકૂળ પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ભલાની જગ્યાએ રાજકારણ પસંદ કર્યું.”
પ્રકાશ સિંહ બાદલ
શિરોમણી અકાલી દળ (SAD)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલે ગુરુવારે કહ્યું કે આ ખેડૂતોની જીત છે અને ઇતિહાસની નિર્ણાયક ક્ષણ છે.
ઓમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકારનો નિર્ણય પેટાચૂંટણીના આંચકાનું પરિણામ છે. કોઈ હૃદય પરિવર્તન નથી.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર 360 એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમણે તેમની 17 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે IPL સહિત વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યા હતા. ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને RCB મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે RCB સાથે ક્યારે 11 વર્ષ વીતી ગયા તે ખબર નથી.
ડી વિલિયર્સે કહ્યું,’ આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, 37 વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી. ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, ‘હું જાણું છું કે મારા પરિવાર – મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.
કોહલીની ડિવિલિયર્સ માટે ભાવૂક પોસ્ટ
તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ… અને હું હંમેશા તમારો નંબર-1 ફેન રહીશ.
‘RCBથી દૂર રહેવું સારું નથી લાગતું’ RCBના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, ‘મેં RCB સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. 11 વર્ષ આમ જ વીતી ગયા અને ખેલાડીઓને છોડવાનું સારું નથી લાગતું. આ નિર્ણયમાં ઘણો સમય લાગ્યો પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે. હું RCB મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર RCB પરિવારનો આભાર માનું છું.
ડી વિલિયર્સ વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યા છે દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એવા ડી વિલિયર્સના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ડી વિલિયર્સના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઈપીએલની રાહ જોઈ હતી. આઈપીએલ ઉપરાંત, ડી વિલિયર્સ બાર્બાડોસ, સ્પાર્ટન્સ, રંગપુર રાઈડર્સ, મિડલસેક્સ, બ્રિસ્બન હીટ અને લાહોર કલંદર માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે.
ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 114 ટેસ્ટ, 228 ODI અને 78 T20 ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 47 સદી ફટકારી છે.
વિક્રમ સંવત ૨૦૭૮માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.
વિક્રમ સંવત ૨૦૭૮માં કાર્તિક સુદ પૂર્ણિમાને ૧૯ નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતીય સમય મુજબ છાયાગ્રહણ સ્પર્શ સવારે ૧૧ કલાક ૩૨ મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ બપોરે ૧૨ કલાક ૪૮ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય બપોરે ૨ કલાક ૩૨ મિનિટ ૫૫ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત બપોરે ૪ કલાક ૧૭ મિનિટ ૭ સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત સાંજે ૫ કલાક ૩૩ મિનિટ ૪૦ સેકન્ડ છે. ખંડગ્રાસ ગ્રહણની અવધિ ૩ કલાક ૨૮ મિનિટ ૨૪ સેકન્ડ જ્યારે છાયા ગ્રહણ અવધિ ૬ કલાક ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે.
ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૃણાચલ પ્રદેશના અમુક ભાગમાં લાલાશ રંગનો ચંદ્ર જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટના ની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ ૨૦૨૨ માં પાંચ ગ્રહણ છે તેમ શરૃના ૪ ગ્રહણ દેખાવાના નથી. પરંતુ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે, તે દેખાશે અને એ વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આથક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે. ‘
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે Dt.19/11/21 સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે.
નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી. જોકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ સાથે પીએમ મોદીએ હાથ જોડીને આંદોલનરત ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.
આ સાથે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ખેતી અને દેશના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ સશક્ત કરવા માગતા હતા. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.
ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો હેતુ ખેડૂતોને વધુ શક્તિ આપવાનો હતો. તેમને તેમની પેદાશો વેચવા માટે વધુને વધુ વિકલ્પો મળવા જોઈએ. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી છે. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણેખૂણેથી અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. આ તમામ બાબતો દેશ આખો જાણે છે માટે તેમાં વધુ નથી કહેવા માગતો પરંતુ અમારી સરકાર હંમેશા દેશ હિતમાં પગલા લેશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા કાર્યોને ગણાવ્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં તમણે કહ્યું કે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની 1000 થી વધુ મંડીઓને e-NAM યોજના સાથે જોડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. કૃષિ બજારોના આધુનિકીકરણ માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં 5 ગણું વધ્યું છે. કૃષિ પાછળ દર વર્ષે 1.25 લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
– આપત્તિ સમયે વધુમાં વધુ ખેડૂતોને વળતર મળી રહે તે માટે નિયમો પણ બદલાયા હતા. છેલ્લા 4 વર્ષમાં ખેડૂત ભાઈ-બહેનોને 1 લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1.62 લાખ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
– પીએમ મોદીએ કહ્યું કે 5 દાયકાના મારા જાહેર જીવનમાં મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. 2014માં જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે અમે કૃષિ કલ્યાણને પ્રાથમિકતા આપી હતી.
– નાની જમીનની મદદથી નાના ખેડૂતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારોનું પેઢી દર પેઢીનું વિભાજન તેને વધુ નાનું બનાવી રહ્યું છે. નાના ખેડૂતના પડકારોને ઘટાડવા માટે બિયારણ, વીમો, બજાર અને બજેટ પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું છે.
– ગુરુ પર્વના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. દોઢ વર્ષના અંતરાલ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદદાયક છે.
અમારી સરકાર સેવાની ભાવના સાથે દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે. ન જાણે કેટલી પેઢીઓ સપના સાકાર થતા જોવા માંગતી હતી, આજે ભારત એ સપનાઓને સાકાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.