CIA ALERT

Slider Archives - Page 108 of 485 - CIA Live

November 7, 2021
khatraj.jpg
1min550

ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ ખાતે દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

etp: Gujarat: Five labourers die while cleaning effluent treatment plant  tank in Gandhinagar | Ahmedabad News - Times of India

કલોલની ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.

દિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટનો ઓપરેટર રજા પર ગયો હતો. જ્યારે દિવસ દરમિયાન સુશીલ ગુપ્તા અને રાત્રે રામસિંહ પાંડે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે પ્લાન્ટના હોજને સાફ કરવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે હોજમાં ઊતર્યો હતો. તેણે પણ બચાવો બચાવોની બૂમો પાડતાં એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ ચીસો સાંભળીને હોજમાં ઊતર્યા હતા. દરમિયાન થોડીવારમાં પાંચેય જણાની બૂમો શાંત થઈ ગઈ હતી.

બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

November 7, 2021
bjp_logo.png
1min537

તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનો વ્યૂહ બનાવવા માટે રવિવારે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. કોવિડ-૧૯નો રોગચાળો ફેલાયા બાદ પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી.

ભાજપના મહામંત્રી અરુણસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના અનેક પ્રધાનો સહિત રાષ્ટ્રીય કારોબારી મંડળના ૧૨૪ સભ્ય આ બેઠકમાં પ્રત્યક્ષ ભાગ લેશે તથા મુખ્ય પ્રધાનો સહિતના અન્ય રાજ્યોના સભ્યો કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. 

બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દાઓ અને નિયમ પ્રમાણે એજેન્ડાની બાબતો સિવાય આવતા વર્ષે પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બેઠકને મોદી સંબોધશે અને એક રાજકીય ઠરાવ પસાર કરાવાની શક્યતા છે, જે વિવિધ મુદ્દે પક્ષના મતને ઓપ આપશે. નડ્ડા પ્રારંભિક સંબોધન કરશે. 

મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના, ગરીબોને મદદરૂપ થાય એવી, અનાજ મફતમાં આપવા જેવી યોજનાઓ અને કોવિડ માટેનો રસીકરણ કાર્યક્રમ જેવી યોજનાઓનું પ્રદર્શન કારોબારી બેઠકના સ્થળે યોજવામાં આવશે. 

રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવા એમણે કરેલા પ્રયત્નોને દર્શાવવાનો પક્ષ પ્રયત્ન કરશે.

November 7, 2021
t20_world.jpg
1min404

ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શરૂ થનારી ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ આ સ્પર્ધામાં ભારતની આગેકૂચનું ભાવિ નક્કી કરવાની છે. અફઘાનિસ્તાન જો ન્યૂ ઝીલેન્ડને હરાવે તો ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા ઘણી વધી જશે.

ન્યૂ ઝીલેન્ડનો વિજય થશે તો તેના આઠ પૉઇન્ટ થઇ જશે અને ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાનું લગભગ અશક્ય બની જશે.

અફઘાનિસ્તાન જો આ મૅચ જીતે તો તેના માટે પણ આગેકૂચ કરવાની થોડી આશા જન્મશે.
ભારતે પોતાની નામિબિયા સામેની અંતિમ મૅચ મોટા તફાવતથી જીતવી પડશે.

ન્યૂ ઝીલેન્ડનો આ મૅચમાં વિજય થાય તો ભારતની સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે નામિબિયા સામે રમાનારી મૅચનું ખાસ મહત્ત્વ નહિ રહે. અફઘાનિસ્તાને આ મૅચ જીતવા મોટો જુમલો કરવાની જરૂર છે. તેની બૉલિંગ અત્યાર સુધીની મૅચમાં સારી રહી હતી.        

November 6, 2021
sameer_vankhede.jpg
1min455

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે સમીર વાનખેડે સામે એક બાદ એક મુશ્કેલીઓ સામે આવી રહી છે. અગાઉ એનસીપી નેતા નવાબ મલિક દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવતાં વાનખેડેને પોતાની જાતિ સહિતનાં પુરાવા આપવા પડ્યા હતા. આ ઉપરાંત એનસીબીના સાક્ષી દ્વારા એફિડેવિટ દાખલ કરી વાનખેડે સામે લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે જાણકારી સામે આવી રહી છે કે, સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત અન્ય પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. અને હવે આ કેસોની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી ટીમ કરશે.

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન તેઓને અનેક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. આર્યન ખાન કેસમાં કરોડોની લાંચ માગવાના કેસમાં તેમની સામે દિલ્હી એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમીર વાનખેડેને હવે હટાવી દેવામાં આવ્યા છે. અને નવી ટીમ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન કેસમાં લાંચના આરોપ બાદ એનસીબી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એનસીબીના વેસ્ટટર્ન ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું કે, અમારા ઝોનના કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની એનસીબી ટીમ દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાન કેસ અને અન્ય 5 કેસ સામેલ છે.

સમીર વાનખેડે આ મામલે જણાવ્યું કે, મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નતી. કોર્ટમાં મારી રિટ અરજી કરી હતી કે કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સી પાસેથી કરાવવામાં આવે. એટલા માટે આર્યન ખાન કેસ અને સમીર ખાન કેસની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની એનસીબી ટીમ વચ્ચે એક સમન્વય છે.

November 4, 2021
modi.png
1min435

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min631

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 4, 2021
rahul-dravid.jpg
1min457

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ અંગે પુષ્ટિ કરી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વાનુમતે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સીરિઝથી પોતાનો કાર્યભાર સંભાળશે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.

બોર્ડે રવિ શાસ્ત્રીના સ્થાને નવા હેડ કોચને શોધવા 26 ઓક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ રવિ શાસ્ત્રીને તેમના સફળ કાર્યકાળ બદલ આભિનંદન આપ્યા હતા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બની હતી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. અગાઉ આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોર્ડના ટોચના હોદ્દેદારો સાથે પણ દ્રવિડે ચર્ચા કરી હતી અને ત્યારે જ તેને હેડ કોચ બનાવવા માટે મનાવી લેવાયા હતા.  

November 4, 2021
ambanihome.jpg
1min545

મુકેશ અંબાણીનો પરિવાર ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાંના નવા ઘરમાં દિવાળી ઊજવી રહ્યો છે : ભવિષ્યમાં તેઓ થોડો સમય મુંબઈમાં અને બાકીનો સમય લંડનના સેકન્ડ હોમમાં વિતાવે એવી પૂરેપૂરી શક્યતા છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભવિષ્યમાં તેમનો સમય લંડન અને મુંબઈ વચ્ચે વહેંચી શકે છે એવું સૂત્રો પાસેથી ‘મિડ-ડે’ને જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અંબાણી પરિવારે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાં ૫૯૨ કરોડ રૂપિયામાં ૩૦૦ એકરની જમીનમાં કન્ટ્રી ક્લબ ખરીદ્યું છે, જે ભવિષ્યમાં અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ બનશે. ભવિષ્યમાં અંબાણી પરિવાર અડધો સમય લંડનના આ ૪૯ બેડરૂમના વૈભવી ઘરમાં અને બાકી અડધો સમય મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પરની ગગનચુંબી ઇમારત ઍન્ટિલિયામાં વિતાવશે.

સૂત્રો કહે છે કે લંડનની પ્રૉપર્ટીમાં અત્યાધુનિક મેડિકલ સુવિધા પણ ઊભી કરી દેવામાં આવી છે. ૪,૦૦,૦૦૦ ચોરસફુટના ઍન્ટિલિયામાં કોરોનાકાળ દરમ્યાન થયેલા અનુભવ બાદ અંબાણી પરિવારને બીજા ઘરની જરૂર જણાઈ હતી. લૉકડાઉન દરમિયાન પરિવારે જામનગરમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તેમના ગ્રુપની રિફાઇનરી છે. આ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પણ છે.

સૂત્રો જણાવે છે કે તેમને ચોતરફ ખુલ્લી જગ્યા હોય એવી પ્રૉપર્ટીની શોધ હતી. મુંબઈમાં છે એવી ઊંચી ઇમારતની નહીં. ગયા વરસથી જ નવા ઘરની શોધ શરૂ થઈ ગઈ હતી. સ્ટોક પાર્કનો સોદો પાર પડતાં જ ત્યાં પરિવારની જરૂર પ્રમાણે સજાવવાનું કામ ઑગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયું હતું.

November 4, 2021
covaxin.jpg
1min360

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (હૂ)એ ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ (ઈયુએલ)નો દરજ્જો આપ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનના ટૅક્નિકલ ઍડવાઈઝરી ગ્રૂપ ‘ટૅગ’એ કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવાની ભલામણ કરી હતી. 

કોવેક્સિનને ઈયુએલનો દરજ્જો આપવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના આંકડાઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા આરંભી છે. કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવા ‘ટૅગ’એ ૨૬ ઑક્ટોબરે કંપની પાસે વધારાની સ્પષ્ટતા માગી હતી.

‘ઈયુએલ’ પ્રક્રિયા હેઠળની કોરોનાની વૅક્સિનને તાકીદના ઉપયોગ માટે લઈ શકાય કે નહીં તે માટે ભલામણ કરતી ‘ટૅગ’ સ્વતંત્ર સલાહકાર સમિતિ છે. 

કોવેક્સિનની કોરોનાના દરદી પર અસરકારકતા ૭૭.૮ ટકા અને કોરોનાના નવા વૅરિયન્ટ સામે રક્ષણ આપવાની અસરકારકતા ૬૫.૨ ટકા હોવાનું જણાઈ આવ્યું હતું.

November 4, 2021
Electric-Vehicle-Charging-Station.jpg
1min419

દેશની સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત વૈદ્યે બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે  કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરશે. 

દુનિયામાં ભારત કાર્બનઉત્સર્જન કરનારો ત્રીજો મોટો દેશ છે. ૨૦૭૦માં આ ઉત્સર્જન નેટ જીરો સુધી પહોંચે એવી વડાપ્રધાને સોમવારે અપીલ કરી હતી. 

આજે પેટ્રોલ અને ડીઝલ જ ભારતના વાહનોમાં ઇંધણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે ભવિષ્યમાં વાહન ઉત્પાદકોને  ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન કરવા અંગે  વિશ્ર્વાસ બેસે એ રીતનું માળખું કંપની તૈયાર કરી રહી છે. 

દેશમાં ઇંધણની જરૂરિયાત વધતી જાય છે અને તેને પહોંચી વળવા બધી જ જાતના ઇંધણો વિકસાવવા પડશે. કંપની દરેક ૨૫ કિમી.ના અંતરે ૫૦ કિલોવૉટ અને ૧૦૦ કિમી.ના અંતરે ૧૦૦ કિલોવૉટની ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે. હાલના પેટ્રોલ પંપ પર આ સ્ટેશનો તો ઊભા કરાશે જ ઉપરાંત નવા સ્ટેશનો પણ ઊભા કરાશે. 

હાલમાં ૨૮ કરોડ વાહનો દેશમાં દોડી રહ્યા છે અને દર વર્ષે ૨.૫ કરોડ વાહનો ઉમેરાતા જાય છે જેથી પેટ્રોલ-ડીઝલની માગ પણ વધતી જાય છે. 

ઇલેક્ટ્રિેક વાહનો હજી ઘણા ઓછા વપરાય છે. આવા વાહનોમાં ટુ-વ્હીલરનું પ્રમાણ ૧ ટકો, ફોર-વહીલરનું પ્રમાણ ૦.૨ ટકા અને થ્રી વ્હીલરનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે. 

વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સોમવારે જે જાહેરાત કરી છે એ દિશામાં આગળ વધતી  કંપનીનું આ પ્રથમ પગલું છે. આ કાર્ય માટે  વાહન ઉત્પાદકો અને વીજળી સપ્લાય કરતી કંપનીઓ સાથે પણ ચર્ચાવિચારણા કરતી રહેશે.